July 28, 2017

अशोक स्तंभ को तोड़कर शिवलिंग

By Sanjay Patel Bauddha  23 July 2017 at 22:39





RSS की एक किताब "हिंदुत्व" के पेज 54 में खुद मोहन भागवत जवाब दे रहे है कि मूर्ति पूजा और मंदिर यह सब वैदिक परंपरा में नहीं था यह सब बुद्ध के बाद प्रचलित हुआ तो फिर हिन्दू धर्म के प्राचीन मंदिर कैसे हो सकते है ?
उस में मोहन जी एक और बात कहते है कि पहले शिवलिंग की पूजा की जाती थी तो मोहन जी सारे शिवलिंग भी अशोक स्तंभ को तोड़कर बनाये गए है...
मैंने श्रावस्ती के पास आए हुवे पूर्वाराम महाविहार की मुलाकात ली वहा पता चला कि ब्राह्मिन लोग अशोक स्तंभ को तोड़कर शिवलिंग बनाते थे। फ़ोटो देखिये।










राम का सेतु भी रामायण की ही तरह काल्पनिक है

By Sanjay Patel Bauddha  24 July 2017 at 23:10


'सेतु समुद्रम' योजना के तहत 2007 में केन्द्र सरकार ने सुप्रीम कोर्ट में हलफनामा प्रस्तुत करते हुए लिखा था कि राम-रावण युद्ध हुआ ही नहीं और न ही सीता का हरण ही हुआ। राम कभी लंका भी नहीं गए। इस प्रकार रामसेतु की अवधारणा को पूरी तरह बेबुनियाद बताया है।
केन्द्र का कहना है कि इस बात का कोई वैज्ञानिक सबूत नहीं है कि साढ़े छह हजार वर्ष पहले भगवान राम ने यह पुल बनवाया था। इसी प्रकार भारतीय पुरातत्व सर्वेक्षण (एएसआई) ने भी सुप्रीम कोर्ट में हलफनामा दायर कर रामायण के चरित्रों के अस्तित्व से इनकार ‍किया है। इस प्रकार इस विभाग ने राम और रामायण पर ही प्रश्नचिन्ह लगा दिया है।
अब सवाल यह है कि जब सरकार और पुरातत्व सर्वेक्षण खुद स्वीकार कर रहे है कि राम-रावण युद्ध नहीं हुआ, राम कभी लंका नहीं गए, रामायण काल्पनिक है, राम का कोई वैज्ञानिक सबूत नही है तो फिर लोग क्यों राम के नाम पे मूर्ख बन रहे है ! क्यों राम के नाम पे इंसानों के बीच लड़ाई कर रहे है ?
विज्ञान अपनाओ, देश मे एकता बढ़ाओ।
अंधश्रद्धा भगाओ, देश बचाओ ।

આજે બીજું કંઈ નહી પણ એક નાનકડી વાતાઁ..!!!!

By Jigar Shyamlan ||  27 July 2017


એકવાર હવા અને સુરજ વચ્ચે વાત વાતમાં ચચાઁ જામી કે કોણ સૌથી વધુ પ્રભાવશાળી.., બળશાળી અને મહાન...??? કોણ શ્રેષ્ઠ..????
હવા અને સુરજ બન્ને પોતપોતાની પોત પોતાની ઉપયોગીતા અને જરુરિયાત તેમજ મહત્વતાના ગાણા ગાતા રહ્યા. 
એક બાજુ હવાનું કહેવું હતુ કે મારા જેવું કોઈ નહી તો બીજી બાજુ સુયઁ પણ પોતાની મહત્વતા ગણાવી રહ્યો હતો. બન્ને પરસ્પર ચડસાચડસીમાં આવી ગયા, બેમાંથી એકેય પોતાની જાતને સહેજ પણ ઉતરતી ગણવા માંગતા ન હતા. બન્ને વચ્ચે વિવાદ વધ્યો..
આખરે ધરતી ઉપર કામળો ઓઢી જઈ રહેલા એક ગરીબ માણસને જોઈ બન્નેએ શરત લગાવી.!!
બન્નેમાંથી જે પણ પેલા ગરીબ માણસે ઓઝી રાખેલ કામળો ઉતારી નાખવા મજબુર કરી દે તે મહાન..! અને શ્રેષ્ઠ.
પહેલો વારો હવાનો હતો. હવા એ પોતાનુ બળ વાપરવાનુ શરૂ કયુઁ. હવા જોર જોરથી ફુંકાવા લાગી.. પેલા માણસનો કામળો હવામાં લહેરાવા લાગ્યો. હવા કામળાને જ નિશાન બનાવ્યુ હતુ. એ કામળાને ગરીબ માણસના શરીરથી સાવ દુર કરી દેવા માંગતી હોય તેમ જોસથી ફુંકાઈ રહી હતી.
પણ..! જેમ જેમ હવા ફુંકાઈ રહી હતી અને ઓઢી રાખેલ કામળો હવામાં લહેરાઈ રહ્યો હતો તેમ તેમ પેલા માણસની કામળા પર પક્કડ વધતી જતી હતી. એ પોતે ઓઢી રાખેલ કામળાને વારંવાર સરખો કરી રહ્યો હતો. આખરે એણે કામળાને બરાબર પકડીને અદબ વાળી પક્કડ વધારી દીધી.
હવા થાકી ગઈ હતી.. એ માણસે ઓઢી રાખેલ કામળો હટાવી શકે તેવી પરિસ્થિતી સજઁવામાં સાવ જ નિષ્ફળ રહી..
હવે સુરજનો વારો હતો, સુરજે ધીમે ધીમે પોતાનો તાપ વધારવો શરૂ કરી દીધો. જેમ જેમ તાપ વધતો ગયો એમ એમ વાતાવરણમાં ગરમી વધતી ગઈ.. અને પેલા માણસ માટે કામળો ઓઢી રાખવો અસહ્ય બનતો ગયો..આખરે એકદમ ગરમી વધી જતા પેલો ગરીબ માણસ પરસેવે રેબઝેબ થઈ ગયો. અને તરત જ એણે પોતે ઓઢી રાખેલો કામળો કાઢી નાખ્યો.
હવે આ વાતાઁના પાત્રોની સરખામણી પણ કરી લઈએ.!!
(1).અહીં પેલો કામળો ઓઢેલ માણસ એટલે શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજોનું પાલન કરતો માણસ...,
(2). કામળો એટલે એટલે તેની શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજો..,
(3). હવા એટલે તે શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજો રૂપી કામળાને દુર કરવા મથી રહેલ માણસો..,
એક વાત સમજવા મળી કોઈ માણસને તેની શ્રધ્ધા, અંધશ્રધ્ધા, ધામિઁક માન્યતાઓ, રૂઢીઓ અને રિવાજોથી દુર કરવા માટે જેટલા આક્રમક પ્રયાસો કરવામાં આવશે એ માણસ તેટલો જ તેને વધુ જડતાથી પકડી રાખશે...
બસ એકવાર એની જાતે તાપ વધશેને ગરમી અસહ્ય બનવા લાગશે ત્યારે આ કામળો પોતાની મેળે જ છોડી દેશે.
આપણે એક વાત વ્યવસ્થિત રીતે સમજવી પડશે કે આપણે આપણો મેસેજ આપવામાં ક્યાંક કોઈ ભુલ તો નથી કરી રહ્યાને..????
- જિગર શ્યામલન

તણાવ- કારણો અને ઉપાયો

 By Dinesh Makwana  || 22 July at 8:30
 

તણાવ અને દબાણમાં ફર્ક છે. તણાવ એટલે માનસિક દબાણ. દબાણ કુત્રિમ છે તે તમને હેરાન નથી કરતું. તણાવ જેને અંગ્રેજી stress કહે છે તે કેમ આવે છે. કોઇ વ્યકિત દબાણ વિનાની હોઇ શકે. ચિંતા હોવી સ્વાભાવિક છે. ચિંતા એ જવાબદારીનો અહેસાસ છે. મારી જવાબદારી જ મને ચિંતામાં મુકે છે. પણ વધુ પડતી બિનજરૂરી ચિંતા તણાવ તરફ દોરી જાય છે. તેથી તેમાથી બહાર નીકળવું આસાન હોતું નથી. કેટલાકને  આ દબાણની ટેવ હોય છે. દબાણ એક માનસિક અવસ્થા છે તેથી પર કોઇનુ નિયંત્રણ નથી પણ યોગ્ય બાબતો ને લઇને આપણે તેને હળવું જરુર કરી શકીયે.

દબાણ મા રહેવાના કારણો.

૧. આત્મવિશ્વાસ નો અભાવ.

જ્યારે તમારી પાસે જ્ઞાન ઓછું હશે ત્યારે આત્મવિશ્વાસ નો અભાવ રહેવાનો જ. પણ આ કાયમી સ્થિતિ નથી. તેમાં તમે સમયાંતરે મહેનત કરીને જરુરી જ્ઞાન મેળવીને વિશ્વાસ પ્રાપ્ત કરી શકો છો.

૨. સમયમર્યાદા મા કામ પુરુ કરવાની ઇચ્છા કે ટેવ

સમયમર્યાદા મા કામ કરવાની ઇચ્છા હોવી તે ઘણી સારી બાબત કહેવાય. પણ જે કાર્ય લઇને બેઠા છો તે આપેલ સમયમર્યાદા મા પુરુ થઇ શકવાનુ છે કે નહી તે વિચારવું પડશે. દરેકની પોતાની ક્ષમતા હોય છે અને તે બીજાથી જુદી હોય છે. તેથી કેટલીક વાર દરેકને આપેલો ટારગેટ દરેક આપેલી સમયમર્યાદા મા પુરો નથી કરી શકતો ત્યારે દબાણ આવતુ રહે છે.

૩. બિનજરૂરી અપેક્ષા :

ખાસ કરીને વિધ્યાર્થીઓ પાસે તેમની ક્ષમતા કરતા વધુ અપેક્ષા રાખવામા આવે છે તેના કારણે પણ બાળકો સતત દબાણમાં રહેતા હોય છે. સતત સરખામણી બાળકને ટેનશનમાં મુકતુ રહે છે. બાળક પોતાની નહી પણ માબાપ ની અપેક્ષા પુરી કરવા તેની ક્ષમતાથી વધુ મહેનત કરે છે પણ પરિણામ યોગ્ય નહી મળે તેવા ડરને કારણે સતત દબાણ અનુભવે છે.

૪. કશુંક ખોટું થઇ ગયાનો અહેસાસ:

મારાથી કશુંક ખોટું થઇ જશે તો, આ ભાવના પણ તમને દબાણમાં રાખે છે. દરેક માબાપ ઇચ્છા રાખતા હોય છે તેમના સંતાનોથી કોઇ ભુલ થાય જ નહી. આ કામ મારો દીકરો કે દીકરી કરે જ નહી તે ભાવના પણ બાળકને દબાણ તરફ લઇ જાય છે. નોકરી કરતી વ્યકિતઓને પણ કેટલાક સંવેદનશીલ કામ કરવા પડતા હોય છે તેથી સતત ડરમાં રહે છે મારાથી કશુ ખોટું તો નથી થયુ ને.

૫. સામાજિક જવાબદારી:

સંતાનોની સામાજિક જવાબદારીઓ પણ તમને દબાણમાં રાખી શકે છે કારણ કે આમાં તમે કશુ કરી શકતા નથી અને પરિણામ અપેક્ષા મુજબનુ દેખાતું પણ નથી.

૬. પડી જવાનો ડર કે બીજા નંબરે આવવાનો ડર

જે લોકો આગળ ચાલતા હોય છે એટલે કે જેઓ નેતાગીરી કરતા હોય છે તેમને પાડવાનો ડર બીજી લાઇન વાળા કરતા રહે છે તેથી પડી જવાનો ડર પણ દબાણ આપી શકે છે. દરેક પરીક્ષામાં પ્રથમ નંબર લાવનાર વિધ્યાર્થી પણ દરેક પરીક્ષા સમયે દબાણ મા હોય છે, મારો નંબર બીજો તો નહી આવે ને?

ઉપાયો:

કેટલીક બાબત કે પરિસ્થિતિ તમે બદલી શકવાના નથી તેને સ્વીકારી ને ચાલો. આત્મવિશ્વાસ સખત મહેનત પછી આપમેળે આવતો હોય છે. વ્યવસ્થિત આયોજન અને સમય મર્યાદાને સાચવીને કામ કરવાથી આત્મ વિશ્વાસ કેળવી શકાય છે. હુ આ કરી શકુ છુ તે વિશ્વાસ તમને સફળતા અપાવે છે. પહેલો ચોક્કો ના વાગે ત્યાં સુધી બેટસમેન મુઝવણમાં હોય છે. પણ તે તકની રાહ જોતો રહે છે. અને તક મળતા જ ચોક્કો ફટકારી ને આત્મવિશ્વાસ મેળવે છે.

દરેક કાર્યની સમયમર્યાદા બાંધેલી છે. આ સમયમર્યાદા સામાન્ય વ્યકિતઓની ક્ષમતાના આધારે નક્કી કરેલી હોય છે. પણ  તેજ સમયમર્યાદા મા વધુ કામની અપેક્ષા ના રાખો, તમે તમારી ક્ષમતા મુજબનુ કામ કરીને છોડી દો. જવાબદારી નો અહેસાસ હોવો જોઇએ પણ આ જીવન બહુમુલ્ય છે, મારા માટે અને મારા કુટુંબ માટે તે વિચારતા રહેવું પડે છે. અમારા બોસ કહેતા જે લોકો સમય ઉપરાંત બેસે છે તેઓ પ્રસંશાને યોગ્ય નથી કારણ કે તેમણે આખો દિવસ કઇ નહી કર્યુ હોય.

માબાપોએ પોતાના દીકરાની અપેક્ષા અને તેની ક્ષમતી સમજવી પડશે. ખોટી શાખા પસંદગી પણ તેને સતત દબાણમાં રાખશે. તેની ઇચ્છાને આધીન શિક્ષણ લેવા દો અને સમયાંતરે તેની પ્રસંશા કરતા રહો. પોતાનું ઉદાહરણ ક્યારેય આપશો નહી. તમારી અને તમારા સંતાનની શિક્ષણ પધ્ધતિમા આસમાન જમીન નો તફાવત છે.

બને ત્યાં સુધી ખોટું ના કરો, બીજાને આના વિશે ખબર નહી હોય પણ તમારો આત્મા સતત ડંખને રહેશે. અને જો થઇ ગયું જ હોય તો સતત તેને યાદ કરવાની જરુર નથી. તે સમયે ચંદ્રકાંત બક્ષીની પડશે એવા દેવાશેની ફિલસુફી તમને સંતોષ આપશે.

સામાજિક જવાબદારી મા માત્ર સમય જ મહત્વનો છે. કેટલીક બાબતો આપણા હાથમાં હોતી નથી. આપણે આપણા પ્રયત્નો કરતા રહો અને યોગ્ય સમયની રાહ જુઓ. પણ રાત્રે સુતી સમયે આ જવાબદારીઓને યાદ ના કરશો નહી તો નિદ્રા જ નહી આવે.

આંખો, કાન અને નાક ખુલ્લા રાખીને ચાલશો તો પડવાનો ડર નહી લાગે. કોઇ એક પરીક્ષામાં કદાચ બીજો નંબર આવી જાય તો જિંદગી બદલાઇ જવાની નથી. તમે તમારી અપેક્ષા મુજબનુ પરિણામ મેળવો કે મેળવી શકો તે સૌથી મોટો માનસિક સંતોષ  છે.

સૌથી મોટું અને અગત્ય નું કારણ નકારાત્મકતા છે

આ નકારાત્મકતાને જો તમારા જીવનમાં પ્રવેશના નહી દો તો તમારું કામ આસાન થઇ જશે.

દિનેશ મકવાણા
તારીખ ૨૨/૭/૨૦૧૭ સવારે ૮.૩૦
વડોદરા

ભાષા - સુંદરતા અને કુરુપતા

By Dinesh Makwana  || 23 July at 22:15



તમારી ભાષા તમારી ઓળખાણ છે. વોટ્સ અપ પર જ્યારે તમને કોઇ જોઇ શકતું નથી ત્યારે તમે તમારો પરિચય તમારા શબ્દો વડે આપતા રહો છો. હેતુ સારો હોય પણ ભાષા ખરાબ હશે તો તે હેતુ તમે સિધ્ધ નહી કરી શકો, કારણ કે વોટ્સ અપ પર ખાસ નજીકના બે ચાર મિત્રોને બાદ કરતા તમને ઓળખતું જ નથી.

નવી પેઢી બહુજ ઝડપથી આગળ વધી રહી છે અને તેમની પાસે સમય ઘણો ઓછો હોવાથી શબ્દો બહુ જ ટુકા લખે છે
That ના બદલે dat, Hmm, Lol જેવા ટુંકાક્ષરી શબ્દોનો ઉપયોગ બોલવામાં અને લખવામાં કરતા રહે છે. SMS પર શબ્દોની કદાચ મર્યાદા આપવામાં આવી છે પણ વોટ્સ પર આવી કોઇ મર્યાદા આપવામાં આવી નથી. તો પછી આવી ભાષા લખવાનું શુ કારણ.

આપણે ભાષા ભુલી રહ્યા છે. ધોરણ ૧૧ મા ફાધર વાલેસનો એક પાઠ ભણ્યા હતા. ભાષા જાય તો સંસ્કૃતી જાય. અને મને લાગે છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છે. આજેય કેટલાય ને અલ્પ વિરામ, પુર્ણ વિરામ, આશ્ચર્ય ચિન્હ કયા મૂકવું તેની ખબર જ નથી અને તે રીતે આપણે ભાષાને કુરુપ બનાવતા રહીયે છે.

ફાધર વાલેસ અમેરિકા મા એક ગુજરાતી ફેમિલીમા ગયા ત્યારે સંતાનો તેમની સાથે અંગ્રેજીમા વાત કરતા જોઇને પિતાએ કહ્યુ ફાધર બહુ સરસ ગુજરાતી બોલી શકે છે. તેમની સાથે ગુજરાતીમાં જ વાત કરો.

આ વાત એટલા માટે યાદ આવી કે કેટલાય મિત્રો અંગ્રેજી મા મેસેજ કરતા રહે છે. અને અંગ્રેજી નું ખુન કરતા રહે છે. ગુજરાતી માતૃભાષા છે જ્યારે અંગ્રેજી માસી છે. મા ની સાથે માસીને પણ માર પડે  છે ત્યારે બહુ દુખ થાય છે. આપણે આપણી વચ્ચે વાત કરીયે છીએ અને તેથી એકબીજાને પ્રભાવિત કરવાને બદલે એકબીજાનો સંદેશ પહોંચાડવાનો હેતુ વધુ હોય છે ત્યારે આપણે આપણી ભાષામાં આપણી વાતને લખીયે.

તમારું અંગ્રેજી સારુ હોય અને તમે તે ભાષામાં લખશો તો ખરેખર આનંદ થશે પણ કેટલાય મેસેજ વાંચું છુ ત્યારે અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી તરીકે મને દુખ અને આઘાત લાગે છે.

આપણા મેસેજ કોઇ વાંચે અને આપણો હેતુ સમજે તે માટે હોય છે તેથી તેમાં ટૂંકાક્ષરી શબ્દો ના લખતા પુરેપુરા શબ્દો લખો. વાચનાર કોઇ તંત્રી નથી કે પ્રુફરીડર નથી. બીજું જે લખવાની ટેવ પડશે તે દરેક જગ્યાએ રહેશે. જે નવયુવાનો છે તેમણે આ ખાસ શીખવાની જરુર છે.કારણ કે આ અભિગમ પાછળથી બદલી શકાશે નહી. એવું ના માનતા વોટ્સ અપ ગમે તેમ લખીશું અને બીજે સારી ભાષામાં લખીશું કારણ કે તે બદલી નહી શકાય.

કપિલદેવ અને ઇમરાન ખાન બંનેએ જેટલું ક્રિકેટ રમ્યા તેમાં સૌથી ઓછા નો બોલ નાખવાનો રેકોર્ડ છે. કપિલદેવે તેની ૧૩૬ ટેસ્ટની કારકિર્દી મા ૧૩૬ પણ નો બોલ નાંખ્યા નથી. એક ઇન્ટરવ્યુ મા કહે છે જ્યારે પ્રેકટિસ કરતા ત્યારે પણ નોબોલ બાબતે અમે ગંભીર રહેતા. તેને કારણે આ આદત રહી જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી મા કામ આવી.

ભાષા મહત્વની છે પણ તમે જે કહેવા માંગો છે તે વધારે મહત્વનું છે. ભાષા સુંદર હશે અને તમારી વાત પણ સરસ હશે તો બીજા મિત્રો જલદીથી તમારી વાતને સ્વીકારશે.

ટુંકમા મેસેજ સારી ભાષા અને સારા શબ્દોમાં લખો.

દિનેશ મકવાણા
વડોદરા રેલવે સ્ટેશન
તા ૨૩/૭/૨૦૧૭ રાત્રે ૧૦.૧૫