August 02, 2017

You just need to believe in yourself

By Dinesh Makwana  || 29 July at 08:30


When people believe in u,
it gives u courage and motivation,
but when u believe in yourself,
it gives u persistence, determination, and infinite energy!

Courage means to have sufficient energy to face the problem, and motivation means the realisation of efficiency lies within yourself. But it's fact that both are realized by others or by some special occasion. 

In the life, there are many incidents taking place when you are capable to do, but you do not do, for which you have not knowledge or courage. Just one example

At the swimming pool, when a person sees other swimming in the water, he thinks it's easy to swim in the water. There may be three persons for such thought process in that. But who will succeed, let's check?

1. The first person who thinks to swim, but does not know swimming, may be he has courage, but far away from knowing the result of what would happen if jumps without training or knowledge of swimming. He will jump and you know the result, will sink.

The result is zero

2. The other person knows swimming, but killing time in thinking, can I, what will happen? After some time he leaves the battle

3. The last person who knows swimming and is confident. He jumps and succeeds

The first person fails because he has no knowledge or training, second has no confidence in him, none motivated him, made him realize his efficiency. Having scared to fail, he leaves the battle. And the third who has the knowledge and has trust in his ability also gets motivation and also courageous is successful.

Conclusion: Simple courage will not work. You should have proper knowledge or training. Motivation requires at any age, because you may lose trust or confidence on the different situation of life. So motivation is also required.

Dinesh Makwana 
29/7/2017 at 08.30 Morning
Ahmedabad .

મૃત્યુ પછીની પાઘડી અને લગ્ન પહેલાનુ મામેરું

By Dinesh Makwana  || 26 July at 09:00
(Photo From Dr. BR Ambedkar's Caravan)


સામાજિક રીત રિવાજો પર જ્યારે વાત ચાલતી હોય કે તેના વિશે લખાયુ હોય તેનો મતલબ તે નથી આપણા વડીલોએ જે નિયમ બનાવ્યા છે તે ખોટા છે. પણ સમયની સાથે તેમાં જે સુધારો આવવો જોઇતો હતો તે આવવો જોઇએ. સક્ષમ અને અસક્ષમ બન્ને ને ધ્યાનમાં રાખીને આજની પરિસ્થિતિ ને અનુરુપ રિતરિવાજો નું સ્વાગત કરવું જોઇએ.  કેટલીક જગ્યાએ આવા સુધારા થઇ રહ્યા છે, ૬૩૬ પરગણાની અંદર આવેલા પેટા પરગણાએ પણ આવા સુધારા કર્યા છે તે આવકારદાયક છે. પણ આ સંવેદનશીલ મુદો હોઇ દરેક તેનાથી દુર ભાગે છે. જે ચાલે છે તે ચાલવા દો.

બાબા સાહેબે હિન્દુ કોડ પાસ ના થઇ શક્યુ ત્યારે તેમણે કાનુનમંત્રી તરીકે રાજીનામું આપ્યું. હિન્દુ કોડના બીજા મુદાઓની સાથે તેમાં સ્ત્રીઓને કયા અધિકાર મળે તે મહત્વનું હતું. પણ તે સમયના સમાજમાં હજુ શાસ્ત્રો અને બીજા ગ્રંથોની અસર વધુ હતી. તેથી દરેકે તેનો વિરોધ કર્યો. દીકરી મિલકતમાં ભાગીદાર બની શકે નહી. આ પરિસ્થિતિ કહેવાતા સવર્ણોની હોય તો આપણી શુ વિસાત?

પણ આપણા વડીલોએ આ પરિસ્થિતિ બહુ  વર્ષો પહેલા સમજી ગયા હોય તેમ દેખાય છે. કારણ કે તે સમયે લગભગ દરેકની આર્થિક સ્થિતિ સરખી હતી. તેથી દીકરી દેવા તળે આવી ના જાય અને તેથી દરેક પ્રસંગે દીકરીના ઘેર મદદ કરવી તેવો સ્પષ્ટ અભિગમ આ બધા રિવાજોમાં જોવા મળે છે. આનાથી શ્રેષ્ઠ અને ઉમદા હેતુ બીજો હોઇ શકે જ નહી. દરેક નું ઘર માંડ ચાલતુ હોય ત્યાં આવા પ્રસંગો પર જો આર્થિક મદદ મળે તો પ્રસંગ પાર પાડી શકાતા. અપવાદો હોઇ શકે.

હિન્દુ કોડ બની ના શક્યો તેથી તેના કેટલાય ભાગો જુદા જુદા કાયદા સ્વરૂપે આપણને મળ્યા. સુપ્રિમ કોર્ટે તાજેતરના એક ચુકાદામાં કહ્યુ છે કે દીકરી પણતમારી મિલકતમાં ભાગીદાર છે. આ વાત હમણા કહી પણ આપણા વડીલોએ દરેક પ્રસંગે કશુ આપીને દીકરીને પોતાની મિલકતની ભાગીદાર વર્ષો પહેલા બનાવી દીધી હતી. કેટલા દુરદંશી આપણા વડીલો હતા!

ગઇ કાલે બે ત્રણ મિત્રોએ બહુ સરસ વાત કરી કે જો દીકરીને મિલકતમાં ભાગીદાર ગણીને તેને કશુ આપતા રહીયે તો વાંધો શુ છે. ખરેખર તો કોઇને વાંધો હોવા ના જોઇએ. હુ પોતે દીકરીનો બાપ છુ. મિલકતની ભાગીદાર દીકરી હોવી જ જોઇએ, પણ દેવાની નહી.

અત્યારે આપણે નોકરી અને ધંધાને કારણે સંપન્ન બન્યા પણ ગામડામાં રહીને મજુરી કરતો વર્ગ હજુ બેહાલીમા જીવે છે. પોતાની મિલકત કોને અને કયા આપવી તે દરેકનો અબાધિત અધિકાર છે. આ લેખમાળાનો હેતુ તેમના અધિકાર પર તરાપ મારવાનો નથી પણ સમાજના બીજા વર્ગના આપણા જ સમાજના માણસોને અન્યાય ના થાય તે જોવાનો છે. માત્ર બે ઉદાહરણ આપું.

એક સક્ષમ વ્યકિતની ચાર બહેનો. ચારમાંથી માત્ર એક બહેન થોડાક આર્થિક મજબુત, બાકીની ત્રણ બહેનો મજુરી કરીને જ ઘર ચલાવે. આ સક્ષમે દરેક સમયે જે તે રિવાજ મુજબ તેમના ઘેર જઇને મામેરું કે પાઘડી તે સમયની સ્થિતિ મુજબ આપ્યું છે. પણ જ્યારે બાપીકી મિલકત વેચી ત્યારે લાખો રુપિયા આવ્યા ત્યારે તેમાથી કશુ આપ્યું નહી. સક્ષમ સંપન્ન થયા અને બહેનો તેજ દશામાં જીવી રહી છે.

એક વ્યકિતને સાત દીકરીઓ. બહુ સરસ માણસ, દીકરીઓ માટે જ તેનું જીવન સર્જ્યું હતું. દરેક દીકરીના સીમંત સમયે દરેકને લગભગ એક લાખ રુપિયાનુ મામેરું આપ્યું. મૃત્યુ પામ્યા ત્યારે બે લાખ રુપિયાનુ દેવું મુકીને ગયા હતા. દેવું દીકરો એકલો ભરી રહ્યો છે. કારણ કે દીકરી મિલકતની ભાગીદાર છે, દેવાની નહી.

આ બંને ઉદાહરણો બિલકુલ સાચા છે. આવા કેટલાય ઉદાહરણો આપણા સમાજમાં છે. તેનાથી આપણે સમજી શકીયે કે કયા ખોટું થઇ રહ્યું છે. આપણી દીકરીઓ એટલી ખાનદાન છે અને તેના સાસરી પક્ષના પણ તેટલા જ સારા છે કે આપણે ત્યાં મિલકતની ભાગીદારી માટે કોઇ કોર્ટ કેસ નથી કર્યા. જેણે આવુ કશુ કર્યુ તેને ભાગ આપીને તમામ સંબંધો કપાઇ ગયા છે.

તમારી મિલકત ની ભાગીદાર બનાવો જ તેને કોઇને વાંધો હોઇ શકે નહી. પણ રત રિવાજોના ઓઠા હેઠળ બનાવશો તો ગરીબ માર્યો જશે કારણ કે સમાજના નિયમો તેને પણ લાગુ પડે છે.

હમણા જ મારા નજીકના મિત્રની બહેનના સસરાનું મૃત્યુ થયુ. બહેને સીધું કહી દીધું. તમે જીજાજી માટે સોનાની સારી વીંટી લઇને આવજો. બહેન ની આર્થિક બહુ સારી છે. પણ બહેનની જેઠાણીના પિયરની આર્થિક સ્થિતિ સારી નથી. મિત્ર તો પોતાની બહેન માટે વીંટી લઇને ગયા અને જેઠાણીના પિયર વાળાને વીંટી માટે જમીન ગીરવે મુકવી પડી.

રિવાજો વ્યવહારિક અને છેડે રહેલા વ્યકિતઓને નજરમાં રાખીને બનાવેલા હોવા જોઈએ. વર્ષો પહેલા દરેકની સ્થિતિ લગભગ સરખી હતી ત્યારે આ પ્રશ્ન નહોતો પણ અત્યારે તેમાં ઘણો તફાવત આવી ગયો થે. એક જ ઘરમા એક ભાઇ અધિકારી છે અને તેથી આર્થિક રીતે મજબુત છે, બીજો ભાઇ હજુ ગામડામાં મજુરી કરે છે. આવી સ્થિતિને આપણે સમજવી પડશે.


વિશેષ નોંધ: આ માત્ર નિરિક્ષણ છે. જે ઉદાહરણો આપ્યા છે તેને પોતાની પર લેવાની જરુર નથી. આવુ કેટલીય જગ્યાએ બીજા સમાજમાં પણ છે. આપણે શૈક્ષણિક અને આર્થિક મજબુત થઇ રહ્યા છે ત્યારે સામાજિક રીતે મજબુત થઇ શકીયે તે માટેનો આ નમ્ર પ્રયાસ છે. સમાજના બધા વડીલો આ સમજે અને આ દિશામાં નક્કર પગલા ભરે તે ઇચ્છનીય છે અને તેમને નમ્ર વિનંતી પણ છે. માફી સાથે

દિનેશ મકવાણા
૨૬/૭/૨૦૧૭ સવારે ૯.૦૦
અજમેર રાજસ્થાન

સીમંતોનયન - વણમાગેલુ દહેજ.

By Dinesh Makwana  || 25 July at 08:30

(Photo Source Google)

ગુજરાત ના જુદા જુદા વિસ્તારોમાં રોહિત સમાજ વસે છે. દરેક વિસ્તાર તેના સ્થાનિક પરગણાંમાં વહેંચાયેલો છે. દાત ૬૩૬ પરગણા, ૨૮૨ પરગણા, દશકોશી, ૫૨ પરગણા તે રીતે જુદા જુદા પરગણા છે. ગ્રુપમા બીજા સમાજના હોઇ શકે. હાલ પુરતી મે સમસ્યાનું ધ્યાન માત્ર રોહિત સમાજ તરફ કર્યુ છે.

મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં સીમંતમાં દાગીના પર કોઇ પ્રતિબંધ નથી. કોઇ મર્યાદા પણ નથી.

ગાંધીનગર, કડી, કલોલ, વિજાપુરમા વસેલા ૨૮૨ પરગણાનું બંધારણ કહે છે પોતાની શક્તિ પ્રમાણે સીમંતમાં આપવું

બાવળા, વિરગમગામ મા વસેલા રોહિતો સીમંત સમયે દાગીના ઘર માલિક કરતા વધુ બીજા સગા આપે છે. આ મારી નજરે જોયેલો અનુભવ છે.

૬૩૬ સમાજ કદાચ ગુજરાતના તમામ રોહિત સમાજોમાં સૌથી વધુ શિક્ષિત છે. કદાચ શ્રીમંત પણ હશે. (ભુલ હોય તો સુધારજો). એનું કારણ આ સમાજ મોટે ભાગે આણંદ, ખેડા જેવા ફળદ્રુપ વિસ્તારોમાં આવેલો છે. અમદાવાદ વડોદરા તો સ્થળાંતર કરીને વસ્યા હતા. સૌોથી વધુ બંધારણો આ સમાજમાં થયા છે.

આમ તો સીમંતમાં સાસરી પક્ષ તરફથી કોઇ માંગણી હોતી નથી. સીમંત મા શુ આપવું તે પિયર પક્ષ નક્કી કરે છે. પહેલા ગમે તે રીતે સૌથી વધુ રકમો કે દાગીના અપાતા હતા તેથી બહુ વિરોધ થયો એટલે વધુમાં વધુ ૧૧ દાગીના સુધી સીમંતમાં આપવાનું બંધારણ થયુ.

સીમંતમાં સીધી માગણી હોતી નથી પણ ગર્ભિત ધમકી હોય છે. આટલું તો આપવું પડશે કે દીકરી તેની સાસરીમાં સ્થાન જોઇને પિતાને આગ્રહ કરતી હોય છે તમારે આટલી દાગીના આપવા જ પડશે. કેટલા દાગીના આપ્યા તેના પરથી પિયર પક્ષ અને ખાસ કરીને જમાઇના સ્ટેટસ ની ચર્ચા થતી રહે છે. જો અપેક્ષા કરતા ઓછું મળે તો લોકો શુ કહેશે? આ લોકો વાતો કરશે તેવી માન્યતાએ આપણા સમાજમાં સૌથી વધુ દાટ વાળ્યો છે. તેથી કેટલાક તો સીધું કહી જ દેતા હોય છે મને લકી (સોનાનું હાથે પહેરવાનું ઘરેણ) તો આપવી જ પડશે.

ઘરમા પહેલી દીકરીના સીમંત આવી લકી આપી ના હોય અને બીજી દીકરી સમયે આપી હોય ત્યારે પહેલા નંબરના જમાઇ નારાજ થઇ જશે. એક નજીકના મારા મિત્રના બે બહેનના કેસમા આવુ થયુ. મોટા જીજાજી નારાજ થઇ ગયા એટલે ૩૦૦૦૦ રુપિયા જે ઉછીના આપ્યા હતા તે પાછા આપ્યા નહી. લકી પેટે તેમણે રાખી લીધા.

જમાઇને પોતાની સાસરીની આર્થિક સ્થિતિની ખબર હોય છે જ તેથી સીમંતમાં શુ આવી શકે કે કેટલું આવી શકે તે માટે માનસિક રીતે તૈયાર હોય છે.

૧૧ દાગીના આપવાની બાબતમાં પણ કેટલીક વાર અર્થઘટન ખોટું કરવામાં આવ્યુ. ખરેખર તો વધુમાં વધુ ૧૧ દાગીના આપવાની વાત હતી પણ હવે ૧૧ નો આંકડો નક્કી થઇ ગયો છે. વધારે નહી અને ઓછા નહી ૧૧ તો આપવાના જ.

અમિતાભ વાળા લેખમાં મે આ બાબતે ચર્ચા કરી હતી તેથી તેને પુનરાવર્તન નહી કરુ. જે સક્ષમ છે તેઓ પોતાની દીકરીને ૧૧ દાગીના સોનાના આપશે તો કશો વાંધો નથી. કેટલીય વાર તો એમ પણ કહેતા હોય છે, આપે જ ને, સધ્ધર છે. પણ આ દેખાદેખીમાં ગરીબ દેવાદાર થઇ જાય છે. એક નજીકના સંબંધીને ૭ બહેન છે. કલ્પના કરો, ક્યાંથી કરી શકે. કોઇ પણ સમાજના નિયમો સક્ષમ વ્યકિતઓ માટે નથી હોતા, તેઓ મનસ્વી રીતે તેમાં સુધારા વધારા કરવાના. પણ જેઓ આર્થિક રીતે નબળા છે તેમના માટે આ તકલીફદાયક બને છે.

એક સમય વચ્ચે તેવો પણ હતો સીમંતમાં કશુ લેવું જ નહી, આ ઉત્તમ સમય હતો પણ લાંબો ચાલ્યો નહી અને પાછું આપવાનું લેવાનું શરુ થઇ ગયું. કેટલીક ભાઇઓની સરખામણીમાં સીમંતમાં દાગીના આપવામાં મુશ્કેલી થાય છે. શહેરમાં રહેતા સારી નોકરી કરતા ભાઇએ પોતાની દીકરીને વધુ દાગીના આપ્યા હોય તો ગામડામાં રહીને મજુરી કરતા ભાઇ પણ દબાણ આવે છે. તેની ક્ષમતા કરતા વધુ આપવાની કોશિશ કરે છે.

સૌથી મહત્વની વાત સીમંતમાં ઓછું કદાચ મળ્યુ હોય તો ઘરમા નાના મોટા ખટરાગ થયા હશે પણ આજ સુધી કોઇએ સીમંતમાં ઓછા દાગીના મળ્યા છે તે બાબતે સાસરીના ત્રાસના કારણે કોઇ દીકરીએ આપઘાત કર્યો હશે તે મને યાદ નથી. કોઇને રિસાઈને આ કારણે જવુ પડ્યું નથી. કારણ કે આ દહેજ નથી.

મુળ વાત એ છે કે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી તમારી ક્ષમતા મુજબ જ આપો તેમાં કશુ ખોટું નથી પણ દેવું કરીને દેખાદેખીમાં વધારે આપશો તો તે દેવું તમારા ઘરમા અશાંતિ લાવશે. દીકરી અને જમાઇ એ આ સમજવું પડશે. શિક્ષણ માત્ર નોકરી કરવા માટે નથી. મિથ્યાભિમાનથી બહાર આવવું પડશે. હકીકતને સ્વીકારતા શીખવું પડશે.

ખાસ નોંધ: સમાજના રીતરિવાજ વિશે લખો ત્યારે ઘણા બધા નારાજ થઇ જાય છે. હુ સમાજ સુધારક નથી. હુ સમાજનો એક અદનો માનવી છુ. મને જે દેખાય છે તે તમને બધાને પણ દેખાય છે. મારી કોઇ હિંમત આ નિયમોને બદલવાની નથી. પણ સમાજના મોભીઓ આવુ બંધારણ કરવા બેસે ત્યારે આ બાબતનો ખ્યાલ રાખે તે આપણા સમાજના હિતની વાત છે. કેટલાય ઉદાહરણો તમારી આસપાસ છે જેનાથી તમે સાચી વાત સમજી શકો. આવા ઉદાહરણો મે જાણી જોઇને લખ્યા નથી કારણ કે બંધબેસતી પાઘડીમાં મિત્રોને તકલીફ થાય. રિવાજોનો વિરોધ હોઇ શકે જ નહી પણ તે કુરિવાજો ના બને તે ધ્યાનમાં રહેવું જરુરી છે. બોરિયાના એક વિદ્યાર્થી એ સમાજ સુધારક નામનું ગ્રુપ બનાવ્યું છે તેમાં જુદા જુદા વિચારો મુકવામા આવે છે. આ લેખ તે હેતુ માટે જ છે.

આ માત્ર અને માત્ર સામાન્ય નિરિક્ષણ છે. કોઇ મિત્રએ અંગત લેવું નહી. હુ તમારી સાથે, તમારી વચ્ચેનો છુ. મને પણ આ બધુ લાગુ પડે છે. આ કોઇ સુધાર માટેનો લેખ નથી.


દિનેશ મકવાણા
૨૫/૭/૨૦૧૭ સવારે ૮.૩૦
અજમેર

મૃત્યુ બાદનુ ભોજન- પહેલા અને અત્યારે

By Dinesh Makwana  || 24 July at 15:00

(Photo Source Google)

આ એક એવો વિવાદિત વિષય છે જેમાં મોટા ક્રાંતિવીરો પણ પોતાના વડીલોને નારાજ કરવાની હિંમત બતાવતા નથી. જવા દો, મારે શુ, ની ભાવના કુરિવાજોને પોષણ આપે છે.

ખાસ કરીને દલિત કે કચડાયેલા વર્ગમાં આ પધ્ધતિ છે અને કેટલાક બ્રાહ્મણોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. આપણી વાત કરીયે તો આજથી ૭૦ કે તેથી વધુ વર્ષ પહેલા મૃત્યુ બાદ સુકા સીધું આપવાની વ્યવસ્થા હતી. વાહનવ્યવહાર ની સગવડ ના હોય ત્યારે મૃત્યુના સમાચાર સાંભળીને તરત નીકળવું પડે, તેથી જેમના ઘેર મૃત્યુ થયુ હોય ત્યાં પહોંચતા જ રાત પડી જતી કે ઘણો સમય લાગતો, તે મોટે ભાગે કેટલે દુર જવાનું છે તેની પર આધાર રહે છે. જયા સુધી દરેક લૌકિક ક્રિયા પતે નહી ત્યાં સુધી ભુખ્યા રહેવું પડે. હવે આ ક્રિયા પુર્ણ થાય તેથી પાછા ફરતી વખતે આ સુકુ સીધું રસ્તામાં કામ લાગે અને તેમાથી ભોજન બનાવીને જમી શકાય.

થોડાક વાહનવ્યવહાર ની સગવડ થઇ એટલે તેમાં આપણે સુધારો કર્યો. આપણે હવે ઘરે જ ભોજન બનાવીને જમાડવાનું શરુ કર્યુ. વાત શોકની છે તેથી ભોજન સાદું હોવું જોઇએ પણ કેટલાક સક્ષમોએ તેમાં સુધારો કરીને થોડુક સારુ ભોજન બનાવવાની ચેષ્ટા કરી અને તે બહાને આપણે ત્યાં લાડવા આવ્યા. કેટલાય ઘરોમાં આખુ વરસ કે વરસો સુધી લાડવા નહોતા બનતા તેમના ઘરમા મૃત્યુ સમયે લાડવા બનવાની શરુઆત થઇ. આ જ મોટી મોકાણ છે. રિવાજ સમાજની સુરક્ષા માટે છે. રિવાજોના ડર થી કોઇ પણ વ્યકિત ગમે તે પગલું ના ભરે અને સમાજના બંધનમાં રહે તે માટે હતા. પણ રિવાજોમાં સુધારો મનમાની રીતે થયો અને તે ખાસ કરીને ગરીબ વર્ગને ભારે પડ્યો. પાછી આ વટવાળી પ્રજાએ દેવું કરીને બધાને લાડવાનું ભોજન કરાવ્યુ અને તે દેવું તેનો દીકરો પણ કેટલીક વાર ઉતારી ના શક્યો. દરેક કિસ્સાની વાત જુદી હોઇ શકે પણ સામાન્ય નિરિક્ષણ ના આધારે લખું છુ.

દીકરી આવે એટલે તેને જમાડીને કે કઇંક આપીને જ મોકલવી પડે. ભાવના ખોટી નહી પરંતુ તેનો સમય ખોટો છે. દરેક સમયે માતા અને પિતા મૃત્યુ પામે એટલે આ વ્યર્થ ખર્ચ આપણને કરવા માટે આપણા સગા સંબંધી કે આડોશી પાડોશી તેટલા જ જવાબદાર છે. આમાં કેટલાય બાધાને કારણે આ ભોજન ના કરે, તેમના માટે બીજાના ઘેર વ્યવસ્થા કરવી પડે.
ઓહ, આપણે આવુ કરતા? પણ હા.

જમાનો બદલાતો હયો, શિક્ષણ વધતું ગયું વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર પણ ઝડપી થયો. હવે માત્ર એક કલાકમાં તમામ સગા સંબંધીઓને મેસેજ થી જાણ કરી શકાય છે અને હવે લોકો ઝડપથી પહોંચી શકે છે અને આ ક્રિયા પતાવીને તે જ દિવસે પાછા ફરી શકે છે. હવે દરેકની પાસે ઓછો સમય છે, બીજી જવાબદારીઓ ઘણી છે. નાની નાની બાબતમાં નોકરીમાં રજા મળતી નથી. તેથી આ મૃતભોજન હવે માત્ર ફારસ થઇને રહી ગયું છે. કેમ રવિવારે બેસણુ ના રાખી શકાય. આ બધા પાખંડોમાંથી છુટવુ પડશે, નકામા રીતરિવાજો ને તોડવા પડશે. આ રિવાજ તમને ખોટા દેવું કરાવે તેને ફગાવી દેવા પડશે.

તમને તમારા માતા પિતા પ્રત્યે પ્રેમ હોય તો જીવતા હોય ત્યારે તેમની તમામ ઇચ્છાઓ પુરી કરો. બાકી તેમના ગયા પછી તમારા કાર્યોની કોઇ કિંમત નથી.

કેટલાક હિંમત કરી રહ્યા છે. કેટલાકે કોઇ બીજા જ સ્થળે માત્ર બેસણું રાખીને અને તે પણ ચોક્કસ સમય પુરતુ રાખીને રિવાજ બદલવાનો પ્રયાસ કર્યો છે. આવા વીરો વંદનને પાત્ર છે.

આની પહેલા લગભગ જાન્યુઆરી મા જ મે આવો લેખ લખ્યો હતો. બે જણાએ ફોન કરીને ગાળો આપી હતી, કેટલાકે સંબધ તોડી નાંખ્યા છે. કેટલાકે કડક ભાષામાં ઠપકો આપ્યો છે. પણ આ બધુ સહન કરીને પણ આજે ફરીથી મારી વાત લખી છે.

જે લોકો મૃતભોજન નથી કરતા તેઓ પણ વંદનને પાત્ર છે. કારણ કે બીજી રીતે આમાથી બહાર નીકળવાની પ્રેરણા આપે છે.

અમે જે ના કરી શક્યા તે નવી પેઢીએ કરવાનું છે તેથી નવી પેઢીને સમર્પિત

દિનેશ મકવાણા
૨૪/૭/૨૦૧૭ બપોરે ૩.૦૦
અજમેર