December 25, 2017

जब पुस्तक प्रेमी ने एक पुस्तक जलाया

By Social Media Desk




जब पुस्तक प्रेमी ने एक पुस्तक जलाया

आज 25 दिसंबर है न...

जी हाँ मैं बाबासाहब अम्बेडकर और मनुस्मृति की ही बात कर रहा हूँ

ब्राह्मणवाद के खिलाफ एक बहुत ही बड़ा क्रांतिकारी कदम जो इतिहास में दर्ज हो चूका है |

महाड महासंघर्ष का हिस्सा बनी हुई इस क्रांतिकारी घटना से कुछ ऐसी बाते भी जुडी हुई है जिसे आज के दिन  याद करना जरूरी है |

इस दिन के अवसर पर.....

मुस्लिम सज्जन फत्ते खान को याद करना जरुरी है क्योंकि  मनुवादियोने तो भरसक प्रयास किया था की मनुस्मृति दहन के इस क्रांतिकारी कार्यक्रम के लिए कोई मैदान ही न मिले; ऐसे में फ़तेह खान ने अपनी निजी जमीन Free of Cost दी थी |

मनुवादीयो ने  इस बात का भी ध्यान रखा था की वहां पर पानी, खाना और यहाँ तक की वहां तक पहुँचने के लिए कोई वाहन  भी न मिले |

इसीलिए तो.... 

स्वयं बाबासाहब को मुंबई से पदमावती नामक बोट से वाया धरमतार आने की बजाय दसगाँव पोर्ट से आना पड़ा था और वह भी 5 किलोमीटर तो चलना पड़ा था | क्योंकि कोई भी वाहन चालक मनुवादियों के विरोध के चलते  ले जाने के लिए तैयार न था |

कार्यकर्ता ओको पानी और खाना साथ लेकर आने के लिए कहा गया था |

कार्यकर्ताओ को शपथ दिलाई गई थी की....

1. मैं चातुर्वर्ण में विश्वास नहीं रखूंगा ।

2. मैं जाति आधारित भेदभाव को नहीं मानूंगा ।

3. मैं अश्पृश्यता को हिंदुत्ववादी अभिशाप मानूंगा और उसे ख़तम करने का हर संभव प्रयास करूँगा ।

4. मैं असमानता का विरोध करूँगा और खान-पान के किसीभी प्रतिबन्ध का पालन नहीं करूँगा ।

5. मैं इस बात को भलीभांति मानूंगा की अछूतों को भी मंदिर प्रवेश, जलसंसाधन, पाठशाला एवं अन्य सुविधाओ का समान अधिकार है |

बाबासाहब ने अपना ऐतिहासिक भाषण देते हुए... 

इस मीटिंग  की तुलना  24 जनवरी 1749 के दिन फ्रांस में मिली किंग 16th लुइ की मीटिंग के साथ की थी; जहाँ पर समानता की एक ऐसी ज्योत जली थी की जिसमे राजा रानी समेत कई सामंत जलकर खाक हो गए थे | और उसके बाद 15 साल तक फ्रांस में गृहयुद्ध चलता रहा |

 इस फ्रेंच क्रांति ने न केवल फ्रांस के लिए सुख समृद्धि की नींव डाली बल्कि समूचे यूरोप में क्रांतिकारी परिवर्तन लाया |

बाबासाहब ने यह भी कहा था की केवल मनुस्मृति को जलाने मात्र से ब्राह्मण्य ख़तम नहीं होगा; हमें हमारे अन्दर जो  ब्राह्मण्य ग्रस्त व्यक्ति है उसको भी जलाना होगा ।

यह भी कहा था की....

अश्पृश्यता को ख़तम करना है तो हमें अंतर्भोज एवं अंतरजातीय विवाह को मान्यता देनी होगी |

उन्होंने उच्चवर्णीयो को हिदायत देते हुए कहा था की.....  

वे इस सामाजिक क्रांति को रोकने की कोशिश न करे, न्याय के सिद्धांत के आधार पर उसे शांतिपूर्ण तरीके से  आकार लेने दे; अगर वे चाहते हे की भविष्य में सशस्त्र संघर्ष न हो |

25 दिसंबर 1927 के दिन रात 9 बजे 
बापुसाहिब सहस्त्रबुध्धे और अन्य 5-6 अछूत संतो के करकमलो से मनुस्मृति का दहन किया गया |

उस वक्त के प्रचार माध्यमो ने बाबासाहब को भीमासुर नाम से नवाजा था |

मगर बाबासाहब को इस बात की जरा से भी परवाह नहीं थी क्योंकि 

वे समता, स्वतंत्रता, बंधुता एवं न्याय के आन्दोलन को आगे ले जाने के लिए अपनी जान के किम्मत पर भी प्रतिबध्ध थे |

मनुस्मृति दहन दिन के इस ऐतिहासिक अवसर पर सामाजिक क्रांति की ढेर सारी मंगल कामनाए

ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા

By Jigar Shyamlan ||  25 December 2017 at 01:35 



મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
આજે 25 ડિસેમ્બર..!!
નાતાલ..! મોટાભાગના લોકોના મોંઢે આ શબ્દો સાંભળવા મળશે. 25 ડિસેમ્બર થી લઈ 31 ડિસેમ્બર સુધી મોટાભાગના સેલિબ્રેશન મોડમાં જ રહેવાના.
સેલિબ્રેશન અથાઁત ઉજવણી....!!
મસ્તી, મઝા અને આઝાદી. જેમ કરવું હોય અને જે કરવું હોય તે કરી શકવાની છૂટ. ઉજવણી એ તમે મુક્ત છો એ અહેસાસ કરાવતી એક અવસ્થા છે. 
પણ આજના આ ઉજવણીભયાઁ માહોલમાં તમને એ વાતની ખબર નહી હોય કે.., 25 ડિસેમ્બર એટલે પછાતો આઝાદ બની, મુક્ત બની, કોઈનીય રોકટોક કે કોઈ પાબંદી વગર આઝાદીથી ઉજવણી કરી શકે તે દિશામાં પછાતોને માનસીક અને સામાજિક ક્રાન્તિ કરી સક્ષમ બનાવવાની શરૂઆત કરવાનો પ્રથમ તબક્કો.
મિત્રો, આજે તમે હાલના જેવી આઝાદી ભોગવી શકો...,
શરાબ, બિયરના ગ્લાસને ચિયસઁ કરતા ટકરાવી મસ્તીમાં ઝૂમી ઝૂમીને ક્રિસમસ અને 31 ની ઉજવણી કરી શકો..
તમને ગમે તે રીતે સમાજમાં દરેકને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી શકો... 
તમે આ તમામ બધુ કરી શકો અને આ બધી બાબતો તમારા માટે હકીકત બને તે હેતુ ધ્યાનમાં રાખી એક માણસે એક પ્રબળ ઈચ્છા રાખી હતી.
પછાતોની મુક્તિ અને સ્વતંત્રતાના ધ્યેયની આવી ઈચ્છા રાખનાર માણસ એટલે "બાબા સાહેબ આંબેડકર" અને તે ધ્યેય સાકાર કરવા માટે તેમણે ઉઠાવેલ પહેલુ ચરણ એટલે મનુસ્મૃતિ દહન. આજના દિવસે 25 ડિસેમ્બરે બાબા સાહેબે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વો દ્વારા સ્થાપિત સામાજીક વ્યવસ્થા સામે પછાતોને આઝાદ કરાવવા સામાજિક આંદોલન ઉઠાવેલું.
જો માનવામાં ન આવતુ હોય તો તમારો ભૂતકાળ ફંફોસી લો.., ગુલામી અને દાસતાની બેડીઓમાં જકડાયેલા તમારા પુવઁજોના હાડપીંજરના ઢગલાઓ મળી આવશે. 
આ ગુલામીની જનક મનુસ્મૃતિએ સદીઓ સુધી શુદ્રોનું સામાજિક, આથિઁક અને માનસિક શોષણ કયુઁ છે. મનુસ્મૃતિ એક એવો ગ્રંથ જેણે સદીઓ સુધી સમાજના ચોક્કસ વગઁના બહુમતી સમાજના લોકોને શુદ્ર ગણાવી ધમઁની આડમાં શોષીત કરવા માટે વ્યવસ્થિત પીઠબળ પુરુ પાડ્યું.
મનુસ્મૃતિ એટલે બ્રાહ્મણોને બ્રહ્માના મુખથી, ક્ષત્રિયોને બ્રહ્માના બાહુથી, વૈશ્યને સાથળ અને શુદ્રોને પગમાંથી ઉત્પન્ન થયાનો દાવો કરી સમગ્ર શુદ્ર સમાજને માથે પરાણે ઠોકી બેસાડેલી અન્યાયી અને શોષણકારી ચાતુવણઁ સમાજ રચનામાં ની જનક.
મનુસ્મૃતિએ જ લોકોના ચાર વણઁ બનાવી તેમની વચ્ચે કામની પણ વહેંચણી કરી તે મુજબ બ્રહ્માના મુખેથી પેદા થયેલ બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગણાવાઈ તેમને ભણવાનું અને ભણાવાનું, યજ્ઞો-હવનો અને પૂજા પાઠ કરવાનું કામ સોપી રીતસર લહાણી કરવામાં આવી.... ક્ષત્રિયોનું કામ રાજ્યનુ રક્ષણ કરવાનું.... વૈશ્યોને વ્યાપાર પર એક હથ્થુ શાસન કરવાનું અને શુદ્રોને માત્ર અને માત્ર ઉપરના ત્રણેય વગઁના લોકોની સેવા કરવાનું કામ પરાણે લાદવામાં આવ્યું.... બસ અહીંથી જ ઘોર અન્યાયની શરુઆત થઈ જે સદીઓ સુધી ચાલતી રહી.
મનુસ્મૃતિ થકી પછાતોના આજિવન શોષણ માટે એક એવી સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી વળી એને ધમઁનું રક્ષણ આપી આ વ્યવસ્થા કાયમી રહે તે માટે શક્ય તમામ પગલા લેવાયા. મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનું બંધારણ ગણાતી હતી. તેમાં બતાવેલ કાયદાઓ અમલી હતા. આમાં પછાતોને કોઈ પણ પ્રકારનો હક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. મનુસ્મૃતિના પાને પાને શુદ્રોનું અપમાન કરવામાં આવ્યું છે.
આવા અન્યાયી ગ્રંથથી સમાજ સદીઓ સુધી પિડાતો રહ્યો એટલે બાબા સાહેબે આજના દિવસે 25 ડિસેમ્બરે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વોના પાયાઓ હચમચાવવાની શરૂઆત કરેલી...
મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
બાબા સાહેબે શરૂ કરેલ ક્રાન્તિ રાખના ઢગલામાં દબાઈ ગયેલ માત્ર એક ચિનગારી બનીને ન રહી જાય એ માટે સમયાંતરે એની પર ફુંકો મારતા રહીને ચિનગારીને ભભકતી જ્વાળા બનાવી રાખવાની છે. જ્યાં સુધી વ્યવસ્થા પરિવતઁન અને બાબા સાહેબનું મિશન પુરૂ ન થાય ત્યાં સુધી.
ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા...