March 06, 2018

વિચરતી વિમુક્ત ૪૦ જ્ઞાતિઓનો વિકાસ મંત્ર

By Anil Shekhaliya || 3 March 2018 at 19:29


"૧૧% અનામત સાથે ST માં સમાવેશ"

હક્ક મંગવો એ દરેક નાગરિકનો સમાન અધિકાર છે આપણે બીજી બધી જ્ઞાતિઓ કરતા આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સૌથી ગરીબ વંચિત શોષિત અને પીડિત પ્રજા છીએ વિચરતી વિમુક્ત જ્ઞાતિઓનો વિકાસ ફક્તને ફક્ત અલગ અનામત મળે તો જ ઉદ્ધાર છે.
આજના ભ્રષ્ટ મુડીવાદિ અને હરિફાઈના યુગમાં આવી નબળી જાતિઓ અને આપણો વિકાસ આપણે કોઈપણ હરીફાઈમાં ટકીને કરી શકીએ તેમ નથી. પાયામાં શિક્ષણ તો જરૂરી છે જ પરંતુ આ બીજા વિકસિત સમાજ સાથે વિકાસની ભાગીદારી મેળવવા અને મુખ્ય ધારા માં આવવા માટે માત્રને માત્ર આપણે ૧૧% સાથે ST માં સમાવેશ કરે તો જ આપનો વિકાસ શક્ય છે એમ લાગે છે.
માટે જાગો ભાઈઓ આપણી એકતા કરી હક્ક અધિકાર માટે આ અભિયાનમાં જોડાઓ.  NT/DNT સમાજ ની ગરીબી નાબૂદી માટે લડાઈ ઉપાડીયે અને આપણને પણ સમાન અધિકાર મળે એ માટે  સૌ સાથે મળી ને સંધર્ષ કરીએ. એક વેર-વિખેર કડીઓને જોડીને એક સાંકળ બનીએ અને આપણો અધિકાર મેળવીને જ જંપીએ

આપણે અનામત શા  માટે માંગીએ  છીએ ઃ-

  1. NT/DNT સમાજ શોષિત પીડિત અને વંચિત જંગલી જીવન જીવે છે
  2. એક જગ્યાએ વસવાટ નથી નિરંતર ભટકતી જ્ઞાતિઓ છે 
  3. આસ્થા શ્રદ્ધાથી મહેનત કરે છે વિકાસ અને રોજગાર માટે ભટકે છે
  4. આર્થિક પરીસ્થીતી જ નબળી હોય તો શિક્ષણના ખર્ચા ક્યાંથી કરશે?
  5. બિન સંગઠિત કોમ છે
  6. જન્મ મરણ રેશનકાર્ડ કે બીપીએલ વગેરેના પુરાવા ધરવતા નથી જેથી કોઈ યોજનાઓના લાભ મેળવી શકતા નથી
  7. તીરસ્કાર અને અપમાન નો ભોગ બનેલી પ્રજા છે
  8. ઓબીસી માં સમાવેશ કરવાથી NT/DNT સમાજ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે
  9. મજબૂત સમાજ જ obc ના ૨૭% અનામત ના લાભ મેળવે છે અને ગરીબના લાભ ઝુંટવાઈ જાય છે


૧૧% અનામત સાથે ST માં સમાંવવાથી શુ ફાયદો મળશે ??


  1. કોઈપણ શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસમાં NT/DNT બાળકોને અનામતથી અભ્યાસમાં સ્થાન મળશે
  2. નોકરીમાં પણ ૧૦૦૦ ક્લાર્કઓની ભરતી હશે તો ૧૧% થી ૧૧૦ NT/DNT બાળકો કલાર્કની નોકરી મેળવશે
  3. ૧૦૦૦ પોલીસની ભરતીમાં પણ ૧૧૦ NT/DNT બાળકો પોલીસ બની શકશે
  4. ૧૦૦૦ મામલતદારો,કલેકટરો,કે પી.આઈ, વગેરેની ભરતીમાં પણ દરેકમાં NT/DNT ૧૧૦ બાળકો પદ મેળવશે
  5. કોઈ પણ ચૂંટણી હોય સરપંચ,ડેલીગેટ,કોર્પોરેટર,ધારાસભ્ય,સંસદસભ્ય વગેરેમાં પણ NT/DNT સમાજ ના લોકો ને ૧૧% લેખે અનામતનો લાભ મળશે.
    જેમ કે, ૧૦૦૦ સરપંચની ગામોમાં ચૂંટણીમાં ૧૧૦ NT/DNT સમાજ માથી સરપંચ બની શકશે, ૨૦૦ ધારાસભ્યોમાં ૨૨ NT/DNT ધારાસભ્યો બની શકશે. આમ દરેક ક્ષેત્રે NT/DNTને ૧૧% મળશે તો તેનો લાભ મળશે અને દેશ ના વિકાસમાં સહભાગી બની શકાશે. 
  6. ST માં સમાવેશ કરશે તો અનુસૂચિત જનજાતિને જે લાભ કે સુવિધા મળે છે તે બધી જ સુવિધાઓ આપણને ૧૧% અનામત પ્રમાણે મળશે.
એસ સી કે એસ ટી અનામત મા કોઇ ફેરફાર કર્યા વિના આ ડીમાંડ કરવામા આવે છે.

માટે જાગો ભાઈઓ-બહેનો,વડીલો-યુવાનો આપણા સમગ્ર સમાજોના ઉદ્ધાર માટે વિચરતી વિમુક્ત જ્ઞાતિના નેતૃત્વમાં સૌએ એક સંપ થઈને આપણો અધિકાર મેળવીયે.
વિચરતી વિમુક્તની એક કરોડ પંદર લાખની જનતામાં આપના દરેક પરિવારમાંથી દરેક ઘરમાંથી એક સભ્ય આ અભિયાન માં જોડાઈશું તો એક મજબૂત અવાજ બનશે. "આપણે આપણો અધિકાર મેળવીને જ જંપીશું આવી શપથ લઈએ."

આ અભિયાનમાં જોડાઓ.

આ મેસેજ વધુમાં વધુ શેર કરો તમામ સમાજ સુધી પહોચવો જોઈએ

લી. અનિલ શેખલીયા
મો. 9714017874

સપોર્ટર ઃ-
અજિતભાઈ મીઠાપરા
9924511851
મહેશભાઈ સાથળિયા
8000419315
(Edited By Vishal Sonara)

No comments:

Post a Comment