June 20, 2018

કૂતરાનો ધર્મ


By Raju Solanki  || 08 April 2018


મહેસાણાના પાંચોટ ગામે ‘માઢની પાટી કુતરીયા ટ્રસ્ટ’ના નામે 21 વીઘા જમીન ગામના પટેલોએ કૂતરાઓ માટે ફાળવી છે. એક વીઘાની રૂ. 3.5 કરોડ કિંમત છે. જમીનમાં થતી ખેતીની તમામ આવક સિત્તેર કૂતરાઓને આપવામાં આવે છે. કૂતરીયા એટલે કૂતરીઓ માટે ફાળવાતી જમીન. છગન પટેલ ટ્રસ્ટના પ્રમુખ કહે છે કે વિચાર જીવદયામાંથી પ્રગટ્યો છે.

આ દેશમાં માણસો ભિખારી છે અને કૂતરા કરોડપતિ છે. દલિતો, ભૂમિહીન ખેતમજુરો જમીન માટે વલખાં મારે છે અને કૂતરાઓ જલસા કરે છે. આ છે સાચું હિન્દુત્વ. ખરેખર તો કૂતરાઓના નામે ભ્રષ્ટાચાર કરવાની આ યુક્તિ જ છે.
(ટાઇમ્સ ઑફ ઇન્ડીયા, તા. 8 એપ્રિલ, 2018ના એક અહેવાલના આધારે)

No comments:

Post a Comment