June 11, 2017

વાલ્મિકી કે વ્હાલા-મિકી? : Rushang Borisa

By Rushang Borisa

વાલ્મિકી નામ સાંભળતા આપણા મગજમાં ૨ વાત આવે: ૧) રામાયણના લેખક ૨) સફાઈકર્મીની જ્ઞાતિ (કહેવાતી અછૂત જાતિ)
૨૦મી સદી સુધી વાલ્મિકીને લઈને કોઈ વિવાદ નહતો. રામાયણના લેખક વાલ્મિકી ૨૦મી સદી સુધી બ્રાહ્મણ હતા....પણ ૧૯મી સદીનાં પાછળ ભાગમાં કશુક રંધાયું. અને ૨૦મી સદીમાં સફાઈ કામ કરતા અછૂત સમાજના એક ભાગે રામાયણના લેખક "વાલ્મિકી" બ્રાહ્મણ નહીં, પણ અમારી જ્ઞાતિના હતા તેવો દાવો કર્યો.સાથે સાથે એવી વાત પણ ફરતી થઇ કે વાલ્મીકિએ જે અસલ રામાયણ લખ્યું હતું તે અત્યારે હયાત નથી.બ્રાહ્મણો જે રામાયણ વિષે કહે છે તે વાલ્મિકીનું રામાયણ નથી.તે સમયે હિન્દુવાદીઓએ દલિતોના આ દાવાની હાંસી ઉડાવી હતી.પણ ,આઝાદી બાદ અચાનક હિન્દુવાદીઓનો રહસ્યમય રીતે "મિજાજ" બદલાયો. વેલ...શું સાચ્ચું -શું ખોટું તેના ઉપર હવે તટસ્થ સંશોધન વડે ફેંસલો થાય તેવું શક્ય નથી.
પણ કેટલાક સવાલો ઊભા તો છે જ...
➠ બ્રાહ્મણો મુજબ વાલ્મિકી સપ્તર્ષિ ભૃગુના કુળના બ્રાહ્મણ હતા. વાલ્મિકીનું બાળપણનું નામ "અગ્નિશર્મા" હતું.તેમના પિતા સુમાલી નામક બ્રાહ્મણ હતા.( (ફ્રોમ વિકિપીડિયા) હવે અગ્નિશર્મા કેવી રીતે વાલ્મિકી બન્યા તેની કથા...
⮎ અગ્નિશર્માને બાળપણથી વેદો-શાસ્ત્રોમાં રુચિ હોતી નથી.સમય જતા તે લૂંટારાઓની સંગતે ચડે છે અને ખૂંખાર લૂંટારો બને છે. લોકો તેને "વાલિયા" નામથી જાણે છે. એક વાર તેનો ભેટો ઋષિ નારદ સાથે થાય છે. વાલિયો નારદને લૂંટવાનો પ્રયત્ન કરે છે ત્યારે નારદ કહે છે હું સન્યાસી છું, મારી પાસે કશું નથી. નારદ વાલિયાને ખોટા કામો છોડી દેવા સમજાવે છે અને તપસ્યા કરવાની સલાહ આપે છે. વાલિયો તપ કરી વિષ્ણુ પાસેથી પાપોમાંથી મુક્તિ મેળવે છે અને વિષ્ણુ વાલિયાને "વાલ્મિકી" નામ આપે છે.
હવે આ કથાનું વર્ણન કોઈ ધર્મગ્રંથમાં જોવા મળતું નથી; પણ રામાયણની મધ્યકાલીન આવૃત્તિ(अध्यात्म रामायण)માં છે જેમાં વાલ્મિકીનું મૂળ નામ રત્નાકર બતાવ્યું છે...વળી, ક્રિટિકલ થિંકર્સ તો સમજી જ ગયા હશે કે આ વાર્તા બીજું કશું નહિ પણ બુદ્ધિઝમની "અંગુલિમાલા" ની કથાની ઉઠાંતરી છે.ઉપરાંત ,"વાલ્મિકી" નામ પણ સનાતન ધર્મના નામકરણથી વિચિત્ર જણાય છે. ઈ,એ,આ વગેરે સ્વરો સ્ત્રીના નામ પાછળ સામાન્ય રીતે વપરાય છે જેમ કે કુંતી,ગાંધારી,દ્રૌપદી,સીતા વેગેરે. પણ અહીં પુરુષના નામ પાછળ "ઈ" ?? શું મૂળનિવાસી થિયરી....??? લિવ ઈટ.
વાલ્મિકીના જન્મ વિષે પુરાણોમાં પણ વિવાદો છે:
⇛ સ્કંદ પુરાણ મુજબ વાલ્મિકી વરુણના સંતાન છે. કથા પ્રમાણે વાલ્મિકી શિકારીનો પુનઃજન્મ હોય છે.( શિકારી પાછો બ્રાહ્મણનો પુનઃજન્મ બતાવ્યો છે!શું વાત છે, બ્રહ્મને પામેલા બ્રાહ્મણને પણ મોક્ષ નથી મળતો!!!) શિકારી જન્મમાં પ્રાયશ્ચિતરૂપે રામ-જાપ કરતા બીજા જન્મે તે વરુણના પુત્ર રૂપે જન્મે છે.
⇛ જયારે મહાભારતમાં એવો સંદર્ભ છે કે ભૃગુના પુત્ર ચ્યવન અને ચ્યવનના પુત્ર વાલ્મિકી છે. જો કે મહાભારતની કથામાં વાલ્મિકી નો અર્થ ઉધઈ દર્શાવ્યો છે.એટલે કે અર્થઘટનમાં ભૂલ હોય શકે.
⇛ સંપૂર્ણ રામાયણના અનુવાદના પ્રારંભમાં વાલ્મિકીને પ્રાચેતના પુત્ર તરીકે બતાવ્યા છે.પ્રાચેત વરુણદેવનું બીજું નામ છે.
ટૂંકમાં, વાલ્મિકીના અસ્તિત્વને લઈને કશું સ્પષ્ટ ના કહી શકાય.
વેલ.. ઉપરનું લખાણ માત્ર એડિશનલ છે. મૂળ મુદ્દો એ છે કે અચાનક અછૂત કહેવાતી જાતિ એ વાલ્મિકી ઉપર દાવો કેમ કર્યો હોય શકે?
૨૦મી સદી પહેલા આવો કોઈ દાવો પ્રકાશમાં આવ્યો નથો.હા, રામાયણની વિવિધ આવૃતિઓ હોય ;પણ દલિતોની પણ અલગ રામાયણ હતી તેવા કોઈ તથ્યો નથી.૧૯ મી સદીના અંતભાગ બાદ સમાજ સુધારણાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.૨૦ મી સદીમાં હિન્દુવાદીઓ ખાસ એજન્ડામાં વ્યસ્ત હતા. આ દરમ્યાન જ દલિતોએ સામુહિક ધર્મ-પરિવર્તનનો માર્ગ અપનાવ્યો. દલિતોના આ પગલાંથી હિન્દુવાદીઓ ચિંતિત હતા.હવે સમાજ સુધારાના ભાગરૂપે પણ દલિતોનું હિન્દૂકરણ અનિવાર્ય બન્યું. અહીં એક મનોવૈજ્ઞાનિક રમત પણ કારગત નીવડી શકે. જો કોઈ વ્યક્તિને ગમતી વસ્તુ તેનાથી દૂર રાખવામાં આવે અને અચાનક તે જ વસ્તુના માલિક બનાવાય તો જે-તે વ્યક્તિ હરખમાં ગાંડો થઇ જાય. દલિતો ને સદીઓ સુધી ધાર્મિક વિધિ-મંદિરો થી દૂર રખાયા હતા.હવે અચાનક તેમને રામાયણના લેખક તરીકે માન આપવામાં આવે તો તેઓ ધર્મ-પરિવર્તન તો દૂર, ઉલટું કટ્ટર હિન્દુવાદી બની જાય.વળી,વાલ્મિકીના નામે પણ ગુલામી કરાવી શકાય.
શંકાઓના મુખ્ય ૨ કારણો : (૧)૧૯-૨૦ સદી માં અચાનક કરેલ દાવો અને તેનો નકાર બાદ સ્વીકાર! (૨) પોતાનું કામ વાલ્મિકી કરતા હતા એ ભ્રમે હોંશે-હોંશે મેલું ઉઠાવતા દલિતોની માનસિકતા.વિચિત્ર વાત એ પણ રહી કે જે હિન્દુવાદીઓ સફાઈકર્મીઓના દાવાને નકારતા હતા -હસતા હતા ; હવે તેમણે જ જાતિને "વાલ્મિકી" નું નામ ભેટમાં આપી દીધું?!
દલિતોના દાવાનળ જેવા "દાવા" પાછળ ચિનગારી બીજા કોઈએ લગાવી હોય તેવી સંભાવના પ્રબળ જણાય છે.નોંધનીય છે કે આ દાવો સમગ્ર દેશમાં નહીં, પણ એક ચોક્કસ રાજ્યમાં વસતા દલિતોના ચોક્કસ વર્ગે કર્યો હતો.એટલે દલિતો એ વ્યાપકપણે આ દાવો કર્યો નહતો.પણ બાદમાં નાટકીયરીતે દાવાનો સ્વીકાર થયા બાદ પ્રચારના ભાગરૂપે દેશના દલિતો એ સ્વીકાર્યો.જો કે રૂઢિચુસ્ત હિંદુઓ વાલ્મિકી અછૂત હતા તે દાવાને સ્વીકારતા નથી.
આપણે વાલ્મિકી જ્ઞાતિ નામ સાંભળી તેને ઑટોમેટિક રામાયણના લેખક સાથે જે રીતે સાંકળીયે છીએ; તે બીજું કશું નહિ પણ આઝાદી બાદ થયેલા પ્રચારનું પરિણામ છે.
આખિર મેં ;કુછ તો ગરબડ હે...
જાણકારું સભ્ય કમેન્ટમાં પક્ષ મૂકી શકે છે.
- Rushang Borisa


2 comments:

  1. બરાબર છે..જ્ઞાતિ ઓ ને ઉંચા નામ આપવા ની શરૂઆત થઈ તી... જેમકે સાગર પુત્ર એ ખારવા.... દેવી પૂજક.. ભાવલક્ષી .. વગેરે ...એટલે ધર્મ પરિવર્તન અટકે .. ને બીજા સ્વરૂપે માનસિક ગુલામી યથાવત રહી શકે....

    ReplyDelete