Showing posts with label POSCO. Show all posts
Showing posts with label POSCO. Show all posts

August 17, 2017

દલિતો પોતાના પીડિતોને સાંભળે તો પણ .....

By Raju Solanki  || 17 Aug at 18:52
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલે પાટીદાર ક્વોટા આંદોલનમાં માર્યા ગયેલા પટેલોને ‘શહીદ’ કહ્યા, મને ગળા સુધી ખાત્રી છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન આત્મારામ પરમાર કે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા આવા શબ્દો ઉના-દમન પછી ઝેર પીને આત્મવિલોપન કરનારા કે જેલમાં જનારા દલિતો માટે ક્યારેય નહીં ઉચ્ચારે. અને શા માટે ઉચ્ચારે? દલિતો પોતે સમાજ માટે ભોગ આપનારા લોકોને આસાનીથી વિસરી જાય છે, તો રાજકીય પક્ષોના પગલૂછણીયા જેવા દલિત રાજકારણીઓ તેમને ક્યાંથી યાદ રાખે કે બિરદાવે?
કોઈપણ આંદોલનની સાચી વરસી તો ત્યારે ઉજવાય જ્યારે આંદોલનમાં બલિદાન આપનારા લોકોને અને તેમના સ્વજનોને પોંખવામાં આવે અને તેમના સમર્પણને તાલીઓના ગડગડાટથી બિરદાવવામાં આવે. 2012માં ‘ચલો થાન’ના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભા કે જેમાં 50,000થી વધારે દલિતો સ્વયંભૂ એકઠા થયા હતા અને જેણે ગુજરાતના દલિત આંદોલનના ત્રીસ વર્ષના ઠહરાવને તોડ્યો હતો, તેમાં તમામ પીડિતોના સ્વજનોએ પોતાની વેદના રજુ કરી હતી અને જેના દીકરાને પોલિસે ભર બજારમાંથી ઉઠાવીને લોકઅપમાં ગોંધી દીધો હતો તેની માતાએ જ્યારે સ્ટેજ પરથી તેની દર્દનાક દાસ્તાન વર્ણવી ત્યારે સભામાં ઉપસ્થિત તમામ દલિત બહેનો ચોધાર આંસુએ રડી પડી હતી. આવા આંદોલનો સમાજને તાકાત આપે છે. આવા આંદોલનો સમાજને એક કરે છે. દલિતો પોતાના પીડિતોને કાન દઈને સાંભળે તો પણ એમને રૂંવાડા ખડા કરવા કોઈ કનૈયાકુમારની જરૂર ના પડે.
થાનગઢમાં દલિત તરુણો પર એકે-47માંથી ફાયરિંગ કરી રહેલા ડીવાયએસપીના અંગરક્ષક પાસેથી એકે-47 છીનવી લેવાનો સંગીન આરોપ જેના પર મુકાયો હતો તે સુરેશ ગોગીયાને છોડાવવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મુકાવડાવ્યા પછી તેને બેઇલ પર છોડવા માટેનું બીડું લઇને હું કનુ સુમરા તથા મહેશ ચૌહાણ સાથે સુરેન્દ્રનગરની સબ-જેલમાં ગયો હતો. એ વખતે સમયસર કાનૂની મદદ ના મળી હોત તો સુરેશ ગોગીયા આજે પણ જેલમાં સબડતો હોત. આજે સુરેશ ગોગીયા રસ્તામાં મને મળે તો કદાચ ઓળખશે પણ નહીં. પણ આંદોલનમાં જોડાયા હતા એટલે ફરજ નીભાવી એનો સંતોષ છે.
અમરેલીમાં ઉના-દમનના વિરોધમાં નીકળેલી રેલીના આયોજકો ક્રાન્તિકારી યુવાનો કાન્તી વાળા અને નવચેતન પરમારને દલિતો વિસરી ચૂક્યા છે. ઉના-દમન પછી અમદાવાદ, રાજકોટ કે ઉનામાં થયેલી એક પણ સભામાં એક પણ વક્તાએ ક્યારેય ભૂલથી પણ કાન્તી વાળા કે નવચેતન પરમારનું નામ લીધું નથી, કાન્તી વાળાના પિતા મૂળજીભાઈને કે નવચેતનના પિતા દિપકભાઈને સ્ટેજ પર બોલાવ્યા નથી. અમરેલીમાં નવચેતન પરમારે કલેક્ટર ઓફિસના પટાંગણમાં ભર બપોરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો ત્યારે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. નવચેતનને પોલિસ પકડીને લઈ ગઈ હતી. જિલ્લાના પોલિસ વડા જગદીશ પટેલ દોડતા દોડતા કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. એ જ સમયે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીને વડલી બળાત્કાર કેસના આરોપીને પકડવાની અને જેલમાં ઠુંસી દેવાયેલા દલિતોને છોડવા માટે માંગણી કરી હતી. કલેક્ટર રાણાને મેં ખખડાવીને કહ્યું હતું કે તમારો એટ્રોસિટી સેલનો ડીવાયએસપી ગધેડો છે. દુષ્કર્મનો ભોગ બનેલી દલિત દીકરીને ચોવીસ કલાક પછી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જાય છે. ત્યારે રાણા ચીડાઈ ગયા હતા. એ મીટીંગમાં ઉપસ્થિત એસપી જગદીશ પટેલે બધાના મોબાઈલ ફોન સ્વિચ કરાવ્યા પછી કહેલું, “તમને ઓફ ધી રેકોર્ડ કહું છું. આ કેસમાં અમે ઢીલું મુકીશું. બધા છૂટી જવાના છે. બસ, તમે લોકો આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ રદ કરી નાંખો.” એ દિવસે અમરેલીમાં આંદોલનનો વીટો વળી ગયો હતો.
ત્યાર બાદ એક મહિના સુધી કાન્તી વાળાના પિતા મુળજીભાઈ ગાંધીનગરમાં પ્રતિરોધ છાવણી પર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, બે બે વાર મૃત્યુના મુખમાં ધકેલાયેલા મૂળજીભાઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક યૌદ્ધાની જેમ મૂળજીભાઈ લડ્યા હતા. દીકરા કાન્તીની યાદમાં એમની આંખ ભીની થતી જોઈ છે. “મારો કાન્તી ક્યારે છૂટશે?,” એ એક જ પ્રશ્ન એમને મળું ત્યારે એમના મુખમાંથી નીકળતો હતો.
દલિત આંદોલનની તાસીર એવી છે કે ગામડાઓમાં અત્યાચારો થાય ત્યારે શહેરી નેતાગીરી ક્યાં તો રોસ્ટર-અનામત એક્ટનો અમલ કરવાની માંગ કરે છે કે પછી રાજકીય મનસૂબા સાકાર કરવા તૂટી પડે છે. જેની પર ખરેખર અત્યાચારો થાય છે એ તો બિચારો ખૂણામાં ઉભો ઉભો બધા ખેલ જ જોયા કરે છે. કોંગ્રેસ-ભાજપ જ્યારે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે ત્યારે દલિત અત્યાચારના મુદ્દે મેદાનમાં આવે છે. તેમને દલિતોને ન્યાય અપાવવામાં એક પૈસાનો રસ નથી.
હજુ પણ કાન્તી વાળા અને નવચેતન પરમાર સહિતના તમામ કહેવાતા આરોપીઓ રેલીના કેસમાં છૂટી શકે એમ છે. સવાલ એ છે કે આપણા આંદોલનના એજન્ડામાં આ મુદ્દો છે ખરો?

(તસવીર - ચલો થાનના કોલના પ્રતિસાદમાં થાનગઢમાં મળેલી વિશાળ સભામાં પીડિતોને સાંભળતી દલિત માતાની હ્રદયદ્રાવક ક્ષણો કર્મશીલ, કવિ, ફોટોગ્રાફર, લેખક ઉમેશ સોલંકીએ ઝીલી છે.)

અન્ય તસવિરો ઃ-

 એડવોકેટ નવચેતન પરમાર


પ્રતિરોધ છાવણી



August 08, 2017

साथी अरविंद खुमाण और उनकी टीम का नेक काम : 4 साल कि बच्ची पर हिंसा करने वालो पर कार्रवाई

By BlueDiary News Desk || 08 Aug 2017 || 15:03

(Image Times of India 08/08/2017)
कल रक्षाबंधन मे मौके पर हि एक दील जंजोड देने वाले घटना सामने आई है. एक चार साल की बच्ची को बुरी तरह जख्मी हालत मे पाया गया. हिंसा से जुडा ये मामला लग रहा है. हिंसा करने वाले इतने भी क्रुर कैसे हो सकते है की एक नन्ही बच्ची पर इस तरह से जुल्म ढाये. 
एक चार वर्षीय लड़की, जिसे कई दिनों तक  बेरहमी से मारा-पीटा गया था, उसे अमरेली जिले के चांच गांव से बचा लिया गया और सोमवार को राजुला शहर में अस्पताल में भर्ती कराया गया. ये पुरे मामले पर मदद करने वाले अरविंद खुमाण जो कि एक सामाजीक कार्यकर है और गरीबो को कानुनी मदद और अन्य सहायता करते है, उन्हो ने कहा कि ये बच्ची अपनी मां के साथ राजुला रेल्वे स्टेशन के पास रह रही थी. ये लोग कोळी समाज से है. लगभग एक महीने पहले एक स्थानीय व्यक्ति ने उस छोटी बच्ची को चांच गांव में रहने वाले किसी परिवार के पास भेजने को कहा था जो उन्हे शिक्षीत करेगे ऐसा कहा गया था. हालांकि, इस लड़की को वहां अच्छे से नही रखा गया एवं बुरी तरह से मारा-पीटा जाता था.

चांच गांव के कुछ लोगों ने बच्ची के मामा को बताया कि उस बच्ची को ठीक से नही रखा जाता और यातनाए दी जाती है. ये बात जानकर बच्ची के मामा लड़की की को साथ लेकर उसे वापीस लाने के लीये गये. बडी जद्दोजहद के बाद लडकी को किसी तरह से वहा से लाया गया और राजुला अस्पताल मे भर्ती कराया गया. बच्ची बहोत बुरी तरह से जख्मी थी. अरविंद खुमाण और किशोर भाई को इस मामले कि जानकारी मिलते हि वह राजुला अस्पताल के लीये रवाना हुए. बच्ची के घाव काफी गहरे थे उसके शरीर बहोत सी जगहो पर और पर उसकी उंगलियों बीच एक चाकू जैसी नुकिली चीज के साथ भी देखे गये है. निचे दी गई तसवीर मे आप देख सकते है.

अरविंद भाई ने ये भी आशंका जताई है की लडकी को वहा पर बेचा गया हो सकता है. क्योकी जब उसे लेने के लीये बच्ची के मामा और उसकी मां चांच गांव मे गये तो वहा पर सामने वालो ने ऐसा दावा कीया की लडकी को पैसे देकर खरीदा गया है. ये बहोत हि गंभीर मामला है. 

पुलिस के उप अधीक्षक राजेश परमार ने बताया कि इस मामले में शिकायत दर्ज की गई है और POCSO एक्ट के तहत इस मे आगे कि कार्यवाही होगी. पुलीस ने  बच्ची को जहा पर रखा गया था उस घर के मालिक के खिलाफ शिकायत दर्ज कि है. पुलीस का कहना है कि आगे जांच के बाद ही हकीकत सामने आयेगी.

आप को बता दे कि इस पुरे मामले मे मिडिया का बहोत हि अच्छा प्रतीसाद रहा है और अरविंद खुमाण, किशोर भाइ धाखडा और उनके साथीओ ने इस मे पुरी तरह से सहायता कि और आगे भी इस मे बच्ची को न्याय दीलाने मे साथ खडे रहेगे. अरविंद खुमाण का आदर्श बाबा साहब डॉ आंबेडकर है वो अपने आदर्श बाबा साहब का सामाजीक न्याय का सिद्धांत आगे बढाने मे एक महत्वपुर्ण योगदान दे रहे है. उन्होने ये पुरी घटना अपने फेसबुक एकाउंट के जरीये लोगो के सामने रखा. इस खबर के अंत मे उनके फेसबुक पोस्ट का लींक दीया गया है आप उन्हे इस सराहनीय कार्य के लीये अपने प्रतीभाव दे सकते है.