November 05, 2020

"મહેશ નરેશ" ની સફળતા અને "જાતિ"

  By Vijay Makwana  || 30 October 2020


સિનેમા એ શેરી નાટકો અને નાટક મંડળીઓ તથા ભવાઈ નું આધુનિક રૂપ છે. ભવાઈ એ એક જમાના નો અસ્પૃશ્ય ધંધો છે. બોલીવુડ ઢોલીવુડ ટોલિવુડ નો ઇતિહાસ તપાસી લો.. ઉચ્ચવર્ણના લોકો આ વ્યવસાયમાં આવતા તો સમાજમાં ખૂબ ખરાબ ચર્ચા થતી. એક અસાઈત બ્રાહ્મણ ને નાટક માં ભાગ લેવા બદલ ન્યાત બહાર મુકાયેલ.. જેણે ઘણા ભવાઈ ના નાટકો લખેલા..  નરેશ અને મહેશ માટે તે વખતે સરળ અને સહેલું હતું સફળતા મેળવી લેવાનું.. અને આમેય નરેશ મહેશ પહેલાં કાનજીભાઈ નામના ગુજરાતી ફિલ્મ નિર્દેશક મૌજુદ હતા.. અનુ. જાતિ માં આવતી નાયક અને બીજી જાતિઓનો આ મૂળ વ્યવસાય હતો.. સવર્ણો એ 50 ના દસક બાદ આ ધંધામાં નાણાં અને કીર્તિ જોઈ એટલે ઘૂસણખોરી કરી..

40 ના દસકામાં તો આખા ભારતમાં કોઈ સ્ત્રી નાટક કે ફિલ્મ ની હિરોઈન થવા તૈયાર નહોતી. ત્યાં સુધી તો પુરુષ જ હીરો અને હિરોઈન બનતો હતો.. આ ચાલીસના દસકામાં જ મહેશ અને નરેશ નો નવજાત બાળકો તરીકે જન્મ થયો હતો.

ગાવું અને વગાડવું, લોકોનું મનોરંજન કરી પેટિયું રળવા નો મૂળથી જ દલિતોના બાપ દાદા નો અસ્પૃશ્ય ધંધો હતો. એટલે એમાં મહેશ નરેશ સફળ થાય જ.. જાતિવાદ દૂર થયો નહિ જાતિ બરકરાર રહી એમ સમજો!

સાલિયાણું "પ્રિવી પર્સ"

 By Vijay Makwana  || 31 October 2020


સાલિયાણું આપી રાજાઓને રાજકાજમાંથી ફરજિયાત મુક્તિ આપી મહેલો માં બેસાડી દેવા એ 600 વરસ પહેલાંની વિલીનીકરણ ની જૂની પદ્ધતિ ની બ્રિટને ખોજ કરેલી. ડચ લેન્કશાયર, ડર્બી શાયર, યોર્ક શાયર, વેલ્સ વિગેરે મળી વીસેક પરગણાનું વિલીનીકરણ કરી ત્યાંના રાજાઓ, રાણીઓ, કુંવરો ને સાલિયાણું એટલે કે પ્રિવી પર્સ આપી દેવાયું..વધુમાં આશરે 45000 એકર કિંમતી જમીન પણ રિઝર્વ આપી.. જેમાંથી બીજા ખર્ચાઓ પણ નીકળે! બ્રિટનમાં તો આજે પણ સાલિયાણું અપાય છે.

જર્મનીનો બિસ્માર્ક એ બાબતે માઈલ સ્ટોન કહેવાય.! પાક્કો રાષ્ટ્રવાદી! જૂની પદ્ધતિ અને જૂના ડ્રાફ્ટિંગ મુજબ કામ જ ના કર્યું.. એવી કોઈ સ્કીમ જ નહિ! રાજાઓ ઉમરાવો ને કશુંજ આપવાનું ના હોય પ્રજા છો પ્રજાની જેમ રહેવાનું.. સદીઓ સુધી તમારા ઝલસા અને મહત્વાકાંક્ષા માટે પ્રજાના હાડ માંસ તો ચૂસ્યાં.. 

હવે નહિ!