May 11, 2017

ધર્મના ગાંડપણ પાછળ ચાલતા ભયંકર શોષણ ને જોવા કે સમજવા માટે ની સક્ષમતા જ નથી દેખાતી : મિલન કુમાર

ક્યાંક ગૌ હત્યા ના વિરોધ સામે દલિત અત્યાચાર પણ નો વિરોધ કરશો તો એ કહેશે, તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક પૂજાપાઠ ની સત્યતા, અને એમાં કરવામાં આવતા વાયદા (ફલાણો યગ્ન કરો તો ફલાણું ફળ મળશે) પર સવાલ કરો તો, એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક મંદિરોમાં પણ ચાલતા આભડછેટ અને જાતિવાદ નો વિરોધ કરશો, તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક ભગવાન ના સ્વરૂપ ની ચર્ચા કરશો કે આટલા હાથ, અને આવું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? ક્યાંક એમના ચમત્કારી જન્મો વિશે પ્રશ્નો કરશો, તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
કેટલાય પંડિતો પોતે ઉચ્ચ જાતિનું અભિમાન રાખી યજમાન ને ત્યાં પાણી સુધ્ધાં પીતા નથી, માણસ ના અસ્તિત્વ ને નકારતો એક મોટો વર્ગ , ઇશ્વર નું અસ્તિત્વ સાબિત કરવા તલવારો ખેંચી કાઢે છે.. એમના આ દંભ નો વિરોધ કરશો તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
વાસ્તવમાં તમારો વિરોધ અન્યાય , અંધશ્રદ્ધા , આભડછેટ બ્રાહ્મણવાદ સામેનો છે, પણ એમણે પોતાની પાપી પરંપરાઓને ધર્માંધ પ્રજા રૂપી રક્ષા કવચ આપી દીધું છે.,તમે કોઈ પણ વાતનો વિરોધ કરશો તો એ ધર્માંધ લોકો તમને પાકિસ્તાન મોકલી દેવાની વાત કરશે. જાણે કે ભારત તો હિન્દુ..( એ પણ બ્રાહ્મણ વાદી) લોકોનો જ દેશ હોય..

આવા અનેક ઉદાહરણ છે, વાસ્તવમાં હિન્દુ લોકોને ધર્મનું એવું તો ઘેલું લગાડી દેવામાં આવ્યું છે કે એ લોકો એની પાછળ ચાલતા ભયંકર શોષણ ને જોવા માટે સક્ષમ નથી રહ્યા. એ જ કારણ થી અનેક લોકો ધર્મથી વિમુખ થઈ રહ્યા છે. કે જ્યાં સત્ય અને શંકા ને કોઈ સ્થાન નથી માત્ર ચૂપ રહીને સ્વીકાર કરો તો તમે સાચા હિન્દુ.....!!! શંકા કરવી હોય તો પાકિસ્તાન જતા રહો...!

મહારાજ...,
સદીઓ જૂની અકડ હવે છોડો, જે ગ્રહોની તમે બીક બતાવો છો ત્યાં તો માણસ જવા આવવા લાગ્યો છે..

અટકો હવે,
નહી તો ભવિષ્યમાં બધું છોડીને ફક્ત ઘરવાપસી ના કાર્યક્રમો કરવા પડશે...

-- ✍મિલન કુમાર

भक्त 'आज तक' ने क्राइम के सेक्शन में लगाई 'भीम आर्मी' की खबर


सहारनपुर में ठाकुर और अनुसुचीत जाती के लोगो के बीच हुए जातीय संघर्ष के बाद भीम आर्मी नाम का संगठन चर्चाओं में है.
इस संगठन का पूरा नाम 'भीम आर्मी भारत एकता मिशन' है. शब्बीरपुर में अनुसुचीत जाती के लोगो के मकान जलाने के बाद उपद्रवी ठाकुर इतने चर्चित नहीं हुए जितना भीम आर्मी को निशाना बनाया जा रहा है.  इस संगठन को बैन करने की मांग की जा रही है ऐसे में भक्त आजतक ने मंगलवार को कई स्थानों पर हुई आगजनी को भीम आर्मी से जोड़कर उसकी खबर भी 'जुर्म' के सेक्शन में लगा दी.


आरएसएस के कार्यकर्ताओं का अकसर हिंसक घटनाओं में नाम आता रहा है लेकिन फिर भी उसे सांस्कृतिक संगठन के नाम पर जातीवादी मीडिया का संरक्षण मिलता रहा है. वहीं इस भीम आर्मी के आक्रोश को पहली बार में ही जुर्म के सेक्शन में डालना मीडिया की मंशा पर सवाल खड़े कर रहा है.

भीम आर्मी के अध्यक्ष चंद्रशेखर का कहना है कि ‘भीम आर्मी’ का मक़सद सहारनपुर का माहौल ख़राब करना नहीं है, बल्कि वो इंसाफ़ चाहते हैं. शब्बीरपुर में बर्बाद लोगों के लिए मुआवज़ा चाहते हैं, और चाहते हैं कि जिन राजपुतों ने अनुसुचीत जाती के लोगो को अपना निशाना बनाया, उनकी गिरफ़्तारी हो. ‘भीम आर्मी’ का कहना है कि पुलिस इस मामले में कार्यवाही के नाम पर सिर्फ़ अनुसुचीत जाती के लोगो को ही निशाना बना रही है.

संस्कृति की रक्षा करने के नाम पर आतंकवाद फैलाने वाले भगवा आत॔कियों के खिलाफ की एक बुलंद आवाज "भीम आर्मी".


सहारनपुर में ठाकुरों ने अनुसुचीत जाती के लोगो की बस्ती में हुड-दंग किया या के युवाओं की महिलाओं की बुजुर्गो की पिटाई की , इसके बदले में पुलिस ने अपनी जातिवादी मानसिकता के चलते ठाकुरों पर कोई कारवाही नहीं की डी एम् भी चुप रहा इसी बीच वीर बहादुर (!!) ठाकुरों ने २० से जयादा निहत्थे अनुसुचीत जाती के लोगो को तलवारों से घायल कर दिया . लेकिन फिर भी पुलिस वालो ने कोई कार्यवाही नहीं की इस पर गुस्साये अनुसुचीत जाती के लोगो ने पुलिस की गाडिया जला दी और चौकी को आग लगा दी . 

इसके बाद पुलिस और प्रशासन मीडिया में इस तरह की गलत बयानबाजी कर रहा है की सारी फसाद की जड़ भीम आर्मी है 

कमाल की बाते देखो : 

१. पुलिस प्रशासन यानी एस एस पी दुबे और डी एम् नरेंदर सिंह , जो ठाकुर है ने ठाकुरों को दंगा करने से नहीं रोका , पुलिस के होते हुए भी मौके पर पुलिस नहीं भेजी 
२. दंगाई ठाकुरों के खिलाफ जिन्होंने निर्दोष बच्चे , बुजुर्गो को तलवारों से मारो उनके खिलाफ कार्यवाही नहीं की 
३. जब भीम आर्मी ने इनके खिलाफ मामला दर्ज करने के लिए पुलिस पर दबाव डाला तो इनके ही खिलाफ मुकदमा बना दिया 
४. पुलिस कहती है की भीम आर्मी ने अपना ग्रेट चमार का बोर्ड लगा रखा है जिससे ठाकुरों को ऐतराज है .. तो कोई इनसे पूछे क्या बोर्ड लागना अपराध है ?? और इस बोर्ड से ठाकुरों को क्या जलन है ?? यानी हमेशा डरे , इनको सलाम ठोके तो सही वर्ना उपद्रवी ?? या इन लोगो के नाम से सब कुछ हो 
५. इतनी घटना के बाद मीडिया ने सही ढंग से रिपोर्टिंग नहीं की 
६. मीडिया पर सरकार ने दबाव डाला खबर न दिखाए 
७. दंगाईओ के लिए प्रशासन की तरफ से हथियारों की सुविधा मिली 
८. घायल चमारो को इलाज तक नहीं होने दिया जा रहा 

अब कोई बताये क्या अपनी रक्षा करना अपने आत्म-सम्मान की रक्षा करना अपराध है ?? 
इन्ही ठाकुरों ने जब ये लोग बाबा साहेब की मूर्ति लगा रहे थे तो मूर्ति नहीं लगने दी इन लोगो ने सरेआम गुंडागर्दी की जब भी जातिवादी मानसिकता के पुलिस प्रशासन ने ठाकुरों की मदद की . 

इन्ही अनुसुचीत जाती के लोगो को मुसलमानों से लड़वाने के लिए २० अप्रैल को कोशिस की कमाल की बात ये है जब इनको डर लगता है तब ये लोग अनुसुचीत जाती के लोगो को हिन्दू हिन्दू कहने लग जाते है . वर्ना इसके बाद इन्हें अछूत बना कर हमला करते है भेदभाव करते है . सहारनपुर उत्तर प्रदेश या गुजरात या अन्य स्थानों पर यह रोज होता है लेकिन तब कोई आगे नहीं आता 

सहारनपुर में भीम आर्मी के लोगो ने जो किया यह बात पुरे देश के अनुसुचीत जाती समाज को काफी प्रेरित कर रही है , और लाखो करोडो लोग भीम आर्मी में जाना चाहते है . इनका मानना है की ये जातीय गुंडागर्दी रोकने में कामयाब होगा और पुरे देश में फैली अमानिविय प्रथाए खत्म होंगी.

  नीला ला है भीम आर्मी को...

પહેલા બાબા સાહેબના વિચારો, સિધ્ધાંતો વાંચો પછી પચાવો અને બાદમાં ફેલાવો : જિગર શ્યામલન

આપણો સમાજ હજીય આંબેડકરના સિધ્ધાંતોને પુરેપુરા અપનાવી શક્યો નથી...
પછાત રાધાસ્વામી..., ઓમ શાંતિ..., ગાયત્રી..., જય યોગેશ્વર.., આસારામ..., દાદા ભગવાન....,બધાયના રંગે રંગાયો પણ જય ભીમ આંબેડકરવાદનાં રંગે રંગાયેલ નથી..  

સમાજના કેટલાક લોકો હજી પણ બાબા સાહેબના દશાઁવેલ રસ્તા ઉપર ચાલ અચકાય છે અને ખચકાય છે. વળી કેટલાક તો મારા વાલા એવા છે જે બહારથી બાબા સાહેબના રસ્તે ચાલતા હોવાનો દેખાડો કરે છે પણ અંદરથી હજી પણ મનુવાદની ગુલામીથી છુટી શક્યા નથી. કેટલાક દૂધ અને દહી એમ બન્નેમાં પગ રાખે છે...
કેટલાક લોકોનો આંબેડકરવાદ વરસાદ પછી જ્યાં ને ત્યાં ફુટી નિકળતા બિલાડીના ટોપ જેવો ક્ષણિક છે...
મોટાભાગનાં મિત્રો આંબેડકરવાદમાં માને છે પણ... તેમની આ માન્યતા મોટાભાગે બાબા સાહેબના પુસ્તકો કે લખાણો તેમજ તેમનાં સંધષઁને સ્વયંમ વાંચ્યા... જાણ્યા વિના પારકાના ઉછીનાં લીધેલા વિચારોને કારણે છે એટલે તેઓ જયભીમ પણ બોલે અને જય માતાજી કે તેને ભળતા બીજાઓની પણ જય બોલે છે... અને ધામિઁક પાખંડમાંય શ્રધ્ધા રાખે છે...
માટે જ મોટાભાગે 14 એપ્રિલ સિવાય કોઈને આંબેડકરની યાદ આવતી નથી...
મારા મતે જ્યાં સુધી આંબેડકર સાહિત્યનું વાંચન નહી વધે ત્યાં સુધી આ પરિસ્થિતી રહેશે...
હવે તો આપણાં સમાજમાં પણ વિવિધ ઉજવણીઓ કરવામાં આવે છે.... જે પ્રસંગે આંબેડકર સાહિત્યની ભેંટ સોગાદ આપવાનો નવો અભિગમ અપનાવી શકાય....
જન્મદિવસ....., મેરેજ એનિવઁસરી..., વિવિધ સમાજો દ્વારા યોજાતા સમુહ લગ્ન..., લગ્ન...., વિદાય પ્રસંગ..., જેવા પ્રસંગોમાં કેટલીય ભેંટ આપવામાં આવે છે... તેમાં બાબા સાહેબનું જીવન ચરિત્ર, તથા બાબા સાહેબે લખેલ અન્ય પુસ્તકો પણ ભેંટ તરીકે આપવાની શરૂઆત કરો....
કારણ... બાબા સાહેબનું લખાણ.. એ ગમે તેવી ઘોર અંધારી રાતમાં રસ્તા પર અજવાળું ફેંકી રસ્તો બતાવતા વિજળીના ચમકારા જેવું છે....
દરેક મિત્રને વિનંતી કે પહેલા બાબા સાહેબના વિચારો.. સિધ્ધાંતો... વાંચો.... પછી પચાવો.. અને બાદમાં ફેલાવો..
अछुत.. शुद्र पढेगा..... तभी तो आगे बढेगा...
જિગર શ્યામલનનાં જયભીમ....



આંબેડકરવાદ છે કે કોઈના ઉધાર લીધેલા વિચારોમાંથી પેદા થયેલ ક્ષણીક રેડીમેઈડ આંબેડકરવાદ??? : જિગર શ્યામલન

આજે સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપ્પ પર બાબા સાહેબના વિચારોનો ફેલાવો જોઈને મન પ્રસન્ન્ બની જાય છે. દિલમાં એક હાશકારો થાય છે... આંબેડકરવાદ હજી જીવંત છે, અને વધુને વધુ ફેલાઈ રહ્યો છે.

પણ..!!! બીજી જ ક્ષણે મનમાં એક વિચાર ઘેરી વળે છે, અને મુંઝવણ વધારી દે છે.


શું આજના સોશિયલ મીડિયામાં પ્રસરી રહેલ અને મિનીટે મિનીટ ફોરવડઁ થઈ રહેલ આંબેડકરવાદ એ ખરેખર બાબા સાહેબને વાંચીને, સમજીને વ્યક્તિના અંતર થી પ્રગટ થયેલ આંબેડકરવાદ છે કે કોઈના ઉધાર લીધેલા વિચારોમાંથી પેદા થયેલ ક્ષણીક રેડીમેઈડ આંબેડકરવાદ..????
કારણ બાબા સાહેબને વાંચ્યા વગર, સમજ્યા વગર પોતાના અંતર મનથી પેદા થયેલ આંબેડકરવાદને બદલે કોઈ બીજાના વિચારોને ઉધાર લઈને અપનાવેલ રેડીમેઈડ આંબેડકરવાદ ખતરનાક સિધ્ધ થશે...
મિત્રો... ગણીતનો ભારેખમ દાખલો કે સવાલ સોલ્વ કરવા માટે ગાણિતીય સુત્રો અને રીતને વાંચવી, સમજવી ખુબ જ જરૂરી છે. પણ મોટા ભાગે શું કરવામા આવે છે..???
આ કવાયત કયાઁ વગર ગાણિતીય સુત્રો અને રીતને સમજ્યા તેની પર ગણતરી કયાઁ વગર છેલ્લે પાને આપેલ જવાબ જોઈને સવાલ કે દાખલો સોલ્વ કરી દેવાની મોટા ભાગનાને ટેવ હોય છે. આવા રેડીમેઈડ જવાબ અને ઉકેલ મળવાને કારણે દાખલા કે સવાલને ઉકેલવાની રીતમાં બહુ રસ લેતા નથી.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જવાબ કે ઉકેલ મહત્વનો નથી. મહત્વ એ વાતનું છે કે તમે કઈ રીત અને ક્યા સુત્રથી જવાબ લાવો છો. કારણ યોગ્ય રીત કે સુત્ર વગરના જવાબની કિંમત શૂન્ય છે.
આ રેડીમેઈડ જવાબ જોઈ લેવાની આપણી વૃત્તિ આપણને સવાલ પર વિચાર કરી વિચારવાની પ્રક્રિયાથી સાવ દુર રાખે છે.
આપણે ખરેખર બાબા સાહેબના મેસેજ ફોરવડઁ કરતા પહેલા કે જયભીમ બોલતા પહેલા આપણે દિલ પર હાથ મુકીને અંતર મનને પુછવું જોઈયે કે આપણો આંબેડકરવાદ બાબા સાહેબને વાંચી, સમજીને પેદા થયેલ આંબેડકરવાદ છે કે કોક બીજાના વિચારો કે ફોરવડઁ કરાયેલ મેસેજોમાંથી ઉધાર લીધેલ રેડીમેઈડ આંબેડકરવાદ....
કોક દિવસ અંતર મનને પુછી જો જો..
જિગર શ્યામલનનાં જય ભીમ..........

















બાબા સાહેબના સિધ્ધાંતો ,વિચારધારાની ખરેખર જરૂરત કોને? : જિગર શ્યામલન


મારો ખુદનો જાત અનુભવ છે... જે આપ સૌ મિત્રોને જણાવું છુ........
ખરેખર બાબા સાહેબની જરૂરત કોને છે....?
મિત્રો... આજે જ્યાં પણ બાબા સાહેબના વિચાર.. સિધ્ધાંત.. અને આંબેડકરવાદ પ્રસરતો જોવા મળી રહ્યો છે.. આ દિશામાં કાયઁરત તમામ લોકો કાં તો મધ્યમ વગઁ અથવા તો ગરીબ વગઁમાંથી આવતા લોકો જ છે.
ક્યાંય કોઈ ધનાઢ્ય કે પૈસાદારના છોકરાઓ કે છોકરીઓ હાથમાં બ્લ્યુ ઝંડા લઈ.. જયભીમ કહેતા બાબા સાહેબની રેલીમાં કદી નજરે નથી પડ્યા. 
કારણ સાફ છે..
જેને સંધષઁ એ શું ચીજ છે એની ખબર જ ન હોય.. તેમના મોંઢે જયભીમના નારા કદીય ન હોય....
બાબા સાહેબના સંધષઁના પ્રતાપે સારા હોદ્દાઓ પર બેસેલા અને પછી પૈસાદાર બની ગયેલાઓનાં સુપુત્રો કે સુપુત્રીઓને આંબેડકરવાદ શું છે એની કંઈ ગતાગમ ક્યાંથી હોય...?
એમને આંબેડકરવાદની જરૂર જ નથી... કારણ એમના બાપા પાસે રાજ્યની મોટામાં મોટી શાળા, કોલેજ, યુનિવસિઁટીમાં ડોનેશન આપવા સુટકેસો ભરીને રૂપિયા હોય છે.
જે પોતાના આલિશાન બંગલાની બહાર કદી નીકળ્યા ન હોય....એ.સી. કારનો કાચ ઉતારીને કદી બહારની દુનિયા જોઈ ન હોય...જેના મહિનાના પોકેટ મનીના ખચઁમાં ચાર ગરીબ પરિવારો માટે બે ટંકનું ભોજન આવી જતુ હોય છે..
એવા રાજકુમારો અને રાજકુમારીઓને આંબેડકરવાદથી શું નિસ્બત હોય...?????????
આંબેડકરવાદની જરૂર કોને છે....??????
જેની પાસે ભણવા માટે પૈસા નથી. એટલે સારી સ્કુલ કે કોલેજમાં એડમિશન માટે તનતોડ મહેનત કરવી પડે છે. 
જેણે ડગલે ને પગલે જેને અપમાન સહન કયાઁ છે.....
પુરતી લાયકાત હોવા છતાં રૂપિયાના અભાવે ભણી શકતા નથી....
જેને પોતાના માતા પિતાને કાળઝાળ ગરમીમાં ખરા બપોરે તન તોડી નાખે તેવી મજુરી કરતા જોયા છે...
મિત્રો... આપણાં સમાજમાં આવ તો કેટલાય રાજકુમારો.. કુમારીઓ છે. જે જન્મ્યા ત્યારથી જ ચાંદીની ચમચીથી ગળથુથી અપાઈ હોય તેવા લોકો માટે આંબેડકરવાદી એટલે...........
1. એવી જડ માનસિકતા ધરાવતા લોકોનું સંગઠન જે સમયની સાથે પોતાની માનસિકતા બદલવા નથી માંગતુ
2. એવા કટ્ટરવાદી લોકોનું ટોંળુ જે ભુતકાળને યાદ કરી વતઁમાન બગાડે છે
3. એવા લોકો જે સાવ નવરા ધુપ છે.. અને સમાજને બગાડે છે
મિત્રો આ મારા પસઁનલ અનુભવ છે. એટલે આવી માનસિકતાવાળા રાજકુમારો, રાજકુમારીઓ આંબેડકરવાદ બાબતે સાવ નિષ્ક્રિય રહે તે જ ઉત્તમ....
તેમના ભાગનું કામ આપણે જ કરવું પડશે....કારણ આપણને આંબેડકરવાદની જરૂર છે...તેમને નહી..
જિગર શ્યામલનનાં જયભીમ.................................

























Facebook Post:-

મનુફોબીયા : જિગર શ્યામલન

દુનિયામાં કેટલાક માણસોને અમુક ચીજોનો સાવ અજાણ્યો ડર લાગતો હોય. 
તે મેડિકલની ભાષામાં ફોબીયા તરીકે ઓળખાય છે. 
હાલ આપણે એક એવા જ પ્રકારના ફોબિયાનો ભોગ બની ગયા છીએ.
એ છે મનુફોબીયા.... હા...મનુફોબિયા..
અહીં મારો ઉદેશ કટ્ટરતા ફેલાવવાનો નથી. પણ શબ્દોની વક્રતા એવી હોય કે તમે દ્રઢતાપુવઁક કોઈ વાત કરો તો લોકોને તમારામાં કટ્ટરતાવાદી માણસ દેખાય... મારો હેતુ માત્ર રજુઆત કરવાનો છે.
આજે એવી પરિસ્થિતી જોવા મળે છે કે.... આપણે આંબેડકરવાદ કરતા પણ વધુ મનુવાદના ચરણોમાં દંડવત કરી આળોટી રહ્યા છીએ. 

આપણી હાલત ભર તોફાનમાં અટવાયેલ જહાજ જેવી બની ગઈ છે. જે યોગ્ય દિશા સુચનનાં અભાવે સમંદરના વિકરાળ મોજાઓની ઝપટમાં આમથી તેમ અથડાઈ રહ્યું છે.
હાલની સ્થિતી આપણાં માટે અત્યંત વિકટ બની રહી છે. આપણી સામે બાબા સાહેબ સમાં સુરજનુ પ્રખર તેજ હોવા છતા નાની નાની મિણબત્તીઓના સહારો લઈ અંધકાર મિટાવવાની વ્યથઁ કોશિશ કરી રહ્યા છીએ.
આપણી આ હાલત માટે બે પરિબળો મુખ્ય જવાબદાર છે..
1. આપણે આંબેડકરવાદ જાણતા નથી.... અથવા તો
2. આપણે આંબેડકરવાદ જાણવા છતાં પણ મનુવાદ છોડવા માંગતા નથી....
મિત્રો માત્ર આંબેડકરના ફોટા, આંબેડકરી વિચારધારાને લગતા મેસેજ પોસ્ટ કરવી કે શેયર કરવી કે પછી જય ભીમ કોમેન્ટ કરવી આ બધુ કરીને આપણે આંબેડકરવાદી હોવાનો ડોળ કરીએ કે દંભ કરીએ.. ગમે તે હોય અહીં આપણે હકીકતમાં અન્યોને નહીં પણ ખુદ જાતને જ છેતરી રહ્યા છીએ...
આનું મુખ્ય કારણ આંબેડકર વિશે ઓછું વાંચન... પહેલા આંબેડકરને વાંચો પછી યોગ્ય લાગે તો જ અનુસરણ કરવું. કારણ આંબેડકરવાદી બનવું એટલે આંબેડકરના બતાવેલ રસ્તા પર ચાલવું.
મિત્રો... આંબેડકરવાદ અને મનુવાદ બેય સાથે ન ચાલી શકે.. તમારે બન્નેમાંથી માત્ર એકની જ પસંદગી કરવાની છે.
જો તમે મનુવાદને ન છોડી શકતા હોવ તો આંબેડકરવાદ છોડી દો... અને આંબેડકરવાદ અપનાવવા માંગતા હોવ તો મનુવાદને જાકારો આપી દો. 
કારણ એક વખતે એક જ વાજીત્ર વગાડી શકાય...પછી એવુ ન થાય કે બાવાના બેય બગડ્યા.....
જ્યાં સુધી આપણાં લોકો મનુવાદી પાખંડને છોડી મનુફોબિયામાંથી બહાર નહી આવે ત્યાં સુધી તમામ પ્રયાસ વ્યથઁ છે.
મનુફોબીયાની સારવાર થોડો સમય માંગી લે તેવી છે પણ એકવાર તેમાંથી મુક્ત થયા પછી તમે સ્વયં તમારો ઉધ્ધાર કરશો એ વાતમાં કોઈ શંકા નથી...
જિગર શ્યામલનનાં જયભીમ...........................














Facebook Post :-

તમારા માનસ પર સતત મારો કરતી હોય તે તમને યાદ રહે છે પછી ભલે તેમાં કોઇ તર્ક હોય કે ના હોય : દિનેશ મકવાણા

આ એક જુઠી માન્યતા છે. દરેક વ્યકિત જે બાબા સાથે જોડાયેલી છે તેણે બાબાના પુસ્તકોનો અભ્યાસ કર્યો હશે તે જરુરી નથી. 
કેટલીય વાર જીવનમાં વાંચેલી કથા કરતા સાંભળેલી કથા વધુ યાદ રહે છે. જેનું સર્વોત્તમ ઉદાહરણ આપણા વડીલો છે જેમણે મહાભારત, ગીતા કે રામાયણ કદી વાંચ્યા નથી પણ આ પુસ્તકોના દરેક પ્રસંગો વિશે તમારી સાથે ચર્ચા કરી શકે છે કેટલીય વાર તમને ટોકી શકે છે આનું કારણ તેમના માનસ પર સતત આ પુસ્તકો ના જ્ઞાનનો રીતસર મારો થતો. કોઇ પણ પ્રસંગ હોય ત્યાં ચર્ચા દરમિયાન આ પુસ્તક ની કોઇ ઘટના બ્રાહ્મણ દ્વારા સંભળાવવામાં આવે અને તેથી તે તરત જ યાદ રહે.

અાપણે ઓગસ્ટ મહિનાના શ્રાવણ મહિના દરમિયાન બ્રાહ્મણ ને બોલાવીને આંખો મહીનો રામાયણ કે મહાભારતનુ વાંચન કરાવતા. આનો હુ સાક્ષી છુ અને કેટલીય વાર મે પોતે પણ વાંચન કર્યું છે. મારા દાદી જ્યારે નવરા હોય ત્યારે મારી પાસે આ પુસ્તકો વંચાવતા. મુળ વાત એ છે કે જે તમારા માનસ પર સતત મારો કરતી હોય તે તમને યાદ રહે છે પછી ભલે તેમાં કોઇ તર્ક હોય કે ના હોય. 

નવી ભણેલી પ્રજા પુસ્તક વાંચીને બાબાને સમજી શકે છે પણ હુ જોઇ શકુ છુ કે આપણી પ્રજાનો મોટો શિક્ષિત વર્ગ બાબાના વિચારો કે સંઘર્ષથી દુર છે. તેમને અનામતના આધારે નોકરી મળી ગઇ અને સમાજથી અળગા થઇ ગયા. 

ફક્ત અર્ધશિક્ષિત કે અભણ વર્ગ માતા કે ભગવાનમા નથી માનતો, કેટલાય ઉચ્ચ શિક્ષિત પણ આ પાખંડોમાંથી બહાર નથી. આવા એક શિક્ષિતને પુછયુ ત્યારે તેમનો જવાબ હતો તેમને માનસિક શાંતિ મળે છે. મુળ આ દેશની સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે. એક કમાતો હોય અને સંઘર્ષ કરતો હોય ત્યારે સારા દિવસોની અપેક્ષા માટે કાલ્પનિક માતા કે ભગવાનની શરણમાં જતો હોય છે. કેટલીય વાર સંતાનો સારુ શિક્ષણ મેળવી શકતા નથી અને જો હોય તો નોકરી મળતી નથી ત્યારે આવા સંજોગોમા કોઇ પણ વ્યકિત આવી પ્રાર્થના તરફ જાય તે સ્વાભાવિક છે. નજીકનુ સગુ હોસ્પિટલ મા હોય ત્યારે ડોક્ટર પણ કહે છે કે ભગવાન પર ભરોસો રાખો. વાસ્તવિક ભગવાન આવશે કે નહી તેની ખબર નથી પણ સંજોગો પરનો કાબુ આપણા હાથમાં નથી હોતો તે હકીકત છે. આ પરિસ્થિતિ નો દરેકને અંગત અનુભવ છે જ.

મુળ વાત પર આવું તો આપણે કોઇ પ્રસંગમાં બેઠા હોય ત્યારે બાબા કે તેમના સંઘર્ષોની ચર્ચા કરતા નથી. સતત વિચારોનું આદાન પ્રદાન જ તમારા મિશનમાં સફળ બનાવી શકે. બ્રાહ્મણ નો દીકરો સવારે ઉછેર ત્યારથી તેની પાસે એવા કાર્યો કે પ્રાર્થના છે તેને અલગથી કશુ શીખવવું પડતું નથી.

જુની પેઢી હજુ માતા કે ભગવાનોને ભુલી નથી. નવી પેઢીના પણ કેટલાય આમાંથી બહાર નથી. બાબાના અનુયાયીઓનો સંઘર્ષ ચાલુ છે અને આશા રાખીયે તેઓ તેમના મિશન મા ભણેલા હોય કે અભણ પણ જરુર સફળ થાય.

-- દિનેશ મકવાણા


બહુજન સમાજની સ્ત્રીઓ ધારે તો એક આખી આંબેડકરવાદી પેઢી નિમાઁણ કરી શકે. એટલી એની તાકાત છે




અગર બહુજન સમાજની સ્ત્રીઓ ધારે તો એક આખી આંબેડકરવાદી પેઢી નિમાઁણ કરી શકે. એટલી એની તાકાત છે. હું પછાત સમાજની તમામ માતાઓને બે હાથ જોડીને ભારપૂવઁક વિનંતી કરી અપિલ કરું છું કે જો આપ ધારો તો બાબા સાહેબના વિચારો અને સિધ્ધાંતોના રંગે રંગાયેલી, આંબેડકરવાદને દ્રઢતાપૂવઁક અનુસરતી એક આખેઆખી પેઢીનું નિમાઁણ કરવા સક્ષમ છો.


જો આપ હિંમત કરી ધમઁની માનસિક ગુલામીમાંથી મુક્ત થશો તો તમારી આખે આખી એક પેઢી ગુલામ બનવામાંથી બચી જશે. કારણ એક માતા સૌ શિક્ષકોની ગરજ સારે છે. જે કામ સો શિક્ષક નથી કરી શકતા એ કામ એક એકલી માતા જ કરી શકે છે.

આપ માતાઓ આંબેડકરવાદ અપનાવો અને આપનાં સંતાનોને પણ ગળથુથીમાં આંબેડકરવાદ આપો.
આપ માતાઓ આપનું સ્થાન માત્ર રસોડા કે ઘર પુરતું સિમીત ન બનાવી દો. ઘરની બહાર નીકળો, બાબા સાહેબને વાંચો, સમજો અને તેમના વિચારો પર ચિંતન કરો. સમાજની અન્ય બહેનોમાં બાબા સાહેબના વિચારોનો ફેલાવો કરો.

તમારો આદશઁ કોઈ કાલ્પનિક દેવી શક્તિ નહી પણ બહુજન સમાજની યુગ પ્રવઁતક મહિલાઓ હોવી જોઈયે...
1. સાવિત્રી ફુલે 
જે મહિલા પોતાના પતિની સાથોસાથ ઉભા રહી..... સમાજના પ્રખર અને વિરોધ વચ્ચે પણ પછાત બાળકોને શિક્ષણ આપી વિઘ્યાની દેવી બની શકે. પછાત જાતિના સાવિત્રીબાંઈ....
2. રમાબાઈ આંબેડકર 
પોતાની તમામ તકલિફ... પોતાની તમામ પીડાઓ.... પોતાના સુખી સંસાર અને બાળકોનો ભોગ આપી.... નાંણાની ભયંકર ભીડ વચ્ચે પણ પછાતો માટે બાબા સાહેબ દ્વારા ચલાવાતી ચળવળ નિરંતર ચાલુ રહે... તે માટે ઘરની કફોડી હાલત બાબા સાહેબથી છુપાવી રાખી... દેશના કરોડો અછુતોના ઉધ્ધારનું આંદોલનને સહેજ પણ અટક્યા વિના નિરંતર ચાલતુ રહે તે માટે બાબા સાહેબને પ્રેરણા આપી શકે. મહાર સમાજના રમાબાઈ.....
3. ઝલકારીબાઈ...
1857 વિપ્લવ વખતે ઝાંસીની રાણી રણ મેદાનમાં આવે તે પહેલા ઘોડે ચડી અંગ્રેજો સામે યુધ્ધ કરી મદાઁનગી બતાવી માતૃભૂમીનુ રૂણ ચૂકતે કરનાર.... પછાત સમાજની ઝલકારીબાઈ....


મહિલા સશક્તિકરણ માટે બાબા સાહેબે જેટલો પ્રયાસ કયોઁ તેટલો બીજા કોઈએ નથી કયોઁ.
જે વખતે સમાજમા પછાત પુરૂષોને જ કોઈ હક્ક ન હતા તે વખતે બિચારી મહિલાઓની દશા કેવી હશે તેની કલ્પના કરી જુઓ તમારા રૂવાંડા ખડા થઈ જશે.
જે ધમઁમાં જડ અને પરાણે ઠોકી બેસાડેલી ધામિઁક માન્યતાઓના કારણે... વરસો સુધી આપણાં સમાજના પુરૂષો અને મહિલાઓને દયનીય અને નરક કરતાંય બદતર હાલતમાં જીવવું પડ્યું તો પણ હજીય આપ આવા ધમઁની માનસિક ગુલામી વેંઢારી રહ્યા છો.........?
આ દુનિયામાં કશું જ કાયમી નથી...માનતાઓ... બાધાઓ... વ્રત..ઉપવાસ.... આ બધાયને છોડો....
એક સીધો અને સરળ નિયમ છે.... જે કોઈનું ખોટું નથી કરતો.... એનું કદીય ખોટું થતું નથી....
જે માતા એક બાળકને જન્મ આપી દુનિયાનો સૌથી મોટો ચમત્કાર કરી શકે છે.... એ માતા આગળ બીજી ફોટાઓ... કે મુતિઁવાળી માતાઓની શું વિસાત...?
જે સ્ત્રી તેના જેવા અન્ય જીવીત સજીવને નવ મહિના સુધી ગભઁમાં સાચવી રાખી.... પછી... પોતાના બાળક તરીકે જનમ આપી શકે....
આવી સાક્ષાત શક્તિનું સ્વરુપ (અહીં શક્તિ એટલે માતાજી નહી પણ તાકાત..) સ્ત્રી જે ધારે એ કરી શકે....
આજે આપણને આવી જ યુગ બદલી નાખવાની તાકાત ધરાવતી માતાઓની જરૂર છે...
જિગર શ્યામલનનાં જયભીમ...................


















Facebook Post:-

અનામતનો લાભ મેળવ્યા બાદ પછાત સમાજનાં લોકો પોતપોતાના સ્વાથઁ સાધવામાં પડી ગયા છે : જિગર શ્યામલન

પછાતોની આ લડાઈ બાબા સાહેબના બતાવેલ માગઁ પર ચાલવી જોઈયે કારણ આ લડાઈ બાબા સાહેબના વિચારોની લડાઈ છે.
પણ...!!!!! પહેલા એના માટે બાબા સાહેબને વાંચવા.., જાણવા અને સમજવા તો પડશે ને... કારણ વ્યક્તિ પોતે જ્યાં સુધી બાબા સાહેબને નહી વાંચે ત્યાં સુધી બીજાના મોકલેલ મેસેજ.., કહેલી વાતોની જોઈયે તેટલી ધારી અસર નહી થાય....
માટે પહેલા વધુમાં વધુ લોકો બાબા સાહેબને વાંચવા પ્રેરાય તેવો પ્રયાસ કરવો જોઈયે... કારણ બાબા સાહેબે જ કહ્યુ હતુ...

''गुलामको उसकी गुलामीका परिचय करा दो.. वह खुद ब खुद विद्रोह कर उठेगा..''
અનામતનો લાભ મેળવ્યા બાદ પછાત સમાજનાં લોકો પોતપોતાના સ્વાથઁ સાધવામાં પડી ગયા...... કોઈએ બાબા સાહેબના મિશનને આગળ ધપાવવા કંઈ પ્રયાસ ન કયોઁ ત્યારે બાબા સાહેબ પોતાનાં જીવનનાં અંતિમ દિવસોમાં ખુબ જ દુ:ખી જોવા મળતા હતા... આ બધી વિગતો બાબા સાહેબના અંગત સચિવ એવા નાનકચંદ રત્તુના પુસ્તકમાં છે.
છેલ્લે એ મહામાનવ પોતાની લથડતી જતી તબિયતથી વ્યગ્ર હતા... બીજી તરફ પોતાના જ સમાજનાં ભણી ગણી અનામતનો લાભ લઈ બેઠેલા લોકો પોતાનાં પછાત અને ગરીબ, અભણ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં સાવ ઉદાસીનતા દાખવી રહ્યા હતા.
ત્યારે ભારે દુ:ખનાં ઉદ્ગાર સાથે બાબા સાહેબને કહેવું પડ્યું હતું કે-''મને મારા સમાજના ભણેલા ગણેલા લોકોએ દગો આપ્યો''
આંબેડકરવાદના સિધ્ધાતોનાં પ્રચાર પ્રસાર સાથે સંકળાયેલ એક સંસ્થાએ કરેલ સવેઁમાં કેટલાક તારણ જોવા મળ્યા જે આપણી માનસિકતા છતી કરવા પુરતાં છે.

  1. આજે 98% ભણેલા ગણેલા દલિતો બાબા સાહેબને જાણે છે.
  2. 65% ભણેલા ગણેલા દલિતો બાબા સાહેબના સિધ્ધાન્તોને નથી જાણતા.
  3. 90% ભણેલા ગણેલા દલિતો પુજા, કમઁકાંડ, હોમહવનમાં વિશ્વાસ ધરાવે છે.
  4. 95% ભણેલા ગણેલા દલિતોનાં ઘરમાં કોઈ વ્રત, તહેવાર, ઉપવાસ વગેરે કરવામાં આવે છે.
  5. 97% ભણેલા ગણેલા દલિતના ઘરના સભ્યો ગૌતમ બુધ્ધ વિશે ખાસ માહિતી જાણતા નથી. એ લોકો હજીય બુધ્ધને વિષ્ણુંનો નવમો અવતાર માને છે.
  6. 98% ભણેલા ગણેલા દલિતોનાં ઘરમાં બાબા સાહેબનો ફોટો તો છે... પણ સાથે સાથે ઘરમાં એક નાનું મંદિર પણ છે. જ્યાં સવાર સાંજ દિવો કરવામાં અને ઘંટડી વગાડવામાં ટાઈમ બગાડે છે.
  7. 90% ભણેલ ગણેલ દલિતો લાભ અનામતનો પુરો લે પણ કામ મનુવાદીઓ માટે કરે છે.
  8. ભણેલા ગણેલા દલિતોનુ આથિઁક સંગઠન છે. જ્યાં તેઓ બાબા સાહેબનાં સિધ્ધાતો પર ચાલવાને બદલે માત્ર તેમની જયજયકાર કરતા રહે છે.
  9. માત્ર 14 એપ્રિલે બાબા સાહેબ યાદ આવતા હોય તેવા 94% ભણેલા ગણેલા દલિતો છે.
  10. 90% ને તો બાબા સાહેબના મિશન વિશે કંઈ ગતાગમ જ નથી.
    બાબા સાહેબની જયંતી ધામધુમથી મનાવવી જ જોઈયે.. પણ મોટાભાગે શું થાય છે....???????
    14એપ્રિલ પત્યા પછી ફુલહાર અને માલ્યાપણઁ કરવા બહાર કાઢવામાં આવેલ બાબા સાહેબના તૈલચિત્રો અને ફોટાઓ ફરી માળીયા પર ચઢાવી દેવામાં આવે આવતી 14એપ્રિલ આવે ત્યાં સુધી.

બાબા સાહેબની જયજયકાર કરવા પાછળ કરોડો ખરચ કરીએ પણ તેમના વિચારોનો ફેલાવો 6743 પછાત જાતિઓમાં થાય તે માટે એક રૂપિયો નથી ખચઁ થતો..
બાબા સાહેબે કહ્યું હતુ તેમ બાબા સાહેબના ફોટા થી વધારે તેમનાં વિચારોનો પ્રચાર કરો...
કારણ આ લડાઈ સંપૂણઁ બાબા સાહેબના વિચારોની જ લડાઈ છે.
જિગર શ્યામલનનાં જયભીમ.