February 28, 2018

હવે સુધરજો મીડીયાના ટોપાઓ

By Raju Solanki  || 24 February 2018 




28 ફેબ્રુઆરી.
આ તારીખ છે 2002ના ધર્મોત્સવ, વિજયોત્સવ, રણોત્સવની. etc etc...
મૂર્ખ, સ્ટુપિડ સેક્યુલરો આ ઘટનાને ‘નરસંહાર’ (અંગ્રેજીમાં genocide) કહે છે.

આ સમય છે મીડીયામાં એક્સક્લુઝિવ સ્ટોરીઝ, ખાસ અહેવાલો, વૃતાંતો લખવાનો. દરેક અહેવાલો ખાસ વાંચજો.

કંપની સેક્રેટરીની પરીક્ષામાં ટોપ કરતી ‘અમદાવાદની દીકરીઓ’ એવું લખનારા લોકો 2002ના લેખો લખતી વખતે દંગામાં ભાગ લેનારા લોકો માટે ‘અમદાવાદના દીકરાઓ’ નહીં લખે. તેઓ લખશે દંગામાં ભાગ લેનારા દલિતો, દેવીપૂજકો, પછાતો, ગરીબો વિષે.

અહેવાલો સાથે તેઓ છાપશે એક સાવ સામાન્ય, મૂફલીસ, નાચીઝ માણસની તસવીર. એના માથે કેસરી રીબન છે, હાથમાં તલવાર છે અને ચહેરા પર છે હિંસ્રતાના ભાવ. એ છે એમનો 2002નો આઇકોન. આઇડલ. આદર્શ. અને તમે પણ ફેસબુક પર એની તસવીર શેર કરીને લખશો એમના જેવી જ સુફીયાણી કોમી એકતાની કાલ્પનિક વાતો.

મારા ભાઈ, 2002ના દંગાનો આતંકી ચહેરો હોઈ શકે કોઈ નરેન્દ્ર મોદી કે પ્રવિણ તોગડીયા કે બાબુ બજરંગી કે માયા કોડનાની કે અશોક ભટ્ટ કે આઈ કે જાડેજા. ફુટપાથ પર જુતા સાંધીને પોતાની વેરણછેરણ જિંદગીને સીવતો અશોક પરમાર કઈ રીતે હોઈ શકે? પણ તમે માની લેશો એમની પોપટ કથાઓ અને કહેશો તમારી ભાવિ પેઢીને તમારા પોતાના કહેવાતા અપરાધોની થ્રીલરો અને પીડાતા રહેશો ઇતિહાસના અપરાધબોધથી.

હવે સુધરજો મીડીયાના ટોપાઓ.

- Raju Solanki

રાષ્ટ્ર પ્રગતિના માપદંડો

By Rushang Borisa   || 24 February 2018



દેશ ની પ્રગતિ એટલે દેશનો વિકાસ. દેશ કઈ દિશામાં કેટલી ઝડપે આગળ વધી સિદ્ધિઓ મેળવે તે માટે જે-તે દેશની પ્રગતિના માપદંડો આપણને માહિતગાર કરે છે.સામાન્ય રીતે દેશની પ્રગતિના માપદંડને દેશના અર્થતંત્રની ગતિ સાથે સાંકળવામાં આવે છે. જે દેશની આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદન જેટલું વધુ તેટલો તે દેશનો વિકાસ વધુ. આ સામાન્ય સમજ આધુનિક સમયમાં ક્ષય થતી જાય છે. હવે, નાગરિક સુખાકારી-જીવનધોરણનું સ્તર-આર્થિક સ્વનિર્ભરતા જેવા નવીન ખ્યાલો ના વિકાસ સાથે પ્રગતિના માપદંડો પણ બદલાય રહ્યા છે. આર્થિક ચિત્રો બતાવતા રોકાણ,ઉત્પાદન,નિકાસ વગેરેના આંકડાઓ પરંપરાગત બની રહ્યા છે ; જયારે સંતુલિત-સમાન-સમાવિષ્ટ વિકાસ માટે આવશ્યક એવા માનવજીવન સાથે પ્રત્યક્ષ સંબધ ધરાવતા પાસાઓ સુધારાવાદી-આધુનિક માપદંડ બની રહ્યા છે.

કોઈ પણ દેશ ની પ્રગતિ દર્શવાતા જરૂરી કેટલાક મહત્વના માપદંડો વિષે જાણીયે.

❝...

 GDP (કુલ ઘરેલુ ઉત્પાદન) :-

GDP અર્થતંત્રનું પ્રખ્યાત માપદંડ છે.સરળ શબ્દોમાં GDP એ કોઈ દેશમાં ચોક્કસ સમયગાળા દરમ્યાન ઉત્પાદિત થયેલ માલ-સમાન તેમજ સેવાઓનું નાણાકીય મૂલ્ય છે.એટલે કે કોઈ એક દેશમાં કોઈ ચોક્કસ વર્ષે નાગરિકો દ્વારા કેટલું આર્થિક ઉત્પાદનકાર્ય થયું તેનો આંકડો આપે છે. GDP માપવાની અનેક પદ્ધતિઓ છે; આંકડાકીય સમીકરણો વડે ઊંડાણમાં વિશ્લેષણ થઇ શકે છે. જો કે આ માપદંડ આજના સમયે ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યું છે. છતાં પણ અર્થશાસ્ત્રીઓમાં GDP ની લોકપ્રિયતા અકબંધ રહી છે.

ભારતમાં GDP ના આંકડાઓ આવા કૈક છે: વર્ષ ૨૦૦૦માં દેશનું GDP લગભગ ૨૦ લાખ કરોડ હતું; ૨૦૧૦ માં આશરે ૭૨ લાખ કરોડ ; ૨૦૧૩માં ૧૦૩ લાખ કરોડ જેટલું હતું. તાજેતરના વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનું GDP ૧૨૧ લાખ કરોડ જેટલું નોંધાયું હતું. દેશનો GDP છેલ્લા ૧૫ વર્ષોમાં સરેરાશ ૫ થી ૧૦% ના દરે આગળ વધી રહેલ છે. GDP ની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્રનું વિશ્વમાં ૬ ક્રમાંકે છે. પ્રથમ ક્રમાંકે અમેરિકા છે.

 માથાદીઠ આવક:-

માથાદીઠ આવક એ વ્યક્તિગત ખ્યાલ છે; જયારે GDP સંગઠિત ખ્યાલ છે. જે-તે દેશના GDP ને દેશની માનવવસ્તી વડે ભાગતા માથાદીઠ આવકનો આંકડો મળે છે. ટૂંકમાં; માથાદીઠ આવક= કુલ ઘરેલુ ઉત્પાદન ÷ વસ્તી. તે દેશના ઉત્પાદન-આવકમાં પ્રતિ વ્યક્તિનો હિસ્સો દર્શાવે છે.

ભારતના માથાદીઠ આવકના આંકડા આવા કૈક છે: વર્ષ ૨૦૦૧=૨૩૦૦૦ રૂપિયા પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૦=૩૯૦૦૦ પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૨=૬૮૪૦૦ પ્રતિવર્ષ. ૨૦૧૭=૧૧૧૦૦૦ પ્રતિવર્ષ. એટલે કે તાજેતરમાં દેશના સરેરાશ નાગરિકની આવક મહિનાની ૯૨૫૦ જેટલી કહી શકાય. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ વિશ્વમાં ૧૪૦ ની આસપાસ છે. અહીં કતાર નો પ્રથમ ક્રમાંક છે.

 HDI (માનવવિકાસ આંક):-

આ માપદંડ સોસીયો-ઇકોનોમિક સ્થિતિ દર્શાવે છે. જે-તે દેશના નાગરિક જીવધોરણનું સ્તર તેમજ આર્થિક સદ્ધરતાની પરિસ્થિતિ જાણવા ઉપયોગી છે. અહીં, શિક્ષણ,આરોગ્ય અને માથાદીઠ આવક જેવા પાસાઓનો સમાવેશ થાય છે; જે એકંદરે જે-તે દેશના નાગરિકોનું જીવનધોરણ પ્રતિબિંબિત કરે છે. સમાજશાસ્ત્રીઓ,માનવવાદીઓ,શિક્ષણવિદો જેવા વર્ગો GDP કરતા HDI ને વધુ મહત્વ આપે છે. છતાં પણ HDI નો ખ્યાલ આજના સમયે ટીકાઓનો ભોગ બની રહ્યું છે; જેમ કે અહીં લૈંગિક અસમાનતા,સામાજિક અસમાનતા વગેરે જેવા મહત્વના પાસાઓ અવગણાતા હોય આ માપદંડ તલસ્પર્શી ચિત્ર રજૂ કરવા પર્યાપ્ત નથી.

ભારતની સ્થિતિ: વર્ષ ૨૦૦૦=૦.૪૯; ૨૦૧૦=૦.૫૮; ૨૦૧૫=૦.૬૨
(આ માપદંડ ૦ થી ૧ ની વચ્ચે રહે છે; ૦ એ સૌથી ખરાબ આંક દર્શાવે છે ; જયારે ૧ એ સૌથી સારો આંક દર્શાવે છે.) ભારત અહીં ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે. છતાં તેનો ક્રમાંક ૧૯૩ દેશો પૈકી ૧૩૫ જેટલો પાછળ છે. ભારતની સરખામણીએ કેનેડા,સાઉદી આરબ,મલેશિયા,શ્રીલંકા,ઇરાક અને ઇન્ડોનેશિયા જેવા દેશો આગળ છે. નોર્વે દેશ અહીં પ્રથમ ક્રમાંકે છે.

 IDI ( સમાવિષ્ટ વિકાસ આંક):-

સમાવિષ્ટ વિકાસ આંક એ તાજેતરમાં રજુ થયેલ નવીન ખ્યાલ છે; જે GDP અને HDI ની મર્યાદાઓ દૂર કરી માનવજીવનની વધુ સ્પષ્ટ સ્થિતિ દર્શાવે છે. અહીં ૧૫ જેટલા વિવિધ ક્ષેત્રોને સાંકળી દેશની આર્થિક,સામાજિક અને રાજકીય પરિસ્થતિ ને નિચોડી તારણ કાઢવામાં આવે છે. તે નાગરિક ઉત્કર્ષને સ્પર્શતી અતિમહત્વની બાબતો ઉપર જોર આપે છે. IDI આંકડાઓ,જાહેરાતો કે પ્રયત્નો ને નહીં; પણ ગુણવત્તા,અમલીકરણ અને પરિણામ તફર આંગળી ચીંધે છે. અહીં GDP, રોજગારી,તંદુરસ્ત આરોગ્ય,ગરીબી,શ્રમ-ક્ષમતા , આવક-સંપત્તિની સમાનતા,બચત, દેવું, માથાદીઠ આવક જેવા પરિબળો વડે દેશની સ્થિતનો ચિતાર મેળવાય છે. આ આંક સંતુલિત,સમ્પોષિત તેમજ સમાવિષ્ટ માપદંડ છે;જેને લઈને ભવિષ્યમાં ઘણી આશાઓ રહેલ છે.

ભારતનો ક્રમાંક ૭૮ દેશો પૈકી ૬૦ હોય; ભારત ઘણું પાછળ જણાય છે. પ્રથમ ક્રમે નોર્વે છે.

 SPI ( સામાજિક પ્રગતિ આંક) :-

સામાજિક પ્રગતિ આંક અતિઆધુનિક ખ્યાલ છે. IDI ની સમાન અહીં પણ માનવજીવનના અગત્યના પાસાઓ ઉપર ધ્યાન અપાયેલ છે. નાગરિકોની પાયાની જરૂરિયાતો, જીવધોરણ સુધારવાની ક્ષમતા, તકો-સંભાવના નો મહત્તમ ઉપયોગ કરવાની મોકળાશ જેવા ઉચ્ચ પરિબળોનો સમાવેશ કરી આંક મેળવાય છે. ટૂંકમાં, સામાજિક, પર્યાવરણીય, આર્થિક તેમજ માનવકલ્યાણ ની દ્રષ્ટિએ કોણ ક્યાં છે તે સ્થિતિ દર્શાવે છે.
SPI માં ભારતનો ક્રમાંક ૧૨૮ દેશો પૈકી ૯૩ માં ક્રમાંક છે. ડેનમાર્ક પ્રથમ ક્રમાંકે છે. (નોર્વે ત્રીજા સ્થાને છે.)

...❞

દેશના રાજકીય પક્ષો FDI ,GDP , આયાત-નિકાસ જેવી પરંપરાગત બાબતો ઉપર રાજકારણ રમી પ્રજાને ગુમરાહ કરે છે. આજ કાલતો ભારત વિશ્વનું પ્રથમ ક્રમાંક નું અર્થતંત્ર બની સુપરપાવર બનશે તેવો પ્રચાર જોરશોરથી ચાલુ છે. છતાં પણ શું હકિકતી આયના સામે ઉભા રહી નજર મિલાવવાની હિંમત છે? વ્યક્તિગત સુખાકારી અને જીવનધોરણનું સ્તર દેખતા શું આપણે "વિશ્વગુરુ" ના હકદાર છીએ? રાજકારણ પ્રેરિત રાષ્ટ્રવાદ આપણને આખરે "મિથ્યાભિમાની" બનાવી; સાચી દિશામાં ચાલવા કરતા વ્યર્થ ખોટા માર્ગો તરફ દોરી જાય છે.

એવું નથી કે દેશ રાતોરાત જીવનધોરણના માપદંડોમાં અવ્વ્લ આવી જશે. પરંતુ આપણી પ્રાથમિકતા શું હોવી જોઈએ તેટલી સમજ કેળવવી આપણી ફરજ તો છે જ .

તમારા મતાનુસાર આ પાંચ માપદંડો પૈકો કોણ દેશની વાસ્તવિક આદર્શ સ્થિતિઆંક દર્શાવે છે ?

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

By Rushang Borisa   || 27 February 2018



ન્યાય અને નૈતિકતા ની સ્થાપના માટે સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાના પાયાઓ જરૂરી છે. જે-તે ધર્મની સ્થાપના માનવસમાજ ને અરાજકતામાંથી બહાર નીકાળી એક વ્યવસ્થાનું માળખું ઉભું કરવા જરૂરી હતી .એક્ચ્યુઅલી હતી નહીં ;છે...કારણ કે આ માનવમગજની કુદરતી ભેટ છે.

આંબેડકરે ધર્મ,સંસ્કૃતિ અને સમાજ ઉપર સૈકડ઼ોં પુસ્તકો વાંચ્યા હતા, માત્ર વાંચ્યા નહીં સમજ્યા હતા ; તલસ્પર્શી બુધ્ધિપહોચ વડે પોતાના લખાણોમાં આ વિષયે અનેક વખત ધ્યાન દોરવાના પ્રયત્નો પણ કર્યા. જે-તે ધર્મ ની શરૂઆત ચાલે પુરાતન હોય કહેવાતા નાસ્તિકો કે સેક્યુલર્સ અત્યારના સમયમાં ધર્મનો છેદ ઉડાવે ;છતાં ધર્મનું જે મિશન-વિઝન હોય છે તે તત્વજ્ઞાન પ્રેરિત હોય છે; પુરી રીતે જર્જરિત નથી હોતું. તેથી વિપરીત આ વિઝન જે-તે ધર્મને પરિસ્થિતિ મુજબ સ્થિતિસ્થાપક બનાવી સનાતન કરે છે.

તત્વજ્ઞાન જયારે મનુષ્ય અને સમાજ ઉપર મંતવ્યો રજૂ કરે ત્યારે એક ય બીજી રીતે "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ને ક્યારેય અવગણી ના શકે. આંબેડકરે વિશ્વના તમામ પ્રચલિત ધર્મોનો ગહન અભ્યાસ કર્યો હતો. ખામીઓ-ખૂબીઓ જણાવી ધર્મો ઉપર ટિપ્પણીઓ કરી હતી. તમે જેટલી આંબેડકરની રચનાઓ વાંચવાનું રિપીટ કરો તમને એક નાનું પણ નવું પાસું જાણવા મળશે; જે પહેલા ચુકી જવાયું હોય.

આંબેકરે વિશ્વના બિગ ફોર કહેવાતા ૪ ધર્મો ને "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ની સાપેક્ષે વિભાજીત કર્યા હતા; અને પોતાના નિષ્કર્ષ ઉપર વિશ્લેષણાત્મક રજુઆત કરી હતી. ચાલો આ વિભાજનને જાણીયે...

ઈસાઈ ધર્મ :- અહીં સમાનતા અને બંધુતા છે ;પણ સ્વતંત્રતા નથી.
ઇસ્લામ ધર્મ :- અહીં પણ સમાનતા અને બંધુતા છે; પણ સ્વતંત્રતા નથી.
હિન્દૂ ધર્મ:- અહીં સમાનતા,સ્વતંત્રતા અને બંધુતાની સ્પષ્ટ ગેરહાજરી છે.
બૌદ્ધ ધર્મ:- અહીં સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાનો સમન્વય છે.

સામ્યવાદીઓ ધર્મને માનવજીવનના દુશ્મન કહે છે. આંબેડકરે સામ્યવાદીઓ ઉપર ફિલોસોફિકલ પ્રહારો કર્યા હતા. જેમ કે સામ્યવાદ કહે છે કે રાજ્ય/રાષ્ટ્રનું અસ્તિત્વ નાશ પામવું જોઈએ અને સત્તાનું કેન્દ્રીકરણ શ્રમિકોના હાથમાં જવું જોઈએ. આંબેડકર કહે છે કે જો રાજ્યનું અસ્તિત્વ ના રહે તો તેની જગ્યા કોણ લેશે? કોઈ પણ વ્યવસ્થા જયારે તૂટે છે ત્યારે અરાજકતા ફેલાય છે; તે અરાજકતા માત્ર રાજકીય સત્તાના કેન્દ્રીકરણ વડે અંકુશમાં ના આવી શકે. અરાજકતાનો અંકુશમાં રાખવા ધર્મ ની સ્થાપના જરૂરી છે.

ધીરે ધીરે મારી નાસ્તિકતા(?) પણ લિબરલ બની રહી છે. જેમ જેમ મનોવિજ્ઞાન ઉપર વાંચન વધારું છું તેમ તેમ ધર્મનું મહત્વ પુનઃ સમજાતું જાય છે.

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

मार्क्सवाद या छुपा ब्राह्मणवाद ???

By Jigar Shyamlan ||  28 February 2018 


‘मार्क्सवाद की दुर्दशा' में सुप्रसिद्ध इतिहासकार एस. के. बिस्वास लिखते है...

मित्रों उपरोक्त तथ्यों की रोशनी में आपके समक्ष निम्न शंकाएं रखना चाहता हूं.

- हालांकि पहले भी इस किस्म की शंका रख चुका हूं फिर भी दुबारा बता दूं कि क्रांति के शास्त्र में जिस ब्राह्मण वर्ग का चरित्र प्रतिक्रांति वाला है , उसके हाथ में मार्क्सवाद जैसे क्रांतिकारी सिद्धांत का लगाम देखकर वंचित वर्ग क्यों नहीं मार्क्सवाद से दूरी बनाएगा?

- फुले से लगाये शाहूजी, पेरियार, बाबासाहेब ,रामस्वरूप वर्मा ,जगदेव प्रसाद कांशीराम इत्यादि सभी बहुजन नायकों ने मार्क्सवादी- ब्राह्मणों के खिलाफ आक्रामक तेंवर अपनाये। वही काम उनके अनुसरणकारी भी किये जा रहे हैं। आप यह बतलायें बहुजन नायकों का विरोध क्या अकारण था?

- यह तय है कि एक वर्ग के रूप ब्राह्मणों ने अपनी मंषा से मानवता को जितनी क्षति पहुचाया है, उसकी कोई मिसाल मानव जाति के इतिहास में नहीं है। इनके कारण देश की बहुसंख्यक आबादी शक्ति के स्रोतों-आर्थिक, राजनीतक, धार्मिक- के साथ ही पिछड़े,अस्पृश्य,आदिवासी(जंगली)और विधर्मी बनकर पूर्ण मानवीय मर्यादा से भी वंचित हैं। अतः जिस जाति का किसी क्रन्तिकारी संगठन पर वर्चस्व,जगदेव प्रसाद की भाषा में कुत्ते द्वारा मांस की रखवाली करने जैसा हो;जो डॉ.आंबेडकर तथा अन्य बहुजन नायकों के शब्दों में शूद्रातिशूद्रों(सर्वस्व-हारा)के सबसे पुराने व कट्टर दुश्मन हों,उसी वर्ग के कथित डीक्लास्ड और ज्ञानी लोगों के नेतृत्व में दलित-पिछडों के मार्क्सवाद के झंडे तले संगठित होने की कोई युक्ति है?

- जिस डॉ.अम्बेडकर के दलित –मुक्ति अवदानों को देखते हुए दुनिया ने अब्राहम लिंकन,बुकर टी वाशिंगटन,मोजेज इत्यादि से उनकी तुलना किया उसी डॉ.आंबेडकर को 21 वीं सदी के मार्क्सवादियों द्वारा खारिज करना क्या यह साबित नहीं करता कि वर्तमान प्रजन्म के वैदिकों की सोच में रत्ती भर भी बदलाव नहीं आया है और वे ब्राह्मणवादी कहलाने के ही पात्र हैं। क्या इसके पीछे उनकी यह मानसिकता नहीं झलकती कि जन्मजात सर्वस्वहारा आंबेडकरवाद से मुक्त होकर राष्ट्रवादी,गाँधीवादी या खुद उनके अर्थात मार्क्सवादी खेमे में चले जाएँ ताकि मूलनिवासियों के मुक्ति की परिकल्पना ध्वस्त हो जाय और उनपर परम्परागत शासक जातियों का प्रभुत्व बरकरार रहे?

- महान मार्क्सवादी विचारक महापंडित राहुल सांकृत्यायन ने अपने ग्रन्थ ‘कार्ल मार्क्स’के विषय प्रवेश में लिखा हैं-‘मानव समाज की आर्थिक विषमताएं ही वह मर्ज है,जिसके कारण मानव समाज में दूसरी विषमताएं और असह्य वेदनाएं देखी जाती हैं.इन वेदनाओं का हर देश-काल में मानवता –प्रेमियों और महान विचारकों ने दुःख के साथ अनुभव किया और उसको हटाने का यथासंभव प्रयत्न भी किया.भारत में बुद्ध,चीन में मो-ती,इरान में मज्दक ….जैसे अनेक विचारक प्रायः ढाई हज़ार साल तक उस समाज का सपना देखते रहे ,जिसमें मानव-मानव समान होंगे;उनमें कोई आर्थिक विषमता नहीं होगी;लूट-खसोट,शोषण-उत्पीडन से मुक्त मानव समाज उस वर्ग का रूप धारण करेगा,जिसका भिन्न -भिन्न धर्म मरने के बाद देते है। ’महापंडित राहुल ने 2500 सालों के इतिहास में आर्थिक बिषमतारहित व शोषण व उत्पीडन-मुक्त समतामूलक समाज के लिए सक्रिय प्रयास करनेवाले चंद लोगों में उस गौतम बुद्ध का नाम बड़ी प्रमुखता से लिया था जिनके धम्म का अनुसरण डॉ.आंबेडकर ने किया था। मानवता की मुक्ति के लिए मार्क्स द्वारा वैज्ञानिक सूत्र इजाद किये जाने के कई सदियों पूर्व विश्व में एकमात्र वैज्ञानिक धर्म का प्रवर्तन करनेवाले गौतम बुद्ध ने बेबाकी से कहा था। ’किसी बात को इसलिए मत मानो कि उसका बहुत से लोग अनुसरण कर रहे हैं या धर्म-शास्त्रों में लिखा हुआ है अथवा मैं(स्वयं बुद्ध) कह रहा हूँ। आज आंबेडकर के लोग बड़ी तेज़ी से उसी बुद्ध के धम्म की शरण में जा रहे हैं जिस बुद्ध ने इस दुनिया को को स्वर्ग से भी सुन्दर बनाने का वैज्ञानिक उपाय सुझाया था। आज आंबेडकर के साथ जिस तरह मार्क्सवादी बुद्ध को भी खारिज करने का उपक्रम चला रहे हैं उससे लगता है वे आंबेडकर के लोगों को उन धर्मों की पनाह में ले जाना चाहते जो मरणोपरांत स्वर्ग का सुख मुहैया कराते हैं। ऐसे में अगर मैं यह कहूं कि मार्क्सवादी छुपे ब्राह्मणवादी हैं तो क्या यह गलत होगा?

- डॉ.आंबेडकर ने जिस तरह हिंदुत्व के दर्शन को मानवता विरोधी करार देने के साथ ही ‘हिदू-धर्म की पहेलियां’लिख कर किसी धर्म की धज्जी उड़ाई वह धर्म-द्रोह के इतिहास की बेनजीर घटना है। किन्तु पेरियार ने जिस तरह सार्वजनिक रूप से हिंदू देवी-देवताओं की मूर्तियों को झाड़ू और जूते से पिटने का अभ्यास बनाया उसकी कल्पना भी नहीं की जा सकती। इन्ही के पद चिन्हों पर चलते हुए कांशीराम ने शोषण के यंत्र हिंदू धर्म-शास्त्र और देवी-देवताओं के खिलाफ ऐसा अभियान चलाया कि लोग घरों से देवी-देवताओं की तस्वीरें निकाल कर नदी तालाबों में डुबोने लगे। किन्तु जिस तरह अम्बेडकरवाद से प्रेरित होकर लोग धर्म से विमुक्त होना शुरू किये, वह काम भारत में मार्क्सवाद न कर सका। आज अम्बेडकरवाद से प्रेरित होकर जिस तरह दलित साहित्यकारों ने लोगों को दैविक गुलामी (divine-slavery)से मुक्त करने के लिए कलम को तलवार के रूप में इस्तेमाल करने की मुहीम छेड़ा है उसके सामने भारत के गैर-आंबेडकरवादी साहित्यकार शिशु लगते हैं। इस मोर्चे पर अम्बेकर्वादियों का मुकाबला कर सकते थे मार्क्सवादी। पर,मार्क्सवादी तो शिशु ही दीखते हैं। इसका खास कारण यह है कि भारत के मार्क्सवादियों ने सिर्फ स्लोगन दिया –धर्म अफीम हैं। किन्तु लोगों को दैविक-दासत्व से मुक्त करने का आंबेडकरवादियों जैसा प्रयास बिलकुल ही नहीं किया। इन पंक्तियों को लिखते हुए मुझे मार्क्सवादियों के गढ़ बंगाल की याद आ रही है.


बंगाल की राजधानी कोलकाता में प्रवेश करने के दौरान जब भी ट्रेनें दक्षिणेश्वर के सामने से गुजरती हैं, प्रायः सभी बंगाली यात्रियों का सर माँ काली की श्रद्धा में झुक जाता है। पारलौकिक शक्ति में परम विश्वास के कारण बंगाली,जिनकी दूसरी पहचान मार्क्सवादी के रूप में है,जिस मात्रा में अंगुलियों में रत्न धारण करते हैं,वह अन्यत्र दुर्लभ है। इन सब त्रासदियों के लिए कोई जिम्मेवार है तो मार्क्सवादी। उन्होंने धर्म अफीम है का डायलाग मारने के सिवाय कुछ किया ही नहीं। ऐसे में दैविक-दासत्व से मुक्ति के मोर्चे पर मार्क्सवादियों की शोचनीय दशा देखते हुए क्या आपको ऐसा नहीं लगता कि वे बेसिकली ब्राह्मणवादी हैं?

કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો

By Jigar Shyamlan ||  27 February 2018 at 11:36 


કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો અને એ વાત પણ સમજો પોતાની મધ દરીયે ડૂબી રહેલી નાવડીને બચાવવાની કવાયતમાં વામપંથીઓનું ઝૂંડ માત્ર અનુ.જાતિઓનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

ઉપરનુ વિધાન સમજવા પહેલા તો દિલ અને દિમાગ બેય ખુલ્લા રાખવા પડશે. આ વિધાન ડો. આંબેડકર દ્વારા વામપંથીઓનો વિરોધ જોતા સ્પષ્ટ સમજી શકાય તેમ છે.

ડો. આંબેડકરે શરૂઆતથી જ વામપંથીઓથી દેશને શુ ખતરો થઈ શકે એ વાત પારખી ગયા હતા. એટલા માટે જ એમણે વામપંથ તરફ પોતાની ના-પસંદગી શરૂથી જ વામપંથનો એકદમ ખુલ્લમ ખુલ્લા વિરોધ કરીને પ્રદઁશિત કરેલી. એમણે સમાજને અને ખાસ કરીને વંચિતોને વામપંથ અંગે ચેતવ્યા પણ હતા.

  • પોતાના પક્ષ "શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન"ના ઘોષણા પત્રમાં આંબેડકર લખે છે કે -
    "મારૂ સંગઠન કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોઈપણ પ્રકારનુ ગઠબંધન નહી કરે, કારણ કે એમનો ઉદ્દેશ્ય વ્યક્તિગત સ્વતંત્રતા અને સંસદીય લોકતંત્રને નષ્ટ કરી તેના બદલે તાનાશાહી સ્થાપિત કરવાનો છે"
  • પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયાને 7 નવેમ્બર 1951 માં આપેલ એક ઈન્ટરવ્યુમાં પણ આંબેડકરે એ સ્પષ્ટ કરેલું કે એમનો પક્ષ કોમ્યુનિસ્ટો સાથે કોઈપણ જોડાણ નહી કરે, કારણ કે
    "હું કોમ્યુનિઝમમાં વિશ્વાસ ધરાવતો નથી, મારા પક્ષનો પણ આ જ અભિપ્રાય છે"
  • સંવિધાન સભામાં કોમ્યુનિસ્ટોની કુત્સિત મંશા પર બોલતા આંબેડકરે કહ્યુ હતુ કે -
    "કોમ્યુનિસ્ટ સંવિધાનમાં અસિમીત મૌલિક અધિકારો એટલા માટે માંગી રહ્યા છે જેથી એ લોકો સત્તા પર ન આવી શકે તો એમની પાસે અસિમીત અધિકારો હોય, જેથી એ લોકો ન ફક્ત ટીકાઓ કરી શકે પણ સરકારને પણ પલટી શકે"
  • 1937માં મસુર જિલ્લા ખાતેના એક સંમેલનમાં કોમ્યુનિસ્ટો દ્વારા કરવામાં આવતા મજુરોના શોષણ પર આંબેડકરે કહ્યું હતુ કે - "હુ કોમ્યુનિસ્ટોનો શાપિત દુશ્મન છું, કોમ્યુનિસ્ટો રાજનૈતિક લાભ મેળવવા માટે મજુરોનું શોષણ કરે છે"
  • કદાચ લોકોને એ વાતની ખબર નહી હોય પણ કોમ્યુનિસ્ટ શ્રી ડાંગેએ ખુલ્લમ ખુલ્લા લોકોને એવી અપિલ કરી હતી કે તમારો વોટ ભલે બરબાદ કરી દો પણ આંબેડકરને તો વોટ ન જ આપો.
  • આંબેડકર એમ પણ લખે છે કે -"કોમ્યુનિઝમ એક મોટા તગડા ડુકકર અને માણસ વચ્ચેનો ફરક નથી સમજતો. જ્યારે એ વાત સાચી છે માણસની જરુરીયાત માત્ર ભૌતિક સમૃધ્ધિ પુરતી સિમીત નથી, આધ્યાત્મિક સમૃધ્ધિ પણ હોય છે"
  • કોમ્યુનિસ્ટો દ્વારા વારંવાર થતી હિંસાઓ પર આંબેડકર લખે છે કે -
    "કેટલી હત્યાઓ કરી આ લોકોએ..?? શું માણસના જીવનની કોઈ કિંમત જ નથી હોતી..??"


વામપંથનુ ચરિત્ર જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આંબેડકરે વામપંથીઓ પ્રત્યે જે પણ આશંકાઓ વ્યક્ત કરી હતી એ કેટલી બધી સાચી હતી.

માટે દરેક મિત્રોને એક વિનંતી કે આંબેડકરે ખુદ બતાવેલ કોમ્યુનિસ્ટરૂપી ખતરાને સમજો અને એ વાત પણ સમજો કે પોતાની મધ દરીયે ડૂબી રહેલી નાવડીને બચાવવાની કવાયતમાં વામપંથીઓનું ઝૂંડ માત્ર અનુ.જાતિઓનો ઉપયોગ જ કરી રહ્યુ છે.

(પ્રેરણાબીજ -પારીજાતજી સિંહાની એક જુની પોસ્ટ)

સંદભઁ : (1) Dr Babasaheb Ambedkar Writing & Speech (Government of India) – (a) Page 402, Vol 17, Part 1, (b) Page 406, Vol 17, Part 1, (2) Parliamentary speech (Parliament of India) – volume 11, page 11; (3) P Radhakrishnan’s book “India, Perfidies of Power (page 54); (4) Election Manifesto of “The Scheduled cast Federation” prepared by Babsaheb Ambedkar ; (5) Election petition filed by Dr Ambedkar (BAWS – page 409 and 422 , vol 17, opart 1), (6) Dr Babasaheb Ambedkar Writing & Speech (Government of India) page 460, 462, 452 of vol 3; )

सर्वहारा क्रान्ति का लोलीपोप

By Jigar Shyamlan ||  24 February 2018 at  10:04am




महर्षि कार्ल मार्क्स ने भी 'साम्यवाद' को देश - काल - परिस्थितियों के अनुसार लागू करने की बात कही है।

लेकिन भारत के वामपंथी / साम्यवादी न मार्क्स की बात मानते हैं न ही लेनिन व स्टालिन की।

जिन देशों मे भी साम्यवाद आया वहा पर मार्क्सवाद का देशी संस्करण तैयार किया गया रूस मे लेनिन और चीन मे माओ, आदि नेताओ ने अपने विशिष्ट सिद्धान्त सामने रखे जो उस क्षेत्र की सांस्कृतिक विरासत के अनुकूल थे लेकिन भारत में क्या हुआ..??

मार्कसवाद को हाईजेक करके पुरा ब्राह्मणीकरण हो गया।

मार्क्सवाद का एक भारतीय संस्करण न खड़ा कर पाना वाम पंथियो की सबसे बड़ी नाकामी है।

अब दलितो, आदिवासीयो और पीछडो को सर्वहारा और सर्वहारा क्रान्ति का लोलीपोप बताकर गुमराह किया जा रहा है।

February 27, 2018

‘અનામત એટલે લૂંટનું સાધન’નામનો લેખ લખનાર ફૂલછાબ ના લેખક ભરત ઝૂનઝૂનવાલા ને જવાબ - મયુર વાઢેર

By Mayur Vadher || 26 February at 19:28


‘અનામત એટલે લૂંટનું સાધન’ના લેખક ભરત ઝૂનઝૂનવાલાને ફૂલછાબની છાબડીમાં તેના ગોબરછાપ જ્ઞાનથી ગંધાતા વિચારોની ઉલ્ટી કરવાની સ્હેજે શરમ આવે છે? 

લેખના શિર્ષકમા જ અનામત ક્ષેત્રમા આવતાં દેશના 77% SC/ST/OBCને ‘લૂટારા’ તરીકે પ્રચારીત કરી તેમનું અપમાન તો કર્યું જ છે પણ ‘ફૂલછાબ’ના વાચકોને ગેરમાર્ગે દોર્યા છે. લેખક એટલેથી અટકતા નથી, તેઓ લખે છે, “મોગલો અને બ્રિટીશરોનું આક્રમણ થયું ત્યારે તેને સાથ આપવામા દલિતો મુખ્ય હતાં.” 

ઈતિહાસનું નગ્ન સત્ય તો આખું જગત જાણે છે કે ભારતમાં ચતુર્વણની અન્યાયી-અત્યાચારી અને માનવતા વિહોણી વ્યવસ્થાએ દેશના દલિતો-આદિવાસીઓ અને પછાતો સાથે કેવું ઓરમાયું વર્તન કર્યું છે! દલિતોને તો હથિયાર સ્પર્શ કરવાનો તો શું પણ જાહેર રસ્તા પર ચાલવાનો અધિકાર ન હતો. લેખકનુ સીધું જ કહેવું છે કે, દેશના દલિતોએ મોગલો અને અંગ્રેજો જેવા વિદેશી આક્રમણકારીઓને સહકાર આપ્યો હતો. શું તેઓ પાસે મોગલો અને અંગ્રેજોને સાથ આપનારા લોકોનું જાતિ આધારીત સેન્સસ છે? 

ઈ.સ. 1192મા પૃથ્વીરાજ અને ગઝની વચ્ચે થયેલા તરાઈનના બીજા યુદ્ધમા જયચંદે ગદ્દારી કરી હતી. શું જયચંદ દલિત હતો? 

ઈ.સ. 712માં આરબ આક્રમણકારી મહમદ બિન કાસિમે ભારતના દાહિર રાજાઓ પર આક્રમણ કર્યું ત્યારે દાહિર રાજાના સેનાપતિએ દાહિરો તરફ લડવાનો ઈનકાર કરી ગદ્દારી કરી હતી. શું દાહિરના સેનાપતિ દલિત હતાં? 

શિવાજી મોગલોની સામે લડતા હતાં ત્યારે મરાઠા સરદારો અને રજપૂતો મોગલો તરફથી યુદ્ધ લડ્યા હતાં. શું મરાઠા અને રજપૂતો દલિતો હતાં? 

ઈ.સ. 1576માં મહારાણા પ્રતાપ અને મોગલો વચ્ચે થયેલા હલ્દીઘાટી યુદ્ધમાં મોગલોનો સેનાપતિ રાજા માનસિંહ હતો. શું રાજા માનસિંહ દલિત હતો? 

1739માં નાદિરશાહે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે નાદિરશાહને સાથ આપનારા દલિતો હતા? વિરાંગના ઝલકારી બાઈ અંગ્રેજો સામે લડતા હતાં ત્યારે જયાજિરાવ સિંધિયાએ સૈનિકોને ઝલકારી બાઈ વિરૂદ્ધ ભડકાવી ઝલકારીબાઈને એકલા છોડી દીધાં હતાં. શું જયાજિરાવ દલિત હતો? 

સાંડર્સન હત્યા કેસમા ભગતસિંહ વિરૂદ્ધ ફણિન્દ્રનાથ ધોષે સાક્ષી આપી હતી. શું ફણિન્દ્રનાથ ઘોષ દલિત હતો? 

લેખક મહોદય, પ્રાચિન બ્રાહ્મણોએ તો યુગો-યુગોથી દલિતોને તો શાસ્ત્રો કે શસ્ત્રોનો સ્પર્શ કરવાનો અધિકાર પણ આપ્યો ન હતો. જો ભૂલથી દલિતો શાસ્ત્રો કે શસ્ત્રોનો સ્પર્શ કરી લીધો હોય તો તેનું ધડ કાપી નખાતું કાં તો તેનો અંગૂઠો જ હણી લેવાતો હતો. સામાજિક કોટિક્રમિક વ્યવસ્થામાં બ્રાહ્ણણોએ વિદ્યા, સંપતિ, સત્તામા પોતાની 100% અનામત રાખી હતી, તેણે ક્ષત્રિયો અને વૈશ્યોને પણ અનુક્રમે સત્તા અને વેપારમા 100% અનામત આપી હતી. જ્યારે લુચ્ચી ચાતુર્વણ્યની વ્યવસ્થાએ તો દલિતોને લમણે માત્ર દારૂણ ગરીબી અને અત્યાચારો જ લખ્યાં હતાં. આજે પણ આ લુચ્ચી ચાતુર્વણપ્રથા લેખકના જીન્સમા હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે લેખક તેમના પૂર્વગ્રહોથી લખે છે કે, “દલિત કર્મચારીઓના સંતાનો ફાઈવ સ્ટાર હોટેલોમા જઈ રહ્યા છે અને એમનું મનોબળ દ્દઢ થઈ રહ્યું છે. ભલે ખોટી દિશામા જ કેમ ન હોય” દલિતોના છોકરાઓના ફાઈવ સ્ટાર હોટેલમા જવાથી જે તકલીફ થઈ રહી છે તે લેખકની નસેનસમા રહેલી ચાતુર્વણપ્રથાની અસર જ હશે. 

અંતે લેખક ઠાવકી દલિલ રજૂ કરીને લખે છે, “સામાન્ય વર્ગ દ્વારા દલિતો પ્રત્યે કરેલા ઐતિહાસિક અન્યાયનું પ્રાયશ્વિત પુરૂ થઈ ગયું છે” અનામત એ કંઈ સવર્ણોનુ પ્રાયશ્વિત નથી, એ તો સવર્ણોએ દલિત-આદિવાસી અને પછાતોને તેના માનવીય અધિકારોથી દૂર રાખીને જે પ્રગતિ કરી છે તેની સમાન લાવવા માટેની વ્યવસ્થા છે. અનામત પ્રતિનિધિત્વની વ્યવસ્થા છે, પ્રાયશ્વિતની નહિં. અને જો લેખક અનામતને પ્રાયશ્વિતની વ્યવસ્થા ગણતા હોય તો ત્રણ હજાર વર્ષના અત્યાચાર, અન્યાય અને માનવ ગૌરવને હણવાનું પ્રાયશ્વિત સીત્તેર વર્ષમા પુરુ ન થાય. 

લેખકને તેના દલિતદ્વેશથી ખદબદતા મગજ પર લગામ ન હોય તો ફૂલછાબના તંત્રીઓએ તો તેની કલમ પર લગામ મુકવી જોઈએ. 

– મયુર વાઢેર







February 26, 2018

કોઈપણ ચળવળ કે આંદોલનને સફળ બનાવવા ના ત્રણ મુખ્ય તત્વો

By Jigar Shyamlan ||  22 February 2018 at 10:24am 


કોઈપણ ચળવળ કે આંદોલનને સફળ બનાવવું હોય તો તેમાં ત્રણ તત્વો મહત્વનાં છે.

આ ત્રણ તત્વો એટલે
  1. ફિલોસોફી (Philosophy)
  2. આઈડીયોલોજી (Ideology) અને
  3. પોલીસી (Policy)


આ ત્રણ તત્વો વગર કોઈપણ ચળવળ કે આંદોલન ઉભુ તો થઈ શકે પણ સફળ નહી થાય. કારણ આ તત્વો પાયાના છે.

આપણાં માટે આ ચળવળ કે આંદોલન એટલે ડો. બાબા સાહેબ આંબેડકરે શરૂ કરેલ ની સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય મેળવવાની ચળવળ કે આંદોલન. આ માનવતાવાદી ક્રાન્તિનુ જ નવુ આંદોલન છે. આપણે માત્ર સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય જ નહી પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમની સાથે અંધશ્રધ્ધા સામે પણ લડવાનુ છે.

હવે આગળ વાત કરી એમ દરેક ચળવળ અને આંદોલન સફળ બનાવવા માટે જે મુખ્ય ત્રણ તત્વો હોવા જરૂરી છે તે આપણી પાસે છે કે નહી તે ચકાસવુ મહત્વનુ છે.
અને મજાની વાત તો એ છે કે આ ત્રણેય તત્વો આપણી પાસે છે જ.

આ ચળવળ અને આંદોલનમાં
  •  આપણી ફિલોસોફી એટલે બુધ્ધ,
  •  આપણી આઈડીયોલોજી એટલે ફુલે-શાહુ-આંબેડકરની વિચારધારા અને
  •  આપણી પોલીસી એટલે બાબા સાહેબે પોતાના પુસ્તકોમાં બતાવેલ રસ્તાઓ અને સંવિધાન.


હવે ચળવળની સફળતા માટે આ ત્રણ તત્વો તો મહત્વપૂર્ણ છે જ પણ તેમાં એક ચોથુ વધારાનુ તત્વ પણ અતિ અગત્યનુ છે અને મારા મતે એ તત્વ છે, નિષ્ઠા કે સમર્પણ ...!! ચળવળ અને આંદોલન સાથે જોડાયેલ પ્રત્યેક માણસની નિષ્ઠા કે સમર્પણ.

બાબા સાહેબ પણ કહેતા હતા-
"मुझे निष्ठावान कार्यकर चाहीए.. बुध्धि की कमी मैं पुरी कर दुंगा.."

मंझिल एक है अपनी तो फिर दुरी का क्या काम है???

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 




भाईयो...

मंझिल एक है अपनी तो फिर दुरी का क्या काम है।
सब के अपने अपने खेमे, सबका अलग नाम है।

कुछ दिनो से देख रहा हुं, हम आपस में ही उग्र बन रहे है। 
देखा यहा हुं तो बडा दु:ख होता है क्योकि कोई दलित है, कोई अनुसूचित जाति है और कोई मूलनिवासी है।

वैसे तो हम सब भिन्न भिन्न विचार से प्रेरित है, लेकिन ईस के बावजूद ईन भिन्नता में भी हमे कोई शब्द जोडै रखता है तो वो है जय भीम का नारा।

अब हम स्वयं जो विचारधारा में मानते हो, उस के हिसाब से समाज के प्रति उठ खडे हूये सवालो पर आपसी विचार मतभेद को एक दूसरे की पोस्ट पर जाहीर करके और एक दुसरे के प्रति कटुता पैदा नही करनी है।

भले ही सब अपनी अपनी विचारधारा पर ही कायम रहे। लेकिन अगर कोई कुछ भी कर रहा है चाहे भले ही उस में कोई प्रत्यक्ष या परोक्ष स्वार्थ हो या न हो। हमे समाज के लिये या समाज के किसी भी व्यक्ति के लिये किये जानेवाले कायँ और करनेवाले कोई भी व्यक्ति को क्रिटिसाईझ नही करना चाहीए।

मेरे विचार से ईतफाक रखनेवाले भाईयो को एक बात कहना चाहुंगा।

यदी कोई भी विचार समाज में जो बदलाव होना चाहीये या लाना चाहीये वह असर पैदा नही कर रहा मतलब उसके प्रचार में या फिर उसको प्रचारीत करनेवाले मेसेन्जर में ही कुछ कमी है। आप उन कमीयों को ढूंढे उस के सुधार के लिये नई रणनीति बनाये।

यदी आप जिस विचारधारा को फैलाना चाहते है उससे लोग नही जूड रहे मतलब विचारधारा के प्रचार-प्रसार में चूंबकीय आकर्षण का अभाव है।

चूंबक जो छोटे छोटे लोहे के टुकडो को अपने प्रति आकर्षीत करता है। यह वास्तव में चूंबक की ही शक्ति है, जो छोटे लोहे के टुकडो को अपने प्रति खीच लेता है। ईसलिये विचारधारा के प्रचार-प्रसार में चूंबकीय आ्कर्षण पैदा करे ता कि अलग-थलग पडे हूये टुकडो को अपनी ओर खींच सके।

ભાનુભાઈ ની શહાદત તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો છે

By Jigar Shyamlan ||  17 February 2018 at  12:30pm 






જે.પી.દત્તાની ફિલ્મ "ગુલામી"નો એક ડાયલોગ છે, જેમાં ધમેન્દ્ર કહે છે કે - 
"बरसात की पहली बूंद को तपती हूई जमीन पर गिर कर फना होना ही पडता है।"

ભાનુભાઈના આત્મવિલોપન અને બાદમાં થયેલ અવસાનની ધટનાને લોકો ભલે ગમે તે અર્થ માં મૂલવતા હોય. પણ તેને માત્ર પછાત સમાજ પુરતી સિમીત ન બનાવી દેતા તમામ સમાજના લોકોની નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે પણ નિહાળવી જોઈયે.
આપણે તેને સરકારી કચેરીઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછી ન આંકવી જોઈયે.

આ એક એવી વાત જેના પર કદાચ બહુધા લોકોનું ધ્યાન નથી જઈ રહ્યું.

સમી તાલુકાના દૂદખા ગામે પછાત સમાજનાં લોકોને સરકાર તરફથી ફાળવાયેલ જમીનના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.

છેલ્લે આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહી લાવવામાં આવે તે અંતિમ પગલા તરીકે આત્મવિલોપનની વાત કરવામાં આવી હતી અને તેની જાણ કરતા આવેદનપત્ર પણ સબંધિત તંત્રને અગાઉ મોકલી આપેલ હતા.

બનાવના દિવસે પણ કદાચ આ મામલે સબંધિત લોકોને કલેક્ટરને મળી યોગ્ય રજૂઆત કરવાની કે કોઈ હકારાત્મક વાતચીતનો દૌર આગળ વધે તે બાબતની તક આપવામાં આવી ન હતી.

છેવટે વિલંબમાં પડેલ જમીનના મુદ્દે આ ભાનુભાઈએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ આત્મદાહ કરવો પડ્યો.

હવે આપણે ભાનુભાઈ આંબેડકરવાદી હતા અને પછાતોના જમીનનાં પ્રશ્ન બાબતે આ પગલુ ભરવા મજબુર થયા એટલા માત્રથી આ ધટનાને મૂલવવી ન જોઈયે. કારણ જમીન માટેના અરજદારો તો બીજા હતા. જે જમીન માટે ભાનુભાઈ લડ્યા એમાં તેમનુ ખુદનુ કોઈ હિત ન હતું, કોઈ સ્વાથઁ ન હતો.

એટલે એક અથઁમાં ભાનુભાઈના આત્મવિલોપનની આ ધટના નાગરિક અધિકારપત્ર માટેની એક લડાઈ તરીકે નિહાળવી જોઈયે.

સમાજના તમામ વર્ગના લોકો કે જેઓ પોતાના પ્રશ્નો બાબતે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે... ધક્કા ખાઈ રહ્યા છે તેઓના માટે નાગરિક અધિકારપત્રનો અસરકારક અમલ કરવાની દિશામાં સરકાર ગંભીર બને તે દિશામાં એક અનોખા આગાઝના રૂપમાં લેખવો જોઈયે.

જેથી ભાનુભાઈ ની શહાદત માત્ર પછાત સમાજ જ નહી પરંતુ તમામ સમાજ માટે એક સામાજિક ચળવળ નો પાયો બની શકે.

સૌ એ વાત જાણે છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે.

દરેક સરકારી કચેરીઓમાં નાગરિક અધિકાર પત્રો (સિટીઝન ચાર્ટર્સ) ના મોટા હોર્ડીંગ લગાવાયેલા છે. જેમાં નાગરિકોના ક્યા પ્રકારના પ્રશ્નો કેટલા દિવસની સમય મયાઁદામાં ઉકેલવાના હોય તે લખવામાં આવે છે, પણ તેમ છતાં આ નાગરિક અધિકાર પત્રોનો અસરકારક અમલ જ નથી થતો.

આ ધટનાને માત્ર પછાત સમાજ સુધી સિમીત ન રાખી સર્વ સમાજના લોકો નાગરિક અધિકાર પત્ર અમલીકરણ બાબતે જાગ્રત બને અને સરકારી તંત્ર પર દબાણ લાવે તે દિશામાં જરુરી પગલા લેવાની શરૂઆત તરીકે આંદોલીત કરવી જોઈયે.
(વિચારબીજ -Dr.Tarun Chandrikaben Baldevbhai)

માર્કસવાદ ની દુર્દશા

By Jigar Shyamlan ||  15 February 2018 at  10:09am




ભારત દેશમાં જો કોઈ મહત્વપૂર્ણ વિશેષતા જો કોઈ હોય તો એ જાતિ છે.
હવે આને ભૂલ ગણો કે હાથે કરી ભુલાવી દેવાની વૃત્તિ પણ માર્કસવાદી આંદોલને આ જાતિ બાબતે ખાસ ધ્યાન આપ્યુ હોવાનું ખાસ નોંધાયું નથી.

ત્યાર પછી કદાચ સમાજવાદી વિચારો દ્વારા ઉભી થયેલ ભરપુર આલોચનાઓ પછી આ માર્કસવાદીઓએ પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કરતા હોય તેમ માર્કસવાદ અને આંબેડકરવાદને ભેગા કરી એક નવી વિચારધારા બનાવવાનો પ્રયાસ કરી જોયો.

માર્કસવાદીઓએ હંમેશા વર્ગવિહીન સમાજ પર ભાર આપ્યો પરંતુ વર્ણવિહીન સમાજ માટે એમને ઝાઝો રસ દાખવ્યો ન હતો.

ભારતમાં માર્કસવાદ લાવનાર બ્રાહ્મણ જ હતા અને દાયકાઓ સુધી એ મનુવાદી બ્રાહ્મણોના હાથમાં જ રહ્યો.

જેવી રીતે મિસ્ટર ગાંધી અને કોન્ગ્રેસે આઝાદીના આંદોલન માટે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા એવા બહુજન સમાજનો ઉપયોગ કર્યો તેવો જ ઉપયોગ કરવાની આ મંશા હોઈ શકે એ વાત નકારી શકાય તેમ નથી.

પ્રસિધ્ધ ઈતિહાસકાર એસ.કે.બિશ્વાસ પોતાના પુસ્તક "માર્કસવાદ કી દુર્દશા" માં લખે છે કે -
"મનુવાદી બ્રાહ્મણ માત્ર એક જ ઉદ્દેશ લઈને માર્કસવાદી બન્યા અને એ ઉદ્દેશ હતો માર્કસવાદનું અપહરણ કરવું તથા સંસ્કૃતિકરણના નામે આખી વિચારધારાનું હિન્દુકરણ કરવું"

આ વાંચીને એક શંકા ખરેખર સાચી પડતી જણાઈ કે મૂળ તો આ બુધ્ધ આંબેડકરની ક્રાન્તિ અને બહુજન આંદોલનને નુકશાન કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જ છે, Nothing else...

अब समय आ गया है मंदीरो का संपुर्ण राष्ट्रीयकरण कर दीया जाये

By Jigar Shyamlan ||  14 February 2018 at  9:16am 


यदी भारत के सभी मंदीरो का राष्ट्रीयकरण कर दीया और उसकी सारी संपत्ती को राष्ट्रीय संपत्ति घोषित कर दीया जाये तो ईन्सान को मंदीर में जाने की जरुरत ही नही पडेगी..!!

आप सबको यह बात एक पहेली जैसी लगेगी। भला मंदीर का राष्ट्रीयकरण करने से और संपत्ति को राष्ट्रीय संपत्ति घोषित कर देने से यह कैसे संभव हो सकता है..??

आईए ईस बात को कुछ विस्तार से समझने का प्रयास करे।

लेकीन ईस से पहले मै आपसे कुछ सवाल पूछना चाहुंगा, जिसका जवाब देना है। यदी आप सवाल को समझलेंगें तो जवाब भी मिल ही जायेगा।

मेरा पहला प्रश्न है कि ईन्सान मंदीर में क्यो जाता है..??

जितने लोग होंगे उतने ही जवाब ईस प्रश्न पर मिलेंगें। क्योकि मंदीर जाने के लिये हर ईन्सान की भिन्न भिन्न मंशा होती है। भिन्न भिन्न आशाये होती है। भिन्न भिन्न मांगे होती है।

(१). स्वास्थ्य संबंध में
(२). अच्छी शिक्षा के सबंध में
(३). भौतिक सुख सबंध में 
(४). सामाजिक प्रतिष्ठा सबंध में

मतलब यह चार परिबल है जिसकी कामनाये ईन्सान को मंदीर मे जाने के लिये प्रेरीत करती है।

फिर कोई अच्छे स्वास्थ्य की प्राप्ति के लिये जाता होगा। कोई अपनी कुछ बिमारी दूर करने के लिये जाता होगा। अच्छी शिक्षा प्राप्त हो सके उसके लिये यहां जायेगा। कोई पढाई में अच्छे नंबर पा ने की कामना करेगा। भोतिक सुख का सीधा सबंध पैसे और दौलत से जूडा है। ईस हिसाब से जिस के पास नौकरी नही वो नौकरी मांगेंगा। जिसका धंधा है वोह धंधे में बढोतरी की कामना करेगा।

अब यह सारी अलग अलग कामनाओ की पुतिँ के हेतु मंदीर में जानेवाला ईन्सान युं ही नही जाता होगा। वो अपने साथ मंदीरो में चढाए जानेवाले चढावा, पुजा की सामग्री और अंत में दानपेटी में डालने के लिये अपनी हैसीयत के अनुसार दान यांनि कि पैसा भी ले कर जायेगा।

अब ईतनी सारे ईन्सान होगें तो बहोत सारी कामनाये होंगी। और बहोत सारी कामनाये होंगी तो सीधी बात है मंदीरो में उसके हिसाब से दान भी आयेगा। मतलब किसी की भी कामना पुरी हो या न हो दान आने की प्रक्रिया कभी रूकेगी नही।

अब मंदीरो का राष्ट्रीयकरण कर के, उसकी सारी संपत्ति को राष्ट्रीय संपत्ति घोषित कर के और वो सारी संपति को आरोग्य, शिक्षा, स्कील डेवलपमेन्ट एवंम रोजगार उपलब्धी और सामाजिक अधीकारीता के क्षेत्र में लगाया जाये तो सभी क्षेत्रो में और बेहतर सुविधाये समाज के हर वगँ को मिल सकती है।

ईस से क्या फायदा होगा..

1. आरोग्य के क्षेत्र में यह पैसा लगाने से स्वास्थ्य विषय सेवा में बढोतरी होगी। हर गांव में आरोग्य सेवा का विस्तार होगा। लोगो को सरलता से हर प्रकार की अच्छी स्वास्थ्य सेवा मिलेगी।

2.  शिक्षा के क्षेत्र मे यह पैसा लगाने से स्कुल, कोलेज और अन्य शिक्षा सबंधी नये ईन्स्टिट्युट खुलेंगें। अच्छी और बेहतरीन शिक्षा के लिये ज्यादा पैसा खचँ नही करने पडेगें। गरीब से गरीब छात्र भी पढ सकेगें।

3.  स्कील डेवलपमेन्ट और रोजगारी क्षेत्र मे यह पैसा लगाया जाये तो काफी अच्छे परिणाम आ सकते है। नये छोटे उधोगो को काफी बढावा मिलेगा। जिससे रोजगार के नयी संभावना बढेगी।

4.  ऐसा करने से ईन सब क्षेत्रो में फायदा तो होगा ही पर सबसे बडा फायदा देश के टेक्स पेयर्सँ को होगा। क्योकि मंदीरो की संपत्ति राष्ट्रीय संपत्ति घोषित कर के वो संपत्ति शिक्षा और आरोग्य सेवा को और बेहतर बनाने के लिये सरकार लगायेगी तो फिर ईन क्षेत्रो के हेतु टेक्स नही बढाना पडेगा। जब टेक्स कम होंगे तो मंहगाई भी कम होगी। महंगाई कम होगी तो हर एक को रोटी मिलेगी। धीरे धीरे खुशहाली आयेगी।

मंदीरो का राष्ट्रीयकरण करने से। मंदीरो की संपत्ति राष्ट्रीय संपत्ति घोषित कर के उसको राष्ट्रनिमाँण में लगाने से यह सब संभव हो सकता है। और यह सब संभव होगा तब किसी के पास कोई कामना नही रह जायेगी और जब किसीकी कोई कामनाये ही नही होंगी तो सीधी सी बात है मंदीरो में जाना अपने आप ही बंध हो जायेगा।

બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે...

By Jigar Shyamlan ||  3 February 2018 at 9:16am


બાબા સાહેબ જ્યારે કાલેલકર કમિશન(1953) ના અધ્યક્ષ કાલેલકરને મળવા ગયા ત્યારની વાત છે.

કાલેલકર કમિશનનો સવાલ હતો કે...- '' તમે આખી જિંદગી પછાત સમાજોનાં ઉત્થાન માટે ખરચી કાઢી..,તમારા મતે પછાતો માટે શું કરવું જોઈયે....?

બાબા સાહેબે જવાબ આપ્યો કે- ''જો પછાત સમાજોનો ઉધ્ધાર કરવો હોય તો તેમાં મોટા માણસો પેદા કરવા જોઈયે..''

કાલેલકર આ વાત સમજી શક્યા નહી.... એમણે ફરી પુછ્યું.. '' મોટા માણસો પેદા કરવા એનો મતલબ...?

બાબા સાહેબે જવાબ આપતા કહ્યું...- '' જો કોઈ સમાજમાં 10 ડોક્ટર.., 15 વકીલ.. અને 20 ઈજનેરો પેદા થઈ જાય...તો એ સમાજની સામે આંખ ઉઠાવીને જોવાની કોઈની હિંમત નથી...''

આ ઘટનાના 3 વરસ બાદ 1956ની 18મી માર્ચ ના દિવસે આગરા ખાતે એક સભામાં બાબા સાહેબે બોલતા જણાવ્યું કે...- '' મને ભણેલા ગણેલા લોકોએ દગો દીધો છે. હું એમ માનતો હતો કે આ લોકો ભણી ગણી પોતાના સમાજની આગેવાની કરશે. પણ હું જોઈ રહ્યો છું મારી આજુબાજુ સાહેબોની ભીડ ઉભી થઈ રહી છે. જે પોતાનું પેટ ભરવામાં વ્યસ્ત છે.
કોઈને સમાજની પડી નથી.બધા જ પોતપોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે."

મિત્રો.... આજે પછાત સમાજમાં 10 ના બદલે 10 હજાર ડોક્ટરો...., 15 ના બદલે 15 હજાર વકીલો તથા 20 ના બદલે 20 હજાર ઈજનેરો પેદા થઈ ગયા છે.

આપણાં પરદાદા આવીને ગયા.. આપણાં દાદા ય ગયા... આપણાં બાપા પણ જશે.... અને આપણેય જતા રહીશું.

છતાં બાબા સાહેબનું અધુરૂ મિશન હજીય અધુરૂ જ પડ્યું છે.

ભાનુભાઈ અને નાગરિક અધિકાર આંદોલન

By Dr Tarun Chandrikaben Baldevbhai || 26 February 2018



ઈ તારીખ ૧૬ ફેબ્રુઆરી ની મોડી રાત્રે અમદાવાદ એપોલો હોસ્પિટલથી આવેલ એ હ્યદયદ્ભાવક દુઃખદ સમાચાર કે  નાગરિક અધિકાર ની લડાઈ માં આપણા પ્રેરણામૂર્તિ ભાનુભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા.

           ભાનુભાઈનું નામ અમર થાય, ભાનુભાઈની આ લોકાધિકારમાટે જાત હોમી નાખતી ખામીરવંતી શહાદત ની નોંધ મોટા પાયે લેવાય , તેમની શહીદી એળે ન જાય, અને સર્વ સમાજ ના લોકો તેમની મૃત્યુ નો સરકાર સામે ગુસ્સો બતાવે, એક નિઃસ્વાર્થ સમાજસેવક ની તંત્ર દ્વારા કરવામાં આવેલ નિર્મમ હત્યાનો વિરોધ જતાવે તેના માટે વ્યવસ્થિત આયોજન થાકી એક એવો મુદ્દો ઉજાગર કરવો જોઈએ કે ભાનુભાઈ ની શહાદત તે નાગરિક અધિકારપત્ર માટેની એક મોટી સામાજિક ચળવળ નો પાયો બની જાય.
    
           માંડીને વાત કરું તો આપણને સૌને ખબર છે કે સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે કેટલાય ધક્કા ખાવા પડે છે, લાંચ આપવી પડે છે. પાટણ ના સમી તાલુકાના દૂદખા ગામના નાગરિકોને સરકાર દ્વારા ફળવાયેેેલ જમીન ના માલીકીકરણની વરસો જૂની માંગણી હતી. આ સભ્યોએ સરકાર દ્વારા નિયત કરાયેલ નાંણા ભયાઁ હતા તેમ છતાં આ મુદ્દે સરકારી તંત્ર પોતાના સ્વભાવ અને આદત મુજબ ખો આપી રહ્યું હતું.સરકારી કચેરીમાં કામ કઢાવવા માટે દરેક માણસ ચાહે કોઈ સમાજનો હોય કેટલાય ધક્કા ખાવા પડે છે. જુદા જુદા ટેબલો પર કેટલીય લાંચ આપવી પડે છે. ભાનુભાઈનું આત્મદાહ નું પગલું એક ગંભીર ઘટના છે, જે  કોઈ એક જ્ઞાતિ ,સમાજ ,ગામ , શહેર કે જિલ્લા પૂરતી સીમિત ના હોઈ શકે.  ભાનુભાઈ ની લડાઈ એ ફક્ત કોઈ દલિત માત્ર કે ગરીબ માત્ર ને જમીન નો ટુકડો અપાવવા માટેની હતી તેવું મૂલ્યાંકન સાવ કાચું કહી શકાય. ભાનુભાઈનો સંઘર્ષ તે સરકારી કચેરી ઓમાં શોભાના ગાંઠીયાની પેઠે ગોઠવેલા નાગરિક અધિકાર પત્રો સામેની લડાઈ તરીકે પણ ઓછો ન આંકવો જોઈયે.

        તમારા વિસ્તારમાં સર્વ-સમાજના લોકો નાગરિકઅધિકારપત્ર ના અમલીકરણ માટે પ્રયત્નશીલ થાય એના માટે આપણે વાત વહેતી મૂકી શકીયે..અધિકારીઓએ નાગરિકોના કામ કેટલા દિવસમાં કરી આપવા તેની સમય મર્યાદા જણાવતા બોર્ડ દરેક સરકારી કચેરી માં લાગે અને તે સમય મર્યાદામાં લોકોનું કામ થાય તેવું નિશ્ચિત થાય, અને જો સમયમર્યાદામાં કામ થાય નહિ તો જે તે અધિકારી ને દંડ થાય તેવા પ્રાવધાન માટે માંગણી કરીયે અને તે મુજબ ના કાર્યક્રમો સર્વસમાજ ને સાથે લઈને કરીયે, સિટીઝન્સ ચાર્ટર ની માંગણી સાથે કલેક્ટર કચેરીના ઘેરાવ નો, આવેદન નો કાર્યક્રમ કરી શકાય અને ભાનુભાઈનું બલિદાન તેના પાયામાં રહે.

....એક સુચન...
શ્રધ્ધાંજલી

ડો.તરૂણ
(સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ)

February 24, 2018

लाल सलामकी बाते हमे रोमांचित अवश्य करती है पर यह बहुजन आंदोलन को सफल नहीं बनाती।

By Jigar Shyamlan ||  2 February 2018




आजकल भारत का पूंजीवादी मीडिया जिस तरह से दलित आंदोलन का कवरेज कर रहा है यह देखकर तो ऐसा ही लगता है जैसे भूतकाल में कोई दलित आंदोलन हूआ ही नही।

वैसे तो मुझे दलित शब्द पसंद नही, यह शब्द गैर संवीधानीक है। ईसलिये जहां तक हो सकता है यह शब्द ईस्तमाल नही करता। परंतु यह बात समझाने के लिये यह शब्द प्रयोग अति आवश्यक है ईसलिये प्रयोग किया गया है।

यह बात खुली किताब सी है कि दलित आंदोलन काफी सालो से चल है, और ईस आंदोलन से काफी सारे लोग भी जूडे हूए है। यह आंदोलन भिन्न भिन्न नामो से जरूर है पर एक सबका उद्दैश्य एक ही है।

दलित आंदोलन में बाबा साहब आंबेडकर के बाद अगर कोई स्मरणीय कहा जा सके वैसा नाम है तो वोह कांशीराम का रखा जा सकता है।

अब महत्वपूणँ बात काशीराम काफी सालो से ईस दीशा में काम कर रहे थे। लेकिन फिर भी उस वक्त समाचारो में कहीं भी उनका कोई नामोनिशान नही था।

मान लीया जाये उस वक्त टी.वी.चैनल्स की शुरूआत थी, सिफँ अखबार थे लेकिन फिर भी अखबारो ने काशीराम को ईतना कवरेज नही दीया था।

बडी हैरानी की बात यह है कि जब बहूजन समाज पाटीँने सरकार बनाई तब काशीराम को समाचारो मे जगह मिली थी। उसके बाद काशीराम के फोटो, ईन्टँरव्यु, प्रेस वाताँलाप मीडिया मे देखने को मिले। बहोत से लोग ऐसै थे जिन्होने काशीराम की फोटो पहली बार देखी थी। कुछ लोग तो पहचानते भी नही थे।

लेकिन आज भारत पूंजीवादी मीडिया दलित आंदोलन के हीरो को जिस तरह से कवरेज दे रहा है, लगता है दाल में कुछ काला हो न हो परंतु लाल जरूर है।

गुजरात के ऊनाकांड से उभरे लाल सलाम नेता को आज दलितो के महानेता बनाने की जो मुहीम चल रही है यह बात सोचने को मजबूर कर देती है।

क्या किसी बहुजन या मूलनिवासी जो समाज एवं आंदोलन का सच्चा हितैषी हो उसको भारत का मुख्यधारा का पूंजीवादी मीडिया इतना कवरेज देता है..??

मैने कभी वामन मेश्राम, मायावती और विजय मानकर जैसे लोगो का कभी भी कहीं भी ईतना ज्यादा मीडिया कवरेज भारत के पूंजीवादी मिडीया में नही देखा।

यह लाल सपुत ने आख़िर कौन सा क्रांतिकारी आंदोलन किया जो हर चैनल वाले उसका अकेले-अकेले इंटरव्यू कर रहे है। सिफँ एक चूनाव ही तो जीता है वह भी कान्ग्रेस के पूणँ सपोटँ के साथ। मान लिजीये यदी कान्ग्रेस ने उम्मीदवार खडा किया होता तो क्या होता..?? यह जीत जिस पर इतना दम लगाया जा रहा है। वोह असल में खुद की नही पर किसीकी उधार दी हूई है।

लाल सपूत लाल सलाम बोलते है। अपने आप को क्रान्तिकारी और दलित हितेषी बता रहे है, पर बाबा साहब की बातो को नही मानते। लाल सपुत कहते है कि बाबा साहब की बाते पथ्थर की लकिर नही। यह लाल सपुत बोल रहे है, सारे बहूजन फैक है।

कहीं यह मुख्यधारा के मीडिया और राजनीतिक संगठनों की, स्थापित बहुजन आंदोलन एवं नेतृत्व के प्रति बहुजन जनता में अविश्वास पैदा करने की, मीडिया के माध्यम से बहुजनों में भ्रम फैलाने की साज़िश तो नहीं..??

विचारधारा ही एक तत्व है जिससे आंदोलन चलाया जा सकता है, जो टिकाऊ और बहूजनो के हित में होगा।

लाल सलामकी बाते हमे रोमांचित अवश्य करती है पर यह बहुजन आंदोलन को सफल नहीं बनाती।

जय भीम बोलीए
लाल सलाम छोडीए




રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધાર્મીક ક્રાન્તિ પછી જ થઈ છે : આંબેડકર

By Jigar Shyamlan ||  23 January 2018



આજે ચૌરેને ચૌટે રાજનિતિક ક્રાન્તિની વાતો સંભળાતી જોવા મળી રહી છે. બાબા સાહેબે પણ આ રાજનિતિક ક્રાન્તિની રજુઆત કરી હતી. કેટલાય લોકો બાબા સાહેબે પણ સંસદ તરફ આંગળી ચિન્ધી હતી એ વાત રજૂ કરીને રાજનિતિક ક્રાન્તિ પર જબરજસ્ત ભાર મૂકે છે.

બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યુ હતુ એ સાચુ પણ સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી.. એ પહેલા તો નહી જ.

આપણે બાબા સાહેબને પુરા વાંચતા તો નથી જ. બસ બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યું હતું એટલે એમની વાતને અડધી પડધી સાંભળી આપણે પણ ઝંડા લઈને નિકળી પડ્યા રાજનિતિક ક્રાન્તિ કરવા માટે.

કારણ માહોલ એવો છે દરેકને ઈન્કલાબ જિંદાબાદ કહીને, ક્રાન્તિ કરીને વિધાનસભા કે લોકસભામાં ચુંટાઈ આવવું છે. રાજનિતિક સત્તા પ્રાપ્ત કરવી છે.

રાજનિતિક ક્રાન્તિ કેટલો મોટો ભારે ભરખમ શબ્દ છે..?? આ શબ્દ અથઁપૂણઁ પણ છે.

આ બાબતે બાબા સાહેબ આંબેડકર શું કહેલા માંગતા હતા જરીક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ... હવે પછીના શબ્દો એ બાબા સાહેબના જ શબ્દો છે એટલે ધ્યાનથી સમજવા પ્રયાસ કરવો.

"સામાન્યત: ઈતિહાસ એ પ્રસ્તાવને સમથઁન આપે છે કે રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરેલ ધામિઁક સુધાર યૂરોપના લોકોની રાજનિતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. 
ઈગ્લેંન્ડમાં પ્યૂરિટનવાદના લીધે રાજનિતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે નવા વિશ્વની સ્થાપના કરી હતી. પ્યૂરિટનવાદથી જ અમેરિકાનો સ્વાતંત્ર સંગ્રામ વિજયી બન્યો હતો. પ્યૂરિટનવાદ એક ધામિઁક આંદોલન હતું.
આ વાત મુસ્લિમ સામ્રાજ્યના સબંધમાં પણ તેટલી જ સાચી છે, આરબોની રાજનિતિક સત્તા બની એ પહેલા તેઓ પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા આરંભેલી સંપુણઁ ધામિઁક ક્રાન્તિમાંથી પસાર થયા હતા. 
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કષઁને સમથઁન આપે છે. 
ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનિતિક ક્રાન્તિથી પહેલા તથાગત બુધ્ધની ધામિઁક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
શિવાજીનાં નેતૃત્વમાં રાજનિતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધામિઁક, સામાજિક સુધારા પછી થયેલી.
શીખોની રાજનિતિક ક્રાન્તિ પહેલા ગુરૂ નાનક દ્વારા આપેલ ધામિઁક, સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરુરી છે, આ દ્રષ્ટાંતોથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનિતિક વિસ્તાર માટેની પહેલી જરૂરિયાત છે." 
(Dr. B.R. Aambedkar, Writing & Speeches, Volume-1, Page-61 & 62)

આશા છે રાજનિતિક ક્રાન્તિની વાત કરતા પહેલા બાબા સાહેબ શું કહેવા માંગતા હતા, શું સમજાવવા માંગતા હતા એની સૌને સમજણ પડી હશે.

સ્ત્રીઓ અને સેનેટરી નેપકીન....!!!!

By Jigar Shyamlan ||  23 January 2018



One nation one tax એ મુજબ દેશભરમાં GST લાગુ કરવામાં આવ્યો. સરકારની આ એક સારી શરૂઆત કહી શકાય કારણ દેશમાં કરવેરાનું એક સવઁ સામાન્ય માળખું હોવું જરૂરી છે. સરકાર દ્વારા વેરા બાબતે કેટલાક સ્લેબ નક્કી કયાઁ, તે મુજબ વિવિધ વસ્તુઓનું વગીઁકરણ કરી જી.એસ.ટી.ના દર લાગુ કયાઁ. જોકે તેમાં સુધારાવધારા કરવામાં આવતા રહ્યા.

સ્ત્રીઓની પ્રાથમિક જરૂરીયાત સમાન સેનેટરી પેડ હાલ તેની પર લાગુ જી.એસ.ટી.ના દરને કારણે ચચાઁમાં છે.

મહત્વપૂણઁ વાત કહો કે દુ:ખદ વાત કહો હાલમાં દેશભરમાં સેનેટરી પેડ પર 14% કર લાગુ છે અને સરકાર તેની પર 12% જી.એસ.ટી. લગાવવા માંગે છે. ખબર નહી પણ કેમ સરકારને સેનેટરી પેડમાં એવું તો શું લક્ઝરી લાગે છે કે આટલો જી.એસ.ટી. લગાવવો પડ્યો.

સરકારે સેનેટરી પેડને સંપૂણઁ કરમુક્ત કે પછી સાવ વિનામૂલ્યે કરી દેવા જોઈયે અને દેશની તમામ મહીલાઓને સાવ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈયે.
આ મુદ્દો ખરેખર મહીલાઓ માટે પાયાનો છે. પણ નજર અંદાજ છે.

દેશના મોટાભાગની ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓએ સેનેટરી પેડ શબ્દ પણ કદાચ સાંભળ્યો નહી હોય.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ હજી પણ પિરીયડ દરમિયાન સેનેટરી પેડના વપરાશ બાબતે સભાન નથી જ. આજે પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ કપડાના ટુકડાનો જ વપરાશ કરે છે. આની પાછળ સેનેટરી પેડની ઉંચી કિંમત અને અપ્રાપ્યતા તેમજ જાગૃતિનો અભાવ પણ કારણભૂત હોઈ શકે.

સાવ જ ગરીબ પરિવારો જ્યાં તન ઢાંકવા માટે માંડ એકાદ બે જોડી કપડાં હોય ત્યાં સ્ત્રીઓ આ સમયગાળામાં કેવા કેવા ઉપાય અજમાવતી હશે તે જાણીએ તો ખરેખર આપણને પળભર કંપારી છૂટી જાય. ગૂંજ નામની સંસ્થાના ડાયરેક્ટર અંશુ ગુપ્તાએ મિડીયા સાથે કરેલ ચચાઁમાં કહ્યા મુજબ "પિરીયડ વખતે સ્ત્રીઓ સુકા પાંદડા અને છાણાં પણ વાપરી લે છે"

સામાન્ય સંજોગોમાં પિરીયડ દરમિયાન રક્તસ્ત્રાવને રોકવા કપડાના ટુકડાનો ઉપયોગ વાંધાજનક નથી, કારણ આ સસ્તો અને હાથવગો ઉપાય છે.પરંતુ એકના એક કપડાનો વારંવાર થતો ઉપયોગ હાનિકારક સાબિત થાય છે. તેનાથી ઈન્ફેક્શન થવાની સંભાવનાઓ વધી જાય છે.

દુનિયાભરમાં સરવાઈકલ કેન્સરને કારણે મૌતને ભેટતી સ્ત્રીઓમાં 27% સ્ત્રીઓ ભારતની છે. જે પાછળ પિરીયડ દરમિયાન અયોગ્ય ચીજોનો વપરાશ એક કારણ ગણાવી શકાય.

પિરીયડ દરમિયાન યોગ્ય જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે 12 થી 18 વષઁના વયજૂથની બાળાઓ મહીનામાં 5 દિવસ શાળાએ નથી જઈ શકતી અને સ્ત્રીઓ પોતાના કામમાં ખાસ ધ્યાન નથી આપી શકતી.

સરકારે સ્વચ્છતા અભિયાન શરૂ કરી દેશને 2020 સુધી સંપૂણઁ સ્વચ્છ બનાવવાનુ બિડુ ઝડપ્યું છે, જેમાં ઘર ઘર શૌચાલયનો મુદ્દો આવરી લઈ શૌચાલય નિમાઁણ પર ભાર મૂક્યો પણ સ્વચ્છતા ઝૂંબેશમાં માસિકસ્ત્રાવ દરમિયાનની આ સ્થિતીને સ્વચ્છતાના મુદ્દામાં આવરી લેવાનુ કેમ ભૂલી ગઈ...????

શૌચાલય બનાવવામાં સબસીડી આપવામાં આવે તેવી વ્યવસ્થા સેનેટરી પેડ માટે લાગુ પાડવી જોઈયે વિનામૂલ્યે ન આપી શકાય તો વાંધો નહી પણ એકદમ સાવ ટોકન ભાવે સેનેટરી પેડ પુરા પાડવા જોઈયે જેથી દેશની તમામ સ્ત્રીઓ ઉપયોગ કરી શકે.

જો હું પ્રધાનમંત્રી હોઉ તો સેનેટરી પેડને સંપૂણઁ કરમુક્ત કે પછી સાવ વિનામૂલ્યે કરી દઉ. અને દેશની તમામ મહીલાઓને સાવ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાના કામને અગ્રતા આપુ.

આ મુદ્દો ખરેખર મહીલાઓ માટે પાયાનો છે. પણ નજર અંદાજ છે.
લોહી પર લગાન...

- જિગર શ્યામલન


कही कोई ईश्वर नही है....

By Jigar Shyamlan ||  21 January 2018




दुनिया में सब से पहले ईश्वरीय शक्ति और प्रभाव एवम जन्म पुनँजन्म को नकारनेवाले बुध्ध थे।
आप बुध्ध को नास्तिक बोल सकते हो। बुध्धने ही कहा था "कही कोई ईश्वर नही है, उसको खोजने में अपना वक्त बबाँद मत करना।"
लेकिन बुध्ध की विचारधारा में ईतनी मिलावट कर दी गई।
ईस मिलावट के कारण जिस बुध्धने हिन्दु धमँ की बुराई और अंधश्रध्धा के माहौल से बचाने के लीये एक नया मागँ दीया वह बुध्ध धम्म ही हिन्दु धमँ का एक अंग माने जाना लगा। जिस बुध्धने ईश्वर और अवतारवाद को नकारा था उस ही बुध्ध को विष्णु का अवतार घोषित किया गया।
बुध्ध के विचारो का विभाजन करके कुछ गूट बनाये गये।
हमारे आज के युवा सिफँ ऐनहीलेशन ओफ कास्ट या रीडल्ज ओफ हिन्दुईजम पढकर ही खुद को आंबेडकरवादी समझ रहे है। लेकिन उन मे से किसी ने भी बुध्धा ऐन्ड हीज धम्मा पुस्तक को शायद नही पढी होगी।

बाबा साहब ने बौध्ध धमँ के बारे में सबसे विश्वसनिय और एकदम सटिक बाते बुध्धा ऐन्ड हीज धम्मा में लीखी है।
हम सब को बाबा साहब आंबेडकर पसंद है पर सिफँ 
मनुस्मृति जलानेवाले..,
हिन्दु धमँ के खिलाफ आक्रोश दिखानेवाले..,
हिन्दु देव देवीओ पर सवाल उठानेवाले ..,
पर हमे बोधिसत्व, राजनेता, अथँशास्त्री बाबा साहब और उनको पढना रास नही आ रहा।

पहले आंबेडकर को पढीए फिर बुध्धा एन्ड हिज धम्मा पढीए...

February 16, 2018

લોકશાહીની અધોગતિ


By Dr Tarun Chandrikaben Baldevbhai || 16 February 2018

માણસાઈના ધજાગરા
લોકશાહીના ધજાગરા
સરકારીતંત્રના ધજાગરા

એક વ્યક્તિને તેને કાગળ પર ફળવાયેલી જમીન ના અધિકાર માટે રજૂઆત કરવા માટે સરકારી અમલદાર ને મળવું છે, અને તેના માટે પ્રજાના સેવક સાહેબજી સમય આપતા નથી અને પોતાની ન્યાયિક માંગણી ની રાજુઆતને આમ તંત્ર દ્વારા વારંવાર આવગણાતા ભાનુભાઈ આત્મવિલોપન ની ચીમકી સાથે અગાઉથી જાહેરાત કરી રજૂઆત કરવા કલેક્ટર કચેરી જાય છે, સરકારે આ વ્યક્તિ આત્મદાહ કરે તો તેના માટે ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ ,પોલીસ વગેરે વ્યવસ્થા કરી રાખી છે. પણ તેની રજૂઆત માટે મળવાની વ્યવસ્થા નથી થઇ શકતી. માણસ કચેરી માં ઘુસી ના જાય, એના માટે પોલીસ-વ્યવસ્થા કરવાનો સમય છે, પણ સરકાર તેની પ્રજાના પ્રશ્નો સાંભળવા સમય ફાળવી શકતી નથી.

આટલી અસંવેદનશીલતા ! લોકશાહીની અધોગતિ.

ભાનુભાઈ ૯૬% દાઝેલા છે, આંતરિક અવયવો ને ગંભીર નુકશાન થયેલ છે, અને કૃત્રિમ શ્વાસોશ્વાસ ના વેન્ટિલેટર મશીન પર છે.

આત્મવિલોપન ના કરશો કોઈ

By Raju Solanki  || 16 February 2018 




ગઈકાલે પાટણ જિલ્લાની કલેક્ટર કચેરી સામે એક દલિતે આત્મવિલોપન કર્યું. આ લખું છું ત્યારે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. એમના સ્વજનો માટે આ ભયાનક, કારમી ઘડી છે. આપણે ત્રાહિત લોકો ગમે તેટલી વાતો કરીએ, આપણી સંવેદના પ્રસંગ પૂરતી, ક્ષણિક અને ક્યારેક તો દેખાદેખીથી જન્મેલી હશે. પીડિતના પરિવારના માથે તો ખરેખર આભ જ તૂટી પડ્યું છે.

પાટણની આ હ્રદયવિદારક ઘટના જોઇને મને બે વર્ષ પહેલાંના આત્મવિલોપનો સાંભરી આવ્યા. કેવા ભયાનક સંજોગોનું નિર્માણ થયેલું. ત્યારે 2016માં ગાંધીનગરમાં ગુજરાતના 11 ગામોના દલિતોએ ન્યાય માટે ‘પ્રતિરોધ’ના બેનર નીચે સત્યાગ્રહ છાવણી પર બે મહિના ધરણા ઉપવાસ કરેલા. મીડીયાના મીંઢા મૌન વચ્ચે ખાસી કપરી લડતના અંતે દલિતોની કેટલીક માંગણીઓ ફળીભૂત પણ થયેલી. બધા પોતપોતાના ગામ પાછા ફરેલા. પરંતુ, આંદોલન સમેટાયા પછી આંકોલાળીના પિયુષ સરવૈયાએ ગીર-સોમનાથ કલેક્ટરને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતો પત્ર પાઠવેલો. 2012માં ભાઈની હત્યા પછી સરવૈયા પરિવારે પહેરેલા લૂગડે આંકોલાળી છોડેલું ને પ્રતિરોધની લડતના અંતે તેમને દિવથી પાંચેક કિમી. દૂર દેલવાડા ગામે 14 વીઘા જમીન તો મળી, પણ ગામ અને વહીવટમાં બેઠેલા દલિત-વિરોધી તત્વોને તેઓ આંખમાં કણાની જેમ ખૂંચ્યા. જમીનના બદલામાં સરકારે જમીન આપેલી. કોઈ ઉપકાર નહોતો કર્યો, તોય સરવૈયાને ગામમાંથી ભગાડવાના કારસા રચાતા હતા. છેવટે, કંટાળીને પિયુષે આત્મવિલોપનની ચેતવણી આપેલી.

પત્ર પાઠવીને પિયુષભાઈ ઉનાથી ગાયબ થઈ ગયા. રાત્રે 10 કલાકે પોલિસ સ્ટેશનથી બે પોલિસવાળા મારા ઘરે આવ્યા. પૂછ્યું કે પિયુષ ક્યાં છે? મેં કહ્યું, “આવા કોઈ આત્મવિલોપનની ચેતવણીની મને ખબર નથી. આવા કોઈપણ પગલાંને મારું સમર્થન હોય જ નહીં.” મારા જવાબથી એમને સંતોષ થયો કે નહીં એની તો ખબર ના પડી, પરંતુ એમણે એક કાગળ પર લખાણ કર્યું, મારી સહી લીધી અને વિદાય થયા. અમે પથારીમાં પડીને સૂવાની તૈયારી કરી ત્યાં 11.00 કલાકે ઉના પોલિસ સ્ટેશનના પીએસઆઈ (કે પીઆઈ?) વાઘેલાભાઈનો મારા પર ફોન આવ્યો. અત્યંત નમ્રતાપૂર્વક તેઓ કહે છે, “સાહેબ, પિયુષભાઈ આત્મવિલોપનની ચીમકી આપીને ક્યાંક જતા રહ્યા છે. પોલિસ સ્ટેશનમાં અત્યારે મારી સામે પિયુષભાઈના પિતા કાળાભાઈ બેઠા છે. તેઓ રડી રહ્યા છે અને પિયુષભાઈની બહુ ચિંતા કરે છે.” મેં કહ્યું, “પિયુષભાઈ મને મળ્યા નથી. મળશે તો આવું કોઈ આત્યંતિક પગલું હું તેમને ભરવા નહીં દઉં. અમારા આંદોલનમાં આત્મહત્યા જેવા અંતિમવાદી પગલાંઓને કોઈ સ્થાન નથી.” એમનો ફોન પૂરો થયો. અમે સૂવાની તૈયારી કરી, એવામાં રાત્રે 12.00 કલાકે ફરી બારણું ખખડ્યું. ખોલીને જોયું તો બે પોલિસ કોન્સ્ટેબલો હતા. અસ્તવ્યસ્ત વાળ, આંખો ઉજાગરાથી લાલ, ચોળાયેલા કપડાં, બેઉના ખભે બેગપેક. રાત માથે લઇને નીકળ્યા હોય તેવું લાગતું હતું. મેં એમને પ્રેમથી આવકાર આપ્યો. ઘરમાં બેસાડ્યા અને કહ્યું, “હમણાં જ તમારા સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. મેં એમને કહ્યું છે કે પિયુષભાઈ મને મળશે તો હું તેમને આવું કોઈ પગલું ભરવા નહીં જ દઉં.” બીજા દિવસે પિયુષ સરવૈયા સદભાગ્યે નવા સચિવાલયના ગેટ આગળ જ ઝડપાઈ ગયેલા. પોલિસ એમને પકડીને પ્રેમથી ઉના લઈ ગયેલી. સરવૈયા પરિવાર આજે પણ જાતિવાદી દેશના નીંભર વહીવટીતંત્ર અને દલિત-દ્વેષી ગ્રામજનો વચ્ચે જિંદગીનો સંઘર્ષ કરી રહ્યું છે. પણ ઝેરના પારખાં ક્યારેય નહીં કરવા એવો મારો સ્પષ્ટ સંદેશ છે.

પિયુષ સરવૈયાની ઘટનાના થોડાક જ દિવસો પછી ઉના તાલુકાના મોઠા ગામના એડવોકેટ સંજય સોંદરવાએ પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલી. પોલિસ ફરી મારા ઘરે તપાસ કરવા આવેલી. એ વખતે તો પોલિસે હદ કરી નાંખી. મારા ફ્લેટના ચારેય માળ ફરીને બધાને પૂછ્યું, “રાજુ સોલંકી કોણ છે?” બધાને ભેગા કર્યા અને મારા ઘરવાળા પાસે મારો ફોટો માંગ્યો. હું ત્યારે ઘરે નહોતો. પડોસીએ મને ફોન કરીને કહ્યું કે તમારા ઘરે પોલિસ આવી છે. હું ઘરે આવ્યો. પોલિસોને ઘરમાં બેસાડ્યા. બેસતાની સાથે તેમણે પૂછ્યું, “સંજય સોંદરવા તમારા ઘરે છે?” મેં કહ્યું, “ના. મને ખબર નથી એ ક્યાં છે. એમણે આત્મવિલોપનની ચીમકી આપી છે એની મને ખબર છે.” તેઓ વીલા મોઢે પાછા ગયા. સૌરાષ્ટ્રના છેક તળના ગામમાં કોઈ ચીમકી ઉચ્ચારે તો ત્રણસો કિમી. દૂર અમદાવાદમાં તપાસ કરવા દોડનારી પોલિસ પણ ગુજરાતની છે અને અહીં પાટણમાં એક સપ્તાહ પહેલાં આત્મવિલોપનની ચીમકી આપવા છતાં તેમને ઘાતકી રીતે મરવા છોડી દેનારા પટેલ કલેક્ટર અને આદિવાસી એસપી પણ ગુજરાતના જ છે.

આ બે ઘટનાઓ પછીના ગાળામાં મોરંગીમાં દલિતોએ મારું સન્માન કરેલું ત્યારે પ્રત્યુત્તરમાં મેં કહેલું, “બાબાસાહેબે જીવનમાં ઘણા દુખ સહ્યા. અપમાનો વેઠ્યા. ગાળો ખાધી. ક્યારેય હિંમત હાર્યા નહીં. ક્યારેય એવું ના કહ્યું કે હું આમરણાંત ઉપવાસ પર બેસીશ. ક્યારેય ફીનાઈલનું ડબલું લઇને મામલતદાર કચેરીએ ગયા નહીં. આપણે મહામાનવના જીવનમાંથી આટલું તો શીખીએ જ. ગમે તેટલી મુસીબતો પડે, કાળુ ડીબાંગ અંધારું હોય, સવાર તો પડવાની જ છે. એવી આશા તો રાખીએ જ. હૈયામાં હામ હશે તો જગ જીતાશે. હિંમત હારીશું તો યુદ્ધ હારી જઇશું.”

આશા રાખીએ કે ભાનુભાઈની ઘટના અંતિમ હોય.

- Raju Solanki