June 12, 2017

RTE कानून को अपनी बपौती समजना बंध करो




अहमदाबाद के रायपुर दरवाजा विस्तार मे स्थीत कांतोडीया वास मे रह रही देवीपुजक समाज की छठ्ठी क्लास की दो बच्चीओ के वालिदैन के पास से जबरदस्ती से आवेदन लीखवाकर महीपत राम रुपराम आश्रम संचालीत जी.सी.प्राथमीक स्कुल ने लीवींग सर्टीफीकेट दे दीया. 
लोगो ने ये बात राजु सोलंकी के ध्यान मे लाते ही उन्हो ने फौरन स्कुल पर पहुंचकर ईस बात का तगडा विरोध दर्ज कीया. वहा हाजीर समाज के कुछ जागृत लो्ग तुरंत ही राजु सोलंकी के साथ  जुड गये और स्कुल के सामने प्रदर्शन और नारेबाजी की. "पढने दो... पढने दो... हमारी बच्चीओ को पढने दो..." ईस गगनभेदी नारे के साथ लोगो ने संचालको के रवैये पर ऐतराज जताया. राहदारी लोगो ने भी अन्याय होता देख प्रदर्शनकारीओ का साथ दीया. राजु सोलंकी ने दृढ़ता के साथ संचालको को आरटीई की कायदा पोथी दीखाई और उनको एहसास दीलाया की अब उनकी मनमानी नही चलने वाली. राजु सोलंकी ने बच्चीओ के परीवार वाले और कुछ सामाजिक कार्यकर्ताओ ने मील कर संचालको की तंद्रा तोड दी. संचालको को तुरंत ही दोनो बच्चीओ को स्कुल मे वापीस लेना पडा. समाज के जागृत वर्ग ने आज दो बच्चीओ को शिक्षण से वंचीत होते से बचा लीया. आज भी वंचीत तबक्के के लोगो के साथ ये अन्याय हो रहा है. अगर हम इन सब बातो का विरोध नही करेगे तो कोइ और भी नही करेगा ये बात हम को समज लेनी चाहीये. शीक्षा के बीना समजदारी संभव नही है और बच्चीओ की शीक्षा तो बहोत ही जरुरी है. डो आंबेडकर ने भी महीलाओ की शीक्षा का महत्व बताया है. 
आप की जागरूकता से वंचीत समाज के बच्चो का भवीष्य नीर्माण हो सकता है. पीछे मत हटीये और राजु सोलंकी जैसी हिम्मत और जसबा दीखाईये. राजु सोलंकी जैसे  हजारो लोग अपनी जीम्मेदारी समज के ईस कार्य को आगे बठाये तो कीतना फर्क पडेगा??
(Created By Vishal Sonara)

Facebook Post of Raju Solanki :-

માણસને શિક્ષણથી જ વંચિત કરી દેવામાં આવે તો શું થાય..????

જો અંધારામાં દિવો સળગાવવામાં આવે તો સળગતો દિવો પોતાની ક્ષમતા મુજબપોતાની પરિધ ની આસપાસના અંધકારને દુર કરી અજવાળુ રેલાવે છે. પણ એનો અથઁ એવો નથી કે આપણે અંધારાને સદંતર દુર કરી દીધુ. અંધકાર તો એમનો એમજ છે પણ આપણે દિવો સળગાવી અંધકારની એક પરિધી માત્રને અજવાળી છે. દિવો સળગાવવાથી આપણે અંધકાર અને અજવાળા વચ્ચેનો ભેદ સારી રીતે સમજીને ઓળખી શકીએ છીએ..
શિક્ષણ એ પણ આ દિવા જેવું જ એક એવુ પરિબળ છે જે માણસને ખોટા,નરસા, અને અયોગ્યરૂપી અંધકાર તેમજ સાચા, સારા અને યોગ્યરૂપી અજવાળા વચ્ચે ભેદ કરતા શીખવે છે. શિક્ષણનું મુખ્ય કાયઁ જ માણસમાં એક બૌધ્ધિક ચેતના પેદા કરી તેની સમજણને વિસ્તારીત કરવાનું છે.
ટુંકમાં જેમ દિવો સળગાવ્યા વિના અંધકાર અને અજવાળા વચ્ચેનો ભેદ પામી ન શકાય તેમ શિક્ષણ વિના માણસ સમજી શકતો નથી, વિચારી શકતો નથી. પોતાની સમજણ વિસ્તારીત કરી શકતો નથી.
એટલે જો કોઈ પણ માણસને ગુલામ બનાવવી હોય તો સૌથી પહેલા તેને શિક્ષણથી વિમુખ કરી દો.
માણસને આ શિક્ષણથી જ વંચિત કરી દેવામાં આવે તો શું થાય..????
જેમ કોઈ નાનુ બાળક સાચા-ખોટા, સારા-નરસા, યોગ્ય-અયોગ્ય વચ્ચે ભેદ જ ન પારખી શકે તદ્ન તેવી જ દશા શિક્ષણથી વંચિત વ્યક્તિની રહેવાની. કારણ શિક્ષણ વગર સમજણનો વ્યાપ જોઈયે તેટલો યોગ્ય રીતે વિસ્તરતો નથી. નાનપણમાં બાળકને જે કંઈ કહો, જે કંઈ બતાવો અને જે કંઈ શીખવાડો તેની એક અસીમ અને અમીટ છાપ આજીવન તેના દિલ દિમાગ પર રહે છે.
ટુંકમાં શિક્ષણ વિહીન માણસને તમે જે સમજાવો, જે બતાવો અને જે કંઈ કહો તેને જ તે સકળ માની લે છે.
બસ અસ્પૃશ્યો સાથે આવું જ કરવામાં આવ્યું હતું.
અસ્પૃશ્યો પર વિવિધ જાતના પ્રતિબંધ મુકવામાં આવ્યા. જાહેરમાં હરવા ફરવા પર, વસવાટ પર, જાહેર સ્થળોએ પ્રવેશ કરવા પર, શિક્ષણ મેળવવા પર, સારા વસ્ત્રો અને આભુષણો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા.
ટુંકમાં અસ્પૃશ્ય સમાજને શૈક્ષણિક, આથિઁક અને અન્ય સમાજથી સામાજિક રીતે સાવ વિમુખ કરી દેવામાં આવ્યો. તથા આ વ્યવસ્થાનો કોઈ વિરોધ ન થાય તે માટે તેને અત્યંત બારીકીથી ધમઁશાસ્ત્રો જોડવામાં આવ્યો. જેથી આ વ્યવસ્થા પર ઈશ્વરીય મહોર વાગી ગઈ.
વળી સમયાંતરે વિવિધ કલ્પનાપ્રચુર સાહિત્યો લખાતા ગયા અને સાચા ખોટાની વ્યાખ્યાઓમાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. આમ સમય વિતતા જતા આ રીતે શૈક્ષણિક અને સામાજિક રીતે વિમુખ થઈ ગયેલ અસ્પૃશ્યો પેઢી દર પેઢી પોતાની ભુતકાળની સંસ્કૃતિ, પરંપરા અને વૈભવ ભુલતા ગયા. અને શિક્ષાથી વંચિત રહેલ અસ્પૃશ્યો પેઢી દક પેઢી આ વ્યવસ્થાને સમજ્યા વિના, વિના વિરોધ વેંઢારતા રહ્યા.
એક વાત ખાસ નોંધનીય એ રહી કે સમાજમાં સમયાંતરે અનેક આંદોલનો થયા નવજાગરણ, નવચેતના, ભક્તિ, વિધવા વિવાહ, બાળલગ્ન વગેરે વિષયો પર ચળવળો ચાલી પણ અસ્પૃશ્યતા નીવારણ પર ધ્યાનાકષઁક કોઈ કામગીરી થયાના કોઈ ખાસ ઉલ્લેખ નથી.
આ વિષયમાં સવઁ પ્રથમ કોઈ ક્રાન્તિકારી કાયઁ જ્યોતિબા ફુલે દ્વારા કરવામાં આવ્યુ. એમણે અસ્પૃશ્યોમાં શિક્ષણની નવચેતના પ્રકટ કરી વિચારતા કરતા શીખવ્યું હતું.
આ શિક્ષણના પ્રતાપે આગળ જતા અસ્પૃશ્યો જેમ જેમ ભણતા ગયા તેમ તેમ ઉન્નતિના દરવાજા આપોઆપ ખુલતા ગયા.
- જિગર શ્યામલન




Facebook Post : -

બાબા સાહેબના બતાવેલ રસ્તા પર ચાલીશું તો એક જબરજસ્ત ક્રાન્તિ થશે જ : જિગર શ્યામલન

બાબા સાહેબના બતાવેલ રસ્તા પર ચાલીશું તો એક જબરજસ્ત ક્રાન્તિ થશે જ તેમાં મને તો કોઈ શંકા નથી..
પણ સારો વરસાદ પડવા માટે કેટલાક પરિબળો હોવા ખુબ જરૂરી છે. જેમ કે આકાશમાં સારા વાદળો બંધાવા જોઈયે સાથે સાથે હવામાં પુરતો ભેજ અને સારા પવનનો યોગ્ય સહકાર પણ મળવો જોઈયે.. આ બધાનો સુમોળ રચાય તો મુશળધાર વરસાદ પડે જ..
બસ આવું જ કંઈક બાબા સાહેબના વિચારોને લઈ આગળ વધી રહેલા તમામ આંદોલનોને એટલી જ લાગુ પડે છે..
કારણ હજીય પછાત સમાજના વાતાવરણમાં આંબેડકરી ક્રાન્તિને મુશળધાર વરસવા માટે બાબા સાહેબની વિચારધારારૂપી વાદળા જેવા જોઈયે તેવા બંધાયા નથી..
પછાત સમાજના મોટાભાગના લોકો જેટલી સિફસતાથી બાબા સાહેબે અપાવેલ આરક્ષણનો લાભ પચાવી ઓહીયા કરી ગયા તેટલી સરળતાથી બાબા સાહેબની વિચારધારાને પચાવી શક્યા જ નથી. તેઓ ન તો બાબા સાહેબને પુરેપુરા અપનાવી શક્યા કે ન તો મનુવાદી પરંપરાઓ ને છોડી શક્યા...
આવા લોકોને અપચો થઈ ગયો છે... માટે આવા લોકો નિયમિત રીતે અપરિપક્વ અને વણ પચાયેલ વિચારોરૂપી ગેસ છોડી વાતાવરણ દુષિત કરી રહ્યા છે...
સમાજમાં શિક્ષણ છે.... પણ મોટાભાગના શિક્ષીત લોકો તો જાણે બીજા કોઈ ગ્રહ પરથી ઉતરી આવેલ એલિયન આવીને વસ્યા હોય અને બાબા સાહેબના વિચારધારાની સમજણ જ ન પડતી હોય તેમ પોતાની જાતને સતત અળગી રાખી રહ્યા છે....
બીજી વાત સમાજમાં સંગઠન નથી. કારણ બધે જ બાર ભાયાને તેર ચોકા જેવી હાલત છે. સૌ ના હાથમાં એક જ ઝંડો હોવો જોઈયે એના બદલે સૌ પોતપોતાના નોખા નોખા ઝંડા પકડી ઉભા છે..
ત્રીજી અને મહત્વની વાત કે આપણાં આંદોલનમાં સંધષઁ કમ પણ ઘષઁણ જ્યાદા જોવા મળી રહ્યું છે..
આપણો સંઘષઁ બીજાના અધિકારોનુ હનન કરતો ન હોવો જોઈયે. આપણે કોઈનો સહારો લેવાની જરૂર નથી.. કોઈનો અંગત વિરોધ કરવાની જરૂર નથી.
જે પણ મિત્રો બાબા સાહેબમાં વિશ્વાસ રાખતા હોય તેઓને બસ એક જ વિનંતી છે કે પહેલા બાબા સાહેબને વાંચીએ... પોતાનામાં ક્રાન્તિનો એક તણખો પેદા કરીએ... અને પછી પોતાનામાં પેદા કરેલ એ તણખાથી પછાત સમાજના દરેકે દરેક વગઁના માણસમાં બીજો તણખો પેદા કરીએ.. બસ આ રીતે જે દિવસે બધા જ તણખાઓ ભેગા થઈ જશે તે દિવસે ભીમ ક્રાન્તિની એવી જ્વાળા ઉઠશે જેને જગતનુ કોઈ ફાયર ફાઈટર બુઝાવી નહી શકે....
જિગર શ્યામલનનાં જયભીમ.............



Facebook Post :-

અસ્પૃશ્યો પર અત્યાચાર એ કોઈ નવી બાબત નથી એક સનાતન સત્યની માફક એમના ઉત્પીડનની ઘટનાઓ સમયાંતરે ક્રમિક રીતે બહાર આવતી રહે છે.

''સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાની દિશામાં મોટી બાધા હોય તો એ દલિતોનુ ચુપ કે મૌન રહેવું છે''
- અમઁત્ય સેન, ( પ્રસિધ્ધ અથઁશાસ્ત્રી, નોબલ વિજેતા)
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
અસ્પૃશ્યો પર અત્યાચાર એ કોઈ નવી બાબત નથી. એક સનાતન સત્યની માફક એમના ઉત્પીડનની ઘટનાઓ સમયાંતરે ક્રમિક રીતે બહાર આવતી રહી છે.
મુળ આ ઘટનામાં ભોગ બનનાર પાત્ર એકનુ એક જાતિનું રહે છે.. પાત્ર બદલાતુ રહે છે તો માત્ર અત્યાચાર કરનારનું...
અત્યાચારોની પેટનઁ પણ સમય મુજબ બદલાતી રહી છે. પહેલા માત્ર વિવિધ અપમાનજનક શબ્દો દ્વારા માત્ર માનસિક અત્યાચાર કરવામાં આવતો..
બાદ અત્યાચાર શારીરીક શિક્ષા સ્વરૂપમાં બદલાયો આગળ જતા આ યાદીમાં સ્ત્રી સન્માન વિરૂધ્ધના ગુનાઓ પણ ભળ્યા.
પછી તેમાં આખા ગામના સામાજિક બહિષ્કાર જેવુ સમાજ જીવનને અસર કરતુ સીધુ તત્વ જોડાયું. અને છેક છેલ્લે હિજરત એક અંતિમ પયાઁય બની રહ્યો.
આ બધી વાતો અસ્પૃશ્ય સમાજ માટે નવી નથી. એમ બિન અસ્પૃશ્ય માટેય નવી નથી.
જો કે મહત્વનો પ્રશ્ન એ છે કે અસ્પૃશ્યો આવો અત્યાચાર શા માટે સહન કરતા રહ્યા....?
કારણ અત્યાચાર કરનાર કરતા એ સહન કરનાર મોટો ગુનેગાર છે.. એ થિયરી મુજબ અસ્પૃશ્યો અત્યાચાર સહન કરીને પણ ગુનેગાર બનતા રહ્યા.
સામાજિક એકતાનો અભાવ પણ આ અત્યાચારો થવા પાછળનુ મુખ્ય કારણ હોઈ શકે..
અસ્પૃશ્યો પર અત્યાચાર થાય છે.. તે વાત નિવિઁવાદ સત્ય હોવા છતાં આ ઘટના પોતીકી સામાજિક સંસ્થાઓ કે ભોગ બનનાર પરિવારજનો સિવાય બીજા કોઈ માટે ખાસ મહત્વપૂણઁ નથી હોતી.
ચુંટાયેલ સમાજના જ લોક પ્રતિનિધીઓએ પણ આ બાબતે સંતોષકારક હૈયાધારણા નથી આપી શક્યા.
કારણ સમાજ હો કે કોઈ પક્ષ અસ્પૃશ્યની હાજરી હોવાની ખાતરી માત્ર બંધારણીય પ્રતિનિધીત્વના રૂપે આપેલ જોગવાઈ પુરતી જ છે. ટુંકમાં કારતુસ વગરની બંદુકો..દાંત કે નહોર વિનાના વાધ.
શિક્ષણ વધ્યુ છે અને સોશિયલ મિડીયાનો સુંદર ઉપયોગ સામાજિક જાગૃતિ વધારવામાં મદદરૂપ રહ્યો. એટલે પહેલા જે ઘટના એક ગામ પુરતી સિમિત રહી જતી હતી તે સોશિયલ મિડીયા થકી દુનિયાભરના લોકો સુધી પહોંચી છે... એટલે તે ઘટનાના વિરોધમાં સમથઁન આપનારા પોતાના જ સમાજના લોકોય વધ્યા છે.
સામાજિક જાગૃતિ વધવાથી પહેલા ચુપચાપ સહન કરી લેતો સમાજ હવે વિરોધ નોંધાવનારો બન્યો છે. અને તેમાં સમાજના લોકોનુ સમથઁન પણ વધ્યું છે.
પણ દરેક સિક્કાની બે બાજુઓની જેમ અહીં પણ એક વાત ઉડીને આંખે વળગી રહી છે. જેમ અત્યાચારનો વિરોધ કરતા સમાજના લોકોની સંખ્યા વધી એમ જ આ અત્યાચારને કકળાટ ગણાવતા સુધરી ગયેલ અસ્પૃશ્ય સમાજના લોકોની સંખ્યા પણ કમ નથી.
અત્યાચારનો વિરોધ કરી રહેલા લોકોની પ્રવૃતિને કકળાટ ગણાવતા લોકો યોગ્ય કે અયોગ્ય તે નક્કી કરવાનું કામ મારૂ નથી. દરેકને પોતાના વિચાર રજુ કરવાનો હક્ક છે. પણ કકળાટ શબ્દ પ્રત્યે અણગમો છે. મારૂ એવું માનવુ છે કે કોઈ પણ માણસને આવું કહેવાનો નૈતિક અધિકાર નથી. સમાજના હિતમાં આયખુ ખરચી નાંખ્યુ હોય તેને પણ નહી..
નોબલ વિજેતા પ્રસિધ્ધ અથઁશાસ્ત્રી અમતઁસેને કહ્યું છે..સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાની દિશામાં મોટી બાધા હોય તો દલિતોનુ ચુપ કે મૌન રહેવું રહેવુ
સંવિધાનમાં કેટલાક અધિકાર મળ્યા. પણ હવે લાગે છે કે પીડા વ્યક્ત કરવાનો પણ હક્ક મળવો જોઈયે..જેથી એ કકળાટમાં ખપાઈ ન જાય
1. જ્યારે તમારા પોતાના જ યુવાન દિકરાની હત્યા થાય. અને હત્યારાઓને યોંગ્ય સજા કરવાની અપિલ અને તે માટે કરેલ પ્રયાસ કકળાટ છે..?
2. વરસોથી ખેડાતી પોતીકી જમીન પર માથાભારે તત્વો કબજો કરી તમને તગેડી મુકે તેનો વિરોધ કરવો કકળાટ છે..?
3. તમારી પત્ની.., બહેન કે દિકરીની છેડતી કરી સ્વમાન ભંગ થાય અથવા તો તેમની પર બળાત્કાર કરવામાં આવે ફરિયાદ કરવા છતા કંઈ પરિણામ ન આવે તો તે બદલ વિરોધ કરવો એ કકળાટ છે..?
4. કોઈ તમારો સામાજિક બહિષ્કાર કરી તમને હિજરત કરવા મજબુર કરે ત્યારે પોતાની વ્યથા રજુ કરવી કકળાટ છે..?
આ તો જેની પછેડી જાય એને ટાઢ વાય... એના જેવું છે.. બીજી પણ કહેવત છે વાંઝણી શું જાણે સુયાણીની પીડા...?
(ખાસ નોંધ વાંઝણી શબ્દ સ્ત્રીઓના કોઈપણ સ્વરૂપે અપમાન કરવા નહી પણ કહેવતમાં માત્ર અથઁ સમજવા પુરતો ઉપયોગ કરાયો છે. )
જે ભોગ બન્યુ તેને ખબર વેદના શું હોય તેના દુખમાં સહભાગી બનવાનુ સૌજન્ય ન દાખવી શકતા હોઈયે તો તેની પીડાભરી ચીસને કમસે કમ કકળાટ તો ન જ કહીએ...
જિગર શ્યામલનના જયભીમ........




Facebook Post :-

પહેલા કરતા આજે આપણી હાલત ઘણી જ સારી છે


આપણી પાસે સમાનતાનો અધિકાર છે...
બધે જ સ્વતંત્રતાથી કોઈ રોકટોક વિના મન ફાવે ત્યાં હરવા ફરવાનો અધિકાર છે....
અને સૌથી મોટી વાત આપણી પાસે શિક્ષા મેળવવાનો અધિકાર છે.....બાબા સાહેબ હંમેશા કહેતા- '' શિક્ષા શેરની કા દુધ હૈ... જો પીએગા વોહ દહાડેગા....''
શિક્ષણથી આપણે વાંચતા થયા.., વિચાર કરતા થયા..., તકઁ કરતા શીખ્યા.....,પ્રશ્ન પુછતા થયા...., અને સૌથી મહત્વની વાત કે લખતા થયા.....
આજે આપણી પાસે કલમની તાકાત છે.....
આજે તમે સાચા ખોટાનો ભેદ ઓળખી શકો છો... સાચાનું સમઁથન અને ખોટાનો વિરોધ કરી શકો છો....
હવે જરાક વિચારો.... જ્યારે આપણી શિક્ષાનો કોઈ અધિકાર ન હતો.... આપણી પાસે કલમની તાકાત ન હતી ત્યારે શું શું બની ગયું હશે........?
કદાચ તમને એનો અંદાજો પણ નહી હોય....
આપણી પર આક્રમણ કરી આપણી સંપતિ અને સંસ્કૃતિનો નાશ કરી દઈ.... આપણને બંધી અને ગુલામ બનાવી કેવા અત્યાચાર કયાઁ હશે...?
આપણને શુદ્રો ગણાવીને ન જાણે આપણું શોષણ કરવા કેવા કેવા રસ્તા બનાવ્યા હશે.....?
પોતાના પુવઁજો વિશે સારૂ સારૂ લખીને તેમને દેવો બનાવી હીરો બનાવી દીધા...... અને આપણાં પુવઁજોને રાક્ષસો બનાવી વિલન તરીકે ચિતરી દીધા........?
એ વખતે આપણાં પુવઁજોએ કદાચ વિરોધ પણ કયોઁ હશે... પણ આપણા પુવઁજોના વિરોધનો ઈતિહાસ લખવાવાળું ક્યાં કોઈ હતું...?
ગુરૂકુળોનાં દરવાજા આપણાં માટે બંધ હતા... ભણવા ગણવા પર પ્રતિબંધ હતો...
માટે જેને જે ફાવે તે... જેને જે ગમે તે બધું લખવા માંડ્યું... માટે એ બધાયના પુવઁજો જ દેવના દિધેલ દેવો બની ગયા... અને આપણાં પુવઁજો રાક્ષસ....!
આજે તમારી પાસે શિક્ષણ છે.....
તકઁ કરવાની શક્તિ છે......
સાચા ખોટાનો ભેદ ઓળખવાની ક્ષમતા છે....
કલમની તાકાત છે....
WhatsApp.......
Facebook........
E-mail......
Twiter.....
જેવા સાધનો છે....... તમે કોઈનીય બીક રાખ્યા વગર તમારા વિચારો નિભઁયતાથી રજુ કરી શકો છો....
હવે સમજાયું ને બીજા બધાય લોકો કળયુગ આવ્યો કારમો કહીને વતઁમાન સ્થિતીને પેટભરીને ગાળો બોલે છે... આ જ આપણા માટે ભીમયુગ અને ખરા અથઁમાં લોકતંત્ર છે....
જિગર શ્યામલનનાં જયભીમ....



Facebook Post :-

મંત્રીઓએ બંધારણ વિરૃધ્ધ જઈને ભુવાઓની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા સન્માન કર્યું


શિક્ષીત ગુજરાતમાં પ્રથમ વખત શરમજનક ઘટના



ગુજરાત ભાજપ સરકાર વાયબ્રંટ ગુજરાતને છોડીને પોતે જ ભૂત ભુવાઓને પ્રમોટ કરી રહી છે. આત્મારામ પરમાર અને ભૂપેન્દ્રસિંહ ચૂંડાયમાએ ગઢડામાં એકી સાથે 350 ભૂવાઓને સન્માનીત કર્યા છે. ગઢડામાં સારૂં કામ કરનારને સન્માનવાના બદલે લોકો સાથે છેતરપીંડી કરતાં ભુવાઓનું સન્માન કર્યું છે. અંધશ્રધ્ધા ફેલાવવામાં મહત્વની ભૂમિકા આ ભુવાઓ ભજપતાં આવ્યા છે. હવે સરકાર પોતે અંધશ્રધ્ધાને પ્રમોટ કરી રહી છે. આ બે વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં જ ભુવાઓએ પીઠ પાછળ સાંકળ મારીને ધુણતાં હતા.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભુવાઓને બિરદાવ્યા હતા. શિક્ષણ મંત્રી પોતે જ્યારે આવી અંધશ્રધ્ધા ફેલાવતાં લોકોને બિરદાવીને ડાકલા અને હાકલાં વચ્ચે ભુવાઓને માણતાં હતા. ગઢડા ભાજપે ભુવા ભરાડીને સન્માન કરવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં ગઢડાના 350 ભુવાઓને આમંત્રણ આપીને તેમને સન્માનીત કરાયા હતા. ગુજરાતની શિક્ષીત પ્રજાને પ્રધાનોના આવા વર્તનથી આંચકો લાગ્યો છે. પ્રધાનો અંગે માર્ગદર્શીકા બનાવવા માટે મુખ્યમંત્રી સમક્ષ માંગણી વિજ્ઞાન જાથાએ કરી છે.
ભાજપ દ્વારા આવો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં અગાઉથી જ મંત્રીઓને આવા કાર્યક્રમોમાં ન જવા માટે ફોનથી માહિતી આપી હતી. તેમ છતાં મંત્રીઓ ભુવાનો કાર્યક્રમ યોજીને જ રહ્યાં હતા. ભુવાઓની પીઠ થાબડી હતી. ડાક ડમરૂ પણ બજાવવામાં આવ્યા હતા.
ભારતના બંધારણના અનુછેદ્દ 51 એ, (એચ) પ્રમાણે વૈજ્ઞાનિક અભગમ કેળવવામાં બાધારૂપ ન બને એવી સ્પષ્ટ જોગવાઈ છે. છતાં આ બન્ને મંત્રીઓએ તેનું  ઉલ્લંઘન કર્યું છે. લેભાગુ ભુવાઓને સન્માનીત કરવા તે સરકાર માટે શરમજનક ઘટના છે. આત્મારામ પરમારે તો ત્યાં સુધી કહ્યું હતુ કે, આભુવાઓ વ્યસનમુક્તિનું કામ કરે છે.
આ અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ જણાવ્યું હતુ કે, આવા બનાવો બને તે ગુજરાતની શિક્ષીત પ્રજા માટે ચોંકાવનારી ઘટના છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવતા અઠવાડીએ મંત્રીઓ માટે માર્ગદર્શીકા તૈયાર કરવા માટે રજૂઆત કરશે. આ ઘટનાને સખ્ત શબ્દોમાં તેમણે વખોડી નાંખી છે. અગાઉ ગુજરાતમાં કોઈ પ્રધાને ભુવાઓનું સન્માન કરીને પીઠ થાબડી હોય તેવી ક્યારેય ઘટના બની નથી. ગુજરાતને અંધશ્રધ્ધા તરફ ધકેલવામાં આવી રહ્યું છે.
9 હજારથી વધારે કાર્યક્રમો વિજ્ઞાન જાથાએ 30 વર્ષમાં આપેલાં છે. 1085 મોટા ભુવાઓ જાથાએ પકડેલી પાડેલાં છે. શિક્ષણ મંત્રીએ એવું કહ્યું હતુ કે,, ભુવાઓને સન્માનવાનો કાર્યક્રમ પહેલી વખત બન્યો છે. ધુણતા હોય અને તેનું સન્માન કર્યું હોય તેવો પહેલી વખત કાર્યક્રમ થયો છે. 

Great visionary Dr Ambedkar Quotes On Hinduism and caste


  1. "The first and foremost thing that must be recognised is that Hindu Society is a myth. The name Hindu is itself a foreign name. It was given by the Mohammedans to the natives for the purpose of distinguishing themselves [from them]. It does not occur in any Sanskrit work prior to the Mohammedan invasion. They did not feel the necessity of a common name because they had no conception of their having constituted a community. Hindu Society as such does not exist. It is only a collection of castes. Each caste is conscious of its existence. Its survival is the be-all and end-all of its existence. Castes do not even form a federation. A caste has no feeling that it is affiliated to other castes, except when there is a Hindu-Muslim riot. On all other occasions each caste endeavours to segregate itself and to distinguish itself from other castes." 
  2. "The world owes much to rebels who would dare to argue in the face of the pontiff and insist that he is not infallible. I do not care about the credit which every progressive society must give to its rebels. I shall be satisfied if I make the Hindus realise that they are the sick men of India and that their sickness is causing danger to the health and happiness of other Indians." 
  3. "Each caste not only dines among itself and marries among itself, but each caste prescribes its own distinctive dress. What other explanation can there be of the innumerable styles of dress worn by the men and women of India, which so amuse the tourists? Indeed the ideal Hindu must be like a rat living in his own hole, refusing to have any contact with others. There is an utter lack among the Hindus of what the sociologists call "consciousness of kind." There is no Hindu consciousness of kind. In every Hindu, the consciousness that exists is the consciousness of his caste. That is the reason why the Hindus cannot be said to form a society or a nation." 
  4. "Anyone who relies on an attempt to turn the members of the caste Hindus into better men by improving their personal character is in my judgment wasting his energy and bugging an illusion." 
  5. "The Hindus criticise the Mohammedans for having spread their religion by the use of the sword. They also ridicule Christianity on the score of the Inquisition. But really speaking, who is better and more worthy of our respect--the Mohammedans and Christians who attempted to thrust down the throats of unwilling persons what they regarded as necessary for their salvation, or the Hindu who would not spread the light, who would endeavour to keep others in darkness, who would not consent to share his intellectual and social inheritance with those who are ready and willing to make it a part of their own make-up? I have no hesitation in saying that if the Mohammedan has been cruel, the Hindu has been mean; and meanness is worse than cruelty." 
  6. "To put the matter in general terms, Hinduism and social union are incompatible. By its very genius, Hinduism believes in social separation, which is another name for social disunity and even creates social separation. If Hindus wish to be one, they will have to discard Hinduism. They cannot be one without violating Hinduism. Hinduism is the greatest obstacle to Hindu Unity. Hinduism cannot create that longing to belong which is the basis of all social unity. On the contrary, Hinduism creates an eagerness to separate." 
  7. "In the Hindu religion, one can[not] have freedom of speech. A Hindu must surrender his freedom of speech. He must act according to the Vedas. If the Vedas do not support the actions, instructions must be sought from the Smritis, and if the Smritis fail to provide any such instructions, he must follow in the footsteps of the great men. He is not supposed to reason. Hence, so long as you are in the Hindu religion, you cannot expect to have freedom of thought." 
  8. "It must be borne in mind that although there are castes among Non-Hindus, as there are among Hindus, caste has not the same social significance for Non-Hindus as it has for Hindus. Ask a Mohammedan or a Sikh who he is. He tells you that he is a Mohammedan or a Sikh, as the case may be. He does not tell you his caste, although he has one; and you are satisfied with his answer. When he tells you that he is a Muslim, you do not proceed to ask him whether he is a Shiya or a Suni; Sheikh or Saiyad; Khatik or Pinjari. When he tells you he is a Sikh, you do not ask him whether he is Jat or Roda, Mazbi or Ramdasi. But you are not satisfied if a person tells you that he is a Hindu. You feel bound to inquire into his caste. Why? Because so essential is caste in the case of a Hindu, that without knowing it you do not feel sure what sort of a being he is." 

(Created By Vishal Sonara)