Showing posts with label Buddha. Show all posts
Showing posts with label Buddha. Show all posts

November 14, 2019

નેહરુની કંગાલિયત

By Raju Solanki  || 8 Nov 2019



બાબાસાહેબ પાસે ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’ છાપવાના પૈસા નહોતા. એમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પત્ર લખ્યો અને પ્રેસમાં છપાઈ રહેલા પુસ્તકની માત્ર પાંચસો નકલો ખરીદવાની વિનંતી કરી તો જવાબમાં નેહરુએ એ નકલો ખરીદવાની ઘસીને ના પાડી દીધી એટલુ જ નહીં બાબાસાહેબને બુદ્ધ જયંતીએ સ્ટોલ લગાવીને પુસ્તક વેચવાની સલાહ આપી.

તો વાંચો નેહરુને સંબોધીને બાબાસાહેબે તા. 14 સપ્ટેમ્બર, 1956ના રોજ લખેલો પત્ર,

વહાલા પંડિતજી,
હમણાં જ જેનું લખાણ મેં પૂરું કર્યું છે એ મારી કિતાબ ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મા’નું વિષયવસ્તુ દર્શાવતી મુદ્રીત બુકલેટની બે નકલો આ પત્ર સાથે બીડી રહ્યો છું. આ કિતાબ હાલ પ્રેસમાં છે. વિષયવસ્તુ પરથી તમે જોઇ શકશો કે આ કામ કેટલું સઘન થયું છે. પુસ્તક સપ્ટેમ્બર 1956માં બજારમાં આવી જશે. મેં આના પર પાંચ વરસ કામ કર્યું છે. બુકલેટ પરથી આ કામની ગુણવત્તા જણાઈ આવશે.

પ્રિન્ટિંગ કોસ્ટ હેવી છે અને લગભગ રૂ. 20,000 થશે. આ મારી ક્ષમતા બહારનો ખર્ચ છે અને તેથી હું તમામ વર્ગોની મદદ મેળવવા કેન્વાસિંગ કરી રહ્યો છું.

બુદ્ધની 2500 વર્ષમી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારત સરકાર જે વિદ્વાનોને આમંત્રી રહી છે તેમને તેમ જ વિવિધ પુસ્તકાલયોમાં વહેંચણી અર્થે આ પુસ્તકની 500 નકલો ભારત સરકાર ખરીદી શકે તો મને ગમશે.
તમારો બુદ્ધ ધર્મમાં રસ છે તે હું જાણું છું. અને તેથી હું તમને આ પત્ર લખું છુ. આશા છે કે તમે આ બાબતમાં મને થોડી મદદ કરશો.

તમારો ભવદીય,

ડો. બી. આર. આંબેડકર
26, અલીપુર રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હી

હવે જવાહરલાલ નેહરુએ જવાબમાં શું કહ્યું તે વાંચો.

મારા વહાલા ડો. આંબેડકર,

તમે જેનું સૂચન કર્યું છે એ તમારા પુસ્તકની નકલો મોટી સંખ્યા ખરીદવી શક્ય છે કે કેમ એ બાબતે મને શંકા છે. અમે બુદ્ધ જયંતીના પ્રસંગે પ્રકાશન માટે કેટલીક રકમ ફાળવી હતી. એ રકમ વપરાઈ ગઈ છે. હકીકતમાં, વધારે પડતી વપરાઈ ગઈ છે. એટલે, બુદ્ધ ધર્મ સંબંધિત પુસ્તકો માટે નાણા ફાળવવાની કેટલીક દરખાસ્તોને અમારે નકારવી પડી હતી. તેથી હું તમારો પત્ર બુદ્ધ જયંતી સમિતિના અધ્યક્ષ ડો. રાધાકૃષ્ણનને તમારો પત્ર મોકલી રહ્યો છું.

હું એવું સૂચન કરીશ કે બુદ્ધ જયંતી ઉજવણીના સમયે દિલ્હી અને બીજે બધે જ્યાં વિદેશથી ઘણા લોકો આવે છે ત્યાં તમારા પુસ્તકને વેચાણ માટે મૂકી શકાય. ત્યાં તેનું સારું વેચાણ થઈ શકે.

તમારો વિશ્વાસુ,
જવાહરલાલ નેહરુ

November 02, 2019

ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમ્મ ની જ પસંદગી કેમ કરી??







૧૯૩૫ માં હિન્દૂ તરીકે નહીં મરવાની પ્રતિજ્ઞા લીધા બાદ, ૧૯૫૬ માં બાબાસાહેબ ડો આંબેડકરે ફક્ત બૌદ્ધ ધમમ ની જ પસંદગી જ કેમ કરી?? કેમ તેઓ ને ફક્ત બૌદ્ધ ધમ્મ અંગીકાર કરવા યોગ્ય લાગ્યો??
આ પ્રશ્ન નો જવાબ બાબાસાહેબ ડો આંબેડકર ના લેખ "બુદ્ધ ઔર ઉનકે ધમમ કા ભવિષ્ય" માંથી મળે છે..
આ લેખ કલકત્તા ની મહાબોધી સોસાયટી ના માસિક લેખ માં ૧૯૫૦ ની સાલ માં પ્રકાશિત થયો હતો, જે વોલ્યુમ ૧૭ ના ભાગ ૨ માં સંકલિત છે..
આ લેખ માં બાબાસાહેબ એ વિશ્વ ના ચાર પ્રચલિત ધર્મ બૌદ્ધ, ઈસાઈ, ઇસ્લામ અને હિન્દૂ ની તુલના કરી છે.. અને આ ચારેય ધર્મ ને વિવિધ કસોટીઓ પર તપાસ્યા છે.. અને આમાં બૌદ્ધ ધમમ એમની કસોટી પર ખરો ઉતર્યો હતો..
  • બુદ્ધ ના માનવીય રૂપ થી બાબાસાહેબ આકર્ષિત થયા હતા.. જ્યારે અન્ય ધર્મ ના સંસ્થાપકો એ પોતે ઈશ્વર, ઈશ્વર ના દૂત કે ઈશ્વર ના સંતાન હોવાની વાત કરી છે, ત્યારે બુદ્ધ એ પોતાને ફક્ત સામાન્ય માણસ ગણાવ્યા છે..
  • બુદ્ધ એ ક્યારેય મુક્તિદાતા હોવાનો દાવો નથી કર્યો.. બુદ્ધ કહે છે કે, હું મુક્તિદાતા નહીં ફક્ત માર્ગદાતા જ છું.. હું ફક્ત રસ્તો બતાવી શકું છું, પરંતુ એના પર ચાલવાનું તો તમારે પોતે જ છે.. બુદ્ધ એ પોતાના ધમમ માં એક મનુષ્ય તરીકે મુક્તિદાતા અને માર્ગદાતા નો ભેદ સ્પષ્ટ કરી ને એક માનવ ધર્મ આપ્યો..
  • બુદ્ધ નો ધમમ તર્ક અને અનુભવ પર આધારિત છે, નહીં કે વિશ્વાસ અને શ્રદ્ધા પર!! ગૌતમ બુદ્ધ એ કહ્યું છે કે, તમે કોઈ પણ વાત ને એટલા માટે ના માનશો કે એ કોઈ સાધુ, સંત કે મહાપુરુષ એ કહેલી છે.. એ વાત ને પોતાની બુદ્ધિ અને તર્ક ની કસોટી પર ચકાસો અને યોગ્ય લાગે તો જ માનો.. આમ બુદ્ધ એ પોતાના અનુયાયીઓ ને પ્રશ્ન કરવાની છૂટ આપી છે.. વધારામાં પોતાના પરિનિર્વાણ સમયે પોતાના અનુયાયીઓ ને બુદ્ધ એ કહ્યું હતું કે, "વિશેષ સમય અને સ્થિતિ પ્રમાણે જો એમની શિક્ષાઓ સટીક માલુમ ના થાય તો તેઓ તેમાં સુધાર કરી શકે છે અને અમુક વાતો ત્યાગી પણ શકે છે.."
  • બુદ્ધ ના ધમમ માં સુધાર, સંશોધન અને વિકાસ ની સંભાવના છે.. બાબાસાહેબ આંબેડકર લખે છે કે બુદ્ધ ઇચ્છતા હતા કે, ભૂતકાળના મૃતદેહો તેમના ધમમ ઉપર બોજ ન બનવા જોઈએ. તેમનો ધર્મ સદાબહાર અને સર્વકાળ માટે ઉપયોગી બને.આ જ કારણ હતું કે તેમણે જરૂરિયાત વખતે તેમના અનુયાયીઓને ધમમ ને સંવારવાની અને સુધારવાની સ્વતંત્રતા આપી. તે લખે છે કે 'બીજા કોઈ ઉપદેશકે આમ કરવાની હિંમત દર્શાવી નથી.'
વિશેષ માં બાબાસાહેબ એ બુદ્ધ ની એ શિક્ષા તરફ પણ ધ્યાન દોર્યું કે, બુદ્ધ એ ફક્ત અહિંસા ની શિક્ષા નથી આપી.. બુદ્ધ એ સમાનતા ની શિક્ષા પણ આપી છે; ફક્ત પુરુષ-પુરુષ વચ્ચે જ નહીં પણ સ્ત્રી-પુરુષ વચ્ચે ની સમાનતા પણ..
એક તરફ જ્યાં હિન્દૂ ધર્મ માં શુદ્ર અને સ્ત્રીઓ ને ફક્ત દાસ ગણવામાં આવ્યા હતા, તમને ઉપદેશ દેવાનો કે સન્યાસી થવાનો અધિકાર નહોતો; બુદ્ધ એ પોતાના ભીખ્ખુ સંઘ માં શુદ્રો ને પણ સામેલ કર્યા તેમજ સ્ત્રીઓ ને પણ ભિક્ષુણી બનવાના અધિકાર આપ્યા.. આમ બુદ્ધ સમાનતા ના સમર્થક હતા, અને બાબાસાહેબ ની દ્રષ્ટિ માં સમાનતા એ કોઈ પણ ધર્મ નું મહત્વ નું અંગ હોવું જોઈતું હતું..

'બુદ્ધ અને તેમના ધમમ નું ભવિષ્ય' શીર્ષકના લેખમાં, બાબાસાહેબ ડો આંબેડકર કહે છે કે ધર્મને વિજ્ઞાન અને તર્કની કસોટી પર ખરું ઉતરવું જોઈએ. તેઓ લખે છે કે 'જો ધર્મ એ ખરેખર કામ કરવું હોય તો તે બુદ્ધિ અથવા તર્ક પર આધારિત હોવું જોઈએ, જેનું બીજું નામ વિજ્ઞાન છે.' તેમાં ફક્ત નૈતિકતા હોવી પૂરતું નથી. તે નૈતિકતાએ જીવનના મૂળભૂત સિદ્ધાંતો - સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારોનું પાલન કરવું જોઈએ.'
બાબાસાહેબ આંબેડકરે ૧૯૩૫ ની યેવલા પરિષદ માં પોતાનો હિન્દુ ધર્મ છોડવાની જાહેરાત કરી, પરંતુ તેમણે 1956 માં ધર્મ પરિવર્તન કર્યું. આ દરમિયાન, તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમના પોતાના અનુસાર શ્રેષ્ઠ ધર્મની પસંદગી કરી; સાથે સાથે જ અલગ અલગ સમુદાય ના લોકો વચ્ચે જઈ સભાઓ કરી આ ઐતિહાસિક ઘટના માટે ની પૃષ્ઠભૂમિ તૈયાર કરી. સારા અને કલ્યાણકારી ધર્મની તેમની શોધ તેમને બૌદ્ધ ધમ્મ તરફ દોરી ગઈ. તેથી તેમણે તેમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધમ્મ અપનાવી લીધો. એક રીતે આ ધર્મપરિવર્તન નહીં પણ, બહુજનો ની પોતાના મૂળ ધર્મ માં ઘર વાપસી હતી..
"આ કોઈ ઘટના કે અત્યાચાર ના લીધે કરેલું ધર્મપરિવર્તન નહીં પણ, વૈચારધારા આધારિત પરિવર્તન હતું.. અને વિચારધારા ના આધાર પર થતા આંદોલનો લાંબો સમય, કઠિન પરિશ્રમ અને ત્યાગ માંગી લે છે.."

- કુંદન

July 30, 2019

દુ:ખ વિશેના લોકોમાં બે જુઠ્ઠા અને ભ્રામક વિચારો

By Vijay Makwana  || 26 July 2019




(૧) સમય મોટામાં મોટા દુ:ખનો ઇલાજ છે.

પણ ખરેખર થાય છે એવું કે, દુ:ખ આપવાવાળી ઘટના અને તેની સ્મૃતિઓથી ઘેરાયેલાં તમારા મન ઉપર કેટલાંય નવા વિચારો અને નવી સ્મૃતિઓની ચાદર ચડી જાય છે. પરંતુ દુ:ખ તો ત્યાંનું ત્યાં જ મૌજૂદ હોય છે. આરામથી તે જે જગાએ છે ત્યાં બેઠું હોય છે. સમય વિતતો રહે છે તેની સાથે તમારા અવચેતન મનનો તે હિસ્સો બની જાય છે. અને ત્યારબાદ તે અઘટિત અભિવ્યક્તિ અથવા વિકૃત અભિવ્યક્તિના સ્વરુપે તમારામાંથી બહાર નિકળે છે.

(૨) બીજો જુઠ્ઠો અને ભ્રામક વિચાર એ છે કે, દુ:ખ વહેંચવાથી ઓછું થાય છે.

વાસ્તવમાં એ હકિકત ખરી નથી. બે-ચાર, કે દસ-બાર દુ:ખી લોકો સાથે મળીને કોઇ એકને સુખી નથી બનાવી શકતાં. ત્યાં માત્ર દુ:ખને ખંજોળવામાં આવે છે. દુ:ખને વલુરવામાં આવે છે અને દુ:ખ હોય છે તેના કરતાં વધું ફેલાઇ જાય છે. દુ:ખ વહેંચવાથી ઓછું થયું તેવો ભ્રમ પેદા થાય છે. દુ:ખ વહેંચવાની આ આદત ચાલું રહે તો આગળ જતાં તે પોતાની જાત પ્રત્યે દયા મેળવવાની વૃતિ એટલે કે, આત્મદયાની વૃતિ માણસમાં બળવતર બનશે.

તેથી જ તથાગત બુદ્ધે કહ્યું છે. દુ:ખનું કારણ હોય છે. તે સમજવું ખૂબ જરુરી છે...પછી કારણ ખતમ કરો તો તે દુ:ખ પણ ખતમ..

July 31, 2018

नमो बुध्धाय कि बजाय पढो बुध्धाय

By Jigar Shyamlan ||  Written on 30 April 2018


आप स्वयं को लडने का प्रयास करना ही होगा, बुद्ध तो सिर्फ रास्ता ही बताएगें।

बुद्घम् शरणम् गच्छामिधम्मम् शरणम् गच्छामिसंघम् शरणम् गच्छामि


  • बुद्घम् शरणम् गच्छामिमतलब एकदम ही साफ है। किसी ने कहा, किसी ने लिखा, किसी ने कर दीया उसे ही सही मत मानो। खुद तर्क करो, खुद अपनी सोच का दायरा बढाओ। किसी भी चीज को जानो फिर मानो। अपने बुध्धि एवम तर्क से किसी चीज को समझने योग्य बनने की प्रक्रीया ही बुध्ध है।
    यही है बुध्ध की शरण में जाना।
  • धम्मम् शरणम् गच्छामिधम्म का मतलब ही नैतिकता है। यदी हम नैतिकता पर ही चल रहे है तो हमे किसी भी बाहरी तत्व से सहायता की कोई जरूरत ही नही। क्योकि नैतिकता ही धम्म है और धम्म ही नैतिकता।
    यही है धम्म की शरण में जाना।
  • संघम् शरणम् गच्छामिसंघ मतलब समूह ऐकता। हम तब तक बलशाली और प्रभावीत रहे सकते है जब तक साथ है। अकेली लकडी में कोई बल या शक्ति नही होती। कोई भी उसे जरा से भी बल से तोड देगा। लेकिन यदी सारी लकडीयां ईकठ्ठी हो जाए तो मजबुत बन जाती है फिर ईतनी बलशाली हो जाती है कि कोई भी उसे तोड नही पाएगा। 
    यही है संध की शरण में जाना।


यदी आप बगैर संशय किसी चीज को नही मानते। आप विचारशील है, तर्कशील है और नैतिकता को सही मायने में चरीतार्थ कर रहे है तो आप बुध्ध ही है।
यदी जय भीम का नारा हमें संधर्ष करने की शक्ति देता है तो नमो बुध्धाय का नारा हमे उस शक्ति को सही दिशा में ले जाने का ज्ञान देता है।
वैसे तो मैं नमो बुध्धाय कि बजाय पढो बुध्धाय ही कहना चाहुंगा।
जय भीम
पढो बुध्धाय

FB Post :-

July 11, 2018

કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.

By Jigar Shyamlan ||  Written on 25 March 2017


કાં તો તુ બુધ્ધુ બનીશું કાં તો બનીશ બુધ્ધ

મંદિર મસ્જિદોના ઝગડા જોયા સગી આંખે.
કોણ કોને સમજાવે ને કોના હાથ પકડી રાખે
આ બધા મુદ્દાઓથી તુ કેમ બન્યો અમૂઢ
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.

અહીં કોણ કોને ઉગારશે ને કોણ કોને તારે?
એ સમજવા માટે જોઈયે બુધ્ધિ સાવ લગારે.
આ તો સાવ અમથે અમથુ ખોટે ખોટું યુધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

પુજા પાઠને બંદગીઓમાં જીંદગી તે વેંઢારી.
વિસરી ગયો એમાં પળો માણસાઈની પ્યારી.
ક્યાં ગયું ભણતર તારૂ ક્યાં ગયુ બુધસુધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

શિક્ષા મેળવી તો પણ ન સમજી શક્યો વાત.
તર્ક અને દલિલોથી કરી દે અસત્યને પરાસ્ત.
માનવતા જ પૃથ્વિના સર્વ સુખનું રહસ્ય ગૂઢ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

હોત ખરેખર ઈશ્વર અલ્લાહ તો હોત અધર્મ?
ઈશ્વર અલ્લાહથીય મોટુ તો માણસનું કર્મ.
જરૂર નથી કોઈનીય જો કરે આચરણ શુધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

જો જીવવું હોય મસ્તીથી તો વાત રાખજે યાદ.
માણસ બનજે ને માણસની સાંભળજે ફરિયાદ.
ભુખથી ભુલકાં ઝુરે ને તુ પથ્થર પર રેડે દૂધ
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

એક તરફ મજારો પર લાખો ચાદર ચઢાવાય.
ને બહાર ગરીબ ફકીર ટાઢે ધ્રુજી મરી જાય.
મંદિર મસ્જિદોને ક્યાં સુધી કરીશ સમૃધ્ધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

શિક્ષણ પામ્યો છે તો જરીક બુધ્ધિ તો લગાવ.
દરિયો ખેડવા ચાલ્યો તુ લઈ સઢ વિનાની નાવ.
ક્યાં સુધી બેસી રહીશ બનીને સાવ અબુધ.
કાં તો તુ બુધ્ધુ બનીશ કાં તો બનીશ બુધ્ધ.....

-જિગર શ્યામલન


Facebook Post :

ડૉ ભીમરાવ આંબેડકર ના જીવન મા ગૌતમ બુદ્ધ ના વિચારો નો પ્રવેશ

By Vishal Sonara || Written on 06 July 2018


બાબા સાહેબ આંબેડકર ના પિતાશ્રી રામજી માલોજી સકપાલ એક આર્મી ઓફીસર હતા. તેઓ કબીર પંથી હતા તથા ખુબ જ ધાર્મિક વૃત્તી ધરાવનાર વ્યક્તિ હતા. આર્મી ની ટ્રેનિંગ ને કારણે તેઓએ પોતાના સંતાનો ને પણ એ જ પ્રમાણે શિસ્ત થી ઉછેર્યા હતા. ડૉ આંબેડકર જ્યારથી સમજણા થયા ત્યાર થી તેઓ ને પોતાના પીતાશ્રી સાથે ધર્મ અંગે ધણી ચર્ચાઓ થતી રહેતી. આંબેડકર ના દાદા એટલે કે રામજી માલોજી સકપાલ ના પિતાશ્રી રામાનંદી સંપ્રદાય મા માનતા હતા અને આંબેડકર ના પિતા કબીર પંથી હતા. સામાન્ય ભારતીય કુટુંબો મા જે પ્રમાણે બાપ દાદા જે ધાર્મિક માન્યતા ધરાવતા હોય એવી જ માનસીકતા કેળવાતી હોય છે પરંતુ એ પ્રકારની મનોવૃત્તિ મોટા ભાગના બહુજન પરીવારો મા નથી હોતી તેઓ ખુદને જે શ્રેષ્ઠ લાગે તે જ પંથ કે ધાર્મિક માન્યતા પર ચાલે એનુ આ શ્રેષ્ટ ઉદાહરણ છે. આંબેડકર ના પિતાશ્રી ને કબીરપંથ મા વિશ્વાસ હોવાથી તેઓ એ પોતાના પિતાશ્રી ના જેમ રામાનંદી પંથ પર જ ન જતા પોતે કબીરપંથ પસંદ કર્યો.

ભીમરાવને પોતાના પિતાજી સાથે હંમેશા તેમની અમુક ધાર્મિક પ્રવૃત્તિઓ ને લઈ ને વાંધો રહેતો. જેમ કે કબીરે મુર્તિપુજા નો સખત વિરોધ કરેલો અને મોટા ભાગના સાચા કબીરપંથીઓ પણ મુર્તિપુજા મા નથી માનતા હોતા. આંબેડકરના પિતાજી પણ નહોતા માનતા પરંતુ પોતાના બાળકો અને પરીવાર ની ખુશી માટે ગણપતિ પુજા કરતા અને ઉજવણી કરતા, જે આંબેડકર ને પસંદ નહોતુ. તદુપરાંત રામજી માલોજી સકપાલ કબીર પંથ ના પુસ્તકો તો વાંચતા તેમજ વંચાવતા જ પરંતુ રોજ રાત્રે સુતા પહેલા રામાયણ અને મહાભારત માથી અમુક અંશ ને ઘર ના અન્ય સભ્યો સાંભળે તે રીતે ભીમરાવ અને એમના ભાઈ પાસે મોટે મોટે થી વંચાવતા. આ પ્રકારની ધાર્મિકતા આંબેડકર ને પસંદ નહોતી તેમ છતા પોતાના પિતાશ્રી નુ મન રાખવા માટે વર્ષો સુધી આ પ્રથા ચાલુ હતી.

1907 મા સોળ વર્ષ ની ઉમરે જ્યારે ભીમરાવે મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી. (1901 માં બાબા સાહેબ નો પરીવાર સતારાથી મુંબઈ સ્થળાંતરીત થયેલો) એ પરીક્ષા મા એમવો નો સામાન્ય દેખાવ રહેલો તથા મુખ્ય ભાષા તરીકે પર્શીયન ભાષા હતી. (બાબા સાહેબ સંસ્કૃત ભાષા રાખવા માંગતા હતા પરંતુ એ વખત ના જાતિવાદી તત્વો એ બ્રાહ્મણ સીવાય ના લોકો અને એમા પણ અછુત ને તો ક્યારેય સંસ્કૃત સીખવવા તૈયાર નહોતા) મેટ્રીક્યુલેશન પાસ થવાના કારણે ભીમરાવ ને બોમ્બે યુનિવર્સિટી સંલગ્ન કોઈ કોલેજ મા એડમીશન મળવા પાત્ર હતું. સમાજ ના લોકો એ ભીમરાવનુ સમ્માન કરવા માટે એક સમારંભ યોજવાનુ વિચાર્યું. અન્ય સમાજ ની સરખામણી મા મેટ્રીક્યુલેશન ની પરીક્ષા પાસ કરવી એ કોઈ મોટા બહુમાન ની વાત નહોતી. તેમછતાં અછુત સમાજ માંથી પ્રથમ વિદ્યાર્થી આ લેવલ સુધી પહોચ્યો હોવાના કારણે સમાજ ના લોકો ઉત્સાહિત હતા. સમાજ ના પ્રતિનિધિઓ બાબા સાહેબ ના પિતાશ્રી પાસે ગયા અને આ પ્રકાર ની વાત કરી પરંતુ બાબા સાહેબ ના પિતાજી એ એમ કહી ને ના કહી દિધી કે આ એવી કોઇ મહાન સિધ્ધી નથી કે એની ઉજવણી થવી જોઇએ અને આમ પણ આવુ કરવા થી છોકરો ફુલાઈ જશે અને એના મગજમાં રાઈ ભરાઈ જશે. આવુ સાંભળીને નીરાશ થઈ ગયેલા સમાજ ના પ્રતિનીધીઓ રામજી માલોજી સકપાલ પરીવાર ના પારિવારીક મીત્ર અને મરાઠા સમાજ ના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ક્રિષ્ણરાવ અર્જુન કેલુસ્કર કે જેને દાદા કેલુસ્કર તરીકે પણ ઓળખવામા આવે છે, એમની પાસે ગયા. દાદા કેલુસ્કર વિલ્સન હાઈસ્કુલ ના પ્રિન્સીપાલ હતા અને ભૂતકાળમાં પણ એમણે ભીમરાવ ને ચર્ની રોડ ગાર્ડન મા પુસ્તક વાંચતા જોયેલા ત્યારે એમણે તપાસ કરતા જાણ થઈ કે શાળા મા તથાકથીત ઉચી જાતિના આવારા છોકરાઓની ગુંડાગર્દી થી ત્રાસી ને ભીમરાવ આ રીતે બગીચામા બેસી ને પોતાનો અભ્યાસ કરતા હતા. ત્યાર થી જ બાબા સાહેબ પર દાદા કેલુસ્કર ને અપાર લાગણી હતી. મહાર પ્રતિનીધીઓ ની વાત સાંભળી ને એમણે ભીમરાવ ના પિતાશ્રી ને મળ્યા અને ભીમરાવ ની સમ્માન સભા માટે મનાવી લીધા.

સમ્માન સમારોહ ના અંત મા દાદા કેલુસ્કરે બાબા સાહેબ ને એમણે ખુદ લખેલું પુસ્તક બુદ્ધ ચરીત્ર (મરાઠી મા ગૌતમ બુદ્ધાંચે ચરીત્ર) ભેટ મા આપ્યું. ભીમરાવ પોતાને મળેલી આ ભેટ થી બેહદ ખુશ હતા. તેમણે ખુબ જ રસપુર્વક એ પુસ્તક વાંચ્યું. બુદ્ધ અને તેમના વિચારથી ભીમરાવ ખુબ જ પ્રભાવિત થયા. એ પુસ્તક વાંચી ને ભીમરાવ વિચારતા હતા કે અત્યાર સુધી એમના પિતાજીએ એમને અન્યોને બુદ્ધ અને તેમના વિચારો થી કેમ પરિચિત ન કરાવ્યા, કેમ એમને બૌદ્ધ સાહિત્યથી દુર રાખવામા આવ્યા?? ખુબ જ મનોમંથન ના અંતે એમણે પોતાના પિતાજી સાથે આ બાબત પર ચર્ચા કરવાનુ નક્કી કર્યુ. તેમણે સીધા પોતાના પિતાજી પાસે જઈ ને પુછી લીધુ કે કેમ તમે અમારા પાસે રામાયણ અને મહાભારત જેવા બ્રાહ્મણો અને ક્ષત્રીયો ને જ ગૌરવાન્વીત કરતા તેમજ પછાત જાતિઓ (શુદ્રો) અને અછુતો ના અધઃપતન દર્શાવતા ગ્રંથો જ વંચાવવાનો આગ્રહ રાખ્યો. ભીમરાવ ના પિતાશ્રી ને આ સવાલ ન ગમ્યો. તેમણે ભીમરાવ ને એમ કહી ને વાત ટાળી દિધી કે , "આ બધી ચર્ચા કરવાની તારી ઉંમર નથી. તને જે કહેવામા આવે છે એ કર." તેમ છતા સવાલ કરવાથી થાકે તો ભીમરાવ શાના? તેમણે થોડા દિવસો બાદ ફરી આ જ વાત નીકાળી અને એ જ સવાલ કર્યો. આ વખતે તેમના પિતા પણ તૈયારી મા જ હતા. તેમણે તરત જ જવાબ આપ્યો, "હું તમને લોકો ને રામાયણ અને મહાભારત વાંચવા માટે પ્રેરીત કરું છું કારણ કે આપણે લોકો અછૂત સમાજ માંથી આવીએ છીએ, અને તેના કારણે લઘુતાગ્રંથી થી પીડાવુ એ આ સમાજ મા સામાન્ય બાબત છે. રામાયણ અને મહાભારત વાંચવાના કારણે આ લઘુતાગ્રંથી દુર થઈ શકે છે. જેમ કે દ્રોણ અને કર્ણ નાના માણસો હતા તેમ છતા તેઓએ આટલી ખ્યાતી પ્રાપ્ત કરી, વાલ્મીકી કે જે કોલી જાતિના અછૂત હોવા છતા રામાયણ ની રચના કરી. આટલા માટે જ હુ રામાયણ તથા મહાભારત વાંચવા માટે જણાવુ છુ."

ભીમરાવ ને એમના પિતાજી નો આ ખુલાસો સંતોષકારક ન લાગ્યો. ભીમરાવ ને મહાભારત ના એક પણ પાત્ર પસંદ નહોતા. તેમણે પણ પોતાના પિતાજી ને જવાબ આપ્યો કે , "મને ભીષ્મ અને દ્રોણ પસંદ નથી તેમજ કૃષ્ણ પણ. ભીષ્મ અને દ્રોણ દંભી લોકો હતા. તેઓ કહે કંઈ અલગ કરે કંઈ અલગ. કૃષ્ણ કપટી હતા. તમની કથા છળ કપટની હારમાળા થી વિશેષ કંઈ નથી. રામ પર પણ મને એક સમાન અણગમો છે. શૂર્પણખા અને વાલી-સુગ્રીવ ના બનાવ પર તેમની હરકતો તપાસો તેમ જ સીતા સાથે કરેલો ધ્રુણાસ્પદ વ્યવહાર તપાસીએ તો ખ્યાલ આવે."

આ સાંભળી ને ભીમરાવ ના પીતાજી કશુ ન બોલ્યા. તેઓ સમજી ગયા હતા કે આ વિદ્રોહ ની શરુઆત છે....!!!!

આ રીતે દાદા કેલુસ્કર દ્વારા આપવામા આવેલા પુસ્તક ના કારણે બાબા સાહેબ પોતાના જીવન ના શરુઆતના દિવસો મા જ બુદ્ધ અને તેમના વિચારોથી પરિચિત બન્યા હતા તેઓ નાની ઉમર થી બુદ્ધ અને તેને લગતુ સાહિત્ય વાંચતા રહેતા અને અન્ય ફિલોસોફી અને ધર્મ સાથે સરખાવતા રહેતા. ત્યારબાદ ગૌતમ બુદ્ધ અને તેમના વિચારો બાબા સાહેબ ના જીવન સાથે મૃત્યુ સુધી જોડાયેલા જ રહ્યા. અંતે તેમણે પોતાના લોકો ની વૈચારીક અને સામાજીક ઉન્નતી માટે બુદ્ધ નો ધમ્મ અપનાવી ને એક દિશાસૂચન કરતા ગયા. અને આગળ ની જવાબદારી બાબાસાહેબ બહુજન સમાજ ના લોકો પર છોડતા ગયા છે. સામાજિક જાગૃતી ના આ યુગમાં આપણે એક તકેદારી તો ચોક્કસપણે રાખવી જ પડશે કે આપણા સંતાનો પણ મોટા થઈને જાતે જ બાબા સાહેબ અને બુદ્ધ ના વિચારો જાણતા થાય અને પછી બાબા સાહેબ જેમ આપણને પ્રશ્ન ન કરે કે, "કેમ આટલા વર્ષો થી અમને આંબેડકર અને બુદ્ધ ના વિચારો થી અળગા રાખવામા આવેલા છે...????" 

Facebook Post :

February 24, 2018

कही कोई ईश्वर नही है....

By Jigar Shyamlan ||  21 January 2018




दुनिया में सब से पहले ईश्वरीय शक्ति और प्रभाव एवम जन्म पुनँजन्म को नकारनेवाले बुध्ध थे।
आप बुध्ध को नास्तिक बोल सकते हो। बुध्धने ही कहा था "कही कोई ईश्वर नही है, उसको खोजने में अपना वक्त बबाँद मत करना।"
लेकिन बुध्ध की विचारधारा में ईतनी मिलावट कर दी गई।
ईस मिलावट के कारण जिस बुध्धने हिन्दु धमँ की बुराई और अंधश्रध्धा के माहौल से बचाने के लीये एक नया मागँ दीया वह बुध्ध धम्म ही हिन्दु धमँ का एक अंग माने जाना लगा। जिस बुध्धने ईश्वर और अवतारवाद को नकारा था उस ही बुध्ध को विष्णु का अवतार घोषित किया गया।
बुध्ध के विचारो का विभाजन करके कुछ गूट बनाये गये।
हमारे आज के युवा सिफँ ऐनहीलेशन ओफ कास्ट या रीडल्ज ओफ हिन्दुईजम पढकर ही खुद को आंबेडकरवादी समझ रहे है। लेकिन उन मे से किसी ने भी बुध्धा ऐन्ड हीज धम्मा पुस्तक को शायद नही पढी होगी।

बाबा साहब ने बौध्ध धमँ के बारे में सबसे विश्वसनिय और एकदम सटिक बाते बुध्धा ऐन्ड हीज धम्मा में लीखी है।
हम सब को बाबा साहब आंबेडकर पसंद है पर सिफँ 
मनुस्मृति जलानेवाले..,
हिन्दु धमँ के खिलाफ आक्रोश दिखानेवाले..,
हिन्दु देव देवीओ पर सवाल उठानेवाले ..,
पर हमे बोधिसत्व, राजनेता, अथँशास्त्री बाबा साहब और उनको पढना रास नही आ रहा।

पहले आंबेडकर को पढीए फिर बुध्धा एन्ड हिज धम्मा पढीए...

December 05, 2017

समझदारी बढाने के लिये सबसे सरल पध्धति

By Jigar Shyamlan ||  1 December 2017 at 10:02


समझदारी बढाने के लिये सबसे सरल पध्धति है तर्क करना, सवाल करना और उसका जवाब ढुंढना। 

हर धर्म, मजहब और संप्रदायो में बताई गई ईश्वरीय मान्यता और उससे जूडे भिन्न भिन्न प्रकार के क्रियाकांड महज एक नशीली दवा के हेवी डोझ से अलावा और कुछ नही। यह दवा का हेवी डोझ देने के पीछे एक ही उद्देश है, मानव को सदा ही धर्म और ईश्वरीय मान्यताओ के नशे में मस्त बनाये रखना।
यह दवा का डोझ क्लोरोफोर्म से भी महा भयंकर है, क्योकि क्लोरोफोर्म ईन्सान का होश उडा देता है पर कुछ ही समय के लिये। लेकिन यह ईश्वरीय मान्यता का डोझ ईन्सान को मरते दम तक होश में नही आने देता।
कहा जाता है, शारीरीक गुलामी से भी बदत्तर हालत हो तो वह है मानसीक गुलामी।
क्योकि, शारीरीक गुलामी में सिफँ हमारे शरीर, हाथ-पैर और शारीरीक ताकत पर कीसी और का प्रत्यक्ष या सीधा कब्जा बना रहता है, परंतु मानसीक गुलामी में हमारे दीमाग, विचारो पर किसी और का परोक्ष या अप्रत्यक्ष कब्जा बना होता है।
मानसीक गुलामी मतलब शारीरीक तौर पर ताकतवर होते हुये भी कुछ भी नही कर सके वैसी लाचार एवम दीन अवस्था। ईसलिये यदी आप मानसीक तौर पर आझाद नही है तो आप आझाद होते हुए भी गुलाम ही है। क्योकि मानसीकता पर विजय मतलब सवँस्व विजय।
ईस अवस्था ने ईन्सान को ईतना कमजोर बना दीया है, ईतना कमजोर कि वह सवाल करने की, तर्क करने की क्षमता गंवा चूका है।
जब आप तर्क करना या सवाल पूछना बंध कर देते है तब आप ईन्सान नही रहते बल्कि एक रोबोट बन जाते है। एक ऐसा रोबोट जो अपने अंदर दूसरो के द्वारा ईन्स्टोल किये गये प्रोग्रामींग पर चलता हो।
हर धर्म, मजहब और उसकी ईश्वरीय धारणा पर आस्था, श्रध्धा, यकीन, विश्वास या भरोसा करने से पहले शंका या संशय अवश्य करे।
कारण, ईन सब का सृजँन समाज पर प्रभुत्व कायम करने को ईच्छूक कुछ लोगो द्वारा किया गया है, ता कि समाज को मानसीक गुलाम बनाया जा सके। हर बात पर तर्क करना सीखे, शंका या संशय करना सीखे। हर बात को बिना किसी परीक्षण के आधार पर मान लेने की गलती न करे।
यदी मंदीर में जाये तो दोनो हाथ जोडने मे पहले।
यदी मस्जिद में जाये तो नमाझ अदा करने से पहले।
यदी चचँ में जाये तो प्रैयर करने से पहले।
यह सब क्यो..? किस लिये.. ? यह सवाल अपने आप से पुछीये।
यह सब करने से सुख, समृध्धि आती तो समूचे संसार में कोई भी दूःखी नही होता।
मेरे पिता यह करते थे, दादा-परदादा भी यह सब करते थे ईसलिये मुझे भी यह करना है यह मानसीकता त्याग दो।
समझदारी बढाने के लिये सबसे सरल पध्धति है तर्क करना, सवाल करना और उसका जवाब ढुंढना।
ईसलिये तर्क करे.., सवाल करे और जवाब ढुंढे।
- जिगर श्यामलन

September 30, 2017

धम्म चक्र परिवर्तन दिन 14 अक्टूबर को ही है, दशहरा से हमे क्या मतलब???

By Vishal Sonara || 30 Sep 2017 


डॉ भीमराव आंबेडकर ने 14 अक्टूबर 1956 को बौद्ध धम्म का स्वीकार किया था. हमारा धम्म चक्र परिवर्तन दिन भी वो ही दिन है. अभी दशेरा पर जो लोग गलती से घम्म चक्र परीवर्तन दिन को मना रहे है वह गलती कर रहे है और इस बात को सम्राट अशोक से जोड रहे है. सम्राट अशोक ने कब क्या किया उस का कोइ औथेंटीक रेकोर्ड अवेलेबल नही है. आंबेडकर साहब का है. तो हमे ज्यादा जोर कीस दिन पर देना है वह बताने की बात नही है. 
1956 मे बाबा साहब कि मृत्यु हुई , वह 1950 से बुद्ध जयंती मनाते आये है. कभी भी उन्होने अशोक विजया दशमी का जीक्र नही कीया है. ना ही अपने धर्म परीवर्तन के वख्त किया है. उन्होने बहोत सी किताबे लीखी , बहोत भाषण दीये अशोक विजयादशमी का जिक्र तक नही है. 

23 सीतंबर 1956 को प्रेस ट्रस्ट ओफ ईंडीया को दिए एक ईंटर्व्यु मे आंबेडकर साहब ने बताया था की 14 अक्टूबर 1956 को रविवार और दशेरा के दिन वह धर्म परीवर्तन करने वाले है. उन्होने अशोक विजया दशमी नही बोला और नाही कभी कहा. 15 अक्टुबर के दो कलाक के भाषण मे भी ऐसा कोइ जीक्र तक नही है. जो व्यक्ती इस देश के इतिहास का इतना अभ्यासु रहा है उस से ये बात  छुट नही शकती ये बात ध्यान मे रहे. 

पहले आंबेड्कर साहब को बुद्ध जयंती पर ही हिंदू धर्म को छोडना था पर जो लगभग हर साल (1956) मे महीने मे आता है. पर कुछ संजोगो के कारण वह उस दिन ना कर सके थे. बाद मे हमारे ज्यादा लोगो को अपना काम धंधा छोड्कर नागपुर जाने मे बहोत कम दिक्कत हो और ज्यादा आर्थीक नुकसान ना हो इस कारण रविवार को पसंद किया गया. और ये एक संजोग ही हो सकता है कि उस दीन दशेरा भी था. 

आंबेडकर साहब ने अपने भाषणो और लेखो मे भी नागपुर को क्यो पसंद किया उस पर स्पष्टता की है पर इस दिवस को पसंद करने पर ऐसा कभी नही कहा कि ये अशोक विजया दशमी है उस के कारण इस दिन को पसंद किया गया है. 

तिसरे दिन 16 अक्टूबर 1956 मे भी उन्होने इसी प्रकार के एक कार्यक्रम मे हिस्सा लीया और भाषण भी दिया पर वहा पर भी उन्होने ऐसा कोइ जीक्र तक नही किया. 

26/27 अक्टूबर 1956 को प्रबुद्ध भारत समाचार पत्र मे  14 अक्टूबर 1956 के दिक्षा कार्यक्रम का विशेषांक प्रसिद्ध किया गया उस अंक मे कार्यक्रम का विस्तार से वर्णन किया गया और फोटोग्राफ्स , मीनट टु मीनट का घटनाक्रम प्राप्त है उस मे भी अशोक विजयादशमी से संबंधीत कोइ भी सुचना मीलती नही है. 

दिक्षा लेने के बाद आंबेडकर 52 दिनो तक जिवित थे. इन दिनो के दौरान भी एक बार भी इन्होने ये कहा या लीखा नही है. 

ब्राह्मणीकल केलेंडर के अनुसार दशेरा और आंबेडकर का धम्म चक्र परिवर्तन दिन दोनो अलग अलग दिन पर आता है. हमे उन के केलेंडर को फोलो करने कि जरुरत क्या है ये समज मे नही आ रहा है. बाबा साहब हमे ब्राह्मणीकल हथकंडो से छुडाना चाहते थे और हम उन्ही मे उलझे हुए है. 

आंबेडकर ने लिखे ग्रंथ बुद्ध और उनका धम्म मे उन्होने प्रस्तावना मे हि लिखा है कि बुद्ध धम्म पर क्लीयर और कंसीस्टंट स्टेट्मेंट के लिये उन्होने ये ग्रंथ लीखा है. उन का लिखा हम पढते नहि है और प्रवर्तमान कथा वार्ता के सहारे लोगो मे जागृती लाने मे हमारा समय और बुद्धीमत्ता वेस्ट कर रहे है. 

सम्राट अशोक से कोइ अपत्ती नही है पर उन का इतिहास एक अलग ही परीकल्पना है. उस का सहि आकलन किसी ग्रंथ मे नही है. हम अपने महापुरुषो के कार्य को जानने और सहि परीकल्पित करने के बजाय ऐसी बातो को ले कर बैठ जाते है जिसका भीमराव आंबेडकर के आंदोलन और जीवन के परीपेक्ष मे कोइ महत्व नही होता. 

( Send me Your Thoughts via Twitter @TheVishalSonara )









August 14, 2017

"भगवान" का बुद्ध के संदर्भ मे अर्थ

By Sanjay Patel Bauddha || 11 August 2017 at 23:19


कई लोगों का प्रश्न है कि सभी बौद्ध लोग भगवान या ईश्वर को नहीं मानते तो फिर बुद्ध को भगवान क्यों कहते है ?

सबसे पहले भगवान शब्द का प्रयोग ही बुद्ध के लिए हुआ था, बुद्ध की फिलोसोफी को काउंटर करने के लिए बुद्धिज़्म के कई सारे शब्द हिन्दू शास्त्रों में प्रयोग किये गए और आज लोग यह समझ रहे है कि यह शब्द तो हिन्दू का है लेकिन वास्तव में बुद्धिज़्म में उसका अर्थ अलग है ।
आइए भगवान का बुद्ध के लिए क्या अर्थ है वह समझते है ...

पालि का भगवान अथवा भगवतं दो शब्दों से बना है – भग + वान,
पालि में भग मायने होता है – भंग करना , तोडना , भाग करना उपलब्धि को बांटना आदि और वान्‌ का अर्थ है धारण्कर्ता , तृष्णा आदि । यानि जिसने तृष्णाओं को भंग कर दिया हो वह भगवान्‌।

पालि ग्रंथों मे बुद्ध के लिये प्रयुक्त भगवान्‌ अथवा भगवा शब्द को परिभाषित करने के बहुत से उदाहरण है :

‘भग्गरागोति भगवा ’ : जिसने राग भग्न किया कर लिया वह भगवान

‘भग्ग्दोसोति भगवा ’ : जिसने द्धेष भग्न किया हो वह भगवान

‘भग्गमोहोति भगवा , भग्गमानोति भगवा , भग्ग किलेसोति भगवा , भवानं अंतकरोति भगवा म भग्गकण्ड्कोति भगवा ’..: जिसने मोह भंग कर लिया , अभिमान नष्ट कर लिया , क्लेष भग्न कर लिया , भव संस्कारों का अंत कर लिया , कंटक भग्न कर लिये वह भगवान्‌।

‘भग्गमोहोति भगवा’: मोह भग्न कर लिया , इस अर्थ में भगवान।

‘भग्गमानोति भगवा’ : अभिमान नष्ट कर लिया , इस अर्थ में भगवान ।

‘भग्गदिट्‌ठीति भगवा’ : दार्शिनिक मान्याताओं को भग्न कर लिया , इस अर्थ में भगवान्‌ ।

‘भग्गकण्डकोति भगवा’: कंटक भग्न किया , इस अर्थ में भगवान ।

‘भग्गकिलेसोति भगवा’: क्लेश , काषाय भग्न कर लिये , इस अर्थ में भगवान ।

‘भजि विभजि पविभजि धम्म्रतन्तिभगवा’ : भजि यानी जिसने धर्म रत्न का भजन किया , यानी सेवन , इस माने भगवान ।

ऐसे न जाने कितने उदाहरण हैं जिसमॆ भगवान शब्द का अर्थ संस्कृत के शाब्दिक अर्थ से बिल्कुल अलग दिखता है ।

पालि में एक सुत्त है :

इतिपि सो भगवा , अरहं , सम्मासम्बुद्धो,

विज्जाचरणसम्पन्नो सुगुतो लोकविदू ,

अनुत्तरो पुरिस सम्म सारथी सत्था देवमनुस्सानं , बुद्धो भगवति ॥

ऐसे जो अहर्त है , सम्यक्‌ सम्बुद्ध हैं , संपूर्ण जागृत हैं , लोभ , द्धेष और मोह से मुक्त ऐसे भगवन्‌ हैं , सर्वज्ञ हैं , ज्ञान और आचरण में परिपूर्ण हैं , सुगति प्राप्त हैं , वर्तमान और भूत भविष्य को जानने वाले हैं , यथावादी तथाकारी , जैसा कहते हैं वैसा करते हैं , ऐसे आचरण वाले हैं , आदमी को लोभ , द्धेष और मोह से छुडाने वाले अप्रतिम सारथी हैं , देवता और मनुष्यों के सास्ता हैं , गुरु हैं , उपदेशक हैं , ऐसे मनुष्यों मे अनुपम श्रेष्ठतम भगवान्‌ बुद्ध हैं ।

July 25, 2017

"નમો બુધ્ધાયને " બદલે "પઢો બુધ્ધાય" કારણ કે એ જ બુધ્ધને ઓળખવાનો સાચો રસ્તો છે

By Jigar Shyamlan ||  22 July 2017 at 10:12



મને બુધ્ધના વિચાર ગમે છે, એકદમ સત્ય, નિખાલસ અને નેચરલ. બુધ્ધ સાફ સાફ વાતો કરે છે.
ઈશ્વર કે ભગવાન...., આત્મા-પરમાત્મા....., પુજા પાઠ...., શાસ્ત્રોના વિધીવિધાન પર પ્રશ્નો ઉભા કરે છે.
બુધ્ધ પોતે કોઈ ચમત્કારમાં માનતા નથી, સમઁથન આપતા નથી. બુધ્ધે પણ કોઈ ચમત્કાર કયાઁ નથી.
બુધ્ધે કોઈને પરચા આપ્યા નથી. મહત્વની વાત બુધ્ધે કદી એવું નથી કહ્યુ કે " હું કહું એટલે જ તમારે માની લેવાનું..!!!"
બુધ્ધ તો એક જ વાત કહે છે.. સંસારમાં દુ:ખ શાશ્વત, સત્ય અને કાયમી છે. દુ:ખને ચપટી વગાડતા દુર કરી દેવાય કે કોઈ જદુઈ લાકડી ઘુમાવીને ગુમ કરી દેવા શક્ય નથી, કોઈના પણ અભયમુદ્રામાં હાથ રાખીને તથાસ્તુ કહેવાથી દુ:ખ દુર થવાના નથી.
દુ:ખ દુર થઈ શકે..!! માત્ર એક જ રીતે દુ:ખનું સાચુ કારણ ક્યું..??? એ જાણીને.
એક વખત દુ:ખનું કારણ શોધી લઈએ અને તેનો સ્વિકાર કરી લઈએ તો દુ:ખ પીડા નહી આપે. 
જો હું બુધ્ધની પ્રતિમા આગળ નમો બુધ્ધાય... નમો બુધ્ધાય કરતા ધુપ સળગાવી બે હાથ જોડી બેસી રહ્યો હોત તો આ બધી ખબર મને કદીય ન પડી હોત.
માટે હું એક નારામાં બદલાવ કરવા માંગું છું હવે હું "નમો બુધ્ધાયને " બદલે "પઢો બુધ્ધાય" જ કહીશ કારણ એ જ સાચો રસ્તો છે.. બુધ્ધને ઓળખવાનો.
કારણ પઢેગા તભી તો આગે બઢેગા..
- જિગર શ્યામલન

July 04, 2017

આંબેડકર અને ગૌતમ બુદ્ધ ને જાણ્યા પછી નુ અંગત "મહાભીનીષ્ક્રમણ" : આકાશ મકવાણા

By Akash Makwana



હું ૧૯ વર્ષ નો થયો ત્યાં સુધી પહેલા ક્યારેય બાબાસાહેબ વિશે  વાંચેલું નહિ...કેમ કે મારા પરિવાર માં તહેવારો હમેશા માતાજી અને રામ લક્ષ્મણ કૃષ્ણ ભીમ જેવા કાલ્પનિક પાત્રોની વાર્તાઓ આસપાસ ફરતા રહેતા..એકલ દોકલ દિવસ સિવાય મને યાદ નથી કે કોઈએ જેમ રામાયણ મહાભારત હાથ માં પકડાવ્યા અને જાતભાતના વ્રતો કરી અજીબોગરીબ વ્રત કથા ઓ સંભળાવી તેમ ક્યારેય બાબાસાહેબ ની વાત કે એમના જીવન ચારીત્ર્ય ની વાત માંડી ને કરી હોય એવુ ક્યારેય બન્યુ નથી.. મને નાનપણ થી ૧૨માં આવ્યો ત્યાં સુધી ખાલી બાબાસાહેબ વિશે એક જ વાત ખબર હતી કે એ જાતી વ્યવસ્થા તેમજ ધર્મ મા રહેલા દુષણો ના વિરોધી અને  અમારા સમાજ ના એક એવા વ્યક્તિ હતા જેમના લીધે મને દરેક સત્ર માં સ્કુલમાંથી ૭૦/- રૂ સ્કોલરશીપ મળતી....બસ...પણ મને એમની આ "મારા ભાગવાનો" નો વિરોધ કરવા વળી વાત નહોતી ગમતી.... માનશો નહિ પણ એકસમયે મારી પણ મનોદ્રષ્ટી એવી હતી કે (પ્રથમ અનામત આંદોલન વખતે ) કે હા ભાઈ આ અનામત ની સીટો હટાવી બધાને સમાન અધિકાર મળવો જ જોઈએ...શું કામ ૯૦% વાળા છોકરાઓ કરતા બીજા ને લાભ મળે....આ બધું થયું કેમ કે હું મારો મારા પરિવાર મારા સમાજ મારો આસપાસ રહેતા લોકો અને ખાસ કરી બાબાસાહેબ નો ઈતિહાસ નહોતો જાણતો...પણ મને સમયાનુસાર અનેકવાર નિશાળો માં કોલેજો માં એકલો પાડવા ના, અપમાનિત કરવાના..અને હોશિયાર હોવા છતાં જાણી જોઇને પાછળ રાખવા ના સંજોગો માં વધારો થયો..થોડીક બાળબુદ્ધિ દોડાવતા જાણવા મળ્યું કે સાલું આ બધું તો કૈક "જાતિ વ્યવસ્થા" અને મને સ્કુલ કોલેજો માં મળતા "લાભો" ના લીધે છે..પરિવાર માં આના વિષે ચર્ચા કરતા ફરી એક વખત ડો બાબાસાહેબ નું નામ પ્રકાશ માં આવ્યું પણ ત્યાં સુધી એમને જાણવાની મારી તરસ બહુ આગળ વધી ગઈ હતી પણ ભણતર અને બીજા કામો અને તહેવારો માંથી ક્યારેય સમય જ ના મળ્યો....ઘરે પણ કોઈએ બાબાસાહેબ ના પુસ્તકો વસાવેલા નહિ !!! આમ કરતા એન્જીનીયરીંગ પૂરું થવા આવ્યું અને ઘરે મારા છેલ્લા વર્ષો ના પ્રોજેક્ટ ને પૂરો કરવા ઈંટરનેટ અને લેપટોપ નામના નવા સાધનો આવ્યા ધીમે ધીમે હું ગુગલ ઉપર બાબાસાહેબ ને સર્ચ કરતો થયો...એમના આર્ટીકલ્સ (વિકિપીડિયા) વાંચતો થયો કેમ કે વિકિપીડિયા નો અને મારો પ્રોજેક્ટ ના અનુસંધાન માં રોજ ૮ થી ૧૦ કલ્લાક સરેરાશ પનારો પડતો અને એના પર ઘણી સારી વસ્તુ ઓ જાણવા મળત...ત્યાર બાદ ફ્રી ઈ બુક્સ વાંચવાનું શરુ કર્યું...અને ત્યારે મારો અને "મારા બાબાસાહેબ" ના મારા જન્મ ના ૨૦ વર્ષ પછી આમનો સામનો થયો જેને મારી આખી દુનિયા બદલી નાંખી...મારા મગજ માં નાનપણ થી જે વસ્તુ ઓ ભરેલી હતી તેમાં એમના વિચારો એ ધરતીકંપ લાવી દીધો...મારા બાળ માનસ માં કેટલાય એવા સવાલો થતા જેનો જવાબ મેં વાંચેલ ગીતા રામાયણ કે મહાભારત બાઈબલ જેવા ગ્રંથો નહોતા આપી સકતા એ તમામ ના જવાબ મને બાબાસાહેબ ના જીવન માંથી મળ્યા...એક સાચી વાત તો એ છે કે બાબાસાહેબ ના વ્યક્તિત્વ નો સાક્ષાત્કાર એટલો પ્રચંડ હતો કે મારા જન્મ થી જ મારા જનમાનસ માં ભગવાનો મંત્રો તંત્રો વારતા ઓ એ ઉભી કરેલી કાલ્પનિક સમરસ  દુનિયા ના એને ફક્ત ત્રણ વરસ માં ભુક્કા કાઢી નાંખી જમીનદોસ્ત કરી નાંખી અને પાછળ વધયું એ ફક્ત સત્ય હતું કડવું કઠોર અને નગ્ન સત્ય....હું જે દુનિયા માં જીવું છુ એનું સત્ય...કેમ મારી સાથે જ આવું થાય છે ???  એ સવાલ નું સત્ય.... બાબાસાહેબ એ મારા માટે શું કર્યું એનું અને હવે મારે શું કરવાનું છે એનું સત્ય... તે ઘડી થી ભગવાનો છૂટી  ગયા વ્રત તહેવારો ના ધતિંગ છૂટી ગયા વધારે માં પૂરું બાબાસાહેબ ના વિચારો ને ફોલો કરતા કરતા રસ્તા માં ગૌતમ બુદ્ધ અને એમના તથા મૌર્ય વંશ ના ઈતિહાસ ને જાણવાનું થયું અને રસ્તો વધારે ક્લીયર થયો...અને ખરેખર એકસમયે હનુમાન(કોલેજ માં મારા મિત્રો માં મારા કરતા મારા ગળા માં વર્ષો થી લગભગ નાનપણ થી પહેરેલી ગદ્દા હમેશા જીજ્ઞાશા નું કેન્દ્ર રહેતી એ લોકો પણ મને એ જ રીતે હનુમાન ભક્ત તરીકે ઓળખતા) અને શંકર (રુદ્ર) ની ગાંડી ભક્તિ અને મહિના ઓ ઉપવાસ કરનાર (એમના વિષે કોઈ આડા અવળા સવાલ કરે તો હમેશા " આજના ગૌભકતો" ની જેમ વિરોધ કરનાર )...એમને પામવા એમનો સાથ મેળવવા અને દરેક કામ માં સહાય મેળવવા ધાંધિયા કરતો એક ભક્ત સંપૂર્ણ ધ્વસ્ત થઇ ગયો....દરેક ગ્રંથો વાંચ્યા એમાં લખ્યું હતું કે તમને બનાવનાર ભગવાન ક્યાય બહાર નથી એ તમારી અંદર જ છે અને સમય આવ્યે તમને તમારા ભગવાન નો સાક્ષાત્કાર થશે અને તમને તમારા જીવનનું ધ્યેય ની જન થશે... અને એવું જ થયું ત્યાર થી આજ સુધી કોઈ ની પૂજા કરી નથી, નથી કોઈ મંદિર માં ગયો , નથી કોઈ પ્રાથના કરી....બુદ્ધ ના આદેશ મુજબ આ ધરતી આ પ્રકૃતિ જ તમારી માતા છે એનું રક્ષણ કરો એજ તમને સમય આવ્યે બચાવશે....દરેક ને પ્રેમ કરો દરેક પ્રાણી વનસ્પતિ વન્ય જીવો બધાને પ્રેમ કરો એ તમારા ઉપર હુમલો કરે તો પણ !! કેમ કે વન્ય જીવ છે એને બુદ્ધિ નથી..એનો ઉદ્ધાર કે બચાવ કરવાની કે તમારો કરવાની...પણ માનસ પાસે બુદ્ધિ છે..એને વિચારો આવે છે,,,એ અવનવી શોધો કરે છે બીજા ને મદદરૂપ થાય છે.. અને અંતે સિધાર્થ ગૌતમ બુદ્ધ દ્વારા કહેવાયેલું અને બાબાસાહેબ દ્વારા ફોલો કરાયેલું એક સત્ય " મનુષ્ય ના જીવનનું અંતિમ અને ઉચ્ચતમ ધ્યેય હમેશા તેની બુદ્ધિ ને વધારવાનું જ્ઞાન ને વધારવાનું હોવું જોઈએ જેથી એ જરૂર પડે પોતાના તેમજ આ દુનિયા ના કામ માં આવી શકે " ત્યારબાદ બુદ્ધ, બુદ્ધિજમ અને સમ્રાટ અશોક તથા ભારત નો પ્રાચીન  ઈતિહાસ જેવા વિષયો પર રીસર્ચ કરી ઘણી નવી સત્ય વાતો જાણી માતાજીઓ અને ભગવાનો નો વિરોધ કરવાથી એમનો ત્યાગ કરવાથી મને  મારા જ પરિવાર માં પ્રબળ માનસિક આંતરિક સંઘર્ષ નો સામનો કરવો પડ્યો અને હાલ પણ પડે છે..આ એક રૂઢિ છે જે વર્ષો થી સ્થપાઈ છે એટલે એનો વિરોધ સંઘર્ષમય તો રહેવાનો જ ક્યારેક પોતાના જ પરિવાર વચ્ચે કડવા વેણ પણ સંભાળવા પડ્યા  અને ના છુટકે ના ગમતું પણ કરવું પડ્યું. પણ એ વાતો  કરશું ફરી કોઈક વખત.. આજે મને કોઈ વાતનો અફસોસ નથી ફક્ત એકવાત સિવાય કે ભલે મને મારા પરિવારે આ બે મહાન પુરુષો વિષે ના જણાવ્યું તેઓ તો ખુદ નહોતા જાણતા પણ અફસોસ છે કે જયારે મેં શરૂઆત કરી જાણવાની ત્યારે એમનું એક પણ પુસ્તક અમારા ઘર માં નહોતા...અને નિયમ લઉં છુ કે પરિવાર માં આવનારી નવી  પેઢી ને આ તકલીફ નહિ પડવા દઉં...જે રાત્રે મારા કમ્પ્યુટર સાયન્સ ની સાથોસાથ બી આર આંબેડકર અને તથાગત સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ને જાણ્યા ત્યારથી આ જીવન માં શરુ થયું મારું અંગત "મહાભીનીષ્ક્રમણ"

 - આકાશ મકવાણા

July 02, 2017

सबसे सुंदर हसीन कल्पना : आत्मा-परमात्मा भाग - 1


(पिछली 2 पोस्ट गीता के रहस्य के बारे में थी उनमें बात छिड़ी थी कि गीता पे वार क्यों ? और मैने जवाब दिया था कि जिस ग्रंथ ने देश को गुलाम बनाया है और देश को विज्ञान से दूर रखकर हाँसी के पात्र बनाया है ऐसे ग्रंथो की सच्चाई तो बाहर लानी ही पड़ेगी न ! उसी परिप्रेक्ष्य में यह पोस्ट है)

संसार में मनुष्य समस्त प्राणियों में ज्ञानवान माना जाता है और इस ज्ञानवान की सबसे सुन्दर हसीन कल्पना यदि कोई है तो केवल आत्मा-परमात्मा की कल्पना ! इस हसीन कल्पना ने संसार के समस्त बुद्धिवादियों को चक्कर में डाला है। इस आत्मा-परमात्मा का न तो मनोवैज्ञानिक दॄष्टिकोण से कोई अस्तित्व है, न ही विकासवाद की दॄष्टि से अस्तित्व है, न प्राकृतिक रूप से अस्तित्व है, न वैज्ञानिक दॄष्टिकोण से अस्तित्व है और न अनुभव की कसौटी पर इसका अस्तित्व है। यह तो सिर्फ आत्मा-परमात्मा के नाम पर हलवा-मांडा खाने वाले पुरोहितों, मोटी-मोटी रकम डकार कर कवि-कर्म करने वाले कवियों की मात्र हसीन कपोल कल्पना है। अनुभव की कसौटी पर परखने के बाद ही सबसे प्रथम तथागत बुद्ध ने इस आत्मा-परमात्मा पर सशक्त हथौड़ा बजाया था। भदन्त आनंद कौशल्यायन कहते है, "कहने वालों का कहना है की तथागत बुद्ध ने ईश्वर का कहीं खंडन नहीं किया, वे ईश्वर के बारे में केवल मौन रहे। इस कथन में इतनी सच्चाई जरूर है की पालि त्रिपिटक में ईश्वर का अधिक खंडन-मंडन नहीं है। उसका कारण यह है कि उस समय तक स्वयं ईश्वर को पूरी तरह खड़ा नहीं किया गया था। तथागत बुद्ध के लगभग तीन सौ वर्ष बाद तक ईश्वर की कल्पना उत्तरोत्तर विकसित और परिवर्धित होती रही है। पतंजलि के समय तक कहीं जाकर 'ईश्वर' का अर्थ, जो आजकल ग्रहण किया जाता है, जड़ीभूत हुआ। किन्तु इसका यह मतलब नहीं की पालि-वांग्मय में ईश्वर का खंडन है ही नहीं। अंगुत्तर निकाय में तथागत बुद्ध का यह वचन सुरक्षित है, "भिक्खुओ कुछ लोग कहते ही की यह सृष्टि ईश्वरकृत है, तब तो वह ईश्वर बड़ा निर्दयी होगा, जिसने ऐसी दुखपूर्ण सृष्टि की रचना की है।"
वे आगे आत्मा के बारे में कहते है,"जो बात ईश्वर के बारे में कही जाती है अथवा जो भ्रांति जानबुझ कर ईश्वर के बारे में फैलाई जाती है, वैसी ही भ्रांति आत्मा के बारे में भी फैलाई जाती है कि तथागत बुद्ध ने आत्मा का कहीं खंडन नहीं किया अथवा उन्होंने आत्मा के अस्तित्व को कहीं भी अस्वीकार नहीं किया। बुद्ध ने संसार भर के चिंतन जगत को जो सबसे बड़ी और अनमोल देन दी है, वह उनका अनात्मवाद ही है। उन्होंने आत्मवाद को 'सम्पूर्ण मूर्खता' या 'परिपूर्ण बाल-धर्म' कहा है।
ईश्वर तथा आत्मा के लिए बौद्ध धम्म में कोई स्थान न होना कुछ लोगों की दृष्टि में बौद्ध धर्म की कमी है। यह ऐसा ही है कि जैसे कोई कहे कि किसी भी स्वतंत्र आदमी के हाथों में हथकड़ी और पैरों में बेड़ी न होना उसकी कमी है।"

डॉ. आम्बेडकर का कथन है, "तथागत की दृष्टि में ईश्वर विश्वास बड़ी खतरनाक बात थी, क्योंकि ईश्वर विश्वास ही प्रार्थना और पूजा की सामर्थ्य में विश्वास का उत्पादक है और प्रार्थना कराने की जरूरत ने ही पंडा-पुरोहित को जन्म दिया और पुरोहित ही वह शरारती दिमाग था जिसने इतने अंधविश्वासों को जन्म दिया और सम्यक दृष्टि के मार्ग को अवरुद्ध कर दिया।"
बाबासाहेब प्रश्न करते हुए कहते है कि- "क्या तथागत बुद्ध आत्मा में विश्वास रखते थे ? नहीं, एकदम नहीं। आत्मा के संबंध में उनका 'अनात्मवाद' कहलाता है। यदि एक अशरीरी आत्मा को स्वीकार कर भी लिया जाय, तो उसके संबंध में बहुत से प्रश्न पैदा होते है। आत्मा क्या है ? आत्मा का आगमन कहाँ से हुआ ? शरीर के मरने पर इसका क्या होता है ? शरीर के न रहने पर यह परलोक में कैसे रहता है ? वहां यह कब तक रहता है ? जो लोग आत्मा के अस्तित्व के सिद्धांत के समर्थक थे, तथागत बुद्ध ने उनसे ऐसे प्रश्नों का उत्तर चाहा था।"
वैदिक साहित्य में कहीं आत्मा को 'अंगूठे' के समान, तो कहीं चावल के दाने के समान माना गया है। उपनिषदों ने एक निश्चित भ्रांति को पाला, उसका प्रचार कर भोले-भाले भारतीयों को गुमराह किया। इसका प्रभाव भगवद्गीता पर भी पड़ा है। गीता ने आत्मा-परमात्मा का प्रचार कर भारतीयों को अंधेरे में धकेला है।

(गीता और दूसरे धर्म ग्रंथो ने भारत की गुलामी में कैसे भूमिका निभाई है वह जानने और आत्मा-परमात्मा को जानने आगे पढ़ते रहिएगा... पढ़ेगा इंडिया...तभी तो आगे बढ़ेगा इंडिया...) भाग-2 जल्द ही आएगा...

संदर्भ:
1. तथागत का शाश्वत संदेश - भदंत आनंद कौशल्यायन
2. बुद्ध और उनका धम्म - डॉ. बी. आर. आम्बेडकर
3. गीता की शव परीक्षा - डॉ. सुरेन्द्र अज्ञात
4. भारत की गुलामी में गीता की भूमिका - आचार्य भद्रशील रावत

Facebook Post:-

June 02, 2017

Tirupati Balaji was an ancient Buddhist Shrine!!!!

Tirupati Balaji was an ancient Buddhist Shrine!!!!
(Brahmins converted Buddhist shrine into Tirupati Balaji)

After the end of Maurya dynasty, Brahmins started attacking Buddhist shrines
with the assistance of various kings. Due to continuous attacks,
nobody left to look after the Buddhist shrines. As these Buddhist idols,
viharas or shrines remained ignored for several centuries, Brahmins started Balaji converting Buddhist shrines for Brahmanical use. 
India was a Buddhist nation during Samrat Ashoka Empire. Ashoka had 
built several thousand Buddhist viharas and several million Buddha’s 
Idols during his empire, then where has it gone???? 
Most of them are destroyed and whichever left are then chiselled off to take be converted into new shapes of fake Brahmin created gods. 
Jagannatha of Puri, Vitthala of Pandharpur, Lord Ayyappa, Draksharama, 
Srisailam were all the Buddhist shrines that have been converted
into Hindu shrines by Brahmins. 

Tirupati Balaji is also a big example of Brahmanic usurpation.

Following are the proofs that prove that Tirupati Balaji was an ancient 
Buddhist shrine.

1. Upper two arms along with weapons i.e. shankha and chakra are not 
integral parts of the murti, these parts are added, later on, it proves 
that the original murti (idol) was different than this.

2. The murti (idol) resembles, in great detail, with the Bodhisattva 
Padmapani of Ajanta Cave No.1

3. The various murtis in this temple are not recognised by their Agamic names and don't confirm the Agamic rules as well.

4. The region of Tirupati was within Asoka's Empire and Murthi came into existencePresenceduring Buddhist rule, it proves that it’s a Buddhist idolThe presence

5. The presence of lions and absence of Garuda Balaji
If is a form of Vishnu then his Garuda should have been there.
Presence of lions perfectly confirms that tirupati was a Buddhist 
shrine. As you can always observe images of the lion at Buddhist shrines. 
Lord Buddha was Himself called 'Shakya simha' meaning a Lion among the 
Shakyas.

6. The murti is performing a Buddhist mudra. (Varada mudra and abhaya 
mudra are largly seen on Buddhist idols only)

7. lotus is Buddhist symbol stolen by Brahmins
In Buddhism, symbol of Lotus denoting walking of Buddha immediately 
after birth when seven steps were taken by Him and a lotus grew under 
each step. Later this symbol was started using by Brahmins.

8. Tonsure (Mundan) is not a method of Vishnu Worship, it must be noted 
that shaving head is inauspicious to Hindu tradition. 
Tonsure is practiced by the Buddhists only, during sanskars like 
Pravajjya and upsampada.

9. The Rathayatra is a relic of Buddhist traditions. Fa-Hein and Hiuen 
Tsang during 11th century A.D. mentioned Buddhist ceremony in which image of buddha on a four wheeled chariot 
is seated in the centre with two Bodhisattva on the two sides. Buddhist 
rathayatra was the symbol of equality but now the tirupati rathayatra is
for showing Brahmin’s sovereignty over the lower caste.

10. Can somebody answer me why there was no regular worship in this 
Temple, till 966 A.D.???

I think, it’s enough to prove that Tirupati balaji is nothing but the 
ancient Buddhist shrine. It’s a great example how Brahmins are making 
people fool by hiding the truth and introducing the fake mythology. 
Tirupati Balaji has now become a great source of earning for the 
Brahmins, how long will we let them cheat us on the name of fake gods???

I think, it’s a time to awake!!!!

Jay Bhim,
Namo Buddhay!!!

Er Yogesh Dwd 



May 22, 2017

मार्क्स की लंगोटी सभी दलितो को नहीं पहनाई जा शकती : दिपक सोलंकी

मार्क्स की लंगोटी
मार्क्स की लंगोटी सभी दलितो को नहीं पहनाई जा शकती
वर्गीय असमानता दलित नौकरी धारी भाई ऐवंम् मजदूर, श्रमिक दलितो के बीच आपस आपस में ढूढने का कोई मतलब नहीं है। क्योंकी वो असमानता हो या न हो उससे कोई फर्क नहीं पडता है। वर्गीय असमानता मालिक ऐवं नौकर तहेत ही होती है। जमीनदार और भु-मजदुर के बीच ही होती है । नौकरी और टीफिन कल्चर की वर्गीय असमानता खुद सोवियत रुस जो की तूट चूका है और खुद चाईना वे भी नहीं हटा शकती हटाने का भी कोई मतलब नहीं है। हमें तो हमारे मानवीय मूल्य व अधिकार को नष्ट करे उसी असमानता पे ध्यान देना चाहिऐ । ये पूरी बात वर्ग के तहत है। ये बात अलग है की व्हाईट कॉलर दलित की उदासिनता पूरे समाज के लीऐ दुखद् है पर ये मामला अलग है और वर्गीय मामला अलग है । हमे तो बाबा साहेब के बुद्ध ऐवम् समाजवाद को जानना चाहिऐ, राष्ट्रिय करण ऐवं संपति विभाजन पर बाबा साहेब के विचार को जानना चाहीऐ ।
- दिपक सोलंकी




















बुद्ध का साम्यवाद : दिपक सोलंकी

मार्क्स ने कूछ नया अर्थशास्त्र विकसित नहीं कीया बस जो पहले से ही कुछ महापुरुषोने जो प्रतिपादित कीया था उसे ही बताया लेकिन मूल जो फर्क है वो साधन का है। मार्क्स के मुताबित साध्य प्राप्ति के लीऐ हींसा अनिवार्य है। जबकी बुद्ध हींसा को खारिज करते है। त्रिपिटिक के अद्य्ययन के पश्चात यह प्रतिपादित है की बुद्ध ईस बात पर भी जोर देते है की धर्म का कार्य विश्व का पुनर्निर्माण करना तथा उसे प्रसन्न रखना है और निर्वाण कोई अंतिम ग्नान की उच्चतम अवस्था नहीं पर जिवन जिने का तरिका है। ईतना ही नहीं स्वयं बुद्धने सीधे ही विश्व के पुन: निर्माण में कार्य कीये और उन्हौने समयक सत्ता स्थापन के लिऐ मनुष्य के ह्रदय परिवर्तन पे जोर लगाया उतना ही नहीं पूरे विश्व में उन्होने अपने कार्यो को स्थापित कीया है।
- दिपक सोलंकी



















May 10, 2017

બુધ્ધની જયંતિના અવસરે તેમની મુતિઁઓની પુજા કરવાની મનુવાદી પ્રવૃત્તિઓ સંપુણઁ ત્યજીને તથાગતની વિચારધારાને સમજવા પ્રયાસ કરીએ : જીગર શ્યામલન

ધમઁમાં પ્રવઁતી રહેલી ઈશ્વરીય માન્યતાઓ..., ઈશ્વરીય અવતાર..., અંધશ્રધ્ધાત્મક રિવાજો..., કમઁકાંડ..., જન્મ-પુનઁજન્મ..., આત્મા-પરમાત્મા..., સ્વગઁ-નરકના ખોટા ખ્યાલોને એક ઝાટકે ધરાશાયી કરીને સંપુણઁ વૈજ્ઞાનિક અભિગમથી માનવને તકઁ કરતા શીખવે તેવી વિચારસરણીના સ્થાપક, રેશનાલિસ્ટ તથાગત ગૌતમ બુધ્ધની જયંતિના અવસરે તેમની મુતિઁઓની પુજા કરવાની મનુવાદી પ્રવૃત્તિઓ સંપુણઁ ત્યજીને તથાગતની વિચારધારાને સમજવા પ્રયાસ કરીએ....
તો જ ઉજવણી સાથઁક થઈ કહેવાશે.....
''તમે અને માત્ર તમે જ તમારા જીવનમાં બદલાવ લાવી શકશો...બીજુ કોઈ નહી...'': ગૌતમ બુધ્ધ
- જીગર શ્યામલન


***


તથાગત ગૌતમ બુધ્ધની સાથે ભગવાન એવો શબ્દ જોડશો નહી..............
આજે બુધ્ધ પુણિઁમાં ના ગૌરવભયાઁ દિવસે તથાગત બુધ્ધના નામ સાથે ભગવાનનું નામ જોડાયેલ જોઈને એક પ્રશ્ન ચોક્કસ થાય છે....
ખરેખર આપણે બુધ્ધથી વાકેફ છીએ.......? કે પછી વાંચ્યા....., જાણ્યા.., સમજ્યા વિના ધેંટાના ટોળાની માફક બસ દે ઠોકા ઠોક.... ઝીંકે રાખીએ છીએ........?
બુધ્ધે પણ કદી પોતાની જાતને ભગવાન કે ઈશ્વરીય અવતાર ગણાવ્યા નથી.... બુધ્ધે કદી પણ પોતે કોઈનો ઉધ્ધાર કરવા માટે અવતાર લીધો તેવું કહ્ચું નથી.. બુધ્ધે પોતાનાં જનમને સામાન્ય માણસના જનમ સમાન ગણાવી પોતે ઈશ્વરનો અવતાર હોવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો....
ગૌતમ પોતાનાં ઉપદેશમાં જણાવ્યું છે... કે...


  1. આ જગતમાં આત્મા અને પરમાત્મા વિશેનાં તમામ ખ્યાલ ખોટા છે. એવું કંઈ નથી.ખરેખર સાચું જ છે..... જો આત્મા સો પરમાત્માવાળો ખ્ચાલ સાચો હોત તો એ દ્રષ્ટિએ અછૂતો પણ આત્મા સો પરમાત્મા મુજબ અશ્પૃશ્ય ન ગણાતા હોત. 
  2. બીજી વાત બૂધ્ધ પોતે આગલા જન્મ અને પૂનઁજન્મની વાતને સાવ ખોટી ગણાવતા હતા. એમનું કહેવું હતુ કે જન્મ એકવાર જ થાય છે. અને જે જન્મે છે તેનું ચોક્ક્સ મૃત્યુ થાય છે. દુનિયામાં કોઈ અમર નથી... ( યાદ કરો કિસા ગૌતમીવાળો પ્રસંગ).કોઈ ચિરંજીવી નથી બધી વાતો સાવ ગપગોળા.... 
  3. બુધ્ધે પોતાના ઉપદેશમાં એમ પણ કહ્યું છે કે હું જે કહું છું એટલે એ બધુ સાચું છે એવું માની લેવાની જરુર નથી. તમે તમારી બુધ્ધી અને તકઁ લગાવો સાચુ લાગે તો અમલ કરો.એટલે ગ્રંથોમાં લખ્યું કે કોઈએ કહ્યુ એટલે સાચુ જ માની લેવું એવી ધમકી કે દાદાગીરી નહી..... 
  4. બુધ્ધ પોતે જ પૂનઁજન્મની વાતને ખોટી ગણાવતા અને પોતે ઈશ્વરીય અવતાર હોવાની વાતને રમૂજ ગણાવતા.જ્યારે અહીં તો બુધ્ધને વિષ્ણુંનો 8મો અવતાર બતાવી દેવામાં આવ્યા છે..... જે માણસ પોતે જ ઈશ્વરની વાતનું ખંડન કરતા રહ્યા તેમને જ વિષ્ણુંનો આંઠમો અવતાર ગણાવવાની જરુર મનુવાદીઓને શા માટે પડી.......?

કારણ સાફ છે...... મનુવાદીઓ બુધ્ધના મૌલિક..., તકઁબધ્ધ..., વૈજ્ઞાનિક વિચારો અને સિધ્ધાંતો તેમજ સામાજિક સમરસતાનાં ઉપદેશોથી ગભરાઇ ગયેલા......
હવે.... આવા સમયે મનુવાદીઓએ એક ચાલાકી અપનાવી...... બુધ્ધને જ વિષ્ણુંનો આંઠમો અવતાર ગણાવવાનું શરૂ કરી દીધું.... 
આનાંથી પરિણામ એ આવ્યુ કે બુધ્ધ પણ... ચમત્કારી ને અવતારી પુરૂષ ગણાવા લાગ્યા...અને તેમનાં ઉપદેશ મૌલિક અને અલગ હોવા છતાં સીધેસીધા હિન્દુ ધરમનો એક ભાગ બની ગયા.....
મુળ હેતું બુધ્ધના મૌલિક તમામ ઉપદેશ વિષ્ણુંના સ્વરુપમાં સમાવી લઈને આડકતરી રીતે બુધ્ધને સાઈડ લાઈન કરી શકાય.
બુધ્ધ વિષ્ણુંનો અવતાર ખરેખર હોત તો ભારતમાં જન્મેલા બૌધ્ધ અને બૌધ્ધ ધમઁ ભારતમાંથી નામશેષ ન થયા હોત. 
જાપાન.., શ્રીલંકા.., કંબોડીયા... તથા અન્ય તમામ બૌધ્ધ ધરમ પાળતા દેશોમાં વિષ્ણુંનો આંઠમો અવતાર એવા બુધ્ધ નહીં પણ ખુદ પોતે વિષ્ણું પુજાતા હોત.
જરા તકઁ વાપરી વિચારી જુઓ....
જીગર શ્યામલન (21 May 2016)


















Facebook Post :-

જેવો રાજા તેવી પ્રજા.. - મેહુલ રામકર

એક વાર તથાગત બુદ્ધ એ ભીક્ખુઓ ને સંબોધન કરતા કહ્યું કે, હે ભિખ્ખુઓ જયારે રાજા દુરાચારી થઇ જાય, તો તેના મંત્રીગણ અને અધિકારીગણ પણ દુરાચારી થઇ જાય છે.. જયારે મંત્રીગણ અને અધિકારીગણ દુરાચારી થઇ જાય ત્યારે ગૃહપતિ પણ દુરાચારી થઇ જાય છે.. જયારે ગૃહપતિ દુરાચારી થઇ જાય ત્યારે ગામ અને નગર ના લોકો પણ દુરાચારી થઇ જાય છે..

જયારે રાજા સદાચારી હોય છે, ત્યારે તેનો મંત્રીગણ અને અધિકારીગણ પણ સદાચારી હોય છે.. જયારે મંત્રીગણ અને અધિકારીગણ અને અધિકારી ગણ સદાચારી હોય છે ત્યારે ગૃહપતિ પણ સદાચારી બની જાય છે.. અને જો ગૃહપતિ સદાચારી હોય તો ગામ અને નગર ના લોકો પણ સદાચારી બની જાય છે.

જયારે ગાયો નદી પાર કરી રહી હોય છે ત્યારે કોઈ વૃદ્ધ બળદ ખોટા રસ્તે ચાલી જતો હોય તો એનું અનુકરણ કરીને બધી ગયો પણ ખોટા રસ્તે ચાલી જાય છે.. આ જ પ્રકારે માણસો માં પણ મોભી કુટિલ હોય તો અન્ય લોકો પણ કુટિલ બની જાય છે.. આ જ પ્રકારે જયારે રાજા રસ્તો ભટકી જતો હોય તો સમગ્ર રાજ્ય દુખી થાય છે..

જયારે ગાયો નદી પાર કરતી હોય અને બળદ સીધો જાય તો બધી ગયો પણ એનું અનુકરણ કરતી સીધી જાય છે કેમ કે એનો માર્ગ સીધો છે.. એવી જ રીતે માણસો માં જે મોભી હોય છે, જો તે સત્માર્ગી હોય તો બીજા પણ સદાચારી બને છે..

તથાગત બુદ્ધ એ કરેલી આ ધમ્મ દેશના, આપણા સમાજ ના આજના આંબેડકર ભક્તો અને અનુયાયીઓ ને પૂર્ણ રીતે લાગુ પડે છે.. જેવા સંગઠન ના મુખ્ય મોભી હશે, એવા જ સંગઠન ના અન્ય કાર્યકર્તાઓ હશે, એના પર જ સંગઠન ની સફળતા નો આધાર રહેલો છે.. હવે આપને નક્કી કરવાનું છે કે આપણે અનુયાયી બનવું કે ભક્ત!!!

આજના પવિત્ર દિવસ, તથાગત ગૌતમ બુદ્ધ ના જન્મદિવસ, જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરીનીર્વાણ દિવસે સૌને મંગલ કામનાઓ..
જય ભીમ.. નમો બુદ્ધાય.. 

-- મેહુલ રામકર 



May 06, 2017

તથાગત બુદ્ધ અને ભગવાન મહાવીરે તમને માણસ બનાવ્યાં : વિજય મકવાણા

એક સમય એવો હતો કે તમે જેનું ગૌરવ લો છો તે તમારી પ્રાચિન સંસ્કૃતિમાં ગાય,ભેંસ,ઘોડા,બકરી,ઘેટાં વિગેરે.. કોઇ એવું પાલતું પશું એવું નહોતું જેનો તમે બલિ ચડાવતાં નહોતાં. દરેક પશુ તમારા દેવતાઓને સ્વાદિષ્ટ લાગતું હતું. આ જઘન્ય કૃત્યોએ તમને જંગલી બનાવી દિધેલાં. ત્યારે મહાનોત્તમ 'શ્રમણ સંસ્કૃતિ'ના બે મહાન સ્થાપકોએ એટલે કે તથાગત બુદ્ધ અને ભગવાન મહાવીરે તમને માણસ બનાવ્યાં. તમારા પાલતું પશુઓમાં જીવ છે. તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે તે પશુઓની અગત્યતા શિખવી. તેમણે તમને અહિંસા શિખવી તેમણે તમને જીભને જીતવાનો મંત્ર આપ્યો. મહાવીરે ચુસ્ત અહિંસાનો ઉપદેશ આપ્યો, માંસાહારનો ત્યાગ કરાવ્યો. બુદ્ધે કહ્યું હિંસા આચરી માંસાહાર ન કરો. તમે ધીરે ધીરે બદલ્યાં.
આજે ફરી બુદ્ધ સ્મિત કરતાં કરતાં કહે છે.

આજે ફરી મહાવીરની કરુણામયી આંખો બોલે છે.

તમે નાહક ધર્મના નામે ગૌહત્યાનો મુદ્દો ઉભો કરો છો. મુદ્દો ઉભો કરવાવાળા ન તો ધર્મ,આદ્યાત્મને સમજે છે, ન માનવતાને. જો ગાયોને બચાવવી જ હોય તો તેને તોફાનો-દંગા, વિભાજન કરવાની માનસિકતાથી ન બચાવી શકાય. ગાયને બચાવવી હોય તો તેને એટલી કિંમતી બનાવવી પડે કે તેને જીવતી રાખવા માણસ ખુદ પ્રયત્ન કરે. જીવતી ગાય મરેલી ગાયથી વધુ મુલ્યવાન બનાવી દો. અત્યારે ગાય ની કતલ થાય છે કેમકે જીવતી ગાયની તુલનાએ મરેલી ગાય વધુ આવક આપે છે. જે દિવસે ગાયની પાસેથી આવક શરું થઇ જશે ગાય કતલખાને જતી અટકી જશે. ત્યારે કોઇ અભિયાનની જરુર નહી પડે. એ માટે ગાયની નસલ સુધારવી પડશે. ગાયના દૂધની માત્રા વધે એવું કરવું પડશે. વિદેશી સાંઢ ન માફક આવે તો દેશી સાંઢની નસલ સુધારી શંકર ગાયો પેદા કરો. તમે કદી ભેંસને કચરો ખાતા જોઇ છે? ના, કેમ કે ભેંસ કિંમતી છે. કમાઉ દિકરો છે. ભેંસની ગમાણમાંય પંખા ફરે છે. ભેંસને કપડાં પહેરાવાય છે કેમકે તેને મચ્છર ન કરડે! કેમકે તેની દૂધ દેવાની ક્ષમતા ગાય કરતાં પાંચ ગણી વધું છે. ગાયની પણ દૂધ દેવાની ક્ષમતા શંકર પ્રજોત્પતિ કરીને વધારી શકાય છે. પણ તમે એવું નથી કરી રહ્યાં..
એટલું યાદ રાખજો..
ધર્મશાસ્ત્ર નહી, અર્થશાસ્ત્ર જ ગાયોને બચાવી શકશે.
#નમો_બુદ્ધાય #જય_મહાવીર #વિજયતે_શ્રમણ_સંસ્કૃતિ 
- વિજય મકવાણા



























Facebook Post :-