December 25, 2017

जब पुस्तक प्रेमी ने एक पुस्तक जलाया

By Social Media Desk




जब पुस्तक प्रेमी ने एक पुस्तक जलाया

आज 25 दिसंबर है न...

जी हाँ मैं बाबासाहब अम्बेडकर और मनुस्मृति की ही बात कर रहा हूँ

ब्राह्मणवाद के खिलाफ एक बहुत ही बड़ा क्रांतिकारी कदम जो इतिहास में दर्ज हो चूका है |

महाड महासंघर्ष का हिस्सा बनी हुई इस क्रांतिकारी घटना से कुछ ऐसी बाते भी जुडी हुई है जिसे आज के दिन  याद करना जरूरी है |

इस दिन के अवसर पर.....

मुस्लिम सज्जन फत्ते खान को याद करना जरुरी है क्योंकि  मनुवादियोने तो भरसक प्रयास किया था की मनुस्मृति दहन के इस क्रांतिकारी कार्यक्रम के लिए कोई मैदान ही न मिले; ऐसे में फ़तेह खान ने अपनी निजी जमीन Free of Cost दी थी |

मनुवादीयो ने  इस बात का भी ध्यान रखा था की वहां पर पानी, खाना और यहाँ तक की वहां तक पहुँचने के लिए कोई वाहन  भी न मिले |

इसीलिए तो.... 

स्वयं बाबासाहब को मुंबई से पदमावती नामक बोट से वाया धरमतार आने की बजाय दसगाँव पोर्ट से आना पड़ा था और वह भी 5 किलोमीटर तो चलना पड़ा था | क्योंकि कोई भी वाहन चालक मनुवादियों के विरोध के चलते  ले जाने के लिए तैयार न था |

कार्यकर्ता ओको पानी और खाना साथ लेकर आने के लिए कहा गया था |

कार्यकर्ताओ को शपथ दिलाई गई थी की....

1. मैं चातुर्वर्ण में विश्वास नहीं रखूंगा ।

2. मैं जाति आधारित भेदभाव को नहीं मानूंगा ।

3. मैं अश्पृश्यता को हिंदुत्ववादी अभिशाप मानूंगा और उसे ख़तम करने का हर संभव प्रयास करूँगा ।

4. मैं असमानता का विरोध करूँगा और खान-पान के किसीभी प्रतिबन्ध का पालन नहीं करूँगा ।

5. मैं इस बात को भलीभांति मानूंगा की अछूतों को भी मंदिर प्रवेश, जलसंसाधन, पाठशाला एवं अन्य सुविधाओ का समान अधिकार है |

बाबासाहब ने अपना ऐतिहासिक भाषण देते हुए... 

इस मीटिंग  की तुलना  24 जनवरी 1749 के दिन फ्रांस में मिली किंग 16th लुइ की मीटिंग के साथ की थी; जहाँ पर समानता की एक ऐसी ज्योत जली थी की जिसमे राजा रानी समेत कई सामंत जलकर खाक हो गए थे | और उसके बाद 15 साल तक फ्रांस में गृहयुद्ध चलता रहा |

 इस फ्रेंच क्रांति ने न केवल फ्रांस के लिए सुख समृद्धि की नींव डाली बल्कि समूचे यूरोप में क्रांतिकारी परिवर्तन लाया |

बाबासाहब ने यह भी कहा था की केवल मनुस्मृति को जलाने मात्र से ब्राह्मण्य ख़तम नहीं होगा; हमें हमारे अन्दर जो  ब्राह्मण्य ग्रस्त व्यक्ति है उसको भी जलाना होगा ।

यह भी कहा था की....

अश्पृश्यता को ख़तम करना है तो हमें अंतर्भोज एवं अंतरजातीय विवाह को मान्यता देनी होगी |

उन्होंने उच्चवर्णीयो को हिदायत देते हुए कहा था की.....  

वे इस सामाजिक क्रांति को रोकने की कोशिश न करे, न्याय के सिद्धांत के आधार पर उसे शांतिपूर्ण तरीके से  आकार लेने दे; अगर वे चाहते हे की भविष्य में सशस्त्र संघर्ष न हो |

25 दिसंबर 1927 के दिन रात 9 बजे 
बापुसाहिब सहस्त्रबुध्धे और अन्य 5-6 अछूत संतो के करकमलो से मनुस्मृति का दहन किया गया |

उस वक्त के प्रचार माध्यमो ने बाबासाहब को भीमासुर नाम से नवाजा था |

मगर बाबासाहब को इस बात की जरा से भी परवाह नहीं थी क्योंकि 

वे समता, स्वतंत्रता, बंधुता एवं न्याय के आन्दोलन को आगे ले जाने के लिए अपनी जान के किम्मत पर भी प्रतिबध्ध थे |

मनुस्मृति दहन दिन के इस ऐतिहासिक अवसर पर सामाजिक क्रांति की ढेर सारी मंगल कामनाए

ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા

By Jigar Shyamlan ||  25 December 2017 at 01:35 



મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
આજે 25 ડિસેમ્બર..!!
નાતાલ..! મોટાભાગના લોકોના મોંઢે આ શબ્દો સાંભળવા મળશે. 25 ડિસેમ્બર થી લઈ 31 ડિસેમ્બર સુધી મોટાભાગના સેલિબ્રેશન મોડમાં જ રહેવાના.
સેલિબ્રેશન અથાઁત ઉજવણી....!!
મસ્તી, મઝા અને આઝાદી. જેમ કરવું હોય અને જે કરવું હોય તે કરી શકવાની છૂટ. ઉજવણી એ તમે મુક્ત છો એ અહેસાસ કરાવતી એક અવસ્થા છે. 
પણ આજના આ ઉજવણીભયાઁ માહોલમાં તમને એ વાતની ખબર નહી હોય કે.., 25 ડિસેમ્બર એટલે પછાતો આઝાદ બની, મુક્ત બની, કોઈનીય રોકટોક કે કોઈ પાબંદી વગર આઝાદીથી ઉજવણી કરી શકે તે દિશામાં પછાતોને માનસીક અને સામાજિક ક્રાન્તિ કરી સક્ષમ બનાવવાની શરૂઆત કરવાનો પ્રથમ તબક્કો.
મિત્રો, આજે તમે હાલના જેવી આઝાદી ભોગવી શકો...,
શરાબ, બિયરના ગ્લાસને ચિયસઁ કરતા ટકરાવી મસ્તીમાં ઝૂમી ઝૂમીને ક્રિસમસ અને 31 ની ઉજવણી કરી શકો..
તમને ગમે તે રીતે સમાજમાં દરેકને નવા વરસની શુભેચ્છાઓ પાઠવી શકો... 
તમે આ તમામ બધુ કરી શકો અને આ બધી બાબતો તમારા માટે હકીકત બને તે હેતુ ધ્યાનમાં રાખી એક માણસે એક પ્રબળ ઈચ્છા રાખી હતી.
પછાતોની મુક્તિ અને સ્વતંત્રતાના ધ્યેયની આવી ઈચ્છા રાખનાર માણસ એટલે "બાબા સાહેબ આંબેડકર" અને તે ધ્યેય સાકાર કરવા માટે તેમણે ઉઠાવેલ પહેલુ ચરણ એટલે મનુસ્મૃતિ દહન. આજના દિવસે 25 ડિસેમ્બરે બાબા સાહેબે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વો દ્વારા સ્થાપિત સામાજીક વ્યવસ્થા સામે પછાતોને આઝાદ કરાવવા સામાજિક આંદોલન ઉઠાવેલું.
જો માનવામાં ન આવતુ હોય તો તમારો ભૂતકાળ ફંફોસી લો.., ગુલામી અને દાસતાની બેડીઓમાં જકડાયેલા તમારા પુવઁજોના હાડપીંજરના ઢગલાઓ મળી આવશે. 
આ ગુલામીની જનક મનુસ્મૃતિએ સદીઓ સુધી શુદ્રોનું સામાજિક, આથિઁક અને માનસિક શોષણ કયુઁ છે. મનુસ્મૃતિ એક એવો ગ્રંથ જેણે સદીઓ સુધી સમાજના ચોક્કસ વગઁના બહુમતી સમાજના લોકોને શુદ્ર ગણાવી ધમઁની આડમાં શોષીત કરવા માટે વ્યવસ્થિત પીઠબળ પુરુ પાડ્યું.
મનુસ્મૃતિ એટલે બ્રાહ્મણોને બ્રહ્માના મુખથી, ક્ષત્રિયોને બ્રહ્માના બાહુથી, વૈશ્યને સાથળ અને શુદ્રોને પગમાંથી ઉત્પન્ન થયાનો દાવો કરી સમગ્ર શુદ્ર સમાજને માથે પરાણે ઠોકી બેસાડેલી અન્યાયી અને શોષણકારી ચાતુવણઁ સમાજ રચનામાં ની જનક.
મનુસ્મૃતિએ જ લોકોના ચાર વણઁ બનાવી તેમની વચ્ચે કામની પણ વહેંચણી કરી તે મુજબ બ્રહ્માના મુખેથી પેદા થયેલ બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગણાવાઈ તેમને ભણવાનું અને ભણાવાનું, યજ્ઞો-હવનો અને પૂજા પાઠ કરવાનું કામ સોપી રીતસર લહાણી કરવામાં આવી.... ક્ષત્રિયોનું કામ રાજ્યનુ રક્ષણ કરવાનું.... વૈશ્યોને વ્યાપાર પર એક હથ્થુ શાસન કરવાનું અને શુદ્રોને માત્ર અને માત્ર ઉપરના ત્રણેય વગઁના લોકોની સેવા કરવાનું કામ પરાણે લાદવામાં આવ્યું.... બસ અહીંથી જ ઘોર અન્યાયની શરુઆત થઈ જે સદીઓ સુધી ચાલતી રહી.
મનુસ્મૃતિ થકી પછાતોના આજિવન શોષણ માટે એક એવી સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી વળી એને ધમઁનું રક્ષણ આપી આ વ્યવસ્થા કાયમી રહે તે માટે શક્ય તમામ પગલા લેવાયા. મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનું બંધારણ ગણાતી હતી. તેમાં બતાવેલ કાયદાઓ અમલી હતા. આમાં પછાતોને કોઈ પણ પ્રકારનો હક કે અધિકાર આપવામાં આવ્યા ન હતા. મનુસ્મૃતિના પાને પાને શુદ્રોનું અપમાન કરવામાં આવ્યું છે.
આવા અન્યાયી ગ્રંથથી સમાજ સદીઓ સુધી પિડાતો રહ્યો એટલે બાબા સાહેબે આજના દિવસે 25 ડિસેમ્બરે જાહેરમાં મનુસ્મૃતિની હોળી કરીને મનુવાદી તત્વોના પાયાઓ હચમચાવવાની શરૂઆત કરેલી...
મનુસ્મૃતિને આગ ચાંપી બાબા સાહેબે પછાતોમાં માનસિક અને સામાજિક ક્રાન્તિની શરૂઆત કરાવી હતી.
બાબા સાહેબે શરૂ કરેલ ક્રાન્તિ રાખના ઢગલામાં દબાઈ ગયેલ માત્ર એક ચિનગારી બનીને ન રહી જાય એ માટે સમયાંતરે એની પર ફુંકો મારતા રહીને ચિનગારીને ભભકતી જ્વાળા બનાવી રાખવાની છે. જ્યાં સુધી વ્યવસ્થા પરિવતઁન અને બાબા સાહેબનું મિશન પુરૂ ન થાય ત્યાં સુધી.
ક્રિસમસ અને નવા વરસની શુભેચ્છાઓમાં બાબા સાહેબની ઈચ્છા ન ભુલી જતા...

December 19, 2017

गुजरात चुनाव पर सबसे बेहतरीन विश्लेषण : Ram Riots and Reservation!

By Jitendra Makwana | 19 December 2017 at 01:18 


गुजरात के चुनाव मे शहरी क्षेत्रो मे से 85% सीटे भाजपा ने जीती.

चार प्रमुख शहरों - अहमदाबाद, सूरत, वडोदरा और राजकोट की 55 में से भाजपा ने 44 सीटें जीत ली और कोंग्रेस ने सिर्फ 11 सीटें.   ( Deccan Herald) 
फिर एक बार सवर्ण गुजराती मतदाता ने यह साबित कर दिया है कि उनके लिए भारत में सरकार का चुनाव करने के लिए आर्थिक मापदंड कोइ माईने नही रखता. 

ये आंकड़े स्पष्ट रूप से दिखाते है की व्यापारी वर्ग और सवर्ण मध्यम वर्ग को GST ,नोटबंधी या मोदी सरकार की दुसरी कोइ भी गलती से मतलब नही है. 

( यहा तक की नोटबंधी के तुरंत बाद सवर्ण और गरीब पीछडो ने उत्तरप्रदेश मे मोदी को वोट दिया था. )

वास्तव में शहरी सीटों में बीजेपी का वोट शेयर पिछले चुनावों की तुलना में इस बार 3-5% बढ़ा है.

अगर आप इन मे से किसी भी सवर्ण व्यापारी वर्ग को जाकर पुछेगे की व्यापार का क्या हाल है तो वो कहेंगे की GST और नोटबंधी के कारण कारोबार मे काफी गिरावट है.

लेकिन जब चुनाव और मतदान की बात आती है, तो ऊपरी जाति का वोट संघ और भाजपा के सीवा और कही भी नही पडता.

मगर आप ये हरगीझ न सोचे की ये वोटींग मोदि के कारण है.

उनका ये वोट आरक्षण और मुसलमानों के खिलाफ है.

वोह संघ या मोदी नहीं है जो दंगे चाहते है, लेकिन वोह उच्च जाति और मध्यम वर्ग गुजरात है जो बडी गहराई ये सब चाहते है.

मोदि और संध तो सिर्फ उन लोगो की सेवा कर रहे है जो ये सब चाहते है. 


उच्च जातियों का मानना है कि कांग्रेस का मतलब है आरक्षण और मुसलमान।

समझदार दलितों और मुसलमानों को पता है कि कांग्रेस का मतलब दलितो और मुसलमानों के लिए विकास शून्य परिस्थीती.

और बीजेपी ये सब भ्रम या गलतफहमी का राम, राओट्स (दंगे) और रीजर्वेशन के रुप मे लाभ ले लेती है.

Ram Riots and Reservation!



Original Texts :-

85 % urban seats won by BJP.

Of the 55 seats in four major urban cities - Ahmedabad, Surat, Vadodara and Rajkot - BJP has won 44 seats, with the Congress at a distant 11. ( Deccan Herald)

Once again upper caste Gujarati voter has proved that Economic performance will never ever be a measurement to elect a govt in India for them.

These data clearly show business class, upper caste middle class do not mind GST or demonetization or any mistakes of Modi Sarkar.

( Even after demonetization upper caste & poor backwards had voted for Modi in Uttar Pradesh.)

In fact in urban seats, BJP's vote share has increased by 3-5 % compared to the last election.

While if you go and meet any of these upper caste business class, they will say since GST and Demonetization business has slowed down significantly.

But when it comes to election and voting, Upper caste vote is only and only for Sangh and BJP agenda.

Please don't think it is for Modi.

The vote is against reservation and Muslims.

It is not Sangh or Modi who loves riots, but it is upper caste &middle-class Gujarat that loves it deeply.

Modi and Sangh are just serving people what they want.

Upper castes think Congress means Reservation and Muslims.

Wise Dalits and Muslims know congress means zero development for Dalit and Muslims.

And Bjp takes the benefit of this confusion or misunderstanding on the name of Ram, riots, and reservation

- Makwana Jitendra

(अंग्रेजी से हिन्दी रूपांतरण विशाल सोनारा ) 

December 17, 2017

થાનગઢ હત્યાકાંડ ના આરોપી ચીફ ઓફીસર નહીં પણ મુખ્યમંત્રી છે..!!

By Kevalsinh Rathod |  14 December 2017 at 01:18 




ગુજરાત નાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ના આદેશ થી જ્યાં દલિત સમાજ ના ત્રણ-ત્રણ દુધમલ દિકરાઓને એકે47 જેવા ધાતક હથિયારો થી નકલી પોલીસ ગોળીબાર માં બેરહેમી થી મોત ને ઘાટ ઉતારવામાં આવેલા તે ગોઝારા થાનગઢ માં ગત્ તારીખ 11/12/2017 ના દિવસે બે યુવા સફાઈ કામદારો ને પણ સરકારી મોતે મારી નાખવામાં આવ્યા.

બનાવ ની હકિકત એવી છે કે, ગત્ તારીખ 11 ડિસેમ્બરે રાજીવ નગર બાયપાસ ઉપર નગર પાલિકા સમ્પ પાસે ભુગર્ભ ગટર બંધ થઈ ગયેલ જે સાફ કરવા માટે ચીફ ઓફીસરે સફાઈ કામદારો ના મુકાદમ ગેલાભાઈ સોઢા ને હુકમ કરતાં તેઓએ તેમની નીચે કામ કરતા મોહિત નાથાભાઈ સોલંકી તથા દિપક દિનેશભાઈ સોઢા સાથે ભુગર્ભ ગટર કરવા ગયેલ.

સફાઈ કામદારો ના મુકાદમ ગેલાભાઈ સોઢા એ નગરપાલિકા ના ચીફ ઓફીસર ચૌહાણ ભાઈ પાસે સફાઈ કામ વખતે નાં સલામતી ના સાધનો માગેલા પણ નગરપાલિકા પાસે સાધનો ન હોવાથી ચીફ ઓફીસરે સાધનો ઉપલબ્ધ નથી તેવું કહી આ માટે ના પાડેલી.

તે પછી, ભુગર્ભ ગટર અંદર જેટીંગ થી નોઝલ નાખી મોહિત નાથાભાઈ સોલંકી ગટર સાફ કરતા હતા તે દરમિયાન અચાનક ભુગર્ભ ગટર નો ગેસ છુંટતા તેને લાગી જતા તેણે શરીર નું સમતોલન ગુમાવેલ જેને પકડવા તેની પાછળ ઉભેલા દિપક દિનેશભાઈ સોઢા પણ ગટર માં પડી ગયેલ.

બંને જણ ને ગટર નો ઝેરી ગેસ લાગી ગયેલ, તરત જ તેમના મુકાદમ ગેલાભાઈ અને ડ્રાઈવર પંકજભાઈ એ બંને ને બહાર કાઢેલા અને 108 એમ્બ્યુલન્સ ના માધ્યમ થી થાનગઢ ની સરકારી હોસ્પીટલ પંહોચાડેલા, જ્યાં બંને ને મૃત જાહેર કરવામાં આવેલા.

આ બંને યુવાનો ની ઉંમર 26-26 વર્ષ હતી અને દુઃખ ની વાત તો એ હતી કે આ બેઉ ફક્ત રુપિયા 250/- ની મજુરી થી રોજમદાર તરીકે સફાઈ કામદાર નું કામ કરતા હતા.

આ બાબતે થાનગઢ ના તમામ સામાજીક કાર્યકર્તાઓ અને સફાઈ કામદારોએ ભેગા મળી બંને યુવકો ના મૃત્યુ પાછળ જવાબદારો સામે પગલાં લેવા ની માંગણી કરી અને લાશ સ્વીકારવાની ના પાડી.

અંતે પોલીસ ઈન્સપેકટર એમ.જી.ડામોરે થાનગઢ નગર પાલિકા ના ચીફ ઓફીસર અને આરોપી બી.સી.ચૌહાણ વિરુધ્ધ IPC 304, 336, 337, 114 તથા મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013 (માનવ મળ વાળી ગટર સાફ કરવાનો કાયદો 2013) ની કલમ 5, 6, 7, 8, 9 તથા એટ્રોસીટી એમેન્ડમેન્ટ એક્ટ 2015 ની કલમ 3(1)(j), 3(2)(7) મુજબ ગુનો દાખલ કર્યો છે.

પણ હકિકતે જોઈએ તો, આ નિર્દોષ સફાઈ કામદારો ના મોત પાછળ જવાબદાર આ ચીફ ઓફીસર નહીં પણ રાજ્ય નાં મુખ્યમંત્રી છે.

રાજ્ય માં છેલ્લા પાંચ વર્ષ માં કુલ 200 થી વધુ સફાઈ કામદારો નાં આ જ રીતે ભુગર્ભ ગટર માં ગુંગળાવાથી અથવા ઝેરી ગેસ ના કારણે મોત થયા છે.

સુપ્રિમ કોર્ટ ની સફાઈ કામદારો વિશે ની ગાઈડલાઈન તથા માનવ મળ વાળી ગટર સાફ કરવાના કાયદા નું રાજ્ય સરકાર એક ટકા પણ પાલન નથી કરતી, અને આના માટે રાજ્ય નાં મુખ્યમંત્રી સીધા જ જવાબદાર છે. આરોપી મુખ્યમંત્રી પર કાયદાકીય પગલાં લેવાવા જ જોઈએ તો અને તો જ આ સરકારી હત્યાઓ બંધ થશે.

આજે અમે તથા અમારી ટીમ સામાજીક એકતા અને જાગૃતિ મિશન ના સાથીઓ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર સંધ નાં સંયોજક રાજેશ સોલંકી અને બીજા મિત્રો એ થાનગઢ ની મુલાકાત લઈ અને પિડીત પરીવારો ને સાંત્વના આપી.

અમારી સાથે થાનગઢ હત્યાકાંડ નાં શહિદ મેહુલ, પંકજ તથા પ્રકાશ નાં પરીવારજનો સહિત ઘણાં બધા સામાજીક કાર્યકર્તાઓ તથા બહેનો જોડાઈ હતી.

ધટના સ્થળે થી તમામ લોકો ની વચ્ચે જ ગુજરાત રાજ્ય નાં મુખ્ય સચિવ ડૉ. સિંઘ ને લાઉડસ્પીકર થી આ આખી ધટના થી માહિતગાર કર્યા તેમજ જેમ બને તેમ ઝડપ થી આ પરીવાર ને ન્યાય મળે તે માટે રજુઆત કરેલી જેથી મુખ્યસચિવે સુરેન્દ્રનગર ના જિલ્લા કલેકટર આ પિડીતો ની મુલાકાત લઈ એમને આર્થિક અને કાનુની મદદ કરે તે બાબતે અમોને આશ્વાસન આપેલું.

અનુસુચિત જાતિ નિયામક કે.ડી.કાપડીયા ને પણ ત્યાંથી જ ટેલિફોનિક વાત કરી અનસુચિત જાતિ અત્યાચાર નિવારણ ધારા અંતર્ગત પિડીતો ને આર્થિક સહાય ની તાત્કાલિક ચુકવણી તથા ભંગી જાતિ નાં તમામ 120 સફાઈ કામદાર પરીવાર ને સફાઈ કામદાર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય ચુકવવા બાબતે પણ રજુઆત કરેલ હતી.

મૃતકો ના ધરે આજે ખુબ મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા, અમારી હાજરી ની જાણ થતાં થાનગઢ નાં પોલીસ ઈન્સપેકટર એમ.જી.ડામોર પણ તુરંત પિડીતો ના ધરે દોડી આવેલ હતા અને તેમણે મૃતક ના પરીવાર ને તમામ કાયદાકિય મદદ કરવાની ખાત્રી આપેલી હતી.








હાજર તમામ લોકો એક સાથે એક સુર માં કહેતા હતા કે આ કેસ ના આરોપી ગુજરાત ના મુખ્યમંત્રી છે અને એફઆરઆઈ માં તેમનું નામ આરોપી તરીકે આવવું જોઈએ.

ઉપસ્થિત તમામ લોકો એ પિડીતો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી સફાઈ કામ બંધ કરી આંદોલન માં જોડાવાનો પણ સંકલ્પ કર્યો છે.

ગુજરાત નાં તમામ માનવતાવાદી મિડીયાકર્મીઓને વિનંતી છે કે, સફાઈ કામદારો ના હક્ક ની લડાઈ ને વાચા આપવા માટે મદદ કરો.

આ લડાઈ સત્તા કે સંપત્તિ માટે ની નહીં પણ આત્મસમ્માન અને સ્વાભિમાન માટે ની લડાઈ છે..!!

આપનો મિશનસાથી
- કેવલસિંહ રાઠોડ

December 15, 2017

પક્ષ જીતે કે હારે પણ સમાજ જીતવો જોઈએ

By Apurva Amin |  1 December 2017 at 22:03 




આને કહેવાય રાજકારણ

અનામત આંદોલન ની અસર તો જુઓ.

કોંગ્રેસ 47
ભાજપ 53
કુલ 100

સીટ પાટીદારો ને બંન્ને પક્ષે આપી છે.

33 સીટ એવી છે જયાં પાટીદાર સામે પાટીદાર ઉમેદવાર છે.

એટલે કે બંન્ને પક્ષ માંથી કોઈ પણ ઉમેદવાર જીતે 33પાટીદાર ચૂંટાઈ ને આવશે જ.

34 સીટ એવી છે જયાં પાટીદાર સામે બીજી કોઈ જ્ઞાતિ નો ઉમેદવાર હોય, આવી સીટ પર નક્કી થયેલ પાટીદાર ઉમેદવાર બાહુબલી જ હશે. જો આ 34 માંથી 50% સીટ પર પાટીદાર ઉમેદવાર વિજયી બને તો બીજા 17 પાટીદાર ઉમેદવાર વિજયી બને.

આ રીતે 33 + 17 = 50

182માંથી 50 એટલે 27.50% પ્રતિનિધિત્વ

વાહ 11 % ની વસ્તી ધરાવતા પાટીદાર સમાજ નું 27.50% રાજકીય પ્રભુત્વ.

મને પાટીદાર સંગઠન ઉપર ગર્વ છે.

દરેક સમાજ ના ભાઈઓ ને શિખવા જેવુ.

સાર :

પક્ષ જીતે કે હારે પણ સમાજ જીતવો જોઈએ

કોઈ પણ પક્ષ માં કામ કરતા ભાઈઓ ને આવું સમજવા જેવું ખરું...

6, ડિસેમ્બર, 1956 ક્રાંતિસૂર્યાસ્ત

By Apurva Amin |  6 December 2017 at 00:16





રાજધાની દિલ્હી રાતનાં 12 વાગ્યા હતાં રાતનો ઠંડો સન્નાટો અને અચાનક જ નાગપુર, દિલ્હી, મુંબઇ ચારેયબાજુ ફોનની ઘંટડીઓ ગુંજી ઉઠી. રાજભવન મૌન હતું. સંસદ મૌન હતું. રાષ્ટ્રપતિભવન મૌન હતું. દરેક જણ એક કસમક્સમાં હતું. લાગતું હતું કદાચ કોઈ ગંભીર આઘાત લાગ્યો હતો. અથવા કોઈ ગંભીર આઘાત કે અકસ્માતથી ઓછું ન હતું. કોઈ અચાનક અમને છોડીને જતું રહ્યું હતું કે જેમનાં જવાથી કરોડો લોકો દુઃખભર્યા આંસુઓથી વિલાપ કરી રહ્યા હતાં. જોતજોતાંમાં મુંબઈનાં બધાં જ રોડ, રસ્તા, ગલીઓ ભીડથી ખચોખચ ભરાઈ રહ્યાં હતાં. પગ મુકવાની પણ મુંબઈમાં જગ્યા રહી ન હતી. કેમકે અંતિમસંસ્કાર માટે દેહ મુંબઇ લાવવાનું હતું. પુના, નાગપુર, બેંગ્લોર, દિલ્હી અને આંખા દેશભરમાંથી આવનારી રેલગાડીઓ અને બસોમાં બેસવા સુધીની જગ્યા ન હતી. બધાજ ઝડપથી મુંબઈ પહોંચવા માંગતા હતાં. અને જોતજોતામાં અરબસાગરવાળું મુંબઇ જનસાગરથી ભરાઈ ગયું.

કોણ હતાં તે વ્યક્તિ કે જેમનાં અંતિમદર્શનની લાલચમાં જન-સૈલાબ રોતા-બીલકતાં મુંબઇ આવી રહ્યો હતો. દેશમાં આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે ઘરડાં પુરુષ નાનાં બાળકની જેમ છાતી કુટી-કુટીને રડી રહ્યાં હતાં. મહિલાઓ આંક્રોશ કરી રહી હતી અને કહી રહી હતી.. "હમારે પિતા ચલે ગયે અબ કોણ હૈ હમારાં યહાઁ"
ચંદનની ચિંતા પર જ્યારે તેમને રાખ્યાં ત્યારે કરોડો દિલો ઢુંસકા ભરી ભરીને રડી પડ્યાં. અરબસાગર તેનાં મોજાંઓ સાથે કિનારાઓ પર ટકરાતો અને વળી જતો પાછો ફરી ટકરાતો અને પાછો વળી જાતો. કદાચ સમુદ્ર પણ અંતિમ દર્શન માંટે જોર લગાવી રહ્યો હતો. ચિંતા સળગી અને અને કરોડો લોકો રડી પડ્યાં. કોની ચિંતાને સળગતી જોઈને સળગી રહ્યા હતાં કરોડો દિલોનાં અગ્નિકુંડ. કોણ હતા એ મહાપિતા કોણ હતું એ અદભુત વ્યક્તિત્વ કે જે છોડી ગયું હતું લાખો દિલોમાં દબાયેલા આવાજની આંધી. કોણ હતું કે જેનું નામ માત્ર લેવાથી ગરજી ઉઠતા હતાં વાદળ, વિજળીઓ. મનથી મષ્તિશ્ક સુધી દોડી જતો ઉર્જાનો પ્રવાહ. કોણ હતાં કે જેમણે ખાલી લાચાર હાથોમાં પકડાવી દીધી હતી કલમ લખવા માટે એક અદભુત ઇતિહાસ... આંખોમાં આપી ગયેલા નવા સપનાં, ધન્યથી પ્રવાહિત કરેલાં સ્વાભિમાન, અભિમાનને. ગુલામીની હાથકળીઓ તોડવા આપેલું પ્રજ્ઞાશસ્ત્ર કોણ હતું આ.. ચિંતા સળગી રહી હતી અરબસાગરનાં કિનારે અને સળગી રહ્યાં હતાં દરેક સ્મશાન ગામડાંઓનાં.. જે અરબસાગર કિનારે ન હતા પહોંચી શક્યાં તે પણ એક ટકે જોઈ રહ્યાં હતાં તેમની પ્રતિમાં અને ગામમાં રહેલા ઝંડાને કે જેમાં વાદળી ચક્ર ફરકતો હોય. અને ભૂખ, તરસ ભૂલીને બેઠા હતાં પોતાનાં સમૂહ સાથે કે જેને બુદ્ધ વિહાર કહેવાય છે.

કઈ આગ હતી કે તેઓ લગાવી ગયાં હતાં શું આ વિદ્રોહની આંગ હતી? કે હતી સંઘર્ષની આગ કે ભૂખ્યાં અને વસ્ત્રવિહીન વંચિતોને કપડાંથી ઢાંકવાની હતી આ આગ...અસમનતાનાં ચીંરેચિંરા ઉડાવી સમાનતા પ્રસ્થાપિત કરવાની હતી આ આંગ... ચવદાર તળાવ પર સળગેલી આ આંગ ઓલવવાનું નામ ન હતી લેતી. સળગતી મનુસ્મૃતિ ધુમાડાની સાથે જ નષ્ટ પાંમી હતી. શું આ આગ એ જ હતી જે સળગાવી ગયાં હતાં આ મહાસૂર્ય...

બધીજ કોલેજો, શાળાઓ, વિદ્યાપીઠો મૃતભુમી જેવાં લાગતાં હતાં. યુવાનોનો કલકલાટ મૌન હતો. ઓફીસ, મિલ્સ, કાર્યાલયો, કારખાનો શાંત અને સુમસામ થઈ ગયા હતાં. જેઓએ હાથમાં કલમ અપાવી અને જીવનનો મકસદ આપ્યો, રાષ્ટ્પ્રેમની ભાવનાં જગાડી એ યુન્ગધર, પ્રજ્ઞાસુર્ય, મહાસૂર્ય કાળનાં કપાળથી ઢળી રહ્યોં હતો. દેશમાં અતિ કસમક્સ હતી. ભારતનાં મહાન પત્રકાર, અર્થશાસ્ત્રી દૂરદૃષ્ટા શું શ્રુષ્ટિથી ઓઝલ થઈ રહ્યાં હતાં. બધી મિલ્સ, કારખાનાં બંધ થયાં જાણે હડતાળની યાદ અપાવતાં હતાં. સવાર-સાંજ આવાજ આપી જગાડનારી ધુમાડા ભરેલી ચીમનીઓ પણ આજે ચૂપચાપ હતી. સુમસામ અને સુનું એવું લાગતું કે જાણે દીકરીની વિદાય પછી થતું બાપનું આંગણું...દરેક જણ અવઢવમાં હતું કેમકે તેમનાં મષ્તિશ્ક પરનું એકમાત્ર છત્ર હવે રહ્યું ન હતું. ચંદનની ચિંતા પર તેજ હતા કે જેઓ અંખડ સંવિધાનની રચનાં કરી, મજૂર આંદોલનના પિતા અને આધુનિક ભારતનાં મસીહા...

આ બાજું નાગપુરમાં દીક્ષાભૂમિ પર શોક અને માતમ પ્રસરી ગયો હતો. લોકોની ચિચિયારીઓ સંભળાતી હતી.."હમારે બાબા ચલે ગયે" આધુનિક ભારતનાં સુપુત્ર કે જેમણે સમગ્ર ભારતવર્ષમાં લોકતંત્રનું બીજારોપણ કર્યું હતું. જે વ્યક્તિએ બનાવ્યું હતું સંવિધાન, ભારતને બનાવ્યું ગણરાજ્ય લોકોને અમૂલ્ય વોટ આપવાનો અધિકાર શું એ ભારતનાં સુપુત્ર હાલ આપણી વચ્ચે ન હતાં. બધા જ કસમકસ ભર્યા શોકમાં હતાં. સહેજ અવિશ્વાસુ લાગતું હતું લોકોને કે "હમણાં તો અહિયાં બાબાની સફેદ ગાડી આવી હતી. બાબા ગાડીમાંથી ઉતર્યા હતા સફેદ પોશાકમાં..જોવો હમણાં તો બાબાએ પંચશીલ આપ્યા હતાં. 22 પ્રતિજ્ઞાઓની ગુંજ હજુ આકાશમાં તો ગુંજી રહી હતી. તે શાંત થાય તે પહેલાં બાબા શાંત ના થઇ શકે" ભારતીય ઇતિહાસે નવી કરવટ લીધી હતી. મુંબઈની સડકો પર જનશૈલાબ વહી રહ્યો હતો. ભારતીય ઇતિહાસમાં તુચ્છ ગણાતી નારી કે જેને બાબા એ હિંદુકોડ બિલ આપવા પ્રયત્ન કર્યા. અને સંવિધાનમાં તેના હકોને આરક્ષિત કર્યા. માં-બહેન અનેક સ્ત્રીઓ લાખોની સંખ્યામાં સ્મશાનભૂમિ પર હતી. આ એક સડી ગયેલી સંસ્કૃતિનાં મોં પર એક સણસણાતો તમાચો હતો. કેમકે જે મહિલાઓને સ્મશાન જવાનો અધિકાર ન હતો એવી 3 લાખ મહિલા બાબાનાં અંતિમ દર્શન માટે આવી પહોંચી હતી. જે પોતાનામાં એક વિશ્વવિક્રમ હતાં. ભારતનાં આ યુન્ગધર, સંવિધાન નિર્માતા, પ્રજ્ઞતેજ, પ્રજ્ઞાસુર્ય, ક્રાંતિસૂર્ય, મહાસૂર્ય, કલ્પપુરુષ, મહાનાયક, નવ ભારતને નવચેતના આપી ચાલ્યા ગયા હતા. એક ઉર્જાસ્ત્રોત આપીને સમાનતા, સ્વાતંત્રતા, ન્યાય, બંધુતાના પાઠ ભણાવીને ચાલ્યા હતા.
એ પ્રજ્ઞાસુર્યની પ્રજ્ઞતેજ કિરણોથી રોશન થશે આપણો સમાજ, આપણો દેશ અને આપણે. અને પુરા વિશ્વાસની સાથે અમે આગળ વધીશું હાથોમાં હાથ લઈને માનવતાના રસ્તા પર કે જ્યાં ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય... કે જ્યાં ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય. કે જ્યાં ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય...

ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર અમર રહો...
"જય ભીમ"

-અપૂર્વ અમીન.

મંત્રી, ભારતીય દલિત પેંથર.

ક્યા સે ક્યા હો ગયા?

By Raju Solanki  || 21 November 2017 at 17:26



મેં અગાઉ પણ કહેલું અને આજે પણ કહું છું, હાર્દિક પટેલને અનામત માટે નેતા બનાવવામાં આવેલો, ભાજપ હટાવવા માટે નહીં. હાર્દિક એના મેન્ડેટની બહાર ગયો. દેશમાં ક્યાંય ક્વોટા આંદોલન એની નક્કી કરેલી સ્ક્રિપ્ટની બહાર ગયું નથી. જાટ, મરાઠા, ગુર્જર, આ તમામ સમુદાયોના આંદોલનો ભગવા નેજા નીચે જ ચાલ્યા છે. કોઈએ ક્યાંય સંઘની ચડ્ડીઓ સામે એક અક્ષર ઉચ્ચાર્યો નથી. ખરેખર તો સંઘની થિન્ક ટેન્ક આ આંદોલનોને એક લાંબા ગાળાની રણનીતિના ભાગરૂપે જોઈ રહી છે, જે દેશમાં અનામતની સમીક્ષા માટેનું એક વ્યાપક વાતાવરણ તૈયાર કરે અને ભવિષ્યમાં અનામતને હટાવી શકાય.

વોટની રાજનીતિ આડે આવે છે, નહીંતર એક સેકન્ડમાં સંઘીઓ અનામતને એક ઝાટકે ઉડાડી દેવા તૈયાર છે. સૌથી મોટો ડર ઓબીસીનો છે, જે હવે યુપી જેવા સૌથી મોટા રાજ્યમાં ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે. ઓબીસીનું દલિત-આદિવાસી સાથે જોડાણ થાય તો સંઘનો ખેલ ખતમ થાય એમ છે અને એ અટકાવવા માટે ક્વોટા આંદોલન આવી રહ્યા છે.

ગુજરાતના ક્વોટા આંદોલને આજે દળી દળીને કુલડીમાં ભર્યું છે, પાસનું દળકટક ભાજપમાં જઈ રહ્યું છે અને હાર્દિક એકલવાયો ટ્વીટ્ટર પર શાયરીઓ કરી રહ્યો છે. આ તો થવાનું જ હતું. ચુંટણી પછી ઘીના ઠામમાં ઘી પડી જશે. પટેલો ભાજપમાં જ રહેશે. ભાજપ પટેલોનું પોતાનું ઘર છે. બહું મહામહેનતે આ ઘર બનાવ્યું છે. જય સરદારના નારાથી કોંગ્રેસીઓ પટેલોને બેવકૂફ બનાવી નહીં શકે.

ચૂંટણી કરોડોનો ખેલ છે. આજે સમાચાર છે એમ ભાજપને દસ કરોડ અને કોંગ્રેસને આઠ કરોડ બે નંબરના નાણા પાનકાર્ડ વિનાના મળ્યા છે. તમે આંદોલન કરવા તૈયાર હો તો બંને પક્ષો તમને ખરીદવા તૈયાર છે. તમારે તમારી કિંમત નક્કી કરવાની છે. આમાં સિદ્ધાંત બિદ્ધાંત કશું જ આવતું નથી. જો જીતા વહી સિકંદર. તમને લોકોના નામે બોલતા આવડવું જોઇએ. તમારી પાસે મગજ વગરના બે-પાંચ હજાર માણસોનું ટોળું હોય તો તમારી કિંમત અંકાય છે. હાર્દિક પાસે લાખોનું ટોળું હતું, પરંતુ એના પણ પગ નીચેથી ધરતી ખસી રહી છે.

મીડીયાએ કાલે તમને હીરો બનાવ્યા, આજે ઝીરો પણ બનાવી દેશે.

December 14, 2017

નિરમાના માલિક, 234 અબજ સંપત્તિના સ્વામી કરસન પટેલના ગામમાં દલિતોએ હાય રે કરસનીયા હાય હાયના સૂત્રો કેમ પોકાર્યા?

By Raju Solanki  || 25 November 2017 at 12:57 



Forbes listed Karsan Patel’s net worth as USD $3.6 Billion. This is the story of Ruppur, Karsan Patel’s village where Dalits fought to save their burial ground and tannery.

વાંચો, નિરમાના માલિક, 234 અબજ સંપત્તિના સ્વામી કરસન પટેલના ગામમાં દલિતોએ હાય રે કરસનીયા હાય હાયના સૂત્રો કેમ પોકાર્યા?

રૂપપુર: દલિતોની હિજરતનું જીવંત પ્રસારણ

નવમી માર્ચ, 2004નો દિવસ ગુજરાતના દલિત આંદોલનમાં રૂપપુરની હિજરતના નામે લખાઈ ગયો છે. નિરાલાએ લખેલું, “વિયોગી હોગા પહલા કવિ, આહ સે નીકલા હોગા ગાન.” પણ, એક દલિત કવિ માટે તો કહેવું પડશે, “હિજરતી હોગા પહલા દલિત-કવિ, દમન સે નીકલા હોગા ગાન.” રૂપપુરના દલિતોની ચીસ કેટલી બળુકી છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ એમની લડતમાં ખભેખભો મીલાવી લડનારા અને નજરે નિહાળનારા એક સાક્ષી તરીકે કહું છું કે જો ગુજરાતનો દલિત સમાજ રૂપપુરની લડાઈને આગળ ધપાવવામાં નિષ્ફળ જશે તો આગામી દિવસોમાં ગુજરાતનું એક એક ગામ રૂપપુર બનવાની પૂરેપુરી સંભાવના છે.

નવમી માર્ચે અમે (એટલે વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, નિમેષ શેઠ અને રાજુ સોલંકી) રૂપપુર પહોંચ્યા ત્યારે માથે સૂરજ તપતો હતો. ગામના પટેલો ભરબપોરે પણ ઘેરી નિંદરમા પોઢ્યા હોય એમ લાગતું હતું. માત્ર પંચાવન ખોરડાં ધરાવતા ચમારવાસમાં થોડી ચહલ પહલ જણાતી હતી. વાસના નાકે ચાણસ્માથી આવેલી પોલિસવાન એટેશન્સની સ્થિતિમાં ઉભી હતી. દલિત યુવાનો ઊંટગાડીઓ પર બેનરો લગાવવામાં વ્યસ્ત હતા. અમારી સાથે આવેલા ‘ડેક્કન હેરાલ્ડ’ના ગુજરાત સંવાદદાતા નંદિની ઓઝાએ બહેનોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે બહેનોએ વયોવૃદ્ધ પુરીમાને બોલાવ્યા હતા. પુરીમાને જોવાની મને પણ અદમ્ય ઇચ્છા હતી. હજી થોડાક દિવસો પહેલાં પટેલોને દલિતોની સ્મશાનભૂમિ પર બાંધકામ કરવા સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો અને વાલજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જે થોડીક દલિત મહિલાઓએ હાથમાં કોદાળી પાવડા લઇને પટેલોએ બનાવેલી તારની વાડ તોડીફોડીને ફેંકી દીધી હતી એ સૌની મોખરે પંચ્યાસી વર્ષના પુરીમા હતા. દલિત નારી શક્તિના જીવંત પ્રતીક સમા પુરીમા નંદીની સમક્ષ વિસ્તારપૂર્વક રૂપપુરના દલિતોની વ્યથાકથા વર્ણવતા જ હતા ને એવામાં બે દિવસો પહેલાં જ જેની પર જીવલેણ હૂમલો કરવામાં આવેલો રાવળ યુવાન ઉપસ્થિત થયો હતો. એના મેલાઘેલા શર્ટ પર લોહીના ડાઘ હતા અને જમણા હાથની પહેલી ત્રણ આંગળીઓ પર પાટા બાંધ્યા હતા. ગામનાપટેલોએ એની આંગળીઓ પર છરીઓ મારી હતી.

એવામાં ઊંટગાડીઓ પર બેનરો લાગી જતાં તમામ લોકોએ પોતપોતાનો સામાન લઇને તૈયાર થઈ જવાની બૂમો પડી હતી. દલિતો ઉતાવળે પોતપોતાના ઘરે તાળા મારીને ઊંટગાડીઓમાં બેસવા માંડ્યા હતા. દસ ઊંટગાડીઓ પર લટકતાં બેનરોના સૂત્રો ગોકુળીયું ગામ જાહેર થયેલા રૂપપુરના વંચિતોની વેદનાને એસરકારક રીતે વ્યક્ત કરતા હતા. જેમ કે, “રામજન્મભૂમિ માટે લોહી રેડાય, પણ દલિતોની સ્મશાનભૂમિ છીનવાય તો કંઈ જ ના બોલાય?”, “જુઓ સમરસતાની પોકળતા, દલિતો બન્યા છે નોંધારા” ,  “રામરાજ્યની શરૂઆત થાય છે, દલિતોની સ્મશાનભૂમિ છીનવાય છે” જેવા સૂત્રો દલિતોની હિજરતને વૈચારિક સંદર્ભ આપતા હતા. પ્રથમ ઊંટગાડી પર ‘ગોકુળીયું ગામ રૂપપુરના દલિતો અને રાવળ સમાજની હિજરતી છાવણી’ નું બેનર હતું, જે પાટણની કલેક્ટર કચેરીએ હિજરતી છાવણી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું.

બપોરે દોઢ વાગે હિજરતી કાફલાએ પાટણ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. દલિતોના 55 અને રાવળોના 30 પરિવારોએ એક અસલામત અને અનિશ્ચિત ભાવિની દિશામાં મક્કમ ડગ માંડ્યા હતા. કેટલીક ઊંટગાડીઓમાં માત્ર બહેનોને જ બેસાડવામાં આવી હતી. ચમારવાસમાંથી ગામમાં જેવી રેલી પહોંચી કે બહેનોએ સૂત્રો પોકાર્યા, ‘જઉમાની જે’, ‘વાલજીબાપાની જે’. થોડેક આગળ જઇને મેં ‘બોલો રે બોલો જય ભીમ બોલો,’ સૂત્ર બોલાવ્યું, પછી ખબર પડી કે બહેનોને સાંભળવામાં ભૂલ થઈ હતી. તેઓ ‘બોલો રે બોલો જય હિન્દ બોલો’ સૂત્ર બોલાવતા હતા. એમને જય ભીમના બદલે જય હિન્દ સંભળાયું હતું. મેં એમને ફરી જય ભીમ બોલવાનું કહ્યું અને એમણે હસતા હસતા જય ભીમ બોલવાનું શરૂ કર્યું હતું.

હિજરતીઓની કૂચ ગામ બહાર નીકળી અને ચાણસ્મા-પાટણ હાઇવે સાથે ગામને જોડતા એપ્રોચ રોડ પર આવી હતી. અહીંથી છેક હાઇવે સુધીની ગૌચરની જમીન પટેલોના ખાનગી ટ્રસ્ટને કલેક્ટરે માત્ર એક રૂપિયાના ટોકન ભાડે નવાણું વર્ષના ભાડા પટ્ટે આપી દીધી હતી. તેની સાથે દલિતોની સ્મશાનભૂમિ અને ચર્મકુંડની જમીન પણ પધરાવી દીધી હતી. જેવી આ જગ્યાએ દલિતોની કૂચ આવી કે દબાયેલો આક્રોશ લાવાની જેમ ફાટી પડ્યો હતો. ‘હાય રે કરસનીયા હાય હાય,’ ‘કરસનીયા તારું નખ્ખોદ જજો’ બોલાં બહેનોએ દલિતોની સ્મશાનભૂમિ અને વાડાની જમીનો આંચકી લેનારા ખાનગી ટ્રસ્ટના પડદા પાછળના સૂત્રધાર નિરમા કંપનીના માલિક કરસન પટેલના વિરુદ્ધમાં સૂત્રો પોકારવા માંડ્યા હતા.

(લખ્યા તારીખ 10 માર્ચ, 2004)


- Raju Solanki

બાબાસાહેબના મિશનને આગળ ધપાવવું સહેલું નથી

By Raju Solanki  || 27 November 2017 at 12:10 


સંવિધાનના સંરક્ષક; વાલજીભાઈ પટેલ (પાર્ટ ટુ)

આ એક ઐતિહાસિક તસવીર છે. 14 એપ્રિલ, 1997ના રોજ અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સાનિંધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબાસાહેબના અંગ્રેજી વોલ્યુમના ગુજરાતી અનુવાદિત ગ્રંથનું જાહેર વિમોચન કર્યું હતું. તસવીરમાં વાઘેલા સાથે જમણી બાજુ ખુરસીમાં પ્રવિણ રાષ્ટ્રપાલ બેઠા છે, તેમની પાછળ તત્કાલીન આઈએએસ અધિકારી અને હવે ભૂતપૂર્વ બની ચૂકેલા ભાજપ ધારાસભ્ય રજનીકાંત પટેલ ઉભા છે. ડાબી બાજુ ખુરસીમાં પૂર્વ સાંસદ હિરાલાલ પરમાર બેઠા છે અને તેમની પાછળ વાલજીભાઈ પટેલ ઉભા છે.

બાબાસાહેબની સાક્ષીએ બાબાસાહેબની વર્ષગાંઠે રંગેચંગે એક સરકારી વિમોચન થઈ ગયું અને થોડાક સમય પછી મજુરીયા, ખજુરીયા અને હજુરીયા વચ્ચે ફાટી પડેલી ખુરસી માટેની વરવી લડાઈના અંતે શંકરસિંહે વિદાય લીધી અને નવા મુખ્યમંત્રી દિલીપ પરીખે ફરી પાછું બાબાસાહેબની મૃત્યુતિથિએ ફરી બીજું વિમોચન કર્યું. લોકો એમના કાર્યક્રમોમાં આવ્યા અને ઘરે જઇને ગોદડું ઓઢીને સૂઈ ગયા, પરંતુ જેમણે સમગ્ર જિંદગી બાબાસાહેબના મિશનને ગુજરાતમાં સાકાર કરવા કુરબાન કરી એવા વાલજીભાઈથી રહેવાયું નહીં. મિશન પરત્વેની પ્રતિબદ્ધતાના કારણે તેઓ ચુપચાપ સારંગપુરના સરકારી વિમોચનમાં ઉભા તો રહ્યા હતા, પરંતુ એમણે પછી રૂબરૂ ભદ્રના સરકારી ડેપો પર જઇને તેમ જ માહિતી અધિકારની અરજીઓ દ્વારા પૃચ્છા કરી કે બાબાસાહેબના ગ્રંથો બજારમાં આવ્યા છે કે નહીં. એમને જાણવા મળ્યું કે પેલા બે સરકારી વિમોચનો તો લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે બે-ચાર કોપીઓ ગમે તેમ કરીને છાપીને કરી નાંખવામાં આવેલું અને જે થોડીઘણી કોપીઓ છાપેલી એ પણ વેચાણમાં મુકવામાં આવી ન હતી. ખરેખર તો ગુજરાત સરકારે છેક 1993માં કેન્દ્ર સરકારે આ ગ્રંથોના પ્રકાશન માટે ફાળવેલા રૂ. વીસ લાખ વાપર્યા જ ન હતા.

એટલે કર્મશીલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે બાબાસાહેબના તમામ ગ્રંથો તાત્કાલિક છાપીને રાજ્યના તમામ બુકસ્ટોલ પર વેચાણ અર્થે મુકવાનો હુકમ કર્યો હતો.

આ ઘટના એટલા માટે લખું છું કે નવી પેઢીના મિત્રોને ખબર પડે કે ગુજરાતમાં દલિત આંદોલનને કોણે જીવતું રાખ્યું છે. પોતાને મહાન માનતા લોકો ફેસબુક પર પોસ્ટો લખી લખીને મોટી ધાડ મારતા હોય છે, પરંતુ એમણે બાબાસાહેબના મિશનને આગળ ધપાવવા એક પૈસાનું નક્કર કામ કર્યું નથી.

- Raju Solanki

સંવિધાનના સંરક્ષક વાલજીભાઈ પટેલ (પાર્ટ – 1)

By Raju Solanki  || 26 November 2017 at 15:43 



આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે. સંવિધાનના સિદ્ધાંતો કાગળ પર સુંદર છે. એનો અમલ કરવો, કરાવવો એ જ મોટો પડકાર છે. અને સંવિધાનનો અમલ સરકાર ના કરે ત્યારે એનો કાન પકડીને અમલ કરાવનાર માણસ સાચા અર્થમાં બાબાસાહેબના મિશનને આગળ ધપાવે છે. ગુજરાતમાં આપણી વચ્ચે એક કર્મશીલે ખંતથી અને પ્રમાણિકતાથી આ કામ કર્યું હતું. એમનું નામ છે વાલજીભાઈ પટેલ, જેમણે ગુજરાત હાઇકોર્ટમાં એમની સંસ્થા કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસના માધ્યમથી જાહેર હિતની બેસુમાર અરજીઓ કરીને એસસી, એસટી, ઓબોસીના બંધારણીય અધિકારોનું જતન કર્યું હતું.

નવી પેઢીના યુવાનો માટે વાલજીભાઈનું નામ સાવ અજાણ્યું હોઈ શકે છે. કેમ કે તેઓ અખબારી નિવેદનો અને ટીવી ડીબેટોમાં જોવા મળતા નથી. ફેસબુક પર પોસ્ટો લખી લખીને લોકસેવા થાય એવી કોઈ સમજણ વાલજીભાઈ ધરાવતા નથી..

પ્રસ્તુત છે એમના કામની એક નાનકડી રૂપરેખા

- એકતાનગરના ઝુંપડાઓનુ જતન
1999માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના દાણીલીમડાના એકતાનગરના 300 ઝુંપડાઓ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. એકતાનગરમાં હિન્દુ, મુસ્લિમ, દલિતો દાયકાઓથી સાથે રહેતા હતા. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિશે હાઇકોર્ટમાં જઇને કોર્પોરેશનના આદેશ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો.

- મેરિટમાં આવતા એસસી, એસટી, ઓબીસી માટે પીટિશન
વર્ષ 2000માં રાજ્યની મેડિકલ કોલેજોએ અનામત કેટેગરીના મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જનરલમાં પ્રવેશ આપવાના રાજ્ય સરકારના પરિપત્રનો ધરાર ભંગ કરીને અનામતની યાદીમાં નાંખ્યા ત્યારે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીઆઈએલ કરીને મનાઈહૂકમ મેળવ્યો હતો.

- ગુજરાત જાહેર સેવા આયોગ સામે પીટિશન
વર્ષ 2000માં ગુજરાત જાહેર સેવા આયોગે લેખિત પરીક્ષા પાસ કરનારા એસસી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યા હતા. આયોગે અનામત કેટેગરીને અપાયેલા પાંચ વર્ષના એક્સટેન્શનને રદ કરવાના સરકારના પરિપત્રનો હવાલો આપ્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં આયોગના નિર્ણયને પડકાર્યો હતો અને રદ કરાવ્યો હતો.

- બિન-અનામત ઉમેદવારોથી અનામત બેઠકો ભરવા સામે મનાઈ હૂકમ
વર્ષ 1990માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને અનામત કેટેગરીમાં બિન-અનામત ઉમેદવારોની નિમણૂંક કરવાની છૂટ આપી હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં રજુઆત કરી કે અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં અનામત બેઠકો પર બિન-અનામત ઉમેદવારોની જાણીબૂઝીને નિમણૂંક કરવામાં આવે છે. હાઇકોર્ટે સરકારના પરિપત્રને રદ કર્યો હતો.

- અનૂસૂચિત જાતિ વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર
અનુસૂચિત જાતિઓના 1300 અરજદારોમાંથી 300ને રીક્ષાઓ ફાળવવાની અનુસૂચિત જાતિ વિકાસ નિગમની મનસ્વી પદ્ધતિ સામે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી અને સરકારને નવેસરથી ફાળવણી કરવાનો હુકમ થયો હતો.

- બાબાસાહેબના ગ્રંથો માટે હાઇકોર્ટમાં ધા
1998માં સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથોને ગુજરાતીમાં પ્રગટ કરવા માટે રૂ. 20 લાખ ફાળવ્યા હતા. પહેલો ખંડ 1993માં પ્રગટ થયો હતો. શંકરસિંહ વાઘેલા અને દિલિપ પરીખ, બબ્બે મુખ્યમંત્રીઓએ વારાફરતી જાહેર કાર્યક્રમોમાં માત્ર દેખાવ ખાતર લોકોને ઉલ્લુ બનાવવા થોડીક કોપીઓ છાપીને વિમોચન કરી નાંખ્યું હતું. પછી છેક 1998 સુધી એક પણ સરકારી ડેપોમાં એક પણ કોપી ઉપલબ્ધ થઈ ન હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં જઈ દાદ માંગી હતી અને કોર્ટે સરકારને તમામ ગ્રંથો અગ્રતાના ધોરણે છાપવા તેમ જ તમામ વોલ્યુમ સરકારી બુકસ્ટોલ્સ પર મુકવા આદેશ કર્યો હતો.

(to be continued.....

વ્યક્તિગત નિષ્ફળતાનું ઠીકરું દલિતોના આંતરીક જાતિવાદના માથે ફોડાય નહીં

By Raju Solanki  || 29 November 2017 at 17:56 




આજકાલ કેટલાક નિષ્ણાત, વિદ્વાન મહાપુરુષો ફેસબુક પર દલિતોના આંતરીક જાતિવાદ વિષે એમના છીછરા જ્ઞાનનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં કોઈ હારી જાય તો એની હાર માટે તેઓ દલિતોના આંતરીક જાતિવાદને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની હારજીતમાં ઘણા પરિબળો નિર્ણાયક હોય છે. પક્ષની પ્રતિષ્ઠા, મતદારોની લાગણી અને ઉમેદવારની વ્યક્તિગત ઇમેજ જેવા અસંખ્ય કારણોથી હારજીત નક્કી થાય છે. આંતરીક જાતિવાદ તો આવા દસ પરિબળો પૈકીનું એક હોય છે, એકમાત્ર પરિબળ નથી હોતું.

1995માં અમદાવાદના શહેરકોટડા મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વાલજીભાઈ પટેલ રોહિત જાતિના હોવાથી વણકર મતદારોએ એમને મત આપ્યા નહીં એવો કુતર્ક આવા નિષ્ણાતો કરી રહ્યા છે. એમના રાજકીય અજ્ઞાનની દયા ખાવા જેવી છે. એમને ખબર જ નથી કે આ જ મતવિસ્તારમાં માત્ર ત્રણ વર્ષ પછી થયેલી નવમી વિધાનસભાની ચૂંટણીમાં જીતુ વાઘેલા નામના રોહિત જાતિના ઉમેદવારને લોકોએ ચૂંટી કાઢ્યા હતા. જે તે સમયે લોકો કઈ બાબતને અગ્રતા આપે છે એ મહત્વનું છે. 1998માં શહેરકોટડાના લોકોએ હિન્દુત્વની અપીલને વધારે સમર્થન આપ્યું હતું, જ્યારે 1995માં વાલજીભાઈ પટેલ સામેના કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલીન પ્રધાન મનુભાઈ પરમારની કાર્યશૈલીથી નારાજ થયેલા લોકોએ તેમને હરાવ્યા હતા. આવી સીધીસાદી વાતમાં પેટાજાતિવાદ ઘુસાડતા લોકો ખરેખર માનસિક રોગીઓ છે.

શંકરસિંહના પ્રીતિપાત્ર પ્રવિણ રાષ્ટ્રપાલ પાટણ મતવિસ્તારમાં મહેશ કનોડીયા જેવા લોકપ્રિય કલાકાર સામે ચૂંટણી લડ્યા ત્યારે કઈ રીતે જીત્યા હતા? રાષ્ટ્રપાલે મતદારોમાં ‘ગાયક જોઇએ કે લાયક જોઇએ?’ એવું સૂત્ર પ્રચલિત કર્યું હતું અને લોકોએ તેમનો મેસેજ સરસ રીતે ઝીલ્યો હતો. વણકરોની બહુમતિ ધરાવતા વિસ્તારોમાં રાષ્ટ્રપાલને સારો પ્રતિસાદ મળેલો અને વણકર જાતિના અને એ જ પંથકના વગદાર પાટણવાડા પરગણાના માનીતા એવા મહેશ કનોડીયા હારી ગયા હતા. પાંચ વર્ષ પછી રાષ્ટ્રપાલ ફરી આ જ મતવિસ્તારમાં ઉભા રહ્યા ત્યારે હારી ગયા હતા. લોકોને એમની કામગીરીમાં કોઈ ભલીવાર ના પણ લાગ્યો હોય કે પછી એમના જ પક્ષના કોંગ્રેસીઓએ (ત્યારે વાઘેલા કોંગ્રેસમાં ઘુસી ગયા હતા) તેમને હરાવ્યા હોય. ઘણા કારણો હશે. પેટાજાતિવાદથી બધું સંચાલિત થતું નથી.

કોંગ્રેસ અને ભાજપમાં પેટાજાતિવાદ ચાલે તો વાંધો નથી, પરંતુ બીએમપી કે બીએસપીમાં ચાલવો ના જોઇએ. આ આદર્શ તો સારો છે, પરંતુ સિત્તેર વર્ષથી મનુવાદી પક્ષોમાં કામ કરીને સવર્ણોની લાળ ચાટી ચાટીને પેટાજાતિવાદથી વિકૃત થયેલા દલિતો રાતોરાત થોડા સુધરવાના છે? થોડોક તો સમય આપો.

માયાવતીને દલિત ઝરીનાનું સંબોધન કેમ?

By Raju Solanki  || 2 December at 2017 08:54



મીડીયા ધારે તો મંકોડાને મહામાનવ અને મહામાનવને મગતરું બનાવી શકે છે. બાબાસાહેબે ચોથી જાગીરને નેતાઓનું ઉત્પાદન કરતા કારખાના જોડે સરખાવી હતી. માયાવતીનો કેસ સ્ટડી આ બાબતમાં માર્ગદર્શક છે.

માયાવતી આ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યપ્રધાનપદે બિરાજી ચૂક્યા છે અને એમનો બહુજન સમાજ પક્ષ 2014ની સંસદની ચૂંટણીમાં વોટની ટકાવારી પ્રમાણે કોંગ્રેસ, ભાજપ પછી ત્રીજા નંબરનો રાષ્ટ્રીય પક્ષ છે. આવા માયાવતી વિષે મીડીયા હંમેશા વિકૃત, જુઠ્ઠા સમાચારો છાપતું હોય છે, કેમ કે તેઓ એક દલિત તરીકે એક રાજકીય પક્ષનું સંચાલન કરી રહ્યા છે.

તમે ગુગલમાં દલિત ઝરીના dalit zarina શબ્દ લખીને સર્ચ કરો. 1,34,000 રીઝલ્ટ મળશે. એમાં ‘ઇમેજીઝ ઓફ દલિત ઝરીના’માં તમને બહેન માયાવતીના ફોટો જોવા મળશે. આવું કેમ બન્યું? બહેન માયાવતીને દલિત ઝરીનાનું બિરુદ કોણે આપ્યું? ઝરીના એટલે કોણ? આવું બિરુદ આપનારા લોકો શું સાબિત કરવા માંગે છે?

રશિયાનો ઇતિહાસ વાંચો. વીકીપીડીયા પર આસાનીથી ઉપલબ્ધ છે. ઝાર એટલે રશિયાનો સમ્રાટ. ઝારના ઉત્તરાધિકારીને પણ ઝાર કહેતા. ઝારની પત્ની, રશિયાની મહારાણી, સામ્રાજ્ઞી એટલે ઝરીના. એક ઉદ્દંડ, ઉદ્ધત, મનસ્વી રાજા માટેનું વિશેષણ એટલે ઝાર. ‘ઇવાન ધી ટેરિબલ’ના નામે ઓળખાતા ઝારે સોળમી સદીમાં રશિયાને મોટું સામ્રાજ્ય બનાવ્યું, સાઇબેરીયા જેવા અફાટ પ્રદેશો રશિયામાં જોડ્યા. હવે છેક તેરમીથી સત્તરમી સદીના રશિયામાં શાસન કરનારા પાગલ, ગાંડા, નાલાયક, સામંતી મૂલ્યોથી ખદબદતા ઝાર અને ઝરીનાના સંદર્ભો આધૂનિક ભારતમાં એક રાજકીય પક્ષના નેતા સાથે કઈ રીતે જોડાય? મીડીયામાં ક્યારેય મોદી માટે હિન્દુ ઝાર કે જયલલિતા માટે બામણ ઝરીના શબ્દો પ્રયોજાયા નથી, તેઓ એને માટે લાયક છે તો પણ.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા વર્ષોથી બેધડક માયાવતી માટે દલિત ઝરીના શબ્દ વાપરે છે. માયાવતીએ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનું શું બગાડ્યું છે? ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો માલિક જૈન છે. માયાવતીએ જૈનોનું શું અહિત કર્યું છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારી ઉપર છોડું છું. અત્યારે તો એટલું જ કહીશ કે આપણા પૈકીના ઘણા લોકોનું અંગ્રેજી અત્યંત સુંદર છે. એમને વિનંતી કરીએ કે તેઓ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના માલિકને એક સરસ પત્ર વિનયપૂર્વક અંગ્રેજીમાં લખે અને તેમને જણાવે કે માયાવતી માટે આવા શબ્દનો ઉપયોગ ના કરો. તમે યોગી જેવા નાગા બાવાઓને સાંખી લો છો, તો બહેનજી એમના કરતા હજારગણા બહેતર છે.

1981ની રૂબી સોસાયટી યાદ છે?

By Raju Solanki  || 7 December 2017 at 12:31 




ગઈ કાલે વાડજના તુલસીનગરમાં ડો. બાબાસાહેબ મહાનિર્વાણ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં મને વક્તા તરીકે બોલાવવામાં આવ્યો હતો. “1981માં તમારી બાજુમાં આવેલી રૂબી સોસાયટી સાથે તમારે માથાકૂટ થયેલી એ કેટલા લોકોને યાદ છે?”, એવો પ્રશ્ન મેં પૂછ્યો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ઘણી બહેનો અને ભાઈઓએ હાથ ઉંચા કર્યા અને કહ્યું કે, “હા, અમને યાદ છે.”

1981માં વાડજની રૂબી સોસાયટીમાં નજીકના વિસ્તારના દલિતો ઘૂસી ગયા હતા અને લૂંટફાટ કરી હતી, એવા સમાચાર દૈનિક જનસત્તામાં છપાયા એના બીજા દિવસે અમે કેટલાક મિત્રો, હું, સાહિલ પરમાર, હરીશ મંગલમ અને જયંતી ચૌહાણ તે વખતે ખાનપુરમાં આવેલા જનસત્તા અખબારની કચેરીએ તંત્રીને મળવા ગયા હતા. અમારી ફરિયાદ એવી હતી કે અખબારો દેત્રોજ અને ઉત્તરસંડામાં દલિતોના ઝુંપડા સળગાવી દેવાયા તેના સમાચાર છાપતા નહોતા અને ક્યાંક દલિતો નાનકડું છમકલું કરે અથવા ના કરે તો પણ પહેલા પાને મોટી હેડલાઇનો બનાવતા હતા. મિત્ર સાહિલ પરમારે એમની આગવી અદામાં માનનીય પ્રકાશ શાહને સવાલ કર્યો કે, “હેં પ્રકાશભાઈ, જનસત્તાનું ખાતમૂહૂર્ત શંકરાચાર્યએ કરેલું?.” પ્રકાશભાઈ ચીડાઈ ગયા હતા. એમણે એક ફુટપટ્ટી હાથમાં લીધી અને દલિતો પર થયેલા દમનના એક કોલમના એક સમાચાર પર ફુટપટ્ટી મુકીને બોલ્યા હતા, “દલિત સમાજને ત્રણ ઇંચ જગ્યા આપી છે, આટલી જગ્યા ઓછી છે?”

ત્યારે માનનીય પ્રકાશભાઈ શાહ એકલા જ નહીં ગુજરાતનો કહેવાતો સમગ્ર નાગરિક સમાજ ઓછા યા વત્તા અંશે દલિતોની વિરુદ્ધમાં અને દલિતો એટલે કોંગ્રેસ એવું સમીકરણ હોવાથી કોંગ્રેસની વિરુદ્ધમાં હતો. આજે કહેવાતો નાગરિક સમાજ ભાજપની વિરુદ્ધમાં છે અને કોંગ્રેસને વોટ આપવાની અપીલો પર અપીલો કરી રહ્યો છે, ત્યારે આ તો અમસ્તું. 1981 પછી જન્મેલા યુવા દલિતોની જાણ સારું.

લખી નાંખો દિવાલો પર....

By Raju Solanki  || 10 December 2017 at 10:49 



જાણીતા સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેની સ્મૃિતમાં 1943માં ડો. આંબેડકરે ‘રાનડે, ગાંધી અને જિન્હા’ વિશે સ્મૃિત વ્યાખ્યાન આપેલું. એ વ્યાખ્યાનમાં બાબાસાહેબે કહ્યું હતું: 
“કોઈ પણ લોકતાંત્રિક પદ્ધતિની સરકારની પૂર્વશરત છે, લોકતાંત્રિક પદ્ધતિનો સમાજ. જ્યાં સુધી લોકશાહી ઢબનો સમાજ નહીં હોય ત્યાં સુધી લોકશાહીના ઔપચારિક માળખાનો કશો અર્થ નથી. રાજનીતિજ્ઞો એ વાત સમજતા નથી કે લોકતંત્ર એ કંઈ સરકાર નથી બલકે મૂળભૂતપણે એક સમાજનું સ્વરૂપ છે.”

આ દેશમાં પાંચ લાખ ગામડાઓમાં પાંચ હજાર વર્ષથી પ્રચલિત સામંતી જાતિપ્રથા ખતમ કરવામાં આવે તો જ લોકતાંત્રિક પદ્ધતિનો સમાજ રચી શકાય. આ માટે તમારે પાંચ લાખ ગામડાઓનો ભાંગીને ભૂક્કો કરી દેવો પડે. ગામડાઓ ભાંગવા એટલે ખેતીવાડી ખતમ કરવી એવો અર્થ થતો નથી. કોંગ્રેસે સંવિધાનસભામાં જે કરી શકાઈ નહોતી તે બાબત ઇન્દિરા ગાંધીના સમયમાં પંચાયતી રાજના સ્વરૂપે દાખલ કરી હતી અને જાતિપ્રથાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો.

દલિત આંદોલનમાં જ્યાં સુધી બાબાસાહેબના અલગ વસાહતના સિદ્ધાંતનો એજન્ડા અગ્રતા ધરાવશે નહીં ત્યાં સુધી દલિતો આ દેશમાં ભટકતા રહેશે, શાસક બનવાની વાત તો દૂર.

(આત્મીય ચંદુ મહેરીયાના સમાજમિત્રમાં પ્રસિદ્ધ લેખ વાંચ્યા પછી સ્ફુરેલું)











December 13, 2017

Una-flogging: social victims and political beneficiaries

By Raju Solanki  || 10 December 2017 at 18:23



A few days back, Balubhai Sarvaiya, a victim of Una-flogging visited my home to meet me. Dr Jayanti Makadia, president Gujarat Dalit Sangathan and Govind Parmar, human rights activist and lawyer accompanied him. Balubhai told me that BJP had organised his press conference at Kamalam, but he didn’t go there. I appreciated his courage and thanked him on behalf of 47 lakh Dalits of Gujarat.



During our discussion advocate Govind Parmar said, “All accused in Una-flogging case are getting bail, because the court is not taking up hearing in time.” This is very serious question and it reveals the failure of Dalit movement. After Una atrocity, there should have been an attempt to form a panel of dedicated, sensible advocates who can provide legal assistance to all victims of caste atrocities across Gujarat. A corpus of 15 lakh could have been collected and a committee of prominent Dalit activists could have been formed. Instead, the dalit movement has been reduced to political bickering and manipulation.


I asked Balubhai about his favourite political party. He said, “Bahenji Mayavati is our goddess. She raised our issue in parliament and everybody including Rahul Gandhi and Arvind Kejarival rushed to Mota Samadhiyala. Many journalists who visited Balubhai’s home expressed surprise when they saw photo of Mayavati hanging on the wall.


Actually, Gujarati media has consciously neglected BSP after Una episode. BSP gave Gujarat bandh call and its workers stopped train in Surendranagar, but media didn’t highlight that historical act of Dalit masses. They all knew that after one year a very crucial election is coming and BSP must not be given political space. And now we can see that Congress is shamelessly taking benefit of Una-flogging.


- Raju Solanki

આવાઝ દો... હમ એક હૈ...




2002માં થયેલા ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણોમાં હિંદુત્વવાદી સંગઠનો એ જે રીતે માનવતાને જાહેરમાં રોવળાવી તેની કલ્પના માત્ર થી દરેક માનવતાવાદી લોકો ના હૃદય કંપી ઉઠે છે... 

જેમાં તે લોકોએ મુખ્ય ઉપયોગ અનુસૂચિતજાતિ અને ઓબીસી(શુદ્ર) ટૂંકમાં કહેવાતી પછાત જાતિઓનો જ ભરપૂર ઉપયોગ કર્યો.. અને તમે અતિજુસ્સા સાથે તેમના માટે ઉપયોગી બન્યા. ટૂંકમાં લઘુમતીને લઘુમતી સાથે ટકરાવાઈ... 

અને તે સંગઠનો ભરેલા તળાવમાંથી કોરા નીકળ્યા.. 
તબાહ દલિતો અને મુસ્લિમો થયા.. બંને સમાજમાં આવેલા મજબૂત ભાઈચારાને એક જ દિવસમાં તોડી પાડવાનો તેમનો પ્રયત્ન કામિયાબ રહ્યો... 

મુસ્લિમ બાળકો, મહિલાઓ અને ઘરડાઓની ચિચિયારીઓ થી આખું વિશ્વ થંભી ગયું. જીવતા સળગાવ્યા બાળકો હોય કે ગર્ભવતી મહિલાઓ... બસ તે લોકોનો નારો જ એ હતો કે "કોઈ ને બક્ષવામાં નહીં આવે" 
બળાત્કાર, લૂંટફાટ, હત્યાઓ, લોહીની નદીઓ સામાન્ય થઈ ગઈ હતી.. ઠેર ઠેર લાશોના ઢગલા.. અને એ લાશો પર હિંદુત્વવાદી ભગવો ઝંડો દરેક જણમાં એ બીક પેસાડતો ગયો.. 

પણ જ્યારે તેજ ભગવા ઝંડાએ 14 વર્ષ બાદ તમને જ ઉઘાડા કરીને પટ્ટા માર્યા.. ત્યારે તમારી આંખ ઉઘડી..તમને ખ્યાલ આવ્યો કે હકીકતમાં અમે હિંદુ છીએ જ નહીં... અને હજુ જો તમારામાં કેટલાકને હિંદુ હોવાનો ગર્વ હોય તો તમારાથી મૂર્ખ કોઈ નથી. 

પણ એ સંગઠનો પણ એટલું યાદ રાખીલે કે હજુ માનવતાએ પોતાના ગર્ભમાં કોપર ટી નથી મુકાવ્યો તે હંમેશા આવા અમાનુષી અત્યાચારો સામે વિદ્રોહીઓ ક્રાંતિપુરુષો પેદા કરશે જ.. મનુવાદ, જાતિવાદ સામે લોહીથી નહીં પણ સહી થી લડત આપશે અને એક નવી ઐતિહાસિક ક્રાંતિ કરશેે.... 

એ મનુવાદ જાતિવાદ સંઘવાદ તેરે ખિલાફ બઘાવત જીંદબાદ..... 
આવાઝ દો... હમ એક હૈ... 
જય જયજય જયજય ભીમ 

-અપૂર્વ અમીન

જેટલી હોંશથી આરક્ષણનો લાભ લઈ રહ્યા છો તેટલી જ હોંશથી કોક દિવસ બાબા સાહેબને પણ યાદ કરો

By Jigar Shyamlan ||  6 December 2017 at 09:10 






માની લો કે તમને એક અંધારી કોટડીમાં પરાણે પૂરી રાખવામાં આવ્યા છે. મજબૂરી એ કે કોટડીની બહાર નિકળી શકતા નથી. એ કોટડી જ તમારી ઓળખાણ છે, વજૂદ છે અને કદાચ ભવિષ્ય પણ.. તમારા પૂવઁજો, તમારા પરદાદા, દાદા અને તમારા પિતા સૂધ્ધા એ કોટડીમાં રિબાઈ રિબાઈને દમ તોડી ચૂક્યા છે. તમારી પાસે કોટડીથી આઝાદ થવાની શક્તિ નથી. આવા સમયે કોઈ માણસ એક નાયકની આવીને તમને કોટડીની કેદમાંથી છોડાવવા કમ્મર કસે છે, અને એક યુધ્ધ કરીને તમને સદાને માટે કોટડીની કેદથી મુક્ત કરાવે છે. હવે તમે સદાયને માટે આઝાદ બનો છો.




આઝાદ બની ગયા પછી તમને કોટડીમાંથી મુક્તિ અપાવવા યુધ્ધે ચડેલ નાયકને આદર આપવાનુ તથા તેને યાદ કરવાનું કદાચ તમે જિંદગીભર નહી ભૂલો. પરંતુ નોંધવા જેવી કહો કે શરમથી ડૂબી મરવા જેવી વાત આરક્ષણનો 27% લાભ લેતો ઓ.બી.સી. સમાજ (OBC) અને 14% લાભ લેતો એસ.ટી. સમાજ (ST) બન્નેમાંથી કોઈનેય આજે ડો.બાબા સાહેબ આંબેડકર યાદ નથી.


એક સમય એવો હતો જ્યારે ભારતમાં મનુસ્મૃતિનુ શાસન હતું. આખા હિન્દુ સમાજમાં ચાતૂવણઁ વણઁ વ્યવસ્થા અમલમાં હતી. મનુસ્મૃતિ કાળમાં શુદ્રો (હાલના ઓ.બી.સી., બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક અને શૈક્ષણીક પછાત વગઁ) ની હાલત પશુ કરતાય બદત્તર હતી. તેમને કોઈ અધિકારો ન હતા.


આજે ઓ.બી.સી. સમાજ સફળતાના શિખરે પહોંચ્યો છે પણ ભૂતકાળના શુદ્રો અને હાલના ઓ.બી.સી.ને પોતાને એ વાતની ખબર જ નથી કે ઓ.બી.સી. સમાજ શિખર પર ચઢી શકે તે માટે મજબૂત સીઢીઓનું ચણતર કરનાર કોણ હતું..?


આ મજબૂત સીઢીઓ બનાવનાર શિલ્પી હતા ડો. બાબા સાહેબ આંબેડકર...


ખરેખર આજે એક મોદી કે જે ઘાંચી જેવી શુદ્ર ગણાતી જાતિનો માણસ ભારત દેશના વડાપ્રધાન પદે બિરાજી દેશનો વહીવટ કરે તેનો ખરેખરો શ્રેય ડો. બાબા સાહેબ આંબેડકરને જ આપવો રહ્યો.


આજે ઓ.બી.સી. માટે સંવિધાનમાં 27% આરક્ષણની જોગવાઈઓ છે. બીજા નંબરે એસ.ટી. માટે 14% અને પછી એસ.સી. માટે 7% આરક્ષણની જોગવાઈ છે જે ડો. બાબા સાહેબ આંબેડકરના સંધષઁ અને અવિરત પ્રયાસોની દેન છે.


એસ.ટી. અને ઓ.બી.સી. મિત્રો જેટલી હોંશથી આરક્ષણનો લાભ લઈ રહ્યા છો તેટલી જ હોંશથી કોક દિવસ બાબા સાહેબને પણ યાદ કરો.

December 07, 2017

બાબા સાહેબની વિચારધારા અને વાસ્તવિકતા

By Jigar Shyamlan ||  4 December 2017 at 10:17 


આજનો મુદ્દો બાબા સાહેબની વિચારધારા પર છે. બાબા સાહેબની વિચારધારા પર કામ કરતા ઘણાં બધા સંગઠનો છે જે દરેકનો ઉદ્દેશ બાબા સાહેબના વિચારોને વ્યકિત સુધી લઇ જવાનો છે. પણ આટલો સમય વિતવા છતાં ધાર્યા પરિણામ મળતા નથી. ગ્રાઉન્ડ વર્ક, સોશિયલ મીડિયા પર એક લાબાં અભ્યાસ પછી કેટલીક એવી બાબતો નજર સામે આવી જે રજૂ છે..
  1. આપણી પાસે સંખ્યા તો છે પણ આ સંખ્યા નાનાં નાનાં અસંખ્ય જુદાજુદા સંગઠનોમાં વહેંચાયેલી છે. વળી પાછા આ સંગઠનો વચ્ચે અંદરોઅંદર ટાંટીયાખેંચ ચાલે છે. એક જ મહાપુરુષની વિચારધારા પર ચાલવાની વાત કરતા સંગઠનોના લોકોમાં પણ વૈચારિક ઐક્ય નથી.
  2. જે પણ લોકો કોઈને કોઈ સંગઠન સાથે જોડાયેલ છે તેઓ પોતે જે વિચારોને સમાજમાં ફેલાવવા માંગે છે તે ખુદના વ્યવહારમાં યોગ્ય અમલી બનાવી શક્યા નથી.
  3. સંગઠનમાં કેટલાક માણસો સંગઠનનો ઉપયોગ સ્વ પ્રસિધ્ધી અને આપ વડાઈ માટે કરે છે. આવા લોકો તેમાંથી ઉંચા નથી આવતા. આવા લોકો પોતાનો કક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ રહે છે.
  4. એક જ વિચારધારાને પ્રસરાવવા માટે વધારે સંગઠન હોય તો એ આમ તો સારી વાત કહી શકાય કારણ.. વધુમાં વધું લોકો સુધી વિચારધારાનો ફેલાવો કરી શકાય. દા.ત. - એક સંગઠન એક દિવસમાં વધુમાં વધુ ત્રણ કે ચાર ગામમાં જઈ કામ કરી શકે પણ એવા ચાર સંગઠનો હોય તો એક દિવસમાં ૪ x ૪ = ૧૬ ગામોમાં વિચાર પ્રચાર પ્રસાર થઈ શકે. પણ અહીં સંગઠન વચ્ચે પરસ્પર એકતા કે સંકલનને બદલે મતભેદ અને મનભેદ છે.
  5. સંગઠનોમાં સંકળાયેલા લોકો જે તે જગ્યાએ વિચારધારા પ્રચાર પ્રસાર કરવા જાય તેઓ ત્યાં પેલા આમંત્રણ આપી બોલાવેલ ભાષણકારની જેમ વિચારધારા પર ભાષણ આપી જતા રહે છે. આપણે લોકો શું સમજે છે..? લોકો શું વિચારે છે તેની ઝાઝી પરવા કરતા નથી. લોકોની સમસ્યા બાબતે બહુ રસ બતાવતા નથી. આપણે માત્ર વાતો કરીને જાગૃતિ ફેલાવી દીધાનો સંતોષ માની લઈએ છીએ, લોકો ને પરસ્પર જોડી શકતા નથી. દા.ત. - ગામમાં જઈ પછાત સમાજના એક મહોલ્લામાં જઈ, બે-ચાર કલાક વિચારધારાની સમજણ આપીએ છીએ પણ ગામના પછાત સમાજના તમામ વણકર, ચમાર, તુરી, બારોટ, સેનમાં અને ભંગી જેવા પેટા જાતિગત ભેદને દૂર કરવાનું વાતાવરણ પેદા કરી શકતા નથી.
  6. આપણે માત્ર જાગૃતિ ફેલાવવાને જ મહત્વ આપીએ છીએ લોકોની નાની નાની સ્થાનિક પણ ઉકેલી શકાય તેવી સમસ્યાઓને હલ કરવામાં રસ દાખવી શકતા નથી. લોકોની મહોલ્લાઓની સામાન્ય સમસ્યાઓ જેમ કે સ્વચ્છતા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, વ્યસનો અને કૂરિવાજો વગેરે બાબતે આપણે દુલઁક્ષ સેવીએ છીએ. આ માટે કોઇ ખાસ પ્રયત્ન કરતા નથી.
  7. બાબા સાહેબના નામે ઉભા થયેલા કેટલાક સંગઠનો સમાજમાંથી ફાળા સ્વરૂપે નાંણા પણ ઉઘરાવે છે. જેમાં અંતે પૈસા ચવાઈ જવાના બનાવ બને છે. આવા બનાવો લોકોને સંગઠનથી દૂર કરે છે.
  8. આપણે માત્ર મીટીંગોમાં જ આપણી એકતા બતાવી શકીએ છીએ. બાબા સાહેબના વિચારો પર અમલ કરવામાં આળસુ છીએ. એટલે જ તો ખરાખરીના ખેલ, દશેરાના દિવસે એટલે કે ચુંટણીના સમયે જ આપણું ઘોડુ દોડતું નથી. રાજકીય પક્ષને સમઁથન આપવા બાબતે આપણે એકતા સાધી શક્યા નથી.
  9.  છેલ્લી અને મહત્વની વાત.. બાબા સાહેબના વિચારો સાથે કેટલાય વોટ્સ એપ્પ, ફેસબુક ગ્રુપ જોડાયેલા છે. આમાં પણ કેટલાક મિત્રો જાણે પોતે એકલાએ જ જયોતિબા, આંબેડકર, કાશીરામને વાંચ્યા હોય એમ પોતાને સવાયા આંબેડકરવાદી સાબિત કરવાની પ્રવૃતિ કરતા રહે છે. તેઓ બીજાની વાતોને, વિચારને સાંભળવાની, સમજવાની સહેજ પણ દરકાર નથી લેતા વાંચ્યા કે સમજ્યા વગર સતત કાપતા રહે છે, ટ્રોલ કરતા રહે છે.
મિત્રો...મારી દરેક પોસ્ટની જેમ જ આ પોસ્ટ પણ લાઈક મેળવવા નથી મૂકી.. પણ આ વિષય બાબતે કમેન્ટમાં જય ભીમ નહી પરંતુ મિત્રોના અભિપ્રાય જાણવા ખાતર મૂકી છે. 
- જિગર શ્યામલન

ભારતીય લોકશાહી ની બલિહારી

By Jigar Shyamlan ||  2 December 2017 at 11:36 


આપણી ચુંટણી ખરેખર લોકોએ પસંદ કરેલ કે ચૂંટેલા લોકપ્રતિનીધીઓ પસંદ કરે છે..?
આ સવાલનો જવાબ મોટાભાગના લોકો હા... કેમ નહી એમ જ આપે છે અને કદાચ એવો જ આપવાનાં..
ભારતમાં ચુંટણી પધ્ધતિથી આપણે સૌ પરિચીત છીએ...
ચુંટણી પંચ તારીખ જાહેર કરે, 
પક્ષો પોતાના ઉમેદવારોને ટીકીટો આપે, 
ચુંટણીના દિવસે મતદાન થાય પછી મત ગણતરી અને સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા જાહેર થાય.
આ રીતે વિજેતા થનાર વ્યક્તિ જે તે વિધાનસભા, લોકસભાનો લોકોએ પસંદ કરેલ ઉમેદવાર કે લોકોએ ચુંટેલ પ્રતિનીધી છે તેવું માની લેવામાં આવે છે.
પણ બારીકતાથી વિચારીએ તો શું આ રીતે ચુંટણીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર ને ખરેખર લોકોએ પસંદ કરી પોતાનું પ્રતિનીધીત્વ કરવા મોકલેલ છે..??
જવાબ છે.. ના, 
હવે આ વાતને એક સામાન્ય ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ...
ઉદાહરણ:-
માની લો કોઈ એક વિધાનસભામાં ૧૦,૦૦૦ મતદારો છે. હવે અહીં ચુંટણીમાં ૪ ઉમેદવારો ઉભા છે.
(૧). રમણ
(૨). મગન
(૩). છગન
(૪). મોહન
હવે ચુંટણીના દિવસે ૧૦,૦૦૦માંથી ૯,૦૦૦ લોકો પોતાનો મત આપે છે, જેમાં...
(૧). રમણને ૩૨૦૦ મત મળે છે
(૨). મગનને ૩૧૦૦ મત મળે છે
(૩). છગનને ૨૬૦૦ મત મળે છે અને
(૪). મોહનને ૧૦૦ મત મળે છે
હવે નિયમ મુજબ ૩૨૦૦ મત મેળવનાર રમણ ચુંટણીનો વિજેતા જાહેર થાય જે વિધાનસભામાં જવા લાયક છે. 
હવે જરીક એક વાત પર વિચાર કરીએ 
૯,૦૦૦માંથી ૩,૨૦૦ મતદારોએ (૩૫.૫૫%) રમણને મત આપ્યો મતલબ એ સીટ પર મતદારોએ રમણને પ્રતિનિધી તરીકે ચૂંટયો છે..એ સાચી વાત પરંતું
મગનને મત આપનારા ૩૧,૦૦, છગનને મત આપનારા ૨૬,૦૦ અને મોહનને મત આપનારા ૧૦૦ મતદારો મળી કુલ ૫,૮૦૦ (૬૪.૪૪%) લોકો તો રમણને પોતાના પ્રતિનિધી તરીકે નકારે છે. 
આમ કુલ.૯,૦૦૦ મતદારોમાંથી ૫,૮૦૦ મતદારો રમણને પોતાનો પ્રતિનિધી નકારે છે તેમ છતાં રમણ ધારાસભ્ય તરીકે પસંદ થાય છે. 
આ આપણી લોકશાહી અને ચુંટણી પધ્ધતિની બલિહારી છે.
જય હો..
- જિગર શ્યામલન..

December 05, 2017

समझदारी बढाने के लिये सबसे सरल पध्धति

By Jigar Shyamlan ||  1 December 2017 at 10:02


समझदारी बढाने के लिये सबसे सरल पध्धति है तर्क करना, सवाल करना और उसका जवाब ढुंढना। 

हर धर्म, मजहब और संप्रदायो में बताई गई ईश्वरीय मान्यता और उससे जूडे भिन्न भिन्न प्रकार के क्रियाकांड महज एक नशीली दवा के हेवी डोझ से अलावा और कुछ नही। यह दवा का हेवी डोझ देने के पीछे एक ही उद्देश है, मानव को सदा ही धर्म और ईश्वरीय मान्यताओ के नशे में मस्त बनाये रखना।
यह दवा का डोझ क्लोरोफोर्म से भी महा भयंकर है, क्योकि क्लोरोफोर्म ईन्सान का होश उडा देता है पर कुछ ही समय के लिये। लेकिन यह ईश्वरीय मान्यता का डोझ ईन्सान को मरते दम तक होश में नही आने देता।
कहा जाता है, शारीरीक गुलामी से भी बदत्तर हालत हो तो वह है मानसीक गुलामी।
क्योकि, शारीरीक गुलामी में सिफँ हमारे शरीर, हाथ-पैर और शारीरीक ताकत पर कीसी और का प्रत्यक्ष या सीधा कब्जा बना रहता है, परंतु मानसीक गुलामी में हमारे दीमाग, विचारो पर किसी और का परोक्ष या अप्रत्यक्ष कब्जा बना होता है।
मानसीक गुलामी मतलब शारीरीक तौर पर ताकतवर होते हुये भी कुछ भी नही कर सके वैसी लाचार एवम दीन अवस्था। ईसलिये यदी आप मानसीक तौर पर आझाद नही है तो आप आझाद होते हुए भी गुलाम ही है। क्योकि मानसीकता पर विजय मतलब सवँस्व विजय।
ईस अवस्था ने ईन्सान को ईतना कमजोर बना दीया है, ईतना कमजोर कि वह सवाल करने की, तर्क करने की क्षमता गंवा चूका है।
जब आप तर्क करना या सवाल पूछना बंध कर देते है तब आप ईन्सान नही रहते बल्कि एक रोबोट बन जाते है। एक ऐसा रोबोट जो अपने अंदर दूसरो के द्वारा ईन्स्टोल किये गये प्रोग्रामींग पर चलता हो।
हर धर्म, मजहब और उसकी ईश्वरीय धारणा पर आस्था, श्रध्धा, यकीन, विश्वास या भरोसा करने से पहले शंका या संशय अवश्य करे।
कारण, ईन सब का सृजँन समाज पर प्रभुत्व कायम करने को ईच्छूक कुछ लोगो द्वारा किया गया है, ता कि समाज को मानसीक गुलाम बनाया जा सके। हर बात पर तर्क करना सीखे, शंका या संशय करना सीखे। हर बात को बिना किसी परीक्षण के आधार पर मान लेने की गलती न करे।
यदी मंदीर में जाये तो दोनो हाथ जोडने मे पहले।
यदी मस्जिद में जाये तो नमाझ अदा करने से पहले।
यदी चचँ में जाये तो प्रैयर करने से पहले।
यह सब क्यो..? किस लिये.. ? यह सवाल अपने आप से पुछीये।
यह सब करने से सुख, समृध्धि आती तो समूचे संसार में कोई भी दूःखी नही होता।
मेरे पिता यह करते थे, दादा-परदादा भी यह सब करते थे ईसलिये मुझे भी यह करना है यह मानसीकता त्याग दो।
समझदारी बढाने के लिये सबसे सरल पध्धति है तर्क करना, सवाल करना और उसका जवाब ढुंढना।
ईसलिये तर्क करे.., सवाल करे और जवाब ढुंढे।
- जिगर श्यामलन