Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

July 31, 2018

સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 5 May 2018


રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.

આપણે રાજનીતિક ક્રાન્તિ કરીને હુકમરાન બનવાના દિવાસ્વપ્નો જોઈયે છીએ. બહુજન અને બહુ સંખ્યક સમાજને રાજનીતિક ક્રાન્તિ કરીને સત્તાધારી બનવું છે.
દરેકને ક્રાન્તિ કરવી છે, પણ આ ક્રાન્તિ ક્યારે, કઈ રીતે, કોના દ્વારા અને ક્યા સાધન વડે લાવી શકાશે તે બાબતે સ્પષ્ટ નથી. આપણાં ક્રાન્તિના ખ્યાલો સ્પષ્ટ નથી. લોક આંદોલન અને ક્રાન્તિ એ બન્ને વચ્ચે ભેદ છે. આંદોલન ક્ષણિક આવેગનુ પરિણામ છે જ્યારે ક્રાન્તિ લાંબાગાળાના ચિંતન અને રણનિતીનુ પરિણામ. 
કોઈપણ જડ વ્યવસ્થાને ધરમૂળથી સદાને માટે બદલવા માટેની ધીમી પણ મક્કમ કવાયત એટલે જ ક્રાન્તિ. ક્રાન્તિનો જન્મ મસ્તિષ્ક થાય છે અને અંત હ્યદયથી, પણ આપણે આંદોલનને ક્રાન્તિમાં ગણાવી નાખવા ઉત્સુક છીએ.
રાજનીતિક ક્રાન્તિ એ પ્રભાવશાળી શબ્દ છે. જે દેખીતી રીતે જ વર્ચસ્વ અને પાવર તેમજ શક્તિ સાથે સંકળાયેલો છે. 
એક વાત સ્પષ્ટ છે કે રાજનીતિક ક્રાન્તિ એ માત્ર એક રિઝલ્ટ છે જે સામાજીક અને ધાર્મિક ક્રાન્તિની પરિક્ષા આપ્યા સિવાય પ્રાપ્ત થવાનું નથી. રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
આ વાત સાથે કેટલાક સંમત હશે અને કેટલાક સંમત નહી હોય. જે સંમત ન હોય તેઓને બાબા સાહેબને વાંચવાની ભલામણ કર્યા વિના અન્ય ઉપાય નથી.


હવે પછીના તમામ વિચાર બાબા સાહેબના છે. 
"સામાન્ય રીતે ઈતિહાસ એ પ્રસ્તાવને સમર્થન આપે છે કે રાજનીતિક ક્રાન્તિઓ હંમેશા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરવામાં આવેલ ધાર્મિક સુધાર યુરોપના લોકોની રાજનીતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. ઈગ્લેન્ડમાં પ્યૂરિટનવાદને કારણે રાજનીતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે જ નવા વિશ્વની સ્થાપના કરી. પ્યૂરિટનવાદે જ અમેરીકી સ્વાતંત્રતા સંગ્રામ જીત્યો હતો. પ્યૂરિટનવાદ એક ધાર્મિક આંદોલન હતું.
આ જ વાત મુસ્લિમ સામ્રાજ્યોના સબંધમાં પણ સાચી છે. આરબ રાજનીતિજ્ઞો સત્તા બન્યા એ પહેલા મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા આરંભાયેલ સંપૂર્ણ ધાર્મિક ક્રાન્તિમાંથી પસાર થયા હતા.
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે. ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનીતિક ક્રાન્તિની પહેલા ભગવાન બુધ્ધની ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. શિવાજીના નેતૃત્વમાં રાજનીતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક સુધારા બાદ જ થઈ હતી.
શીખોની રાજનીતિક ક્રાન્તિની પહેલા ગુરૂ નાનક દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી.
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરૂરી છે. આ દ્રષ્ટાંતોથી એક વાત પ્રગટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનીતિક વિસ્તાર માટેની પ્રથમ જરૂરીયાત છે."
(बाबा साहब आंबेडकर संपूर्ण वाग्ड्मय खंड -1, पेज नं- 61 & 62)
બસ.. હવે હુકમરાન સમાજ બનવા કે બનાવવાની ખેવના રાખનારા લોકોએ પોતાના ઘરોની દિવાલો પર જઈને એક વાત સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી નાખવી જોઈયે કે રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
- જિગર શ્યામલન

July 21, 2018

"लाल सलाम" भी अब "राम नाम की नाव" पर सवार हो चुका है

By Vishal Sonara 

हाल हि मे खबरें आई थीं की केरल की कम्युनिस्ट सरकार अपने राज्य मे रामायण महीना मनाने जा रही है और बहोत जोरो से उसकी तैयारियां चालु है. अब छवि बदलने की कोशिश में है ये लोग, वो अब बोलने वाले है की कार्ल मार्क्स जो भी कह कर गए पर अब तो हमें भी भगवान पर विश्वास है...!!!
बहोत से लोग ये खबर सुनकर आचंबीत हो गए और अपनी प्रतिक्रिया देने लगे. 
इसी कम्युनीस्टो ने पीछले दिनो अछुतो को मंदिर मे पुजारी बनाकर पेश किया था. बाद मे उन्ही अछुत पुजारीयों पर हमले भी हुए थे वो बात लोग भुल जाते है. अगर धर्म अफिम है तो फिर क्यो अफिम पीलाई जा रही है ये बात लोग पुछते तक नही है इनलोगो को...

कुछ जागरुक लोगो का कहना था की कम्युनिस्ट लोग तो धर्म मे मानते नही है फिर ये सब क्या है. पर उन्हे असली बात पता ही नही है. कम्युनिस्ट लोग अपने धर्म को कभी भी नफरत नही करते. सब दिखावे की बाते है. कम्युनिस्ट लीडर्स के लाल कपडो के नीचे की जनेउ अकसर दीख ही जाती है. वामपंथियों का कहना है की अब लोगों के बीच 'असली राम' और 'असली रामायण' को लाया जाएगा. संध ने गलत व्यख्या कि है. आज तक संघ बता रहा था अंग्रेजो और मुगलो ने गलत व्यख्या कि है अब ये लाल सलाम वाले लोग भी "राम नाम की नाव" पर सवार हो चुके है और बताएगे की पिछला वाला सब गलत था अब हम सुनाते है सही क्या है...!!!! बस लोगो को सब अपने हिसाब से कथा कहानीयां सुनाई जाएगी और देश मे बढ रही गरीबी बेरोज़गारी की बात कोई नही करेगा.

और भारत की जनता भावनाओं मे बहकर ईन सब बदमाशीयों को चुपचाप सहन करती रहेगी. क्यों की 85% भारतीय जनता का कोई प्रतिनिधित्व नही है, और जो है उस प्रतिनिधित्व को खुद उन्होने ही खत्म सा कर दिया है. लोगो को अपने अदली मुद्दो पर जागृत होना पडेगा तभी कुछ परिवर्तन आएगा.

कुछ लोगो को ये सब नया लग रहा है पर बाबा साहब और रामासामी पेरीयार ने तो बहोत पहले हि ये सब कह दिया था. आंबेडकर और पेरीयार की विचारधारा को ठीक से जानने वाले ये पूरी बदमाशी पहले से ही पहचानते है. जब तक लोग असली बहुजन नायको को पढना नही शुरु करेगे तब तक ये सब ऐसे ही भारत कि जनता को उल्लु बनाते रहेगे. एक जाएगा दुसरा उसी विचारो को लेकर नई पटकी पढाने आ जाएगा, जनता वहीं की वहीं रहेगी...

- विशाल सोनारा


Facebook Post :

June 29, 2018

દલિત પેંથર્સની રાજકીય સમજ અને આજનું દલિત આંદોલન

By Raju Solanki  || 24 April 2018



આજથી 42 વર્ષ પહેલાં 6 ડીસેમ્બર, 1975ના રોજ નારણ વોરાના તંત્રીપદે બહાર પડેલા ‘પેંથર’ માસિકના પ્રથમ અંકમાં ‘ફક્કડની ડાયરી’ પેંથર્સની રાજકીય પરિપક્વતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. “ગાંધીનગર સચિવાલયની ગેલેરીમાં ફરતા ફરતા ફક્કડને એક ઇન્ડીકેટી હરિજન આગેવાન મળી ગયા,” લેખના આ પ્રથમ વાક્યથી જ વાચકને ખ્યાલ આવી જાય છે કે ‘ફક્કડની ડાયરી’ લખનારનો મૂડ કેવો એન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ છે. ફક્કડ પેલા ઇન્ડીકેટી હરિજન આગેવાનને પૂછે છે કે, “શું સમાચાર છે?” તો એ કહે છે, “સમાચાર તો શું હોય? સંસ્થા, જનસંઘ, ભાલોદ અને એસપીનો ખીચડો બિલકુલ નકામો છે.” સંસ્થા એટલે સંસ્થા કોંગ્રેસ, ભાલોદ એટલે ભારતીય લોકદળ, જનસંઘ એટલે ભાજપનો પૂર્વાવતાર અને એસપી એટલે સમાજવાદી પક્ષ. એ વખતે ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સંયુક્ત મોરચાની સરકાર હતી અને કેન્દ્રમાં ઇન્ડીકેટ એટલે કે ઇન્દિરા કોંગ્રેસ હતી.

આગળ ફક્કડ લખે છે, “અમારી વાતચીત ચાલતી હતી એટલામાં શાસક કોંગ્રેસના એક મોટા નેતા કડછાઓની ફોજ સાથે ત્યાંથી નીકળ્યા.” આ વાક્ય વાંચીએ તો એવું લાગે કે જાણે આ તો અત્યારની પરિસ્થિતિ ઉપર લખાયું છે. કડછાઓને આપણે અત્યારે ભક્તોના નામે ઓળખીએ છીએ, કોઈ ઝાઝો ફરક નથી. ફરક એટલો જ છે કે ત્યારે પેંથરો તમામ રાજકીય પક્ષોથી અલગ પોતાની પહેચાન બનાવી રહ્યા હતા. સીન્ડીકેટ હોય કે ઇન્ડીકેટ હોય, બધા સત્તાના લોલુપ રાજકારણીઓ છે એ સમજ પાક્કી હતી. સીન્ડીકેટનો વિરોધ કરતા કરતા ઇન્ડીકેટના ખોળામાં બેસી જવાનો તકવાદ પેંથરોમાં નહોતો.

વીતેલા સમયનો એક ઐતિહાસિક દસ્તાવેજ. આજની યુવા પેઢીની જાણ સારું. નારણ વોરા, રમેશચંદ્ર પરમાર કે વાલજીભાઈ પટેલની રાજકીય સમજ આજથી બેત્તાલીસ વર્ષ પહેલાં કેવી હતી એનો આ નમુનો છે. આજે એમના કરતાં પણ હોંશિયાર, વાચાળ, અંગ્રેજીના જાણકાર, મીડીયાના માનીતા લોકો દલિત આંદોલનમાં આવ્યા હશે, પરંતુ પેંથર્સ જેટલી નિષ્ઠા, પ્રતિબદ્ધતા એમનામાં છે કે કેમ એ એક મોટો સવાલ છે.



March 03, 2018

Letter from Gujarat

By Raju Solanki  || 20 February 2018 at 17:26




Letter from Gujarat

How helplessly pathetic it has been to watch both political parties in Gujarat manipulating each and every atrocity on Dalits, getting political mileage out of it and using it for their narrow electoral gains during last forty years!
In the eighties when Congress was in power, BJP would exploit Dalit anger sending its Dalit stooges in Dalit protests and Dharanas, Modi would come with a glass of lemon to end daylong fast of his party's obedient Dalit leaders. The famous Sambarada struggle of 1989 was the glaring example of BJP's blatant manipulation of Dalit dissent, where the then Union finance minister B K Gadhvi was the villain as his caste men tormented Dalits of Sambarda village. The Samabarda struggle was one of the reasons for Congress' downfall in Gujarat.
Now, it is a turn of Congress, the opposition party to ride on Dalit anger and beat BJP with the same tactics and method. And Dalits are simply becoming pawns in the power struggle between two Brahmanical parties.
- Raju Solanki
(copy from 'Tamil-Gujarat Sangam')

પ્યાદા બનેલા દલિતો


By Raju Solanki  || 20 February 2018 at 17:26



છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાતમાં દલિતો પર થતા દરેક અત્યાચારમાંથી રાજકીય ફાયદો ઉઠાવીને ચૂંટણીમાં વોટ મેળવતા બંને મુખ્ય રાજકીય પક્ષોને આપણે અસહાયતાપૂર્ણ લાચારીથી જોઈ રહ્યા છીએ.

એંસીના દાયકામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી, ત્યારે બીજેપી તેના દલિત ચમચાઓને દલિતોના આંદોલનો, ધરણા, દેખાવોમાં મોકલીને દલિત આક્રોશને ભૂનાવતી હતી. મોદી લીંબુના શરબતનો ગ્લાસ લઇને તેમના પક્ષના આજ્ઞાંકિત દલિત નેતાઓ, કાર્યકરોને દિવસના ધરણાના અંતે પારણા કરાવતા હતા. 1989ની ઐતિહાસિક સાંબરડા હિજરત દલિત આક્રોશના વરવા ઉપયોગનું સચોટ ઉદાહરણ છે, જ્યારે કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી બી. કે. ગઢવી ખલનાયકના રૂપમાં ચીતરાયા હતા, કેમ કે તેમની જાતિના લોકોએ સાંબરડામાં દલિતોને પ્રતાડ્યા હતા. સાંબરડાની છ મહિના ચાલેલી હિજરત અને સંઘર્ષ ગુજરાતમાં કોંગ્રેસની હાર માટેના મુખ્ય કારણો પૈકીની એક હતી.

હવે, દલિત આક્રોશના ઝંઝાવાત પર સવાર થયેલી કોંગ્રેસ બીજેપીને એ જ રણનીતિ અને પદ્ધતિથી પજવી રહી છે. બંને પક્ષોની સત્તાની સાઠમારીમાં પ્યાદા બનેલા દલિતો આત્મવિલોપનો કરી રહ્યા છે.

आप किसके साथ है???

By Raju Solanki  || 2 March 2018


તમે કોની સાથે છો?

આ દેશમાં માયાવતી કરતા રાહુલ ગાંધીના વડાપ્રધાન થવાના ‘ચાન્સીસ’ વધારે છે. કેમ? 


ચહેરાથી શરૂઆત કરો.

માયાવતી શ્યામ રંગના. નાક ચીબુ. હોઠ જાડા. ચહેરો સહેજેય ફોટોજેનિક નહીં. ચહેરા પર કશીજ નમણાશ કે કોમળતા નહીં.

રાહુલ શ્વેત રંગના. નાક અણીદાર. ચહેરો ક્યૂટ. આકર્ષક. હસમુખો એવો કે ના હસે તો પણ ગાલે ખંજન પડે.

ઋગ્વેદમાં કાળા રંગના, નીગર દાસ, અનાર્ય, દશ્યુઓનું વર્ણન કરેલું છે.
ય: કૃષ્ણગર્ભા નિરહન્નૃઋજિશ્વના
એટલે કે (આર્યોના) દેવે ઋજિસ્વનની સાથે રહીને કૃષ્ણગર્ભો (કાળીયાઓ)ને હાંકી કાઢ્યા.
આર્યો શ્વેત હતા. 
આર્યો જીત્યા, અનાર્યો હાર્યા.

રાહુલ આર્ય પુરુષ છે. માયાવતી અનાર્ય સ્ત્રી છે.
ફુલનદેવી માટે મીડીયા ‘દશ્યુસુંદરી’ શબ્દ વાપરતું હતું. માયાવતી માટે ‘દલિત ઝરીના’ શબ્દ પ્રયોગ થાય છે. 
શ્રી દેવીથી માંડીને સની લીયોની જેવી આર્ય કન્યાઓ પાછળ પાગલ સવા અબજનો દેશ ગોરી ચામડીને પૂજે છે, કાળી ચામડી ધરાવતી સુપર્ણખા કાન કાપવાને લાયક છે, હોલિકા બાળવાને પાત્ર છે.

હવે વિચારધારા જુઓ.
માયાવતીએ બદનામી વહોરીને પણ તથાગત બૌદ્ધ, પેરીયાર, જોતીબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, કાંસીરામ, શાહુ મહારાજની પ્રતિમાઓ સ્થાપી. એ એમની વિચારધારા છે. રાહુલ ગાંધી નેહરુ, ગાંધી, ઇન્દિરા, રાજીવની પ્રતિમા સ્થાપશે. એ એમની વિચારધારા છે. 
માયાવતી ચૂંટણી વખતે મંદિરોમાં જઇને ઘંટડી વગાડતા નથી. રાહુલ જનોઈ બતાવીને વોટ માંગે છે.

કોંગ્રેસ અને ભાજપ બંને વૈદિક આર્યોના પક્ષો છે. મીડીયા વૈદિક આર્યોના પક્ષે છે. ગાય, ગોબર, ગંગા વૈદિક આર્યોના પ્રતીકો છે. 
અનાર્યો, બહુજનોના પરાજય માટે બંનેની એકમતિ છે. 
તમે નક્કી કરજો. તમે કોની સાથે રહેશો?

- Raju Solanki



In Hindi :-

आप किसके साथ है???

इस देश मे मायावती से ज्यादा प्रधानमंत्री बनने के चांसीस राहुल गांधी के है. 
क्यो??

चेहरे से ही शुरुआत करते है...

मायावती जी श्याम रंग की है, नाक अणीदार नही है, होंठ मोटे, चेहरा जरा भी फोटोनजेनिक नही. चहरे पर कोमलता भी नही है.

वंही राहुल गांधी गोरे रंग के, अणीदार नाक, चेहरा क्युट, मनमोहक और हसमुख तो ऐसा की अगर ना भी हसे तो गालो पर डिंपल पडते है.

रुग्वेद मे काले रंग के, दास , अनार्य , दश्युओ का वर्णन है.

"यःकृष्णगर्भा निरहन्नुरुजिश्वना"

मतलब की (आर्य) देव ने सुजिस्वन के साथ रह कर कृष्णगर्भो (काले लोगो को) हराया था.

आर्य गोरे लोग थे,
आर्य जीत गए.
अनार्य हार गए...

राहुल गांधी आर्य पुरुष है, मायावती अनार्य है और उस मे भी स्त्री है.
फुलनदेवी के लिए मीडिया "दश्युसुंदरी" शब्द इस्तेमाल करता था. मायावती के लिए "दलित जरीना" शब्द प्रयोग हो रहा है.

श्री देवी से लेकर सनी लीयोनी जैसी आर्य कन्याओ के पीछे पागल ये देश गोरी चमडी को पुजता है, काली चमडी वाली सुपर्णखा नाक काटने के लायक है. होलिका जला देने के लायक है.



अब विचारधारा देखते है.

मायावती ने काफी बदनामी के बावजुद तथागत बुद्ध, पेरीयार, ज्योतीबा फुले , बाबा साहब आंबेडकर, कांशीराम , शाहुमहाराज की प्रतीमाएं स्थापीत की. वो उनकी विचारधारा है.

राहुल गांधी नेहरु, गांधी, इंदीरा, राजीव की प्रतीमा स्थापीत करेगे. वो उनकी विचारधारा है.

मायावती ईलेकशन के समय मंदीरो मे जाकर घंटीया नही बजाती. राहुल अपनी जनेउ लहराता हुआ वोट मांग रहा होता है.

कोंग्रेस और भाजपा दोनो वैदीक आर्यो की राजकीय पार्टीया है. मीडिया वैदीक आर्यो के पक्ष मे है. गाय,गोबर , गंगा , वैदिक आर्यो के प्रतीक है.

अनार्यो, बहुजनो (SC ST OBC) की हार के लिए दोनो एक संमत है. 
अब आप को फैसला करना है की , आप किसके साथ है...????

- Raju Solanki
(Originaly written in Gujarati , Translated By विशाल सोनारा )

January 17, 2018

ઇતિહાસના દરિયામાં ડૂબી ગયેલા સવાલો

By Rushang Borisa   || 16 January 2018


વિચિત્રતા, દંભ અને હકીકત

ઇતિહાસ અને વર્તમાન વચ્ચે કાયમ સુરેખ સંબંધો રહ્યા છે.કહેવાતો પરિવર્તનશીલ આજનો આધુનિકકાળ દેખાવે તો આપણી આંખો અંજાવી નાખે ;પણ સ્થાપિત હિતો પહેલા પણ દીર્ઘસ્થાયી હતા અને અત્યારે પણ છે.

જો આપણે ઇતિહાસ અને વર્તમાન નું નિરીક્ષણ કરીયે તો આપણને કેટલીક વિચિત્ર બાબતો જાણવા મળે. પણ તે પાછળ કેવા પરિબળો હશે તેવું ઊંડું વિચારતા આપણે આળસ કરીયે છીએ. આખરે આપણે ઇરાદાપૂર્વક અજાણતા બની લોકશાહી અને ભાવિ પેઢીને શોષણના દ્વારે લાવી મુકીયે છીએ.

  • શું તમને અજુગતું નથી લાગતું કે જે કોંગ્રેસનો આંબેડકરે આખરી પળ સુધી સામનો કર્યો- વિરોધ કર્યો તે કોંગ્રેસ આંબેડકરના આજે ગુણગાન ગાય છે?!!! જે વિચારસરણી અને હિન્દૂ રાષ્ટ્રનો આંબેડકરે ઊંડાણપૂર્વક-વિશ્લેષણાત્મક રીતે કટ્ટર વિરોધ કર્યો તે જ આંબેડકરને RSS - ભાજપ પોસ્ટરમેન બનાવી રહ્યા છે?!!!
  • શું આ વિચિત્ર નથી કે શિવાજીએ પોતાનું કેન્દ્રસ્થાન શ્રમિકો અને ખેડૂતોના હિત રાખ્યું હતું ; પરધર્મને સ્વધર્મ સમાન માન આપ્યું હતું તે જ શિવાજીનો આજે કેટલાક ભગવા તત્વો “મુસલમાનવિરોધી” અને “ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક” તરીકે પ્રચાર કરી રહ્યા છે?!!!
  • શું તમે સ્વીકારી શકો કે જે કબીર નીડરતાથી ધર્મ-પાખંડ અને રિવાજો ઉપર પ્રહાર કરતા હતા તેમને આજે કેટલાક તત્વો ધાર્મિક સંત બનાવવા પેતરા આજમાવી રહ્યા છે?
  • શું આ અપવાદ હશે કે બ્રાહ્મણગ્રંથોમાં વિષ્ણુના લગભગ દરેક અવતાર ઉપર પુરાણો રચાયા ,પણ તે જ બ્રાહ્મણગ્રંથો "બુદ્ધ-પુરાણ" લખવાનું કેમના ભૂલ્યા હશે? જે બુદ્ધે સમકાલીન સમયે પ્રતિવિચારસરણીનો પાયો નાખ્યો તે જ બુદ્ધ ને સમતલ નજરે ચીતરવા આવે છે તે કેટલું ન્યાયી હશે??


આવા અગણિત સવાલો-કોયડાઓ હશે જે ઇતિહાસના દરિયામાં ડૂબી ગયા હશે.

પણ આવું કેમ થતું હશે? ક્યાં પરિબળો આ વિરોધાભાસ માટે નિમિત્ત બનતા હશે?

આ કોયડાનો ચોક્કસાઈથી જવાબ ગોવિંદ પાનસરે તેમની રચનાના એક ભાગમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. (ગોવિંદ પાનસરે જાણીતા બૌદ્ધિક-ફ્રી થીન્કર હતા, જેમની ૨૦૧૫માં હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળ પ્રાથમિક ધોરણે કટ્ટર ભગવાધારીઓ નો હાથ છે તેવું તારણ આપવામાં આવે છે.)

ચાલો જાણીયે ગોવિંદ પાનસરે શું કહે છે...

" મહાન નાયકો વારંવારં દુર્ભાગ્યનો ભોગ બનતા આવ્યા છે.જયારે આ મહાન નાયકો જીવતા હોય છે, ત્યારે સત્તાપક્ષો તેમને દબાવે છે, તેમના માર્ગમાં બાધાઓ લાવે છે.સત્તાબળોતેમના સિદ્ધાંતોનો વિરોધ કરે છે; નાયકોએ જે જવાબદારીભર્યું સાહસિક-કામ ઉપાડ્યું હોય તેમાં અવરોધ પેદા કરે છે.એટલું જ નહીં સત્તાબળો ક્યારેક તેમને મારી નાખવાના પણ પ્રયાસો કરે છે અને તેમના કાર્યોનો સત્યાનાશ કરી નાખે છે.પણ કમનસીબે આ સ્થાપિત હિતો નાયકોની મહાનતાને નષ્ટ કરવામાં સફળ થતા નથી.કારણ કે સામાન્ય લોકો નાયકોના સાહસને વધાવે છે એટલુંજ નહીં તેમના મોત બાદ તેમના વિચારોને અપનાવી લે છે.લોકો તેમનું અનુકરણ પણ કરે છે.
જે તત્વો નાયકોનો વિરોધ કરતા આવ્યા હતા તેઓ તેમના મોત બાદ ચબરાકી રમત રમતા હોય છે. તેઓ પોતે જ આ નાયકોના અતિઉત્સાહી અનુયાયી બની જાય છે! તેઓ નાયકની પૂજા કરવા લાગે છે, નાયકની જયંતિઓ મનાવે છે, મંદિરો બનાવે છે અને તેમના ફોટા-ચિત્રો ચોંટાડે છે. જયારે આ તત્વો આ કાર્યોમાં વ્યસ્ત હોય છે ત્યારે ખરેખર તો તેઓ ઊંડી રમત રમી રહ્યા હોય છે. લોકકલ્યાણના જે લક્ષ્યો નાયકોએ સેવ્યા હતા તેને આવી તરકીબો વડે તેઓ વિકૃત બનાવે છે ; નાયકોના અસલી ઇતિહાસને ભૂંસવા માટે તેઓ સતત કઠિન પ્રયાસો કરે છે.નાયકો જે અન્યાયી સજ્જડ વ્યવસ્થાને ઉખેડવા મહેનત કરતા હતા તે હકીકતથી જ નવી પેઢી અજાણ રહે તે માટે પૂરતી કાળજી આ તત્વો લે છે. આ તત્વો પૂરતો ખ્યાલ રાખે છે કે જે સ્થાપિત હિતો વિરુદ્ધ નાયકોએ પ્રતિકાર-બળવાની શીખ આપી હતી તે શિખામણ શોષિત વર્ગ સુધી પહોંચે નહીં. આ તત્વો લોકોને છેતરી ને ખોટો ઇતિહાસ લખે છે. લોકોને જૂઠી કથાઓ ભણાવે છે.તેઓ મિશ્રિત-છહ્મ ઇતિહાસ લખે છે જે થોડોક સાચો અને બહોળો ખોટો હોય છે. રૂઢિવાદી તત્વો પોતાનું પરંપરાગત સ્થાન મજબૂત કરવા આવી હલકી રમતો વડે નાયકોની "એન્ટી-એસ્ટાબ્લીશ" વિચારધારાને જ વાપરી ખાય છે. કપટી તત્વો સમાજના નેતાનો ડગલો પહેરે છે; લોકો જેને પૂજે છે તેની તસવીરો અને નિશાનીઓ વાપરે છે.પોતાના સ્વાર્થ હેતુ નાયકોની નિશાનીઓ વિકૃત કરે છે અને આખરે નાયક ના મૂળવિચારોને જ વિકૃત કરે છે. આ સ્થાપિત તત્વો ઘણા ચાલાક હોય છે. સમાજના ઉપલા વર્ગો, ધનવાનો અને દબંગવર્ગો જ આ ચાલાક તત્વો છે."

ગોવિંદ પાનસરે આગળ સંત તુકારામના ઉદાહરણ વડે આ મુદ્દો સમજ્વ્યો હતો.

આજની પેઢીએ; ખાસ કરીને ભારત જેવા સાપેક્ષ પછાત દેશમાં નાગરિકોનું શોષણ ના થાય કે નાગરિકો હકોનું ઉલ્લંઘન ના થાય તે માટે સ્થાપિત તત્વોની હકીકતો અને કાવાદાવાઓ છતા કરવા રહ્યા. ન્યાયના શત્રુઓ અને શોષણકર્તા સ્થાપિત હિતો ચાહે કેટલીય ગંદી-હલકી- ઊંડી રમતો રમે ;છતા લોકજુવાળ અને લોકજાગૃકતાનો ડર હંમેશા તેમના સ્થાપિત હિતોમાં જ ગૂંથાયેલો હોય છે.

માટે જ તેઓ જાગૃત લોકશાહીથી ગૂંગળામણ અનુભવી ભાગલાવાદી પ્રવૃર્તીઓ કરે છે. જયારે હકીકતે જે લોકો ક્રાંતિકારો-સુધારકોના માર્ગે ચાલે છે તેને રાજકીય-પ્રચાર-બળવંત સાધનો વડે સ્થાપિત-હિતો દેશદ્રોહી-સમાજદ્રોહી તરીકે ચીતરે છે. સ્થાપિત-હિતોને સમયનો એક એવો મજબૂત-અતૂટ ફાયદો રહ્યો છે જેના ઉપયોગ વડે તેઓ બહોળા વર્ગને ભ્રમિત કરી શકે છે.

પોતાના ભૂતપૂર્વ વિરોધી-વિદ્રોહીઓનો સ્થાપિત-હિતો સામ અને ભેદની નીતિ વડે ઉપયોગ કરી સુધારકોના સ્વપનાને જ વિકૃત કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તે હવે સમજી શકાય છે હવે.

ફોટો: ઘણા સભ્યો સવાલ પૂછતાં હોય છે કે શા માટે બૌધિકો-વૈચારિકો પોતાના ઉમદા કાર્યોમાં સફળ થતા નથી? આંબેડકરે તેનો જવાબ આપ્યો હતો તે જવાબનો એક હિસ્સો.

December 05, 2017

સમાજની ઉન્નતીના છુપા દુશ્મનો ને ઓળખો

By Jigar Shyamlan ||  30 November 2017 at 10:31 


હું કોઈ પણ વ્યક્તિની વિરુધ્ધ ત્યારે જ દલીલો કરી શકું જયારે હું જે તે વ્યક્તિએ કરેલ કામથી અડધુય કામ કરવાની ત્રેવડ ધરાવતો હોઉં.
"રાજનૈતિક સત્તા વગર તમારો કોઈ ઉધ્ધાર નથી" આવું બાબા સાહેબ આંબેડકર કહીને ગયા છે. આપણે બાબા સાહેબની આ વાતને અતિ ગંભીરતાથી લીધી નથી.
પછાતો વગર રાજકારણ અટકી પડવાનું નથી, પણ રાજકારણ વિના પછાતો ચોક્કસ અટકી પડશે એ વાતમાં બે મત નથી.
પણ આપણે આ વાત સમજવા માંગતા નથી, કે આપણને સમજાતી નથી. ચુંટણી સમયે આપણે કેવી કેવી વાતોનો વિરોધ કરી, કેવી કેવી દલીલો કરી આપણાં સમાજના નેતાઓનો વિરોધ કરીએ છીએ.. તે જોઈયે..
અહીં ભાજપ અને કોન્ગ્રેસની વાત જ નથી કરવી કારણ આ બન્નેમાંથી એક પથ્થર છે તો બીજુ ઈંટ.
એ સિવાયની વાત કરીએ તો પહેલા 
  1. બહુજન સમાજ પાટીઁ.. પણ કેટલાક પછાતો તેનો વિરોધ કરે એમની દલીલ શું હોય..? બહુજન સમાજ પાટીઁ હવે વ્યક્તિ કેન્દ્રી બની ગઈ છે. હવે વિચારધારાથી ભટકી ગઈ છે, મિશનથી દૂર થઈ ગઈ છે. બસપામાં બ્રાહ્મણો ઘૂસી ગયા છે. એને વોટ ન અપાય...!!
  2. પછી બીજી આવે બહુજન મુક્તિ પાટીઁ... તો તેનો વિરોધ કરતા કેટલાક પછાતો દલીલો કરવા માંડે.. આ પાટીઁ દલાલોની છે. માત્ર બ્રાહ્મણોને ગાળો આપ્યા વગર કાંઈ કરતી નથી. એનો જનાધાર કેટલો..? વગેરે વગેરે..
  3. હવે આ બેય પાટીઁ છોડી કોઈ જીજ્ઞેશ મેવાણી કે ચંન્દ્રીકા સોલંકી જેવા આંદોલનકારી પછાત અપક્ષ ઉમેદવારી કરે તો પણ વાંધો. એ વખતેય દલીલો... લ્યો.. જોયું અમે કહેતા હતા ને આંદોલન આંદોલન કરીને ચુંટણી લડવા લાગ્યા . કહેતા તા અમે રાજકારણમાં નહી આવીએ. પણ આવી ગયાને રાજકારણમાં, રાજનિતીક લાલચ ખુલ્લી પડી ગઈને.
હવે આવી દલીલો કરી મોરલ તોડવાવાળા પછાત લોકોની માનસિકતાને આપણે શું કહીશું..??
--) આવા લોકોને પોતે તો કાંઈ કરવું નથી.
--) કોઈ કાંઈ કરતું હોય એને સારૂ કહેવું નથી.
--) સમાજ માટે કાંઈને કાંઈ કરી રહેલ લોકોને સમથઁન આપવું નથી.
અને આમાંથી કાંઈ ન કરી શકે તો કાંઈ નહી પણ મૂંગાય રહેવું નથી.
આવા દલીલીયા પછાત સમાજના લોકો જ સમાજની ઉન્નતીના છુપા દુશ્મનો છે.
હું કોઈ પણ વ્યક્તિની વિરુધ્ધ ત્યારે જ દલીલો કરી શકું જયારે હું તે વ્યક્તિએ કરેલ કામથી અડધુય કામ કરવાની ત્રેવડ ધરાવતો હોઉં..
- જિગર શ્યામલન

આપણું ભવિષ્ય અને રાજકીય સત્તા

By Jigar Shyamlan ||  28 November 2017 at 10:19 


રાજકીય સત્તા એ આપણું ધ્યેય છે. તમારૂ સઘળું ભવિષ્ય રાજકારણ સાથે જ જોડાયેલું છે.
-બાબા સાહેબ આંબેડકર
1933 માચઁ 11, જનતા અંકમાં બાબા સાહેબનો લેખ જેમાં રાજકીય સત્તાને અશ્પૃશ્ય સમાજની ઉન્નતી માટેની ગુરુચાવી ગણાવતા બાબા સાહેબે એક લેખ લખ્યો હતો. જેના જોઈયે તો...
'' અસ્પૃશ્યોએ જો ખરેખર ઉન્નતિ સાધવી હશે તો તેનાં હાથમાં રાજકીય સત્તા જરૂરી છે. રાજકીય સત્તા એ આપણું ધ્યેય છે. તમારૂ સઘળું ભવિષ્ય રાજકારણ સાથે જ જોડાયેલું છે."
પંઢરપુરની યાત્રા, હરિદ્વારની જાત્રા, શનિ મહાત્મ, શિવલીલામૃત, સોમવાર, એકાદશી વગેરેથી તમારો ઉધ્ધાર થવાનો નથી. તમારા પુવઁજો હજારો વરસોથી એ કરતા આવ્યા છે પરંતુ આજેય તમારી સ્થિતીમાં તસુભાર પણ ફરક પડ્યો નથી. માટે જપ- તપ, પુજા-અચઁના વગેરે છોડો અને આપણી રાજકીય સત્તાના લક્ષને પહેલા મહત્વ આપો.
જ્યારે શ્રીમંત લોકોને બિમારી આવે છે ત્યારે પૈસા ખરચીને ઔષધોપચાર કરાવીને બરાબર થઈ જાય છે. પરંતુ ગરીબો માટે એકમાત્ર કાયદાનો જ આશરો હોય છે. એવા સઘળા સુખો માટે કાયદો જરૂરી છે. તેથી આપણે દરેક પ્રકારના કાયદા ઘડવાની શક્તિ સંપુણઁપણે પ્રાપ્ત કરવી પડશે.
તમારા બાળકોને શિક્ષણ આપવા આજે તમારી પાસે પૈસા નથી. પરંતુ જ્યારે કાયદા ઘડાશે ત્યારે તમારા બાળકો માટે સારૂ થશે. તમારા પૈકી ઘણાં લોકો બેકાર છે. સવઁ લોકોને કામ આપવા માટે તથા સવઁ લોકોને શિક્ષણ આપવા માટે, સવઁ લોકોનુ પોષણ કરવા માટે સરકારનું કતઁવ્ય બની જશે. એવા એવા સઘળા કાયદા ધડાશે પછી બેકારીથી વ્યગ્ર થઈને કોઈએ ભુખે મરવાનું તમારે કોઈને રહેશે નહી.
પછાતોના વિકાસ અને ઉન્નતિના તમામ રસ્તા એક જ દિશા તરફ જાય છે અને તે છે રાજકીય સત્તા"
આજથી લગભગ 78 વરસ પહેલા બાબા સાહેબે રાજકીય સત્તાથી જ પછાતોનો ઉધ્ધાર થશે તે વાત કહી હતી જે આજે પણ એટલી જ લાગુ પડે છે.
કારણ બાબા સાહેબે પછાત સમાજને પરિવતઁનનો માગઁ ચિન્ધ્યો હતો પણ... કાયદાની ભાષામાં કાયદાના અમલ દ્વારા, ગોળીઓની ભાષામાં બંદુક દ્વારા નહી...
- જિગર શ્યામલન

October 21, 2017

રાજકીય વ્યકિત, રાજકીય સત્તા

By Dinesh Makwana  || 01 Sep 2017


અનામત સીટ પરથી ચુંટાઇ આવતા દરેક અનામત કેટેગરી ના ઘારાસભ્યો કે સંસદસભ્યો ગમે તે પક્ષની ટિકિટ હેઠળ ચુંટાઇ આવ્યા હોય પણ તેમની પ્રાથમિક વફાદારી તેમના પક્ષ પ્રત્યે જ હોય છે.

દિલ્હીના સંસદ સભ્ય ઉદિત રાજે હમણા થોડા સમય પહેલા કહ્યુ કે તે માત્ર દલિતોના મતને આધારે ચુટાઇ આવ્યા નથી. ત્યારબાદ પંચાયતની ચુટણી ઓમાં તેમના અભિપ્રાય ને અવગણવામાં આવ્યો ત્યારે આ નફ્ફટ સંસદસભ્ય કહે છે હુ દલિત હોવાથી મારા અભિપ્રાય ને મહત્વ આપવામાં આવતુ નથી. આ કડવી હકીકત છે, પક્ષ અવગણે ત્યારે દલિતો યાદ આવે છે અને દલિતોની સમસ્યા હોય ત્યારે પક્ષ યાદ આવે છે.

રમણલાલ વોરાએ કહ્યુ ભાજપને દલિતોની જરુર નથી, કેટલીક વાર વધારે પડતા ઘેલા થઇને, હાઇ કમાન્ડને વહાલા થવા કેટલાક લોકો ગમે તેવા બયાનો આપતા રહે છે.

દલિતોના અત્યાચાર સમયે કોઇ એવો નેતા નથી કે તે ગામની મુલાકાત લે, ઘટનાને વખોડે, કારણ કે દરેક નેતાને સમાજ કરતા પોતાની ફિકર વધારે હોય છે, તેને ચિંતા હોય છે કદાચ તેનું પ્રધાનપદું ક્યાંક છિનવાઇ ના જાય.  ધારાસભ્ય કે સંસદસભ્ય ને બીજી ચુટણીની ટિકિટની ચિંતા હોય છે. ટુંકમા તમે ચુંટેલો નેતા તમારો કે તમારા સમાજનો નથી બની શકતો.

પુના પેકેટ ને દરેકે વાંચવો પડશે, સમજવો પડશે, આપણને કેટલું નુકસાન થઇ રહ્યુ છે, પણ જેમ બંધારણ બદલી નહી શકાય, તેમ પુના કરારના જે પરિણામો છે તેને સાથે રાખીને જ તમારે ચાલવું પડશે.

મુસ્લિમો માટે રાજકારણમાં કોઇ અનામત નથી, પણ તેમનો નેતા ચુંટાય છે અને તેના સમાજને વફાદાર પણ રહે છે.

હકીકતમા દલિત ઉમેદવાર કોઇ પણ જનરલ સીટ પર ઉભો રહીને જીતી શકે તેટલી બહુમતી દલિતો ની કોઇ પણ વિસ્તારમાં નથી, તેથી તમારી પાસે જે સ્થિતિ ઉપલબ્ધ છે તેને સ્વીકારીને જ તમારી સમસ્યાને હલ કરવી પડશે.

એક ભીમ નામના ગ્રુપ પર આપણા ભુતપુર્વ ધારાસભ્યને ગ્રુપના મિત્રો ભડવા, ગદ્દાર જેવા શબ્દો વાપરીને સીધી ગાળો જ ભાંડતા હતા.

આનાથી સમસ્યા હલ નહી જ થાય. પેલા જનરલ વાળા આવા મેસેજ વાંચે ત્યારે તેમને લાગે જ આમનો નેતા એમનો જ નથી, અને લોકો પણ તે નેતાને માનતા નથી. પણ દરેક સમસ્યાનો હલ કદાચ તેઓ ના આપી શકે તો જે આપે તેને લેવામા મને ડહાપણ દેખાય છે. માત્ર તેમને અવગણવાથી તેઓ નજીક નહી આવે કે સમાજનું ભલું નહી કરે પણ તેઓ જે આપી શકે છે તેની પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

કેટલીક વાર વોટ્સ પર ક્રાંતિ કરનારા લોકો નેતાને રુબરુ મળે ત્યારે આપણા અત્યાચાર વિશે કહેતા નથી કે આપણી તાતી સમસ્યા વિશે રજુઆત કરતા નથી.

રવિવારે ભાવિન ચૌહાણે કહ્યુ હતું તે ક્યારેક સાચું પણ છે. આપણે નેતાની સામે એટલા બધા ભાવ વિભોર થઇ જઇએ છે તે માત્ર તેમની પ્રસંશા જ કરતા રહીયે છે. કેટલીક વાર આવા પ્રસંગોનો હેતુ વ્યકિત લાભ માટે પણ હોય છે. કેટલીક વાર સમાજમાં પોતાનું માન કે પ્રતિષ્ઠા વધે તે માટે પણ આવા કાર્યક્રમનું આયોજન થતુ રહે છે. અને મુળ સમસ્યા ત્યાંની ત્યાંજ રહે છે.

પણ શુ કરીયે તો આ સમસ્યા નો ઉકેલ આવે. તમારે કેટલાક જોડાણ કરવા પડશે. SC ની તમામ પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવી પડશે. વિદ્ધાન કનુભાઇ વ્યાસ અભિયાન મારફતે આ કામ બહુ સારી પેઠે કરી રહ્યા છે. પણ આવા પ્રયત્નો સ્વાધ્યાય પરિવાર કરતું હતું તે પ્રમાણે કરવા પડશે. અભિયાનનો કાર્યક્રમ પતી જાય પછી બધા ભુલી જાય છે. તેથી જે તે ગામના નેતાઓ રોજ બધાની સાથે માત્ર ત્રીસ મિનિટ વાત કરે તો લોકો તમારી સાથે જલદી આવશે, તમારી વાત સમજશે. તેના માટે સમય આપવો પડશે, પ્રતિબદ્ધ થવુ પડશે. બીજી હરોળના યુવા નેતા ઉભા કરવા પડશે. આના પરિણામો સમય પર મળશે જ.

દિનેશ મકવાણા
બ્યાવર અજમેર
If I have to chop down a tree within Eight hours. I will use 6 hrs in sharpening my axe.
- Abraham Lincoln
જો મારે એક ઝાડને આઠ કલાકમાં કાપી નાંખવાનું હોય તો હુ છ કલાક મારી કુહાડીની ધાર તેજ કરવા માટે વાપરીશ..

October 03, 2017

આંદોલનો અને રાજનીતિ

By Raju Solanki  || 1 October 2017 at 15:55



એ કેટલું આઘાતજનક છે કે ગઈકાલે એક્સપ્રેસ અડ્ડામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોઇએ એવો સવાલ જ ના પૂછ્યો કે છેલ્લા વીસ વર્ષથી તમારા પક્ષે ગુજરાતના શિક્ષણનું ખાનગીકરણ કરીને જે પત્તર ઠોકી છે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તમારી પાસે છે કે કેમ? કે પછી રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષામાં ગુજરાત બોર્ડના ઉમેદવારોની સીબીએસઈ ભણેલા રઇશજાદાઓ સામે સ્પર્ધામાં ટકવાની અક્ષમતાનો તમારી પાસે કોઈ હલ છે ખરો? કે પછી કિસાનોની આત્મહત્યાઓ અને યુવાનોની બેકારીને નાથવાનો કોઈ રોડ મેપ છે કે કેમ?
આવા સવાલો પૂછવાના બદલે રૂપાણીને ફલાણા આંદોલનખોરો વિષે ટીપ્પણી કરવા જણાવવામાં આવ્યું હતું. અને રૂપાણીએ કહ્યું કે એમણે ચૂંટણી લડવી જોઇએ, જેથી એમની લોકપ્રિયતાની કસોટી થાય. જાણે અમુક લોકોના રાજકારણમાં જોડાવાથી પ્રજાની કારમી સમસ્યાઓ હલ થઈ જવાની હોય.
એક્સપ્રેસ અડ્ડાની કાલની બેઠકમાં ગુજરાતના જાણીતા કેળવણીકારો પણ હતા, પરંતુ તેમણે પણ રૂપાણીને ગુજરાતીઓની શૈક્ષણિક દુર્દશા અંગે કોઈ સવાલો ના કર્યા. કદાચ એમને અડ્ડાની બેઠકોનું છાપાની પહેલા પાની બોટમ સ્ટોરી સિવાય કશું જ વજુદ નથી તેની ખબર હશે.
શું મોદી કે શું રાહુલ કે શું રૂપાણી – રાજકારણમાં એમના આવવાથી લોકોને શું ફરક પડ્યો છે? કેટલાક ભક્તોને મંજીરા વગાડવાના મનગમતા પ્રતીકો મળ્યા છે કે બીજું કંઈ? તમારા નેતાઓની આખરી કસોટી તો એ જ છે કે લોકોના પ્રશ્નો ઉકેલવાની એમની કેટલી આવડત છે.
ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, નોકરીના સવાલો ઉકેલવામાં મોદીની નિષ્ફળતાને કારણે છેલ્લા એક વર્ષમાં આંદોલનો આવ્યા છે. કોંગ્રેસે એનો લાભ ઉઠાવ્યો છે એટલું જ. રૂપાણીએ કોંગ્રેસને દોષ દેવો ના જોઇએ. પાંત્રીસ વર્ષ પહેલાં એમના પક્ષે પણ અનામત આંદોલનોનો ઉપયોગ કે દુરુપયોગ કોંગ્રેસવિરોધી લાગણીઓ ભડકાવવામાં કર્યો હતો. આંદોલનો તો લોકશાહીમાં પ્રજાને મુરખ બનાવવા થાય છે. સત્તા પર તો મુડીવાદીઓ, બિલ્ડરો, માલેતુજારો જ આવે છે. પક્ષ કોઈ પણ હોય.


September 19, 2017

राजनैतिक क्रांति के सन्दर्भ में बाबासाहब के विचार..

By Kundan Kumar
लाहौर जातपांत तोडक मंडल १९३६ के वार्षिक सम्मलेन की अध्यक्षता करने के लिए बाबासाहब डॉ आम्बेडकर को आमंत्रित किया गया था, उसके लिए बाबासाहब डॉ भीमराव आम्बेडकर ने भाषण तैयार किया था.. सम्मलेन रद किये जाने की वजह से यह भाषण पढ़ा नहीं जा सका, लेकिन यह एक बहोत ही महत्वपूर्ण और वैचारिक दस्तावेज है, जो जातिभेद का नाश करने के लिए और स्वतंत्रता समानता बंधुता से परिपूर्ण समाज की रचना में बहोत ही सहायक हो शकता है.. 

बाबासाहब लिखते है की, “इतिहास सामान्यतः इस प्रस्ताव को बल देता है की, राजनितिक क्रांतिया हमेशा सामाजिक और धार्मिक क्रांतियो के बाद हुई है..” इस बात के समर्थन में बाबासाहब ने कुछ द्रष्टान्त दिए है, जो की विश्व में बहोत हि मशहूर है.. 


१) लूथर द्वारा आरम्भ किया गया धार्मिक सुधर यूरोप के लोगो की राजनितिक मुक्ति का अग्रदूत था.. 

२) इंग्लेंड में प्युरिटनवाद के कारण राजनितिक स्वतंत्रता की स्थापना हुए.. प्युरिटनवाद ने नए विश्व की स्थापना की.. प्युरिटनवाद ने ही अमेरिकी स्वतंत्रता संग्राम को जीता.. प्युरिटनवाद एक धार्मिक आन्दोलन था..

३) अरबो के राजनितिक सत्ता बनने से पहले वे पैगम्बर मुहम्मद साहब द्वारा आरम्भ सम्पूर्ण धार्मिक क्रांति से गुजरे थे.. 

यहाँ तक की भारतीय इतिहास भी इसी निष्कर्ष का समर्थन करता है..

४) चन्द्रगुप्त द्वारा संचालित राजनितिक क्रांति से पहले गौतम बुद्ध की धार्मिक और सामाजिक क्रांति हुई थी.. 

५) शिवाजी के नेतृत्व में राजनितिक क्रांति भी महारास्ट्र के संतो द्वारा किए गए धार्मिक और सामाजिक सुधारो के बाद ही हुई थी.. 

६) सीखो की राजनितिक क्रांति से पहले गुरु नानक द्वारा की धार्मिक और सामाजिक क्रांति हुई थी.. 

इन उदाहारण से यह बात प्रकट होती है की, “जनता के राजनीतिक विस्तार के लिए मन और चेतना की मुक्ति आवश्यक व् प्रारंभिक है..”

यह बात बाबासाहब ने १९३६ में लिखी थी, और यह ग्रन्थ आज “ANNIHILATION OF CASTE” यानि “जातिभेद का बिजनाश” के नाम से प्रसिद्ध है.. अपने पुरे जीवनकाल में बाबासाहब ने इस जातिभेद का नाश कर एक समतामूलक समाज की रचना के लिए कार्य किया.. २ वर्ष ११ महीने और १८ दिवस के अथाग परिश्रम के बाद बाबासाहब ने विश्व का सबसे बड़ा लोकशाही बंधारण लिखा, जिसमे इस जातिविहीन राष्ट्र की संकल्पना समाविष्ट की उन्होंने.. 

१९५६ में बाबासाहब के परिनिर्वाण के बाद उनका ये कारवां कुछ रुक सा गया था, जिसे बहुजन नायक मान्यवर साहब कांशीराम ने आगे बढाया.. मैने ऐसा कई लोगो से सुना है की, बहुजन नायक मान्यवर साहब कांशीराम ने अपने पुरे जीवन काल में “जातिभेद का बिजनाश” पुस्तक का अध्ययन कई बार किया था, और जब पहली बार उनके एक साथी ने उन्हें यह किताब दी थी तब, एक ही रात में उन्होंने इस किताब को सात से आठ बार पढ़ा था.. 

इसी ग्रन्थ को पढ़कर बहुजन नायक मान्यवर साहब कांशीराम ने, अपने साथियों के साथ मिलकर १९७८ में बामसेफ (BAMCHEF - All India Backward and Minority Communities Employee’s Federation) की स्थापना की, जो की एक सम्पूर्ण बिनराजकीय संगठन था, जिसके तहत उन्होंने गैरराजनीतिक और सामाजिक जड़े मजबूत करने का कार्य किया.. उसके बाद उन्होंने DS4 (दलित शोषित समाज संघर्ष समिति) और १९८४ में बसपा (बहुजन समाज पार्टी) की स्थापना की, जो की एक राजकीय संगठन था, और आज भारत देश की तीसरे नम्बर की सबसे बड़ी राजकीय पार्टी है.. 

बामसेफ के माध्यम से बुद्ध, फुले, बिरसा, शाहू, आम्बेडकर, कांशीराम की मानवतावादी बहुजन विचारधारा के माध्यम से सामाजिक जड़ें मजबूत करने के बाद ही, साहब कांशीराम ने राजनीती में कदम रखा, और बसपा से माध्यम से बहुजनो को सत्ता तक पहुँचाया, जिसके लिए बाबासाहब कहा करते थे की, “जाओ और जाकर, अपने घर की दीवारों पर लिख दो की, मुझे इस देश की शासक जमात बनना है..”, “Political Power is the Master Key..”

साहब कांशीराम कहते थे की, “जिस समाज की गैरराजनीतिक जड़े मजबूत नहीं होती, वो समाज राजनीती में कभी सफल नहीं हो शकता..” एक तरफ से देखा जाये तो यह बाबासाहब के कथन, “राजनितिक क्रांतिया हमेशा सामाजिक और धार्मिक क्रांतियो के बाद हुई है..” का पूर्ण समर्थन करता है..

August 30, 2017

भारत के इसाईयो को बाबासाहब की सलाह

Translated By Kundan Kumar
जनवरी 1938 में सोलापुर में, ईसाइयों से बात करते हुए डॉ बाबासाहेब अंबेडकर ने घोषणा की थी कि तुलनात्मक धर्म के अपने अध्ययन से वे यह कह सकते हैं कि केवल दो व्यक्तित्व उन्हें मुग्ध/आकर्षित/मोहित करने में सक्षम है - बुद्ध और इशु.. यहां डॉ अंबेडकर के भाषण के कुछ अंश हैं..
भारतीय इसाईओ को शोलापुर में दिए भाषण का अंश, जो 05/02/1938 को “जनता” में प्रकाशित हुआ, और “ज्ञानोदय” में दोबारा प्रकाशित हुआ -

दुनिया में उपलब्ध धर्मों और व्यक्तित्वों से, मैं केवल दो- बुद्ध और इशु को धर्मान्तरण के लिए उचित मानता हूं.. मेरे और मेरे अनुयायियों के लिए, हम एक एसा धर्म चाहते हैं, जो पुरुषों में समानता की स्वतंत्रता को सिखाये, और शिखाये की एक मनुष्य को दुसरे मनुष्यों पुरुषों और भगवान के साथ कैसा व्यवहार करना चाहिए, कैसे एक बच्चे को पिता के साथ व्यवहार करना चाहिए, आदि..

मिशनरी लोको को लगता है की, उनका काम ख़त्म हो गया जब वो अश्पृश्य मै से इसाई में परिवर्तित हो गए.. वे अपने राजनीतिक अधिकारों की देखभाल नहीं करते हैं.. मै इसे इसाईयो में सबसे बड़ी खामी मानता हु, क्योंकि आज तक वो लोग राजनीती में शामिल नहीं हुए है.. किसी भी समुदाय के लिए, राजनितिक समर्थन के बिना टिक पाना बहोत ही मुश्किल है.. हम, अस्पृश्य, हालांकि अज्ञानी और अशिक्षित हैं, हम आंदोलन में हैं.. यही कारण है कि विधानसभा में हमारे पास 15 सीटें हैं.. विद्यार्थियो को शिष्य्वृति मिल रही है, सरकारी छात्रालय है, लेकिन इसाई विध्यार्थियो के मामलो में एसा नहीं है.. एक अश्पृश्य विद्यार्थी जिसे शिष्य्वृति मिलती है, अगर वो धर्म परिवर्तन करता है तो उसकी शिष्य्वृति बंध हो जाती है, हालाँकि उसकी आर्थिक स्थिति समान ही रहती है.. अगर आप लोग राजनीती में होते तो, इन चीजो का विरोध हो शकता..

“आपका समाज शिक्षित है.. सेंकडो लडको और लडकियों ने मेट्रिक पास किया है.. अशिक्षित अछूतों से विपरीत, वो लोग इस अन्याय के खिलाफ संगठित नहीं हो पाए है.. अगर कोई लड़की नर्ष या कोई लड़का शिक्षक बनता है, वो अपने निजी मामलो में फंश जाते है, वो सामाजिक मामलो में लिप्त नहीं होते.. यहां तक कि क्लर्क और अधिकारी भी अपने काम में व्यस्त हैं और वह सामाजिक अन्यायों की उपेक्षा करते है.. आपका समाज बहोत ही शिक्षित है, लेकिन आप में से कितने जिल्ला न्यायाधीश या मजिस्ट्रेट है?? में आपको बताना चाहता हु की, ये सब आपकी राजनितिक उपेक्षा की वजह से है, क्योंकि वहा प्र आपके अधिकारों के लिए बोलने वाला कोई नहीं है..” [Ganjare vol. III. p.142]


Note: Translation of Original Article "Dr. Babasaheb Ambedkar's advice to Christians of India, which they have ignored". I have tried my best to translate this into Hindi, however, there may be some differences, so for the better understanding on this topic, original article by the author in English is final.

August 06, 2017

માત્ર કાર્યકરો જીતાડી નહી શકે, યોગ્ય નેતાગીરી પણ જરુરી છે

By Dinesh Makwana  || 05 Aug 2017



જય મુલનિવાસી નામના એક ગ્રુપ પર જયા મોટા ભાગના મિત્રો ઉતર પ્રદેશ ના છે તેમાના એક મિત્રએ મને કહ્યુ કે દરેક વ્યકિત કોઇ એકાદ પક્ષની વિચાર ધારામાં તો માનતો જ હોય. ૨૧ વર્ષથી વધુ ઉંમરની વ્યકિત જે થોડું રાજકારણ વિશે જાણે છે તેના મનમાં એક પક્ષ પ્રત્યે ચોક્કસ લાગણી કે વફાદારી રહેવાની. આ પક્ષમાં માનવાની ચર્ચા થોડાક સમય પહેલા અને ખાસ કરીને યુપી ના પરિણામો પછી ખાસ થઇ. તેમાં કેટલાય મિત્રોએ મને પુછયુ હતું કે હુ પણ કોઇ પક્ષની વિચાર ધારામાં તો માનતો જ હોઉં.

ગુજરાતમાં આપણે ત્યાં માત્ર બે જ પક્ષ છે. કોગ્રેસ અને ભાજપ. આ બેમાથી કોઇ પક્ષને તમે માનતા હોય તે સ્વાભાવિક છે. પણ જેને પોતાનો કહી શકાય તેવો પક્ષ અહીં નથી. માત્ર યુપી મા જ તે બીએસપી ના નામે છે.

પણ ગઇ કાલે જે ગેંગમેન ની વાત કરી તેને અને બીએસપી ને શુ સંદર્ભ છે તેની વાત મારે કહેવાની છે જેમાં થોડાક હારના કારણો છે. દરેક પણ જીત પછી ખુશી મનાવતો હોય અને હાર પછી મનોમંથન. આ લેખ એક પ્રકારનું મનેમંથન છે. આ એટલા માટે લખવું પડે છે ગુજરાત મા પણ હવે ચુટણી આવી રહી છે તેમાં તમે સારુ પ્રદર્શન કેવી રીતે કરી શકો.

યુપીના પરિણામો પછી મારે ૨૭/૩/૨૦૧૭ થી ૭/૫/૨૦૧૭ સુધી ઉતર પ્રદેશમા રહેવાનું થયેલુ. તે સમય દરમિયાન હુ કેટલાય લોકોને મળ્યો છુ, દરેકને હારના કારણો પુછયા છે. અને એવા કેટલાય મળ્યા હતા તેમણે કહ્યુ કે સાહેબ બીએસપીને એક પણ સીટ નહી મળે તોય અમે ગેંગમેનની જેમ કામ કરીશું. આવુ કદાચ કુન્દને કહ્યુ હતું અને તેમાં આશિષે સમર્થન આપ્યું હતું.

પણ મીતેશભાઇ એ કહ્યુ તેમ રેલવે ગાડી ઓ સારી રીતે ચાલે તે માટે ગેંગમેન ની પ્રમાણિકતા થી કરેલી ફરજ કારણભુત છે. પણ માત્ર આ પુરુ સત્ય નથી.

મારે બીએસપીના સંદર્ભમાં વાત કરવાની છે તેથી કહુ માયાવતી માત્ર શીર્ષ નેતૃત્વ છે તેના પછી પ્રથમ કે બીજી હરોળ દેખાતી નથી. સીધા કાર્યકરો જ છે. આ કાર્યકરો સખત મહેનત કરે છે પણ પ્રથમ કે બીજી હરોળના એવા કોઇ નેતા નથી જેને લીધે આપણા માણસો આપણી તરફ ખેંચાઇ રહે. મોદી દરેક જગ્યાએ ના જાય તોય તે પણ ભાજપ મા એવા કેટલાય નેતાઓ છે જેને લીધે જનતા તેમની તરફ આકર્ષાયેલી રહે. માયાવતી દરેક જગ્યાએ જઇ ના શકે તે હકીકત છે તેથી પ્રથમ અને બીજી હરોળના ના નેતા ઉભા કરવાની જરુર છે જેઓ પ્રજામાં પણ લોકપ્રિય હોય. બાકી નીચેના કાર્યકરો તો ગેંગમેન ની જેમ જ આજેય હાર પામ્યા હોવા છતા કામ કરે છે.
કાદરખાન નો એક ડાયલોગ છે; सिपाही की तलवार पर जंग नही जीती जा सकती. મુળ ભાવાર્થ છે કે માત્ર કાર્યકરો જીતાડી નહી શકે, યોગ્ય નેતાગીરી પણ જરુરી છે.

૨૦૧૯ ની ચુટણી ની હજી બે વર્ષ બાકી છે તે સમય દરમિયાન બીએસપી આ વાતને મહત્વ આપીને આ દિશામાં કામ કરવાની જરુર છે. તેની પહેલા આ ચાર મહિના ગુજરાત મા મહેનત કરીને તમે માત્ર ૧૦ કે ૧૫ સીટ જે માત્ર બીએસપી ની હશે તો મોદી માટે તમાચા રુપ હશે.

કોઇ બીએસપી નો વિરોધ કરે કે માયાવતીનો વિરોધ કરે પણ દરેકે તે સમજવું પડશે કે પોતાનો કહી શકાય તેવો આ એક માત્ર પક્ષ છે. વામન મેશ્રામ જો બહુજનોનુ ભલું ઇચ્છતા હોય તો તેમણે બીએસપી સાથે મળીને કામ કરવું પડશે. માત્ર પ્રવચનોથી ક્રાંતિ ભારતમાં નથી આવતી. ભારતમાં સતા જરુરી છે. જેની પાસે સતા હોય તે બધુ કરી શકે છે. વામન મેશ્રામ અને માયાવતી બંને એકબીજાની વિરુદ્ધ કામ કરશે તો આખરે નુકસાન આપણા લોકોને છે. પેલા લોકોમાં ઘણા બધી પેટા સભા છે, હિન્દુ મહાસભા, ક્ષત્રિય સેના, RSS, બ્રાહમણ સમાજ, પરશુરામ સેના, કે અન્ય પણ આ તમામ નો રાજકીય પક્ષ માત્ર એક જ છે તે ભાજપ. આપણે કેટલાય ટુકડાઓમાં વહેંચાયેલા છીએ. પણ દરેક ની રાજકીય વિચારધારા બીએસપી હશે તે કોઇ તમને હરાવી શકશે નહી. આપણને આપણે જ હરાવ્યા છે. માત્ર ગેંગમેનોથી ચુટણી જીતી શકાતી નથી તેમના સુપરવાઇઝર સિનિયર સેકશન ઇન્જીન્યર નું યોગ્ય માર્ગદર્શન પણ જરુરી છે.

વિચારોનો વિરોધ ક્ષમ્ય છે પણ રાજકીય વિચારસરણી માટે તમારે તમામને બીએસપી ને માનવો પડશે તો અને તો તમે  આવનારી તમામ ચુટણીમા ફતેહ મેળવી શકશો.

દિનેશ મકવાણા
૫/૮/૨૦૧૭
વડોદરા

April 30, 2017

ભારતમાં દરેક સમસ્યા થી અટવાયેલો માણસ છુ.

હુ રામાયણ મહાભારત અને ગીતા મા વગોવાયેલો શુદ્ર છુ...
હુ ભાજપ અને કોગ્રેસ મા વેહચાયેલો દલિત છુ
હુ બ્રાહમણવાદ અને પુજીવાદમા પીછાયેલો મુળનિવાસી છુ...
હુ ગાધીજી અને ઠક્કર બાપાના હાથે છપાયેલો હરીજન છુ...
હુ ડો.ભીમરાવ આબેડકરના નામથી ચાલતા હજારો સંગઠન મા ખેચાયેલો શોષિત પિડીત વંચિત છુ...
હુ ભારતમાં દરેક સમસ્યા થી અટવાયેલો માણસ છુ...
હુ બધુ જ છુ હુ બધુ જ છુ હુ બધુ જ છુ.....


- ગૌતમ મકવાણા 




Facebook post : -