Showing posts with label Vijay Jadav. Show all posts
Showing posts with label Vijay Jadav. Show all posts

July 21, 2017

આંબેડકરવાદ એટલે આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ

By Vijay Jadav


હુ ધીમી પરંતુ મક્કમ ગતિએ વિચારધારા ઉપર ચાલનાર છુ.
બે પાસા વિચારવાના છે.
એક જાતિવાદ સામેની લડાઇ અને બીજી ગરીબો અને મજુરો ના શોષણ સામે ની લડાઇ.
તમે ગમે કેટલા આંદોલન કરી લો, અમીર વર્ગ અને ગરીબ વર્ગ તો રહેવાના રહેવાના અને રહેવાના જ.
બ્રાહ્મણ પણ ગરીબ હોય છે અને દલિત પણ ગરીબ હોય છે.
વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલ કામ મુજબ બ્રાહ્મણ ગમે તેટલો ગરીબ હશે તે અમીર ના ઘરે કોઇ પ્રસંગમાં જશે તો એને બીજા તમામ મહેમાન જેટલુ અથવા એનાથી પણ વધુ માન સન્માન મળશે.
જ્યારે દલિત એનુ કામ કરવા જશે તો તેને હંમેશા અપમાન અને તિરસ્કાર જ મળશે. આ #જાતિવાદ ને લીધે છે નહી કે અમીરી કે #ગરીબી ના લીધે.

બીજા અનગીનત કીસ્સાઓ છે જેમ કે બહેન માયાવતીએ 2007 માં મુકેશ અંબાણી કરતા પણ વધુ ટેક્સ ભર્યો હતો તેમ છતા અમીર તરીકે નુ બહુમાન ના મળતા ફક્ત દલિતોની નેતા બની ને રહી ગયા.
માંઝી મુખ્યમંત્રી હોવા છતા મંદિર માં ગયા બાદ મંદિર પરિસર નુ શુદ્ધીકરણ કરવામાં આવ્યુ હતુ.
બાબુ જગજીવન રામ પાસે એ સમયે 600 કરોડ ની પ્રોપર્ટી હતી તેમ છતા દલિત ના દલિત જ રહ્યા
શિવાજી ને રાજ્યાભિષેક કરવા વાળો ગરીબ બ્રાહ્મણ હોવા છતા તેણે તેના પગ ના અંગુઠાથી તીલક લગાવેલ..!
હમણા કાલે જ બનેલ રાસ્ટ્રપતિ દલિત રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવા લાગ્યા છે!

એટલે કે તમે દલિત તરીકે ગમે તેટલા અમીર અને સ્ટેટસ કે ગમેતેટલા પાવર વાળા બની જાવ તમે આખરે #દલિત જ રહેશો.. જાતિવાદ તમારો પીછો નહી છોડે,
એટલે આપણી આ લડાઇ જાતિવાદ સામે ની લડાઇ છે.
જો કોઇ તમને કહેતુ હોય કે તમે ગરીબ છો એટલે તમારી સાથે જાતિવાદ રાખવામાં આવે છે,  તો તમને કોઇ મુર્ખ બનાવી રહ્યુ છે. હવે તમને એ કેમ મુર્ખ બનાવી રહ્યા છે?  એ તમારે જાતે તર્ક કરી શોધવાનુ છે.  હુ કહુ એનો પણ વિશ્વાસ કરવાનો નથી.

આપણે આઝાદી પહેલા જે સ્થિતિ નાં હતા તેના કરતા હાલ તો સારી સ્થિતિ માં પહોંચી ગયા છીએ. બાબાસાહેબે પહેલાથી જ કહ્યું છે કે ગામડા છોડી શહેરોમાં વસો, ત્યા તમારી સ્થિતિ સુધરશે અને જેટલા પણ વ્યક્તિઓ ગામડા છોડી શહેરોમાં વસ્યા છે એ તમામ ની સ્થિતિ ગામડાના દલિતો કરતા સારી જ છે.
અત્યારે RTE એક્ટ મુજબ સારી સ્કુલોમાં બાળકોને ભણાવો શહેરો તરફ તમામને લાવવા પ્રયત્નો કરો. તમારી તાકાત પણ વધશે. વંશ પરંપરાગત ધંધા છોડી બીજો વ્યવસાય, નોકરી પકડો તમે નહી તો તમારી આવનારી પેઢી માં ચોક્કસ પરિવર્તન આવશે.
આપણે છેલ્લા પાંચ હજાર વર્ષ થી ગુલામી માં જીવી રહ્યા છીએ તો તાત્કાલિક આખો સમાજ આગળ નહી આવી જાય, સમય તો જશે જ.
હુ માનુ છુ કે કારણ વગર આપણુ અમુલ્ય યુવાધન વેડફવાની જરુર નથી.
એનો મતલબ એ પણ નથી કે ગામડામાં ક્યાંય અત્યાચાર થાય તો આપણે બેસી રહેવાનુ.... ના કદાપી નહી .. ત્યારે પુરી તાકાતથી ઉતરી પડવાનુ, થાનગઢ, ઉનાકાંડ, વેમુલા
કાંડ, સબુત છે આપણે પાછા નથી પડતા.

યાદ રાખજો આઝાદી બાદ તમારી સ્થિતિ માં જે કોઇ ફેરફાર આવ્યો છે એ માત્ર અને માત્ર બાબાસાહેબ તથા બંધારણમાં તમને આપેલ હક્કો ના પ્રતાપે છે.  અને હજી સુધી પુર્ણ બંધારણ લાગુ નથી. કારણકે મનુવાદી તાકતો તે લાગુ થવા દેતા નથી.  તમારી લડાઇ તમારી ગરીબી માટે નથી. તમારી લડાઇ તમારા આત્મસન્માન, ગૌરવ, અને એકસમાન પ્રતિનીધિત્વ મેળવવાની ની લડાઇ છે.
ગરીબો દરેક સમાજ, દરેક ધર્મમાં,  દરેક દેશમાં છે. ગરીબી હટાવવા, ગરીબોને ઉપર લાવવા સરકાર ની ઘણી સ્કીમો ચાલે છે. તેમના શોષણ અને અન્યાય સામે કાયદા મજબુત બનાવાય એવુ ઇચ્છીએ.

બાબાસાહેબે આપેલ અમુલ્ય સુચન ને સમજવા પ્રયત્ન કરીએ.

#શિક્ષિત બનો,  ગામડામાંથી બહાર આવી જશો.
બહાર આવી #સંઘઠીત થાવો.. જે શહેરોમાં ધીરે ધીરે દેખાઇ રહ્યુ છે ..
ત્યાર બાદ શોષણ સામે #સંઘર્ષ કરો.
તમારી જીત તમારી સામે જ હશે.

#વિજય_જાદવ

#જય_ભીમ

July 16, 2017

સમરસતા ઢોંગ છે, સમાનતા જ સચ્ચાઇ છે : વિજય જાદવ

By Vijay Jadav


જાતિવાદ એટલે શુ?
શુ એક જાતિ ના વ્યક્તિ બીજી જાતિ પ્રત્યે અસ્પ્રુશ્યતા અથવા આભડછેટ રાખે તે એક માત્ર કારણ ને જ જાતિવાદ કહેવાય?
જવાબ છે : ના.


  • જાતિ જોઇને મંદિરમાં પ્રવેશ આપવા દેવો,
  • કોઇના અડકવાથી અભડાઇ જવુ,
  • પોતાની જાતિ પ્રત્યે અહમ રાખવો,
  • પોતાની જાતિ ને ઉચ્ચ ગણાવી,
  • બીજી જાતિ ના વ્યક્તિ સાથે લગ્ન સબંધ ના બાંધવો
  • જાતિ જોઇને જ લગ્ન સબંધ બાંધવો,
  • જાતિ જોઇને મિત્રતા બાંધવી
  • બીજી જાતિ ના વ્યક્તિ જોડે ધંધાકીય ભાગીદારી ના કરવી,
  • બીજી જાતી ના વ્યક્તિને નોકરી એ ના રાખવો,
  • બીજી જાતિ ના વ્યક્તિને જાતિ જોઇને માર્ક્સ આપવા,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇને નોકરી માટે પસંદ કરવો,
  • બીજી જાતિના વ્યક્તિના જુથ જોડે કોઇ પણ પ્રકાર નો ભેદભાવ રાખવો,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ મારઝૂડ કરવી,
  • બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ સ્થાન આપવુ,
  • બીજી જાતિના વ્યક્તિને તમારા કરતા ઓછા ગુણ, હોવા છતા વધુ માન સન્માન, મોભો આપવો.
  • જાતિ જોઇને બીજી વ્યક્તિને ફેસીલીટી ઓછી વધ્તી આપવી,
  • જાતિ જોઇને ઝગડો કરવો,
  • જાતિ જોઇ મકાન વેચાણ કે ભાડે આપવુ,
  • જાતિ જોઇ રમત-ગમત માં મોકો આપવો,
  • જાતિ જોઇને પ્રમુખ બનાવવા,
  • જાતિ જોઇને પક્ષમાં ટીકીટ આપવી,
  • જાતિ જોઇ મંત્રી કે પ્રધાન બનાવવા,
  • જાતિ જોઇ જજની નીમણુંક કરવી,
  • જાતિ જોઇ બદલી કે બઢતી આપવી.......


આ તમામ માંથી કોઇ પણ તમારી સાથે જો બનતુ હોય તો એ જાતિવાજ જ ગણાય.

યાદ રાખજો સમરસતા ઢોંગ છે,  સમાનતા જ સચ્ચાઇ છે.

#જાતિવાદ_મુર્દાબાદ

#વિજય_જાદવ

Twitter Post:-

June 23, 2017

જો રામ અને કૃષ્ણ ઇતિહાસમાં ભણાવાય તો વીર મેઘ માયો કેમ નહી?

By Vijay Jadav
વીર મેઘ માયો કોઈ દંતકથા નથી. ઇતિહાસની ગર્તામાં ધરબી દેવામાં આવેલી સત્ય ઘટના છે.
૧૮૬૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે માયાના બલિદાનને પ્રમાણભૂત ઇતિહાસ તરીકે સ્વીકારીને ગ્રંથ તૈયાર કરાવેલો. એમ. એસ. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં 'સતીનો શ્રાપ અને માયાનું બલિદાન' પ્રકરણ સામેલ થયું. આ પ્રકરણને કાઢી નાંખવા અવાર નવાર રજુઆતો થતી. છેલ્લે ૧૯૧૬મા સર મનુભાઈ નંદશંકર વડોદરાના દીવાન હતા ત્યારે યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓએ આ પ્રકરણ કાઢી નાંખવા ફાઇલ તૈયાર કરેલી. પણ, ગુજરાતની પ્રથમ નવલ 'કરણઘેલો'ના લેખક નંદશંકરના પુત્ર મનુભાઇએ આ માગણી નકારી કાઢી હતી. આઝાદી પછી આ પ્રકરણ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું.

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના ઇતિહાસના અભ્યાસક્રમમાં આ પ્રકરણ ફરી સામેલ કરવા આજે Raju Solanki ની આગેવાની માં અમદાવાદની કલેક્ટર ને આવેદન પત્ર આપ્યુ.

જેમાં તેમની સાથે હુ Vijay Jadav, Arun Patel, Pragnesh Leuva, Yogesh Gautam, Suresh Chauhan, Nishith Chavda, તથા સાથી મિત્રો
હાજર રહ્યા હતા.

ઇતિહાસ માં ધરબી દેવાયેલ તમામ સમાજ સુધારકો વિશે આપણે જાણવુ જરુરી છે.
દરેક મિત્રોને વિનંતિ કે પોતાના વિસ્તારના કલેક્ટર શ્રી ને આ મુજબ નુ આવેદન પત્ર આપે.








Facebook Post :-

June 18, 2017

क्या ईंसानको जिवन जीने के लिए धर्म की जरुरत है??? : विजय जादव

हमारी धरती मतलब पृथ्वी पहले आगका गोला थी,
ठंडा होने मे उसे लाखो साल लगे। बहोत सारी सायंटीफीक थीयरी है उस मे।
और कई लाख वर्ष बीतने के बाद ईंसान की उत्पत्ति हुई!

पहले का ईंसान आदिमानव कहलाता था।
जो जीवन जीने के लिए सीर्फ और सीर्फ शिकार पर निर्भर रहता था। धीरे धीरे उसने जिंदगी को और मजे से जीने के लिए नयी नयी खोज की।
जंगलोमे गुफाओमे घुमता फीरता आदमी अब घर,  नगर,  प्रदेश बनाकर एक जगह रहने लगा, और सभ्यता का नीर्माण करने लगा।
उसने अपनी जिवन जीनेकी पद्धति का निर्माण कीया जो आगे चलकर संस्कृति कहलाई।
अलग अलग प्रदेशो के ईंसान ने अपनी अपनी  संस्कृति और रोजमर्रा के जीवन को ध्यानमे रखकर नियम बनाए।
उसपर कुछ जाग्रुत व्यक्तिओने अपने सदविचार प्रस्तुत कीये। जैसे की जीसस, मोहम्मस पयगंबर साहब, गौतम बुद्ध और कई लोगो ने वह इंसान ही थे। और इतीहास पर नजर करे तो हमे ये प्रतीत होगा की और भी ऐसे कई लोग होंगे पर आज हम उन के बारे मे जानते नही है उन को भुला दीया गया है या तो उनका नाम गुम कर दीया गया है बौध्धीक आतंकवादीओ के द्वारा।
कुछ चालाक व्यक्तिओने ऐसे सभी नीयमो और सदविचारो को धर्म मे परिवर्तित कर दीया!!!
चालाक ईंसानो की चालाकी सालो बाद धूर्तता मे परिवर्तित होती रही!
धर्म से भगवान, जीसस, अल्लाह और सब मीथको का निर्माण हुआ!

चालाक लोगोने अच्छे लोगोके अच्छे  विचारो को और मुल हेतुओ को नस्ट कर दिया।  उनका संदेश लुप्त होता गया और इस के कारण आज हम पुरे विश्व मे जो परिस्थिति है उस को देख सकते है।

जीस ईंसान ने अपने व्यवहारु जिवन जीनेके हेतु धर्म का निर्माण कीया था, आज वो उसी धर्म का मानसिक और शारीरिक गुलाम बन गया है।
घर्म पहले जाग्रुत इंसानो के विचार थे दीन प्रतीदीन उसमे नशा जोडा गया और लोगो को अंध बना लीया गया ताकी चालाक लोगो पर कोइ प्रश्न न खडे करे और उनका अपना स्वार्थ सीध्ध होता रहे।
सब अपने अपने हीसाब से धर्म को तोड मरोडने लगे।  चालाक लोगो ने अपनी धूर्तता का बखुबी इस्तेमाल कीया और अपनी ख़ुदग़रज़ी ना छोडी। धर्म मे मानने वाले भोले लोगो को इतना अंध बना दीया गया की उस को खुद का धर्म ही अब सबसे श्रेष्ठ लगने लगा।
पुरे विश्व मे इस अंध मानसीकता के कारण बहोत सा खुन बहा है और आज भी हम देख ही रहे है के क्या हालात है।
क्या धर्म अब ईंसान की जरुरत बन गया है?

ईंसान को जीनेके लिए धर्म की कोई जरुरत नही
मगर धर्मको खुदकी रक्षा के लिए ईंसान की जरुरत है!!!
अगर कुछ अंधे लोगो को हाथी के पास ले जाओ तो वो लोगो के हाथ मे जो आयेगा उसे ही वो हाथी मानने लगेगे। धर्म का भी ऐसा ही है....

-विजय जादव


(Created By Vishal Sonara)

June 17, 2017

क्यों पाप धुलने का लालच दे कर हर साल करोडों लोगों को मूर्ख बनाया जाता है?

शास्त्र कहते है गंगा मे डुबकी लगानेसे सारे पाप धुल जाते है!!!

अगर ऐसा है तो सरकार गुनहगारोको जैल भेजकर कैदी बनाकर सजा देनेका फोगट का खर्चा क्यो करते है?
वहा भेजकर डुबकी मरवा देनेकी!
जीसके पाप धुल जाएंगे वो बाहर आ जाएगा!!!

 क्यों पाप धुलने का लालच दे कर हर साल करोडों लोगों को मूर्ख बनाया जाता है? ये अन्धविश्वासी लोग, गंगा किनारे बैठे पण्डित और पुजारियों को अपनी मेहनत से कमाई हुई रकम दे कर चले आते हैं.

        अगर सच में पाप नहीं धुलते हैं तो जो पण्डित और पुजारी गंगा में डुबकी लगवाते हैं, पूजा पाठ करवाते हैं और इसके बदले में मोटी रकम वसूलते हैं, वो उपभोक्ताओं के साथ धोखा-धडी कर रहे हैं, उपभोक्ताओं को वह सामान बेचा जा रहा है जो वास्तव में काम ही नहीं करता, उपभोक्ताओं के पाप ही नहीं धुल रहे. और मन्त्रों का क्या? मंत्र पाप से मुक्त नहीं करते,   यदि नहीं करते तो पढ़े क्यों जाते हैं?

अब अगर समर्थन में ये कहा जाये कि बड़े पाप नहीं धुलते, छोटे पाप धुले जा सकते हैं तो फिर अभी तक वो लिस्ट क्यों नहीं जारी की गयी जिसमे ‘’धुले जा सकने वाले’’ और ‘’ना धुले जा सकने वाले’’ पापों का विवरण हो. इससे पापी लोग वो लिस्ट देख कर ‘’गंगा नहाने’’ और ‘’ना नहाने’’ का निर्णय कर सकते हैं. इससे उपभोक्ताओं के हितों का संरक्षण होगा. इससे एक अन्य फायदा और होगा, ऐसे पापों को, जिन्हें गंगा में नहा के धोया जा सकता हो उन पापों से सम्बंधित मुकद्दमों को न्यायालयों में स्वीकार ही ना किया जाये. ऐसे पापियों को गंगा में नहला कर दोषमुक्त कर दिया जाये. इससे न्यायालयों के ऊपर मुकद्दमों का बोझ भी काफी हद तक कम होगा.

        अब एक प्रश्न और उठता है कि अगर गंगा में छोटे मोटे पाप धोए जा सकते हैं तो फिर पाप करने में हर्जा क्या है, फिर भय कैसा? लिस्ट में धोए जा सकने वाले पापों को देखिये और साल भर खूब पाप कीजिये, अन्त में जा कर गंगा नहा लीजिए, और स्वर्ग का आनंद लीजिए.

        और अगर गंगा नहाने से पाप नहीं धुले जा सकते थे तो ये पाखण्ड क्यों सैकड़ों वर्षों से चल रहा है? इस अन्धविश्वास पर लगाम कब लगेगी?

- विजय जादव



June 11, 2017

શુ આ સમાજ ની સેવા છે કે પક્ષ ની ગુલામી??? : વિજય જાદવ

માનનીય ( નથી રહ્યા પરંતુ ના છુટકે કહેવુ પડે છે) આત્મારામ પરમાર સાહેબ શ્રી,

ડો. બાબાસાહેબ આંબેડકર જે ગદ્દારો વિશે કહી ગયા એ લીસ્ટમાં તમારો ઉમેરો કેમ ના કરવો?

ડો. બાબાસાહેબ આંબેડકરે જે આખી જીંદગી સમાજ ના ઉદ્ધાર માટે વેડફી નાખી અને બંધારણમાં સમાજને અનામત નામનો હક આપતા ગયા. એ હક ના કારણે તમે આજે ધારાસભ્ય બની શક્યા છો. એમની રાહે ચાલવાનુ તો કોષો દુર મુકીને તમે એમનાથી વિપરીત દીશા પકડી છે. જે અંધશ્રદ્ધા ના કારણે સમાજ આજે પણ પછાત છે એ જ તમે ફેલાવવામાં મદદ કરી રહ્યા છો. તમને આ કેવી રીતે શોભે? તમને એક કેબિનેટ મંત્રી થઈને અંધશ્રદ્ધાને પોષવાનું કાર્ય કરતા સહેજ પણ શરમ નથી આવતી?
તમને આ પદ શુ ભુવા બોલાવી ડાકલા વગાડવા મળ્યુ છે?

એક ભુવા ને આ વર્ષે આંબેડકર એવોર્ડ મળ્યો એ કોના ઇશારે મળ્યો એ હવે સમજ પડી. બાકી આંબેડકર એવોર્ડ જેવો પ્રતિસ્ઠિત એવોર્ડ એક ભુવાને મળે એ વાત મારા ગળે જરા પણ ઉતરી ન હતી.

તમને કદાચ ખ્યાલ નથી રહ્યો કે આ ભુવા સમાજ માં અંધશ્રદ્ધા ફેલાવાનું કાર્ય કરી રહ્યાં છે અને ભારતીય સંવિધાન પ્રમાણે અંધશ્રદ્ધા ફેલાવવી એ એક ગુનો છે અને તમે એ કાર્યને પ્રોત્સાહન આપી રહ્યાં છો !
તમે સમાજ કલ્યાણ જેવુ મહત્વનુ ખાતુ સંભાડી રહ્યા છો અને આ રીતે તો ખરેખર સમાજ નુ કલ્યાણ થઇ જ જશે એ નક્કી!!!

આપ સમાજ ના એક પ્રતિનીધિ રુપે ધારાસભ્ય બની ને બેઠા છો. એ એક માત્ર ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન ની મહેરબાની ને કારણે. અને તમે સમાજની સેવા કરવાને બદલે ફક્ત આપના પક્ષ ની ગુલામી જ કરી રહ્યા છો.
તમને એમ હોય કે તમને તમારી પોતાની લાયકાત ના કારણે આ જગ્યા મળી છે તો એ ભુલી જજો.
આવનારી ચુંટણીમાં પોતાના પક્ષ જોડે જનરલ સીટ ઉપર ઉમેદવારી માંગી જોજો, પછી તમારો માનીતો પક્ષ તમને ક્યા લડાવે છે એ ચકાસી જોજો!!!

હજી પણ સમાજ પ્રત્યે જરાપણ લાગણી બચી હશે તો આપ બાબાસાહેબે આપેલ રૂણ અદા કરશો એવી આશા.

- વિજય જાદવ




Facebook Post :-

May 28, 2017

विभीषण कितना भी बडा रामभक्त क्यो न हो, जाना आज भी उसे गद्दार की तरह ही जाता है : विजय जादव

और कीतना मुर्ख बनोगे?
अब तो अपना तर्क लगाओ....
तर्क को भी कसौटी पर लगाओ...
दीखावे पर मत जाओ...!!!
आप रास्ते पर चल पडे है, आपको मुश्किल भी पड रही है!आप अपनी मंजिल तक पहुँचने ही वाले होते है तो आपके दुश्मन आपसे छल करके आपको दुसरे रास्ते भेजनेका प्रयास करेंगे!
आपको बहला फुसलाकर,  लोभ लालच देकर बताया जाएगा की दुसरा रास्ता ही आपके लिए सही है!

कई बार आपके ही लोगोको आपके खिलाफ खडा कीया जाएगा! हा और वो नादान लोग ये तक नही जानते की उनको अपने ही लोगों के खिलाफ जाकर उनको पीछे ढकेलने की शाजिश रचाई गई है!
वे अलग रास्ते पर चल पडेंगे और सबको यकीन दिलायेंगे की मेरे पीछे आ जाओ,  मै आपको मंजिल तक पहुँचने मे सहायक बनुंगा। पर असलमे वो रास्ता आपको और पीछे ढकेलने वाला होता है!

वे मुर्ख है पर आप तो नहीं ना?


आपको समजाया जाएगा की दुसरे रास्ते पर जाएंगे तो आपको अपनी मंजिल बहोत ही जल्दी मिलेगी।
परंतु अपना तर्क लगाईये,
ऐसे निशान ढुंढिये की आपको लगे की हा यही रास्ता सही है।
आपको यकीनन सच्चे रास्ते के बारेमे जानकारी मिलेगी
खुद के भरोसे पर रहीए
खुदकी बुद्धि का इस्तेमाल कीजीए
और कुछ कहनेकी जरुरत नही लगती क्योंकि आप समझदार है।
विभीषण कितना भी बडा रामभक्त क्यो न हो, जाना आज भी उसे गद्दार की तरह ही जाता है ये ही परम सत्य है...!!!
- विजय जादव


May 21, 2017

अगर किसी आन्दोलन को ख़त्म करना है तो उसे हिंसक बना दो.. - विजय जादव

कीसी को मार देने से उसकी विचारधारा खत्म नही होती,
उस विचारधाराको दुसरी विचारधारासे ही खत्म कीया जा सकता है..

वैसे ही आदोलन को कोई खत्म नही कर सकता,
परंतु जब आंदोलन को हिंसक बना दिया जाए तो अपने आप खत्म हो जाएगा! 


ये आपके आंदोलन को खत्म करनेकी गहरी चाल हो सकती है..
उदाहरण के तौर पर गुजरातका पाटीदार आंदोलन..

बहोत ही मजबुती से आगे बढ रहा पाटीदार आंदोलन अहमदाबाद की सभा के बाद हुई हिंसा की वजह से  खत्म हो गया.

आपके आंदोलन को कभी हिंसक मत बनने दो,  आपको एक दिन सफलता जरुर मिलेगी..

उदाहरण के तौर पे,  डो. आंबेडकर ने अपने पुरे जिवनकाल मे कई सफल आंदोलन कीए, वो भी विना किसी हिंसा के.. 


#विजय_जादव



May 14, 2017

કોઇ પણ જાતના મુર્હુતને કોઇ કાર્યની સફળતા કે અસફળતા માટે કંઇ લેવા દેવા નથી : વિજય જાદવ

#મુર્હુત

કેમ નવુ વાહન લેવા મુર્હુત જોવામાં આવે છે?
કેમ લગ્ન કરવા શુભ મુર્હુત જોવામાં આવે છે?
કેમ મુર્હુત જોઇને ધંધા રોજગારનુ ઉદ્ઘાટન કરવામાં આવે છે?
શુભ મુર્હુત માં કરેલ ઉદ્દઘાટન ને સફળતાની ચાવી ગણી શકાય?

હુ જ્યાસુંધી જાણુ છુ .... કોઇ પણ સારા કામ ની શરુઆત સારી થાય, એમાં વિઘ્ન ના આવે કે ભવિષ્યમાં પણ કોઇ પણ પ્રકારની મુશ્કેલી ના સર્જાય એના માટે બ્રાહ્મણો દ્વારા શોધ ખોળ કરી અમુક ચોક્કસ સમય નક્કી કરેલ છે. જેમાં અમુક સમયને શુભ મુર્હુત અને અમુક સમયને અશુભ મુર્હુત (કમુરતા) કહેવામાં આવે છે.

શુ માણસ જન્મે છે ત્યારે કોઇ મુર્હુત જોઇને આવે છે? (થોડી વાર ઉભા રહો હુ શુભ મુર્હુત માંજ જન્મીશ!)
અને ક્યારેય કમુરતા માં જન્મેલ બાળકને કોઇ મા-બાપે મારી નાંખેલ છે ખરા?
અને એજ રીતે શુ માણસ મરણ સમયે પણ મુર્હુત જુવે છે?
લગ્ન કરવા સારામાં સારુ મુર્હુત જોવાય છે, તો પછી છુટાછેડા કેમ થાય છે? 


શુ સારા મુર્હુતમાં લીધેલ વાહન નુ ક્યારેય એક્સિડેન્ટ નથી થતુ?
અને એક્સિડન્ટ થાય તો કોઇ હોસ્પિટલમાં દાખલ થવા શુભ મુર્હુત કેમ જોતુ નથી?
અને ડોક્ટરો શુુ મુરત જોઇને ઓપરેશન કરે છે?
અરે શુ સવારે આપણી આંખ શુભ મુર્હુતમાંજ ખુલે છે?

તો પછી નવુ વાહન લેવા, લગ્ન કરવા, ઉદ્દઘાટન કરવા વગેરે વગેરે માટે મુર્હુત કેમ જોવામાં આવે છે?
લગ્ન કરવા સારામાં સારુ મુર્હુત જોવાય તો પછી છુટાછેડા થવાજ ના જોઇએ ને?
શુ કમુરતા માં જન્મેલ વ્યક્તિ કમઅક્કલ, ખોડખાંપણવાળો કે આતંકવાદી બને છે?
અને એક દમ સારા મુર્હુતમાં જન્મેલ બહુ હોંશિયાર અને પ્રગતિશીલ બને છે?
સારામાં સારા મુર્હુતમાં શરુ કરેલ ધંધો ઘણી વાર કેમ અસફળ જાય છે?

ડીસેમ્બર 2nd, 1984 ના રોજ થયેલા ભોપાલ દુર્ઘટના વખતે એ જ દીવસે ભોપાલ મા હજારો લગ્નો હતા, એ બધા ના બંન્ને પક્ષો ના પંડીતો એ લગ્ન માટે શુભ મુહુર્ત જોયુ એમા એ દીવસ શુભ મુહુર્ત મા હતો તેમ છતા સદીઓ સુધી ન ભુલાય એવો ગમખ્વાર અકસ્માત એ જ દીવસે થયો અને લાખો લોકો ને જીવન ભર અસર રહી ગઈ અને હજારો લોકો ના મૃત્યુ થયા. 
જે દીવસ ને શાસ્ત્રો પ્રમાણે નો શુભ દીવસ કહેવામા આવતો હતો એ જ દીવસે હજારો લોકો મોત ને ભેટ્યા હતા...!!!

મતલબ સાફ છે કે કોઇ પણ જાતના મુર્હુતને કોઇ કાર્યની સફળતા કે અસફળતા માટે કંઇ લેવા દેવા નથી.
શુભ - અશુભ મુર્હુત માત્ર અને માત્ર મનના વહેમ/અંધશ્રદ્ધા થી વિશેષ કંઇ જ નથી. અને આ વહેમ બ્રાહ્મણવાદી ગુલામી થી વધુ કંઇ નથી.

તો શુ આ બ્રાહ્મણવાદી ગુલામીના પ્રતિક સમાન મુર્હુતનો આપણે ત્યાગ ના કરી શકીએ?
અને જો આ ગુલામીના પ્રતિક મુર્હુત ને ના ત્યાગી શકીએ તો શુ આપણે બ્રાહ્મણવાદી ગુલામ ના ગણાઇએ?

#વિજય_જાદવ

























Facebook Post :-

May 09, 2017

सरकार मे विपक्ष की भुमिका : विजय जादव


बहुमतवाली सरकार अगर प्रजा द्वारा चुनकर आयी हुई हो तो विपक्ष भी कही आसमान से नही टपका. उनकोभी प्रजा द्वारा ही जीताकर भेजा गया है. बहुमत जीसे मिला हो वो पक्ष सरकार बनाकर प्रजा के हीतमे निर्णय लेकर शाषन चलाता है. तो बाकी बचे सब प्रतिनीधि प्रजा का प्रतिनीधित्व करके सरकार द्वारा हो रहे कामकाज की देखरेख रखता है.

लोकतंत्र मे विपक्षकी भुमिका बहोतही महत्वपुर्ण है परंतु कोंग्रेस और भाजपाने इसे मजाक बनाकर रखदी है! जीतनी जरुरत अच्छी सरकारकी है उतना ही जरुरी है अच्छे विपक्ष का होना. 

कोई काम पुरा करने की जीम्मेदारी अगर सत्तापक्ष की है तो विपक्ष की पुरी जीम्मेदारी है उन कामो पर नजर रखनेकी.

कई बार ऐसा हो सकता है की सरकार द्वारा ऐसे निर्णय लिए जाए जो प्रजाके हित के अनुरुप ना हो. उस समय पर अगर विपक्ष भेदी मौन बनाकर चुपचाप रहे तो वो सरकार का मौन समर्थन ही बोल सकते है. और ऐसे समय पर देशकी असली मालिक जनता के लिए दोनो साझा गुनहगार बोल सकते है, क्योंकी सरकार के कीसीभी गलत निर्णय का विरोध करना विपक्ष का कर्तव्य है.

सरकार द्वारा लिए गये गलत फैसले को और उससे होने वाले दुष्परिणाम को प्रजा तक पहोचानाही उनका कर्तव्य है. प्रजा के अधुरे काम के बारेमे प्रश्न उठाना विपक्षकी जीम्मेदारीमे आता है.

विपक्ष चाहे तो लोकतात्रिक तरीकेसे सरकारका विरोध करना, धरने करना, जनआंदोलन कर सकते है. जीससे मजबुर होकर सत्ता पक्ष अपना फैसला वापस ले सकता है.

मतलब ये बात हमे माननी ही पडेगी की सीर्फ हम सरकारकी ही आलोचना या विरोध करके विपक्षको नजर अंदाज नही कर सकते. सरकार अगर ईतने सालोसे खराब शाषन कर रही हो तो सरकार या सत्तापक्ष जीतने जीम्मेदार है तो विपक्ष भी उतना ही जिम्नेदार बनता है.

भारतमे विपक्ष सीर्फ सरकारको ब्लेकमैल करने जीतना ही विरोध करके खुदके काम निकल जाए उतना ही ध्यान देते है. वो बात कोंग्रेस और भाजपा दोनो पर लागु होती है.

विपक्षकी भुमिका सीर्फ जन हितका ध्यान रखने की है. 

पांच सालके अंत मे प्रजाको भी देख लेना पडे की कीसने अच्छा काम कीया सत्ता पक्षने की विपक्ष ने?

-- विजय जादव








May 08, 2017

એક કન્ફ્યુઝન છે કે ભગવાન માણસ પહેલા હતા તો એમની પાસે પહેરવાના કપડા કેવી રીતે?? : વિજય જાદવ


માણસે કપડા પહેરવાની શરુઆત અમુક હજાર વર્ષો પહેલા કરી. એ પહેલા કાપડ ની શોધ માણસે કરી કરી. મતલબ માણસ આયા પછી જ કાપડ આયુ. એ હકીકત છે.

હવે એવી માન્યતા છે કે ભગવાને માણસની શોધ કરી અને પછી કપડાની શોધ થઇ. તો મગજ માં એક કન્ફ્યુઝન છે કે ભગવાન માણસ પહેલા હતા તો એમની પાસે પહેરવાના કપડા આયા કેવી રીતે, જે આપણે ફોટા, મુર્તિઓ ઉપર જોઇએ છીએ. અને જો ભગવાન પહેલા આયા તો માણસે તો એ પહેલા જ કપડા બનાવી દીધા હતા!!!
~ વિજય જાદવ
#કંન્ફ્યુઝન

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા મા ફેર શુ? : વિજય જાદવ

શ્રદ્ધા એટલે કોઇ પણ બાહરી શક્તિ/બાબત ઉપર ભરોસો રાખવો અને એ કોઇ પણ સાબિતી વગર. 
અમુક લોકો એમ કહે છે કે શ્રદ્ધા એક વિશ્વાસ છે. 
જ્યારે અંધશ્રદ્ધા એટલે કોઇ બાબત પર આંધળો વિશ્વાસ રાખવો. 

જેની ઇચ્છા રાખીએ છીએ તે પ્રમાણે થશે જ એવી ચોક્કસ ખાતરી એટલે વિશ્વાસ.
(પરંતુ જ્યારે આ શ્રદ્ધા મુજબ કામ ના થાય એટલે વ્યક્તિ પોતાના નસીબને દોષ દઇ સંતોષ મેળવી લે છે.)

ઉદાહરણ તરીકે કોઇ વ્યક્તિ કે જેના ઉપર તમને આસ્થા હોય એ કહે કે તમને આ વખતે સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થશે. આસ્થાળુ વ્યક્તિ આવા સમયે તેમના પર પુર્ણ વિશ્વાસ રાખી એમને અનુસરે છે. જો ખરેખર પુત્ર પ્રાપ્તિ થાય તો વાજતે-ઘાજતે ઢોલ વગાડતા વગાડતા પોતાની શ્રદ્ધા પુર્ણ થયેલ માની જાહેર કરે છે. અને જે વ્યક્તિ ને સંતાનમાં દિકરી આવે તો પોતાના નસીબ ઉપર દોષ ઠાલવી સંતોષ મેળવી લે છે પરંતુ આગાહી કરનારનો વિરોધ કરવાનુ સામર્થ્ય હોતુ નથી એટલે ટાળે છે. 
આ કીસ્સાને વિજ્ઞાન દ્વારા તાર્કીક રીતે વિચારીએ તો સંતાન માં પુત્ર પ્રાપ્તિની આગાહી કરનાર ટેકનીકલ રીતે 50% તો સાચો જ હોય છે. કેમકે માણસ જાતિમાં સ્ત્રી-પુરુષના મિલનથી દિકરો  અથવા તો દિકરી જ આવે. કોઇ વાંદરુ ક્યારેય ના આવે!!!

ઉપરોક્ત કીસ્સામાં આપણા જેવા બાહરી વ્યક્તિ જો એનો આ વિશ્વાસ પુર્ણ થાય અને દિકરો આવે તો એની શ્રદ્ધા ની જીત થઇ એવુ કહીશુ. અને જો કદાચ દિકરી આવશે તો કહીશુ કે ''આટલુ બધુ કોઇનુ થોડી માનવાનુ હોય!  આ એની અંધશ્રદ્ધા જ કહેવાય!!!"

મતલબ શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા વ્યક્તિના ધાર્મિક વિશ્વાસ ના પરિણામ અને બાહરી વ્યક્તિના જોવાના નજરીયા પર નિર્ભર છે. એટલે આમ જોઇએ તો શ્રદ્ધા નો બીજો મતલબ જ અંધશ્રદ્ધા થાય. 

તર્કવાદીઓ બતાવે છે કે વ્યક્તિએ પોતાની માન્યતા કરતાં પુરાવા પર વિશ્વાસ રાખવો જોઈએ. એ સમજવા માટે એક દાખલો લઈએ. 

સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં ડૂબે છે. તેથી પહેલાંના લોકો માનતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરે છે. આ શ્રદ્ધા હતી. પણ વૈજ્ઞાનિકોએ આપણી સૂર્યમાળાનો અભ્યાસ કર્યો ત્યારે તેઓને પુરાવો મળ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે. એ પુરાવા પરથી હવે આપણને પૂરી ખાતરી છે કે પૃથ્વી જ ગોળ ગોળ ફરે છે. એટલે આપણે જે માનીએ એના કરતાં જેનો પુરાવો છે એમાં માનવું જોઈએ. એટલે પહેલાની શ્રદ્ધા અત્યારે અંધશ્રધ્ધા સાબિત થઇ. 

શ્રદ્ધામાં માન્યતા, ભક્તિ, આસ્થા, વિશ્વાસ, પુજા, નસીબ જેવા શબ્દો વપરાય છે 
જ્યારે અંધ શ્રદ્ધા માં ચમત્કાર, પરચા, વગેરે....
એટલે ઉદાહરણ તરીકે કોઇ જગ્યાએ ચમત્કાર થાય તો આપણે આપણુ દિમાગ લગાવી જાણવા પ્રયાસ કરીએ છીએ કે સાચુ શુ છે? ચમત્કાર કેવા પ્રકારનો છે? કેવી રીતે થયો?  વૈજ્ઞાનિક કારણ શુ હોઇ શકે? આટલુ જાણતા જ ખ્યાલ આવી જશે કે કોઇ પણ પુર્વ આયોજિત સાયન્સની મદદ કે ગોઠવણ વગર ચમત્કાર થઇજ ના શકે. એટલે લોકો માટે એ ચમત્કાર શ્રદ્ધામાં પરિણામે છે.  ગમે તેટલુ સમજાવીશુ તો પણ એ શ્રદ્ધાળુઓ માનવા તૈયાર જ નહી થાય કે આ ચમત્કાર કોઇ વ્યક્તિ દ્વારા પુર્વ આયોજીત છે.  જેને તર્કવાદી અંધશ્રદ્ધા કહે છે.

થોડા ઉંડે ઉતરીએતો ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા તમે આંખ બંદ કરીને કરો છો. કહેવાનો ભાવાર્થ આંખ બંધ કરવી એટલે મગજ થી વિચારવુ નહી. મગજથી જ્યારે વિચારવાનુ બંધ કરી દઇશુ તો તર્ક નહી બચે. તર્ક નહી હોય ત્યા એવા દરેક કામ અંધશ્રદ્ધા જ કહેવાય ને? 

અમુક લોકોને હજી એવી માન્યતા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં ઘણો ફેર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી દિવાલ છે. વગેરે વગેરે... તમને એવુ પણ બતાવવામાં આવશે કે આવુ ના કરવુ જોઇએ તેવુ ના કરવુ જોઇએ આ અંધશ્રદ્ધા છે.... પરંતુ આખરે તો તમારી સામે પ્રશ્નાર્થ મુકી જ દેશે. 
આવુ અર્થઘટન કરનાર - કરાવનાર તમને આખરે મુર્ખ બનાવી પોતાની દુકાન ચલાવી રહ્યો છે. 

કોઇપણ બાબતે ધાર્મિક બની વિચારશો તો એ તમારી શ્રદ્ધા હશે. પરંતુ એ જ બાબતને તાર્કીક રીતે વિચારશો તો તમને અંધશ્રદ્ધા તરીકે ચોક્કસ દેખાશે. 
નક્કી તમારે કરવાનુ છે.

પરંતુ મારા મત મુજબ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં કોઇજ ફેર નથી.

-- વિજય જાદવ




ભારતીય બંધારણ અને જાતી નિર્મુલન : વિજય જાદવ

શુ ભારતીય બંધારણમાં એવી કોઇ વ્યવસ્થા કરાયેલી છે જેના દ્વારા જાતી નિર્મુલન શક્ય બને? 

થોડુ વિગતવાર ચકીસી લઇએ. 

ડો. બાબાસાહેબે ભારતીય બંધારણમાં દરેક નાગરીકને નીચે મુજબના હકો આપેલ છે. 

૧. સમાનતાનો અધિકાર (અનુચ્છેદ ૧૪થી૧૮)
૨. સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૧૯થી૨૨)
૩. શોષણ વિરુદ્ધ અધિકાર (અનુચ્છેદ ૨૩થી૨૪)
૪. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ ૨૫થી૨૮)
૫. સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક અધિકાર (લઘુમતી અધિકાર) (અનુચ્છેદ ૨૯થી૩૦)

હવે તેમા અનુચ્છેદ 14 થી 17 પ્રમાણે

*અનુચ્છેદ ૧૪  :કાયદા સમક્ષ સમાનતા. મુજબ બંધારણમાં જણાવ્યું છે કે કાયદા સમક્ષ સૌ સમાન છે અને કાયદાનું સૌઍ સમાન રક્ષણ કરવું જોઇઍ ઍમા કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો  જોઇઍ.

*અનુચ્છેદ ૧૫ સામાજીક સમાનતા અને જાહેર સ્થળો પર સમાનતા.

જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે ફક્ત જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ અને જન્મ સ્થળનાં આધારે ભેદભાવ રાખી શકાય નહિ. તેમજ દરેક વ્યક્તિને જાહેર સ્થળો પર જવાનો અધિકાર છે.
ઉ.દા. જાહેર બગીચા, સંગ્રહાલય, મંદિર, પાણીનાં કુવા.

*અનુચ્છેદ ૧૬ જે મુજબ બંધારણમાં જણાવ્યું છે કે સરકારી નોકરીઓમાં સૌને સમાન તક મળવી જોઇઍ. તેમજ ઍમ પણ જણાવ્યું છે કે દરેક રાજ્યે પછાત વર્ગો માટે અમુક જગ્યા અનામત રાખવી તેમજ જો કોઈ ધાર્મિક સંસ્થા હોય તો તેનો કારોભાર પણ તે જ ધર્મનાં કોઈ વ્યક્તિને આપવો.

*અનુચ્છેદ ૧૭ અસ્પૃશ્યતા નિવારણ. જે કોઈ પણ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરતુ હોય તે કાયદા નો ભંગ છે જે મુજબ કાયદા દ્વારા સજા પણ મળે છે. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ ઍક્ટ ૧૯૭૬ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ને પાણીની ટાંકી કે કુવામાંથી પાણી ભરતા રોકવુ તે સજાને પાત્ર છે,

અનુચ્છેદ 24 મુજબ તમે જે નોકરી/ધંધો કરો તમારુ શોષણ ના કરી શકાય. માથે મેલુ ઉપાડવુ કે મરેલ ઢોરના નિકાલની તમને ફરજ ના પાડી શકાય. 

*ધાર્મિક_સ્વતંત્રતાનો અધિકાર (અનુચ્છેદ 25-28)અનુચ્છેદ : અંતઃકરણપૂર્વક ધર્મની માન્યતા, આચરણ અને પ્રચાર કરવાની માન્યતા
અનુચ્છેદ  : ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની માન્યતા
અનુચ્છેદ : ધર્મની ઉન્નતિ માટે કરસંબંધી રક્ષણ
અનુચ્છેદ :  ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેની સ્વતંત્રતા

ઉપર મુજબના અનુચ્છેદ 25 પ્રમાણે કોઇપણ વ્યક્તિ પોતાને ઉચિત લાગતો કોઇપણ ધર્મ પાળી શકે છે. અને તે ધર્મનો પ્રચાર પણ પોતાની રીતે કરી શકો છો, ના નથી પરંતુ કોઇને બળજબરી ના કરી શકો. 
તમારી ઇચ્છા મુજબની અટક રાખી શકો છો. 

હવે આ મુજબ નુ અર્થઘટન કરીએ તો બાબાસાહેબે તમામ હકો પ્રમાણે જાતિવીહીન સમાજની રચના કરવા તમામ પ્રબંધ કરેલ છે. હવે એ તમારે માનવુ ના માનવુ તમારી મરજીની વાત છે.  સમાનતા સ્થપાય એટલે જાતિનુ મહત્વ રહેતુ નથી. મતલબ જાતિવિહીન સમાજની રચના એ બાબાસાહેબનુ સ્વપ્ન હતુ. એ એમણે લેખિતમાં કરી બતાવ્યુ છે.

-- વિજય જાદવ 







May 03, 2017

ઓબીસી પર થતો ખરો જાતિવાદ આંકડા જાહેર થયા બાદજ ખબર પડશે : વિજય જાદવ

ભારત દેશમાં OBC એટલેકે અન્ય પછાત વર્ગ વ્યક્તિ ના તો SC માં ગણાય છે ના તો સવર્ણમાં.
હીન્દુ ધર્મની મહાનતા જ છે કે દરેક જાતિ પોતાનાથી નીચી જાતિને શોધી લે છે. અને આજ કારણે વ્યક્તિ પૈસે ટકે ભલે એક દલિત કરતાય ગરીબ કેમ ના હોય પરંતુ મારી જાતિતો એના કરતા ઉચ્ચ છે એવુ માની સંતોષ મેળવી લે છે.

ઓબીસીમાં આવતો એક દેવીપુજક સમાજ કે જે મુખ્યત્વે શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા હોય છે. એમની આર્થિક પરિસ્થિતી અત્યંત ખરાબ હોવા છતા મે ઘણી વાર જાત અનુભવેલુ છે કે ઘણા લોકો દલિતના ઘરનુ પાણી પણ પીતા નથી!!!
આવા ઘણા દાખલા છે.
હવે મુળવાત
ભારતમાં બાબરી મસ્ઝીદ તોડવાનુ કાવત્રુ પણ એના માટે કરાયુ હતુ કે ઓબીસી ની વસ્તી ગણતરીના આંકડા જાહેર ના કરવા પડે. શુ એ ખ્યાલ છે?
હમણા 2011 માં થયેલ વસ્તી ગણતરીના આંકડા પણ હજી સુધી સરકારે જાહેર કરેલ નથી. આવુ કેમ?  કેમ ઓબીસીની વસ્તી ગણતરી અને એમના પ્રતિનીધિત્વના સરકારી આંકડા જાહેર કરાતા નથી?
કેમ ઓબીસી સમાજ એકત્રીત થઇ એમની વસ્તી ગણતરીના ખરા આંકડા જાહેર કરવા સરકાર સામે રજુઆત કરતા નથી?
એમની વસ્તી લગભગ 55% છે એવુ માનીને ચાલીએ તો શુ એમનુ સરકારી નોકરી, રાજકીય સીટો, અને ભણતરમાં 50% જેટલુય પ્રતિનીધીત્વ છે?
ઓબીસીને 27% અનામત મળેલ છે તો શુ 27% જેટલુ પણ પ્રતિનીધિત્વ મળી શક્યુ છે????
હીન્દુ ધર્મના રખેવાળ તરીકે હંમેશા ઓબીસીનો ઉપયોગ થાય છે તો શુ ફક્ત અને ફક્ત એમનો ઉપયોગ હીન્દુ રાજનીતી માટેજ થાય છે?
હીન્દુમા, 55% વસ્તી ઓબીસીની છે તો કેમ એમનુ ક્યાંય પુરતુ પ્રતિનીધિત્વ દેખાતુ નથી?
શુ આજ થતુ આવતુ હોય તો આ તમારા પર હીન્દુ ધર્મના ઠેકેદારો દ્વારા જાતિવાદ રાખ્યો એવુ નથી દેખાતુ?

ઓબીસી પર થતો ખરો જાતિવાદ આંકડા જાહેર થયા બાદજ ખબર પડશે!!!

#જાતિવાદ_મુર્દાબાદ
#OBC

#વિજય_જાદવ




Facebook Link :-

જાતીવાદ - અત્યાચાર અને તેની સામે સંઘર્ષ : વિજય જાદવ



જ્યારે કોઇ દલિત ઉપર મારઝુડ કે હત્યા થાય ત્યારે અને તોજ એમ માનવામાં આવે છે કે દલિતો ઉપર અત્યાચાર થયો. 
શુ કોઇ દલિતની ઉપર કોઇ હિંસા થાય એને જ અત્યાચાર માનવો? 
સમાજમાં ફક્ત કોઇ ઉપર મારઝુડ થાય અથવા હત્યા થાય તો અત્યાચાર થયો એવુ માનવાની ગ્રંથી મને યોગ્ય નથી લાગતી. એ પછી સમાજ થોડો ટાઇમ એના ઉપર ધ્યાન આપી પછી છોડી દેશે. એ કેટલુ યોગ્ય માનવુ? 

જાતીગદ ભેદભાવ રાખી અપરકાસ્ટ દ્વારા દલિતો પર જે અત્યાચાર કરવામાં આવે છે તેને જાતીવાદ નો અત્યાચાર કહી શકાય. 
કોઇ વ્યક્તિની જાતિ ને ધ્યાનમાં રાખી તેનુ માનસિક, શારીરીક કે આર્થિક શોષણ કરવુ,  કોઇ ને જાતિગત અપશબ્દો બોલવા, દલિત છોકરીઓ પર બળાત્કાર કરવો,  યોગ્યતા હોવા છતા લગ્ન,  નોકરીમાં તકલીફ પડવી , નીચ કામ કરવા મજબુર કરવા, સામાજીક બહીસ્કાર કરવો, નોકરી ના આપવી કે હેરાન કરવા, કોઇ પણ પ્રકારની આભડછેટ રાખવી...... વગેરે જેવા ઘણા બધા બનાવો પણ જાતિગત અત્યાચારમાંજ આવે છે. આવા અસંખ્ય બનાવો બને જ છે. 

અત્યાચાર તો કોઇપણ વ્યક્તિ પર થઇ શકે છે. પરંતુ જાતિવાદી અત્યાચાર SC,  ST અને OBC પર જ થાય છે. જેમાં અનુસુચિત જાતિ ઉપર થતા અત્યાચાર નુ પ્રમાણ ખુબ વધુ હોય છે. 

આપણે દલિત અત્યાચાર બાદ વળતર માંગીને બેસી જઇએ છીએ પરંતુ ભવિષ્યમાં આવા બનાવો ના બને એ માટે શુ કરવુ? એ માટે કોઇ વ્યુહાત્મક રચના દેખાતી નથી. એકાદ બે જણને પકડી લીધા બાદ જામીન પણ મળી જાય છે. જેથી એમની આવુ કરવાની હીમ્મત વધતી જાય છે. એવુ તો શુ કરવુ જેથી એ લોકો ભવિષ્યમાં આવુ કરવાની હિમ્મત ના કરે. નીચે મુજબના થોડા સુચનો મને જણાઇ રહ્યા છે. 

1) આપણી એવી માંગણી હોવી જોઇએ કે હીંસા કે અત્યાચારના બનાવબાદ એ કેસની તપાસ કરનાર તપાસ અધિકારી અનુસુચિત જાતીનો જ હોવો જોઇએ એવી માંગ મુકવી જોઇએ. ત્યાર બાદ આવા એટ્રોસીટી ના કેસો માં 99% કેસોમાં આરોપીઓ પુરાવા ના અભાવ અથવા બીજી કોઇ રીતે સહેલાયથી છુટી જાય છે. તો સૌપ્રથમ એટ્રોસીટી કેસ સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાજ પેનલ માં ઓછામાં ઓછો એક જજ અનુસુચિત જાતી નો જ હોવો જોઇએ એવી માંગ કરવી જોઇએ. અને કેસ નો ફેસલો જલ્દીમાં જલ્દી આવે તેવી માંગ કરવી જોઇએ. અને કઠોરમાં કઠોર સજા અે અપરાધીને મળે એનુ ધ્યાન રાખવુ જોઇએ. જેથી આવો ગુનો કરતા પહેલા એ લોકો સો વખત વિચાર કરે. 

2) હીંસક અત્યાચારો ગામડાઓમાં વધુ બને છે તો ડો. બાબાસાહેબ આંબેડકરનુ જે સુચન હતુ કે ગામડાઓ ખાલી કરો અને શહેરમાં જઇ વસો. એ સુચનનુ પાલન કરાવા પ્રયત્નો કરવા જોઇએ. હવે તો RTE કાયદા પ્રમાણે સારી સ્કુલોમાં પણ એડમીશન મળે છે. તો એના દ્વારા વધુ માં વધુ બાળકો સારુ શિક્ષણ મેળવે એ માટે પ્રયત્નો કરવા જોઇએ.  

3) આપણા પુના પેક્ટથી ઉત્પન્ન રાજકીય ચમચાઓ ક્યારેય સમાજ નુ હિત નહી કરી શકે. એલોકો આવા અત્યાચાર સમયે પણ તમારો અવાજ બની ને બહાર નથી આવતા. અને ક્યાંય અવાજ ઉઠાવશે તો સમજી લેજો તમારો અવાજ દબાવવા માટે જ. પોતાના માલિકોને ખુશ કરવા માટે જ....
એમને પ્રોગ્રામમાં આમંત્રણ આપવાનુ ટાળો, એમના પ્રોગ્રામોમાં જવાનુ ટાળો. 
આવા લોકો ફક્ત રાજકીય કઠપુતળી બની બેઠા છે જે આખા સમાજને નચાવી રહ્યા છે.  એવા રાજકીય ચમચાઓને સલાહ કે તમે સમાજની સીટ ઉપર ચુંટણી લડો છો એ ભારતીય સંવિધાનમાં તમને તમારા સમાજનુ પ્રતિનીધિત્વ કરવા માટે મળે છે નહી કે રાજકીય પક્ષોની ચમચાગીરી કરવા બદલ! 
ચમચાગીરી કરી તમને જનરલ સીટ ઉપર લડો અમને કોઇ વાંધો નથી પરંતુ જ્યારે રીઝર્વ સીટ ઉપર લડો છો તો તમારા માટે સમાજ હીત ને ધ્યાનમાં રાખવુ જરુરી બને છે.  
અને જો સમાજ હીત કરતા તમને તમારો પક્ષ વધુ વહાલો હોય તો છોડી દો એ સીટ, અને માંગો જનરલ સીટ. જોઇલો તમને તમારી ઔકાદ શુ એ ત્યાજ ખબર પડી જશે. 

4) લગ્ન સંબંધો નક્કી કરતી વખતે જાતિ જોવાનુ ટાળવુ જોઇએ. આજે આપણે આ કરીશુ તો આપણો સમાજ આ કરશે અને ધીરે ધીરે બધા જ સમાજ આ મુહીમ માં જોડાશે. જાતિવાદ ખત્મ કરવાનુ મજબુત હથિયાર અાંતરજાતીય લગ્નો છે. 

5) દલિતો દલિત એટલા માટે છે કારણકે તે હીન્દુ ધર્મના સૌથી નીચેના પાયદાન પર છે. એટલે જે ધર્મને દલિત પોતાનો ધર્મ માનીને બેઠા છે એ ધર્મ જ તમને નીચ માને છે. તમારે હવે આ દલિત પણાનો વિરોધ કરવોજ રહ્યો. તમારી સામે તમારાજ માનીતા ધર્મનો ઉપયોગ કરી ધર્મરક્ષકો તમને હજારો વર્ષોથી છેતરી તમારી ઉપર શાષન કરી તમને ગુલામ બનાવી ને રાખ્યા છે. ધર્મ એ એમનુ મજબુત હથિયાર છે જે તમારી ઉપર વારંવાર ચલાવવામાં આવે છે. 
તમે પાછા એ ધર્મને મજબુત કરો છો, આર્થિક સહાય કરીને! 
જી હા બિલકુલ સાચી વાત છે ધર્મના નામે,  ઇશ્વરના નામે, શ્રદ્ધાના નામે તમે જેટલો પણ ખર્ચો કરો છો એ આખરે તમારી જ સામે ઉપયોગ થાય છે. કેમકે ક્યારેય કોઇ ઇશ્વરે જાતિવાદ અને જાતિગત અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હોય કે કોઇ ચમત્કાર કરી એ અત્યાચાર બંધ કર્યો હોય એવુ મે આજસુધી નથી સાંભડ્યુ. તમે ક્યાંય સાંભડ્યુ હોય કે જોયુ હોય તો જણાવશો. 
તો આજથીજ નક્કી કરો કે ધર્મના નામે, ઇશ્વરનાનામે એક પણ રુપીયાનુ દાન નહી આપીએ, કોઇ પણ પ્રકારનો ખર્ચો નહી કરીએ. એ પૈસાનો ઉપયોગ બાળકોના શિક્ષણ પાછળ વાપરી શુ તો આવનારી પેઢી વધુ મજબુત બની ઉભી રહેશે. કોઇ પણ પ્રકારનો ખર્ચો હવે ધર્મ પાછળ, ઇશ્વર પાછળ કે શ્રદ્ધા પાછળ વાપરીશુ નહી. 
બીજુ ધર્મ રક્ષકો તમને હીન્દુ બનાવી મુસ્લિમ વિરુદ્ધ લડાવી તમારો હંમેશા ઉપયોગ કર્યો છે. જેનો દાખલો જોવો હોય તો અત્યાર સુધી શુદ્રો શિવાય ધાર્મિક હિંસાનો ભોગ કોઇ બનેલ નથી એ ચકાસી જુઓ. કોઇ ધર્મ રક્ષકને આજ સુધી તોફાનોમાં સજા થઇ હોય એવો દાખલો આપો. તમારા શિવાય મુસલમાનો સામે લડ્યુ છે કોણ? અંતે તમે મુસલમાનોના દુશ્મન બનો છો. જાતિગત રીતે ઉચ્ચ વર્ણના તમે દુશ્મન તો છો જ. મતલબ બન્ને બાજુ તમારી અવદશા કરવામાં આવી રહી છે. 

ધર્મ રક્ષકો તમને જણાવશે કે ધર્મની રક્ષા કરવા અમે બધુ કરીશુ તો કહી દેવાનુ કે તમને હીન્દુ ધર્મમાં ધર્મની રક્ષા કરવાનુ જ કામ અપાયુ છે તો કરો રક્ષા તમે જાતે જ. તમને કહેવામાં આવશે કે મુસલમાનો હીન્દુના દુશ્મન હોય છે. અને એ લોકો જાતે જ મુસલમાનોના ખોળામાં બેસતા તમે જોઇ શકો છો. લવજેહાદના નામે તમને મુર્ખ બનાવવામાં આવશે અને પોતાનાજ દીકરા દીકરીઓના લગ્ન મુસલમાન સાથે કરાવશે. ચેક કરી શકો છો. એટલોજ મુસલમાન પ્રત્યે કટ્ટરતા હોય તો એમની પાસે વોટ માંગવા પણ શુ કામ જાઓ છો?
મતલબ એમને વોટબેંક માટે જ દલિતો અને મુસલમાનોની જરુર છે. 
મુસ્લિમો સામે કોઇ પણ પ્રકારના તોફાનોમાં હીસ્સો નહી લેવાનો નક્કી કરો. જેવુ લાગે કે પરિસ્થિતિ નાજુક બની રહી છે તો બન્ને પક્ષના આગેવાનો આગળ આવી પરિસ્થિતિ સંભાળી લેવી. બન્ને પક્ષે શાંતિ સમિતિ બનાવો જે અમુક સમયના અંતરાલે મળતા રહે અને બન્ને પક્ષે શાંતિ જળવાઇ રહે એના માટે પ્રયાસો કરે.  તમે જે દિવસે મુસ્લિમો સામેની હીન્દુ ધર્મની કહેવાતી લડાઇમાથી ખસી ગયા એ દિવસથી જ તમારી પ્રગતિ સાચી દીશામાં આગળ વધશે. 

6) અને આખરમાં તમારામાં ખરી જાગ્રુતિ શિક્ષિત બનીને જ આવશે. આવનારી પેઢીને પણ ખુબ ભણાવો.
ડો. બાબાસાહેબે ત્રણ મહત્વના સુચનો આપેલા છે.  શિક્ષિત બનો, સંઘઠીત બનો, સંઘર્ષ કરો. 
હવે મારા માનવા મુજબ સંઘર્ષ તો તમે રોજ કરો છો. આંતરીક જાતિવાદનો સંઘર્ષ કંઇ ઓછો નથી. ક્યારે પોતાના જ ભાઇને આગળ જતો અટકાવવો એ આપણો સમાજ બહુ સારી રીતે જાણે છે! સોસાયટીમાં પાડોસી સાથે નાની અમથી બાબતમાં પણ સંઘર્ષ માં ઉતરી પડો છો કે નઇ??? 

સંઘઠિત થયા એવુ મહદઅંશે દેખાઇ રહ્યુ છે. એક બીજાના પ્રોગ્રામને સફળ બનાવવાની લાગણી જે આવી છે એ સંઘઠન જ કહેવાય ને? 

શિક્ષિત બનવામાં હજી સમાજ ઘણો પાછળ છે. એ હુ જોઇ શકુ છુ.  માટે સમાજ ને પ્રથમ જરુરીયાત સારા મા સારા શિક્ષણ ની છે. શિક્ષિત સમાજ ને છેતરવાની કોઇ હીમ્મત નહી કરે. તમે તર્કબદ્ધ, યોજનાબદ્ધ લડી શકશો. અન્યાય સામે અવાજ ઉઠાવી શકશો. તો આજથી આ સુત્ર ઉપર વધુ ભાર મુકો..... 

શિક્ષિત બનો,  શિક્ષિત બનો,  શિક્ષિત બનો.........

આભાર 

વિજય જાદવ












April 28, 2017

ભાગલાવાદી કોને કહેશો?

લોકો કહે છે કે તમારુ લખાણ હીન્દુ ધર્મના ભાગલા પાડી રહ્યુ છે.

શુ હીન્દુ ધર્મમાં લોકો પહેલાથી એક છે?
શુ બધા સમાન છે?
દરેક પ્રત્યે સમાન ભાવના, સમાન લાગણી છે?

ભાગલા તો હજારો વર્ષોથી કોણે પાડેલ છે?
કોઇને બ્રાહ્મણ કીધા
કોઇને ક્ષત્રિય કીધા
કોઇને વૈશ્ય કીધા
કોઇને શુદ્ર કીધા
કોઇને અછુત કીધા

ત્યા પણ અટક્યા નહી
કોઇને પટેલ, ઠાકોર, ચૌધરી, પ્રજાપતી, માળી, વાળંદ, વણકર, ચમાર, વાલ્મીકી.....જેવી હજારો જાતિઓમાં વિભાજીત કર્યા..

ત્યા પણ અટક્યા નહી
ગોળ, પરગણા, કુળ ના નામે ભાગલા પાડ્યા....

ત્યા પણ અટક્યા નહી અને પંજાબી, ગુજરાતી, મરાઠી, મારવાડી, બંગાળી, બિહારી... વગેરેના નામે અલગ કર્યા.......
હવે ભાગલાવાદી કોને કહેશો???

ભાગલા પાડવા અને રાજ કરવુ એ પહેલેથી કોની નીતિ હતી?

હવે પુછતા નહી કોણે કર્યુ ..
તોડી મરોડીને ઇતિહાસ લખનાર કોણ છે એ બધા જાણે છે...

જ્યારે અમે તમામને ભારતીય કહી એક કરવા કહીએ છીએ
અમે તમામને સમાન ગણવા કહીએ છીએ
અમે તમામને સમાન તક આપવા કહીએે છીએ
કોઇ ધર્મ નો ભેદ ના હોય
કોઇ જાતિનો ભેદ ના હોય
કોઇ વર્ણનો ભેદ ના હોય
કોઇ લિંગનો ભેદ ના હોય
કોઇ ગોળ કે પરગણાનો ભેદ ના હોય
કોઇ સમાજ સમાજ વચ્ચે ભેદ ના હોય
કોઇ ઉંચ નીચ નો ભેદના હોય..
બધાને સમાન તક,
બધા પ્રત્યે ભાઇચારાની ભાવના
બધા પ્રત્યે સમાનતાની લાગણી હોય
એવુ અખંડ ભારત બને તેવુ ઇચ્છુ છુ.

શુ એવુ અખંડ ભારતના નિર્માણનુ સપનુ પુરુ કરવા પ્રયાસ કરવોએ ભાગલા પાડવાની નીતિ કહેવાય?

હુ માત્ર એટલુ જ કહીશ
હુ પહેલા અને પછી માત્ર ભારતીય છુ.

- વિજય જાદવ






Facebook post link : -