November 15, 2017

દલિતોના મત કેટલા નિર્ણાયક?

By Raju Solanki  || 8 November 2017 at 15:43


કેટલાક દિવસો પહેલાં એક ગુજરાતી અખબારમાં આવેલું કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 60 બેઠકો પર દલિતોના મત નિર્ણાયક છે. ઘણા લોકો આ વાંચીને ગેલમાં આવી ગયા હતા. આમ પણ છેલ્લા કેટલાક સમયથી મીડીયા જાતિવાદી ધ્રૂવીકરણની નીતિના ભાગરૂપે દલિતો વિષે અતિશયોક્તિપૂર્ણ અહેવાલો છાપી રહ્યું છે. જમીની સ્તર પર સ્થિતિ સાવ જૂદી છે.

ગુજરાતમાં 47 લાખ દલિતો છે. દેશના અન્ય રાજ્યો કરતા અહીં દલિતોનું શહેરીકરણ બહુ મોટા પાયે થયું છે. એટલે લગભગ ચાલીસ ટકા દલિતો રાજ્યના પાંચ મોટા મહાનગરો અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ અને ભાવનગરમાં તેમ જ અન્ય નાના નગરો જેવા કે મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગરમાં વસે છે. આમ, અંદાજે 17 લાખ દલિતો શહેરોમાં વસે છે. જ્યારે ગુજરાતના 18,000 ગામડાઓમાં બાકીના ત્રીસ લાખ દલિતો વસે છે. ગુજરાતના અમદાવાદ, સાબરકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગર આ ચાર જિલ્લાઓમાં દલિતોની વસતી દસ ટકા કે તેથી વધારે છે. બાકીના જિલ્લાઓમાં સાત ટકાથી ઓછી છે.

ગામડાઓમાં વસતા દલિતોના મતો કોઈપણ વિધાનસભા વિસ્તારમાં નિર્ણાયક નથી. એટલે કે દલિતો એકલા હાથે કોઈ સીટનું ભાવિ નક્કી કરી શકતા નથી. ઘણી જગ્યાએ તો આજે પણ દલિતોના વોટ સવર્ણ જાતિઓના દબંગોના હાથમાં છે. ગામમાં બહુમતી સવર્ણ હિન્દુઓ નક્કી કરે તે પક્ષનો ઉમેદવાર જીતે છે. શહેરોમાં દલિતો કોઈ અન્ય વંચિત સમુદાય સાથે જોડાય તો એના વોટ અસરકારક બને છે. જેમ કે અમદાવાદમાં દલિતો મુસલમાનો સાથે જોડાય તો બંનેના મતો નિર્ણાયક બને છે. અગાઉ કોંગ્રેસના સમયમાં એવું બનતું હતું. અમદાવાદનો મેયર મુસ્લિમ હોય અને ડેપ્યુટી મેયર દલિત હોય તેવું સમીકરણ હતું, જેને ગોબર મંડળીએ વ્યવસ્થિત રીતે તોડ્યું હતું હુલ્લડો કરાવીને. હવે એ સમીકરણ જીવતું થાય તેમ નથી, કેમ કે કોંગ્રેસ પણ ભાજપની જેમ સોફ્ટ હિન્દુત્વ પર રમી રહી છે. કોંગ્રેસની ઢીલી નીતિને કારણે અમદાવાદમાં માત્ર દલિતોના જ નહીં મુસલમાનોના મત પણ બિન-અસરકારક બન્યા છે.

દલિતોના મત નિર્ણાયક બનાવવા હોય તો દલિતોની સાથે મુસ્લિમ મતો પણ નિર્ણાયક કઈ રીતે બને તેની વ્યૂહરચના હોવી જોઇએ. હાલ તો કોંગ્રેસ અમદાવાદ જેવા શહેરોમાં આ મુદ્દે નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ ગજા વગરની ગધાડી છે. એન્ટી ઇન્કમ્બન્સીના જુવાળ પર જીતી જાય તો ઠીક છે. બાકી, ચૂંટણીના પરિણામ પછી જ આમાં શાંતિથી વિચારી શકાશે.

हज किसका, सवाब किसका

By Raju Solanki  || 11 November 2017 at 08:59



હજ કિસકા, સવાબ કિસકા
ગુજરાતની ગોબર મંડળીએ ચૂંટણી પ્રચારને રામ વિરુદ્ધ હજનો રંગ આપ્યો ત્યારે એવું લાગ્યું કે આ સ્ક્રિપ્ટ તો પચીસ વરસ જૂની છે. જે લડાઈમાં મુસલમાનને બે ટકાનો ફાયદો થવાનો નથી, જે લડાઈના અંતે મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ‘દયાજનક’ અને ‘લાચાર’ જ રહેવાનું છે, એ લડાઈમાં મુસલમાનને જ બદનામ કરવાનો તખતો ગોઠવાઈ ગયો છે.
બે દિવસ પહેલાં રાષ્ટ્રીય ઉલેવા કાઉન્સિલે લઘુમતી સમાજ માટે 18 બેઠકોની માંગણી કરી હતી. આ કાઉન્સિલનું આમ તો કોઈ જ વજુદ નથી. પરંતુ, બીજા જ દિવસે કોંગ્રેસના લઘુમતી સમુદાયના ધારાસભ્યએ પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે મૌલવીઓ રાજકારણમાં માથુ ના મારે તો સારું. હવે આ દેશમાં જેમને બે પૈસાની અક્કલ નથઈ એવા નાગા બાવાઓ વચ્ચે પણ મુખ્યપ્રધાન થવાની સ્પર્ધા શરૂ થઈ છે ત્યારે મૌલવીઓને ખામોશ રહેવાની સલાહ આપવી એ તો બિલાડીથી ફફડતા ઉંદરના કલ્પાંત જેવી જ છે.
કોંગ્રેસે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ પકડી લીધો છે. રાહુલ ગાંધીએ રાજ્યના તમામ નામાંકિત મંદિરોમાં જઇને ઘંટ વગાડી દીધો છે. મીડીયાને પણ મજા પડી ગઈ. કહે છે, “રાહુલ બાબા માત્ર પંદર મીનીટમાં ચોટીલા માતાજીના મંદિરના પગથીયા ચડી ગયા અને ઉતરી પણ ગયા.” હજુ ત્રણ વરસ પહેલાં 2014માં લોકસભાની ચુંટણીઓ ટાણે જે માણસને તમે પપ્પુ પપ્પુ કહીને વગોવી માર્યો હતો, ઇન્ટરનેટ પરથી શોધી શોધીને એની જોક્સ મુકી હતી, એ રાતોરાત કેવી રીતે સ્ફુર્તિવાળો થઈ ગયો, ધીર ગંભીર થઈ ગયો, દેશના ભાવિ વડાપ્રધાન થવાની લાયકાત ધરાવતો થઈ ગયો. મીડીયાએ કોંગ્રેસનું સોફ્ટ હિન્દુત્વ ચ્યવનપ્રાસની જેમ લોકોને ચટાડ્યું અને લોકોએ પેટ ભરીને ચાટ્યું.
પણ, રાહુલ બાબાની કોંગ્રેસને કોઈ એવો પ્રશ્ન નથી પૂછતું કે વિધાનસભામાં 44-44 બેઠખો ધરાવતા ગુજરાતના સૌથી પ્રભુત્વશાળી સમુદાયના સવાલો રોજે રોજ મંત્રણા કરવા યોગ્ય છે, તો એના જેટલી જ વસતી ધરાવતા સમુદાયને કેમ માત્ર –ત્રણ સીટો આપીને પટાવો છો? શું દેશના બંધારણની રક્ષા કરવાની એક માત્ર પવિત્ર જવાબદારી મુસલમાનોના માથે જ છે?
રાહુલ બાબાની મંદિર મુલાકાતો સામે ગોબર મંડળીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, કોંગ્રેસ માતાજીની ગમે તેટલી આરતી કરે, છેવટે તો તેણે હજનો જ આશરો લેવો પડશે. મુસલમાનોને રાજકીય રીતે ‘અદ્રશ્ય’ બનાવી દેવાની ભાજપની જાદુગરીમાં કોંગ્રેસ પણ હોંશે હોંશે સામેલ થઈ જતી હોય ત્યારે મુસલમાનોએ મૂંગા મંતર રહેવાનું, લોકશાહીને બચાવવાની મહત્તમ કિંમત લઘુત્તમ સમાજે ચુકવવાની. આ કેવું?
2004મા મારી કિતાબ ‘ભગવા નીચે લોહી’માં મેં એક વિશ્લેષણ કર્યું હતું. જેમાં મેં જણાવ્યું હતું કે 1981માં મુસલમાનોના નવ ધારાસભ્યો હતા. વાંકાનેરમાં પીરઝાદા મંજુર હુસેન, જામનગરમાં મોહમદ હુસેન બલોચ, સિદ્ધપુરમાં શરીફભાઈ ભટ્ટી, ગોધરામાં અબ્દુલ રહીમ ખાલપા, ઠાસરામાં યાસીન મિયાં મલેક, ભરુચમાં અહેમદ પટેલ, સુરત (પશ્ચિમ)માં મોહમદ સુરતી, કાલુપુરમાં મોહમદ હુસેન બારીજીયા અને જમાલપુરમાં લાલભાઈ કુંદીવાલા. ગોબર મંડળીએ હિન્દુત્વની એવી કટ્ટર ઝુંબેશ ચલાવી કે આ સીટો પર આજે સવર્ણ હિન્દુઓ કમળના નિશાન પર જીતે છે. મુસલમાનો સામે હુલ્લડોમાં એસસી, એસટી, ઓબીસીને ધંધે લગાડ્યા હતા અને પછી મુસલમાનોની રાજકીય બાદબાકી થઈ ત્યારે એનો ફાયદો વાણીયા, બ્રાહ્મણ, પટેલોએ લીધો હતો.
ગુજરાતમાં આ વખતે જે એન્ટિ ઇન્કમ્બન્સી છે, એ અગાઉની કોઈપણ ચૂંટણીમાં જોવા મળી નથી. તેમ છતાં જો કોંગ્રેસ હારી જશે તો મુસલમાનોએ નવા રાજકીય વિકલ્પ અંગે વિચારવું પડશે.

In Hindi :-
गुजरात की गोबर मंडली ने चूनावी जंग को राम विरुद्ध हज का रंग दिया तब सभी ने कहा कि यह स्क्रिप्ट तो पचीस साल पुरानी है. मगर किसी ने ऐसा कहने की गुस्ताखी नहीं की कि जिस लडाई में मुसलमान को दो टके का भी फायदा होनेवाला नहीं है, जिस लडाई के अंत में मुसलमानों के राजकीय प्रतिनिधित्व को फिर से ‘लाचार’ और ‘बेबस’ ही रहना है, उस लडाई में बिना वजह मुसलमानों को क्यों बदनाम किया जा रहा है. मुसलमान बुद्धिजीवी, सामाजिक कार्यकर्ता इस बारे में एक लफ्ज भी नहीं बोलेगा तो यह स्थिति शर्मनाक है.
कुछ दिन पहले राष्ट्रीय उलेमा कौन्सील ने मुसलमानों के लिए गुजरात कोंग्रेस से 18 सीटें मांगी थी. दुसरे ही दिन कांग्रेस के मुसलमान विधायक ने कहा कि मौलवी लोग राजनीति से दूर ही रहे तो अच्छा रहेगा. अब जब इस देश में नागा बावाओं के बीच में प्रधानमंत्री होने की स्पर्धा चल रही है तब मौलवियों को खामोश रहने की सलाह बिल्लियों से कांपते चूहो के आक्रंद जैसी ही लगेगी.
कांग्रेस ने इस चुनाव में फिर से सोफ्ट हिन्दुत्व का सहारा लिया है. राहुल बाबा ने पूरे गुजरात के नामी मंदिरों में जाकर घंटा बजा दिया है. मीडीया बहुत खुश है. गुजरात के अखबार लिखते हैं, “राहुल बाबा चोटीला माताजी का मंदिर सिर्फ पंद्रह मिनट में चडकर उतर गए. राहुल बाबा ने क्या फुर्ती दिखाई है.” अभी दो साल पहले जिस इन्सान को आप पप्पु पप्पु कहते थकते नहीं थे, वह अचानक तेज तर्रार कैसे हो गया, धीर गंभीर कैसे हो गया, देश का पीएम मटीरीयल कैसे बन गया. मीडीया को कांग्रेस का सोफ्ट हिन्दुत्व बहुत भाया और मीडीया ने लोगों को च्यनवप्राश की तरह लोगों को चटाया और सभी ने चाट भी लिया.
राहुल बाबा की कांग्रेस को कोई यह सवाल नहीं पूछता कि भैया गुजरात विधानसभा की 44 सीटें जिसकी झोली में है ऐसे प्रभुत्वशाली समुदाय के सवाल हर रोज मंत्रणा करने के काबिल लगते है तो जिस समुदाय की इतनी ही तादाद होकर भी जिसे आप दो-चार सीटें देते हो इसे क्यों आप टेकन फोर ग्रान्टेड गीनते हो?
मैंने 2004 में मेरी किताब ‘भगवा तले अंधेरा’ में एक विश्लेषण किया था. जिसमें मैंने बताया था कि 1981 मुसलमानों के नव विधायक थे. वांकानेर में पीरझादा मंजुर हुसैन, जामनगर में मोहमद हुसैन बलोच, सिद्धपुर में शरीफभाई भट्टी, गोधरा में अब्दुल रहीम खालपा, ठासरा में यासीन मियां मलेक, भरुच में अहमद पटेल, सुरत (पश्चिम) में मोहमद सुरती, कालुपुर में मोहमद हुसैन बारीजीया और जमालपुर में लालभाई कुंदीवाला थे. गोबर मंडली ने हार्ड हिन्दुत्व क्या चलाया कि कांग्रेस भी सोफ्ट हिन्दुत्व पर चल पडी. नतीजा यह आया कि आज सिर्फ दो विधायक रह गये है. और सबसे भयानक बात तो यह है कि इन सारी सीटों पर अब सवर्ण जातियों के लोग चुनकर आते है और वह भी कमल के निशान पर.
गुजरात में इस बार जो तरह की एन्टि इन्कम्बन्सी है, वह शायद ही किसी और चुनाव में होगी. अगर इसके बावजुद कांग्रेस हार जाती है तो मुसलमानों को राजकीय विकल्प के बारे सोचना पडेगा.
-Raju Solanki

who were shudras?

By Raju Solanki  || 11 November 2017 at 17:19


એ છેલ્લે દેખાયો હતો ચલો થાનની રેલીમાં, થાનગઢમાં.
દલિત આંદોલનમાં શુદ્રના આગમનની એ પહેલી નિશાની હતી. વંચિતો, પીડિતો પાંચ હજાર વર્ષ જૂની વર્ણવ્યવસ્થા સાથે પોતાની જાતને જોડે, પોતાના સમાજ પર થતા દમનને એક ઐતિહાસિક સંદર્ભમાં જુએ ત્યારે વંચિતોના આંદોલનની શરૂઆત થાય છે. પારકી વિચારધારાઓ, પારકા પંડિતો, પારકા ઝંડા પકડી લેવાથી વંચિતો, પીડિતો પોતાના ઇતિહાસથી દૂર જાય છે. એક એવી ઓળખ કે જેની સાથે આ દેશના એંસી ટકા લોકો તાદાત્મ્ય અનુભવે તો એનાથી આંદોલનો સશક્ત થાય છે.
ઓબીસી જાતિઓને પોતાના શુદ્રત્વની પહેચાન નથી. ઓબીસી દલિતને પોતાનાથી અલગ સમજે છે. શુદ્ર શબ્દ બંનેને જોડે છે.
થાન હત્યાકાંડ વખતે શુદ્રની ઓળખ સ્થાપિત થઈ હતી, પરંતુ ક્ષણજીવી જ નીવડી. બે વરસ પછી ઉના-કાંડ સર્જાયો, શુદ્રોએ દલિત પર સીતમ કર્યો, દલિત વધારે દલિત થયો, ઓબીસીનો વિરોધી થયો, શુદ્રની ઓળખ પાછી ભૂંસાઈ ગઈ.
આંદોલનના બોધપાઠ મહત્વના છે. દોસ્તો, ચૂટંણી આવે એટલે હત્યાકાંડોના ફોટા છાપીને ફલાણી પાર્ટીને કે ઢીકણી પાર્ટીને હરાવવાના પોપરગંડા તરીકે ભલે એનો ઉપયોગ કરો. વાંધો નથી. પણ, આવા ફોટા પર પણ નજર નાંખજો. તમારી વિચારધારાની સમજ સ્પષ્ટ બનાવશે.
(શુદ્રની ત્રણ વિચક્ષણ મુદ્રાઓ સંવેદનશીલ ફોટો જર્નાલિસ્ટ એવા મારા મિત્ર ઉમેશ સોલંકીએ કેમેરામાં ઝીલી છે. અમે ચલો થાનનો કોલ આપ્યો ત્યારે આગલા દિવસે થાનગઢ જવા નીકળેલા એની સ્મૃિત હજુ મનમાં છે. આભાર ઉમેશ.)