Showing posts with label Ambedkarite. Show all posts
Showing posts with label Ambedkarite. Show all posts

July 22, 2018

Poem : આંબેડકર જયંતી

By Jigar Shyamlan ||  Written on 14 April 2018



રેલીમાં આવી ગયા 
બધા હાથમાં 
વાદળી ઝંડાઓ લઈને.
પણ એ ઝંડા પકડવાનો 
સાચો મતલબ 
શું હોઈ શકે જાણો છો?
ખબર નથી બિચારાઓને 
એમના માટે તો 
ભાદરવી પૂનમ કે શ્રાવણ. 
ગણપતિ કે નવરાત્રની ધજાઓ 
પકડો કે આ વાદળી ઝંડાઓ.
એમના માટે બસ ખાલી 
ઝંડા જ બદલાયા છે, 
ડંડાઓ એના એ જ.
બસ ખબર એ જ કોણ 
ભીમરાવ,દલિતોના મસિહા, 
બંધારણના ઘડવૈયા.
બાકી બોધિસત્વ, 
બાવીસ પ્રતિજ્ઞા આપનાર
આંબેડકરને તો ક્યાં એ 
લોકો જાણે છે?
બસ મનુસ્મૃતિ હોમનાર, 
રામ અને કૃષ્ણ પર સવાલ ઉઠાવનાર.
દલિતોના હક્કની લડાઈ લડનાર આંબેડકર 
જ યાદ છે આ લલવાઓને.
પણ મંદીરના બદલે 
પુસ્તકાલય જાઓ, 
બુધ્ધનો ધમ્મ અપનાવનાર.
કોન્ગ્રેસની પાવલીનોય 
સભ્ય ન બનતા કહેનાર 
ભીમ ક્યાં યાદ છે..?
જનોઈધારી ભાજપ, કોન્ગ્રેસને 
વામદળ ઓફીસના 
દરવાજા ઘસો.
પાછા ચૌદ એપ્રિલે હાર-તોરા 
જય ભીમનારાઓથી 
આકાશ ગજવો.
બસ એક દહાડો હાજરી 
બતાવો આ જ 
તમારો આંબેડકર પ્રેમ 
હોઈ શકે.
આ ભલે ભોળા ભોળા 
દલિતોને પ્રેમ લાગે 
પણ મને તો વહેમ જ લાગે.
સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય 
પ્રબુધ્ધ ભારતની મંશા રાખનાર.
આંબેડકર હજી પણ 
રાહ જોતા બેઠા છે..!
કોણ આવી?
આ પ્રતિમાઓમાંથી 
એમના પ્રાણ સમી 
વિચારધારાને બહાર કાઢે.
બસ હાર-તોરા પહેરાવી, રેલીઓ કાઢી, 
ડાયરાઓની રમઝટ બોલાવી.
આખો દા'ડો જય ભીમ 
જય ભીમ પોકારો 
એટલે ઉજવણી પૂરી.
આવુ બધુ માનનારા 
એટલા જ માસુમ છે
સાવ બાળક બુધ્ધિ જેવા.
જેટલા હવન કરીને 
માની લે છે કે હવે સુખ
સંપત્તિ આંગણે આળોટશે.
બસ એક જ ઉપાય વાંચો 
પછી વિચારો
અણધાર્યુ વિચારીક પરિવર્તન લાવો.
ખુદમાં એક ઈન્કલાબ તો પેદા કરો 
પછી ઝિંદાબાદ કહો.
પણ..! ના આપણને 
એ બધુ પચતુ નથી 
હોજરીઓ એટલી પાકી નથી.
એટલે જ તો વારંવાર 
અર્ધ પચેલા વિચારોની
ઉલટીઓ થાય છે.
આ દર્દ શારીરીક લાગે સૌને 
લક્ષણો પણ તરત દેખાય
શરીર પર.
પણ આની દવા હકીકતમાં 
આ માનસિક 
ઉપચારથી શક્ય છે.
બસ એક દવા વાંચતા રહો 
અને સાથે ધમ્મ, 
બાવીસ પ્રતિજ્ઞાઓની ચરી પાળો.
- જિગર શ્યામલન





Facebook Post

14 अप्रेल ओर बचपन की यादें....।

By Jigar Shyamlan ||  Written on 13 April 2018




जब मै छोटा था तब बाबा साहब को सिफँ फोटो से ही पहचानता था। उनके बारे में ज्यादा कुछ जानकारी नही थी, ईतना ही मालूम था कि यह बाबा साहब है, और उन्होने हमारे लिये काफी कुछ किया है।

14 अप्रैल के दिन मेरे शहर में बाबा साहब की बडी रैली नीकलती थी। 14 अप्रेल की सुबह दोनो महोल्ले के बीचवाले रोड पर एक घर के पास टेबल पर चादर बिछाकर बाबा साहब की छवि रखी जाती थी। उस छवि पर फुलो की माला पहनाई जाती थी। सब लोग उधर रैली आने के ईन्तझार में ईकठ्ठा होते थे।

फिर दुसरे महोल्ले से बाबा साहब के सन्मान मे निकाली गई रैली हमारे महोल्ले में आती थी। फिर हमारे महोल्लै के लोग रैली का स्वागत करते थे। रैली में आये लोग बाबा साहब की छवि पर फुल चढाते थे। फिर वहां से रैली आगे बढती थी, हमारे मोहल्ले के काफी लोग रैली में जाते थे।

मै भी अपने आनंद के लिए रैली में जाता था। चार-पांच ऊंटो की गाडीया होती थी, मै भी दुसरे बच्चो की तरह एक गाडी में बाबा साहब का आदम कद का फौटो लेकर बैठ जाता था। थोडी थोडी देर में जय भीम.. जय भीम के नारे भी बोलता था।

लेकिन उस वक्त कुछ मालूम ही नही था जय भीम का नारा क्या है। ऊंटकी गाडी में बैठकर रैली में पुरा शहर घूमने का बडा मजा आता था।

फिर शाम को महोल्ले में कायँक्रम होता था। उसमें भी पहली लाईन में बैठता था। कोई एक आदमी आता था, बाबा साहब के बारे में कुछ बोलता था, लेकिन मुझे यह सब सूनने की जरा सी भी परवाह न होती थी। मेरा मन तो भाषण के बाद शुरु होनेवाले प्रोग्राम के ही ईन्तजार में रहता था।

यह थी बचपन की 14 अप्रेल की यादें।

फिर बढती उम्र के साथ साथ जब समज आती गई तब बाबा साहब के बारे में जानने लगा, बाबा साहब को पढने की ईच्छा हूई। बाबा साहब को पढना शुरू किया।

जैसे जैसे बाबा साहब को पढता गया वैसे वैसे उनको समजता गया। और जैसे जैसे समजता गया वैसे वैसे उनको मानता गया। तब एक अफसोस हूआ कि बाबा साहब को पढने में काफि देरी कर दी।

आज समाज में बाबा साहब को माननेवाले बहोत से लोग है, लेकिन बाबा साहब को पढकर, उनको माननेवाला एवम उनके बताये गये रास्तो पर चलनेवाले ज्यादा नही।
ज्यादातर लोगो के पास बाबा साहब के बारे में जो कुछ भी जानकारी और विचार है वो खुद के नही, बल्की दूसरो से सूने हुये जाने हुये उधार लिए हुये है।

लोगो ने बाबा साहब को ही पढा नही और नही पढा ईसलिये बाबा साहब को समझ ही नही पा रहे। जब लोग खूद पढेंगें तब जानेगें, और तब ही समझ पायेंगें।

ईसलिये सबसे पहला काम बाबा साहब को जन जन तक पहूंचाना होगा। बाबा साहब की पुस्तके, उनके लेख, भाषण सभी लोगो तक पहुंचाना है।

क्योकि जब लोग बाबा साहब को पढ लेंगे तब दूसरा कुछ और पढने की जरूरत नही होगी। लोग खूद ब खूद समझ जायेंगें।

हमे अपनी नई पीढी को प्रेरणा देनी होगी कि वो बाबा साहब को पढे, तब ही हम आंबेडकरवाद पैदा कर सकेंगें।

ईस 14 अप्रेल को सभी भाईओ से बिनती है कि हमे बाबा साहब की पुस्तके, उनके लेख, भाषण सभी लोगो तक पहुंचाना चाहीए। हमारे मित्र, सगे-संबंधीओ को यह प्रेरणा देनी चाहीए कि वे बाबा साहब को पढे।

बचपन में काफि वक्त था लेकिन तब समज नही थी, अब समज है पर वक्त कम है। परिवार, नौकरी और जिम्मेदारीयो की वजह से वक्त नही दे पा रहा हुं। लेकिन जितना भी वक्त मिलता है या मिलेगा बाबा साहब के विचारो का प्रचार-प्रसार करता रहुंगा।
जय भीम
- जिगर श्यामलन


Facebook Post :

14 મી એપ્રિલ આવશે ને બાબા સાહેબ આંબેડકર યાદ આવવા માંડશે...

By Jigar Shyamlan ||  Written on 10 April 2018



બાબા સાહેબ આંબેડકરના પુતળાઓ પર જામેલી ધુળ દુર કરવામાં આવશે, પાણીથી ધોવામાં આવશે. પ્રતિમાને માલ્યાર્પણ કરી શકાય તે માટે સીડીઓ ગોઠવાશે.

ઓફીસ કે ધરના માળિયામાં ગોઠવી મુકી રાખેલ અશોક ચક્રની છાપવાળા જયભીમ લખેલા બ્લ્યુ ઝંડાઓ અને સ્લોગનોના બેનરો નીચે ઉતારવામાં આવશે.

મોબાઈલ હેંગ થવા માંડે તેટલી હદે આંબેડકરી વિચારધારાના મેસેજોનો મારો વોટ્સએપ્પ અને ફેસબુક પર થતો રહેશે.

આ દિવસે કેટલાક અનોખા પ્રસંગો પણ જોવા મળશે.


  •  વરસના 365 દિવસ મંદિરોમાં જઈ પથ્થરાઓને નમન કરનારાઓ અને પુજા પાઠ, વ્રત, કથા કરાવનારાઓ.

  •  આખી જિંદગી વણકર અને ચમારના અલગ સંગઠનો બનાવનારાઓ.

  •  પોતાના પેટાજાતિ અને ગોળ-પરગણાનુ મિથ્યાભિમાન કરનારાઓ.

  •  માત્ર ચુંટણી પુરતા જ એસ.સી. બનનારા અને ચુંટણી પછી પોતાના પક્ષના કાબેલ ચમચા બનવા મથનારા રાજનેતાઓ અને આગેવાનો.


આવા બધા નમૂનાઓ બ્લુ વાવટાઓ પકડીને, બાબા સાહેબની પ્રતિમાને માલ્યાપર્ણ કરશે, બાબા સાહેબ વિશે ભાષણોની ભરમાર કરી દેશે, અને ઉછળી ઉછળીને જય ભીમ કરતા દેખાશે.

આ બધુ એક જ દિવસ પછી બીજા દિવસે કોઈ આંબેડકરને યાદ પણ નહી કરે. એટલી હદે કે બીજા દિવસથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ ધુળ ખાતી થઈ જશે.

આ 14 મી એપ્રિલે પહેરાવેલ ફુલોનો હાર સુકાઈને કચરો બની જશે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આંખો કચરો બની ચુકેલ ફુલના હારતોરા હવે આવતી 14 મી એપ્રિલ સુધી કોણ હટાવશે એની રાહ જેવામાં અધિરી બની જશે.

મિત્રો આવી રીતે તો વરસોથી ઉજવાતી રહી છે આંબેડકર જયંતિ. બસ એવી જ રીતે આ વરસે પણ ઉજવાશે. અને કદાચ આવનારા વર્ષોમાં ઉજવાતી રહેશે.
આંબેડકર જયંતિની ઉજવણીઓમાં જાણે અજાણ્યે બાબા સાહેબની વિચારધારાને બદલે તેમની પ્રતિમાઓ અને ફોટાઓનુ પૂજન કરવામાં મગ્ન બની રહ્યા છીએ. વિચારધારા ક્યાંય નથી.

કારણ એક સાદો નિયમ એવો છે જો માણસનો સંપુર્ણ નાશ કરી નેસ્તનાબુદ કરવો હોય તો પહેલા તેની વિચારધારાને ખતમ કરો.

સમાજમાં બાબા સાહેબ આજે જીવંત છે પણ માત્ર એક પ્રતિમા બની રહી ગયા છે, જે માત્ર 14 મી એપ્રિલે જ યાદ આવે છે. વિચારધારા ધીરે ધીરે નષ્ટ થઈ રહી છે.
આ વરસની ઉજવણીમાં એક નાનકડી અપિલ છે કે દરેક યુવા મિત્ર જેઓ ખરેખર બાબા સાહેબ પ્રત્યે થોડાક પણ ગંભીર હોય તેવા મિત્રો વરસમાં ઓછામાં ઓછુ એક બાબા સાહેબનું પુસ્તક અવશ્ય વાંચે એમાં પણ બાબા સાહેબે લખેલા વોલ્યૂમ અવશ્ય વાંચે અને બાબા સાહેબને સમજવાનો પ્રયાસ કરે.

માણસ ખતમ થઈ શકે છે પણ વિચારધારા કદીય મરતી નથી એ સદાય જીવંત રહે છે.

કારણ આ લડાઈ બાબા સાહેબના વિચારોની જ છે.
- જિગર શ્યામલન


Facebook Post :

March 14, 2018

સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે

By Jigar Shyamlan ||  10 March 2018 at 12:04pm


બાબા સાહેબે લગભગ 1935 સુધી તો હિન્દુ રહીને જ હિન્દુ ધર્મમાં સુધારા કરવા તેમજ ધર્મ દ્વારા શોષિત બનાવાયેલ સમાજના ઉત્થાન માટે અથાગ પ્રયાસ કર્યા હતા.

જાતિવાદનો નાશ એ પુસ્તકમાં ભારતની સામાજિક, આર્થિક, રાજકીય, ભૌગૌલિક તમામ આયામો પર અત્યંત ઝીણવટપૂર્વકના અભ્યાસ અને સંશોધન બાદ તેમણે જાતિવાદના સંપૂર્ણ નાશ માટે ધર્મ અને શાસ્ત્રોના ધ્વસ્તનો ઉપાય રજૂ કર્યો હતો.

બાબા સાહેબના આ દિશામાં પ્રયાસો લગભગ 1935 સુધી તો ચાલ્યા જ હતા. પણ આટલા બધા પ્રયાસો છતાં હિન્દુ સભા કે હિન્દુ સમાજ તરફથી આ બાબતે કોઈ પણ જાતનુ હકારાત્મક વાતાવરણ પેદા થયુ ન હતુ.

આખરે બાબા સાહેબ હિન્દુ સભાની આ ચાલ ઓળખી ગયેલા અને ત્યાર પછી એમણે ધર્માતરની વાત પર ભાર મૂકેલ.

13 ઓક્ટોબર 1935 માં યેવોલામાં ભરાયેલ પછાત સંમેલનમાં ડો. આંબેડકરે હિન્દુ ધર્મ ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે- 
“મારો જન્મ અશ્પૃશ્ય હિન્દુ પરિવારમાં થયો જેની પર મારો અધિકાર ન હતો પરંતું હું સોગંદ ખાઇને પ્રતિજ્ઞા કરૂં છું કે હું એક હિન્દુ તરીકે ક્યારેય નહી મરૂં.''

આજે આપણામાંના કેટલાય લોકો એવા છે જેઓ પોતાની જાતને બાબા સાહેબ કરતા પણ વધુ હોંશિયાર અને સ્કોલર માનવા લાગ્યા છે. એ લોકોને બાબા સાહેબનુ નામ લેવુ પસંદ છે. બાબા સાહેબની વાતો કરવી પસંદ છે પણ માત્ર લોકોની ભીડ ભેગી કરવા સુધી જ.
કારણ સમાજ બહુ ભોળો છે. જય ભીમ.. જય ભીમ કરીને બાબા સાહેબનુ નામ દઈ વાત કરનારાઓમાં સમાજને પોતાનો ઉધ્ધારક દેખાય છે. એટલે સમાજ આલીયા માલીયા ગમે તેવાની વાતોમાં આવી જઈ એને સમાજનો નેતા કે મસિહા કે ઉધ્ધારક બનાવી દે છે.
કેટલાક તો સમાજને બદલવાની કે સુધારવાની વાતો કરે છે, પરંતુ બાબા સાહેબે બતાવેલ રસ્તા ઉપર ચાલ્યા વગર.

એસ.સી. સમાજ પણ અનેક પેટાજાતિઓમાં વહેંચાયેલ છે. કેટલાક લોકો એસ.સી. સમાજના કુરિવાજો દૂર કરવાની વાત કરે છે. કેટલાક અરસપરસ લગ્ન કરવાની વાતોને પ્રોત્સાહન અને સર્મથન આપતા જોવા મળે છે. આ બધાની વાતો સાંભળી મને તો હસવુ અને રડવુ બન્ને આવે છે. આવી વાતો કરનારા મહાનુભાવો મને હંમેશા બાબા સાહેબથી પણ વધુ હોંશિયાર અને સ્કોલર લાગે છે.

સૌથી મોટી વાત ખુદ જાતને બદલવાની છે આ વાતને દરેક નજર અંદાજ કરે છે.

શરૂઆતમાં અનેક પ્રયાસો, કાર્યક્રમ અને આંદોલન પછી સ્વમાન અને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવાના માર્ગ તરીકે બાબા સાહેબે ધર્માતરણનો રસ્તો જ અપનાવ્યો હતો. બાબા સાહેબ પોતે બૌધ્ધ બની ગયા હતા.

બૌધ્ધ બનવાની વાત આવે એટલે સમાજને સુધારવા અને એકતાની વાતો કરનારા મહાનૂભાવો ન જાણે ક્યા જઈને સંતાઈ જાય છે કે ગોત્યા જડતા નથી.

December 14, 2017

સંવિધાનના સંરક્ષક વાલજીભાઈ પટેલ (પાર્ટ – 1)

By Raju Solanki  || 26 November 2017 at 15:43 



આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે. સંવિધાનના સિદ્ધાંતો કાગળ પર સુંદર છે. એનો અમલ કરવો, કરાવવો એ જ મોટો પડકાર છે. અને સંવિધાનનો અમલ સરકાર ના કરે ત્યારે એનો કાન પકડીને અમલ કરાવનાર માણસ સાચા અર્થમાં બાબાસાહેબના મિશનને આગળ ધપાવે છે. ગુજરાતમાં આપણી વચ્ચે એક કર્મશીલે ખંતથી અને પ્રમાણિકતાથી આ કામ કર્યું હતું. એમનું નામ છે વાલજીભાઈ પટેલ, જેમણે ગુજરાત હાઇકોર્ટમાં એમની સંસ્થા કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસના માધ્યમથી જાહેર હિતની બેસુમાર અરજીઓ કરીને એસસી, એસટી, ઓબોસીના બંધારણીય અધિકારોનું જતન કર્યું હતું.

નવી પેઢીના યુવાનો માટે વાલજીભાઈનું નામ સાવ અજાણ્યું હોઈ શકે છે. કેમ કે તેઓ અખબારી નિવેદનો અને ટીવી ડીબેટોમાં જોવા મળતા નથી. ફેસબુક પર પોસ્ટો લખી લખીને લોકસેવા થાય એવી કોઈ સમજણ વાલજીભાઈ ધરાવતા નથી..

પ્રસ્તુત છે એમના કામની એક નાનકડી રૂપરેખા

- એકતાનગરના ઝુંપડાઓનુ જતન
1999માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના દાણીલીમડાના એકતાનગરના 300 ઝુંપડાઓ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. એકતાનગરમાં હિન્દુ, મુસ્લિમ, દલિતો દાયકાઓથી સાથે રહેતા હતા. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિશે હાઇકોર્ટમાં જઇને કોર્પોરેશનના આદેશ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો.

- મેરિટમાં આવતા એસસી, એસટી, ઓબીસી માટે પીટિશન
વર્ષ 2000માં રાજ્યની મેડિકલ કોલેજોએ અનામત કેટેગરીના મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જનરલમાં પ્રવેશ આપવાના રાજ્ય સરકારના પરિપત્રનો ધરાર ભંગ કરીને અનામતની યાદીમાં નાંખ્યા ત્યારે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીઆઈએલ કરીને મનાઈહૂકમ મેળવ્યો હતો.

- ગુજરાત જાહેર સેવા આયોગ સામે પીટિશન
વર્ષ 2000માં ગુજરાત જાહેર સેવા આયોગે લેખિત પરીક્ષા પાસ કરનારા એસસી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યા હતા. આયોગે અનામત કેટેગરીને અપાયેલા પાંચ વર્ષના એક્સટેન્શનને રદ કરવાના સરકારના પરિપત્રનો હવાલો આપ્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં આયોગના નિર્ણયને પડકાર્યો હતો અને રદ કરાવ્યો હતો.

- બિન-અનામત ઉમેદવારોથી અનામત બેઠકો ભરવા સામે મનાઈ હૂકમ
વર્ષ 1990માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને અનામત કેટેગરીમાં બિન-અનામત ઉમેદવારોની નિમણૂંક કરવાની છૂટ આપી હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં રજુઆત કરી કે અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં અનામત બેઠકો પર બિન-અનામત ઉમેદવારોની જાણીબૂઝીને નિમણૂંક કરવામાં આવે છે. હાઇકોર્ટે સરકારના પરિપત્રને રદ કર્યો હતો.

- અનૂસૂચિત જાતિ વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર
અનુસૂચિત જાતિઓના 1300 અરજદારોમાંથી 300ને રીક્ષાઓ ફાળવવાની અનુસૂચિત જાતિ વિકાસ નિગમની મનસ્વી પદ્ધતિ સામે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી અને સરકારને નવેસરથી ફાળવણી કરવાનો હુકમ થયો હતો.

- બાબાસાહેબના ગ્રંથો માટે હાઇકોર્ટમાં ધા
1998માં સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથોને ગુજરાતીમાં પ્રગટ કરવા માટે રૂ. 20 લાખ ફાળવ્યા હતા. પહેલો ખંડ 1993માં પ્રગટ થયો હતો. શંકરસિંહ વાઘેલા અને દિલિપ પરીખ, બબ્બે મુખ્યમંત્રીઓએ વારાફરતી જાહેર કાર્યક્રમોમાં માત્ર દેખાવ ખાતર લોકોને ઉલ્લુ બનાવવા થોડીક કોપીઓ છાપીને વિમોચન કરી નાંખ્યું હતું. પછી છેક 1998 સુધી એક પણ સરકારી ડેપોમાં એક પણ કોપી ઉપલબ્ધ થઈ ન હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં જઈ દાદ માંગી હતી અને કોર્ટે સરકારને તમામ ગ્રંથો અગ્રતાના ધોરણે છાપવા તેમ જ તમામ વોલ્યુમ સરકારી બુકસ્ટોલ્સ પર મુકવા આદેશ કર્યો હતો.

(to be continued.....

August 27, 2017

તરણેતર ના મેળા મા "એક ગાય નુ દર્દ"

By Vishal Sonara || 27 Aug 2017 at 10:29

આપણા ગુજરાત ના પ્રખ્યાત તરણેતર ના મેળા મા આ વખતે એક ગુજરાત ના ગૌ ચાહકો માટે આયનો દેખાડતો એક સ્ટોલ જો કદાચ કોઇ મેળા મા ગયુ હોય તો એ જોયો હશે. 

આ સ્ટોલ ની ખાસીયત હતી "એક ગાય નુ દર્દ"

જ્યારે નજર સામે ગાય કચરો ખાતી હોય ત્યારે કચરા મા આપણે જ નાખેલુ પ્લાસ્ટીક પણ એના પેટ મા જતુ હોય એ જો દેખાતુ ન હોય તો કયા મોઢે ગાય ને પુજનીય માનવાનો ઢોંગ થઈ રહ્યો છે?

ગાયો ને ચરવા માટે ની ગૌચર ની સુવીધા કાયદા દ્વારા આપવામા આવે છે પણ એ ગૌચર અત્યારે ક્યા છે એ પ્રશ્ન કોઇ પણ ગૌસેવા વાળા કે ગાય પ્રેમી જનતા એ ઉઠાવ્યો નથી. 

પણ જો ગાય ના મુદ્દા પર મુસલમાન કે દલિત પર અત્યાચાર કરવાનો મોકો મળે તો કહેવાતા ગૌરક્ષકો એક પણ મુદ્દો છોડવા તૈયાર નથી. 

આ કહેવાતા ગૌરક્ષકો અને ગાય પ્રેમી જનતા ને સાચુ ચીત્ર દેખાડવાના એક પ્રયાસ સ્વરુપે આપણા કર્મનીષ્ઠ વ્યક્તિ નટુ ભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા ગુજરાત ના ઐતીહાસીક કહેવાતા એવા તરણેતર ના મેળા મા ફક્ત ગાય માટે જ એક સ્ટોલ નાખવામા આવ્યો હતો.

જેમા ફોટા મા જોઇ શકાય છે એમ એક ગાય ની પ્રતીકૃતી રાખવામા આવેલ હતી અને એના પેટ મા મૃત ગાય ના પેટ માથી નીકળેલ પ્લાસ્ટીક ની થેલીઓ અને પ્લાસ્ટીક નો કચરો કે જે ગાયો માટે મરણતોલ બની રહે છે. એ રાખવામા આવેલ. તથા એ જ પ્લાસ્ટીક ને ડીસ્પ્લે મા લોકો જોઇ શકે એ માટે રાખવામા આવેલ હતુ.

અમુક કહેવાતા ગૌસેવકો મોઢુ મચકોડી ને કદાચ એ સ્ટોલ આગળ થી પસાર થઈ શકે છે પણ જે લોકો ને સાચે જ ગાય ની પડી છે એ લોકો માટે આ એક વિચારવા માટે નો તણખો પુરો પાડે એવુ પ્રદર્શન નટુ ભાઈ અને એમની ટીમ દ્વારા કરવામા આવેલુ હતુ.