June 29, 2017

ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???



By Dr Yashpal Divyaben Kanjibhai
બે ધટના
વષૅ ૨૦૦૪ ધોરણ ૧૦ નુ વેકેશન સામાન્ય રીતે વેકેશન ગામડે જ કરવાનુ થાય ધમાલ મસ્તી ના દિવસો ,
બપોર થાય એટલે ચા પીવાનો ટાઈમ થાય એટલે ઘરના સભ્યો ગ્લાશ પકડાવી દે જા ફલાણા ને ત્યાંથી દુધ લઇ આવ નાછુટકે જવુ પડે ત્યારે દુધ શેર,બશેર,પાશેર ની ગણતરી મા આપતા તળપદી મા સવણૅ ના ઘર લોક ના ઘર કહેવાતા થોઙી ઉંચાઈ પર ધર હોય તમે દુધ લેવા જાવ પણ પગથીયા નહિ ચડવાના , હડધૂત થવાની તૈયારી રાખવાની , પૈસા પણ હાથ મા નહિ આપવાના, નીચે મુકવાના એ લઈ લે
આમ તો દાદા એક ઓફિસર ના શહેરી છોકરા ને બધુ શીખવતા પણ આવા રોજ ના અપમાન ઘુંટડે ઘુંટડે વેકેશન પુરતો પી જતો. એક દિવસ ધીરજ તૂટી અને શબ્દો ની મર્યાદા પણ. ઘર મા ઓહો થઈ ગયુ પટેલ એ સલાહ આપી દાદા શીખવો શહેર ના છોકરા ને કે બહાર જવાથી લોક ના થઈ જવાય... પણ એ ઘટના પછી ધણુ પરિવર્તન આવ્યુ. અમુલ ની થેલી ગામડા સુધી આવી ગઈ, પણ આજે પણ રીત એજ છે . 

ખેર કયારેક તો સુધરશે ને આ લોક..???

૨૦૧૨
ત્યારે મકાન લાયક પૈસા ની સગવડ થઈ ગઈ હતી.  હું અને પપ્પા રોજ પ્લોટ કે મકાન લેવાની ચર્ચા કરતા. પપ્પા એ શોધવાની જવાબદારી મારા પર નાખી ત્યારે મેડીકલ નુ અંતિમ વર્ષ, જ્યા જાહેરાત જોઉ ત્યા કોલ કરુ. દલાલ ફેમિલી ડીઈટેલ પુછે શરુઆત માં ખુશ થઈ જાય પછી હરવેક થી જાતી પુછી લે , જવાબ સાંભળતા જ અવાજ નો ટોન બદલાય. પછી શું, ગલા તલ્લા શરૂ.  લગભગ બધે થી નિરાશા કોઈક એમ કહે મને વાંધો નથી કાલ સવારે સોસાયટીવાળા વાંધો ઉઠાવે, કોઇક કહે થોડો સમય જાત છુપાવી રહો પછી વાંધો નહિ, કોઈ કહે તમારા બજેટ મા નથી વગેરે વગેરે કેટલાય ઢકોસલા સાંભળી ને કંટાળ્યો અંતે નકકી કર્યું મારા સમાજ વચ્ચે જ સારો છુ....

આતો થઈ બે ધટના ની વાત બીજી ધણી વાતો છે પછી કયારેક નિરાંતે

માસૂમ જવાબ : હા લોક છીએ..!!!



મારી પાસે તો તાજો બે મહિના પહેલાંનો દાખલો છે. એક મજૂરણ બાઇ ઘર આગળથી પસાર થઇ રહી હતી. હું બહાર કોમન પ્લોટમાં ખુરશી પર બેઠેલો. મારું મકાન બે માળનું આલિશાન છે. 
મજૂરણને પાણીની તરસ લાગેલી. તે દરવાજા તરફ ગઇ અને મારી દિકરી માસૂમને કહે, "બેનબા, પાણી આપજોને તરસ લાગી છે."

માસૂમ ફ્રિઝમાંથી બોટલ લઇ આવી. કાચના ગ્લાસમાં પાણી ભરી હજી તેને આપી જ રહી હતી..ત્યાંજ સાંસ્કૃતિક સવાલ પૂછાયો! "બેનબા, તમે લોક છો...???"
માસૂમ કહે, "હા લોક છીએ!"

 ખરી હકિકતે માસૂમને જાણ નથી કે 'લોક' એટલે શું? 

હું સાંભળતો હતો મેં માસૂમને કહ્યું, "બેટા, બોટલ પાણી આપ્યાં વિના ફ્રિઝમાં મુકી દે! આપણે લોક નથી! 'અનલોક' છીએ!"
પછી પેલી બાઇને કહ્યું, "અમે જાતના ચમાર છીએ..." 
તે સમજી ગઇ! માસૂમ પાસેથી ભરેલો ગ્લાસ હું ગટગટાવી ગયો..

એ બાઇને કહ્યું, "આ કાચનો ગ્લાસ સ્પેશલ મેં પસંદ કર્યો છે... 70/- રુપિયાનો એક ગ્લાસ છે. બે ડઝન છેક આગ્રા ગયેલો ત્યાંથી લાવ્યો છું. તારા લોક તને આવા ગ્લાસમાં પાણી નહી પીવડાવે..! અહીંથી ચોથી લાઇન લોકની છે. પણ બધાંના દરવાજા લોક હશે..."

હું અંદરથી ઇચ્છતો કે તેનું વધારે સ્વમાન ઘવાય..પણ હું તેને કડવા વે'ણ ન બોલી શક્યો કેમ કે મને ખબર છે કે, આ અજ્ઞાન, આ માનસિક અધોગતિનાં મૂળને પોષણ કોણ આપે છે. કયા વિદ્વાનો આ વ્યવસ્થા ટકી રહે તેવા પ્રયત્ન કરી રહ્યા છે? હું તેમને અહીં રોજેરોજ અરીસો દેખાડું છું..છતાંય તેઓ પોતાના વિકૃત ચહેરા પર લાલીલપેડા કરી સુંદરતાનો ડોળ કરશે..

પૂછનારનો કોઇ વાંક નથી..તે અણસમજુ, અભણ, ગમાર છે. જે શિક્ષિત સવર્ણો છે તે સમાજમાં સૌહાર્દ, સમાનતા, ભાતૃત્વનો વિકાસ થાય તેવું નથી ઇચ્છી રહ્યાં. જો તેઓ ઇચ્છતા હોત તો તેઓએ આંતરીક સામાજિક સુધારણાનું આંદોલન શરું કર્યું હોત!

- વિજય મકવાણા


 બિન દલિત હોવાનો નશો દુનિયાનો સૌથી કેફી નશો છે. એમાં મદહોશ થનારા ભિખારી પણ કરોડપતિ, એજ્યુકેટેડ, સંસ્કારી દલિત કરતા ય પોતાને ઊંચા સમજે છે. અને એટલે જ ભારતના ગરીબો ક્રાંતિ નથી કરી શકતા.
- અરુણ પટેલ

ગોખલા ની રકાબી અને મનોરોગીયો ની ચા

By Vishal Sonara
છુઆછુત તો અત્યારે ન હોય એવુ લાગે છે પણ માનસીક છુઆછુત તો નથી જ ગઈ હજી પણ ખાસ કરી ને ગામડાઓ મા હાલત વધુ ખરાબ છે.
સૌરાષ્ટ્ર ના ઘણા ગામડાઓ મા ચા પીવાની બે ત્રણ અલગ રકાબીયો ને રસોડા (કે જે મોટે ભાગે બાર ની સાઈડ જ હોય) ની બાર ની થાંભલી ના ગોખલા જેવી જગ્યા એ રાખવા મા આવે કે જે થી કોઇ એવી જાતી નો વ્યક્તી આવી જાય કે જે ઉતરતી જાતી નો હોય અને એને ચા પીવડાવવી પડે તો એને એમા ચા આપી શકાય. પાછી ચા પીવડાવવા જેટલી ખાનદાની ખરી આવા માનસીક રીતે બીમાર (જાતિવાદી) લોકો ની.
જો રેગ્યુલર રકાબી મા ચા પીવરાવવામા આવે અને એ રકાબી ઘર મા અન્ય વાસણો સાથે ભળે તો અનર્થ થઈ જાય. અભડાઈ જવાય , દેવી-દેવતા કોપાયમાન થઈ જાય , ભુવા બોલાવવા પડે, પાપ મા પડાય , ધર્મ ભ્રષ્ટ થઈ જાય વગેરે વગેરે જેવી અનેક માન્યતાઓ એમના મગજ મા હોય છે.
હવે જો આવો કોઇ નીચલી વર્ણ નો વ્યક્તિ ચા પી જાય અને એના ચા પીધા બાદ ઘર મા રકાબી લઈ જવી હોય તો વળી ગંગાજળ કે ગૌમુત્ર નો છંટ્કાવ કરવો પડે ને બીજા ઘણા પ્રશ્નો ઉભા થાય એના કરતા બાર નુ બાર જ પતે એ મુખ્ય હેતુ થી આવા ગોખલા પ્રથા અમલી છે હજી હાલ ની તારીખ મા પણ.
પણ અત્યારે ટેકનોલોજી નો જમાનો છે તો આવા પ્રોબ્લેમ મા પણ એ જ કામ આવે ને..!!! હવે એ પ્રોબ્લેમ ઘણા અંશે પ્લાસ્ટીક ના ડીસ્પોસેબલ કપ આવી જતા સોલ્વ થઈ ગયો છે.
ડીસ્પોસેબલ ચા ના કપ મા ચા આપી દેવાની ચા પીવાય જાય એટલે ડાયરેક્ટ જે ચા પીવા વાળો હોય એના જ હાથ થી ફગાવી દેવાની દુર એવિ સુવ્યવસ્થીત વ્યવસ્થા નુ સર્જન થઈ રહ્યુ છે.

ટેક્નોલોજી કેટલી કામ મા આવે છે એનો આ તાદ્દશ નમુનો છે...!!!