October 21, 2017

રાજકીય વ્યકિત, રાજકીય સત્તા

By Dinesh Makwana  || 01 Sep 2017


અનામત સીટ પરથી ચુંટાઇ આવતા દરેક અનામત કેટેગરી ના ઘારાસભ્યો કે સંસદસભ્યો ગમે તે પક્ષની ટિકિટ હેઠળ ચુંટાઇ આવ્યા હોય પણ તેમની પ્રાથમિક વફાદારી તેમના પક્ષ પ્રત્યે જ હોય છે.

દિલ્હીના સંસદ સભ્ય ઉદિત રાજે હમણા થોડા સમય પહેલા કહ્યુ કે તે માત્ર દલિતોના મતને આધારે ચુટાઇ આવ્યા નથી. ત્યારબાદ પંચાયતની ચુટણી ઓમાં તેમના અભિપ્રાય ને અવગણવામાં આવ્યો ત્યારે આ નફ્ફટ સંસદસભ્ય કહે છે હુ દલિત હોવાથી મારા અભિપ્રાય ને મહત્વ આપવામાં આવતુ નથી. આ કડવી હકીકત છે, પક્ષ અવગણે ત્યારે દલિતો યાદ આવે છે અને દલિતોની સમસ્યા હોય ત્યારે પક્ષ યાદ આવે છે.

રમણલાલ વોરાએ કહ્યુ ભાજપને દલિતોની જરુર નથી, કેટલીક વાર વધારે પડતા ઘેલા થઇને, હાઇ કમાન્ડને વહાલા થવા કેટલાક લોકો ગમે તેવા બયાનો આપતા રહે છે.

દલિતોના અત્યાચાર સમયે કોઇ એવો નેતા નથી કે તે ગામની મુલાકાત લે, ઘટનાને વખોડે, કારણ કે દરેક નેતાને સમાજ કરતા પોતાની ફિકર વધારે હોય છે, તેને ચિંતા હોય છે કદાચ તેનું પ્રધાનપદું ક્યાંક છિનવાઇ ના જાય.  ધારાસભ્ય કે સંસદસભ્ય ને બીજી ચુટણીની ટિકિટની ચિંતા હોય છે. ટુંકમા તમે ચુંટેલો નેતા તમારો કે તમારા સમાજનો નથી બની શકતો.

પુના પેકેટ ને દરેકે વાંચવો પડશે, સમજવો પડશે, આપણને કેટલું નુકસાન થઇ રહ્યુ છે, પણ જેમ બંધારણ બદલી નહી શકાય, તેમ પુના કરારના જે પરિણામો છે તેને સાથે રાખીને જ તમારે ચાલવું પડશે.

મુસ્લિમો માટે રાજકારણમાં કોઇ અનામત નથી, પણ તેમનો નેતા ચુંટાય છે અને તેના સમાજને વફાદાર પણ રહે છે.

હકીકતમા દલિત ઉમેદવાર કોઇ પણ જનરલ સીટ પર ઉભો રહીને જીતી શકે તેટલી બહુમતી દલિતો ની કોઇ પણ વિસ્તારમાં નથી, તેથી તમારી પાસે જે સ્થિતિ ઉપલબ્ધ છે તેને સ્વીકારીને જ તમારી સમસ્યાને હલ કરવી પડશે.

એક ભીમ નામના ગ્રુપ પર આપણા ભુતપુર્વ ધારાસભ્યને ગ્રુપના મિત્રો ભડવા, ગદ્દાર જેવા શબ્દો વાપરીને સીધી ગાળો જ ભાંડતા હતા.

આનાથી સમસ્યા હલ નહી જ થાય. પેલા જનરલ વાળા આવા મેસેજ વાંચે ત્યારે તેમને લાગે જ આમનો નેતા એમનો જ નથી, અને લોકો પણ તે નેતાને માનતા નથી. પણ દરેક સમસ્યાનો હલ કદાચ તેઓ ના આપી શકે તો જે આપે તેને લેવામા મને ડહાપણ દેખાય છે. માત્ર તેમને અવગણવાથી તેઓ નજીક નહી આવે કે સમાજનું ભલું નહી કરે પણ તેઓ જે આપી શકે છે તેની પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

કેટલીક વાર વોટ્સ પર ક્રાંતિ કરનારા લોકો નેતાને રુબરુ મળે ત્યારે આપણા અત્યાચાર વિશે કહેતા નથી કે આપણી તાતી સમસ્યા વિશે રજુઆત કરતા નથી.

રવિવારે ભાવિન ચૌહાણે કહ્યુ હતું તે ક્યારેક સાચું પણ છે. આપણે નેતાની સામે એટલા બધા ભાવ વિભોર થઇ જઇએ છે તે માત્ર તેમની પ્રસંશા જ કરતા રહીયે છે. કેટલીક વાર આવા પ્રસંગોનો હેતુ વ્યકિત લાભ માટે પણ હોય છે. કેટલીક વાર સમાજમાં પોતાનું માન કે પ્રતિષ્ઠા વધે તે માટે પણ આવા કાર્યક્રમનું આયોજન થતુ રહે છે. અને મુળ સમસ્યા ત્યાંની ત્યાંજ રહે છે.

પણ શુ કરીયે તો આ સમસ્યા નો ઉકેલ આવે. તમારે કેટલાક જોડાણ કરવા પડશે. SC ની તમામ પેટા જાતિઓને એક પ્લેટફોરમ પર લાવવી પડશે. વિદ્ધાન કનુભાઇ વ્યાસ અભિયાન મારફતે આ કામ બહુ સારી પેઠે કરી રહ્યા છે. પણ આવા પ્રયત્નો સ્વાધ્યાય પરિવાર કરતું હતું તે પ્રમાણે કરવા પડશે. અભિયાનનો કાર્યક્રમ પતી જાય પછી બધા ભુલી જાય છે. તેથી જે તે ગામના નેતાઓ રોજ બધાની સાથે માત્ર ત્રીસ મિનિટ વાત કરે તો લોકો તમારી સાથે જલદી આવશે, તમારી વાત સમજશે. તેના માટે સમય આપવો પડશે, પ્રતિબદ્ધ થવુ પડશે. બીજી હરોળના યુવા નેતા ઉભા કરવા પડશે. આના પરિણામો સમય પર મળશે જ.

દિનેશ મકવાણા
બ્યાવર અજમેર
If I have to chop down a tree within Eight hours. I will use 6 hrs in sharpening my axe.
- Abraham Lincoln
જો મારે એક ઝાડને આઠ કલાકમાં કાપી નાંખવાનું હોય તો હુ છ કલાક મારી કુહાડીની ધાર તેજ કરવા માટે વાપરીશ..

ભારતમાં શિક્ષણ અને શિક્ષકો ની સ્થીતી

By Dinesh Makwana  




એનડી ટીવી ના રવિશકુમારના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી જે જાણીને તમે પણ આઘાતથી આશ્ચર્ય પામશો. 

અમેરિકાની યુનિવર્સિટીઓમાં પચાસ ટકાથી વધુ શિક્ષકો જેને આપણે પ્રોફેસર કે લેકચરર કહીયે છે તેઓ કાયમી નથી, હંગામી ધોરણે કામ કરી રહ્યા છે. ગાર્ડીયન નામના અખબારની માહિતિ પ્રમાણે પ્રોફેસરો પોતાનું ઘર ચલાવવા બીજું વધારાનું કામ કરે છે જેમાં કેટલાક ટેક્ષી ચલાવે છે, કેટલાક ક્લબમાં કામ કરે છે. એક સ્ત્રી પ્રોફેસર પોતાના ઘરને ચલાવવા સેકસ વર્કર બની છે. પણ આ હંગામી પ્રોફેસરોનો પગાર અમેરિકન સરકાર વધારતી નથી. જો આ હાલત અમેરિકા જેવા વિકસિત દેશની હોય તો બીજા દેશની વાત જ શુ કરવી. દર વર્ષે શિક્ષા માટેનુ બજેટ ઘટતું જાય છે. પ્રોફેસરોને પુરા સમય કે અમુક કલાકોથી વધારે કામ આપવામાં આવતુ નથી જેથી તેમને હેલ્થ ઇન્યુરન્સ આપવો ના પડે. ક્યારે નોકરી છુટી જશે તેના માટે કોઇ ગેરંટી નથી. તલવારની ધાર પર કામ કરતા રહે છે. તેઓ પોતાના બાળકોને સારી સ્કુલ કે કોલેજમા ભણાવી શકતા નથી.

ભારતમાં લગભગ દરેક જગ્યાએ આ સ્થિતિ છે. સરકારી કોલેજમા છેલ્લા ૧૦ કે ૧૫ વર્ષથી ભરતી થઇ નથી. હંગામી ધોરણે કે પાર્ટ ટાઇમ ધોરણે તો કોઇ જગ્યાએ ગેસ્ટ ફેકલ્ટીના નામે શિક્ષણ અપાઇ રહ્યુ છે. 

દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે તેમાં આ હંગામી શિક્ષકોનો પગાર ૨૪૫૦૦ થી વધુ નથી. દિલ્હીમાં એક ટેક્ષી ચાલક મહીને ૫૦૦૦૦ થી વધુ કમાઇ શકે છે ત્યારે ભવિષ્યનું ઘડતર કરનારા આ પ્રોફેસરોની હાલત શુ હશે. એનડીટીવી પર તેઓ જે ઘરમા રહે છે, જે વાતાવરણમાં રહે છે તે દ્રશ્યો બતાવવા મા આવ્યા. આપણા ગામડાના ગરીબ માણસો કરતાય બદતર હાલતમાં આ શિક્ષકો રહે છે. આ બધા ની પાસે પુરેપુરી શૈક્ષણિક લાયકાત છે.UGC  ની પરીક્ષા પાસ કરી છે. MPhil કે PhD થયેલા આ શિક્ષકોના ચહેરા પર નિરાશા અને રોષ છે. શિક્ષણનો વ્યવસાય આજેય ઉમદા ગણાય છે જયાં ભ્રષ્ટાચાર લગભગ શુન્ય છે પણ તેમની સ્થિતિ વિશે સરકાર કે બીજાને કોઇ ચિંતા નથી.

મધ્યપ્રદેશ મા આનાથી વધારે ખરાબ હાલત છે. લગભગ દરેક સરકારી કોલેજમા માત્ર દસ ટકા જ કાયમી શિક્ષકો છે બાકીના મહેમાન તરીકે છે. આ બધાની પાસે પુરી શૈક્ષણિક લાયકાત હોવા છતા તે બધાનો પગાર ૮૦૦૦ થી વધુ નથી. 

પંજાબમા ૧૯૯૬ પછી ભરતી થઇ જ નથી.ઉતરાંચલ મા પણ આ જ સ્થિતિ છે. 

અમારું ખાતું એટલે કે શ્રમ મંત્રાલય મોંઘવારી ના આંકડા પ્રમાણે દર છ મહિને ન્યુનતમ મજદુરી ના આંકડા બહાર પાડે છે, એટલે કે તેનાથી ઓછો પગાર આપી શકાય નહી. અત્યારે અમદાવાદ જેવા શહેરમાં ૫૪૦, વડોદરા કે સુરત કે રાજકોટ જેવા શહેરમાં ૪૫૯ અને બાકીના તમામ વિસ્તારોમાં ૩૫૯ જેટલો ઓછામા ઓછું અથવા અભણ મજુરને પગાર તરીકે ચુકવવામા આવે છે. 

સામી બાજુએ જે PhD કે MPhil થયા છે તેમને આ  અભણ મજુરો કરતા ઓછો પગાર ચુકવાય છે. 

બેરોજગારી એટલી બધી છે કે તમને આવા શિક્ષિત મળી રહે છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજોની વાત જ કરવા જેવી નથી. ૧૫૦૦૦ પર સહી કરાવશે અથવા બેન્કમા ટ્રાન્સફર કરશે પરંતુ હકીકતમા ૮૦૦૦ કે ૯૦૦૦ થી વધુ તેમને મળતા નથી. 

બંધારણ પ્રમાણે સમાન કામ સમાન વેતન છે પરંતુ કોઇ કોર્ટ આ બાબતમાં કશુ કરતી નથી. દરેક રાજ્યમાં આ સ્થિતિ છે.  કાયમી પ્રોફેસર ૭૫૦૦૦ થી વધુ પગાર લે છે અને પેલો ૧૦૦૦૦ મા વધારે કામ કરે છે. મોંઘવારી બંને માટે સરખી છે પણ તેમના માટે લડનારુ કોઇ નથી. તેમની પાસે કોઇ નિમણૂક પત્ર નથી, હંગામી ધોરણે કામ કરે છે અને તેથી બીજા સેમેસ્ટરમા તેમને નોકરી મળશે કે નહી તેની ગેરંટી જ નથી. 

આખી દુનિયામાં સૌથી માનપાત્ર શિક્ષકો આપણે ત્યાં સૌથી વધુ દુખી અને મજબુર છે. પણ અખબારો કે ચેનલોને તેમના સમાચાર મા રસ નથી. નેતા હિન્દુ મુસ્લિમ પર ભાષણઆપતા રહે છે. પણ ભવિષ્ય ઘડનારાની સ્થિતિ વિશે વિચારવાનો કોઇને સમય નથી. 

જો આ સ્થિતિ જનરલ કેટેગરીની હોય તો તેનાથી વધુ દયનીય આપણી છે.  કેટલાય ને નોકરી નથી. દરેક નસીબદાર નથી કે લાયકાતમાં મેરીટ નથી. 

અને આપણે જય ભીમ કરતા રહીયે છે. અને આ દેશને મહાન કહેતા રહીયે છે.

દિનેશ મકવાણા
૪/૧૯/૨૦૧૭ અજમેર