Showing posts with label mayawati. Show all posts
Showing posts with label mayawati. Show all posts

November 22, 2018

વી.પી.સિંહ અને બહુજન એકતાની જીત

By Kiritkumar Pravasi ||  Written on 20 Nov 2018




મીડિયા જેને 'રાજા નહિ રંક' કહીને માથે ચડાવતું હતું અને પછીથી મીડિયાએ જેને 'દેશ કા કલંક' કહીને માથે માછલાં ધોયાં હતાં એવા દેશના આઠમા બિનકોંગ્રેસી વડાપ્રધાન શ્રી વી.પી.સિંહ વિષે આજે વાત કરવી છે.
આજે પણ આપના કોઈ પણ સવર્ણ મિત્ર આગળ "વિશ્વનાથ પ્રતાપ સિંહ-વી.પી.સિંહ"-- માત્ર આટલું જ બોલો અને પછી તેનો ચહેરો વાંચવાની કોશિશ કરો ! તેનો ગરાશ કોઈએ લૂંટી લીધો હોય એવી તે લાગણી અનુભવશે અને મનમાં કેટલીય ગાળો ભાંડશે ! બિનઅનામત વર્ગના લોકો માટે આંબેડકર પછી સૌથી મોટા વિલન વી.પી.સિંહ છે.
વી.પી.ની વાત કરીએ તે પહેલા તે સમયના રાજકીય વાતાવરણની થોડી ચર્ચા કરી લઈએ. કાંશીરામે 1978માં આંબેડકર જયંતીના રોજ સત્તાવાર રીતે બામસેફની સ્થાપનાની ઘોષણા કરી હતી.1981માં ડી.એસ.ફોર બનાવ્યું અને 1984માં બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી.પોતાનાં આ સંગઠનો દ્વારા કાંશીરામે ઉત્તર ભારતમાં ખાસ કરીને યુ.પી.,મધ્યપ્રદેશ,પંજાબ,હરિયાણા,રાજસ્થાનમાં અનુસૂચિત જાતિ અને ઓબીસી વર્ગમાં બહુ મોટી જાગૃતિ લાવી દીધી હતી.ભારતની સંસદમાં મંડળ પંચ લાગુ કરવાની સર્વપ્રથમ માગણી પણ બસપાની સાંસદ માયાવતીએ જ કરી હતી. મંડલ પંચ લાગુ કરાવવું એ કાંશીરામનો મહત્વનો એજન્ડા હતો.
શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહનો જન્મ 25 જૂન 1931ના રોજ થયો હતો. માંડાના રાજાએ તેમને દત્તક લીધા હતા. કોલેજ કાળમાં તેઓ વિદ્યાર્થી નેતા તરીકે ઉપસી આવ્યા હતા. 1957માં ભૂદાન આંદોલનમાં તેઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોતાની જમીન ભૂદાન આંદોલનમાં દાનમાં આપી હતી. સર્વપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ જેમ પૂર્વ કોંગ્રેસી હતા તેમ વી.પી.સિંહ પણ પૂર્વ કોંગ્રેસી જ હતા. કોંગ્રેસ પક્ષમાં તેઓ સક્રિય બન્યા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા રાજીવ ગાંધી સરકારમાં તેઓ નાણામંત્રી હતા ત્યારે રાજીવ ગાંધી સાથે તેમને ટકરાવ થયો હતો. વી.પી.સિંહને માહિતી મળી હતી કે કેટલાય ભારતીયોના કાળા નાણા વિદેશી બેંકોમાં છે. આવા ભારતીયોનો પતો લગાવવા માટે તેમણે અમેરિકાની એક જાસૂસી સંસ્થા ફેયરફેક્સની નિમણુંક કરી હતી. આવા જ સમયે સ્વિડને 16 એપ્રિલ 1987ના રોજ એવા સમાચાર પ્રગટ કર્યા કે બોફોર્સ કંપનીએ 410 તોપનો સોદો કર્યો છે તેમાં 60 કરોડ રૂપિયા કમિશન તરીકે ચૂકવાયા છે. વિવાદ ઘેરો બનતો ગયો અને ભારતીય મીડિયા એને ચગાવતું રહ્યું વીપી સિંહ અને રાજીવ ગાંધી વચ્ચે અંતર વધતું ગયું. મીડિયા માટે રાજીવ ગાંધી મિ. ક્લીનમાંથી મિ. Corrupt બનીચૂકયા હતા અને વીપી 'મિ.સુપર ક્લીન' બની ગયા હતા.1987માં કોંગ્રેસે વીપીને પક્ષમાંથી કાઢયા
વીપી સમગ્ર દેશમાં ઘૂમવા લાગ્યા, આર.એસ.એસ.એ વીપીને પોતાના ખભે ઊંચકી લીધા વીપી સિંહે કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટોનો સહારો લઈને જનતાદળ બનાવ્યું ચૂંટણી નજીક આવી, કોંગ્રેસનો પરાજય થયો અને જનતાદળે બાજી મારી ભાજપ અને સામ્યવાદી પક્ષોએ જનતાદળને ટેકો આપતા જનતાદળના વીપી સિંહ 26 ડિસેમ્બર 1989ના રોજ વડાપ્રધાન બન્યા. 
જનતાદળના ચૂંટણી ઢંઢેરામાં મંડલપંચ લાગુ કરવાનું વચન આપ્યું હતું મંડલપંચ લાગુ કરાવવા માટે બસપાએ "મંડલ કમિશન લાગુ કરો વરના કુર્સી ખાલી કરો"નો નારો બુલંદ કર્યો. માયાવતીએ સંસદમાં માગ કરી કે મંડલપંચ લાગુ કરો. બસપાએ મંડલપંચ લાગુ કરાવવા માટે દિલ્હીમાં એક માસ સુધી જેલ ભરો આંદોલન કર્યું. દરરોજ હજારો બસપાઈ એકત્ર થતા અને 'મંડલપંચ લાગુ કરો વરના કુર્સી ખાલી કરો'નો નારો બુલંદ કરીને ધરપકડ વહોરી લેતા હતા. ઉત્તર ભારતમાં બસપાએ પછાત વર્ગોમાં પોતાની પકડ મજબૂત બનાવી હતી. 
મંડલપંચના ચેરમેન બી.પી.મંડલ યાદવ હોવાથી યાદવ જાતિનો પછાત વર્ગમાં સમાવેશ કર્યો હતો પણ જાટ જાતિનો સમાવેશ નહોતો કર્યો. ઉત્તર ભારતમાં આ બંને જાતિઓ એકબીજાની હરીફ જેવી છે. નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ પોતે જાટ હોવાથી વીપીને કહ્યું કે પછાત વર્ગોની યાદીમાં પહેલા જાટને સમાવો પછી મંડલપંચની જાહેરાત કરો.વીપીએ દેવીલાલની વાત નકારી ત્યારે દેવીલાલ કાંશીરામને મળ્યા કાંશીરામે કહ્યું કે જો તેઓ પોતે વડાપ્રધાન થતા હોય તો હું રાજી છું. આ બાજુ શરદ યાદવ અને રામવિલાસ પાસવાન વીપીને મળ્યા અને કહ્યું કે જો તેઓ મંડલપંચ જાહેર નહિ કરે તો તેઓ દેવીલાલને પોતાના નેતા તરીકે સ્વીકારી લેશે વીપીસિંહની ઈચ્છા મંડલપંચ આપવાની નહોતી પણ ચોતરફથી ઘેરાયેલા વીપીસિંહે છેવટે મંડલપંચની ઘોષણા ઓગસ્ટ 1990માં કરી નાખી.
સંસદમાં ભાગ્યે જ બોલતા રાજીવ ગાંધીએ સતત ચાર કલાક ભાષણ મંડલપંચના વિરોધમાં સંસદમાં આપ્યું જનતાદળને ટેકો આપતા ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો.મંડલની વિરુદ્ધમાં કમંડળનો સહારો લેવાનું ભાજપે નક્કી કર્યું. મીડિયા માટે 87-89 દરમિયાન બોફોર્સ અભિયાનના હીરો બનેલા વીપી એકાએક વિલન બની ગયા.
દેશભરમાં સવર્ણ લોકો અને વિદ્યાર્થીઓએ મંડળ પંચના આરક્ષણ વિરુદ્ધ દેખાવો કર્યા. અમુક વિદ્યાર્થીઓએ આત્મદાહની કોશિશ કરી.મીડિયા પણ મંડલપંચના આરક્ષણ વિરુદ્ધમાં ઉતરી આવ્યું. 
એલ.કે.અડવાણીએ રામમંદિર માટે રથયાત્રા કાઢવાની જાહેરાત કરી. ગુજરાતના સોમનાથથી શરૂ થયેલી યાત્રા બિહારમાં પહોંચી બિહારમાં જનતાદળના લાલુપ્રસાદ યાદવ મુખ્યમંત્રી તરીકે હતા. તેમણે રથયાત્રા રોકી અને અડવાણીની ધરપકડ કરી જેલમાં પૂર્યા. વળતા પગલાં રૂપે ભાજપે જનતાદળને આપેલો ટેકો પાછો ખેંચતાં વીપી સિંહ સરકારનું પતન થયું. 10 નવેમ્બર 1990ના રોજ વીપી સરકારનો અંત આવ્યો. એક વર્ષ કરતા પણ ઓછું શાસન કર્યું હોવા છતાં દેશની 54%આબાદીને પોતાનો બંધારણીય અધિકાર આ સરકારના શાસનમાં મળ્યો તે પણ હકીકત છે.વીપીએ મંડળ પંચની 24 પૈકી માત્ર 2 જ ભલામણો અમલમાં મૂકી હતી, બાકીની 22 ભલામણોનો પણ અમલ થાય તે માટે આપણે લડવાનું બાકી છે.
દેશના ઓબીસી સમાજ માટે એક અગત્યનું પાત્ર બની જનાર વીપી સિંહનું 27 નવેમ્બર 2008ના રોજ મૃત્યુ થયું.


Facebook Post :

March 03, 2018

आप किसके साथ है???

By Raju Solanki  || 2 March 2018


તમે કોની સાથે છો?

આ દેશમાં માયાવતી કરતા રાહુલ ગાંધીના વડાપ્રધાન થવાના ‘ચાન્સીસ’ વધારે છે. કેમ? 


ચહેરાથી શરૂઆત કરો.

માયાવતી શ્યામ રંગના. નાક ચીબુ. હોઠ જાડા. ચહેરો સહેજેય ફોટોજેનિક નહીં. ચહેરા પર કશીજ નમણાશ કે કોમળતા નહીં.

રાહુલ શ્વેત રંગના. નાક અણીદાર. ચહેરો ક્યૂટ. આકર્ષક. હસમુખો એવો કે ના હસે તો પણ ગાલે ખંજન પડે.

ઋગ્વેદમાં કાળા રંગના, નીગર દાસ, અનાર્ય, દશ્યુઓનું વર્ણન કરેલું છે.
ય: કૃષ્ણગર્ભા નિરહન્નૃઋજિશ્વના
એટલે કે (આર્યોના) દેવે ઋજિસ્વનની સાથે રહીને કૃષ્ણગર્ભો (કાળીયાઓ)ને હાંકી કાઢ્યા.
આર્યો શ્વેત હતા. 
આર્યો જીત્યા, અનાર્યો હાર્યા.

રાહુલ આર્ય પુરુષ છે. માયાવતી અનાર્ય સ્ત્રી છે.
ફુલનદેવી માટે મીડીયા ‘દશ્યુસુંદરી’ શબ્દ વાપરતું હતું. માયાવતી માટે ‘દલિત ઝરીના’ શબ્દ પ્રયોગ થાય છે. 
શ્રી દેવીથી માંડીને સની લીયોની જેવી આર્ય કન્યાઓ પાછળ પાગલ સવા અબજનો દેશ ગોરી ચામડીને પૂજે છે, કાળી ચામડી ધરાવતી સુપર્ણખા કાન કાપવાને લાયક છે, હોલિકા બાળવાને પાત્ર છે.

હવે વિચારધારા જુઓ.
માયાવતીએ બદનામી વહોરીને પણ તથાગત બૌદ્ધ, પેરીયાર, જોતીબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, કાંસીરામ, શાહુ મહારાજની પ્રતિમાઓ સ્થાપી. એ એમની વિચારધારા છે. રાહુલ ગાંધી નેહરુ, ગાંધી, ઇન્દિરા, રાજીવની પ્રતિમા સ્થાપશે. એ એમની વિચારધારા છે. 
માયાવતી ચૂંટણી વખતે મંદિરોમાં જઇને ઘંટડી વગાડતા નથી. રાહુલ જનોઈ બતાવીને વોટ માંગે છે.

કોંગ્રેસ અને ભાજપ બંને વૈદિક આર્યોના પક્ષો છે. મીડીયા વૈદિક આર્યોના પક્ષે છે. ગાય, ગોબર, ગંગા વૈદિક આર્યોના પ્રતીકો છે. 
અનાર્યો, બહુજનોના પરાજય માટે બંનેની એકમતિ છે. 
તમે નક્કી કરજો. તમે કોની સાથે રહેશો?

- Raju Solanki



In Hindi :-

आप किसके साथ है???

इस देश मे मायावती से ज्यादा प्रधानमंत्री बनने के चांसीस राहुल गांधी के है. 
क्यो??

चेहरे से ही शुरुआत करते है...

मायावती जी श्याम रंग की है, नाक अणीदार नही है, होंठ मोटे, चेहरा जरा भी फोटोनजेनिक नही. चहरे पर कोमलता भी नही है.

वंही राहुल गांधी गोरे रंग के, अणीदार नाक, चेहरा क्युट, मनमोहक और हसमुख तो ऐसा की अगर ना भी हसे तो गालो पर डिंपल पडते है.

रुग्वेद मे काले रंग के, दास , अनार्य , दश्युओ का वर्णन है.

"यःकृष्णगर्भा निरहन्नुरुजिश्वना"

मतलब की (आर्य) देव ने सुजिस्वन के साथ रह कर कृष्णगर्भो (काले लोगो को) हराया था.

आर्य गोरे लोग थे,
आर्य जीत गए.
अनार्य हार गए...

राहुल गांधी आर्य पुरुष है, मायावती अनार्य है और उस मे भी स्त्री है.
फुलनदेवी के लिए मीडिया "दश्युसुंदरी" शब्द इस्तेमाल करता था. मायावती के लिए "दलित जरीना" शब्द प्रयोग हो रहा है.

श्री देवी से लेकर सनी लीयोनी जैसी आर्य कन्याओ के पीछे पागल ये देश गोरी चमडी को पुजता है, काली चमडी वाली सुपर्णखा नाक काटने के लायक है. होलिका जला देने के लायक है.



अब विचारधारा देखते है.

मायावती ने काफी बदनामी के बावजुद तथागत बुद्ध, पेरीयार, ज्योतीबा फुले , बाबा साहब आंबेडकर, कांशीराम , शाहुमहाराज की प्रतीमाएं स्थापीत की. वो उनकी विचारधारा है.

राहुल गांधी नेहरु, गांधी, इंदीरा, राजीव की प्रतीमा स्थापीत करेगे. वो उनकी विचारधारा है.

मायावती ईलेकशन के समय मंदीरो मे जाकर घंटीया नही बजाती. राहुल अपनी जनेउ लहराता हुआ वोट मांग रहा होता है.

कोंग्रेस और भाजपा दोनो वैदीक आर्यो की राजकीय पार्टीया है. मीडिया वैदीक आर्यो के पक्ष मे है. गाय,गोबर , गंगा , वैदिक आर्यो के प्रतीक है.

अनार्यो, बहुजनो (SC ST OBC) की हार के लिए दोनो एक संमत है. 
अब आप को फैसला करना है की , आप किसके साथ है...????

- Raju Solanki
(Originaly written in Gujarati , Translated By विशाल सोनारा )

December 14, 2017

માયાવતીને દલિત ઝરીનાનું સંબોધન કેમ?

By Raju Solanki  || 2 December at 2017 08:54



મીડીયા ધારે તો મંકોડાને મહામાનવ અને મહામાનવને મગતરું બનાવી શકે છે. બાબાસાહેબે ચોથી જાગીરને નેતાઓનું ઉત્પાદન કરતા કારખાના જોડે સરખાવી હતી. માયાવતીનો કેસ સ્ટડી આ બાબતમાં માર્ગદર્શક છે.

માયાવતી આ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યપ્રધાનપદે બિરાજી ચૂક્યા છે અને એમનો બહુજન સમાજ પક્ષ 2014ની સંસદની ચૂંટણીમાં વોટની ટકાવારી પ્રમાણે કોંગ્રેસ, ભાજપ પછી ત્રીજા નંબરનો રાષ્ટ્રીય પક્ષ છે. આવા માયાવતી વિષે મીડીયા હંમેશા વિકૃત, જુઠ્ઠા સમાચારો છાપતું હોય છે, કેમ કે તેઓ એક દલિત તરીકે એક રાજકીય પક્ષનું સંચાલન કરી રહ્યા છે.

તમે ગુગલમાં દલિત ઝરીના dalit zarina શબ્દ લખીને સર્ચ કરો. 1,34,000 રીઝલ્ટ મળશે. એમાં ‘ઇમેજીઝ ઓફ દલિત ઝરીના’માં તમને બહેન માયાવતીના ફોટો જોવા મળશે. આવું કેમ બન્યું? બહેન માયાવતીને દલિત ઝરીનાનું બિરુદ કોણે આપ્યું? ઝરીના એટલે કોણ? આવું બિરુદ આપનારા લોકો શું સાબિત કરવા માંગે છે?

રશિયાનો ઇતિહાસ વાંચો. વીકીપીડીયા પર આસાનીથી ઉપલબ્ધ છે. ઝાર એટલે રશિયાનો સમ્રાટ. ઝારના ઉત્તરાધિકારીને પણ ઝાર કહેતા. ઝારની પત્ની, રશિયાની મહારાણી, સામ્રાજ્ઞી એટલે ઝરીના. એક ઉદ્દંડ, ઉદ્ધત, મનસ્વી રાજા માટેનું વિશેષણ એટલે ઝાર. ‘ઇવાન ધી ટેરિબલ’ના નામે ઓળખાતા ઝારે સોળમી સદીમાં રશિયાને મોટું સામ્રાજ્ય બનાવ્યું, સાઇબેરીયા જેવા અફાટ પ્રદેશો રશિયામાં જોડ્યા. હવે છેક તેરમીથી સત્તરમી સદીના રશિયામાં શાસન કરનારા પાગલ, ગાંડા, નાલાયક, સામંતી મૂલ્યોથી ખદબદતા ઝાર અને ઝરીનાના સંદર્ભો આધૂનિક ભારતમાં એક રાજકીય પક્ષના નેતા સાથે કઈ રીતે જોડાય? મીડીયામાં ક્યારેય મોદી માટે હિન્દુ ઝાર કે જયલલિતા માટે બામણ ઝરીના શબ્દો પ્રયોજાયા નથી, તેઓ એને માટે લાયક છે તો પણ.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા વર્ષોથી બેધડક માયાવતી માટે દલિત ઝરીના શબ્દ વાપરે છે. માયાવતીએ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનું શું બગાડ્યું છે? ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો માલિક જૈન છે. માયાવતીએ જૈનોનું શું અહિત કર્યું છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારી ઉપર છોડું છું. અત્યારે તો એટલું જ કહીશ કે આપણા પૈકીના ઘણા લોકોનું અંગ્રેજી અત્યંત સુંદર છે. એમને વિનંતી કરીએ કે તેઓ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના માલિકને એક સરસ પત્ર વિનયપૂર્વક અંગ્રેજીમાં લખે અને તેમને જણાવે કે માયાવતી માટે આવા શબ્દનો ઉપયોગ ના કરો. તમે યોગી જેવા નાગા બાવાઓને સાંખી લો છો, તો બહેનજી એમના કરતા હજારગણા બહેતર છે.

December 13, 2017

Una-flogging: social victims and political beneficiaries

By Raju Solanki  || 10 December 2017 at 18:23



A few days back, Balubhai Sarvaiya, a victim of Una-flogging visited my home to meet me. Dr Jayanti Makadia, president Gujarat Dalit Sangathan and Govind Parmar, human rights activist and lawyer accompanied him. Balubhai told me that BJP had organised his press conference at Kamalam, but he didn’t go there. I appreciated his courage and thanked him on behalf of 47 lakh Dalits of Gujarat.



During our discussion advocate Govind Parmar said, “All accused in Una-flogging case are getting bail, because the court is not taking up hearing in time.” This is very serious question and it reveals the failure of Dalit movement. After Una atrocity, there should have been an attempt to form a panel of dedicated, sensible advocates who can provide legal assistance to all victims of caste atrocities across Gujarat. A corpus of 15 lakh could have been collected and a committee of prominent Dalit activists could have been formed. Instead, the dalit movement has been reduced to political bickering and manipulation.


I asked Balubhai about his favourite political party. He said, “Bahenji Mayavati is our goddess. She raised our issue in parliament and everybody including Rahul Gandhi and Arvind Kejarival rushed to Mota Samadhiyala. Many journalists who visited Balubhai’s home expressed surprise when they saw photo of Mayavati hanging on the wall.


Actually, Gujarati media has consciously neglected BSP after Una episode. BSP gave Gujarat bandh call and its workers stopped train in Surendranagar, but media didn’t highlight that historical act of Dalit masses. They all knew that after one year a very crucial election is coming and BSP must not be given political space. And now we can see that Congress is shamelessly taking benefit of Una-flogging.


- Raju Solanki