Showing posts with label India. Show all posts
Showing posts with label India. Show all posts

March 28, 2020

Playing with Fire

By Raju Solanki  || 27 March 2020

Image may contain: one or more people, people standing, hat and outdoor


1.
ट्रम्प पागल आदमी है.

ट्रम्प बहुत कुछ है. केपिटालिस्ट, क्रोनी केपिटालिस्ट, मोनोपोलिस्ट, सेल्फिश, रेसिस्ट, व्हाइट सुप्रिमेसिस्ट, फासिस्ट, एन्टि-वुमन.

पूरी मानवजाति विनाश के कगार पर है, तब अमरिका में ट्रम्प का प्रेसिडन्ट होना अच्छी बात नहीं है.

ट्रम्प ने बार बार कोरोना वायरस को चाइनीझ वायरस या वुहान वायरस कहकर अपने नस्लवादी होने का प्रमाण दिया है.

यह एक तरह का स्टीरीयोटाइपिंग तो है ही, साथ साथ इससे एक बात भी समजी जाती है कि अमरिका खुद की गलतियां स्वीकार नहीं करेगा.

अमरिका केन डु नो रोंग. जस्ट लाइक किंग.

वाकई में कोरोना की वजह क्या है?

दर असल, मानवजाति ने कुदरत का बनाया हुआ संतुलन बिगाड दिया है. अपने स्वार्थ के चलते. पैसे कमाना और तेजी से कमाना. इस रफ्तार में केपिटालिस्ट वर्ग ने कुदरत की व्यवस्था को पटरी से उतार दी है. अमरिका यह कटु सत्य कैसे स्वीकार करेगा? कोई भी डेवलप कन्ट्री यह बात नहीं स्वीकारेगा.

कोरोना वायरस चमगादड से आया है वाया पेंगोलिन. और यह पेंगोलिन एक लुप्त हो रही मासूम प्रजाति है. पेंगोलिन का व्यापार होता है और उसमें बहुत मुनाफा है. इसी मुनाफाखोरी से चलते इन्सान ने पर्यावरण से खिलवाड किया है.

कुदरत ने हमें बहुत बडा मेसेज दिया है.
अभी भी वक्त है. संभल जाओ.
कल कुदरत तुम्हे पछताने का मौका भी शायद नहीं देगी.



2.

लोग हैरान परेशान है.

पूछ रहे हैं कि चीन से 15,000 किमी की दूरी पर इटली है. वहां कैसे कोरोना पहुच गया?

अभी हमें कुछ काम ही नहीं करना है. तो वाइरस चीन से इटली कैसे पहुंचा उस पर ही रीसर्च क्यों ना करें?

क्या कोई चाइनीझ चीन से फ्लाइट में बैठकर इटली के मिलान में गया होगा और वहां थुककर कोरोना फैलाया होगा?

बडी दिलचश्प कल्पना है.

और दूसरी कल्पना तो इससे भी मजेदार है.

कहते हैं चीन ने जानबूझकर अपने ही देश में वायरस फैलाया और फिर पूरी दुनिया को बरबाद कर दिया.

कहते है आलसी इन्सान का दिमाग शैतान की फैक्ट्री है.

दर असल हमारी बहुत सारी इन्फर्मेशन (या मिसइन्काफर्मेशन) का स्रोत अमरिका और उसकी न्यूझ एजन्सियां है. हम जाने अनजानें में भी उन्ही की गढी हूई कहानियां आत्मसात करते हैं और फिर हमारी वोट्सप युनिवर्सिटी के हमारे भोले भाले छात्रों को पढाते रहतेहैं.

भाई जान, कोरोना किसी कोन्सपीरसी नहीं है. यह पेन्डामिक है. वैश्विक महामारी है.

और अगर यह कोन्सपीरसी है तो वह इन्सान ने अपने निजी स्वार्थ के कारण पूरी कुदरत के खिलाफ जो खिलवाड किया है उसी की वजह से यह पेन्डामिक आया है.

अमरिका चीन के सर पर सारी गलतियां थोपकर बचना चाहता है. गुनहगार तो दोनों हैं.

- राजु सोलंकी

September 28, 2019

કોઈ સ્કિલ ઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

By Vijay Makwana  || 24 Sep 2019



વર્ષ 2009-10 માં ગુજરાતનાં યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના નામે છેતરવામાં આવ્યાં. એલ એન્ડ ટી નામની કંપનીએ ગુજરાતનાં યુવાનોને હુન્નરબાજી શિખવવાનું સરકારી બીડું ઝડપ્યું. ગુજરાત સરકારની ભાગીદારીમાં તમામ આઈટીઆઇમાં કડીયાકામ,સુથારીકામ,સેન્ટીંગનાં વિગેરે..બે માસથી લઇને ત્રણ માસ સુધીનાં સ્કિલ ડેવલપીંગ ના કોર્સ શરુ કરવામાં આવેલાં. માત્ર મારા જિલ્લામાં જ 2000+ યુવાનોએ લાભ લીધેલ. પણ શિખવનાર ઇન્સ્ટ્રકટર પોતે જ તમામ માહિતીથી અનભિજ્ઞ હતાં. બસ હાજરી પુરાવો સ્ટાઇપેન્ડમાંથી અમુક રકમ ફાળવો. સર્ટીફિકેટ લઇ જાઓ. આશરે દસેક લાખનો સામાન બે વર્ષ નવો પેક પડ્યો રહ્યો હવે સડી ગયો છે.(એ દરમ્યાન સરકારમાં વપરાશના નવાનાં બીલ બનતાં જ હતાં) આખરે સંપૂર્ણ જિલ્લો હુન્નરવાળો થઇ ગયો. સરકારની આ હુન્નરબાજીના સુ-રિપોર્ટમાં મારો જિલ્લો પ્રથમ નંબરે છે.

આવું જ બીજુ એક કરતુત છે. ધો-12 પાસ તમામ યુવાનોને કોલસેન્ટરમા,હોટલોમાં પર્સનાલીટીના આધારે નોકરી મળી રહે તે માટે. પર્સનાલીટી ડેવલપમેન્ટ તથા બીપીઓ કોર્સ (બે માસના) ફ્રિ માં ચલાવવા રાજ્યભરમાં ગુજરાત સરકારે પાંચસોએક જેટલી ખાનગી એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપેલાં. બધી એજન્સીઓ સંખ્યાંમાં રસ ધરાવતી. હજારો સર્ટીફિકેટનું વિતરણ થયું. યુવાન દિઠ સરકારે શો ચાર્જ ચૂકવ્યો તે ગોપનીય છે.

વચ્ચે સાહેબને અંગ્રેજી પ્રત્યે અનહદ પ્રેમ જાગ્યો..(મુળ સંસ્કૃતપ્રેમી). હું પણ ફ્લુએન્ટ અંગ્રેજી બોલું ગુજરાત પણ બોલે..!! સ્કોપ નામનો કોર્સ લઇ આવ્યા હોર્ડીંગ્સ લગાવ્યા..હજારો યુવાનોને હાકલ કરી..જોડવામાં આવ્યા. આખું ગુજરાત આજે ચોપડા ઉપર કડકડાક અંગ્રેજી બોલે છે. તમારે ન માનવું હોય તો સરકારી રિપોર્ટ જોઇ લો!

આ થઇ સ્કિલની વાતો..! હવે કોઈ #સ્કિલઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

-વિજય મકવાણા

( આ મોદી પીએમ થયાં પહેલાની પોસ્ટ છે. જે અક્ષરસ: આજે સાચી છે)

July 02, 2018

Thinking on a great soul: Dr Bhimrao Ambedkar

By Raju Solanki  || 9 May 2018




When the whole world was revolving around two ‘M’, Mohandas Gandhi and Mohammed Ali Zinha and the whole manu-stream media was busy highlighting their actions and utterances, one great soul was burning his oil at midnight decoding riddles of Hinduism and rewriting history with paramount confidence that one day his people would read his words, follow his commandments and carry forward his legacy to their generation next.

So, friends, you may not have incredible intelligence and gigantic genius like Bhimrao Ambedkar, don’t frustrate, try to replicate his profound dedication and courageous commitment for his people, you will win the battle.

Facebook Post:

March 03, 2018

आप किसके साथ है???

By Raju Solanki  || 2 March 2018


તમે કોની સાથે છો?

આ દેશમાં માયાવતી કરતા રાહુલ ગાંધીના વડાપ્રધાન થવાના ‘ચાન્સીસ’ વધારે છે. કેમ? 


ચહેરાથી શરૂઆત કરો.

માયાવતી શ્યામ રંગના. નાક ચીબુ. હોઠ જાડા. ચહેરો સહેજેય ફોટોજેનિક નહીં. ચહેરા પર કશીજ નમણાશ કે કોમળતા નહીં.

રાહુલ શ્વેત રંગના. નાક અણીદાર. ચહેરો ક્યૂટ. આકર્ષક. હસમુખો એવો કે ના હસે તો પણ ગાલે ખંજન પડે.

ઋગ્વેદમાં કાળા રંગના, નીગર દાસ, અનાર્ય, દશ્યુઓનું વર્ણન કરેલું છે.
ય: કૃષ્ણગર્ભા નિરહન્નૃઋજિશ્વના
એટલે કે (આર્યોના) દેવે ઋજિસ્વનની સાથે રહીને કૃષ્ણગર્ભો (કાળીયાઓ)ને હાંકી કાઢ્યા.
આર્યો શ્વેત હતા. 
આર્યો જીત્યા, અનાર્યો હાર્યા.

રાહુલ આર્ય પુરુષ છે. માયાવતી અનાર્ય સ્ત્રી છે.
ફુલનદેવી માટે મીડીયા ‘દશ્યુસુંદરી’ શબ્દ વાપરતું હતું. માયાવતી માટે ‘દલિત ઝરીના’ શબ્દ પ્રયોગ થાય છે. 
શ્રી દેવીથી માંડીને સની લીયોની જેવી આર્ય કન્યાઓ પાછળ પાગલ સવા અબજનો દેશ ગોરી ચામડીને પૂજે છે, કાળી ચામડી ધરાવતી સુપર્ણખા કાન કાપવાને લાયક છે, હોલિકા બાળવાને પાત્ર છે.

હવે વિચારધારા જુઓ.
માયાવતીએ બદનામી વહોરીને પણ તથાગત બૌદ્ધ, પેરીયાર, જોતીબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, કાંસીરામ, શાહુ મહારાજની પ્રતિમાઓ સ્થાપી. એ એમની વિચારધારા છે. રાહુલ ગાંધી નેહરુ, ગાંધી, ઇન્દિરા, રાજીવની પ્રતિમા સ્થાપશે. એ એમની વિચારધારા છે. 
માયાવતી ચૂંટણી વખતે મંદિરોમાં જઇને ઘંટડી વગાડતા નથી. રાહુલ જનોઈ બતાવીને વોટ માંગે છે.

કોંગ્રેસ અને ભાજપ બંને વૈદિક આર્યોના પક્ષો છે. મીડીયા વૈદિક આર્યોના પક્ષે છે. ગાય, ગોબર, ગંગા વૈદિક આર્યોના પ્રતીકો છે. 
અનાર્યો, બહુજનોના પરાજય માટે બંનેની એકમતિ છે. 
તમે નક્કી કરજો. તમે કોની સાથે રહેશો?

- Raju Solanki



In Hindi :-

आप किसके साथ है???

इस देश मे मायावती से ज्यादा प्रधानमंत्री बनने के चांसीस राहुल गांधी के है. 
क्यो??

चेहरे से ही शुरुआत करते है...

मायावती जी श्याम रंग की है, नाक अणीदार नही है, होंठ मोटे, चेहरा जरा भी फोटोनजेनिक नही. चहरे पर कोमलता भी नही है.

वंही राहुल गांधी गोरे रंग के, अणीदार नाक, चेहरा क्युट, मनमोहक और हसमुख तो ऐसा की अगर ना भी हसे तो गालो पर डिंपल पडते है.

रुग्वेद मे काले रंग के, दास , अनार्य , दश्युओ का वर्णन है.

"यःकृष्णगर्भा निरहन्नुरुजिश्वना"

मतलब की (आर्य) देव ने सुजिस्वन के साथ रह कर कृष्णगर्भो (काले लोगो को) हराया था.

आर्य गोरे लोग थे,
आर्य जीत गए.
अनार्य हार गए...

राहुल गांधी आर्य पुरुष है, मायावती अनार्य है और उस मे भी स्त्री है.
फुलनदेवी के लिए मीडिया "दश्युसुंदरी" शब्द इस्तेमाल करता था. मायावती के लिए "दलित जरीना" शब्द प्रयोग हो रहा है.

श्री देवी से लेकर सनी लीयोनी जैसी आर्य कन्याओ के पीछे पागल ये देश गोरी चमडी को पुजता है, काली चमडी वाली सुपर्णखा नाक काटने के लायक है. होलिका जला देने के लायक है.



अब विचारधारा देखते है.

मायावती ने काफी बदनामी के बावजुद तथागत बुद्ध, पेरीयार, ज्योतीबा फुले , बाबा साहब आंबेडकर, कांशीराम , शाहुमहाराज की प्रतीमाएं स्थापीत की. वो उनकी विचारधारा है.

राहुल गांधी नेहरु, गांधी, इंदीरा, राजीव की प्रतीमा स्थापीत करेगे. वो उनकी विचारधारा है.

मायावती ईलेकशन के समय मंदीरो मे जाकर घंटीया नही बजाती. राहुल अपनी जनेउ लहराता हुआ वोट मांग रहा होता है.

कोंग्रेस और भाजपा दोनो वैदीक आर्यो की राजकीय पार्टीया है. मीडिया वैदीक आर्यो के पक्ष मे है. गाय,गोबर , गंगा , वैदिक आर्यो के प्रतीक है.

अनार्यो, बहुजनो (SC ST OBC) की हार के लिए दोनो एक संमत है. 
अब आप को फैसला करना है की , आप किसके साथ है...????

- Raju Solanki
(Originaly written in Gujarati , Translated By विशाल सोनारा )

March 01, 2018

હવે લીપાપોતી નહીં ચાલે

By Raju Solanki  || 22 February 2018 at 8:49pm  



અત્યાચારો કોંગ્રેસના રાજમાં પણ થતા હતા અને ભાજપના શાસનમાં પણ થાય છે. પરંતુ બંને વચ્ચે એક મહત્વનો તફાવત છે. કોંગ્રેસના રાજમાં અત્યાચારો થતા ત્યારે “આ વખતે તો કોંગ્રેસને પાડી જ દો” એવું કોઈ બોલતું નહોતું. લોકો અત્યાચારોને કોંગ્રેસ સાથે identify કરતા નહોતા. કોંગ્રેસ દલિતોની માબાપ છે, દલિતો કોંગ્રેસના ઓશિંગણ છે, એવી છાપ એકંદરે જળવાઈ રહેલી. કોંગ્રેસ પર જીવતી એનજીઓ અને કોંગ્રેસની સમાજવાદી છબી ઘસી ઘસીને ઉજળી રાખતા સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધિકોએ સમય સાથે અંદરથી સડતી જતી કોંગ્રેસને બહારથી લીલીછમ્મ રાખી હતી.

જેતલપુરમાં શકરાને જીવતો સળગાવી દેવાયેલો. હજારો દલિતો જેતલપુર ઉમટી પડેલા અને ગામને રીતસરનો ઘેરો ઘાલેલો. ઉનાકાંડ કરતા પણ ભયાનક હતો જેતલપુરકાંડ. ઉનાકાંડનો વીડીયો વાયરલ થયો એટલે એની ભયાનકતાનો તમને અંદાજ આવ્યો. જેતલપુરના હત્યાકાંડની કોઈને ગંધ સુદ્ધાં આવેલી નહીં. ત્યારે દલિત અત્યાચારની શોકસભાઓમાં કોંગ્રેસના દલિત આગેવાનોની હાજરી એકદમ સ્વભાવિક ગણાતી. દલિત કવિ નીરવ પટેલની અત્યંત જાણીતી કવિતા ‘જેતલપુર’માં કવિ તત્કાલીન કોંગ્રેસી દલિત અગ્રણીઓને ઉદ્દેશીને કહે છે,

“મનુભાઈ, શાંતાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

આજે અત્યાચાર થાય તો આ જ પંક્તિમાં થોડો ફેરફાર કરીને આપણે કહીએ છીએ, 
“રાહુલભાઈ, સોનીયાબેન
એમણે કરવાના ખુન અને આપણે ભરવાની શોકસભાઓ?”

દલિતોની રેકર્ડ અટકી ગઈ છે.
દલિતોની રેકર્ડ ઘસાઈ ગઈ છે. 
હવે તો પિન પણ ઘસાઈ ગઈ છે, 
તોય કેટલાક લોકો નવી રેકર્ડ, નવી પિન લાવવા માંગતા નથી, નવું ગીત ગાવા માંગતા નથી. 

જેતલપુરમાં અત્યાચારો પટેલો કરતા હતા, કોંગ્રેસ કરતી નહોતી એવી સમજ (કે ગેરસમજ?) હતી. ગોલાણામાં અત્યાચારો દરબારોએ કર્યા, કોંગ્રેસે કર્યા એવું કોઈ કહેતું નહોતું. કોઈએ એવું પણ ના કહ્યું કે, કોંગ્રેસના રાજમાં દરબારોને બહુ ચરબી ચડી ગઈ છે. કોંગ્રેસ તો સારી છે, આ દરબારો અને પટેલો ખરાબ છે એવું કહેનારો વર્ગ મોટો હતો. અત્યાચારો થાય છે, પરંતુ કોંગ્રેસમાં આપણો અવાજ તો છે ને આવું માનનારા લોકોની સંખ્યા મોટી હતી.

કોંગ્રેસના રાજમાં લોકશાહીની ભ્રામકતા જળવાઈ રહેલી. કેમ કે, કોંગ્રેસ પાસે ગાંધીવાદ નામનો જોરદાર મલમ હતો. માર ખાનારના બરડે જઇને હાથ ફેરવતા, એમને સાંત્વન આપતા, હૈયાધારણ આપતા ઇન્દુચાચા, અનસુયાબેન, રવિશંકર મહારાજ, બબલદાસ મહેતા, ભાનુ અધ્વર્યુ, ઠક્કરબાપા, પરીક્ષિત મજમુદાર જેવા અસંખ્ય ગાંધીવાદીઓએ અસમાનતામૂલક સમાજવ્યવસ્થાને ટકાવી રાખતી કોંગ્રેસ સરકારોને સતત પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. આજે ભાજપ પાસે છી છી રવિશંકર, રામદેવ, આશારામ, રામરહીમ જેવા કહેવાતા સંતોની ફોજ છે, પરંતુ તેઓ દલિતોને આત્મીય કે પોતીકા લાગતા નથી.

કોંગ્રેસ પાસે ગાંધીવાદનો મલમ હતો. ભાજપ પાસે હિન્દુત્વનો કેફ છે. હવે મલમથી દુખાવો મટતો નથી. કેફ ઉતરી ગયો છે. દલિતો બાબાસાહેબ આંબેડકરે આપેલો ભીમબાણ ઇલાજ માંગે છે. સત્તામાં જ નહીં, તમામ ક્ષેત્રોમાં ભાગીદારી ઇચ્છે છે. હવે લીપાપોતી નહીં ચાલે.

- Raju Solanki
(Writer is freethinker and social activist based in Ahmedabad, Gujarat)

February 28, 2018

રાષ્ટ્ર પ્રગતિના માપદંડો

By Rushang Borisa   || 24 February 2018



દેશ ની પ્રગતિ એટલે દેશનો વિકાસ. દેશ કઈ દિશામાં કેટલી ઝડપે આગળ વધી સિદ્ધિઓ મેળવે તે માટે જે-તે દેશની પ્રગતિના માપદંડો આપણને માહિતગાર કરે છે.સામાન્ય રીતે દેશની પ્રગતિના માપદંડને દેશના અર્થતંત્રની ગતિ સાથે સાંકળવામાં આવે છે. જે દેશની આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદન જેટલું વધુ તેટલો તે દેશનો વિકાસ વધુ. આ સામાન્ય સમજ આધુનિક સમયમાં ક્ષય થતી જાય છે. હવે, નાગરિક સુખાકારી-જીવનધોરણનું સ્તર-આર્થિક સ્વનિર્ભરતા જેવા નવીન ખ્યાલો ના વિકાસ સાથે પ્રગતિના માપદંડો પણ બદલાય રહ્યા છે. આર્થિક ચિત્રો બતાવતા રોકાણ,ઉત્પાદન,નિકાસ વગેરેના આંકડાઓ પરંપરાગત બની રહ્યા છે ; જયારે સંતુલિત-સમાન-સમાવિષ્ટ વિકાસ માટે આવશ્યક એવા માનવજીવન સાથે પ્રત્યક્ષ સંબધ ધરાવતા પાસાઓ સુધારાવાદી-આધુનિક માપદંડ બની રહ્યા છે.

કોઈ પણ દેશ ની પ્રગતિ દર્શવાતા જરૂરી કેટલાક મહત્વના માપદંડો વિષે જાણીયે.

❝...

 GDP (કુલ ઘરેલુ ઉત્પાદન) :-

GDP અર્થતંત્રનું પ્રખ્યાત માપદંડ છે.સરળ શબ્દોમાં GDP એ કોઈ દેશમાં ચોક્કસ સમયગાળા દરમ્યાન ઉત્પાદિત થયેલ માલ-સમાન તેમજ સેવાઓનું નાણાકીય મૂલ્ય છે.એટલે કે કોઈ એક દેશમાં કોઈ ચોક્કસ વર્ષે નાગરિકો દ્વારા કેટલું આર્થિક ઉત્પાદનકાર્ય થયું તેનો આંકડો આપે છે. GDP માપવાની અનેક પદ્ધતિઓ છે; આંકડાકીય સમીકરણો વડે ઊંડાણમાં વિશ્લેષણ થઇ શકે છે. જો કે આ માપદંડ આજના સમયે ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યું છે. છતાં પણ અર્થશાસ્ત્રીઓમાં GDP ની લોકપ્રિયતા અકબંધ રહી છે.

ભારતમાં GDP ના આંકડાઓ આવા કૈક છે: વર્ષ ૨૦૦૦માં દેશનું GDP લગભગ ૨૦ લાખ કરોડ હતું; ૨૦૧૦ માં આશરે ૭૨ લાખ કરોડ ; ૨૦૧૩માં ૧૦૩ લાખ કરોડ જેટલું હતું. તાજેતરના વર્ષ ૨૦૧૬-૧૭માં દેશનું GDP ૧૨૧ લાખ કરોડ જેટલું નોંધાયું હતું. દેશનો GDP છેલ્લા ૧૫ વર્ષોમાં સરેરાશ ૫ થી ૧૦% ના દરે આગળ વધી રહેલ છે. GDP ની દ્રષ્ટિએ ભારતનું અર્થતંત્રનું વિશ્વમાં ૬ ક્રમાંકે છે. પ્રથમ ક્રમાંકે અમેરિકા છે.

 માથાદીઠ આવક:-

માથાદીઠ આવક એ વ્યક્તિગત ખ્યાલ છે; જયારે GDP સંગઠિત ખ્યાલ છે. જે-તે દેશના GDP ને દેશની માનવવસ્તી વડે ભાગતા માથાદીઠ આવકનો આંકડો મળે છે. ટૂંકમાં; માથાદીઠ આવક= કુલ ઘરેલુ ઉત્પાદન ÷ વસ્તી. તે દેશના ઉત્પાદન-આવકમાં પ્રતિ વ્યક્તિનો હિસ્સો દર્શાવે છે.

ભારતના માથાદીઠ આવકના આંકડા આવા કૈક છે: વર્ષ ૨૦૦૧=૨૩૦૦૦ રૂપિયા પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૦=૩૯૦૦૦ પ્રતિવર્ષ. વર્ષ ૨૦૧૨=૬૮૪૦૦ પ્રતિવર્ષ. ૨૦૧૭=૧૧૧૦૦૦ પ્રતિવર્ષ. એટલે કે તાજેતરમાં દેશના સરેરાશ નાગરિકની આવક મહિનાની ૯૨૫૦ જેટલી કહી શકાય. માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ વિશ્વમાં ૧૪૦ ની આસપાસ છે. અહીં કતાર નો પ્રથમ ક્રમાંક છે.

 HDI (માનવવિકાસ આંક):-

આ માપદંડ સોસીયો-ઇકોનોમિક સ્થિતિ દર્શાવે છે. જે-તે દેશના નાગરિક જીવધોરણનું સ્તર તેમજ આર્થિક સદ્ધરતાની પરિસ્થિતિ જાણવા ઉપયોગી છે. અહીં, શિક્ષણ,આરોગ્ય અને માથાદીઠ આવક જેવા પાસાઓનો સમાવેશ થાય છે; જે એકંદરે જે-તે દેશના નાગરિકોનું જીવનધોરણ પ્રતિબિંબિત કરે છે. સમાજશાસ્ત્રીઓ,માનવવાદીઓ,શિક્ષણવિદો જેવા વર્ગો GDP કરતા HDI ને વધુ મહત્વ આપે છે. છતાં પણ HDI નો ખ્યાલ આજના સમયે ટીકાઓનો ભોગ બની રહ્યું છે; જેમ કે અહીં લૈંગિક અસમાનતા,સામાજિક અસમાનતા વગેરે જેવા મહત્વના પાસાઓ અવગણાતા હોય આ માપદંડ તલસ્પર્શી ચિત્ર રજૂ કરવા પર્યાપ્ત નથી.

ભારતની સ્થિતિ: વર્ષ ૨૦૦૦=૦.૪૯; ૨૦૧૦=૦.૫૮; ૨૦૧૫=૦.૬૨
(આ માપદંડ ૦ થી ૧ ની વચ્ચે રહે છે; ૦ એ સૌથી ખરાબ આંક દર્શાવે છે ; જયારે ૧ એ સૌથી સારો આંક દર્શાવે છે.) ભારત અહીં ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યું છે. છતાં તેનો ક્રમાંક ૧૯૩ દેશો પૈકી ૧૩૫ જેટલો પાછળ છે. ભારતની સરખામણીએ કેનેડા,સાઉદી આરબ,મલેશિયા,શ્રીલંકા,ઇરાક અને ઇન્ડોનેશિયા જેવા દેશો આગળ છે. નોર્વે દેશ અહીં પ્રથમ ક્રમાંકે છે.

 IDI ( સમાવિષ્ટ વિકાસ આંક):-

સમાવિષ્ટ વિકાસ આંક એ તાજેતરમાં રજુ થયેલ નવીન ખ્યાલ છે; જે GDP અને HDI ની મર્યાદાઓ દૂર કરી માનવજીવનની વધુ સ્પષ્ટ સ્થિતિ દર્શાવે છે. અહીં ૧૫ જેટલા વિવિધ ક્ષેત્રોને સાંકળી દેશની આર્થિક,સામાજિક અને રાજકીય પરિસ્થતિ ને નિચોડી તારણ કાઢવામાં આવે છે. તે નાગરિક ઉત્કર્ષને સ્પર્શતી અતિમહત્વની બાબતો ઉપર જોર આપે છે. IDI આંકડાઓ,જાહેરાતો કે પ્રયત્નો ને નહીં; પણ ગુણવત્તા,અમલીકરણ અને પરિણામ તફર આંગળી ચીંધે છે. અહીં GDP, રોજગારી,તંદુરસ્ત આરોગ્ય,ગરીબી,શ્રમ-ક્ષમતા , આવક-સંપત્તિની સમાનતા,બચત, દેવું, માથાદીઠ આવક જેવા પરિબળો વડે દેશની સ્થિતનો ચિતાર મેળવાય છે. આ આંક સંતુલિત,સમ્પોષિત તેમજ સમાવિષ્ટ માપદંડ છે;જેને લઈને ભવિષ્યમાં ઘણી આશાઓ રહેલ છે.

ભારતનો ક્રમાંક ૭૮ દેશો પૈકી ૬૦ હોય; ભારત ઘણું પાછળ જણાય છે. પ્રથમ ક્રમે નોર્વે છે.

 SPI ( સામાજિક પ્રગતિ આંક) :-

સામાજિક પ્રગતિ આંક અતિઆધુનિક ખ્યાલ છે. IDI ની સમાન અહીં પણ માનવજીવનના અગત્યના પાસાઓ ઉપર ધ્યાન અપાયેલ છે. નાગરિકોની પાયાની જરૂરિયાતો, જીવધોરણ સુધારવાની ક્ષમતા, તકો-સંભાવના નો મહત્તમ ઉપયોગ કરવાની મોકળાશ જેવા ઉચ્ચ પરિબળોનો સમાવેશ કરી આંક મેળવાય છે. ટૂંકમાં, સામાજિક, પર્યાવરણીય, આર્થિક તેમજ માનવકલ્યાણ ની દ્રષ્ટિએ કોણ ક્યાં છે તે સ્થિતિ દર્શાવે છે.
SPI માં ભારતનો ક્રમાંક ૧૨૮ દેશો પૈકી ૯૩ માં ક્રમાંક છે. ડેનમાર્ક પ્રથમ ક્રમાંકે છે. (નોર્વે ત્રીજા સ્થાને છે.)

...❞

દેશના રાજકીય પક્ષો FDI ,GDP , આયાત-નિકાસ જેવી પરંપરાગત બાબતો ઉપર રાજકારણ રમી પ્રજાને ગુમરાહ કરે છે. આજ કાલતો ભારત વિશ્વનું પ્રથમ ક્રમાંક નું અર્થતંત્ર બની સુપરપાવર બનશે તેવો પ્રચાર જોરશોરથી ચાલુ છે. છતાં પણ શું હકિકતી આયના સામે ઉભા રહી નજર મિલાવવાની હિંમત છે? વ્યક્તિગત સુખાકારી અને જીવનધોરણનું સ્તર દેખતા શું આપણે "વિશ્વગુરુ" ના હકદાર છીએ? રાજકારણ પ્રેરિત રાષ્ટ્રવાદ આપણને આખરે "મિથ્યાભિમાની" બનાવી; સાચી દિશામાં ચાલવા કરતા વ્યર્થ ખોટા માર્ગો તરફ દોરી જાય છે.

એવું નથી કે દેશ રાતોરાત જીવનધોરણના માપદંડોમાં અવ્વ્લ આવી જશે. પરંતુ આપણી પ્રાથમિકતા શું હોવી જોઈએ તેટલી સમજ કેળવવી આપણી ફરજ તો છે જ .

તમારા મતાનુસાર આ પાંચ માપદંડો પૈકો કોણ દેશની વાસ્તવિક આદર્શ સ્થિતિઆંક દર્શાવે છે ?

August 15, 2017

માનસિક સ્વતંત્રતા એજ ખરી આઝાદી



આપણે ૭૧ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીયે, આઝાદીપર્વ ની સર્વ ને શુભેચ્છા, આઝાદી ઝિંદાબાદ..
પણ એક વિચાર એવો આવે કે શું આપણે સાચેજ સ્વતંત્ર છીયે???
આઝાદી દરેક ના મત મુજબ અલગ હોઈ શકે, આપનાં માટે આઝાદી નો આયામ શું છે???

શું અંગ્રેજોના અધિપત્યમાંથી મુક્ત થવું એટલે આઝાદી???
શું ભૂખમરા માંથી મુક્તિ એટલે આઝાદી???
શું ધનવાન થઇ જાવું અને મુક્તમને પૈસા વાપરવાની અને અઢળક ખરીદી કરવાની છૂટ એટલે આઝાદી???
શું દેશ-દુનિયામાં સરહદોનાં અવરોધ વગર,કોઈ પાસપોર્ટ-વિઝા વગર આખીયે દુનિયામાં રખડવું-ફરવું એટલે આઝાદી....
શું માસિકસ્ત્રાવ માંથી છુટકારો અને દર મહિને સેનિટરી પેડ લગાવવામાંથી છુટકારો એટલે આઝાદી???
શું સવારે વહેલા ઉઠવામાંથી મુક્તિ અને પોતાની મરજી મુજબ મોડા સુધી સુતા રહેવાની છૂટ એટલે આઝાદી???
શું પપ્પા-મમ્મી નો બોધપાઠ, ઠપકો ,મેથીપાક કે રોકટોક માંથી છૂટછાટ એટલે આઝાદી???
શું નિશાળમાંથી ગૃહકાર્ય કરવામાં મુક્તિ મળે કે શાળા માં રજા/વેકેશન હોય એટલે આઝાદી???
શું કોલેજમાં બંક મારીની મિત્રો/બહેનપણીઓ સાથે ફરવા કે મુવી જોવા જવું એટલે આઝાદી???
શું કોઈ જાગીર હાથ લાગે અને રોજેરોજ નોકરી જવાની પળોજણ માંથી મુક્તિ એટલે આઝાદી???
આઝાદી માટેનો આપનો આયામ શું છે???
મારા માટે આઝાદી એટલે ધર્માંધતા, રૂઢિગત માન્યતાઓ, કુપ્રણાલીઓ, લિંગગત-જાતિગત-ધર્મગત-ભેદભાવયુક્ત માનસિકતા, અતાર્કિક પૂર્વધારણા,  ગુસ્સો ,દ્વેષભાવ, અને અંગત સ્વાર્થ થી પરે રહીને કોઈપણ બાબત ને સાંભળવાની ,સમજવાની આવડત-સમજણ ,શક્તિ અને પરવાનગી....
મારા માટે આઝાદી એટલે કોઈ વ્યક્તિ ,સંસ્થાઓ, સમાચાર માધ્યમો, કે અન્ય કોઈપણના કહયા માં આવ્યા વગર ,સાચું શું છે-અને સારું શું છે તે મારા જાતે વિચારવાની આવડત અમે મુક્તમન ની આદર્શ પરિસ્થિતી...
આઝાદી એટલે કોઇની પણ રોકટોક વગર, ડર વગર હું મારા વિચારો રજૂ કરી શકું....
આઝાદી મળતાં જ માણસનાં મગજ માં હકારાત્મક તરંગો(Positive waves/vibrations) પેદા થાય છે, આઝાદીની મોકળાશ માં જ ચિત્રકાર કેનવાસ પર પોતાની કળા ને છૂટી મૂકીને અદભુત ચિત્ર રચી શકે અને સાહિત્યકાર બેનમૂન સાહિત્ય સર્જી શકે.(If not under the influence of anything.)

મહાન વિચારક અને તત્વચિંતક ડો.ભીમરાવ આંબેડકર સાહેબે ખુબજ ગહન અર્થમાં સાચુજ કહ્યું છે કે . . .
"વૈચારિક સ્વતંત્રતા વાસ્તવિક સ્વતંત્રતા છે.જે વ્યકિત સાંકળો માં બંધાયેલો નથી છતાં પણ તે માનસિક રીતે ગુલામ છે તો તે ખરા  અર્થમાં ગુલામ છે, મુક્ત માણસ નથી.જેનું મન મુક્ત નથી, તે જેલમાં ન હોવા છતાં તે કેદી છે અને મુક્ત માણસ નથી.જે વૈચારિક રીતે મુક્ત નથી, તે જીવંત હોવા છતાં મૃત જેવાજ છે.વૈચારિક સ્વતંત્રતા આપણા અસ્તિત્વનો પુરાવો છે. "



August 04, 2017

कथा पढे..बार बार पढे..समझने का प्रयास करे

By Vijay Makwana  || 1 August 2017 at 23:25


प्राचिनपुराण की यह कथा मुझे बेहद पसंद है. मैथिलनगर में सुकेतु नामक लडका रहता था. संस्कारी और सर्वगुण संपन्न था.राजकुमार सा युवक! वयस्क होते ही उसकी शादी केतकी नामक सुंदर युवती से हो गयी. शादी के कुछ दिनो बाद सुकेतु को पता चला उसकी जिवनसंगीनी को शराब की लत है. और दिनभर जुआ खेलती है. पत्नी के इस दुर्गुणो से सुकेतु बहुत दुखी रहता था.पर विवश था अपनी पत्नी को समजाए तो कैसे समजाए? केतकी दिन ब दिन बिगडती जा रही थी. रात रात भर पुरुषो के कोठो पर नृत्य और मदिरा की महेफिलमें पडी रहती थी. घरमें सुकेतु आंसु बहाता रहता था. सुकेतु को माता पार्वती पर अखुट श्रद्धा थी. उसने २७ रवीवार का व्रत शुरू किया. अपनी पत्नी के दुर्गणो को स्वीकार कर लिया. सुकेतुने मन लगाकर अपनी पत्नी की सेवा करना शुरू कर दिया. पत्नी रात को देर से आये तो..उसे कंधा देकर पलंग पर लिटा देता था. हाथोमें लिपटे फुलो के गजरे निकाल फेंफ देता था. फिर हल्के हाथो से केतकी का सर दबाकर सुला देता था. सुबह केतकी के लिए नास्ता तैयार करना..दिनभर पत्नीपरायणा रहने लगा. माता पार्वती की भक्ति करनेमें समय व्यतित होने लगा. एक दिन केतकी जंगल से मदिरा का पात्र लिए गुजर रही थी. तभी उसने देखा एक युवान साधु बरगद के पेड के निचे अपने शिष्य-शिष्याओं को समजा रहा था 'नरा: नरकष्य कूपम्' अर्थात नर नरक का घडा है!! केतकी साधु को देखकर मुग्ध हो गयी.उसने साधु के सामने अभद्र हरकतें शूरू कर दी. जिससे क्रोधित होकर साधुने केतकी को श्राप दिया. 'हे कुलटा! कल के सूर्योदय से पहले तेरी मृत्यु होगी' केतकी का सारा नशा उतर गया. उसने घर आ कर सुकेतु को यह बात बतायी. पत्नीव्रता सुकेतु ने कहा..'प्रिया..सूर्योदय होगा तो तुम्हें कुछ होगा न? आप चिंता न करे देवी' सुकेतु ने सूर्यदेव को ध्यान लगाया.सूर्यदेव से काकलूदी की और कहा.."अगर मैं संपूर्णतया अपनी पत्नी को वफादार रहा होउं सच्चे मन अपनी पत्नी की सेवा की हो तो आप अपनी गति को रोक दिजीए" सूर्यदेव दुसरे दिन निकले नहीं..सर्वत्र अंधकार छा गया.तिनो लोक त्राहिमाम त्राहिमाम हो गए! फिर सभी देव-दानव-यक्ष माता पार्वती के पास गए.उनकी विनंति से माता पार्वती सुकेतु के पास आए.माताने सुकेतु और पत्नी केतकी को हजार वर्ष का आयुष्य प्रदान किया.कई वरदान दिए.सूर्योदय होता है..देव,गंधर्व,यक्ष,दानव,गण माता पार्वती का स्तुतिगान करते है..आकाश से पुष्पवृष्टि होती है! यहां केतकी निंद से उठती है.सब बातों का पता चलता है.वह सुधर जाती है..दोनों मिलकर लंबे दांम्पत्यजीवन का आनंद लेते है. मृत्यु बाद स्वर्गारोहण करते है. सार:पति अगर भक्तिवान पत्नीपरायण हो तो पत्नी को आधा पूण्य प्राप्त होता है.
#फुले_शाहू_आंबेडकर_वर्ल्ड
#विजयमकवाणा

Note : - ऐसी कोई कथा पुराणोमें नही मिलती..सारे आदर्श..सारे संस्कार..सिर्फ स्त्रीयों की जिम्मेदारी है..पुरुष तो उसकी पुण्य कमाई का आधा हिस्सा मुफ्तमें बटोरता है!

May 07, 2017

भारत का भविष्य : बेलेट से नही तो बुलेट से. - महेश लालपुरा

आज हमारे भारत देश में लोकतंत्र चल रहा है. केन्द्र सरकार, राज्य सरकारो और स्थानीय सरकारो के तीनो स्तर पर वोट का राज्य है. राजनीतिक पदों पर सभी लोग प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से चुनाव लडकर ही जाते हैं. 

मूलनिवासियो को लोकतंत्र में सभी के समान समान मत का अधिकार प्राप्त है. वे अपने मत का उपयोग भी कर रहे हैं, हालांकि इन्हे इसके लिए कभी-कभी लाठी और बंदूक का सामना करना पड़ता है. लेकिन मूलनिवासियो को इससे अधिक के लिए तैयार रहना है, अभी मत देने के लिए लाठी-बंदूक का पृहार सहना पड़ता है. परन्तु यदि मत के बिना सीधे लाठी-बंदूक का पृहार होने लगे, तब क्या किया जाएगा ? 

विरोधी वर्ग वोट के अधिकार को तभी तक माना करता है, जब तक वह इस माध्यम से चुनाव जीतता  रहता है.  जब उसे लगने लगेगा कि वह इस माध्यम से चुनाव नही जित रहा है, तो वह लोकतंत्र के रास्ते को त्यागकर सत्ता पाने के लिए अन्य तरीके अपनाएगा. तब वह जनता के सामने शासक पृणाली के नये-नये पृस्ताव रखेगा. उसकी बात नही बनेगी ,तो वह कपट से सत्ता को हथियाना चाहेगा. ऐसे मे वह वर्ग कुछ भी गलत-सलत कर सकता है. 

अतः मूलनिवासी भी अपनी सत्ता पाने के लिए तैयारी करे, और बहुजन नायक मान्यवर साहब कांशीराम की कही हुइ एक बात को हमेशा ज़हन में रखे की, "भले ही हमें राज पाठ बैलेट से लेना है, लेकिन तयारी हमे बुलेट की भी रखनी होगी.."

-- महेश लालपुरा


भारत को इच्छाधारी लिंग परिवर्तन का वरदान मिला है क्या ? : संजय पटेल

भरत इस देश का राजा था ।

उसके नाम पर से ही इस देश का नाम भारत पड़ा है, ऐसा माना जाता है आप मेरी इस बात से तो सहमत होंगे।

भारत -पाकिस्तान कि दुश्मनी के वक्त भारत 'बाप' हो जाता है और भारत -बांगलादेश दुश्मनी के वक्त "दादा"। मगर देशभक्ती के वक्त भारत हो जाता है "माता".. 

भारत को इच्छाधारी "लिंग परिवर्तन" का वरदान मिला है क्या ?  व्याकरण के दृष्टी से यह शब्द "भारत" पुल्लिंग है , स्त्रीलिंगी नही । तो हमें विशुद्ध रुप से 'भारत पिता की जय' बोलना चाहिए। 
भारत एक पुरुषवाचक नाम है और हम जय भारत गर्व से बोल सकते है।
वैसे देश के साथ वफादरी करनी चाहिए... रिश्तेदारी नहीं !!!

सवाल यह है की ये माता कैसे बन गई ?

यह धर्म के ठेकेदार और अभी अभी जो पेंट पहनना शिखे है वो सब ने पिता को माता बना दिया और लोगो के पास भारत माता की जय बुला रहे है।
मगर संघीओ कान खोल के सुन लो तुम जो तुम्हारी भगवे झंडेवाली भारतमाता की जय बुलाना चाहते हो तो वो तो हम कतई नहीं बोलेंगे।
पहले तुम्हारी माँ के हाथ में राष्ट्रध्वज दिलाओ फिर राष्ट्र भक्ति की बात करना। यह भारत देश है यह India है, तुम्हारा हिन्दुस्तान नहीं है तो तुम जो मन चाहे वो हम बोले। 5000 सालो से हमसे बोलने का अधिकार भी छीन लिया था और आज जय बुलवाना है ?

भारत के संविधान के पहले आर्टिकल में ही इस देश का नाम साफ़ साफ़ लिखा है की, "India that is Bharat" तो फिर ये हिन्दुस्तान कहा से आ गया ? अरे कोई आम आदमी ऐसा बोले तो ठीक है मगर देश के PM भी इस देश को हिंदुस्तान बोल के इस देश का अपमान कर रहे है।
अगर इनकी नहीं मानोगे तो आपको देशद्रोही बना देंगे।
वो तो ठीक मगर वो लोग तो इस देश का नाम भी बदल देते है तो भी इनपे कोई कार्यवाही नहीं होती।

 खैर वो तो बोलेगे ही क्योंकि चड्डी पहनकर सिर्फ यही तो शिखा है शायद अब पेंट पहनकर थोड़ी सी बुद्धि आये ।

आज तक आपने दुनिया के किसी भी देश के आगे पीछे माता या पिता लगे हुआ सुना है ? अगर सुना हो तो जरा हमें भी बताइएगा।

हम देश को पिता या माता तो नहीं कह शकते मगर भाई हम गर्व से जय भारत जरूर कहेंगे।

भारत मेरा देश है और में भारत का रहवासी हु।
में भारतीय हु इस बात का मुझे गर्व है क्योकि में यहाँ का मूलनिवासी हु।

हा हम जय बोलेंगे मेरे इश देश की जहा का में मूलनिवासी हु।

हम गर्व से कहेंगे 
जय भारत
क्योंकि में पहले भी भारतीय हु और अंततः भी भारतीय...

- संजय पटेल


















Facebook Post :- 

May 03, 2017

રાષ્ટ્રના દરેક આગળ વધતા કદમમાં દલિતોના પૂર્વજોએ પુષ્કળ પરસેવો રેડ્યો છે : વિજય મકવાણા

કેટલાં લોકો સત્યનારાયણ ગોઠવાલને ઓળખે છે?? નથી ઓળખતાં ને!?
ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ભારતની સંવિધાન સભાએ રાષ્ટ્રના ગૌરવસમા રાષ્ટ્રધ્વજની પસંદગી કરવાની થઇ..લાંબી ચર્ચા બાદ દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો હોય તેવું નક્કી થયું. ડો. આંબેડકરે રાષ્ટ્રધ્વજના વર્તમાન રુપ વિશે ધારદાર ચર્ચા કરેલી અને મધ્યમાં અશોકચક્ર રાખવાનો આગ્રહ કરેલો. તે ચર્ચાની અનુસંંધાનમાં રાષ્ટ્રધ્વજનું વર્તમાન સ્વરુપ સંવિધાન સભાએ સ્વીકાર કર્યું. હવે આ કલ્પનાને કાપડમાં મૂર્તિમંત કરી શકે તેવા કુશળ રંગારા અને વણકરની જરુરિયાત ઉત્પન્ન થઇ. ત્યારે દેશમાં ઘણાં કુશળ વણકરો હતાં તેમાંથી એકની પસંદગી થઇ તે હતાં સત્યનારાયણ ગોઠવાલ! ગોઠવાલે રાજસ્થાનના જયપુર જીલ્લાના અમરસર ગામના વતની હતાં. ખાદીનું કાપડ વણવા તથા રંગવાના તે કુશળ અને સિદ્ધહસ્ત કારીગર હતાં. તેમણે પૂરી લગન અને રાષ્ટ્રભક્તિ સાથે સંવિધાનના શિલ્પીઓની કલ્પના સાકાર કરી અને આ મહાન દેશના રાષ્ટ્રધ્વજને નક્કર સ્વરુપ આપ્યું. સત્યનારાયણે બનાવેલા એ અમુલ્ય રાષ્ટ્રધ્વજને 15 મી ઓગસ્ટ 1947ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાલકિલ્લા પર ફરકાવી આઝાદ દેશને પ્રથમ સંબોધન કર્યું. આજે પણ દેશનો રાષ્ટ્રધ્વજ નિર્માણ કરતી સંસ્થાઓ સત્યનારાયણ ગોઠવાલે કરેલ કલર કોમ્બિનેશનની થીયરી આધારે જ રાષ્ટ્રધ્વજને રંગે છે..એકેય રંગ જરાય આછો નહી કે જરાય ઘાટો નહી!!
રાષ્ટ્રના દરેક આગળ વધતા કદમમાં દલિતોના પૂર્વજોએ પુષ્કળ પરસેવો રેડ્યો છે. તમારા પૂર્વજોને કોઇ જાણી જોઇને મહત્વ નથી આપી રહ્યાં. આવા એક તરફી ઇતિહાસ લખવાવાળા તત્વોનો રોજેરોજ પર્દાફાશ કરો. જ્યાં સુધી તમે સ્વયં તમારા બાપદાદાનો ઇતિહાસ ઉજાગર નહી કરો ત્યાં સુધી તમે હિચકારું, નિમ્ન કોટિનું જીવન જીવશો. યાદ રાખો ગૌરવ લેવા માટે ગૌરવવંતી ક્ષણો સાચવી રાખવી પડે છે.
-વિજય મકવાણા

 




Facebook Post :-

May 02, 2017

આજે પાકિસ્તાન દ્વારા થતાં સીઝ ફાયરના ઉલંઘન જેવી સળગતી સમસ્યાઓના સંદર્ભમા ડૉ. આંબેડકરે કરેલી આ ભવિષ્યવાણી કેટલી પ્રાસંગિક હતી : મયુર વાઢેર

મુસ્લિમ લીગે 1940મા લાહોર અધિવેશનમા અલગ મુસ્લીમ રાષ્ટ્રની રચના અંગેનો ઠરાવ પસાર કર્યો હતો. તે જ વર્ષે ડૉ. આંબેડકરે ભારત-પાકિસ્તાનના ભાગલાની માંગણીના પક્ષ અને વિરોધના મુદ્દા સાંકળી લઈ “Thoughts On Pakistan” પુસ્તકની પ્રથમ આવૃતિ અને બીજી આવૃતિ 1944માં “Pakistan or the Partition of India” શિર્ષક હેઠળ પ્રકાશિત કરી હતી. ડૉ. આંબેડકર મુસ્લીમ લીગ અને મહમદ અલી જીણાના વિભાજનકારી સાંપ્રદાયિક રાજકારણના પ્રખર આલોચક હોવા છતા તેમણે હિન્દુઓ અને મુસલમાનોને અલગ કરી દેવાનો તર્ક આપ્યો હતો. તેમની દલિલ હતી કે, “પાકિસ્તાનનું સર્જન થવુ જોઈએ કારણ કે એક જ દેશનુ નેતૃત્વ કરવા માટે કોમી રાષ્ટ્રવાદ અને સાંપ્રદાયિક હિંસા ઉત્પન્ન થશે.” તેમણે હિંદુ અને મુસલમાનોના સાંપ્રદાયિક વિભાજન વિષેના તેના અભિપ્રાયના પક્ષમા ઓટોમોન સામ્રાજ્ય અને ચોકોસ્લેવિયાના વિઘટન જેવી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમાં તેમણે પૂછ્યું કે, “શું પાકિસ્તાનની સ્થાપના માટે પાકિસ્તાન ઈચ્છુકો પાસે પર્યાપ્ત કરણો છે?” તેની રેમેડી આપતા આંબેડકર કહે છે કે, “હિન્દુ અને મુસલમાનોની વચ્ચેના મતભેદોને એક કઠોર પગલાથી નષ્ટ કરવું શક્ય છે.” તેમણે લખ્યું કે, “પાકિસ્તાનને પોતાના અસ્તિત્વનું ઔચિત્ય સિદ્ધ કરવું જોઈએ. કેનેડા જેવા દેશોમાં પણ સાંપ્રદાયિક મુદ્દાઓ હંમેશા સળગતાં રહ્યાં છે. છતા આજે પણ અંગ્રેજો અને ફ્રાંસીસી સાથે રહે છે. તો શું હિન્દુ અને મુસલમાન સાથે ન રહી શકે?” તેમણે ચેતવણી આપી કે, “ભારત-પાકિસ્તાનના ભાગલા કરવા અત્યંત કઠણાઈ ભરેલુ લેખાશે.” તેનું મુખ્ય કારણ વિશાળ જનસંખ્યાના સ્થાણાંતરણની સાથે સીમા વિવાદની સમસ્યા ભારત-પાકિસ્તાન બંનેને સમાનરીતે કનડશે. ભારતની સ્વતંત્રતા પછી થનારી સાપ્રદાયિક હિંસા અને આજે પાકિસ્તાન દ્વારા થતાં સીઝ ફાયરના ઉલંઘન જેવી સળગતી સમસ્યાઓના સંદર્ભમા ડૉ. આંબેડકરે કરેલી આ ભવિષ્યવાણી કેટલી પ્રાસંગિક હતી ! ડૉ. આંબેડકરે તેમની છટાદાર અંગ્રેજીમાં અહેવાલો, આલેખો, આંકડાઓ, નકસા રજૂ કરી આ દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે. છતાં 1947 પછી ભારત પાકિસ્તાનના ભાગલા વિષયક તૈયાર થયેલા અન્ય લેખકોના સાહિત્યમા ડૉ.આંબેડકરના આ ગ્રંથની પર્યાપ્ત નોંધ લેવાઈ નથી. જે અન્ય લેખકોનો આંબેડકર પ્રત્યેનો અણગમો અને આંબેડકરની વિદ્વતા પ્રત્યેની ઉપેક્ષા છતી
કરે છે.
મયુર વાઢેર વિદ્રોહિ




Facebook Post :-