Showing posts with label Revolution. Show all posts
Showing posts with label Revolution. Show all posts

July 31, 2018

સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 5 May 2018


રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.

આપણે રાજનીતિક ક્રાન્તિ કરીને હુકમરાન બનવાના દિવાસ્વપ્નો જોઈયે છીએ. બહુજન અને બહુ સંખ્યક સમાજને રાજનીતિક ક્રાન્તિ કરીને સત્તાધારી બનવું છે.
દરેકને ક્રાન્તિ કરવી છે, પણ આ ક્રાન્તિ ક્યારે, કઈ રીતે, કોના દ્વારા અને ક્યા સાધન વડે લાવી શકાશે તે બાબતે સ્પષ્ટ નથી. આપણાં ક્રાન્તિના ખ્યાલો સ્પષ્ટ નથી. લોક આંદોલન અને ક્રાન્તિ એ બન્ને વચ્ચે ભેદ છે. આંદોલન ક્ષણિક આવેગનુ પરિણામ છે જ્યારે ક્રાન્તિ લાંબાગાળાના ચિંતન અને રણનિતીનુ પરિણામ. 
કોઈપણ જડ વ્યવસ્થાને ધરમૂળથી સદાને માટે બદલવા માટેની ધીમી પણ મક્કમ કવાયત એટલે જ ક્રાન્તિ. ક્રાન્તિનો જન્મ મસ્તિષ્ક થાય છે અને અંત હ્યદયથી, પણ આપણે આંદોલનને ક્રાન્તિમાં ગણાવી નાખવા ઉત્સુક છીએ.
રાજનીતિક ક્રાન્તિ એ પ્રભાવશાળી શબ્દ છે. જે દેખીતી રીતે જ વર્ચસ્વ અને પાવર તેમજ શક્તિ સાથે સંકળાયેલો છે. 
એક વાત સ્પષ્ટ છે કે રાજનીતિક ક્રાન્તિ એ માત્ર એક રિઝલ્ટ છે જે સામાજીક અને ધાર્મિક ક્રાન્તિની પરિક્ષા આપ્યા સિવાય પ્રાપ્ત થવાનું નથી. રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
આ વાત સાથે કેટલાક સંમત હશે અને કેટલાક સંમત નહી હોય. જે સંમત ન હોય તેઓને બાબા સાહેબને વાંચવાની ભલામણ કર્યા વિના અન્ય ઉપાય નથી.


હવે પછીના તમામ વિચાર બાબા સાહેબના છે. 
"સામાન્ય રીતે ઈતિહાસ એ પ્રસ્તાવને સમર્થન આપે છે કે રાજનીતિક ક્રાન્તિઓ હંમેશા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરવામાં આવેલ ધાર્મિક સુધાર યુરોપના લોકોની રાજનીતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. ઈગ્લેન્ડમાં પ્યૂરિટનવાદને કારણે રાજનીતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે જ નવા વિશ્વની સ્થાપના કરી. પ્યૂરિટનવાદે જ અમેરીકી સ્વાતંત્રતા સંગ્રામ જીત્યો હતો. પ્યૂરિટનવાદ એક ધાર્મિક આંદોલન હતું.
આ જ વાત મુસ્લિમ સામ્રાજ્યોના સબંધમાં પણ સાચી છે. આરબ રાજનીતિજ્ઞો સત્તા બન્યા એ પહેલા મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા આરંભાયેલ સંપૂર્ણ ધાર્મિક ક્રાન્તિમાંથી પસાર થયા હતા.
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે. ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનીતિક ક્રાન્તિની પહેલા ભગવાન બુધ્ધની ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. શિવાજીના નેતૃત્વમાં રાજનીતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક સુધારા બાદ જ થઈ હતી.
શીખોની રાજનીતિક ક્રાન્તિની પહેલા ગુરૂ નાનક દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી.
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરૂરી છે. આ દ્રષ્ટાંતોથી એક વાત પ્રગટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનીતિક વિસ્તાર માટેની પ્રથમ જરૂરીયાત છે."
(बाबा साहब आंबेडकर संपूर्ण वाग्ड्मय खंड -1, पेज नं- 61 & 62)
બસ.. હવે હુકમરાન સમાજ બનવા કે બનાવવાની ખેવના રાખનારા લોકોએ પોતાના ઘરોની દિવાલો પર જઈને એક વાત સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી નાખવી જોઈયે કે રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
- જિગર શ્યામલન

July 11, 2018

नारे संगठनों की पहेचान होते हैं

By Raju Solanki  || Written on 6 July 2018




संगठन नारों से नहीं चलता, मगर नारे संगठन की पहेचान होते हैं. दलित पेंथर्स की 1973 में सबसे पहली रैली के नारों के बारे में जे. वी. पवार उनकी किताब Dalit Panthers: An Authoritative History में लिखते हैं कि, “हमने स्टान्डर्डाइझ्ड स्लोगन्स का निर्णय लिया. कारण यह था कि हमारे कुछ साथी उनको जो नारे अच्छे लगते थे उसे बोलते थे. उनमें से कुछ अशिष्ट (indecent) भी होते थे.” भायखल्ला मार्केट के पास एक होटल में बैठकर जे. वी. और महातेकर ने रैली के लिए स्लोगन्स लिखे.

स्लोगन कुल मिलाकर उन्नीस थे. आप यह पढकर खुद तय किजीए कि आज के आंदोलनों में क्या ऐसे कोई स्लोगन बोले जाते हैं?
1. दलित पैंथर झींदाबाद,
2. क्रान्तिबा फूल्याचा विजय असो,
3. आनु आनु समतेचे राज्य आनु,
4. डो. बाबासाहेब आंबेडकर विजय असो,
5. दलितांची सत्ता, जनतेची सत्ता,
6. गाडु गाडु, हिन्दुत्व गाडु (हम हिन्दुत्व की विचारधारा को दफना देंगे)
7. हम उस देश के दुश्मन है, जहां नारी की इज्जत खतरे में हैं.
8. बोल दलिता, हल्ला बोल
9. लानी है, लानी है, हमें आझादी लानी है,
10. इस देश का क्या है नाम? भारत या हिन्दुस्तान?
11. आमदार, खासदार, जमीनदारों की औलाद (धारासभ्य, सांसद जमीनदारों की औलाद है)
12. उन्हें देश बेचना है, हमें देश बचाना है,
13. गोलीला दलित, पोलिला भट्ट (दलित को गोली, ब्राह्मण को पुरणपोळी)
14. जीथे गडतो एर्नागांव बावडा, त्या देशच्या छातीत रावडा (जिस देश में एर्नागांव बावडा जैसी घटना होती है, उस देश की छाती में आग लगती है)
15. जो देश को तोडते है, उस महात्मा कहते है
16. नई रोशनी लाई है, देश में आग लगाई है. (इन्दिरा गांधी के बारे में)
17. उठ दलिता भूखा कंगाल, बंदूकीला हाथ झाल,
18. दलित गुलाम देश गुलाम, दलित स्वतंत्र देश स्वतंत्र,
19. अबाउट टर्न, अबाउट टर्न, महार बटालीयन अबाउट टर्न (पुलीस ने इस स्लोगन का कडा विरोध किया था, कहेते थे यह स्लोगन राजद्रोह है.)

July 07, 2018

ખાનપરના દલિતોની સ્મશાનભૂમિ માટેની લડાઈ

By Raju Solanki  || Written on 26 May 2018


ગયા વર્ષે બરોબ્બર આ જ સમયે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોરબી જિલ્લાના ખાનપર ગામના દલિતોએ મારો દરવાજો ખખડાવેલો. આંખો લાલચોળ ને ઉંઘથી ભરેલી. ધૂળિયા, અસ્તવ્યસ્ત કપડાં. રાત માથે લઇને બસોથી વધારે કિલોમીટરની મુસાફરી કરીને તેઓ અમદાવાદ આવેલા. થોડોક પોરો ખાઈ એમાંના એકે ધીમા, ધ્રૂજતા અવાજમાં માંડી હતી એમની વિતકકથા, જે આજે પણ રડાવી રહી છે ગુજરાતના ગામડાઓમાં વસતા લાખો દલિતોને.

એમના ગામના પ્રભુત્વશીલ પટેલોએ એમની સ્મશાનભૂમિ નષ્ટ કરી હતી. પટેલોનો દાવો હતો કે એ જમીન એમના બાપદાદાઓની હતી. ખરેખર તો રાજાશાહીના વખતમાં આ જમીન ખળાવાડની હતી અને આઝાદી પછી સાર્વભૌમ, પ્રજાસત્તાક સરકારની માલિકીની જ ગણાય. ખાનપરના દલિતો પાસે આના પુરાવારૂપે ગુજરાત હાઇકોર્ટનો એક ચૂકાદો પણ હતો. પરંતુ, પટેલો આ જમીન પર એમનો કોમ્યુનિટી હૉલ બનાવવા માંગતા હતા. અને આ સરકારી જમીન રેવન્યૂ દફતરે ‘કબ્રસ્તાન’ તરીકે નોંધવાની એક પુખ્ત અને ન્યાયી પ્રક્રિયા પછી પણ પટેલો તેને યેનકેન પ્રકારેણ ‘વિવાદગ્રસ્ત’ બનાવવા માંગતા હતા.
ખાનપરના દલિતોએ મારી સમક્ષ રજુ કરેલા તમામ દસ્તાવેજોના આધારે હું તૂર્ત જ એ ફરિયાદનો મુસદ્દો ઘડવા બેઠો. જમીન ‘કબ્રસ્તાન’ તરીકે નીમ કરવા માટેનો ગ્રામ પંચાયતનો ઠરાવ, જમીનની માપણીનો નકસો, જમીન સરકારી હોવાનું દર્શાવતું 6 હક્કપત્રક, જમીન અધિકારીનું ‘બિન-વાંધા પ્રમાણપત્ર’, સર્કલ ઇન્સપેક્ટરે ભરેલું ચેકલસ્ટ, ટીડીઓ અને મામલતદારે સંયુક્ત રીતે ભરેલું ચેકલિસ્ટ, દલિતોને જમીનની ફાળવણી કરતો નાયબ કલેક્ટરનો હુકમ. તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હતાં અને છતાં ભાજપના સાંસદ મોહન કુંડારીયાના માત્ર એક પત્રથી સમગ્ર પ્રક્રિયા ખોરંભે પડી હતી. પટેલ જાતિના કલેક્ટરે સમગ્ર ફાઇલ ગાંધીનગરમાં ‘અભિપ્રાય અર્થે’ મોકલી દીધી.
સંવર્ધિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો, 2015ની કલમ (1) (ઝેડ-એ) અને કલમ (1) (એફ) હેઠલ કલેક્ટર તથા નાયબ કલેક્ટર સામે ફરિયાદનો મેં મુસદ્દો તૈયાર કરી દીધો. ફરિયાદ કોના નામે કરવી એના અંગે ખાનપરના દલિતોમાં મતભેદ પડ્યા, કેમ કે ગામ સામે લડવાનું હતું. છેવટે રમેશ દુદાભાઈ પરમાર નામના બહાદુર યુવકે પોતાના નામે ફરિયાદ કરવા સંમતિ આપી. ફરિયાદના પ્રથમ જ મુદ્દામાં મેં ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ ‘અસ્પૃશ્યો અથવા ભારતીય વાડાના બાળકો,’માં ઉજાગર થયેલા ઐતિહાસિક તથ્યનો નિર્દેશ કર્યો હતો. જેમાં જણાવેલું કે, 1901માં જ્યારે ત્રીજી વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સેન્સસ કમિશનરે અછૂતોને અલગ તારવવા માટે દસ માપદંડોનો ઉપયોગ કરેલો, જેમાં નવમો માપદંડ એ હતો કે “તેઓ તેમના મૃતક સ્વજનોને દાટે છે.” (they bury their dead.)
બીજા દિવસે અમે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામ પરમારને મળવા ગાંધીનગર ગયા હતા. મંત્રીનો પ્રથમ પ્રતિભાવ જ અત્યંત અપમાનજનક હતો. સહાનુભૂતિ દાખવવાના બદલે તેમણે ખાનપરના દલિતોને ઉલ્ટો પ્રશ્ન કર્યો કે “તમે લોકો શા માટે દફનાવો છો, બાળતા કેમ નથી?” ભારતના ગામડાઓમાં સદીઓથી દલિતોને ક્યારેય એક ઇંચ જમીન મળી નથી, જેના પર તેઓ તેમના સ્વજનોની અંતિમ ક્રિયા કરી શકે. સવર્ણ હિન્દુઓ કે મુસલમાનોની જેમ દલિતો પાસે બાળવા કે દાટવા માટે કોઈ અલગ કબ્રસ્તાન ⁄ સ્મશાનભૂમિ નથી. અને સવર્ણ હિન્દુઓ દલિતોને એમના સ્મશાનમાં ઘુસવા દેતા નથી. શહેરોમાં પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ ગામડાઓમાં હજુ પણ આ સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી. અને અહીં એક દલિત મંત્રી એના પોતાના સમુદાયના લોકોને એક અસંભવ કામ કરવાનું જણાવી રહ્યા હતા.
મંત્રી પોતે જ્યારે કલેક્ટર સામે પગલાં ભરવા તૈયાર નહોતા, ત્યારે હાઇકોર્ટમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ અમારી પાસે નહોતો. મેં મારા વકીલ મિત્ર ગીરીશ દાસને ખાનપરનો કેસ હાથ ધરવા વિનંતી કરી હતી. દાસ અગાઉ રચના સ્કુલના કેસમાં ગરીબ વાલીઓને ન્યાય અપાવવામાં સફળ થયા હતા. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં. 22244 (2017) દાખલ કરી, જેમાં ગુરજાર સરકાર, મોરબી જિલ્લા કલેક્ટર અને મામલતદાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમ જ ખાનપરના સરપંચને પક્ષકારો બનાવવામાં આવ્યા. 22 ડીસેમ્બર, 2017એ ન્યાયમૂર્તિ શ્રી. આર. એમ. છાયાએ અરજદારની પ્રેયરના આધારે અધિક મુખ્ય સચિવને આદેશ કર્યો કે તેઓ મૃતકોના દફન માટે જમીન ફાળવવા સહિતની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવા કલેક્ટરને આદેશે. આ પ્રક્રિયા ચાર મહિનામાં પૂરી કરવાની હતી અને જો ના થાય તો કલેક્ટર સહિતના કસુરવાર અધિકારી સામે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવાની હતી. અદાલતે ફાળવણીની પ્રક્રિયાનો પ્રોગ્રેસ રીપોર્ટ પણ રજુ કરવા અધિક મુખ્ય સચિવને આદેશ કર્યો હતો.
ચૂકાદો બિલકુલ સ્પષ્ટ અને અસંદિગ્ધ હતો, છતાં મોરબીના કલેક્ટરે દલિતોને નદીના પટમાં જમીન ફાળવવાનો જુદો જ આદેશ કર્યો. ગ્રામજનોની ધમકીઓથી અને વહીવટીતંત્રની ઉપેક્ષાથી પરેશાન દલિતો પાછા અમદાવાદ આવ્યા હતા. અમે ફરી વકીલ ગીરીશ દાસ સાથે બેઠક કરી અને નક્કી કર્યું કે આ વખતે ખાનપરમાં જો કોઈ દલિતનું મરણ થાય તો કલેક્ટરે ફાળવેલી નવી જગ્યાએ દફન કરવાના બદલે દલિતો મૃતકની લાશને લઇને સીધા કલેક્ટર કચેરીએ ધરણા જ કરશે અને જ્યાં સુધી અગાઉના આદેશ પ્રમાણેની નક્કી કરેલી જગ્યા નહીં ફાળવવામાં આવે ત્યાં સુધી દલિતો સત્યાગ્રહ ચાલુ રાખશે. દલિતોએ આ અંગે ચેતવણી આપતો પત્ર પણ કલેક્ટરને મોકલી દીધો હતો.
સંયોગવશાત 9 મે, 2018એ ખાનપરમાં એક દલિત વૃદ્ધનું મૃત્યુ થયું હતું. નક્કી કર્યા પ્રમાણે દલિતો તેમની લાશ લઇને કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા. તેમના આ મરણીયા પગલાંથી કલેક્ટર, જિલ્લા પોલિસ વડા સહિતનું સમગ્ર વહીવટીતંત્ર ખળભળી ઉઠ્યું હતું. ગામના પટેલો પણ દલિતોના વિરોધમાં રજુઆત કરવા પહોંચી ગયા હતા. ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. માધ્યમોમાં ઘટનાની નોંધ પણ લેવાઈ હતી. હવે દલિતોને તેમની મૂળ જગ્યાએ કબ્રસ્તાન માટેની જમીન ફાળવ્યા સિવાય કલેક્ટરનો છૂટકો નહોતો.
આ કથા છે ગુજરાતની, જ્યાં ભાજપ છેલ્લા બે દાયકાથી શાસન કરે છે. અહીં દલિતોને તેમના સ્વજનોની અંતિમ વિધિ માટે નાનકડા જમીનના ટુકડા માટે પણ મરણીયા થઈને લડવું પડે છે.
- Raju Solanki

Read In English: Fight for the burial ground



Facebook post :- 

July 02, 2018

Fight for the burial ground

By Raju Solanki  || 21 May 2018




Last year just around this time, some Dalits from village Khanpar of district Morbi knocked on my door. Eyes were sleepy and tired, clothes were crinkly and dusty. Started at midnight, they restlessly, travelled whole night, covered more than 200 km. In pale, quivering voice one of them narrated their agonising story: a spectre squeezing lives of millions of Dalits in villages of Gujarat.

Their graveyard was demolished by dominant Patels of the village claiming that the land in question belonged to their forefathers’. In fact, Patels wanted to build their own community hall on the graveyard of Dalits and even after a considerate, diligent process of naming the land as the graveyard on revenue record, Patels were trying to make the land ‘disputed.’


I immediately sat down to write a complaint on the basis of all the documents: the resolution of village panchayat to allot land for the graveyard, the map showing the measurement of land, a record of rights no. 6, application to the collector, ‘no objection certificate’ of the land officer, the checklist of circle inspector, the checklist jointly filled by TDO/Mamlatdar, letter of deputy collector allotting the land. The whole legal process was duly followed. But, a letter written by Mohan Kundariya, the MP of BJP to the collector derailed the entire process. Collector I K Patel sent the file to Gandhinagar for the second opinion.

I drafted the complaint against the collector and his deputy under section (1) (za) and section (1) (f) of Scheduled Caste and Scheduled Tribes (prevention of atrocities) Act, 2015. In the complaint, I mentioned the historical truth highlighted by Dr Babasaheb Ambedkar in his book, ‘Untouchables or children of India’s ghetto.’ In the third census in the year 1901, the census commissioner decided ten criteria to identify untouchables and ninth criteria was that, ‘they bury their dead.’

Next day we met Mr Atmaram Parmar, the minister of Social Justice and empowerment in Gandhinagar. The first reaction of the minister was insulting. He asked Dalits of Khanpar why they bury their dead instead of cremating. In Indian villages, since centuries Dalits have never been granted even a centimetre of land where they can fulfil last rites of their kith and kin. Like Muslims and Caste Hindus there is no definite place for burial/crematorium of Dalits. Hindu civilization has never cared for sentiments of Dalits. And here a Dalit minister of BJP was suggesting his own community people do the impossible.

As the minister was not ready to take action against the collector, High Court was the last resort. I requested my advocate Girish Das to take up the case and he filed special civil no. 22244 of 2017 in which state of Gujarat, collector and mamlatdar of Morbi, additional chief secretary of the revenue department and sarpanch of Khanpar village were made parties. On 22 December 2017, Justice R. M. Chhaya passed oral order, on the basis of the prayer of the petitioner, directed additional chief secretary revenue department to direct the collector to see the entire procedure including physical possession of the allotted land for the burial of dead bodies. The process to be completed within 4 months from the order of these Hon’ble court failing which necessary discipline proceedings to be initiated against the airing officer including collector in the interest of justice. The Court also directed the additional chief secretary to submit the progress report of the allotment process.

Though the judgement was very clear and unambiguous, the collector of Morbi gave another order allotting land of the burial ground in the bank of a river. Threatened by villagers and intimidated by the administration, the Dalits of Khanpar again rushed to Ahmedabad. We again held a meeting with our advocate and decided that this time if anybody dies, we would not search burial ground, we would sit down in front of collector office with the dead body and would not return to our village till we get separate burial place as per our demand. A letter was also given to the collector.



Incidentally, one old man died on 9 May 2018. Dalits rushed to collector office with the dead body and sat there the whole night. Next day, collector, superintendent of police and all top officers huddled together. They have no option except granting the land for the burial ground.

This is the story of Gujarat, where BJP has been ruling since last two decades. Dalits have to fight even for a small piece of land for the last rites of their beloved.






Facebook Post :

June 27, 2018

આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા મળે

By Raju Solanki  || 16 April 2018



ગુજરાતના આંબેડકરી આંદોલનના તેમ જ ભૂમિ આંદોલનના ઇતિહાસમાં નરોડા રોડ પર આવેલા અમદુપુરાનું ઔતિહાસિક મહત્વ છે. 1960ની 18મી ઓગસ્ટે બરોબર બપોરે 11 વાગે અમદુપુરાના ચોકમાં વાદળી ટોપીઓનું વાદળ છવાઈ ગયું હતું. રીપબ્લિકન પક્ષના હજારો કાર્યકરો હાથમાં વાદળી ઝંડા સાથે, માથે વાદળી ટોપીઓ પહેરીને, ઉઘાડા પગે ‘ડો. બાબાસાહેબ આઁબેડકર અમર રહો’, ‘નહીં રૂકેગા, નહીં રૂકેગા ભૂમિહીનોં કા મોર્ચા નહીં રૂકેગા’ જેવા નારાઓ સાથે તે વખતની ગુજરાત વિધાનસભા (હાલની સિવિલ હોસ્પિટલ)ને ઘેરો ઘાલવા નીકળી પડ્યા હતા.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનેય શરમાવે એવી તુમાખી ધરાવતા, તોછડા મુખ્યપ્રધાન કોંગ્રેસના જીવરાજ મહેતા હતા, જેમણે આ આંદોલનના એક મહિના પહેલા આવેદનપત્ર આપવા આવેલા રીપબ્લિકન પક્ષના પ્રતિનિધિમંડળ સામે બાબાસાહેબ વિષે અસભ્ય ઉચ્ચારણો કરેલા. પરીણામે વીફરેલા દલિતોએ ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય તેવું અભૂતપૂર્વ ભૂમિ આંદોલન કરેલું, હજારો લોકોએ કારાવાસ વેઠલો, ગામડાઓમાં દલિતોએ હજારો એકર સરકારી જમીનનો કબજો લઇને ખેતી કરવા માંડેલી, સરકાર ત્રાહિમામ પોકારી ગયેલી અને છેવટે સરકારને ગુજરાત ખેતી જમીન ટોચમર્યાદા કાયદો, 1961 ઘડવાની ફરજ પડેલી.

આવા ઐતિહાસિક અમદુપુરાના ચોકમાં આ 14મી એપ્રિલે આંબેડકરી યુવા સંગઠને બાબાસાહેબની 127મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરી. આંબેડકરી ચળવળના જુના જોગી જયંતી ઉસ્તાદનું જાહેર સન્માન કર્યું. જયંતી ઉસ્તાદ એટલે 1985માં ગાંધીનગરમાં નીકળેલી ચાર લાખની દલિત-આદિવાસીની રેલી ટાણે ગુજરાત વિધાનસભા પર વાદળી ઝંડો ફરકાવવા ચડેલો એક ઝુઝારુ યુવાન. રાજુ સોલંકીએ એ રેલીને યાદ કરીને જણાવ્યું કે તેઓ ત્યારે જયંતી ઉસ્તાદની સાથે હતા. હાલ એમના 65 વર્ષ થયા છે. પરંતુ હજુ એ જ મિજાજ સાથે સભાઓ સંબોધે છે. આવા જયંતી ઉસ્તાદનું સન્માન કરીને આંબેડકરી યુવા સંગઠને સરસ કામ કર્યું.

અમદુપુરામાં સભા થાય અને દલિત પેંથરના લડાકુ નેતા નારણ વોરાને યાદ કરવામાં ના આવે તો કેમ ચાલે? રાજુ સોલંકીએ પ્રવચનમાં નારણ વોરાને યાદ કર્યા અને કહ્યું કે આખી જિંદગી મીલમાં નોકરી કર્યા પછી નિવૃત્તિ ટાણે એ માણસને પીએફ અને ગ્રેજ્યુઇટી ના મળે, કેમ કે એણે દલિત આંદોલન પાછળ એટલી બધી રજાઓ પાડી હોય. આવા માણસના પરીવારને મદદ કરવા ‘નારણ વોરા સન્માન સમિતિ’ની રચના કરવામાં આવે. લોકોએ આ દરખાસ્તને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલી અને સ્થાનિક આંબેડકરી યુવા સંગઠન હવે આ યોજના સૌના સહકારથી અમલમાં મુકશે.

અમદુપુરા નરોડા રોડનો એક અર્થમાં ગેટવે છે. અહીંથી શરૂ થતા નરોડા રોડ પર સહેજેય એક લાખ દલિતો વસે છે. અહીં શિક્ષણ માટે એક સેન્ટર શરૂ કરવામાં આવે તો સમગ્ર રોડ પર વસતા દલિતો જ નહીં દેવીપૂજક જેવી અન્ય પછાત જાતિઓ બાળકોને પણ એનો લાભ મળે, એવું સૂચન રાજુ સોલંકીએ કર્યું. ટૂંક સમયમાં આ સૂચનને પણ યોગ્ય રીતે અમલમાં મુકવા સૌ સક્રિય થશે. સભાના અંતે બાબાસાહેબના શિક્ષિત બનોના સૂત્રને સાકાર કરવા સૌએ શપથ લીધા. આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા આ એક કાર્યક્રમથી મળી ગઈ.

ભરત ડોડીયા અને એમની ટીમને જય ભીમ. નીલા સલામ.





June 20, 2018

દલિત-વિદ્રોહ વટવૃક્ષ બનીને ઉગવાનો છે

By Raju Solanki  || 11 April 2018


ઘણા લોકોને એ સમજાયું નહીં કે બીજી એપ્રિલે આટલા બધા લોકો હાથમાં વાદળી ઝંડા લઇને કઈ રીતે નીકળી પડ્યા? ‘જય ભીમ’ના નારા સાથે એમણે ટ્રેનો રોકી, રસ્તા રોક્યા, પોલિસનો સામનો કર્યો, ધરપકડો વહોરી, ગુંડાઓની ગોળીઓ છાતીમાં ખાધી. કઈ રીતે થયું? આમ અચાનક? શું આ લોકો 2019માં નેહરુ ખાનદાનના યુવરાજ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા હતા? ના. હરગીઝ નહીં.

આ તો એક દાવાનળ હતો, જે દાયકાઓથી ઉપખંડ જેવા એક વિશાળ દેશની સૌથી દબાયેલી કચડાયેલી પ્રજાની સામૂહિક ચેતના (collective consciousness)ની ભીતરમાં ભભૂકતો હતો. તમે સપાટી પર જે ધૂમાડો જોયો એનાથી આ દાવાનળની તીવ્રતાનો તમને લગીરે ખ્યાલ નહીં આવે.

અને જો તમે ‘આંબેડકરી ચળવળ’ નામની એક યુગપ્રવર્તક ઘટનાને જાણતા-સમજતા ના હો, તો તમને સહેજ પણ નહીં સમજાય કે છેલ્લા સો વર્ષની એક મહાન, સાતત્યપૂર્ણ, દૂરોગામી અસરો ધરાવતી ચળવળનું આ પરીણામ છે, જેમાં હજારો નિ:સ્વાર્થ, પ્રતિબદ્ધ લોકોએ પોતાનો લોહી-પસીનો રેડીને એમના સૂતેલા સમાજને જગાડવા દિવસ-રાત મહેનત કરી છે. આ એવા લોકો છે જેમના નામ તમે મીડીયાની હેડલાઇન્સમાં વાંચ્યા નથી, ટીવીની ડિબેટોમાં સાંભળ્યા નથી. એ લોકો સાચા અર્થમાં મારા, તમારા સમાજના unsung heroes છે. વીસ કરોડની વિશાળ જનસંખ્યા ધરાવતી, સમગ્ર દેશમાં પથરાયેલી અનુસૂચિત જાતિઓને એક માળામાં પરોવવા આ મહાનાયકોએ એમની જિંદગીઓ કુરબાન કરી છે.

શેખર ગુપ્તા, સાગરિકા ઘોષ, રાજદીપ સરદેસાઈ, ઉર્મિલેશ, ભાનુપ્રતાપ મહેતા જેવા મનુસ્ટ્રીમ મીડીયાના કહેવાતા પ્રબુદ્ધ (enlightened) પત્રકારો આ આંબેડકરી ચળવળને ‘સેક્યુલર, ડેમોક્રેટિક, લીબરલ, લેફ્ટ’ની પરીભાષામાં સમજવા અને સમજાવવા હાલ રીતસર તરફડીયા મારી રહ્યા છે. કેમ કે, એમના તમામ શુભાશયો છેવટે તો આવા દલિત-વિદ્રોહને કોંગ્રેસની મતપેટી સુધી જ સીમિત રાખવાની મથામણનો ભાગ છે. પણ મને કહેવા દો, આ દલિત-વિદ્રોહ ‘લેફ્ટ-રાઇટ’ના આભાસી વૈચારિક દ્વન્દ્વથી પર, કોંગ્રેસ-ભાજપના રાજકીય ધ્રુવીકરણથી દૂર દલિત-બહુજનની ભાગીદારીની નક્કર જમીન પર વટવૃક્ષ બનીને પાંગરવાનો છે.



- Raju Solanki

February 24, 2018

રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધાર્મીક ક્રાન્તિ પછી જ થઈ છે : આંબેડકર

By Jigar Shyamlan ||  23 January 2018



આજે ચૌરેને ચૌટે રાજનિતિક ક્રાન્તિની વાતો સંભળાતી જોવા મળી રહી છે. બાબા સાહેબે પણ આ રાજનિતિક ક્રાન્તિની રજુઆત કરી હતી. કેટલાય લોકો બાબા સાહેબે પણ સંસદ તરફ આંગળી ચિન્ધી હતી એ વાત રજૂ કરીને રાજનિતિક ક્રાન્તિ પર જબરજસ્ત ભાર મૂકે છે.

બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યુ હતુ એ સાચુ પણ સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી.. એ પહેલા તો નહી જ.

આપણે બાબા સાહેબને પુરા વાંચતા તો નથી જ. બસ બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યું હતું એટલે એમની વાતને અડધી પડધી સાંભળી આપણે પણ ઝંડા લઈને નિકળી પડ્યા રાજનિતિક ક્રાન્તિ કરવા માટે.

કારણ માહોલ એવો છે દરેકને ઈન્કલાબ જિંદાબાદ કહીને, ક્રાન્તિ કરીને વિધાનસભા કે લોકસભામાં ચુંટાઈ આવવું છે. રાજનિતિક સત્તા પ્રાપ્ત કરવી છે.

રાજનિતિક ક્રાન્તિ કેટલો મોટો ભારે ભરખમ શબ્દ છે..?? આ શબ્દ અથઁપૂણઁ પણ છે.

આ બાબતે બાબા સાહેબ આંબેડકર શું કહેલા માંગતા હતા જરીક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ... હવે પછીના શબ્દો એ બાબા સાહેબના જ શબ્દો છે એટલે ધ્યાનથી સમજવા પ્રયાસ કરવો.

"સામાન્યત: ઈતિહાસ એ પ્રસ્તાવને સમથઁન આપે છે કે રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરેલ ધામિઁક સુધાર યૂરોપના લોકોની રાજનિતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. 
ઈગ્લેંન્ડમાં પ્યૂરિટનવાદના લીધે રાજનિતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે નવા વિશ્વની સ્થાપના કરી હતી. પ્યૂરિટનવાદથી જ અમેરિકાનો સ્વાતંત્ર સંગ્રામ વિજયી બન્યો હતો. પ્યૂરિટનવાદ એક ધામિઁક આંદોલન હતું.
આ વાત મુસ્લિમ સામ્રાજ્યના સબંધમાં પણ તેટલી જ સાચી છે, આરબોની રાજનિતિક સત્તા બની એ પહેલા તેઓ પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા આરંભેલી સંપુણઁ ધામિઁક ક્રાન્તિમાંથી પસાર થયા હતા. 
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કષઁને સમથઁન આપે છે. 
ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનિતિક ક્રાન્તિથી પહેલા તથાગત બુધ્ધની ધામિઁક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
શિવાજીનાં નેતૃત્વમાં રાજનિતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધામિઁક, સામાજિક સુધારા પછી થયેલી.
શીખોની રાજનિતિક ક્રાન્તિ પહેલા ગુરૂ નાનક દ્વારા આપેલ ધામિઁક, સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરુરી છે, આ દ્રષ્ટાંતોથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનિતિક વિસ્તાર માટેની પહેલી જરૂરિયાત છે." 
(Dr. B.R. Aambedkar, Writing & Speeches, Volume-1, Page-61 & 62)

આશા છે રાજનિતિક ક્રાન્તિની વાત કરતા પહેલા બાબા સાહેબ શું કહેવા માંગતા હતા, શું સમજાવવા માંગતા હતા એની સૌને સમજણ પડી હશે.

July 31, 2017

ક્રાન્તિ શું છે..???

By Jigar Shyamlan ||  28 July 2017 at 10:48 

ક્રાન્તિ એક તરફી, અવસરવાદી કે કોઈ ક્ષણિક આવેગ ન હોઈ શકે. મને ક્રાન્તિ એ નિરંતર ચાલતી પ્રક્રિયા લાગે છે, એક માણસના જીવનમાં આમુલ બદલાવ લાવવાની પ્રક્રિયા જ ક્રાન્તિ હશે..!!
પહેલા આદિમાનવયુગમાં ખોરાક તરીકે પશુઓનો શિકાર કરીને કાચુ માંસ ખાવામાં આવતું હતું. પછી અગ્નિની શોધ થઈ અને માંસને અગ્નિમાં શેકી, ભુંજીને ખાવાની શરૂઆત થઈ. પછી વિવિધ ફળ, ફુલ અને કંદમુળનો અને છેલ્લે અનાજ ઉગાડવાનો ધીમે ધીમે આ પ્રક્રિયામાં ક્રમિક સુધારો થતો ગયો જે ક્રાન્તિના પરિણામ આજે ખોરાકની વિવિધતાઓ આપણી સામે છે.
પોશાકની દિશામાં પણ આવો ક્રમિક સુધાર થતો ગયો. પહેલા મરેલા પ્રાણીઓના ચામડા પછી ઝાડની છાલ અને પાંદડા, છેલ્લે કપડાં.
રહેઠાણમાં પણ ગુફાઓ પછી ઝાડ પછી નાની ઝુંપડીઓ અને હવે પાકા મકાનોનો ક્રમિક વિકાસ થતો ગયો. 
માનવને સ્પશઁતી દરેક વસ્તુમાં આદિમાનવયુગથી ક્રમિક વિકાસ થતો રહ્યો અને આ વિકાસને પરિણામે સ્થિતી બહેતર બનતી રહી. આ એક પ્રકારની ક્રાન્તિ જ હતી. 
ધમઁ અને આસ્થાની બાબતમાં પણ માણસ જોઈએ તેટલો ક્રમિક વિકાસ કરતો રહ્યો પણ તેની દિશા વિપરીત રહી.
આદિમાનવકાળમાં કોઈ ધમઁ ન હતો. કોઈ ધામિઁક માન્યતાઓ ન હતી. કોઈ ઈશ્વરીય અવતાર કે કોઈ ધામિઁક માન્યતાઓ ન હતી. મહત્વની વાત એ છે કે બુધ્ધિના વિકાસની સાથે સાથે આ બધો ક્રમિક વિકાસ થતો રહ્યો.
આજના માણસનો બુધ્ધિમતા આંક આદિમાનવકાળના માણસના બુધ્ધિમતા આંક કરતા કેટલાય ગણો વધુ છે, મતલબ બુધ્ધિમતા આંકમાં ક્રમિક વિકાસ થયો છે પણ ધમઁ અને તેની સાથે સંકળાયેલી વિવિધ બાબતો તેમજ ઈશ્વર પ્રત્યેની આસ્થા ચરમસિમાએ પહોંચી છે.
આવી અવળી ક્રાન્તિ થવા પાછળ ક્યુ કારણ હશે..??
- જિગર શ્યામલન