July 30, 2019

દુ:ખ વિશેના લોકોમાં બે જુઠ્ઠા અને ભ્રામક વિચારો

By Vijay Makwana  || 26 July 2019




(૧) સમય મોટામાં મોટા દુ:ખનો ઇલાજ છે.

પણ ખરેખર થાય છે એવું કે, દુ:ખ આપવાવાળી ઘટના અને તેની સ્મૃતિઓથી ઘેરાયેલાં તમારા મન ઉપર કેટલાંય નવા વિચારો અને નવી સ્મૃતિઓની ચાદર ચડી જાય છે. પરંતુ દુ:ખ તો ત્યાંનું ત્યાં જ મૌજૂદ હોય છે. આરામથી તે જે જગાએ છે ત્યાં બેઠું હોય છે. સમય વિતતો રહે છે તેની સાથે તમારા અવચેતન મનનો તે હિસ્સો બની જાય છે. અને ત્યારબાદ તે અઘટિત અભિવ્યક્તિ અથવા વિકૃત અભિવ્યક્તિના સ્વરુપે તમારામાંથી બહાર નિકળે છે.

(૨) બીજો જુઠ્ઠો અને ભ્રામક વિચાર એ છે કે, દુ:ખ વહેંચવાથી ઓછું થાય છે.

વાસ્તવમાં એ હકિકત ખરી નથી. બે-ચાર, કે દસ-બાર દુ:ખી લોકો સાથે મળીને કોઇ એકને સુખી નથી બનાવી શકતાં. ત્યાં માત્ર દુ:ખને ખંજોળવામાં આવે છે. દુ:ખને વલુરવામાં આવે છે અને દુ:ખ હોય છે તેના કરતાં વધું ફેલાઇ જાય છે. દુ:ખ વહેંચવાથી ઓછું થયું તેવો ભ્રમ પેદા થાય છે. દુ:ખ વહેંચવાની આ આદત ચાલું રહે તો આગળ જતાં તે પોતાની જાત પ્રત્યે દયા મેળવવાની વૃતિ એટલે કે, આત્મદયાની વૃતિ માણસમાં બળવતર બનશે.

તેથી જ તથાગત બુદ્ધે કહ્યું છે. દુ:ખનું કારણ હોય છે. તે સમજવું ખૂબ જરુરી છે...પછી કારણ ખતમ કરો તો તે દુ:ખ પણ ખતમ..

ખૈરલાંજી હત્યાકાંડ, 2006 (24/05/19 સુપ્રીમ કોર્ટનો ચુકાદો)

By Vishal Sonara || 29 July 2019




29 સપ્ટેમ્બર 2006 ના રોજ મહારાષ્ટ્ર ના ખૈરલાંજી મા બનેલ જઘન્ય હત્યાકાંડ પર સુપ્રીમ કોર્ટે ના જજ અરૂણ મિશ્રા, ભૂષણ આર ગવઈ અને સુર્ય કાંત ની બેચનુ એવુ તારણ છે કે તે હત્યાકાંડ જાતિવાદ ના લીધે નહી પરંતુ આપસી અણબનાવ ના કારણે બન્યો હતો તેથી તેના ગુનેગારોને ફાંસીની સજાને બદલે આજીવન કેદની સજા મળવા પાત્ર છે.
આજકાલ મોબ લિંચીંગની ઘટનાઓ પર લોકો ખૂબ વાત કરી રહ્યા છે ત્યારે તે લોકોઅે જાણી લેવુ જોઈએ કે જેને તમે આજે દેશ માટે નુકસાનકારક ગણી રહ્યા છો તે મોબ લિંચીંગ આ દેશમાં જાતિવાદ ને કેંદ્રમા રાખીને જોઈઅે તો અનુસૂચિત જાતિ અને જન જાતિના લોકો સાથે હજારો વર્ષોથી થઈ રહ્યુ છે. એવો જ એક કિસ્સો છે આ ખૈરલાંજી હત્યાકાંડ.



હત્યાકાંડ ની વિગતો :-
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા ના ખૈરલાંજી ગામે તારીખ 29 સપ્ટેમ્બર 2006 ના રોજ સાંજના સમયે જાતિગત ધ્રુણા થી અેક ખૂની ખેલ ખેલાયો હતો જેમા અેક અનુસૂચિત જાતિના ભોતમાંગે પરિવારના ચાર વ્યક્તિઓની સાથે કલાકોના કલાકો સુધી અત્યાચારો થયા અને અંતે તેઓ ચારેય મૃત્યુ પામ્યા.
સુરેખા ભોતમાંગે (ઉમર 45), તેમની દિકરી પ્રિયંકા (17), બે દિકરા રોશન (21) અને સુધીર (23) આ મોબ લિંચીંગ નો ભોગ બન્યા હતાં. પોતાની માલિકીની જમીન પર ગામના અન્ય લોકો અવૈધ કબ્જો કરવા માંગતા હતા તેનો ઝઘડો ચાલતો હતો. ખૈરલાંજી ગામમાં 800 ની વસ્તી હતી, કણબી અને કલાર અેમ બે મુખ્ય ઓબીસી જાતિઓ અને થોડા આદિવાસીઓની વસ્તી હતી જ્યારે અનુસૂચિત જાતિના ફક્ત ત્રણ જ પરિવાર ત્યા વસતા હતા.
29 સપ્ટેમ્બર 2006 ની સાંજે ભોતમાંગે પરિવાર ના ચારેય સભ્યોને ગામના કહેવાતા ઉચ્ચ હિંદુઓએ ટોળામાં ભેગા થઈને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા તથા નિર્વસ્ત્ર કરીને ગામ આખામાં પરેડ કરાવી. બંને દિકરાઓને માર મારીને માતા તથા પુત્રી સાથે સંભોગ કરવા માટેની ફરજ પાડવાની કોશિશ કરવામાં આવી જ્યારે તેઓએ સામો પ્રતિકાર કરતા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યા તથા ચારેય વ્યક્તિઓને ખૂબ પ્રતાડીત કરવામાં આવ્યા અને અંતે હત્યા કરીને ગામની નજીકમાં આવેલી એક કેનાલમા ફગાવી દેવામાં આવ્યાં.

કુટુંબના મુખ્ય સભ્ય ભૈયાલાલ ભોતમાંગે હાજર ન હોવાથી બચી ગયા હતા. તેઓ ન્યાય ની લડત આપતા આપતા જાન્યુઆરી 2017 મા મૃત્યુ પામ્યા હતા.

કોર્ટ મેટર :-આ બનાવમા પોલીસ દ્વારા 47 લોકોને પકડવામાં આવ્યા હતાં તેમાંથી 11 લોકો ને દોષી જાહેર કરવામાં આવ્યા હતાં અને બાકીના ને છોડી મુકાયા હતા. કોર્ટ - હાઈકોર્ટ ના અવનવા ચુકાદાઓના અંતે તે 11 માંથી 4 નરાધમોને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે તે સજાને ફાંસી ને બદલે ઉમરકેદ મા બદલી નાખી. તેની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી જેને હવે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દઈને હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે.

હવે, સુપ્રીમ કોર્ટના મીલોર્ડ માનવા તૈયાર નથી કે આ હત્યાકાંડ જાતિવાદી માનસિકતા ના પરિણામે બન્યો હતો. જ્યારે તેઓએ તો બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને કડકમાં કડક સજા આપવી જોઈતી હતી.



ફેસબુક પોસ્ટ :-