June 17, 2017

આવા માહોલમાં વિશ્વગુરુ બનીને આપણે કેવી રાહ ચિંધવાના...???



આધ્યાત્મિકતાની ચરમસીમા પામી સાક્ષાત્કાર કરી લીધો હોય અને બ્રહ્મ પરબ્રહ્મને ધોળી પી નાખ્યો હોય એવો દેખાડો કરતા પ.પુ. ધ.ધુ. (પ.પુ.-પરમ પુજ્ય, ધ.ધુ.-ધમઁ ધુરંધર) આવનારી સદીમાં ભારત વિશ્વગુરુ બની દુનિયાને નવી રાહ ચિંધશે એવી આગાહીઓ તેમનાં પ્રવચનોમાં અનેકવાર કરતા જોવા મળે છે. આ લોકો ભારત વિશ્વગુરુ બનશે તેવુ સખત ભાર પુવઁક કહે છે.
એ પરિવતઁન ચોક્કસ આવકાર દાયક છે પણ તે જોવાનો અવસર પ્રાપ્ત થશે કે કેમ તે એક મોટો સવાલ છે. આપણે હાજર હોઈએ પણ ખરા અને ન પણ હોઈએ..
વિશ્વગુરુ આ શબ્દ સાંભળવામાં જબરો પ્રભાવશાળી લાગે છે. પરંતું આ સાડા ચાર અક્ષરોમાં ક્યાંકને ક્યાંક અબાધિત સત્તા ભોગવવાની લાલસા અને જગત જમાદારી કરવાની પ્રબળ ઝંખના ગભિઁત રીતે છુપાયેલી હોવાનુ મને સદા લાગ્યુ છે.
જે પણ હોય મારા મતે વિશ્વગુરુ શબ્દ અને તેની પાછળ રચવામાં આવેલ કાલ્પનિક ખ્યાલ ભ્રમિત કરવા રચવામાં આવેલ હોય તેવું લાગે. રણમાં દેખાતા મૃગજળ જેવો...
બાકી આવી આગાહીઓ ક્યા આધાર પર કરવામાં આવે તે સમજાતુ નથી.
જે દેશમાં હજી સુધી કોઈ ક્રાન્તિકારી શોધ કે સંશોધન ન થઈ શક્યું હોય....,
દેશના વિજ્ઞાનીઓ અને બુધ્ધિજીવીઓ પોતાની મૌલિકતા નિખારવા વિદેશની વાટ પકડતા હોય...,
વરસોથી દેશમાં ધર કરી ગયેલ ગરીબી, ભુખમરો, ભ્રષ્ટાચાર અને જાતિવાદ મિટાવી ન શકાયો હોય...
જ્યાં લાયબ્રેરીઓ અને લેબોરેટરીઓ કરતા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવતા એજન્ટોના પ્રવચનોમાં વધુ ભીડ ઉમટતી હોય....
લોકોને વિજ્ઞાન કરતા ચમત્કારોમાં વધુ શ્રધ્ધા હોય....
ધમઁએ ડરાવીને પૈસા ખંખેરવાની ચાલાકી બની ગયો હોય...
આવા માહોલમાં વિશ્વગુરુ બનીને આપણે કેવી રાહ ચિંધવાના...???
આ વિશ્વગુરુનો ખ્યાલ એ ધમઁ અને આધ્યાત્મિકતાના નામે લોકોને સતત ઘેનમાં રાખવા અપાતો ઓવરડોઝ છે..Nothing else...
જિગર શ્યામલનનાં જયભીમ.....................

Facebook Post :-

ધર્મ એ માણસને શું આપ્યું ???

માણસે ધર્મ ને શું આપ્યું...?? અને તેને આનુસંગિક બીજો પ્રશ્ન છે કે... ધર્મ એ માણસને શું આપ્યું ???

માણસે ધર્મને પોતાનો સમય આપ્યો...
પોતાની સંપતિ આપી...
પોતાનું સમગ્ર જીવન આપ્યું...
ધર્મને ખાતર માણસે પોતાની ઈચ્છાઓ..... પોતાની સ્વતંત્રતા અને પોતાની બાળ સહજ જિજ્ઞાસાને જીવતી દફનાવી દીધી.

ધર્મનું આચરણ કરતા કરતા એ માણસ ન જાણે ક્યારે એક ચાવીવાળું રમકડું બની ગયો કંઈ ખબર જ ન પડી. એવું ચાવીવાળું રમકડું જે પોતાની રીતે કંઈ વિચારી શકે નહી... પોતાની રીતે કંઈ કરી શકે નહી.. એને બસ ચાવી ભરવામાં આવે ત્યારે અમુક હદમાં ઘુમરીઓ ફરતો રહે. તાળીઓ પાડતો રહે કે ગુંલાટીઓ ખાતો રહે.

ધર્મએ માણસને શું આપ્યું...??
ગ્રંથોમાં લખેલ વાતો જ સત્ય માનવાની માંદી માનસિકતા...,
માણસની સ્વતંત્ર મૌલિક વિચાર શક્તિનો નાશ....
એક માણસ તરીકે મનગમતું કરી શકવાની સ્વ
તંત્રતાનો ક્ષય....
વ્યાજબી અને ગેરવ્યાજબી દરેકેકરેક ઈચ્છાઓનો ત્યાગ...
એક જાતનું ગભરુપણું...,
જોયા વગરના અજાણ પરિબળોથી સતત લાગતો ફફડાટ કે ડર....,
પેઢી દર પેઢી ચાલી આવતી કટ્ટર માનસિકતા....,
એકબીજાની પાછળ આંખોમીંચી ચાલતી ધેંટાની ટોળાશાહી...,
માણસ પ્રત્યે રાખવામાં આવતી આભડછેટ...,
સતત વધતી ગરીબી....,
સમાજની નસેનસમાં રૂઢ બની ગયેલ જાતિવાદ...,
અને છેલ્લે મારો જ ધર્મ શ્રેષ્ઠ વાળી માનસિકતાથી પેદા થયેલ આતંકવાદ...,
આપણે એ વાત સદા માટે ભુલી જઈએ છીએ કે માણસનું અસ્તિત્વ છે માટે ધર્મ છે.... ધર્મનું અસ્તિત્વ છે માટે માણસ નથી...
જિગર શ્યામલનનાં જયભીમ...............



Facebook Post :-

क्यों पाप धुलने का लालच दे कर हर साल करोडों लोगों को मूर्ख बनाया जाता है?

शास्त्र कहते है गंगा मे डुबकी लगानेसे सारे पाप धुल जाते है!!!

अगर ऐसा है तो सरकार गुनहगारोको जैल भेजकर कैदी बनाकर सजा देनेका फोगट का खर्चा क्यो करते है?
वहा भेजकर डुबकी मरवा देनेकी!
जीसके पाप धुल जाएंगे वो बाहर आ जाएगा!!!

 क्यों पाप धुलने का लालच दे कर हर साल करोडों लोगों को मूर्ख बनाया जाता है? ये अन्धविश्वासी लोग, गंगा किनारे बैठे पण्डित और पुजारियों को अपनी मेहनत से कमाई हुई रकम दे कर चले आते हैं.

        अगर सच में पाप नहीं धुलते हैं तो जो पण्डित और पुजारी गंगा में डुबकी लगवाते हैं, पूजा पाठ करवाते हैं और इसके बदले में मोटी रकम वसूलते हैं, वो उपभोक्ताओं के साथ धोखा-धडी कर रहे हैं, उपभोक्ताओं को वह सामान बेचा जा रहा है जो वास्तव में काम ही नहीं करता, उपभोक्ताओं के पाप ही नहीं धुल रहे. और मन्त्रों का क्या? मंत्र पाप से मुक्त नहीं करते,   यदि नहीं करते तो पढ़े क्यों जाते हैं?

अब अगर समर्थन में ये कहा जाये कि बड़े पाप नहीं धुलते, छोटे पाप धुले जा सकते हैं तो फिर अभी तक वो लिस्ट क्यों नहीं जारी की गयी जिसमे ‘’धुले जा सकने वाले’’ और ‘’ना धुले जा सकने वाले’’ पापों का विवरण हो. इससे पापी लोग वो लिस्ट देख कर ‘’गंगा नहाने’’ और ‘’ना नहाने’’ का निर्णय कर सकते हैं. इससे उपभोक्ताओं के हितों का संरक्षण होगा. इससे एक अन्य फायदा और होगा, ऐसे पापों को, जिन्हें गंगा में नहा के धोया जा सकता हो उन पापों से सम्बंधित मुकद्दमों को न्यायालयों में स्वीकार ही ना किया जाये. ऐसे पापियों को गंगा में नहला कर दोषमुक्त कर दिया जाये. इससे न्यायालयों के ऊपर मुकद्दमों का बोझ भी काफी हद तक कम होगा.

        अब एक प्रश्न और उठता है कि अगर गंगा में छोटे मोटे पाप धोए जा सकते हैं तो फिर पाप करने में हर्जा क्या है, फिर भय कैसा? लिस्ट में धोए जा सकने वाले पापों को देखिये और साल भर खूब पाप कीजिये, अन्त में जा कर गंगा नहा लीजिए, और स्वर्ग का आनंद लीजिए.

        और अगर गंगा नहाने से पाप नहीं धुले जा सकते थे तो ये पाखण्ड क्यों सैकड़ों वर्षों से चल रहा है? इस अन्धविश्वास पर लगाम कब लगेगी?

- विजय जादव



શું ખરેખર કિન્નર હોવું એ દેવી પ્રકોપ ગણી શકાય...????

ટ્રાન્સજેન્ડરોની એક આખી જમાત દુનિયાભરમાં વસે છે. આ એક એવી અવસ્થા છે જેમાં શારીરીક દેખાવ પુરૂષનો પરંતુ અંદરના ગુણ, સ્વભાવ સ્ત્રૈણ હોય છે. મોટા ભાગે શરીરમાં પુરૂષત્વનું નિયમન કરતા હોમોઁન્સનું સંતુલન ખોરવાઈ જતા પેદા થતો આ એક જાતનો જન્મજાત રોગ જ ગણી શકાય જે માનસિક રીતે વધુ હાવી હોય છે. આ માનસિકતા જન્મથી જ શરૂ થાય છે. અને જેમ વય વધે તેમ પ્રભાવી બનતી જાય છે.
ટ્રાન્સજેન્ડરો અનેક નામે ઓળખાય છે... પાવૈયા, હીજડા, કિન્નર..etc આ લોકો દુનિયાના દરેક દેશોમાં જોવા મળે છે.
શારીરીક બાંધો પુરૂષ જેવો હોય પણ માનસિકતા અને બોડી લેંગ્વેજ સ્ત્રીની હોય છે.. પોતાની આ અવસ્થાને એ લોકો બહુચરમાતાને પ્રકોપ કે શાપ માને છે. આવા લોકો સદાય પોતાની જાતને બહુચરમાતાના દોષી ગણાવે છે અને ખોટા ખોળીયામાં ભરાઈ ગયાનો વસવસો વ્યક્ત કરતા રહે છે. આમાંના કેટલાક ઘરબાર છોડી પોતાના જેવા લોકો સાથે ભળી જાય છે. ત્યાં વિધીપુવઁક તેમને પુરૂષત્વની ઓળખ એવા લિંગને દુર કરી કાયદેસર પાવૈયા બનાવવામાં આવે છે.
આ લોકો બહુચર માતા દ્વારા અપાયેલ શાપનું નિવારણ કરવા માટે માતાના પરમ ભક્ત બની માતાની ભક્તિ કરી આવતો જન્મ પુણઁ મરદનો મળે તે માટે ક્ષમા યાચના કરવામાં આખુ જીવન એમ જ પસાર કરે છે.
કિન્નરોની બહુચરમાતાની ભક્તિ પાછળ પણ હંમેશની જેમ કહેવાતી ચમત્કારો અને પરચાઓથી ભરપુર કથા છે....જે મેં સાંભળેલી છે... બહુ સમય પહેલા સાંભળેલી છે એટલે ભુલચુક લેવી દેવી...
બહુચરાજી પાસે આવેલ ગામ કાલરીનાં રાજા અને તેમના મિત્ર રાજા વચ્ચે સંતાનોનાં અવતરણ પહેલા વચન આધારીત લગ્ન નક્કી કરવામાં આવે છે. પણ સંજોગોવશાત બન્નેના ઘરે દિકરીઓ જન્મ લે છે.
કાલરીનો રાજા પોતાને ઘેર દિકરી જન્મી એ વાત દુનિયાથી છુપી રાખી દિકરો જન્મયો હોવાની વાત વહેતી કરે છે. અને બીજી તરફ પોતાની દિકરીને છોકરીની જેમ નહી પણ છોકરાની જેમ ઉછેરવાનું શરૂ કરે છે....વિતતા સમયની સાથે એ કુંવરી મોટી થતી જાય છે... એક વાર કાલરીની રાજકુમારના વેશે ઉછરેલી રાજકુમારી પોતાની ધોડી પર શિકાર કરવા બહુચરાજી પાસે આવી ચડે છે. જ્યાં એક તળાવમાં ચમત્કાર જોવા મળે છે.
એક માદા કુતરી તે તળાવમાં તરીને સામે કાંઠે પહોંચે ત્યારે નર કુતરો બની ગયાનો ચમત્કાર જોવા મળે છે. આ જોઈ રાજકુમારી પોતાની ઘોડીને તળાવમાં જવા મજબુર કરે છે.. માદા ઘોડી પણ તળાવમાં નહાતા જ નર ઘોડો બની જાય છે. આખરે શંકા દુર કરવા રાજકુંવરી પોતે જ તળાવમાં નહાય છે અને રાજકુમારીમાંથી રાજકુમાર બની જાય છે... બસ તળાવમાં નહાતા વેંત સીધુ જ સેક્સ ચેંન્જ બની જતા તેના હરખનો પાર રહેતો નથી. આ વાતની જાણ રાજાને થતા તે હરખાય છે. આને બહુચરમાતાનો ચમત્કાર ગણી અગાઉ અપાયેલ વચન મુજબ કુંવરીમાંથી કુંવર બનેલ કાલરીના કુંવરના લગ્ન થાય છે... બધુ સમુસુતરૂ પાર પડે છે...
આ સમગ્ર કથામાં તળાવ પર બહુચરમાતાની કૃપા હોવાની વાત રજુ કરવામાં આવી છે.
આ કથાના સહારે કેટલાય કિન્નરો આજે પણ બહુચરમાતાનો ચમત્કાર અનુભવવા માટે પેલા તળાવમાં નહાઈને પોતાની અદ્રશ્ય બની ગયેલ મરદાનગી પાછી પામવા આતુર છે.
હવે સવાલ એ છે કે દુનિયામાં બધે જ આ જમાત જોવા મળે છે.. જો ભારતમાં બહુચરમાતાનો પ્રકોપ હોય તો અમેરિકા, પાકિસ્તાન, ચીનમાં શેનો પ્રકોપ ગણવો...?
શું ખરેખર કિન્નર હોવું એ દેવી પ્રકોપ ગણી શકાય...????
બીજુ આવું તળાવ ખરેખર હોઈ શકે જેમાં નહાતાની સાથે જ સેક્સ ચેંન્જ થઈ જતુ હોય..??
આવી કાલ્પનિક માન્યતાઓ ક્યાં સુધી લોકમાનસ પર કબજો જમાવી રાખશે...
જિગર શ્યામલનનાં જયભીમ.....


Facebook Post:-