May 18, 2017

777888999 No. और भारत की मुर्ख जनता

कहा जा रहा है  इस नंबर में ऐसा वायरस है, जिससे लोगों कि मौत हो रही है। ऐसा दावा किया जा रहा है कि इस नंबर से आए कॉल को रिसीव करने से देशभर में 10 लोगों की मौत हो चुकी है।
और लोगो की मूर्खता और डर तो देखो कि शेयर पर शेयर किए जा रहे है। 
असल में 9 अंको वाला नम्बर भारतीय नम्बर नही हो सकता अगर विदेश से इस प्रकार की कोई कॉल आती भी है तो फोन नम्बर के आगे उस देश का कोड लगा आएगा। कॉल आने से किसी भी व्यक्ति को कोई नुकशान नही होगा ना फोन ब्लास्ट होगा। यह अपवाह मात्र है।

भारत के लोग मानसिक रूप से पंगु है। इन्हें आसानी से डराया जा सकता है। एक सर्वे के अनुशार भारतीय अज्ञानता के मामले में दूसरा स्थान रखते है।
जिस देश के लोगो को 1 मेसेज से ही मुर्ख बनाया या डराया जा सकता है तो धर्म के ठेकेदार लोगो को धर्म/ ईश्वर/अल्लाह/गॉड आदि के नाम पर आसानी से मुर्ख बना सकते है साथ ही शारारिक, मानसिक शोषण भी कर सकते है/और कर भी रहे है।
समय समय पर ऐसे मेसेज भेज कर मूर्खो की जाँच की जा सकती है।
सोशल साइट्स पर और भी कई कसम वाले मेसेज आते है जिन्हें शुभ/अशुभ की धमकी देकर ईश्वर/अल्लाह/गॉड के नाम पर शेयर करवाया जाता है।
एक लड़की का धुंधला फोटो होता है और कहा जाता है कि 4 ग्रुप में फोटो सेंड करो लड़की का फोटो दिखाई देगी। कमेंट में 9 लिखो और जादू देखो। 4-5 लॉक होते है उन्हें फॉरवर्ड करो ताला खुल जायेगा। कुछ बॉल्स होती है जिन्हें फॉरवर्ड करने को कहा जाता है कि यह रंग बदलेगी।
ये वाला फाडू है एक पिन और बैटरी(सेल) होती है उसके नीचे लिखा होता है कि इस मेसेज को आशीष इंजीनयर ने बनाया है इसे 10 ग्रुप में शेयर करो फोन फूल चार्ज हो जायेगा।
जय हो मूर्खो की....



આંબેડકરે હિન્દુત્વના કરેલા મુહખોલ વખાણ : રુશાંગ બોરીસા

Dr. Ambedkar on "Hinduism"

આંબેડકરે હિન્દુત્વના કરેલા મુહખોલ વખાણ...

• હિન્દુત્વની ફિલસુફી સુપરમેન(બ્રાહ્મણ) માટે સ્વર્ગ છે અને સામાન્ય માણસ માટે નકરવાસ છે.
- Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 78 

• અંતઃકરણ,તર્ક અને સ્વતંત્ર વિચારોના વિકાસ માટે હિંદુત્વમાં કોઈ અવકાશ નથી.

• વેદો મૂલ્યહીન પુસ્તકોનો સમૂહ છે;તેમને પવિત્ર કે પરિપૂર્ણ કહેવા માટેનું કોઈ કારણ નથી.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-4 >page 8

• હિંદુત્વમાં તમે સામાજિક અસમાનતા અને ધાર્મિક અસમાનતા દેખી શકશો;જે તેની ફિલસૂફીમાં ગૂંથવામાં આવેલ છે.
- Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 36

• જયારે અન્ય ધર્મો બીજે બધે માનવપ્રજાતિના ઉત્થાન અને ઉદાત્તીકરણના કાર્યોમાં વ્યસ્ત હતા ,ત્યારે હિન્દુત્વ માનવજાતિના ભ્રષ્ટાચાર અને અવમાનમાં વ્યસ્ત હતું.
- Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page37

• હિંદુત્વમાં સ્વતંત્રતાની પ્રથમ પૂર્વશરત સ્પષ્ટ દેખી શકાય છે,તેની ગેરહાજરીના રૂપે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page39

• ક્રમ અને વર્ગીકરણની વ્યવસ્થા બીજું કઈ નહીં પણ અસમાનતાના સિદ્ધાંતને રજૂ કરવાની એક પદ્ધતિ છે;માટે ખરી રીતે કહીયે તો હિન્દુત્વ સમાનતાને માન્યતા આપતું નથી.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page25

• અસમાનતા એ ખરેખર તો હિન્દુત્વનો આત્મા છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 66

• હિંદુઓમાં બંધુત્વની ભાવનાની ઉણપના કારણ માટે જો કોઈ સફાઈ આપી શકાય તો તે હિન્દુત્વ અને તેની ફિલસુફી જ છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 64

• ધર્મ વિષે એવું કહેવાય છે કે તે માણસનો ઉદ્ધાર કરે છે,અવમાન નહીં. પરંતુ હિન્દુત્વ તેમાં અપવાદ છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-5 >page 93

• હિંદુત્વમાં અછુતો માટે કોઈ આશા નહીં.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-5 >page 412

• હિન્દુત્વની આંતરિક પ્રકિયા વડે નિરક્ષરતા એ હિન્દુત્વનો વારસાગત હિસ્સો બની.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3 >page 42

• જો હિન્દૂ રાજ હકીકત બન્યું તો બેશક તે દેશની સૈથી મોટી આફત બનશે.ભલે હિંદુઓ જે કઈ કહે; પણ સ્વતંત્રતા,સમાનતા અને ભાઈચારા માટે હિન્દુત્વ હાનિકારક છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-8 >page 358

• હિંદુત્વને સામાન્ય માણસમાં કોઈ રસ નથી.હિંદુત્વને સમાજમાં પણ કોઈ રસ નથી.હિંદુત્વના હિતનું કેન્દ્રસ્થાન ચોક્કસ વર્ગ (બ્રાહ્મણ) ઉપર અવલંબે છે.હિન્દુત્વની ફિલસુફી પણ તે ચોક્કસ વર્ગના હકોને સમર્થન અને તેને જીવિત રાખવા માટે ચિંતિત છે.માટે હિન્દુત્વની ફિલસૂફીમાં સામાન્ય માણસ અને સમાજના હિતો નકારવામાં આવે છે,તેમનું બલિદાન અપાય છે-દમન થાય છે; માત્ર તે ચોક્કસ વર્ગ (બ્રાહ્મણ) ના હિતોને જાળવી રાખવા.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-3>page 77

• હિન્દુત્વ આત્મ-સન્માન માટે બાધારૂપ છે.અછૂતોનું અન્ય ઉદાર આસ્થામાં ધર્માન્તર કરવા માટેનું સૌથી મજબૂત કારણ "અછૂતોનું માન" છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-5>page 412

• હિન્દુત્વ એક એવો ધર્મ છે જેનો આધાર નૈતિકતા નથી.હિંદુત્વમાં જે કઈ નૈતિકતા જોવા મળે છે તે તેનો આંતરિક ભાગ નથી.હિંદુઓમાં દેખાતી નૈતિકતા હકીકતે ભિન્ન પરિબળ છે ,જે સામાજિક જરૂરિયાતોને કારણે જળવાઈ છે;હિન્દૂ ધર્મને કારણે નહીં.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-17(2)>page 98

• હિન્દુત્વ એક રાજકીય વિચારધારા છે જેના લક્ષણો ફાસીવાદ કે નાઝી વિચારધારા સમાન છે.હિન્દુત્વ સંપૂર્ણપણે લોકશાહી વિરોધી છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-17(2)>page 321

• હિન્દુત્વ એકતાને બદલે અલગાવ શીખવે છે.હિન્દૂ બનવું એટલે ભળવું નહીં પણ દરેક બાબતોમાં અલગ રહેવું...હિન્દુત્વની ખરી પ્રતિભા ભાગલા પાડવાની છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-9>page 186

• જો હું હિંદુઓ અને હિન્દુત્વથી ખુબ અક્ળાયેલ હોય તો તેનું કારણ એટલું જ છે કે હિંદુઓ ખોટા વિચારોથી અંજાયેલા છે અને ખોટું સામાજિક જીવન જીવે છે.હિન્દુત્વ સામેની મારી લડાઈ માત્ર સામાજિક આચરણ પૂરતી સીમિત નથી.તે ઘણી મૂળભૂત છે.મારી લડાઈ હિંદુઓમાં આદર્શો સામે છે.
-Dr. Babasaheb Ambedkar Writings and Speeches >volume-1>page 96

અહીં અટકીએ...

આંબેડકરે આ તમામ હકીકતો પાછળ ઊંડાણમાં અર્થઘટન-વિશ્લેષણ સહીત સાબિતીઓ આપેલ છે.જો કે તેમણે હિંદુત્વના રિયલ "ડેમેજ ફેક્ટર" બ્રાહ્મણવાદને જ ગણાવ્યા હતા ;જે બ્રાહ્મણોંના સ્વાર્થ માટેની નીતિઓ છે.આંબેડકરે સાફ કહ્યું હતું "બ્રાહ્મણવાદે હિંદુત્વને પુરી રીતે બરબાદ કર્યું છે;જો હિંદુત્વને બચાવવું હોય તો બ્રાહ્મણવાદનું મારણ કરવું ફરજીયાત છે."

બિન-બ્રાહ્મણોને બ્રિટિશકાળ બાદ જે અધિકારો મળ્યા તેમાં શિક્ષણનો અધિકાર મહત્વનો છે...જો કે રાજકીય-પ્રચારની બાબતોમાં બ્રાહ્મણવાદ ફૂંફાડા મારતો હોય ત્યારે લોકો તેના શિકાર બની આખરે શિક્ષિત ગુલામો બને છે અને મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહે છે.માટે હિન્દુઓએ દેશની સામાજિક,આર્થિક અને ધાર્મિક સમસ્યાઓના મૂળને સમજવા આંબેડકરને ખાસ વાંચવા રહ્યા. જો સઘળા હિંદુઓ(ખાસ શુદ્ર-દલિતો-મહિલાઓ) આંબેડકરને વાંચે તો દેશમાં ક્રાંતિ સર્જાય તેવી મહત્તમ શક્યતાઓ રહેલી છે.

આમ્બેડકરથી તો વર્તમાન સરકાર એ હદે ડરી ગયી છે કે પોતાની સરકારી વેબસાઈટમાંથી ફ્રીમાં વાંચવા મળતા આંબેડકર લેખિત ગ્રંથોને દૂર કર્યા! અગાઉ નેશનલ બુક ફેરમાંથી પણ આંબેડકરના મહત્વના પુસ્તકોની બાદબાકી જોવા મળી હતી.દલિતોને ભ્રમિત કરવા માટે દેશના મુખ્ય ૨ બ્રાહ્મણવાદી પક્ષો-કોંગ્રેસ અને ભાજપ બનતા તમામ કાવાદાવાઓ કરી રહ્યા છે.

…પણ જે હું દેખી રહ્યો તે એક ઐતિહાસિક સંઘર્ષ છે જેમાં બેશક બ્રાહ્મણવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો છે.

-- રુશાંગ બોરીસા



ફોટોલાઇન : "આંબેડકર હિન્દુત્વ સામેનો પડકાર છે."-મોહનદાસ ગાંધી


अफवाओं का बाजार गर्म है, 777888999 का सच : विशाल सोनारा

777888999 इस फोन नंबर से आने वाले कॉल को लेकर कई अफवाह सोशल मीडिया पर चल रहे हैं..
इन सब मेसेज और सोशल मीडिया अपडेट्स मे बेतुकी बातें बताई जा रही है. हैरान करने वाली बात तो यह है की लोग सच भी मान रहे है और जम कर ये सब शेअर भी कर रहे है. 


  • 77788899 इस नंबर को आने वाले फोन को मत उठाइए, इस नंबर को उठाने से आपका मोबाइल ब्लास्ट हो सकता है.
  • ट्रिपल 7, ट्रिपल 8, ट्रिपल 9 इस नंबर से आने वाले फोन को मत उठाइए, आपका सारा डेटा डिलीज हो जाएगा.
  • आपके फोन में आधी रात से लेकर सुबह 3 बजे तक 77788899 इस नंबर से फोन आएगा, इस फोन को भूल कर भी नहीं उठाइए, आपके फोन में ब्लास्ट हो सकता है, आपकी मौत भी हो सकती है.


डराने और चौंकाने वाले ऐसे हजारों मैसेजीस का खौफ पिछले कुछ दिनों से सोशल मीडिया में कायम है. व्हाट्सअप के हर ग्रुप में एक ऐसा मैसेज आ रहा है और इस मैसेज को ज्यादा से ज्यादा लोगों को बताने की सुचना दी जा रही है. फेसबुक में भी यही हालत है, हालांकी ट्वीटर पर ये अफवाह अफवाह की तरह ही हंसी मजाक मे ली जा रही है. लेकिन सच्चाई क्या है ये जानने की कोइ दरकार नही करता. बिना कोई पुख्ता जानकारी के इस मैसेज को लगातार सोशल मीडिया पर फैलाया जा रहा है. लेकिन मोबाइल में कहीं से भी ब्लास्ट होने की कोई खबर अब तक नहीं आई है और ना हि डेटा हैक होने या डीलीट होने की खबर आयी है. 
वैसे इस नंबर पर से कोल आयी है ऐसी भी कोइ घटना सामने नही आई है अभी तक.



सायबर एक्सपर्ट का कहना है कि ये खबर एकदम झूठ है कि एक नंबर के कॉल कर दूसरे शख्स के मोबाइल में ब्लास्ट किया जा सकता है. हालांकि सायबर एक्सपर्ट इतना जरूर कहते हैं कि इस तरह की विध्वंसकारी तकनीक पर दूसरे देश में शोध जरूर चल रहा है, लेकिन अब तक इसमें कामयाबी नहीं मिली है. दूसरी बात ये हैं कि भारत में 9 डिजिट का फोन नंबर होता ही नहीं है और जीन देशों में 9 डिजिट का फोन नंबर होता है, लेकिन जब 9 डिजिट के नंबरों से कॉल आता है तो उसे पहले उस देश का कंट्री कोड भी फोन नंबर के आगे लिखा होता है. ये बाते अपने आप मे इस मेसेज को जुठ साबित कर रही है. लिहाजा इस अफवाह पर यकीन न करें और ना ही करने दे लोगो मे अवेरनेस फैलाये की ऐसी खबरे जुठ होती है.

उक्त बातों से जाहिर हो जाता है ये बातें महज अफवाह हैं, सच्चाई से  इस बात का दूर-दूर तक कोई नाता नहीं है.
- विशाल सोनारा

સમાજમાં બેઠા હોય ત્યારે હોદ્દો ઘેર મુકીને જજો. : દિનેશ મકવાણા

નિરાશા, હતાશા - સમસ્યા અને ઉકેલ
By Dinesh Makwana
અજમેરમાં મારી બાજુમાં વર્મા સાહેબ રહે છે. એરટેલ કંપની માત્ર ટેલિફોનના સાધનો બનાવતી હતી ત્યારે તેમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં નોકરી શરુ કરી હતી. એરટેલ કંપનીની જેમ જેમ પ્રગતિ થઇ તેમ તેમ વર્મા સાહેબને પણ પ્રમોશન મળતું ગયું અને છેલ્લે ડેપ્યુટી જનરલ મેનેજર ના પદેથી નિવૃત થઇને અત્યારે ઘેર બેઠા બેઠા સમય પસાર કરે છે. બે દીકરીઓના મેરેજ કરવાના બાકી છે. વતનમાં જમીનનો વિવાદ ઉકેલવાનો બાકી છે. 

એક દિવસ બહુ દુખી થઇને મને બોલાવ્યો. તેઓ પોતાની વાત કરવા માંગતા હતા. જ્યારે અમે નોકરીમાં હતા ત્યારે ભલભલા ચમરબંધીઓને ખખડાવી નાંખતા. નકામા ઇગોમાં રાચે રાખતા. હવે બધુ ખતમ થઇ ગયું. કોઇ પુછતુ નથી. સોનેરી દિવસો જતા રહ્યા. આ ઘોર નિરાશામાં મને કેટલાય દિવસો સુધી ઉંઘ નથી આવતી. નોકરીમાંથી તો નિવૃત થઇ ગયો છુ પણ સામાજિક જવાબદારી હજુ બાકી છે આટલું કહેતા કહેતા તેમની આંખોમાં આ ઉંમરે પણ આંસુ આવી ગયા. 

આ લગભગ દરેક નિવૃત વ્યક્તિઓની સમસ્યા હોય છે થોડો વધારો ઘટાડો વ્યકિત પ્રમાણે થઇ શકે છે. ખાસ કરીને જેઓ સરકારમાંથી ઉચ્ચ પદ પરથી નિવૃત થયા તેમની હાલત કફોડી હોય છે જો તેમણે નિવૃતિના સમય સુધી પહેલા તો સામાજિક જવાબદારી પુરી કરી ના હોય . બીજું કે તમારા હોદાની રુએ મળતા માન મરતબા કે સુવિધાઓ હવે મળવાની નથી તેના માટે પોતાને માનસિક રીતે તૈયાર કરવાની હોય છે તે ખરેખર અઘરું છે. ખાસ કરીને જેઓ અઠવાડિયા ના સાતે દિવસ સતત વ્યસ્ત રહેતા હતા અને હવે કશુ જ કામ નથી તે પરિસ્થિતિ મા ઘણા બધા ( દરેક નહી) નિરાશા કે હતાશા ની ગર્તામાં ધકેલાઇ જાય છે અને તેથી તેમનુ સ્વાસ્થ્ય જલદી કથળે છે. વડીલ હોવા છતા કેટલીક વાર તેમની વાત ને ઘરમાં ગંભીરતાથી લેવામાં નથી આવતી. તેમને એક ખોટો અહેસાસ થતો રહે છે કે જાણી જોઇને કરતા રહે છે મારુ કોઇ ધ્યાન રાખતું નથી. તેથી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ વ્યકિત બાળક બનતી જાય.

હિરાભાઇ પરમાર મારા મિત્ર ONGC મા નોકરી કરે. અમે બધા નડીયાદથી લગભગ સાત મિત્રો સાથે અપડાઉન કરીયે. હુ ઉંમરમા સૌથી નાનો. સૌથી નજીકના મિત્ર અને મારી ઉંમરમા ૧૫ વર્ષનો તફાવત. દરેકને એક જ ચિંતા નિવૃત્તિ પછી શુ કરીશું.  હિરાભાઇની સ્થિતિ વધારે ખરાબ. રોજ સાંજે તેમની પત્ની સાથે ઝઘડો થાય. આખા ઘર માટે તેઓ માત્ર પૈસા કમાવાનું સાધન જ હતા. નિવૃતિના છ મહિનાની અંદર જ એક સવારે હદય રોગના હુમલાથી મૃત્યુ થયું. અને આ પ્રશ્ન મને વિચારતો કરી મુકે છે. 

મારી પત્ની કેટલીય વાર મને પ્રશ્ન પુછે છે નિવૃતિ પછી શુ કરશો. 

દરેકે નિવૃત થવાનું જ છે. શિક્ષકો, વકીલો કે ડોક્ટરો ધારે તો કોઇ પણ ઉંમરે કામ કરીને પોતાની જાતને વ્યસ્ત રાખી શકે છે પણ બાકીના લોકો માટે આ પ્રશ્ન વિકટ છે. 

દરેકને ખબર હોય છે હુ આ વર્ષમાં નિવૃત થવાનો છુ તો તે પછીના સમયની એવી કઇ પ્રવુતિ કરીશ કે જેમાં મને સૌથી વધુ આનંદ મળે અને તમે સમય પસાર કરી શકો તે વિશે તમારે આયોજન કરવું જરુરી છે.તે ખાસ યાદ રાખો તમને જે માન મરતબો મળતો હતો તે હવે મળવાનો નથી ત્યારે નિવૃતિના છેલ્લા વર્ષોમાં કેટલાક કામ જાતે કરતા શીખી લો અને તેની આદત પાડો. દરેક કામ હવે તમારે જાતે કરવાનું છે તેથી તે પ્રમાણે માનસિક તૈયાર થતા જાઓ. તમને જે પ્રવુતિ મા રસ હોય તેમાં સૌથી વધુ સમય પસાર કરો. 

નવી પેઢી પોતાના અલગ વિચારો લઇને આવતી હોય છે તેથી તેમની સાથે સતત તમારા જીવનકાળનુ ઉદાહરણ આપ્યા ના કરો. દરેકની ઉકેલ શોધવાની પોતાની પધ્ધતિ હોય છે. તેથી તમને માનભંગ થતા હોય તેવું લાગશે. તમારો અનુભવ જરુરથી કહે પરંતુ એવી અપેક્ષા ના રાખો કે તમે જે રીતે કહો તે રીતે જ થાય. 

કેટલાય વ્યકિત પોતાની નોકરીના કારણે સમાજની વચ્ચે રહી શકતા નથી તેથી તમારો થોડોક સમય સમાજ માટે પણ આપો. Pay back to the Society ની ભાવના સાથે કાર્ય કરો. પણ તમારે હોદો કદી વચ્ચે લાવશો નહી. સમાજમાં બેઠા હોય ત્યારે હોદો ઘેર મુકીને જજો. 

અમારા એક ઓળખીતા નિવૃત શિક્ષક સમાજની બેઠકમાં બેઠા હોય ત્યારે બીજા બધા બીડી પીવે પરંતુ આ શિક્ષક ખાસ આગ્રહ રાખે ભાઇ હુ તો સિગારેટ જ પીશ.

કેટલાક ને રાત્રે ઉંઘ નથી આવતી. તેના મુખ્ય કારણોમાં હુ નિવૃત થઇ ગયો છુ તેને માનસિક રુપે સ્વીકારી નથી શકતા અને બીજા તમારા પ્રશ્નો. જે આર્થિક કે સામાજિક હોઇ શકે. પણ માત્ર વિચારવાથી આ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી તેથી રાત્રે સુવાના સમયે તમે તેના જ વિચાર કરો જે પ્રસંગે તમને સૌથી વધુ આનંદ થયો હોય. ખુશીના પ્રસંગો ને યાદ કરો. તમારા મિત્રો સાથે કે પત્ની સાથે જે સ્થળોએ ફરવા ગયા હોય તેને યાદ કરો. કહેવાનો ભાવાર્થ જે હકારાત્મક છે અથવા આનંદ આપે છે તેવા વિચારો કરો. તમને બહુ જલદીથી ઉંઘ આવી જશે તે સાઇકલોજિસ્ટોનુ કહેવું છે. માત્ર એક નકારાત્મક વિચાર તમારી ઉંઘ બરબાદ કરી દે તેથી આવી નકારાત્મકતા થી દુર જ રહો.

આ લખવું કે કહેવું સહેલું છે તે મને દરેક કહેશે પરંતુ તમારે આવી આદત કેળવવી પડશે. આપણે સમાજની વચ્ચે રહેલા જવાબદાર વ્યકિતઓ છે તેથી ટેન્શન થવાનું જ. ટેન્શન એટલે જવાબદારીઓનો અહેસાસ. આપણે જંગલમાં રહેતા નથી કે સાધુ નથી પણ માત્ર વિચારવાથી કોઇ સમસ્યાનો ઉકેલ આવતો નથી. દરેકનો સમય હોય છે. તમે બસ તમારા પ્રયત્ન કરતા રહો..

આમાં કેટલાક મિત્રો કશુ ઉમેરી શકે. આ એક સામાન્ય નિરિક્ષણ છે. આમાં લખેલી દરેક કોઇ વ્યક્તિને લાગુ પડે તે જરુરી નથી. તેથી કોઇએ બંધબેસતી પાઘડી પહેરી ના લે અને તટસ્થ રહે તે મારી વિનંતી છે.

-- દિનેશ મકવાણા






ધર્મના અનેક ષડ્યંત્રોમાંનું એક ષડયંત્ર પારકી સંસ્કૃતિને પચાવી પાડવાનું છે : રુશાંગ બોરીસા


ધર્મનો શુદ્ધ ખ્યાલ જે-તે સમયે જરૂરી હોવા છતાં નબળો હતો.ધર્મે પોતાની સત્તા-સર્વોપરિતા મેળવવા સામ-દામ-દંડ-ભેદની નીતિનો ઉપયોગ કરવો પડ્યો છે.ધર્મના અનેક ષડ્યંત્રોમાંનું એક ષડયંત્ર પારકી સંસ્કૃતિને પચાવી પાડવાનું છે.દુનિયાના ટોપ ૪ ધર્મો-ઈસાઈ,ઇસ્લામ,હિન્દૂ અને બૌદ્ધ કાં તો પારકી સંસ્કૃતિનું દમન કર્યું છે કાં તો પારકી સંસ્કૃતિનું અપહરણ કરી તેને દત્તક બનાવી છે. નાતાલના તહેવારની ઉજવણી આવી જ અનૈતિક પદ્ધતિનું ઉદાહરણ છે. 

સામાન્ય રીતે આપણે જાણકારી ધરાવીએ છીએ કે ૨૫ ડિસેમ્બરે ભગવાનના “એકમાત્ર પુત્ર” જીસસનો જન્મ થયો હતો અને તેના જન્મદિનની ઉજવણી નાતાલના પર્વ મારફતે મનાવવામાં આવે છે. જો કે ઈસાઈ ધર્મગ્રંથ બાઇબલમાં ક્યાંય જિસસના જન્મદિનનો પુરાવો નથી.જેવી રીતે રાવણવધ આસો સુદ દસમે થયો તેવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી તેવી રીતે જિસસનો જન્મ નાતાલે(૨૫ ડિસેમ્બર) થયો તેવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી. 

પ્રાચીન ઈસાઈ ધર્મનિષ્ણાતોમાં પણ જીસસના જન્મદિનની બાબતે મતમતાંતર હતા; જેમ કે બીજી શદીમાં ટોચના પાદરીઓએ કંઈક આવી તારીખો આપી હતી-૨૮ ઓગસ્ટ,૨૧ માર્ચ,૨૧ એપ્રિલ,૧૫ એપ્રિલ અને ૨૦ એપ્રિલ! હાલમાં જે વ્યાપક છે તે ૨૫ ડિસેમ્બરનો ખ્યાલ ઘણો દૂર ૪થી શદીમાં જન્મ પામ્યો હતો.આ સમયગાળામાં ઈસાઈ ધર્મે યુરોપ ઉપર ઘણી ખરી પકડ મેળવી લીધી હતી.

નાતાલની ઉજવણી મૂળે ઈસાઈ ધાર્મિક પર્વ નથી,પણ જે-તે સમયની સમકાલીન સાંસ્કૃતિક ઉજવણી છે.હાલમાં જે ઉજવણી જોવા મળે છે તેના સંદર્ભો પ્રાચીન રોમન સંસ્કૃતિમાં જોવા મળે છે,જે સદંતર ખ્રિસ્તી ધર્મથી મુક્ત હતા.હકીકત તો એ છે કે ક્રિસ્ટમસની ઉજવણી જે હાલના તબક્કે જોવા મળે છે તે અલગ-અલગ પેગન (મૂર્તિપૂજક સંપ્રદાયો)સંસ્કૃતિની પ્રથા છે; આ પ્રથા જીસસના કહેવાતા જન્મની શદીઓ પહેલા પણ જોવા મળતી હતી.રોમ ના ખ્રિસ્તીકરણના વર્ષો પૂર્વે રોમનો ૨૫ ડિસેમ્બરના રોજ સ્થાનીય ધાર્મિક ઉજવણી કરતા હતા;જેનો હેતુ મિથરા(સૂર્યદેવ)ને પ્રસન્ન કરવાનો હતો.ડિસેમ્બરમાં બે શિયાળુ મૂર્તિપૂજક તહેવારો ઉજવાતા હતા-સેટરનીલિયા અને જિનેનિલિયા. જેમાં લોકો એકબીજાને ભેટસોગાદો અને શુભેચ્છાઓની આપ-લે કરતા હતા.(હાલમાં નાતાલના તહેવારમાં આ જ તો જોવા મળે છે.)

જયારે રોમન પ્રજાએ પોતાને ખ્રિસ્તી તરીકે સ્વીકારવાનું શરુ કર્યું ત્યારે નવા બનેલા ઈસાઈઓએ પોતાની પ્રાચીન પરંપરા ઉજવવાનું ચાલુ રાખ્યું હતું.બાદમાં પરંપરા અને ધર્મનું મિશ્રણ થયું.જે તહેવાર "SUN"ના જન્મ માટે ઉજવાતો હતો તે "SON"ના જન્મ માટે ઊજવવા લાગ્યો.એટલું જ નહિ સમકાલીન મૂર્તિપૂજકો શિયાળામાં બારમાસીના વૃક્ષને સજાવતા-પૂજા કરતા.(જેનો હેતુ એવો હતો કે પાનખરમાં પણ બારમાસીનું વૃક્ષ આશાનું કિરણ છે અને ઈશ્વરની કૃપાની સાબિતી આપે છે.)કેલ્ટ અને જર્મન પ્રજા પણ આ માસમાં વૃક્ષને અવનવા આકારો આપી શણગારતા.બાદમાં નાતાલમાં આ પ્રથાનો સમાવેશ કરવામાં આવ્યો.

હિન્દૂ ધર્મ પણ વિજયાદશમી અને દિવાળી આવા જ તહેવારો છે;જેનું મહત્વ ૧૬મી શદીમાં થયેલ તુલસીદાસના રામચરિતમાનસ બાદ અચાનક જોવા મળ્યું.ઉપરાંત,દશેરાની ઉજવણીમાં જે જલેબી આરોગાય છે તે મૂળે આરબ વાનગી છે!

પારકી સંસ્કૃતિઓનું સમય જતા જે ખ્રિસ્તીકરણ થયું છે તે વિચિત્ર છે.કારણ કે તે સંસ્કૃતિઓ પેગન હતી જયારે ઈસાઈ ધર્મ મૂર્તિપૂજા અને તે સંગત પ્રથાઓનો વિરોધ કરે છે.આખરે ધર્મે પોતાનું અસલિયતપણું(દંભીપણું) બતાવતા પારકી પ્રજાને ધાર્મિક ગુલામ બનાવવા પોતાના સિધ્ધાંતો સાથે સમાધાન કર્યું. (જો કે કેટલાક ચુસ્ત કેથલિક સંપ્રદાયો નાતાલની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકે છે.)

હાલમાં નાતાલ એક વૈશ્વિક તહેવાર તરીકે ઉજવાય છે અને ઘણો ખરો બિનસામ્રદાયિક બની રહ્યો છે.વળી, આ તહેવારનું સૌથી વધુ વ્યાપારીકરણ પણ થયું છે.દિવાળી પણ આ જ માર્ગે ધીમી પણ મક્કમ ગતિએ વધી રહી છે.

એથિએસ્ટ બ્લોગ: "ક્રિસ્મસ એ પેગાન હોલીડે" પરથી
ફોટોલાઇન:- "જેમને પણ ખ્રિસ્તી બનવું હોય તેમને તર્ક-બુદ્ધિ ની આંખો બહાર ફેંકી દેવી.બધા ખ્રિસ્તીઓમાંથી તર્કનો નાશ કરવો જોઈએ."-ઈસાઈ ધર્મશાસ્ત્રી "માર્ટિન લ્યુથર"


મેરી "મિથ"મસ

- રુશાંગ બોરીસા