June 20, 2018

હમ આપકે હૈ કૌન

By Raju Solanki  || 04 April 2018


ગઈ કાલે (On 03 April 2018)  ઇટીવીની ડીબેટમાં કોંગ્રેસ અગ્રણી, પૂર્વ આરોગ્યમંત્રી ડો. દિનેશ પરમાર મળ્યા. એમણે મને પૂછ્યું, “તમે કોણ?” મેં કહ્યું, “પચીસ વર્ષ પહેલાં જામનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખસેડવાના મુદ્દે દલિતોએ ઉગ્ર પ્રતિક્રિયા આપેલી, એમનું નૈતિક મનૌબળ તોડવા ભયાનક પોલિસ દમન થયેલું અને તમારી (ડો. દિનેશ પરમારની) સામે પણ પોલિસ ફરીયાદ થવાની સંભાવનાઓ હતી ત્યારે ‘ગુજરાત ટુડે’ દૈનિકના સંવાદદાતાની હેસિયતથી મેં તલસ્પર્શી અભ્યાસના અંતે સઘન કવર સ્ટોરી કરી હતી અને દૈનિકની એ નકલો આપે ગુજરાત વિધાનસભામાં વહેંચી હતી, જબરજસ્ત ઉહાપોહ થયો હતો અને તેને કારણે દલિતો સામેના કેસો પાછા ખેંચાયા હતા. એ નાચીઝ પત્રકાર હું રાજુ સોલંકી.”

મારી વાત સાંભળીને દિનેશભાઈએ મારી સાથે ઉમળકાથી હાથ તો મીલાવ્યા, પરંતુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા. કોંગ્રેસી મહાનુભાવોની યાદદાસ્ત આટલી કમજોર કેમ? શું એમને માત્ર નેહરુ ખાનદાનના ગોરા, ચીકણા યુવરાજો જ યાદ રહેતાં હશે? મારા જેવા ફટીચર, કાળા, કોમનમેન કેમ યાદ નહીં રહેતા હોય? અને શું હવે કોંગ્રેસની જ જેમ ભાજપ પણ સત્તા પર આવ્યા પછી દલિતોને વિસરી ચૂક્યું છે? તમારી પાસે આ પ્રશ્નોના જવાબો હોય તો મને કહેજો.

કૂતરાનો ધર્મ


By Raju Solanki  || 08 April 2018


મહેસાણાના પાંચોટ ગામે ‘માઢની પાટી કુતરીયા ટ્રસ્ટ’ના નામે 21 વીઘા જમીન ગામના પટેલોએ કૂતરાઓ માટે ફાળવી છે. એક વીઘાની રૂ. 3.5 કરોડ કિંમત છે. જમીનમાં થતી ખેતીની તમામ આવક સિત્તેર કૂતરાઓને આપવામાં આવે છે. કૂતરીયા એટલે કૂતરીઓ માટે ફાળવાતી જમીન. છગન પટેલ ટ્રસ્ટના પ્રમુખ કહે છે કે વિચાર જીવદયામાંથી પ્રગટ્યો છે.

આ દેશમાં માણસો ભિખારી છે અને કૂતરા કરોડપતિ છે. દલિતો, ભૂમિહીન ખેતમજુરો જમીન માટે વલખાં મારે છે અને કૂતરાઓ જલસા કરે છે. આ છે સાચું હિન્દુત્વ. ખરેખર તો કૂતરાઓના નામે ભ્રષ્ટાચાર કરવાની આ યુક્તિ જ છે.
(ટાઇમ્સ ઑફ ઇન્ડીયા, તા. 8 એપ્રિલ, 2018ના એક અહેવાલના આધારે)

भानुभाई का बलिदान

By Raju Solanki  || 10 April 2018



देश आझाद हूआ तब गुजरात के दुदखा गांव के दलित जाति के वणकर कुबेर दला और फकीर डोसा के पास करीब 9 हैक्टर जमीन थी. उस वक्त गुजरात बोम्बे स्टेट का हिस्सा था. 1955 में कांग्रेस सरकार ने परचुरण इनामी नाबूदी अधिनियम, 1955 के तहत इन दलितों की जमीन सरकार के क़ब्जे में ले ली. याद रहे, इसी कांग्रेस सरकार ने एक साल बाद 1956 में लेन्ड टेनन्सी कानून के तहत सौराष्ट्र के 55,000 पटेल किसानों को दो लाख एकड जमीन का स्वामित्व दे दिया था.

1955 से लेकर 1995 तक. चालीस साल गुजरात में कांग्रेस की लीबरल, डेमोक्रेटिक, सेक्युलर, प्रगतिशील, दलित-मित्र सरकार थी. किसीने इन गरीब दलितों को इनकी जमीन वापस देने का कोई प्रयास नहीं किया. उस वक्त झीनाभाई दरजी थे, बडे दलित-मित्र. बीस मुद्दा अमलीकरण समिति के अध्यक्ष. उन्हों ने भी कुछ नहीं किया. वणकर कुबेर दला सरकारी कचहरियों के चक्कर काटते काटते मर गए. उनकी बेटी हेमाबेन अब इस जमीन के लिए लडने लगी. 1995 के बाद गुजरात में भाजप की सरकार आई. हिन्दु हीत की बात करेगा, वही देश पर राज करेगा, नारा देनेवाली सरकार. उसने भी कुछ नहीं किया. बेचारी हेमाबेन भी सरकारी कचहरियों के चक्कर काटते काटते बूढ्ढी हो गई.

एक दिन एक सेवा-निवृत्त सरकारी कर्मी भानुभाई उनके पास गए. उन्हों ने उनका केस हाथ में लिया. वे भी अब सरकारी दफ्तरों के चक्कर काटने लगे. एक दिन भानुभाई के शब्र का पियाला भर गया. उन्हों ने अपने करीबी दोस्तों को बोल दिया, मैं अब आत्मविलोपन करुंगा. सरकार हमारा सूनती नहीं है. अब मैं मेरी जान दे दुंगा. अपने वचन के पक्के भानुभाई ने पाटन कलेक्टर कचहरी के सामने ही अपने शरीर पर ज्वलनशील पदार्थ छीडककर जलकर अपने प्राणों की आहूती दे दी. पूरे देश में भूचाल आ गया. लोग सडकों पर आ गए. कई दिनों तक उनका मृतदेह लेकर उनकी पत्नी गांधीनगर में बैठी रही. तब सरकार ने इस जमीन, जो 1955 से दलितों से छीनी गई थी, वापस देने का फैंसला किया.

यह पूरी कहानी मैं आज फिर इस लिए दोहरा रहा हूं कि भानुभाई की मौत के लिए कांग्रेस औऱ भाजप दोनों जिम्मेदार है. दोनों पक्ष दलितों के जजबातों से खिलवाड करते हैं. दोनों के लिए दलितों के मुद्दे फुटबोल जैसे है, जब चाहो उछालो. सत्ता पर आने के बाद भूल जाओ. हमें यह याद रखना पडेगा, वर्ना भानुभाई जैसे लोग शहीद होते रहेंगे और हम वहीं के वहीं रहेंगे.

દલિત-વિદ્રોહ વટવૃક્ષ બનીને ઉગવાનો છે

By Raju Solanki  || 11 April 2018


ઘણા લોકોને એ સમજાયું નહીં કે બીજી એપ્રિલે આટલા બધા લોકો હાથમાં વાદળી ઝંડા લઇને કઈ રીતે નીકળી પડ્યા? ‘જય ભીમ’ના નારા સાથે એમણે ટ્રેનો રોકી, રસ્તા રોક્યા, પોલિસનો સામનો કર્યો, ધરપકડો વહોરી, ગુંડાઓની ગોળીઓ છાતીમાં ખાધી. કઈ રીતે થયું? આમ અચાનક? શું આ લોકો 2019માં નેહરુ ખાનદાનના યુવરાજ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા હતા? ના. હરગીઝ નહીં.

આ તો એક દાવાનળ હતો, જે દાયકાઓથી ઉપખંડ જેવા એક વિશાળ દેશની સૌથી દબાયેલી કચડાયેલી પ્રજાની સામૂહિક ચેતના (collective consciousness)ની ભીતરમાં ભભૂકતો હતો. તમે સપાટી પર જે ધૂમાડો જોયો એનાથી આ દાવાનળની તીવ્રતાનો તમને લગીરે ખ્યાલ નહીં આવે.

અને જો તમે ‘આંબેડકરી ચળવળ’ નામની એક યુગપ્રવર્તક ઘટનાને જાણતા-સમજતા ના હો, તો તમને સહેજ પણ નહીં સમજાય કે છેલ્લા સો વર્ષની એક મહાન, સાતત્યપૂર્ણ, દૂરોગામી અસરો ધરાવતી ચળવળનું આ પરીણામ છે, જેમાં હજારો નિ:સ્વાર્થ, પ્રતિબદ્ધ લોકોએ પોતાનો લોહી-પસીનો રેડીને એમના સૂતેલા સમાજને જગાડવા દિવસ-રાત મહેનત કરી છે. આ એવા લોકો છે જેમના નામ તમે મીડીયાની હેડલાઇન્સમાં વાંચ્યા નથી, ટીવીની ડિબેટોમાં સાંભળ્યા નથી. એ લોકો સાચા અર્થમાં મારા, તમારા સમાજના unsung heroes છે. વીસ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતી, સમગ્ર દેશમાં પથરાયેલી અનુસૂચિત જાતિઓને એક માળામાં પરોવવા આ મહાનાયકોએ એમની જિંદગીઓ કુરબાન કરી છે.

શેખર ગુપ્તા, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ, ઉર્મિલેશ, ભાનુપ્રતાપ મહેતા જેવા મનુસ્ટ્રીમ મીડીયાના કહેવાતા પ્રબુદ્ધ (enlightened) પત્રકારો આ આંબેડકરી ચળવળને ‘સેક્યુલર, ડેમોક્રેટિક, લીબરલ, લેફ્ટ’ની પરીભાષામાં સમજવા અને સમજાવવા હાલ રીતસર તરફડીયા મારી રહ્યા છે. કેમ કે, એમના તમામ શુભાશયો છેવટે તો આવા દલિત-વિદ્રોહને કોંગ્રેસની મતપેટી સુધી જ સીમિત રાખવાની મથામણનો ભાગ છે. પણ મને કહેવા દો, આ દલિત-વિદ્રોહ ‘લેફ્ટ-રાઇટ’ના આભાસી વૈચારિક દ્વન્દ્વથી પર, કોંગ્રેસ-ભાજપના રાજકીય ધ્રુવીકરણથી દૂર દલિત-બહુજનની ભાગીદારીની નક્કર જમીન પર વટવૃક્ષ બનીને પાંગરવાનો છે.



- Raju Solanki

મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.

By Raju Solanki  || 12 April 2018



“મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.” આ ના ચાલે.

ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ભાજપનો કોઈપણ નેતા હાથ લગાડશે તો અમે તેનો વિરોધ કરીશું, આવો એક કૉલ અપાયો છે.

કેટલાક લોકોએ આ કૉલ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓ કહે છે, 14મી એપ્રિલ દલિતોની દિવાળી છે. 14મી એપ્રિલ દલિતોના પરમ પૂજ્ય બાબાસાહેબનો જન્મ દિવસ છે. આ દિવસે તો બધાને આવકારવા જ જોઇએ. વગેરે વગેરે.

ઘણા લોકો જૈનોનો દાખલો આપે છે. જૈનો પણ લઘુમતી દરજ્જા માટે લડતા હતા. એમણે એમના આંદોલન દરમિયાન ક્યારેય એવું કહ્યું કે, “કોઇપણ રાજકારણીને અમારા મહાવીર સ્વામીને હાથ નહીં લગાડવા દઇએ.” મહાવીર સ્વામીનો ક્યારેય રાજકારણમાં ઉપયોગ થયો? મહાવીર સ્વામી રાજકારણથી પર છે. મહાવીર જયંતીએ રાજકારણ રમવાનું ના હોય.

આ જ દલીલ, આ જ તર્ક બાબાસાહેબની જયંતીને લાગુ ના પડે?
લાગુ પડે જ. ચોક્કસ.

પણ પહેલા એ સવાલેય પૂછો કે, મહાવીર સ્વામીએ કોંગ્રેસ કે ભાજપ વિષે કંઈ કહ્યું છે ખરું? મહાવીર સ્વામીએ તો ‘મોક્ષ’ મેળવવા મથતા ‘મુમુક્ષુઓ’ને માર્ગ ચીંધ્યો છે. મહાવીર સ્વામીએ તો આ લોક કરતા પરલોકની વધારે ચિંતા કરી છે. મહાવીર સ્વામીએ ‘જાતિ નિર્મૂલન’ (Annihilation of caste) કે પછી ‘કોંગ્રેસ અને ગાંધીએ અછૂતો માટે શું કર્યું?’ (What Congress and Gandhi have done to the untouchables?) એવા કોઈ પુસ્તકો લખ્યા નથી.

એટલે, દોસ્તો. તમે મહાવીર સ્વામીના નામે રાજનીતિ રમો કે ના રમો. કોઈ ફેર પડતો નથી. પરંતુ જ્યારે તમે બાબાસાહેબના નામે રાજનીતિ રમવા જાવ ત્યારે થોડું ધ્યાન રાખજો. બાબાસાહેબ બહુ અઘરા છે. એમને પચાવવા માટે કોંગ્રેસી કે સંઘી હોજરી ના ચાલે. હોજરીમાં કાણાં પડી જાય. 
તમે નામ લો બાબાસાહેબનું અને કામ કરો કોંગ્રેસ-ભાજપનું. એ ના ચાલે.
“મુખ મેં જય ભીમ ઔર બગલ મેં કોંગ્રેસ-ભાજપ કી મુહિમ.” આ ના ચાલે.

- Raju Solanki

ગાંધી અને કોન્ગ્રેસના કાવાદાવા

By Jigar Shyamlan ||  14 March 2018 


"હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો." 
- બાબા સાહેબ આંબેડકર
==================================
અગાઉ સળંગ બે પોસ્ટ  ગોળમેજી પરીષદ વિશેની હતી. 
ગોળમેજી પરીષદ શેના માટે હતી. અસ્પૃશ્યોના અધિકારો માટે કેટલી મહત્વની હતી તે બાબતની માહીતી હતી. બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજીએ કેવી રીતે ચાલાકીઓ કરી બાબા સાહેબની માંગણી મુજબ અસ્પૃશ્યોને અલગ મતાધિકાર ન મળે તે માટે અનેક કાવાદાવા કરેલા તે વિશેની માહીતી હતી.

ગાંધીજીના આટલા બધા પ્રયાસો કરવા છતા બાબા સાહેબ

(1). ભારતમાં અસ્પૃશ્યોને સદીઓથી કેવી પીડા સહન કરવી પડી રહી છે..??

(2).ભારતમાં અસ્પૃશ્યોનું ધર્મ આધારીત જાતિવ્યવસ્થાથી કેટલી હદે શોષણ થઈ રહ્યુ છે..??

(3). ભારતમાં અસ્પૃશ્યોને કોઈ પણ પ્રકારના માનવ અધિકારો આપવામાં આવતા નથી.

આ બધી બાબતો બ્રિટીશ વડાપ્રધાન અને મંત્રી મંડળને સમજાવવામાં બાબા સાહેબ સફળ રહ્યા હતા.

એટલે બ્રિટીશ વડાપ્રધાન રામ્સે મેકડોનલ્ડે ગાંધીજીનો ભારે વિરોધ હોવા છતાં કમ્યુનલ એવોર્ડની (કોમી ચૂકાદો) ઘોષણાં કરી જેમાં અસ્પૃશ્યોના અલગ મતાધિકારની માંગણીઓ સ્વિકારવામાં આવી હતી.

ગાંધીજી અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર મળે તેવું શરૂઆતથી જ ઈચ્છતા ન હતા. અસ્પૃશ્યોને આ અલગ મતાધિકાર ન મળે તે માટે બીજી ગોળમેજી પરિષદમાં એમણે ઘણાંય કાવા દાવા કર્યા હતા. પણ ફાવ્યા ન હતા. એટલે આ મતાધિકારની માંગણી સ્વિકારાતા જ ગાંધીજીએ તેના વિરોધમાં આમરણાંત ઉપવાસની ઘોષણા કરી અને રાજકીય દૌડધામ શરૂ થઈ ગઈ.

ગાંધીજીએ અહીં પણ એક મોટી છલના કરી હતી. માત્ર કહેવા પુરતા જ તેમજ દેખાડવા પુરતા જ ગાંધીજી આ કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં ઉપવાસ પર બેઠા. 
પણ હકીકતમાં ગાંધીજી કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં નહી પણ તે અંતર્ગત અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકારનો વિરોધ કરી રહ્યા હતા. કારણ પરીષદ પહેલા ગાંધીજી જેને જે પણ જોઈયે તે આપવા રાજી હતા. મુસ્લિમોની ચૌદ સુત્રીય માંગણી, શીખો અને એગ્લોં ઈન્ડીયનોને આપવાના અધિકારો આ બધી બાબતે રાજી હતા, સંમત હતા. ગાંધીજીનો વિરોધ ફક્ત અને ફક્ત અસ્પૃશ્યો માટે બાબા સાહેબે માંગેલા અલગ મતાધિકાર બાબતે જ હતો.

ગાંધીજીના ઉપવાસના પાંચ દિવસ પહેલા મદન મોહન માલવિયાની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે પરિષદ યોજાવાની હતી પણ પાછળથી એ પરિષદ મુંબઈમાં યોજાઈ. આ પરિષદમાં સમગ્ર ભારતના હિન્દુ નેતાઓ હાજર હતા. તેમાં બાબા સાહેબને પણ બોલાવવામાં આવેલા.

આ બેઠકમાં બાબા સાહેબે પોતાના વિચાર સ્પષ્ટ કરતા દ્રઢતાપૂર્વક કહ્યુ હતુ કે--
'' હું ગમે તે વિષયમાં વિચાર વિમર્શ કરવા તૈયાર છું પરંતુ અસ્પૃશ્યોના અધિકારમાં કોઈપણ પ્રકારનો કાપ સ્વિકારવા તૈયાર નથી. દુ:ખની વાત એ છે કે ગાંધીજી માત્ર અસ્પૃશ્યોના અલગ મતાધિકારનો વિરોધ કરે છે, અને તેના માટે આત્મદ્રોહ કરવા ઈચ્છે છે. જે કમ્યુનલ એવોડઁમાં મુસલમાન, શીખ, એંગ્લો ઈન્ડીયન, યુરોપિયનોને પણ અલગ મતાધિકાર આપવામાં આવ્યો છે, જેનો વિરોધ કરતા નથી. મહાત્માજી કોઈ અમર વ્યક્તિ નથી અને કોન્ગ્રેસ પણ અમર નથી. આભડછેટ મટાડવા અને અસ્પૃશ્યોને હિન્દુ સમાજમાં ભેળવવાના ધ્યેયવાળા ઘણા મહાત્મા ભારતમાં થયા છે પરંતુ બધા જ પોતાના મિશનમાં સફળ થયા નથી. મહાત્મા આવ્યા અને ગયા બિચારા અસ્પૃશ્યો કાયમ દુ:ખી અસ્પૃશ્ય જ રહ્યા.''

ગાંધીજીના આ વિરોધ કરવાની વૃત્તિ બાબતે બાબા સાહેબે આગળ કહ્યું હતુ કે -
"આ બાબતે ખલનાયકની ભૂમિકા મારે માથે આવી પડી છે. પરંતુ હું જેને મારૂ પવિત્ર કર્તવ્ય માનું છું તેમાંથી સહેજ પણ પાછી પાની નહી કરૂ. હું મારા લોકોનો વિશ્વાસઘાત કદાપી નહીં કરૂ. પછી ભલે તમે લોકો મને નજીકના વીજળીના થાંભલે ફાંસીએ લટકાવી દો. તમે કોરા સિધ્ધાંતવાદી પંડિત અને દેશભક્ત લોકો જો અમને તમારા પોતિકા ના ગણતા હોય તો અમારા ઉપર સંયુક્ત મતાધિકાર લાદવાનો અને તમારા ધર્મ સાથે અમને ચોંટાડી રાખવાનો પણ કોઈ અધિકાર તમને નથી''

બાબા સાહેબ અસ્પૃશ્યો માટે ભારે સંઘર્ષ અને મહામહેનતે મેળવેલ અલગ મતાધિકાર ગૂમાવવા માંગતા ન હતા. બીજી બાજુ ગાંધીજી આમરણ ઉપવાસ કરીને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.

કોન્ગ્રેસ અને તેમના ચમચાઓ દેશભરમાં બાબા સાહેબનો વિરોધ કરી રહ્યા હતા. જાતિવાદી છાપાઓ પણ બાબા સાહેબને વિલન ચીતરી રહ્યા હતા.

ગાંધીજીની તબીયત લથડતી જતી હતી. ગાંધીજીનો જીવ જોખમમાં હતો. કોન્ગ્રેસના મોટાભાગના રાજનેતાઓ વારંવાર બાબા સાહેબને ગાંધીજીનો જીવ બચાવી લેવા સમજાવી રહ્યા હતા. વિનંતીઓ કરી રહ્યા હતા. બીજી તરફ બાબા સાહેબને દેશભરમાંથી ધમકીઓ આપવામાં આવી રહી હતી. પણ બાબા સાહેબ ઝૂકવા તૈયાર ન હતા.

ત્યારબાદ દેશભરમાં અસ્પૃશ્યો પર હિંસક હૂમલાઓ થવાનુ શરૂ થયું. અનેક જગ્યાએથી અસ્પૃશ્યોને જીવતા સળગાવી દેવાની તેમજ તેઓના સામૂહીક કત્લેઆમ કરી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

બાબા સાહેબને પોતાના જીવની સહેજપણ પરવાહ ન હતી પરંતુ જો ગાંધીજીના જીવને નુકશાન થાય તો અસ્પૃશ્યોની સામુહીક કત્લેઆમ કરી દેવામાં આવે એવો માહોલ બની રહ્યો હતો.

આ કલ્પના બાબા સાહેબને ભારે ડરાવી રહી હતી. કારણ અસ્પૃશ્યો વગર અધિકારની કોઈ કિંમત ન હતી.
આખરે અસ્પૃશ્યોના હિત ખાતર હ્યદય પર પથ્થર મૂકીને બાબા સાહેબ ગાંધીની વાત માનવા તૈયાર થયા.
પછી બાબા સાહેબ અને ગાંધી વચ્ચે પૂનાની જેલમાં એક સમજૂતી થઈ જે પૂના કરાર નામે ઓળખાય છે. જેમાં બાબા સાહેબને અસ્પૃશ્યોને મળેલ અલગ મતાધિકાર જતો કરવો પડ્યો. તેના બદલે અસ્પૃશ્યો માટે સંવિધાનમાં કેટલાક ખાસ અધિકાર આપવાની બાંહેધરી કે ખાતરી આપવામાં આવી હતી.

ઈતિહાસ ગવાહ છે. ગાંધીજીનો જીવ બચાવવા માંટે કરવામાં આવેલ પુનાકરારના પરિણામે અસ્પૃશ્યોએ ઘણું ગુમાવવું પડ્યું. જેનો બદલો મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધી ફરી અવતાર લે તો પણ ચુકવી શકાય તેમ નથી.
#ગાંધી_કોન્ગ્રેસના_કાવાદાવા
- જિગર શ્યામલન