June 13, 2017

યયાતીપુત્રી માધવી : નારીના યૌન શોષણની એક પૌરાણીક કથા

By Rushang Borisa

✴ "મહાન" આર્ય-સંસ્કૃતિ ....(કન્ટીન્યુડ) ✴


આર્ય-સંસ્કૃતિ દુનિયાની પ્રાચીન અને "મહાન" સંસ્કૃતિમાં સ્થાન ધરાવે છે. હિન્દુવાદીઓ આર્ય-સંસ્કુતિને "સર્વશ્રેષ્ઠ" દર્શાવી જ્યાં-ત્યાં પ્રચાર કરતા જોવા મળે. વળી ,ધર્મના ઠેકેદારોનો નારો હોય છે કે "ભવ્ય" સંસ્કૃતિ તરફ પાછા વળો અને વિદેશી સંસ્કૃતિથી દૂર રહો.

ચાલો , ફરી "ભવ્યાતિભવ્ય" સંસ્કૃતિના દર્શન કરીયે ...અને આ જ્ઞાનરૂપી પ્રકાશ નો ફેલાવો પણ કરોયે..

✪  બેકગ્રાઉન્ડ 

⟹ પાંડવોના પૂર્વજ- "રાજા યયાતિ".
⟹ યયાતિના પુત્રી- "માધવી".
⟹ મહર્ષિ વિશ્વામિત્રના શિષ્ય - મહાબ્રાહ્મણ "ગાલવ".

✳ મહાભારત > ઉદ્યોગપર્વ 

{કદાચ કથાની શરૂઆતમાં "ગણેશ"નું નામ લેવાતું હશે; પણ અહીં લાગણીને માન આપી માત્ર "ૐ" વડે શરૂઆત કરીયે.}

-: ૐ :-

એક સમય વિહાર કરતા-કરતા રાજા યયાતિનો ભેટો મહાન "બ્રાહ્મણ ગાલવ" સાથે થાય છે."બ્રાહ્મણ ગાલવ" વેદો-શાસ્ત્રોમાં નિપુણ હોય મહાજ્ઞાની હોય છે. રાજા યયાતિ જ્ઞાનપ્રાપ્તિ માટે "બ્રાહ્મણ ગાલવ" ને વિનંતી કરે છે. "બ્રાહ્મણ ગાલવ" રાજાને જ્ઞાન પીરસી યયાતિ પાસે દક્ષિણાની માંગણી કરે છે.યયાતિ એક બાદ એક કિંમતી વસ્તુઓ દાન કરે છે. છતાં "બ્રાહ્મણ ગાલવ" સંતુષ્ટ થતા નથી. આખરે રાજા યયાતિ પોતાની પુત્રી "માધવી" બ્રાહ્મણને દાનમાં આપે છે. "બ્રાહ્મણ ગાલવ" રાજાને આર્શીવાદ આપી વિદાય લે છે.

  • માધવી પુખ્ત વયે પહોંચતા "બ્રાહ્મણ ગાલવ" આ તરુણીને અયોધ્યાના રાજા હરિયાશ્વ (રામના પૂર્વજ)ને "કામચલાઉ" માટે દાનમાં આપે છે. કામચલાઉ એટલા માટે કારણ કે "બ્રાહ્મણ ગાલવે" રાજા પાસે શરત મૂકી હોય છે કે પુત્રપ્રાપ્તિ બાદ માધવીને પરત કરવા. અયોધ્યાના રાજા માધવી સાથે સંભોગ કરી "વાસુમાન" નામક પુત્ર પેદા કરે છે.જયારે "બ્રાહ્મણ ગાલવ"ને આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ રાજા પાસેથી માધવીને પરત મેળવે છે.સાથે રાજા પાસેથી અઢળક ધન પણ મેળવે છે.
  • એક વખત ભ્રમણ કરતા કરતા "બ્રાહ્મણ ગાલવ"નો ભેટો કાશીના રાજા દેવોદાસ સાથે થાય છે. રાજા દેવોદાસને પુત્ર હોતા નથી. "બ્રાહ્મણ ગાલવ" દેવોદાસને માધવી દાનમાં આપે છે.દેવોદાસ માધવીને ભોગવીને "પ્રતદાન" નામક બાળક પ્રાપ્ત કરે છે. "બ્રાહ્મણ ગાલવ" રાજા પાસેથી અઢળક સંપત્તિ દાનમાં મેળવે છે ...સાથે સાથે માધવીને પણ પરત મેળવે છે.
  • "બ્રાહ્મણ ગાલવ"ને તો હવે ધન-ઢોર પ્રાપ્ત કરવા માટેનો "શોર્ટકટ" મળી ગયો. ફરી તેઓ માધવીને ભોજરાજ "ઉશનર" પાસે મોકલે છે.ભોજરાજા માધવી સાથે સંભોગ કરી "શિવ" નામક પુત્રને પ્રાપ્ત કરે છે. ભોજરાજા અઢળક અશ્વો-સંપત્તિની સાથે માધવીને "બ્રાહ્મણ ગાલવ" પાસે પરત મોકલે છે.
  • આ વાતની જાણ બ્રાહ્મણના ગુરુ વિશ્વામિત્રને થતા વિશ્વામિત્ર પોતાના શિષ્ય પાસે દક્ષિણામાં "માધવી" ને માગે છે. આ સાથે અંતિમ વખત "બ્રાહ્મણ ગાલવ" પોતાના ગુરુને માધવીનું દાન કરે છે. બાદમાં..મહર્ષિ વિશ્વામિત્ર માધવીને ભોગવે છે.વિશ્વામિત્ર અને માધવીના પુત્ર- ઋષિ અષ્ટક


...કોણ જાણે બદનસીબ માધવી સાથે ભવિષ્યમાં શું-શું થયું હશે!

✘✘✘ =કથા સમાપ્ત= ✘✘✘

હવે,હું કશું કહી શકું તે સ્થિતિમાં નથી...બસ એટલું કહીશ કે "વ્યભિચાર" એ મહાન આર્ય-સંસ્કૃતિનો મૂળભૂત હિસ્સો હતો.

અસ્તુ....

- રુશાંગ બોરીસા
(Photo from deviantart .com )




Full Story is described in Mahabharata, Udyog Parv, Sections 106-123


(Created By Vishal Sonara)

બાબા સાહેબ વિશેનું વાંચન એ કાચી માટીના ધડાને પકવી મજબુત અને નક્કર માટીના ધડા બનાવતા કુંભારના નિંભાડા જેવું છે. જેના પર ટકોરા લગાવતા જ રણકાર પેદા થાય.

By Jigar Shyamlan
બાબા સાહેબે જબરજસ્ત સંધઁષ કરીને પરિવારના ભોગે અપાવેલ અધિકારોથી પછાત સમાજના લોકો શિક્ષણ પામ્યા. ગળામાં લટકતી કુલડી અને પાછળ લગાવેલ સાવરણો તથા ફાટેલાને મેલાદાટ ચીંથરાને બદલે સુટબુટ પહેરતા થયા.
જે સમાજને કોઈ ગણતુ ન હતું આજે એમાંથી જ કેટલાક તો લોકસભાને વિધાનસભાઓમાં પણ ચુંટાયા અને લોક પ્રતિનિધી બનવાની તક પામ્યા.
જે લોકો સેવા, મજુરી અને વેઠ કરતા હતા પણ આજે સારી નોકરીઓ મેળવી બે પાંદડે થયા. રહેવા માટે ફાટી તુટી ઝુંપડી હતી હવે તો કેટલાકે તો આલિશાન બંગલાઓ બનાવ્યા છે. આખા ગામમાં પગપાળા ચાલતા હતા હવે મોંઘી મોંઘી ગાડીઓ ખરીદી તેમાં ફરે છે.
પહેલા કોઈ કિંમત ન હતી આજે કેટલાક લોકોએ તો સમાજમાં સારી પ્રતિષ્ઠા અને લાગવગ બનાવી ચુક્યા છે.
ટુંકમાં સામાજિક રીતે, આથિઁક રીતે અને શારીરીક તેમજ માનસિક રીતે પહેલા કરતાં ઘણાં જ સુખી બન્યા છે.
પણ.....??????
બાબા સાહેબના સંધષઁને સદંતર જ ભુલી ચુક્યા છે. સૌ પોતાનો ભુતકાળ સાવ જ વિસરી ચુક્યા છે.
શિક્ષીત બન્યા પરંતુ સંગઠિત બની શક્યા નથી માટે યોગ્ય રીતે સંઘષઁ કરી શકતા નથી....
આજે પછાત સમાજ બાબા સાહેબને ભુલીને જુદીજુદી જ્ઞાતિ, જાતિ, વાડા, પરગણા અને ગોળના ચક્કરમાં ફસાયેલો છે.
બાબા સાહેબ માત્ર ચૌદમી એપ્રિલ અને છઠ્ઠી ડિસેમ્બર પુરતા યાદ કરવાનું બહાનુ બની ગયા છે.
એ સિવાય જ્યારે કોઈ ઉનાકાંડ કે એને ભળતા અત્યાચારોના બનાવો સામે આવે ત્યારે જ બાબા સાહેબની યાદ આવે છે.
બાબા સાહેબ સૌને માફ કરી દેજો કારણ હજી પણ તમારા વિચારોને યોગ્ય રીતે સમજી શક્યા નથી. તમારી વાતો અને વિચારો સાંભળવા અને વાંચવા ગમે છે પરંતુ એના પર અમલ કરી શકીએ તેટલા સક્ષમ બની શક્યા નથી.
હજી પણ હોમ, હવન પુજા પાઠ, બાધા માનતાના ચક્કરમાંથી બહાર આવી શક્યા નથી....
આપ ફરીવાર નહી આવો એ જાણવા છતાં પણ તમારા વિચારો પર અમલ કરી પોતાનો ઉધ્ધાર સ્વયં કરી તમને ખરી શ્રધ્ધાંજલી આપવાના બદલે હજી પણ તમે ફરી અવતાર લઈ ઉધ્ધાર કરશો તેની રાહ જોઈ રહ્યા છે. બાબા સાહેબ તમને સૌ શોધી રહ્યા છે.
સૌને બાબા સાહેબમાં રસ છે પણ માત્ર વોટ્સએપ્પના મેસેજો અને ફેસબુકની પોસ્ટોમાં લાઈક કમેન્ટ કરવામાં પુરતો.
કોઈને બાબા સાહેબને વાંચવા નથી, એમના વિચારોને સમજવાની તસ્દી લેવી નથી.
આ અવસ્થા અત્યંત ગંભીર છે. હું દરેક વ્યક્તિ એમને એમ આંબેડકરવાદી બની જાય તેવું ઈચ્છતો નથી. કોઈ પણ કુંભાર ચાકડા પર માટીનો પિંડ મુકીને તેને હાથેથી સરસ આકાર આપીને માટીનો ધડો
બનાવે પછી તેને ચાકડા પરથી ઉતારી તેમાં તરત જ પાણી ભરતો નથી. એમ કરવાથી માટીમાંથી બનેલ ધડો કાચો હોવાથી તરત જ ફુટી જાય અને પાણીનો સંગ્રહ નથી કરી શકતો. માટીના ધડો પાણીનો સંગ્રહ કરવા સક્ષમ બને એ માટે એને નિંભાડામાં ધાસ અને લાકડા સાથે મુકીને સળગાવી બરાબર રીતે પકવવામાં આવે છે. અમુક કલાકો સુધી નિંભાડામાં રહ્યા બાદ તે જ કાચી માટીનો ધડો એક નક્કર ધડો બનીને તૈયાર થાય છે.
એટલે જ્યાં સુધી બાબા સાહેબને વાંચ્યા નથી, તેમના વિચારોને સમજ્યા નથી ત્યાં સુધી આપણે સૌ પેલી કાચી માટીના ધડા જેવા જ છીએ.
પહેલા બાબા સાહેબનું વાંચન કરીએ, તેમના વિચારોને સમજવાની કોશિશ કરીએ જ્યાં સુધી આ પ્રક્રીયામાંથી પસાર નહી થઈએ ત્યાં સુધી આપણે કાચી માટીના ધડા જ બની રહીશું.
જે નાની અમથી પાણીની ધાર થતા જ તુટી જશેને વિખરાઈ જશે.
બાબા સાહેબ વિશેનું વાંચન એ કાચી માટીના ધડાને પકવી મજબુત અને નક્કર માટીના ધડા બનાવતા કુંભારના નિંભાડા જેવું છે. જેના પર ટકોરા લગાવતા જ રણકાર પેદા થાય.
- જિગર શ્યામલન



Facebook Post:-