July 30, 2019

દુ:ખ વિશેના લોકોમાં બે જુઠ્ઠા અને ભ્રામક વિચારો

By Vijay Makwana  || 26 July 2019




(૧) સમય મોટામાં મોટા દુ:ખનો ઇલાજ છે.

પણ ખરેખર થાય છે એવું કે, દુ:ખ આપવાવાળી ઘટના અને તેની સ્મૃતિઓથી ઘેરાયેલાં તમારા મન ઉપર કેટલાંય નવા વિચારો અને નવી સ્મૃતિઓની ચાદર ચડી જાય છે. પરંતુ દુ:ખ તો ત્યાંનું ત્યાં જ મૌજૂદ હોય છે. આરામથી તે જે જગાએ છે ત્યાં બેઠું હોય છે. સમય વિતતો રહે છે તેની સાથે તમારા અવચેતન મનનો તે હિસ્સો બની જાય છે. અને ત્યારબાદ તે અઘટિત અભિવ્યક્તિ અથવા વિકૃત અભિવ્યક્તિના સ્વરુપે તમારામાંથી બહાર નિકળે છે.

(૨) બીજો જુઠ્ઠો અને ભ્રામક વિચાર એ છે કે, દુ:ખ વહેંચવાથી ઓછું થાય છે.

વાસ્તવમાં એ હકિકત ખરી નથી. બે-ચાર, કે દસ-બાર દુ:ખી લોકો સાથે મળીને કોઇ એકને સુખી નથી બનાવી શકતાં. ત્યાં માત્ર દુ:ખને ખંજોળવામાં આવે છે. દુ:ખને વલુરવામાં આવે છે અને દુ:ખ હોય છે તેના કરતાં વધું ફેલાઇ જાય છે. દુ:ખ વહેંચવાથી ઓછું થયું તેવો ભ્રમ પેદા થાય છે. દુ:ખ વહેંચવાની આ આદત ચાલું રહે તો આગળ જતાં તે પોતાની જાત પ્રત્યે દયા મેળવવાની વૃતિ એટલે કે, આત્મદયાની વૃતિ માણસમાં બળવતર બનશે.

તેથી જ તથાગત બુદ્ધે કહ્યું છે. દુ:ખનું કારણ હોય છે. તે સમજવું ખૂબ જરુરી છે...પછી કારણ ખતમ કરો તો તે દુ:ખ પણ ખતમ..

ખૈરલાંજી હત્યાકાંડ, 2006 (24/05/19 સુપ્રીમ કોર્ટનો ચુકાદો)

By Vishal Sonara || 29 July 2019




29 સપ્ટેમ્બર 2006 ના રોજ મહારાષ્ટ્ર ના ખૈરલાંજી મા બનેલ જઘન્ય હત્યાકાંડ પર સુપ્રીમ કોર્ટે ના જજ અરૂણ મિશ્રા, ભૂષણ આર ગવઈ અને સુર્ય કાંત ની બેચનુ એવુ તારણ છે કે તે હત્યાકાંડ જાતિવાદ ના લીધે નહી પરંતુ આપસી અણબનાવ ના કારણે બન્યો હતો તેથી તેના ગુનેગારોને ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા મળવા પાત્ર છે.
આજકાલ મોબ લિંચીંગની ઘટનાઓ પર લોકો ખૂબ વાત કરી રહ્યા છે ત્યારે તે લોકોઅે જાણી લેવુ જોઈએ કે જેને તમે આજે દેશ માટે નુકસાનકારક ગણી રહ્યા છો તે મોબ લિંચીંગ આ દેશમાં જાતિવાદ ને કેંદ્રમા રાખીને જોઈઅે તો અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો સાથે હજારો વર્ષોથી થઈ રહ્યુ છે. એવો જ એક કિસ્સો છે આ ખૈરલાંજી હત્યાકાંડ.



હત્યાકાંડ ની વિગતો :-
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા ના ખૈરલાંજી ગામે તારીખ 29 સપ્ટેમ્બર 2006 ના રોજ સાંજના સમયે જાતિગત ધ્રુણા થી અેક ખૂની ખેલ ખેલાયો હતો જેમા અેક અનુસૂચિત જાતિના ભોતમાંગે પરિવારના ચાર વ્યક્તિઓની સાથે કલાકોના કલાકો સુધી અત્યાચારો થયા અને અંતે તેઓ ચારેય મૃત્યુ પામ્યા.
સુરેખા ભોતમાંગે (ઉમર 45), તેમની દિકરી પ્રિયંકા (17), બે દિકરા રોશન (21) અને સુધીર (23) આ મોબ લિંચીંગ નો ભોગ બન્યા હતાં. પોતાની માલિકીની જમીન પર ગામના અન્ય લોકો અવૈધ કબ્જો કરવા માંગતા હતા તેનો ઝઘડો ચાલતો હતો. ખૈરલાંજી ગામમાં 800 ની વસ્તી હતી, કણબી અને કલાર અેમ બે મુખ્ય ઓબીસી જાતિઓ અને થોડા આદિવાસીઓની વસ્તી હતી જ્યારે અનુસૂચિત જાતિના ફક્ત ત્રણ જ પરિવાર ત્યા વસતા હતા.
29 સપ્ટેમ્બર 2006 ની સાંજે ભોતમાંગે પરિવાર ના ચારેય સભ્યોને ગામના કહેવાતા ઉચ્ચ હિંદુઓએ ટોળામાં ભેગા થઈને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા તથા નિર્વસ્ત્ર કરીને ગામ આખામાં પરેડ કરાવી. બંને દિકરાઓને માર મારીને માતા તથા પુત્રી સાથે સંભોગ કરવા માટેની ફરજ પાડવાની કોશિશ કરવામાં આવી જ્યારે તેઓએ સામો પ્રતિકાર કરતા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા તથા ચારેય વ્યક્તિઓને ખૂબ પ્રતાડીત કરવામાં આવ્યા અને અંતે હત્યા કરીને ગામની નજીકમાં આવેલી એક કેનાલમા ફગાવી દેવામાં આવ્યાં.

કુટુંબના મુખ્ય સભ્ય ભૈયાલાલ ભોતમાંગે હાજર ન હોવાથી બચી ગયા હતા. તેઓ ન્યાય ની લડત આપતા આપતા જાન્યુઆરી 2017 મા મૃત્યુ પામ્યા હતા.

કોર્ટ મેટર :-આ બનાવમા પોલીસ દ્વારા 47 લોકોને પકડવામાં આવ્યા હતાં તેમાંથી 11 લોકો ને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં અને બાકીના ને છોડી મુકાયા હતા. કોર્ટ - હાઈકોર્ટ ના અવનવા ચુકાદાઓના અંતે તે 11 માંથી 4 નરાધમોને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે તે સજાને ફાંસી ને બદલે ઉમરકેદ મા બદલી નાખી. તેની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી જેને હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દઈને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.

હવે, સુપ્રીમ કોર્ટના મીલોર્ડ માનવા તૈયાર નથી કે આ હત્યાકાંડ જાતિવાદી માનસિકતા ના પરિણામે બન્યો હતો. જ્યારે તેઓએ તો બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કડકમાં કડક સજા આપવી જોઈતી હતી.



ફેસબુક પોસ્ટ :-


July 20, 2019

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં બાબાસાહેબના સૂત્રને જ બદલી નાંખ્યું..!!!

By Raju Solanki  || 20 July 2019






ધોરણ પાંચના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં 76મા પાને 13મો પાઠ ‘ભારતરત્ન: ડો. આંબેડકર’ છે. તેના લેખિકા હાસ્યદા પંડ્યા છે. આ પાઠમાં, જાણતા કે અજાણતાં, એક મોટી ભૂલ કરવામાં આવી છે કે પછી થઈ ગઈ છે. 

લેખિકા લખે છે, “બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે: ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે.’ ....”

બાબાસાહેબે આવું કોઈ સૂત્ર ક્યારેય આપ્યું હોવાનું મારી જાણમાં નથી.

6 મે, 1945ના રોજ મુંબઈમાં ઓલ ઇન્ડીયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને સંબોધતી વખતે બાબાસાહેબે આ સૂત્ર આપેલું અને ‘કોમી મડાગાંઠ અને અને તેનો ઉકેલવાનો માર્ગ’ ગ્રંથમાં આ ભાષણનો સમાવેશ થયો છે. એની સો ટકા અધિકૃત ટેક્સ્ટ નીચે મુજબ છે,

“There is a lamentable lack of resources at our command. We have no money. We have no press. The crudest of tyrannies and oppressions, to which our people are subjected, day in and day out all over India, are never reported by the Press. Even our views on social and political questions are systematically suppressed by an organized conspiracy on the part of the Press. We have no funds to maintain a machinery, to render help to our people and to educate, agitate and organize them.”

ભારતીય ખ્રિસ્તી સમુદાયના સંદર્ભમાં પણ બાબાસાહેબે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે, જે નીચે મુજબ છે,

“The Indian Christians are living in sheltered waters. They are, at any rate, a large majority of them are living in the laps of the missionaries. For their education, for their medical care, for religious ministration and for most of their petty needs they do not look to Government. They look to the Missions. if they were dependent upon Government they would be required to mobilize, to agitate, educate, and organize their masses for effective political action.”

આમાં, ક્યાંય સ્વાવલંબન જ સાચી સહાય છે, એવું બાબાસાહેબે કહ્યું નથી. બાબાસાહેબે સંઘર્ષ કરવાની, લડવાની, આંદોલન કરવાની વાત કરી છે. હાસ્યદા પંડ્યા આવું હાસ્યાસ્પદ સૂત્ર ક્યાંથી લઈ આવ્યા હશે? બાબાસાહેબના એક અત્યંત જાણીતા સ્લોગનને તોડી મરોડીને આવી રીતે રજુ કરવાનું એમને કોણે કહ્યું હશે? એમણે પોતાની વિવેકબુદ્ધિથી આવો ફેરફાર કર્યો હોય તો આવું કરવાનો એમનો કોઈ અધિકાર જ નથી.

સુભાષચંદ્ર બોઝે “તુમ મુઝે પૈસા દે દો, મૈં તુમ્હે આઝાદી દુંગા,” આવું કહેલું? કોઈ પાઠ્યપુસ્તકમાં આવું છપાય તો કેટલો ઉહાપોહ થાય? ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે પ્રજા આંદોલન કરે, સંઘર્ષ કરે અને એટલે આવું ક્યાંય બાબાસાહેબે કહેલું હોય તો એને પણ તોડી મરોડીને રજુ કરો એવો વણલખ્યો આદેશ બહાર પાડ્યો હોય એવું બની શકે.

ગુજરાતના આંબેડકરવાદીઓએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે તેઓ એક મૃતપ્રાય થઈ રહેલી પ્રજાતિ છે. આટલી મોટી ગરબડ થઈ છે અને આંબેડકરવાદીઓ ઠંડે કલેજે બેઠા છે.

- રાજુ સોલંકી (20 જુલાઈ, 2019)




FB