May 15, 2017

घर वापसी सवर्णों के लिए ज्यादा घातक है : राजु सोलंकी


घर वापसी के दो उद्देश है. पहला, विकास का नारा विफल गया तो घर वापसी के केम्पेन से हिन्दु मत बरकरार रखना. दूसरा, दलित-शोषित समुदायों में एक दूसरे के प्रति घृणा फैलाना, ताकि सवर्ण प्रभुत्व भी बरकरार रहे और गरीबी, बेरोजगारी जैसे बूनियादी सवालों पर कोई राष्ट्रीय चर्चा न हो सके.

मगर, घर वापसी के खिलाडियों ने उस बात का अंदाजा नहीं लगाया है कि घर वापसी से देश में दलितों की आबादी बढ सकती है और आरक्षण का क्वोटा बढाने की माग भी उठ सकती है. अगर ऐसा हूआ तो बीजेपी को सपोर्ट करके सवर्ण जातियां अपने ही पैर पर कुल्हाडी मार रही है ऐसा साबित होगा.

- राजु सोलंकी
दलित अधिकार
















Facebook Post :-

પ્રથમ મનોવૈજ્ઞાનિક તથાગત બુદ્ધ : ડૉ. ભાણજી એચ.સોમૈયા

મનુષ્યનું મન જ મુખ્ય છે; મનુષ્યનું મન જ સર્વસ્વ છે; મનુષ્યનું મન જ સર્વત્ર છે અને મનુષ્યનું મન જ અગ્રેસર છે; એવી વિશ્વ સ્તરે કોઈ ધમસ્થાપકે જાહેરાત,  હિમાયત અને આચરણ કરી સાબિત કર્યું હોય તો કદાચ લોકનાયક બુદ્ધ પ્રથમ છે. માટે જ
નેશનલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ ઓફ બુદ્ધિસ્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચર,  ડાયરેકટર
ડો. જયવર્ધન હર્ષ લખે છે કે;
“....આધુનિક મનોવિજ્ઞાનના જનક અને પ્રથમ મનોવૈજ્ઞાનિક તથાગત બુદ્ધ છે....” (“મનની શક્તિનું પ્રતીક: ધમ્મપદ”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-15)    
વિશ્વગુરુ તરીકે ગૌતમ બુદ્ધનું સ્થાન પ્રથમ છે.
કદાચ વિશ્વમાં ભગવાન બુદ્ધ જ એક એવા ભારતીય અને આંતરરાષ્ટ્રીય “ધર્મ સ્થાપક”, “સંસ્થાપક”, “વાહક”,  “ધર્મગુરુ’ અને ધર્મવિભૂતિ” છે; કે જેઓએ પોતાના ધર્મમાં પોતાના માટે “કોઈ વિશેષ સ્થાન” આપ્યું નથી.

એટલું જ નહિં; શાક્યસિંહે ક્યારેય પોતાને “ઈશ્વર”, “ઈશ્વરપુત્ર”, ઈશ્વરદૂત”, “ઈશ્વરસદેશક” કે “ચમત્કારિક ધર્મગુરુ” છે; એવો દાવો કર્યો નથી.
અને તેથી જ 
વિદ્વાન
પ્રોફેસર તુષાર સંબોધી
નોંધે છે કે
;”..આધ્યાત્મિક ધર્મગુરુઓમાં વિશ્વગુરુ તરીકે ગૌતમ બુદ્ધનું સ્થાન પ્રથમ છે. આજે વિશ્વના 41 જેટલા દેશોમાં તેમણે પ્રબોધેલો બૌદ્ધ ધર્મ ફેંલાઈ ચૂક્યો છે.....”(“મનની શક્તિનું પ્રતીક: ધમ્મપદ”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-18 ) 
જેણે મનને કલુષિત થતું; કટ્ટર થતું રોકવાની વાતો કરી
અર્હંતે “મનોવિજ્ઞાનનો પરિવર્તનનો નિયમ” અને “વિચાર કે મનના આકર્ષણનો નિયમ”ની બતાવ્યો છે; તે સકારાત્મક મન, નકારાત્મક, મન, પ્રતિકારાત્મક જ કેન્દ્રિત છે.
તેથી જ અભ્યાસુ વિદ્વાન
સદધમ્મચારિક જનબંધુ કૌશાંબીએ તારવ્યું છે કે;
“......તથાગત બુદ્ધ જ એવી વિભૂતિ પ્રાચીન વિશ્વમાં થઈ હતી કે જેણે મનને કલુષિત થતું; કટ્ટર થતું રોકવાની વાતો કરી તેની પદ્ધતિ જગતને બતાવી છે....” (“મનની શક્તિનું પ્રતીક: ધમ્મપદ”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-21)
બુદ્ધે નિર્દેશેલો “ધમ્મ”નો માર્ગ આજે પણ એટલો જ; બલ્કે વિશેષ રૂપે પ્રસ્તુત છે.....
ગુજરાતની વિખ્યાત વિદ્યાપીઠ
“ગુજરાત વિદ્યાપીઠ”ના
બૌદ્ધ દર્શન વિભાગના
પૂર્વ ડાયરેકટર
ડૉ. નિરેંજનાબેન વોરા
મારા પીએચ.ડી.ના ગ્રંથની પ્રસ્તાવનામાં નોધેં છે કે:
“........ઈ.પૂ. 500માં ગૌતમ બુદ્ધે નિર્દેશેલો “ધમ્મ”નો માર્ગ આજે પણ એટલો જ; બલ્કે વિશેષ રૂપે પ્રસ્તુત છે.....આ દષ્ટિએ પ્રસ્તુત ગ્રંથ અનેક રીતે આવકાર્ય છે....”( (“ધર્માનંદ કોસંબી: જીવન અને સાહિત્ય”, લે-ડૉ. બી.એચ. સોમૈયા, પૃ-ix)
“....જો આજની સંસ્કૃતિને બચાવવી હોય તો......
જાણીતા ચિંતક
રોહિત મહેતા દર્શાવે છે કે;
“....જો આજની સંસ્કૃતિને બચાવવી હોય તો બુદ્ધનો માર્ગ અને એમનું વ્યક્તિત્વ સમજવાં અત્યંત આવશ્યક છે....”(“કરુણામૂર્તિ બુદ્ધ”, લે-ગુણવંત શાહ, પૃ-8)
તારો, ઉદ્ધારક તું જ છે. કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.....”
જાણીતા લેખિકા
જયા મહેતાએ પોતાના પુસ્તકમાં તારવ્યું છે કે;
”...બુદ્ધે ઈશ્વર છે કે નથી એ વિશે સ્પષ્ટ પણે કંઈ જ કહ્યું નથી....આત્મા-પરમાત્મા, પરલોક, મોક્ષ, વગેરે સબંધી પ્રશ્નોને ટાળ્યા છે. આનંદ, તારો, ઉદ્ધારક તું જ છે. કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.....” (“ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મચિંતન”, પૃ-47)    
શાક્યમૂનિ બુદ્ધના અંત:દર્શન પર ધ્યાન કેન્દ્રિત કરો.....”
જાપાનના “હેપ્પી સાયન્સ”ના અધ્યક્ષ અને પ્રખ્યાત લેખક
રયુહો ઓકાવા
એ સાબિત કર્યું  છે કે
;”.....જ્યારે બધું તમારી વિરુદ્ધમાં જાય ત્યારે શાક્યમૂનિ બુદ્ધના અંત:દર્શન પર ધ્યાન કેન્દ્રિત કરો.....”(“ઈન્વીસીબલ થિન્કીગ”, પૃ-132)   
આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
ભારતરત્ન, આંતરરાષ્ટ્રીય વિદ્વાન વિભૂતિ,
સંશોધનાત્મક  લેખક,
પ્રભાવશાળી વક્તા,
ભારતીય બંધારણા ઘડવૈયા,
બૌદ્ધ ધર્મને પુન: ભારતમાં પ્રસ્થાપિત કરનાર મહાન બૌદ્ધ 
અને બંધારણ દ્વારા
અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ,
અન્ય પછાત વર્ગ,
મહિલા કામદારો,
મહિલા કર્મચારીઓ,
મહિલા અધિકારીઓ,
મહિલા નેતાઓ,
કામદારો,
ખેડૂતો
અને
શ્રમિકો જેવા
અધિકારવંચિત ભારતીયોને અધિકારોથી સંપન્ન કરીને.........
આલિશાન બંગલો,
લેટેસ્ટ કાર,
ભવ્યજીવન શૈલી,
સન્માન,
નામના,
પ્રતિષ્ઠા
અને
રાજકીય સત્તાની ભેટ આપનાર
ડો. બાબાસાહેબ આંબેડકર
પોતાના સંશોધનાત્મક અને વિસ્તૃત ગ્રંથ
“ધ બુદ્ધા અન્ડ હિઝ ધમ્મા”માં
બૌદ્ધ ધર્મને માનનારા બૌદ્ધોની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેનો ઉલ્લેખ કરતા
“ધ બુદ્ધિસ્ટ વે ઓફ લાઈફ” ચેપ્ટરમાં
આલેખે છે કે;”......
“.........  સારા (બંધારણીય) કાર્યો કરો. ખોટા(ગેરબંધારણીય) સહયોગ ન આપો. કોઈ પણ પ્રકારના પાપ (અનૈતિક) કાર્યો ન કરો.....આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........” ”........લોભ અને વિષય વાસનાને વસીભૂત ન થાઓ.....આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........કોઈને દુખી ન કરો. કોઈ વિશે દ્વેષ ન રાખો..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........ક્રોધ ન કરો. દુશ્મનીને ભૂલી જાઓ. પોતાના દુશ્મનો(પ્રતિસ્પર્ધીઓ) ને મૈત્રી (પ્રેમ)થી જીતો...... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.......મનુષ્ય તેવો જ બને છે જેવું તેનું મન તેને બનાવે છે. સન્માર્ગે (શીલ-ચારિત્ર્ય) આગળ વધવા માટે મનની સાધના તે પ્રથમ કદમ છે......... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.....જેણે પોતાને જાણ્યો હોય તો તે મનુષ્યે પોતાના પર (પોતાના સ્વભાવ) વિજય મેળવવો જોઈએ... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........બુદ્ધિમાન બનો. ન્યાયશીલ રહો અને સારી સંગત કરો...... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“........પ્રત્યેક કાર્ય કરતી વખતે જાગૃત (સાવચેત) રહો. પ્રત્યેક કાર્ય સમજી વિચારીને કરો. દરેક બાબતે બિનાઅળસુ અને ઉત્સાહી રહો..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“......ગરીબીથી દુ:ખ ઉત્પન થાય છે. પરંતુ એવું પણ નથી કે ગરીબી દૂર થવાથી મનુષ્ય સુખી થઈ જાય છે. સુખનો મૂળમંત્ર ઊંચું જીવન ધોરણ નહીં. પરંતુ ઊચ્ચ આચરણ છે... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........” 
“......કોઈને કડવા વેણ ન કહો. બીજો મનુષ્ય પણ આવો જ જવાબ આપશે. ક્રોધયુક્ત વાણી દુ:ખદાયી છે. કોઈના(વાણી દ્વારા) પર તમે પ્રહાર કરશો તો તે પણ તમારા ઉપર (વાણી) દ્વારા પ્રહાર કરશે. સ્વતંત્રતા, સૌજન્યતા, શુભેચ્છા અને નિ:સ્વાર્થપણું આ સઘળા સંસારમાં એવું મહત્વ છે કે જેમ પૈડાની ધરીનું મહત્વ છે....... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“.........જૂઠ્ઠું ના બોલો. બીજાઓને જૂઠ્ઠું બોલવાની પ્રેરણા ન આપો. કોઈના જૂઠ્ઠંનું સમર્થન ન કરો. સર્વ પ્રકારના મિથ્યા (ખોટા-બકવાસ) ભાષણોથી દૂર રહો. જેવી રીતે ભગવાન બુદ્ધ ઉપદેશ આપે છે તેવી રીતનું તેમનું આચરણ હોય છે. જેવું તેમનું આચરણ તેવો તેમનો ઉપદેશ હોય છે. એટલે જ ભગવાન બુદ્ધ.......તથાગત....કહેવાય છે..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”
“......”સાચા માર્ગ”
(સ્પષ્ટ લક્ષ્ય,
લક્ષ્યને હાંસલ કરવા

દ્ઢ સંકલ્પિત જીવન,
વિવેકપૂર્ણ વાણીનું પ્રયોજન,
નૈતિક અને બંધારણીય  કર્મ કરવા,
પવિત્ર અને પ્રામાણિક માર્ગે આજીવિકા કમાવવી,
લક્ષ્યસબંધીત નિરંતત પ્રયત્નશીલ રહેવું,
લક્ષ્યકેન્દ્રિત જ જાગૃતિ દાખવવી,
લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું.)
ને જ પસંદ કરો.
“સાચા માર્ગ”
(સ્પષ્ટ લક્ષ્ય, લક્ષ્યને હાંસલ કરવા દ્ઢ સંકલ્પિત જીવન, વિવેકપૂર્ણ વાણીનું પ્રયોજન, નૈતિક અને બંધારણીય  કર્મ કરવા, પવિત્ર અને પ્રામાણિક માર્ગે આજીવિકા કમાવવી, લક્ષ્યસબંધીત નિરંતત પ્રયત્નશીલ રહેવું, લક્ષ્યકેન્દ્રિત જ જાગૃતિ દાખવવી, લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું.)થી વિચલિત ન થાઓ.
જો કે આમ તો ઘણા માર્ગો માટે નહિ પરંતુ સર્વેને સુખી કરવા માટે છે.
તે આરંભમાં કલ્યાણકારી, મધ્યમાં કલ્યાણકારી અને અંતમાં કલ્યાણકારી હોવો જોઈએ.
“સાચા માર્ગે”
(સ્પષ્ટ લક્ષ્ય, લક્ષ્યને હાંસલ કરવા દ્ઢ સંકલ્પિત જીવન, વિવેકપૂર્ણ વાણીનું પ્રયોજન, નૈતિક અને બંધારણીય  કર્મ કરવા, પવિત્ર અને પ્રામાણિક માર્ગે આજીવિકા કમાવવી, લક્ષ્યસબંધીત નિરંતત પ્રયત્નશીલ રહેવું, લક્ષ્યકેન્દ્રિત જ જાગૃતિ દાખવવી, લક્ષ્ય પ્રાપ્ત કરીને જ ઝંપવું.) ચાલવું તેનો અર્થ..... આ જ બૌદ્ધ જીવનમાર્ગ છે........”

- ડૉ. ભાણજી એચ.સોમૈયા
M.A.,LL.B.SPECIAL, Ph.D., NET-UGC



સત્ય કડવું હોય છે વાંચો કેથરીન મેયો નામની મહિલા લેખિકાએ 1927માં લખેલ પુસ્તક 'મદર ઇન્ડીયા' માં નો એક પ્રસંગ


''...1926 ની ગરમીના દિવસો છે. કાલીઘાટના એક બ્રાહ્મણ મિ.હલ્દર મને પોતાની માલિકીના સ્થાનીક ગામમાં આવેલા કાલી માતાના મંદિરે લઇ જાય છે. ત્યાં બે બ્રાહ્મણ ઉભા છે. તેમાંથી એક બ્રાહ્મણ બકરાને પકડીને ઉભો છે. બીજા બ્રાહ્મણના હાથમાં તલવાર છે. તે એકજ ઝાટકે બકરાને કાપી નાખે છે. લોહીની ધારા વહેવા લાગે છે. તે વખતે તેમની પાછળ એક નાની વયની સ્ત્રી ઉભી હોય છે તે ચોપગી થઇ જાય છે અને તે વહી રહેલાં રક્તને ચાટવા લાગે છે. આવું તે એટલાં માટે કરી રહી હોય છે કેમ કે, તેને પુત્રરત્નની પ્રાપ્તિ થાય. મિ.હલ્દર મને જણાવે છે કે, અહીં રોજના 150 થી 200 બકરા કપાય છે. તેનું માંસ બ્રાહ્મણ પરીવારોના કામમાં આવે છે...''
(આ વર્ણન કેથરીન મેયો નામની મહિલા લેખિકાએ 1927માં પોતાના પુસ્તક 'મદર ઇન્ડીયા' ના 6 અને 7માં પેજ પર લખી છે. હું તમારા માટે સ્ક્રિનશોટ પણ મુકી રહ્યો છું)
427 પેજનું આ પુસ્તકમાં ચિત્રો અને દસ્તાવેજી પુરાવાઓ સાથે આ ઘટનાથી શરુ થાય છે અને આવી ઘણીય ઘટનાઓ સાથે પુરું થાય છે. આજથી નેવું વરસ પહેલાં લખાયું છે. આ પુસ્તકના લખાણમાં બારુદ ભરેલો હતો કે શી ખબર તાત્કાલીક અસરથી બ્રિટીશ સરકારે તેને ભારતમાં વેચવા કે વાંચવા પર પ્રતિબંધ મુક્યો હતો. ઓરીજનલ પુસ્તક ભારતમાં ક્યારેય ન આવ્યું. પણ તેને કાઉન્ટર કરવા બીજા કેટલાંય પુસ્તકો લખાયાં! જેમાં ડો. માર્ગારેટ બલ્ફોર, લાલા લજપતરાય, એચ.એ.પોપલે, રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, ડીચેર, અને રામાસ્વામી ઐયરએ પુસ્તકોની શ્રેણીઓ લખી! એક પુસ્તકને કાઉન્ટર કરવા આખા ભારતનું તોપખાનું ઉતરી પડ્યું. તમે અંદાજો લગાવો આગ કેટલી જોરદાર લાગી હશે!
હાલ આ પુસ્તક ઇન્ટરનેટ પર મફતમાં પીડીએફ સ્વરુપે મળે છે. નિચે પ્રથમ કોમેન્ટમાં લીંક મુકી રહ્યો છું..
https://ia800301.us.archive.org/7/items/motherindia035442mbp/motherindia035442mbp.pdf


Facebook Post :-

દલિતો પ્રત્યે કેટલાક કહેવાતા ઉચ્ચ વર્ણ ના લોકોની માનસિકતા છતી કરતી અદભુત કવિતા : શંકર પેન્ટર

આપણા સમાજ માં આજે પણ
દલિતો પ્રત્યે કેટલાક કહેવાતા ઉચ્ચ વર્ણ ના લોકોની માનસિકતા છતી કરતી અદભુત કવિતા......
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
મારાં હોમું હેંડત હાળા,
લગીરેય તન બીક ના લાજી ?
પૂછજે તારા વાહમાં જઇન
કુણ શુ...
તન કેહ એ તો
લેંબડે બાંધી બાપ ન તારા
ધોકે ધોકે ધધડાયો’તો !
મેલ્લામાંથી ડોશીઓ આયી
ખોળા પાથરી સોડાયો’તો !
દૂણી લઈન સાસ લેવા ,
આવજે હવ ગામમાં હાળા,
હાદ પડાવું આંયથી જઈને,
બંધ કરી દો દાડિયાઓન,
પોલીસ પટલ, સરપંચ મારો,
તલાટી ન મંતરી મારો,
ગામનો આખો ચોરો મારો,
તાલુકાનો ફોજદાર મારો,
જોઈ લે આખો જિલ્લો મારો,
મોટ્ટામ મોટો પરધાન મારો,
દિલ્લી હુદી વટ્ટ મારો.
કુણ સ્ તારું? કુણ સ્ તારું?
કુણ સ્ તારું? કુણ સ્ તારું?
ધારું તો લ્યા ઠેર મારું,
ચ્યમ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ્ ?
મારાં હોમું હેંડત હાળા,
લગીરેય તન બીક ના લાજી ?
-શંકર પેન્ટર
ગુજરાતી દલિત સાહિત્ય ના મહાન કવિ
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ આ હૃદયષ્પરશી, વેદના દર્શાવતી રચના ના કવિશ્રી શંકર પેન્ટર ને"સ્વાભિમાન"યુક્ત શત શત વન્દન ...

જય ભીમ.


અનુસૂચિત જાતિના લોકોને મનુવાદ અને અંધશ્રધ્ધાયુક્ત ગુલામીમાંથી બહાર આવતા હજી બીજા સો કે બસ્સો વરસ લાગી શકે તેમ છે.


કેટલાક અનુસૂચિત જાતિના લોકોએ ઘરમાં ગણપતિનું સ્થાપન કયુઁ અને પાછા તેના ફોટાઓ પર ફેસબુક પર અપલોડ કયાઁ..
આ વાત એક વસ્તુ બતાવે છે કે અનુસૂચિત જાતિના લોકોને મનુવાદ અને અંધશ્રધ્ધાયુક્ત ગુલામીમાંથી બહાર આવતા હજી બીજા સો કે બસ્સો વરસ લાગી શકે તેમ છે.
કારણ... પહેલા ગણપતિનો ફાળો ઉઘરાવશે.... પછી વાજતે ગાજતે નાચતા નાચતા ગણપતિની મૂતિઁ ખરીદવા જશે. બાદ સોસાયટી, મહોલ્લાઓ કે શેરીઓમાં તેનું સ્થાપન કરી દસ દિવસ સુધી મંડ્યા રહેશે..
આવા ભક્ત મિત્રોને એક જ સવાલ છે... તમે જેટલી શ્રધ્ધા અને આસ્થાથી ગણપતિ ઉત્સવમાં રસ લઈ રહ્યા છો તેટલો રસ કદીય ચૌદમી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે લીધો છે..???????

જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????

હવે એક સામાન્ય કોમન સેન્સની તકઁવાળી વાત, ગણપતિ શંકરના પુત્ર..!!!!!!!!!

એટલે કૈલાશ....હિમાલયવાસી મતલબ ઉત્તર ભારતનો વિસ્તાર ...!!! 

વિચારવા જેવી વાત એ છે કે ગણેશ નો વિસ્તાર ઉત્તર ભારત હોય તો તેમનો ઉત્સવ ઉત્તર ભારતનાં વિસ્તારોમાં જ વધુ ઉજવાવો જોઈયે... તો પછી ઉત્તર ભારતના બદલે ગણેશ ઉત્સવની આટલી બધી ધુમધામ મહારાષ્ટ્રમાં શા માટે..????????
તેની પાછળનું કારણ છે... જ્યોતિબા ફુલે અને શિવાજી મહારાજની યાદમાં બહુજન પછાતોને જાગ્રત કરવા જ્યોતિબા દ્વારા ઉજવવી શરૂ કરેલી શિવાજી જયંતિ!!!!!!!

શિવાજી મહારાજના ના મૃત્યુ બાદ જ્યોતિબા ફુલેએ રાયપુરમાં તેમની સમાઘી શોધી કાઢી.. અને શિવાજીની પ્રશસ્તિ રૂપે પેવાડા લખ્યું.. બાદમાં મહારાષ્ટ્રમાં બહુજન પછાતોમાં પોતાના ઈતિહાસ બાબતે લોકજાગૃતિ ફેલાવવા જ્યોતિબા ફુલે દ્વારા 1874માં શિવાજી જયંતિ ઉત્સવ શિવજયંતિ ઉત્સવ મનાવવો શરૂ કયોઁ... 

ત્યારથી આ ઉત્સવ દર વરસ ઉજવાતો રહ્યો.. અને તેમાં પછાતો મોટી સંખ્યામાં ભાગ લેતા ગયા. અને પોતાના ઈતિહાસથી વાકેફ થતા ગયા અને મનુવાદી ષડયંત્રને સમજવા લાગ્યા. આનાથી કટ્ટર મનુવાદીઓ ડરી ગયા. કારણ આ મહોત્સવથી પછાતો જાગ્રત બની રહ્યા હતા. 

આ ઉત્સવને રોકવા માટે અને પછાતોનું ધ્યાન બીજે દોરવા માટે કટ્ટર મનુવાદીઓના ઈશારે લોકમાન્ય ટિળક દ્વારા 1893-94 થી જાહેર સાવઁજનિક ગણપતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. (યાદ રાખો...1893-94 પહેલા ગણેશ મહોત્સવ ઉજવાતો હોય તેના પ્રમાણ ઈતિહાસમાં ક્યાય નથી..)
આ ઉત્સવ અંગ્રેજો વિરૂધ્ધ ભારતીય પ્રજામાં લોકજાગ્રતિ ફેલાવવા માટે કરવામાં આવેલો એવું કહેવામાં આવે છે. પણ હકીકતમાં આ મહોત્સવ પછાતોમાં મનુવાદ વિરૂધ્ધ વધતી જતી લોકજાગ્રતિ રોકવા માટે જ શરૂ કરવામાં આવેલો. 
બસ પછી ગણપતિ મહોત્સવે એવું ઘેલુ લગાડ્યું કે ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. મહારાષ્ટ્રથી ગુજરાત...

હવે તો ગણપતિ મહોત્સવ બધાય ઉજવે છે. પછાતો પણ ધામધૂમથી દર વરસે ઉજવે છે. 

દર વરસે ગણપતિને મોંધા ભાવે ખરીદી લાવે છે... દસ દિવસ પુજા, અચઁન, પ્રસાદ ધરાવે છે. દસ દિવસ પછી પાણીમાં ડુબાડી આવે છે. 
આવું દર વરસે કરવામાં આવે છે.... ગણપતિ આવે છે અને જાય છે.... પણ આપણે હજીય ત્યાંને ત્યાં જ ઉભા છીએ.
જો આપણે પોતાને અનુસૂચિત જાતિના ઓળખાવતા હોઈએ.. અને બાબા સાહેબમાં થોડોક પણ વિશ્વાસ રાખતા હોઈએ તો આ મનુવાદની ગુલામી સમો ગણેશ ઉત્સવ ઉજવવો બંધ કરી દેવો જોઈયે. 

અથવા તો પોતાનાં જાતિના પ્રમાણપત્રો ફાડી નાખી... શિડ્યુલ્ડ કાસ્ટ તરીકે મેળવતા હોય તે તમામ લાભ છોડી... બાબા સાહેબે અપાવેલ સુખ સાહ્યબી ત્યાગી દેવી જોઈયે.
જયભીમ................ 

જાતિનું ગૌરવ લઈને ફરનારા આજે ભીમ આર્મીથી થર-થર ધ્રુજી રહ્યા છે : પ્રશાંત લેઉવા

હા હા ! જુસ્સાથી તબિયતથી અત્યાચારીઓને જવાબ આપવાની વાત અહીં ગુજરાતી માં પોસ્ટરૂપે  કરીને તેના પડઘા  યુ.પી  ના સરહાનપુરમાં પડ્યા ને એ ભડકાએ અનેક લોકોની ઊંઘ હરામ કરી દીધી .
ભીમ આર્મી થી એવી તો કેવી ફાટી ગઇ તમારી કે સંઘ,હિંદુ યુવા વાહીની,રણવીર સેના જેવા લોકોએ એક થવું પડ્યું. ગામ આખાને ખબર  છે  કે ઉપદ્રવી અને તોફાનીઓ કોણ  છે .  રણવીર સેના,સંઘ, વી.એચ.પી. બંજરંગ દળ,હિન્દુ યુવા વાહીની આ બધાઓ દલિતો પર અત્યાચાર ને તોફાનો કરેલા જ  છે. તેઓ ક્યાં દૂધે ધોયેલા છે તોપણ કોઈ સરકારની હજુ હિમ્મતથી થઈ કે તેમને પડકારી શકે.
એક ભીમ આર્મીએ શું તમારી બેન્ડ બજાવી દીધી તમે તો ભેગા થઇ હા હા મચાવી દીધી કે દલિતો ની ગુંડા ટોળકીએ તોફાનો કરાવ્યા. એમના પર કેસ ચલાવ્યા ફલાણું કરો.... ઢિકણું કરો.....
સાલું આટ આટલા સંગઠનો હોવા છતાં તમે એક ભીમ આર્મી થી બીવાઈ ગયા. આંતકવાદી ટોળકી એવું નામ આપી દીધ્યું. આ તો હજુ એક ભીમ આર્મી ઉભી થઇ છે. જ્યારે ગામે ગામ આવી ભીમ આર્મી ઉભી થશે . એની રચના થશે ત્યારે તેમને તમારી અસલ પરિસ્થિતિનું જ્ઞાન થશે.
જાતિનું ગૌરવ લઈને ફરનારા આજે ભીમ આર્મીથી થર-થર ધ્રુજી રહ્યા છે.આ એક ચોક્કસ નવી શરૂઆત  છે.
#વેલ ડન_ભીમઆર્મી
-- પ્રશાંત લેઉવા















Facebook Post :-

आखिर कौन है ये अम्बेडकर? - आर पी विशाल

आखिर कौन है ये अम्बेडकर?

आरक्षण जनक? जाति संरक्षक? धर्म तोड़क? 

अंग्रेजों का सिपहलकार, ब्राह्मणों का दुश्मन?

हिंदुओं का विरोधी? देशद्रोही? या एक खुद्दार नेता?


आखिर कौन है ये अम्बेडकर?

हो सकता है कि कई लोगों को इन शब्दों से आपत्ति हो लेकिन 85 प्रतिशत से भी ऊपर इस देश के लोग बाबा साहेब को इसी रूप में स्थापित और वर्णित करने की कोशिश में लगे हैं। अम्बेडकर तो एक शिक्षक थे, एक वकील थे, राजनेता थे, गुरु थे, डॉक्टर भी थे, समाजसुधारक थे, विचारक थे, चिंतक थे, अर्थशास्त्री थे, ज्ञानी थे, शास्त्री थे, महापंडित भी थे, दूरद्रष्टा थे, एक आम इंसान थे हम सब की तरह। बस बुद्धि तीक्ष्ण थी, सोच विकसित थी और कर्म निष्पक्ष थे।

कल जब एक चतुर्वेदी जी ने वाट्सऐप ग्रुप में यह कहकर आपत्ति लगाई कि एक चमार की फोटो इस ग्रुप में न भेजो तो ग्रुप के 99 प्रतिशत सदस्यों के जैसे जान में जान आई और फिर मुकाबला शुरू हुआ आरक्षण से खत्म हुआ उपरोक्त सभी शब्दों के साथ। यही लगभग पुरे सोशल मीडिया और लोगों की मानसिकता का है। आप किस किस समझोओगे, बहस करोगे?

जब देश का संविधान बना तो लगभग 99.99 प्रतिशत लोगों को यह भी मालूम नही था कि संविधान आखिर होता क्या है। उन्हें यह भी मालूम नही था कि लोकतंत्र और कानून किस भला का नाम है। आज उन्ही की संतानें उसी संविधान और संविधान निर्माता पर सवालिया निशान करने में लगे हैं। अंग्रेजों की मुखबिरी और राजाओं की चाटुकारिता में जिनका पूरा जीवन बीता वो आज देशभक्ति और कानून पर लच्छेदार भाषण सुना रहे हैं। वो आरक्षण को अभिशाप और जातियों को सामाजिक सद्भाव समझते हैं। वो मंदिर के आरक्षण को धर्म और सामाजिक प्रतिनिधित्व को खैरात समझते हैं।

खैर! ये उनकी भी अभिव्यक्ति की आजादी है अन्यथा अपने देश के कानून और पहचान पर अपने ही समाज व् देश के एक बड़े हिस्से पर शायद ही किसी देश में सवाल उठाये जाते हो। आज सवाल आरक्षण, संविधान या अम्बेडकर का नही है क्योंकि किसी का भी विरोध करना इस देश का फैशन बन गया है। लेकिन मुझे तरस उन लोगों की मानसिकता पर आता है जो तर्क करते हैं कि आरक्षण से काबिलियत वंचित हो रही है। एकलव्य और शम्बूक से काबिलियत छीनने वाले ये मेरिट धारी आज भी किसी दलित को आईएएस बनने से रोकने के लिए रात के अँधेरे में हमला करते हैं। किसने कह दिया कि आरक्षण किसी देश में नही है? उनको बतया गया कि संविधान एक कॉपी पेस्ट है या कहते हैं कि अंग्रेजों के गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट का पुलिंदा है।

ऐसे लोग 18 वीं सदी में जी रहे हैं। क्योंकि उन्होंने विश्व के इतिहास को पढ़ा ही नही है, न आरक्षण व् संविधान को। विश्व में जहाँ आरक्षण को ऐफिरमेटिव एक्शन कहते हैं और रंगभेद, नस्लभेद के लोगों को इसका फायदा दिया जाता है, जिनमे विकसित राष्ट्र जैसे ऑस्ट्रेलिया, कनाडा, अमेरिका आदि देश शामिल है। दूसरी बात न वो लोग यह जानते हैं कि ब्राह्मण, क्षत्रिय, वैश्य, शुद्र विदेशों में नही पाए जाते हैं फिर भी वहां समानता के लिए आरक्षन है जिसका आधार गरीबी नही बल्कि सामाजिक, धार्मिक, राजनैतिक या रँगभेद आधारित भेदभाव और मानसिकता है।

जहाँ तक संविधान के कॉपी पेस्ट का सवाल है तो उन्होंने कभी अपने देश का न संविधान पढ़ा, न इतिहास। एक तरफ जब वो यह मानते है कि आरक्षण विदेशों में नही है तो दूसरी तरफ तर्क देते हैं कि संविधान में आरक्षण का प्रावधान डॉ अम्बेडकर ने दिया है जो गलत है। यानी उनकी शर्तानुसार संविधान कभी कॉपी पेस्ट है तो कभी गलत या बेकार। बहुत कम लोग जानते हैं कि गवर्नमेंट ऑफ़ इंडिया 1935 जब बना था उसके आधे हिस्से बाबा साहेब की सोच से बने हैं जो भारतीय लोगों की बेहतरी के लिए भारतीय व्यवस्थानुसार थे।

बाबा साहेब डॉ भीमराव अंबेडकर के विचारों से  संविधान, आरक्षण के अलावा रिजर्व बैंक ऑफ़ इंडिया की स्थापना, हीराकुंड, दामोदर नदी घाटी परियोजना, इलेक्ट्रिक ग्रिड सिस्टम, सेवानियोजन कार्यालय, वित्त आयोग, महिलाओं के समस्त कानून, दलितों, शोषितों और पिछड़ों के विशेष कानून, मजदूरों की कार्य करने की अवधि 14 घण्टे से 8 करना और मातृत्व अवकाश, स्वतंत्र निर्वाचन आयोग, वयस्क मताधिकार, लोकतंत्र और न जाने सैकड़ों चीजे ऐसी है जो बाबा साहेब ने इस देश को दी है लेकिन लोगों की आंख में धर्म और जाति का काला चश्मा चढ़ा है जिससे आगे कुछ दिखाई देना नामुमकिन है।

भारतीय व्यव्यस्था में जो जब जब सही था उसकी समस्त रुपरेखा संविधान में है। अच्छा और बुरा क्या किया जा सकता है वह समय समय की सरकारों पर निर्भर है। आज जो अतिवाद चल रहा है चाहे वो किसी भी तरफ हो, वो अपने उफान के चरम तक जाएगा अवश्य लेकिन वहीँ से उसकी अंतिम यात्रा भी शुरू होगी। इसलिए अपने देश की धरोहर, राष्ट्रिय प्रतीकों और महापुरुषों के साथ साथ कानून और व्यव्यस्था पर भी गर्व करें, उसे और अच्छा बनाये रखने का संकल्प करें जिससे हम विकसित राष्ट्र का सपना पूरा कर सकें। धन्यबाद।

पार्लियामेंट की डिबेट जिसमे डॉ राजेंद्र प्रसाद और बाबा साहेब के सवाल जवाब और संविधान पर उनका क्या योगदान है इस लिंक पर जाए। पार्लियामेंट ऑफिशियली।  http://parliamentofindia.nic.in/ls/debates/vol11p11.htm

-- आर पी विशाल

















Facebook Post :-