November 11, 2019

શું સાચે જ સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું?? : જાણો તથ્ય

By Vijay Makwana  || 10 Oct 2019



ઘણાં અહીં બેઠા બેઠા તુક્કા મારે છે કે, સુપ્રિમ કોર્ટે રામના અસ્તિત્વને સ્વીકાર્યું. રામ હતા તેવું સ્વીકાર્યું, તો..

મિ. તુક્કાબાઝ જાણી લો કે, સિવિલ પ્રોસિજર કોડ નો ઇતિહાસ રોમન લોકો સુધી જાય છે. રોમનો જ્યારે ધાર્મિક બાબતે વિવાદિત સિવિલ પ્રક્રિયા કરવાની હોય ત્યારે દેવતાઓને કાલ્પનિક પક્ષકાર બનાવી લેતાં જેથી જીવિત કોઈપણ વ્યક્તિ તે વિવાદનો લાભ કે ગેરલાભ ના ઉઠાવી જાય. ભારતમાં અંગ્રેજો સિવિલ પ્રોસીજર કોડ લઈને આવ્યા. અહીં દેવતાઓની ભરમાર હતી અને કોઈ દેવતાઓ ના મંદિરના ટ્રસ્ટ તો હતા નહિ. એટલે તેમણે રોમનો જેવી જ પરંપરા અહીં લાગુ કરી. કોઈ પણ મંદિર વિષયક વિવાદમાં ભગવાન ને જ પક્ષકાર ગણી લેવા જોઈએ તેવું લાગુ કર્યું. ભારતમાં પ્રથમવાર ડાકોર ના શામળાજી ને પક્ષકાર ગણવામાં આવેલા.

હિન્દુ લો અને ધાર્મિક ટ્રસ્ટો નો અધિનિયમ વાંચવો ખૂબ જરૂરી છે. ભારતમાં આ અધિનિયમ મુજબ કોઈ સંસ્થા, ટ્રસ્ટ, કંપની, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, ચરમાળિયા દાદા, ખેતરપાળ જેમનામાં જીવ નથી તેવી તમામ ચીજોને પક્ષકાર ગણી શકાય છે. પક્ષકાર ગણી લેવા એટલે રામ ને હાજરાહજૂર માની લેવા તેવું નહિ. ચુકાદાને પબ્લિક ઇન્ટરેસ્ટ થી દૂર રાખવાની આ વર્ષો જૂની પ્રણાલી છે.

રામ કાલ્પનિક જ છે. મહાકાવ્ય ના નાયક જ છે. તે સુપ્રિમ કોર્ટ પણ જાણે છે. અને જેનામાં પાશેર બુદ્ધિ છે તે પણ સમજે અને માને છે.

 - વિજય મકવાણા