Showing posts with label Constitution. Show all posts
Showing posts with label Constitution. Show all posts

July 19, 2018

સંવિધાન સભાની ચુંટણીમાં બાબા સાહેબ અને અસ્પૃશ્ય સમાજના લોકોનો સ્વયંભૂ સંધર્ષ

By Jigar Shyamlan ||  Written on 2 April 2018



State and Minorities: What are their Rights and How to secure them in the Constitution of free India? નામનાં ગ્રંથમાં બાબા સાહેબે આંકડાકીય હકીકતો અને યોગ્ય દલિલો પરથી પુના કરારના કારણે અસ્પૃશ્યોને કેટલું પારાવાર નુકશાન કર્યુ તેની વિગતો વર્ણવી હતી.

બાબા સાહેબે પુનાકરાર કરતી વખતે કરેલ ધારણા સો ટકા સાચી બની રહી હતી કે પુના કરારને કારણે અસ્પૃશ્યોના સાચા પ્રતિનિધી ચુંટાઈ નહી શકે. આથી પુના કરાર રદ કરવા તથા સ્વતંત્ર ભારતના ભાવિ સંવિધાનમાં અસ્પૃશ્યોના અધિકારોની જોગવાઈ કરવાની ખાત્રી માટે 1946માં શિડ્યુલ્ડ કાસ્ટ ફેટરેશન દ્વારા સત્યાગ્રહ શરૂ કરાયો હતો.

જે વાયા મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો હતો. તેમાં હજારો અસ્પૃશ્યો ભાગ લેવા માંડ્યા હતા અને ધરપકડ વહોરી રહ્યા હતા.

જો કે એ વખતે પુના કરારના ફળ સ્વરૂપ ચુંટાયેલ અસ્પૃશ્ય પણ કોન્ગ્રેસી ''હરિજનો'' આ સત્યાગ્રહનો વિરોધ કરી રહ્યા હતા. એક તરફ આ સત્યાગ્રહ ચાલતો હતો બીજી તરફ સંવિધાન સભાની ચુંટણીઓ યોજાઈ રહી હતી. બાબા સાહેબે લંડન જઈ બ્રિટિશ નેતાઓની મુલાકાત લઈ અસ્પૃશ્યોની સ્થિતી વિશે માહિતગાર કરવા પ્રયાસ કરી જોયો પરંતું તેમાં સફળતા ન મળી. આ ફોગટના ફેરા પછી એક વાત સ્પષ્ટ હતી કે જો અસ્પૃશ્યો માટે ખરેખર કંઈક કરવું હોય તો સંવિધાન સભામાં જવુ એ જ એકમાત્ર રસ્તો હતો.

આ સમય ભારે કટોકટીનો હતો. કારણ એક તો ક્રિપ્સ મિશનમાં અસ્પૃશ્યોને કોઈ સ્થાન અપાયું ન હતું, અને બીજુ એ વખતના રાજકીય નેતાઓ અને પક્ષો અસ્પૃશ્યોના પ્રશ્ને સૌ મૌન હતા. કોઈને અસ્પૃશ્યોની કંઈ પડી ન હતી તેવો માહોલ સ્પષ્ટ હતો.

આવા સંજોગોમાં સંવિધાન સભા માટે ચુંટણી યોજાવા જઈ રહી હતી એટલે અસ્પૃશ્યોના અવાજને બુલંદ કરવા સંવિધાન સભામાં બાબા સાહેબનો પ્રવેશ થવો અત્યંત અનિવાર્ય બની ગયો હતો.

જો કે એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે સંવિધાન સભામાં બાબા સાહેબના પ્રવેશ સામે જબરજસ્ત વિરોધ હતો. બાબા સાહેબ સંવિધાન સભામાં પ્રવેશ ન કરી શકે તે માટે કોન્ગ્રેસે શામ, દામ, દંડ અને ભેદ તમામ ઉપાય અજમાવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે- ''મેં સંવિધાન સભાનાં બારી-બારણાં અને વેન્ટિલેશન પણ બંધ કરી મણમણનાં તાળા લગાવ્યા છે, હવે જોઈયે ડો. આંબેડકર સંવિધાન સભામાં કેવી રીતે આવે છે?''
(સોર્સ: ડો. આંબેડકર જીવન ઔર મિશન (હિન્દી) લેખક- એલ.આર.બાલી, પેજ નંબર-25)

આવા કપરા સંજોગોમાં બંગાળી જોગેન્દ્રનાથ માંડલે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલવાનું બિડુ ઝડપ્યું હતુ અને બંગાળ વિધાનસભા મતદાર મંડળમાંથી બાબા સાહેબનુ ઉમેદવારી પત્ર ભરાવેલું.

એ વખતે કોલકાત્તાના પંજાબી અસ્પૃશ્યો ગમે તે ભોગે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલી આપવા મક્કમ નિર્ધાર કરીને બેઠા હતા. આ બધા અલગ અલગ જુથોમાં વહેંચાઈને અસ્પૃશ્ય ધારાસભ્યોના નિવાસસ્થાનોની ઘેરાબંધી કરીને બેઠા હતા. એ વખતે બાબા બુધ્ધસિંહ તલહનતો હાથમાં ખુલ્લી તલવાર સાથે ટોળાની વચ્ચે ઘુમી રહ્યા હતા.

એક એક ધારાસભ્યને ખુલ્લી ચિમકી આપવામાં આવી હતી કે બાબા સાહેબને મત નહી આપો તો તમારી ખેર નથી.
(સોર્સ: આંબેડકરી આંદોલનમાં પંજાબીઓનો ફાળો (હિન્દી) લેખક- કે.સી.લીલ, પેજ નંબર-25)

આખરે ગાંધીજી અને કોન્ગ્રેસના અપાર વિરોધ વચ્ચે બાબા સાહેબ સૌથી વધુ મતો મેળવી સંવિધાન સભામાં પહોંચ્યા હતા.

સંવિધાન સભાની આ ચુંટણી Do or Die સમાન હતી જેમાં બાબા સાહેબ વિજયી નિવડ્યા હતા.

એ વખતે આમ અસ્પૃશ્ય સમાજના લોકોએ બાબા સાહેબને સંવિધાન સભામાં પ્રવેશ મળે એ માટે સ્વયંભુ કહી શકાય તેવો સંધર્ષ કરેલો.

આ પ્રસંગ એટલા માટે જણાવવો જરૂરી છે કે અસ્પૃશ્યો ખરેખર એ વાત સારી રીતે સમજતા હતા કે બાબા સાહેબ સિવાય તેમનું કોઈ નથી.
- જિગર શ્યામલન




Facebook Post

December 14, 2017

બાબાસાહેબના મિશનને આગળ ધપાવવું સહેલું નથી

By Raju Solanki  || 27 November 2017 at 12:10 


સંવિધાનના સંરક્ષક; વાલજીભાઈ પટેલ (પાર્ટ ટુ)

આ એક ઐતિહાસિક તસવીર છે. 14 એપ્રિલ, 1997ના રોજ અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સાનિંધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબાસાહેબના અંગ્રેજી વોલ્યુમના ગુજરાતી અનુવાદિત ગ્રંથનું જાહેર વિમોચન કર્યું હતું. તસવીરમાં વાઘેલા સાથે જમણી બાજુ ખુરસીમાં પ્રવિણ રાષ્ટ્રપાલ બેઠા છે, તેમની પાછળ તત્કાલીન આઈએએસ અધિકારી અને હવે ભૂતપૂર્વ બની ચૂકેલા ભાજપ ધારાસભ્ય રજનીકાંત પટેલ ઉભા છે. ડાબી બાજુ ખુરસીમાં પૂર્વ સાંસદ હિરાલાલ પરમાર બેઠા છે અને તેમની પાછળ વાલજીભાઈ પટેલ ઉભા છે.

બાબાસાહેબની સાક્ષીએ બાબાસાહેબની વર્ષગાંઠે રંગેચંગે એક સરકારી વિમોચન થઈ ગયું અને થોડાક સમય પછી મજુરીયા, ખજુરીયા અને હજુરીયા વચ્ચે ફાટી પડેલી ખુરસી માટેની વરવી લડાઈના અંતે શંકરસિંહે વિદાય લીધી અને નવા મુખ્યમંત્રી દિલીપ પરીખે ફરી પાછું બાબાસાહેબની મૃત્યુતિથિએ ફરી બીજું વિમોચન કર્યું. લોકો એમના કાર્યક્રમોમાં આવ્યા અને ઘરે જઇને ગોદડું ઓઢીને સૂઈ ગયા, પરંતુ જેમણે સમગ્ર જિંદગી બાબાસાહેબના મિશનને ગુજરાતમાં સાકાર કરવા કુરબાન કરી એવા વાલજીભાઈથી રહેવાયું નહીં. મિશન પરત્વેની પ્રતિબદ્ધતાના કારણે તેઓ ચુપચાપ સારંગપુરના સરકારી વિમોચનમાં ઉભા તો રહ્યા હતા, પરંતુ એમણે પછી રૂબરૂ ભદ્રના સરકારી ડેપો પર જઇને તેમ જ માહિતી અધિકારની અરજીઓ દ્વારા પૃચ્છા કરી કે બાબાસાહેબના ગ્રંથો બજારમાં આવ્યા છે કે નહીં. એમને જાણવા મળ્યું કે પેલા બે સરકારી વિમોચનો તો લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે બે-ચાર કોપીઓ ગમે તેમ કરીને છાપીને કરી નાંખવામાં આવેલું અને જે થોડીઘણી કોપીઓ છાપેલી એ પણ વેચાણમાં મુકવામાં આવી ન હતી. ખરેખર તો ગુજરાત સરકારે છેક 1993માં કેન્દ્ર સરકારે આ ગ્રંથોના પ્રકાશન માટે ફાળવેલા રૂ. વીસ લાખ વાપર્યા જ ન હતા.

એટલે કર્મશીલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે બાબાસાહેબના તમામ ગ્રંથો તાત્કાલિક છાપીને રાજ્યના તમામ બુકસ્ટોલ પર વેચાણ અર્થે મુકવાનો હુકમ કર્યો હતો.

આ ઘટના એટલા માટે લખું છું કે નવી પેઢીના મિત્રોને ખબર પડે કે ગુજરાતમાં દલિત આંદોલનને કોણે જીવતું રાખ્યું છે. પોતાને મહાન માનતા લોકો ફેસબુક પર પોસ્ટો લખી લખીને મોટી ધાડ મારતા હોય છે, પરંતુ એમણે બાબાસાહેબના મિશનને આગળ ધપાવવા એક પૈસાનું નક્કર કામ કર્યું નથી.

- Raju Solanki

સંવિધાનના સંરક્ષક વાલજીભાઈ પટેલ (પાર્ટ – 1)

By Raju Solanki  || 26 November 2017 at 15:43 



આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે. સંવિધાનના સિદ્ધાંતો કાગળ પર સુંદર છે. એનો અમલ કરવો, કરાવવો એ જ મોટો પડકાર છે. અને સંવિધાનનો અમલ સરકાર ના કરે ત્યારે એનો કાન પકડીને અમલ કરાવનાર માણસ સાચા અર્થમાં બાબાસાહેબના મિશનને આગળ ધપાવે છે. ગુજરાતમાં આપણી વચ્ચે એક કર્મશીલે ખંતથી અને પ્રમાણિકતાથી આ કામ કર્યું હતું. એમનું નામ છે વાલજીભાઈ પટેલ, જેમણે ગુજરાત હાઇકોર્ટમાં એમની સંસ્થા કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસના માધ્યમથી જાહેર હિતની બેસુમાર અરજીઓ કરીને એસસી, એસટી, ઓબોસીના બંધારણીય અધિકારોનું જતન કર્યું હતું.

નવી પેઢીના યુવાનો માટે વાલજીભાઈનું નામ સાવ અજાણ્યું હોઈ શકે છે. કેમ કે તેઓ અખબારી નિવેદનો અને ટીવી ડીબેટોમાં જોવા મળતા નથી. ફેસબુક પર પોસ્ટો લખી લખીને લોકસેવા થાય એવી કોઈ સમજણ વાલજીભાઈ ધરાવતા નથી..

પ્રસ્તુત છે એમના કામની એક નાનકડી રૂપરેખા

- એકતાનગરના ઝુંપડાઓનુ જતન
1999માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના દાણીલીમડાના એકતાનગરના 300 ઝુંપડાઓ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. એકતાનગરમાં હિન્દુ, મુસ્લિમ, દલિતો દાયકાઓથી સાથે રહેતા હતા. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિશે હાઇકોર્ટમાં જઇને કોર્પોરેશનના આદેશ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો.

- મેરિટમાં આવતા એસસી, એસટી, ઓબીસી માટે પીટિશન
વર્ષ 2000માં રાજ્યની મેડિકલ કોલેજોએ અનામત કેટેગરીના મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જનરલમાં પ્રવેશ આપવાના રાજ્ય સરકારના પરિપત્રનો ધરાર ભંગ કરીને અનામતની યાદીમાં નાંખ્યા ત્યારે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીઆઈએલ કરીને મનાઈહૂકમ મેળવ્યો હતો.

- ગુજરાત જાહેર સેવા આયોગ સામે પીટિશન
વર્ષ 2000માં ગુજરાત જાહેર સેવા આયોગે લેખિત પરીક્ષા પાસ કરનારા એસસી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યા હતા. આયોગે અનામત કેટેગરીને અપાયેલા પાંચ વર્ષના એક્સટેન્શનને રદ કરવાના સરકારના પરિપત્રનો હવાલો આપ્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં આયોગના નિર્ણયને પડકાર્યો હતો અને રદ કરાવ્યો હતો.

- બિન-અનામત ઉમેદવારોથી અનામત બેઠકો ભરવા સામે મનાઈ હૂકમ
વર્ષ 1990માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને અનામત કેટેગરીમાં બિન-અનામત ઉમેદવારોની નિમણૂંક કરવાની છૂટ આપી હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં રજુઆત કરી કે અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં અનામત બેઠકો પર બિન-અનામત ઉમેદવારોની જાણીબૂઝીને નિમણૂંક કરવામાં આવે છે. હાઇકોર્ટે સરકારના પરિપત્રને રદ કર્યો હતો.

- અનૂસૂચિત જાતિ વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર
અનુસૂચિત જાતિઓના 1300 અરજદારોમાંથી 300ને રીક્ષાઓ ફાળવવાની અનુસૂચિત જાતિ વિકાસ નિગમની મનસ્વી પદ્ધતિ સામે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી અને સરકારને નવેસરથી ફાળવણી કરવાનો હુકમ થયો હતો.

- બાબાસાહેબના ગ્રંથો માટે હાઇકોર્ટમાં ધા
1998માં સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથોને ગુજરાતીમાં પ્રગટ કરવા માટે રૂ. 20 લાખ ફાળવ્યા હતા. પહેલો ખંડ 1993માં પ્રગટ થયો હતો. શંકરસિંહ વાઘેલા અને દિલિપ પરીખ, બબ્બે મુખ્યમંત્રીઓએ વારાફરતી જાહેર કાર્યક્રમોમાં માત્ર દેખાવ ખાતર લોકોને ઉલ્લુ બનાવવા થોડીક કોપીઓ છાપીને વિમોચન કરી નાંખ્યું હતું. પછી છેક 1998 સુધી એક પણ સરકારી ડેપોમાં એક પણ કોપી ઉપલબ્ધ થઈ ન હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં જઈ દાદ માંગી હતી અને કોર્ટે સરકારને તમામ ગ્રંથો અગ્રતાના ધોરણે છાપવા તેમ જ તમામ વોલ્યુમ સરકારી બુકસ્ટોલ્સ પર મુકવા આદેશ કર્યો હતો.

(to be continued.....

September 19, 2017

ભગવો અને હિન્દુત્વ

By Rushang Borisa   || 26 August 2017 at 11:23 


છેલ્લા કેટલાક સૈકાઓથી "કેસરી" રંગ હિન્દુત્વની ઓળખ બની ચુક્યો છે. હિન્દૂ ધર્મ-સંસ્કૃતિ સાથે સંકળાયેલ લગભગ તમામ સંસ્થા-ટ્રસ્ટ-ધર્મસ્થાનો પોતાના અધિકૃત ચિહ્ન માં તરીકે કેસરી રંગ અચૂક ઉપયોગ કરે છે. હાલમાં હિન્દુત્વની રાજનીતિ કરતી સરકારના ભક્તો પણ જ્યાં-ત્યાં કેસરી કપડાં-સાયકલ-ઝંડા વગેરે લઈને રખડતા જોવા મળે. કેસરી રંગ ને લઈને બ્રાહ્મણવાદીઓ વડે એ હદે પ્રચાર કરવામાં આવ્યો છે કે હવે લોકો ભગવા રંગને જ હિન્દુત્વની વેશભૂષા માની બેઠા છે. પણ શું ખરેખર ભગવા રંગ અને હિંદુત્વને પ્રાચીન સંબંધો હતા?
આ વિષે શરૂઆત ઝંડા સમિતિની ભલામણો ઉપર ચર્ચા કરવા નિમાયેલ બેઠકથી કરીયે. ૨૨ જુલાઈ,૧૯૪૭ માં સંસદ મધ્યસ્થ હોલમાં મળેલ બેઠકમાં સભ્ય શેઠ ગોવિંદદાસની રજૂઆતનો એક ભાગ વાંચીયે.( ગોવિંદદાસ આઝાદીની લડાઈના ભાગીદાર હોવા સાથે હિન્દી ભાષાના જાણીતા લેખક તેમજ હિન્દૂ સંસ્કૃતિના ચાહક -જાણકાર પણ છે.)
"જયારે આપણે આપણા ધ્વજના રંગો દેખીયે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.જે લોકો એવું કહે છે કે કેસરી રંગ હિદુત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેમને હું કહેવા માગું છું કે તમે ખોટા છો.એ વાતમાં કોઈ શંકા નથી કે એક સમયે તે હિન્દુઓનો રંગ હતો.જયારે પેશ્વાઓનું રાજ ચાલતું હતું ત્યારે કેસરી રંગ હિન્દુઓનો રંગ કહેવાતો હતો. રાજપૂતો યુદ્ધમાં કેસરી રંગના કપડાં પહેરતા હતા. પરંતુ જો આપણે વધુ દૂરના સમય સુધી જઈએ તો આપણે સ્વીકારવું પડશે કે કેસરી રંગ તે સમયે કોઈ ધર્મપ્રતિક નહતો.તમે જાણતા જ હશો કે મહાભારતમાં રંગ વિષે કોઈ સવાલો નહતા.અર્જુનના રથ ઉપર હનુમાનનું ચિહ્ન હતું. કર્ણના રથ ઉપર હાથીનું ચિહ્ન હતું.એટલે કોઈ રંગ ને હિન્દૂ ધર્મના પ્રતીક રૂપે માનવું ઐતિહાસિક રીતે ખોટું છે.....મને એ જાણીને ઘણું દુઃખ થયું કે કેટલાક કોમવાદી તત્વોએ ધ્વજના રંગોને લઈને (તોફાની) કાર્યક્રમો કર્યા; પણ મને વિશ્વાસ છે કે સમય જતા જયારે તેમને ભાન આવશે ત્યારે તેઓને પોતાના કાર્યો ઉપર શરમ આવશે......જ્યાં સુધી લીલા રંગની વાત છે, એક સમય હતો જયારે દેશમાં આ રંગે સ્વતંત્રતાની લડાઈમાં ભૂમિકા ભજવી હતી.હું તમને ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ વિષે યાદ અપાવવા માંગુ છું.તે સમયે આપણા ધ્વજનો રંગ લીલો હતો અને આપણે સૌએ સાથે લડાઈ લડી હતી.ત્યારે લીલો રંગ માત્ર મુસ્લિમ કે હિન્દૂ નો પ્રતીક નહતો, પણ સમસ્ત આઝાદીની ચળવળનો રંગ રહ્યો હતો...."

અહીં ગોવિંદદાસે રાષ્ટ્રધ્વજના રંગો કોમવાદી છે તે દાવાનું  ખંડન કર્યું હતું. તે સમયે હિન્દુવાદી તત્વો ધ્વજને પૂર્ણ રીતે કેસરિયો રંગવા માંગતા હતા અને આ જ તત્વોએ રાષ્ટ્રધ્વજને રસ્તાઓ ઉપર ફેંકી બહિષ્કાર કર્યો હતો.
ગોવિંદદાસનું ઉપરોક્ત નિવેદન ટૂંકું અને સામાન્ય જણાય, પણ જો ઊંડાણપૂર્વક તપાસીએ તો કેસરી રંગને હિન્દૂ ધર્મ સાથે જોડવું એ એક સાતિર બ્રાહ્મણવાદી તરકીબ ભાસે.
  • જો આપણે વેદિકકાળના ગ્રંથો (વેદો) ને તપાસીએ તે તેમાં ક્યાંય કોઈ રંગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. પ્રાચીનતમ ઋગ્વેદમાં દેવો-કથાઓનું જે વર્ણન છે તેમાં ક્યાંય કેસરી રંગનો ઉલ્લેખ નથી. વેદો જે વિધિ-કર્મકાંડોથી ભરેલા છે તેમે ક્યાંય ભગવા રંગનો ઉલ્લેખ નથી. એટલે કે વૈદિકકાળમાં ઋષિઓ,દેવો કે ઘાર્મિક ક્રિયાકાંડમાં કેસરી તો ઠીક, કોઈ પણ રંગને મહત્વ મળેલ ના હોય ; સિમ્બોલાઈઝેશન નો વિચાર તો કોસો દૂર રહે.
  • હવે વેદોથી આગળ રામાયણ-મહાભારત (ભલે મિથીહાસ હોય, પણ કાળગણના પ્રમાણે વિશ્લેષણ થઇ શકે છે) ના સમય તરફ વધીયે. અહીં, પણ કેસરીયાને કોઈ અગ્રતા આપવામાં આવી હોય તેવા તથ્યો મળ્યા નથી. બાલકાંડમાં વિષ્ણુને પીળા વસ્ત્રો પહેરતા દર્શાવ્યા છે. જયારે કૌશલ્યાને ધાર્મિક વિધિમાં સફેદ વસ્ત્ર પહેરતા દર્શવયા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૨૦) તેવી જ રીતે રામાયણમાં સફેદ અને સિલ્ક ના વસ્ત્રોનું વર્ણન દેખી શકાય છે. નવાય ની વાત એ છે કે ટીવીમાં જે રામાયણની ધારાવાહિકો બતાવવામાં આવે છે તેમાં વનવાસ જતા વેળાએ રામને ભગવા વસ્ત્રોમાં બતાવવામાં આવે છે. જયારે વાલ્મિકી રામાયણમાં વસ્ત્રો વિષે કોઈ નોંધ નથી.તેથી વિપરીત સીતાના અંગરક્ષક ત્રીજાતા ને આવેલ સ્વપનમાં રામને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે. પણ જો ધાર્મિક વિધિ તરફ જઈએ તો વનવાસ બાદ પરત આવેલ રામના સ્વાગત માટે બ્રાહ્મણોએ સફેદ વસ્ત્રો પહેર્યા હતા.(યુદ્ધકાંડ>સર્ગ-૧૨૭) બીજા શબ્દોમાં કહું તો રામાયણ એ વાત તરફ ઈશારો કરે છે કે ધાર્મિક ક્રિયામાં સફેદ રંગના વસ્ત્રોનું મહત્વ હતું. ઉપરાંત, ઋષિ  ભારદ્વાજને પણ સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૯૦) ઉપરોક્ત ,રજૂઆતથી એટલું તો સ્પ્ષ્ટ થાય જ છે કે ભગવા રંગને રામ સાથે પણ કોઈ સંબંધ નહતો. અત્યારે જે રીતે હિન્દુવાદીઓ રામમંદિરને લઈને ભગવા ઝંડા નો દેખાડો કરે તે તે ખરેખર વિચિત્રની સાથે હાસ્યાસ્પદ પણ લાગે.
  • મહાભારતમાં પણ વેદો અને રામાયણની માફક ભગવા રંગને લઈને ધાર્મિક ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના એક કિસ્સામાં બ્રાહ્મણોને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(મહાભારત.૧૨.૧૭૧) મહાભારતમાં ૩ સ્થાને કેસરી(પીળા અને લાલનું મિશ્રણ) જોવા મળે છે.જેમાં એક સ્થાને આત્મશાંતિ(નિર્વાણ?) ઇચ્છુક મુનિના વસ્ત્ર કેસરી બતાવ્યા છે. બીજા સ્થાને યતિમુનિઓ સફેદ અથવા લાલાશ પડતા(કેસરી) વસ્ત્રો પહેર છે તેવું લખ્યું છે. જયારે શ્રાદ્ધવિધિના વર્ણનમાં ચાંડાલોની સાથે સાથે ભગવાવસ્ત્રધારીની હાજરી ઉપર પ્રતિબંધ મુક્યો છે!( કેમ ભગવા એ શ્રાદ્ધનું શું બગાડ્યું હશે?) પણ એકદંરે ધર્મને લઈને રંગનું કોઈ મહત્વ જોવા મળતું નથી. ઋષિમુનિઓ અને બ્રાહ્મણોની સૈકડ઼ોં કથાઓથી ભરપૂર મહાભારતમાં કોઈ ઋષિને ભગવામાં વર્ણવ્યા હોય તેવો ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના મુખ્ય એવા ૨ બ્રાહ્મણ પાત્રો-  દ્રોણાચાર્ય અને કૃપાચાર્યને સફેદ વસ્ત્રોમાં સજ્જ બતાવ્યા છે.....દુનિયાના સૌથી વિશાલ ધર્મગ્રન્થની બડાશ મારતા હિન્દુવાદીઓ પહેલા જાણી લે કે આટલા વિશાલ ગ્રંથમાં તમારો ભગવો ક્યાંય લહેરાતો નજરે પડતો નથી.
  • વેદો,રામાયણ,મહાભારત ઉપરાંત ઉપનિષદોમાં પણ ભગવાનું ક્યાંય સ્થાન નથી. હિન્દૂ ધર્મ,સમાજ અને રાજનીતિની નિયમાવલી અને બ્રાહ્મણપ્રિય મનુસ્મૃતિએ પણ કેસરીયાને રદિયો આપ્યો છે. મનુસ્મૃતિએ પોતાના એક પણ નિયમમાં કેસરી રંગને ફરજીયાત રાખ્યો નથી.

ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે ગુપ્તકાળ પહેલા હિન્દૂ સંસ્કૃતિમાં કેસરી રંગનું મહત્વ ના બરાબર હતું. ઉપરાંત, અનુમોર્યયુગ(બીજી સદી બાદ) લખાયેલ પુરાણો પણ કેસરીયાને પ્રાધાન્ય આપતા નથી.ઉલટું, લિંગ પુરાણમાં (જ્યાં સુધી મને યાદ છે) શિવલિંગ બનાવવાની વિધિનું વર્ણન છે. જે મુજબ બ્રાહ્મણ સફેદ માટીનું, ક્ષત્રિય લાલ માટીનું ,વૈશ્ય પીળી માટીનું અને શુદ્ર કાળી માટીનું લિંગ બનાવી શકે છે. બીજા શબ્દોમાં, રંગોને લઈને જો કોઈ અગ્રતાક્રમ આપીયે તો તે સફેદ રંગને અપાવી જોઈએ.
ટૂંકમાં, હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કેસરી/ભગવા રંગનું મહત્વ જોવા મળતું નથી. કારણ પણ સહજ છે કે અનેક દેવી-દેવતાઓથી ભરચક ગ્રંથોએ અલગ-અલગ દેવી-દેવતાઓમાં માટે વિવિધ ચિહ્નો આપેલ છે. એટલે કોઈ ખાસ ચિહ્ન સમસ્ત ધર્મનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. છતાં રહસ્ય એ રહ્યું કે જે રંગનો ઉપયોગ ધર્મમાં થયો નથી, તેનો ઉપયોગ વર્તમાનમાં ધર્મના ઠેકેદારો કેમ કરે છે? શું ઈરાદાઓ હોય શકે?
ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કોઈ પણ રંગને વિશેષ પ્રતિનિધિત્વ મળ્યું નથી.એટલે ભગવા અને હિન્દુત્વની જોડી ઘણા સૈકા બાદ બની હોવી રહી. તે માટે આપણે હિન્દૂ સંસ્કૃતિથી દૂર થઇ અન્યત્ર શોધખોળ કરવી જોઈએ. અને તે માટે સૌથી યોગ્ય દિશા બુદ્ધિઝમ તરફની જણાય છે ,કારણ કે આ દેશ એક કાળે બૌદ્ધમય રહ્યો હતો.
નોંધનીય વાત એ રહી બૌદ્ધ ગ્રંથોમાં કષા રંગનો (Reddish yellow; બીજા શબ્દોમાં કેસરી) ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથો મુજબ બૌદ્ધ ભિક્ષુઓ ગેરુઆ રંગ (જે કેસરી રંગનો જ એક શેડ છે)ના વસ્ત્ર પહેરતા હતા. હિન્દૂ ધર્મના મૂળ ગણાતા વેદોમાં કેસરીયાનો ઉલ્લેખ નથી, પરંતુ બૌદ્ધ ધર્મના મૂળગ્રંથ "ધમમપદ" માં ગેરુઆ કાપડનો ઉલ્લેખ છે.

ચાલો ધમ્મપદના સંદર્ભોને ચકાસીએ
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટ છે; જેમાં આત્મસંયમ અને સત્યનો અભાવ છે તે કેસરી કપડાને લાયક નથી."- ધમ્મપદ.૧.૯
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટચારથી મુક્ત છે;જેમાં મૂલ્યો રોપાયેલા છે તેમજ આત્મસંયમ અને સચ્ચાઈ છે તે જ કેસરી કપડાને લાયક છે." - ધમ્મપદ.૧.૧૦

બીજા એક સંદર્ભમાં બુદ્ધે ભગવા રંગનું ઉદાહરણ આપી કટાક્ષ કર્યો છે.કટાક્ષ મૂળભૂત રીતે દંભીપણા ઉપર છે.લેટ્સ રીડ ઈટ.
  • "ઘણા દુષ્ટ અને અનિયંત્રિત લોકો કેસરી કપડાં પહેરે છે. છતાં પણ આ દુષ્ટ લોકો પોતાના કર્મોને લીધે આખરે દુઃખશોક ને પામશે." -ધમ્મપદ.૨૨.૨
ધમ્મપદ એકન્દરે ટૂંકો ગ્રંથ હોવા છતાં આ સંદર્ભો સાબિત કરે છે કે બૌદ્ધ ભિક્ષુઓ કેસરી વસ્ત્ર પહેરતા હતા.(જો કે બુદ્ધ પોતે આ જ રંગ તો ઓઢતા હતા!)



હવે,ત્રિપિટક ના સંદર્ભો ટાંકીએ...
બૌદ્ધગ્રંથ તેવીજજા-સુત્તામાં બુદ્ધના ગૃહત્યાગ પછીનું વર્ણન છે. જેમાં વૈરાગી બનેલ તથાગતે કેસરી વસ્ત્ર પહેર્યા હતા તેવું કહ્યું છે. આ વાતનું પુનરાવર્તન સમણાફળ-સુત્તામાં દોહરાવ્યું છે. સુત્તાનો તે ભાગ વૈરાગ્યજીવનના ફળો વિષે જણાવે છે.સુત્તનિપાતના ઉરગવજ્જા પ્રકરણમાં એકાકી જીવન વિષે વર્ણન છે. તેમાં ભિક્ષુએ કેસરી વસ્ત્ર પહેરવા તેવો ઉલ્લેખ છે. બૌદ્ધગ્રંથ મહાવજ્જામાં ગૌતમ બુદ્ધને ભગવા વસ્ત્રોમાં દર્શાવ્યા છે.એક બૌદ્ધ સાહિત્યમાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર વિષેનું વર્ણન છે; જેમાં સફેદ વસ્ત્રોને કેસરી રંગે રંગવામાં આવે છે. એ પણ જાણવું રહ્યું કે બુદ્ધિઝમમાં કેસરી રંગને મુક્ત મન માટેનું પ્રેરકબળ માનવામાં આવે છે. એટલે જ તો વિદેશોમાં ફેલાયેલ બૌદ્ધ ભિક્ષુઓ પણ ગેરુઆ કાપડ ઓઢે છે!
આટલું સમજ્યા પછી એ તારણ કાઢવું તો સહેલું છે કે બુદ્ધિઝમ પહેલા ભારતમાં કેસરી રંગ કોઈ ધર્મનું પ્રતીક નહતો , પણ બૌધ્ધોનું પહેરણ કેસરી હતું. છતાં પણ કોયડો એ રહ્યો કે હાલમાં ભારતમાં બૌદ્ધ ધર્મ નામશેષ હોવા છતાં ,કેવી રીતે હિન્દુત્વની ઓળખ બન્યો હશે?
  • મારુ સ્કેપટીક માઈન્ડ મને અહીં બ્રાહ્મણવાદ તફર દોરી જાય છે. બુદ્ધિઝમ સામે ચડિયાતા બનવા બ્રાહ્મણોએ પ્રતિ-ક્રાંતિ માર્ગે અનેક તરકીબો-કાવાદાવાઓ અજમાવ્યા હતા. તો કેસરી રંગ ને હિન્દુત્વ સાથે સાંકળવાનું શ્રેય નીઓ-હિન્દુઈઝમને મળવું જોઈએ. હાલમાં ટીવી,સામયિકો કે ચિત્રો માં જે રીતે પ્રાચીન ઋષિ-બ્રાહ્મણોને ભગવા માં બતાવવામાં આવે છે તે તદ્દન વાહિયાત છે. પ્રાચીન હિન્દૂ ધર્મ કોઈ રંગ ને મહત્વ આપતું નહતું તે વિષે ઉપર જણાવ્યું જ છે. છતાં પ્રછન્ન બુદ્ધ કહેવાતા એવા આદિશંકરાચાર્ય પોતે ભગવા પહેરતા હતા! અને આ જ બ્રાહ્મણે ભારતમાં બુદ્ધિઝમનું પતન નક્કી કર્યું હતું.
  • હું એવું કહેવા માંગુ છું કે બ્રાહ્મણો એ સામ નીતિનો ઉપયોગ કરી બૌદ્ધો ને હરાવ્યા બાદ ,કેસરીયાની ઉઠાંતરી પણ કરી હશે. આ સામનીતિ મનોવૈજ્ઞાનિક રમત તરીકે પણ કારગત નીવડી શકે. શત્રુ ને તેમના જ હથિયાર થી હરાવવાની ટેક્નિક એટલે બ્રાહ્મિનક સામનીતિ. બૌદ્ધ ધર્મને લઈને બહુજનોમાં ભિક્ષુઓ પ્રત્યે ઘણું માન હતું. એટલે તે સમયના સત્તા-માન ભૂખ્યા બ્રાહ્મણોએ ભગવા વસ્ત્રો પહેરી ઉપદેશો આપવાનું શરુ કર્યું હશે.જેનું ઉત્તમ ઉદાહરણ આદિશંકરાચાર્ય ગણી શકાય. એટલે કે આ માર્ગે બુદ્ધિઝમનું બ્રાહ્મણીકરણ (કે પછી બ્રાહ્મણત્વનું બોધિકરણ) પણ થયું હોવું રહ્યું ,જેને બ્રાહ્મણોની પુનઃક્રાંતિ કહેવું ખોટું નથી.એટલે કે પાંચમી કે છઠ્ઠી સદી  પછી વસ્ત્રોને લઈને રમત રમાય હશે; જેને સફળ થતા પણ કેટલાક સૈકાઓ તો લાગ્યા જ હશે. કદાચ ૧૦મી સદી પછી. બ્રાહ્મણવાદીઓની તરકીબો-ષડયંત્રો સમજવા ખરેખર કપરા છે. આંબેડકરે બરાબર કહ્યું હતું કે બ્રાહ્મણોના મગજમાં પણ મગજ હોય છે. બહુજનોના મગજમાં બૌદ્ધો ને લઈને ભગવા રંગે જે છાપ કાયમ કરી હતી તેનો રેડીમેડ ફાયદો બ્રાહ્મણોએ ઉઠાવ્યો હશે. અને બાદમાં બુઘ્ધવિહીન હિંદુઓમાં બ્રાહ્મણોએ ફરી વર્ચસ્વ મેળવ્યું હશે. બ્રાહ્મણ પક્ષે આ પ્રકિયા અઘરી નહીં,પરંતુ સાવ સરળ રહી હશે.
  • અહીં, વેદિકકાળ,પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિ,બુદ્ધિઝમ અને પોસ્ટ-બુદ્દિસમ સમયને લોજીકલી તપાસતા એવું કહી શકાય કે ભગવો બૌદ્ધો નો રંગ હતો. જો કે તે પણ બુદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો નથી.
  • હવે, ગોવિંદદાસના નિવેદન તરફ પાછા જઈએ...
    કાલિદાસ,બાણભટ્ટ કે અન્ય સમકાલીન કવિ-સાહિત્યકારોએ ભગવા ને સંસ્કૃતિના પ્રતીક સમાન માન્યા હોય તેવા અંશો રચનાઓમાંથી મળતા નથી. નથી મીરાંબાઈના પદો કે તુલસીદાસની રામાયણમાં ભગવો લહેરાતો જોવા મળતો. પણ જરૂર પાછળ બારણે ભગવા ને લઈને રાજનીતિ રચવામાં આવી હશે અને જેનું ફળ ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યું. અત્યારે તેઓ આ વિષયમાં સફળ થઇ ગયા હોય તેવું જણાય છે.
  • બેશક ઈ.સ.૧૬૫૦ પછી સ્થાપાયેલ પેશ્વારાજમાં  કેસરી રંગ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતો હતો. રાજપૂતો પણ મર્યાદિત પ્રદેશ પૂરતા હોય ,કોઈ ધર્મ નહીં પણ રાજસત્તાના રૂપે કેસરિયો પહેરતા હતા. પણ તે પૂર્વે જ ભગવા એ બુદ્દિસમના માધ્યમે હિન્દૂઓ ઉપર અસર કરી હતી. જેનો સગવડીયો પ્રયોગ બુદ્ધિઝમ પછી કરવામાં આવ્યો હોય શકે.


ઘણા લાંબા સમય પછી બ્રાહ્મણવાદીઓએ બહોળા પ્રચાર વડે હિન્દૂ ધર્મને ભગવા ની નવી પહેચાન આપવા કેસરિયો વાપર્યો છે. (કે બોલો ને વાપરી રહ્યા છે.)મારા ખ્યાલથી આવું કરવું તે બ્રાહ્મણવાદીઓની મજબૂરી પણ હોય શકે.કારણ કે આ તત્વોનો ઉદેશ્ય લોકહિતમાં નહીં, પરંતુ રાજનીતિ-સત્તામાં રહ્યો છે.અને અને વર્તમાનમાં તેઓની ઘણી એક પછી એક લપડાકો મળી હોય આવી ટેક્નિક સશક્તિકરણ  હેતુ કારગત નીવડી શકે.
"ભગવા હમારી પહેચાન હે" , "भगवा हमारी आन भगवा हमारी शान भगवा से हि हिंदू भगवा से हिन्दुस्तान" , "હમારા ખૂન ભગવા હે" વગેરે નારેબાજી કરી ડંફાશો મારતા અને વિધર્મીઓને ભાંડતા હિન્દુવાદીઓ; પહેલા હિંદુત્વને જાણો. હિન્દુત્વનું ભગવાકરણ કરી ખરેખર ધર્મના ઠેકેદારો જ ધર્મદ્રોહ કરી રહ્યા છે.
ભગવા ઝંડા લઈને રખડતા તત્વો ઉપર હસવું કે રડવું તેની તો ખબર નહીં. પરંતુ ,બુદ્ધિઝમમાં જે રંગ મુક્ત ચિત્ત માટે પ્રયોજાયો હતો તે જ રંગ અત્યારે લોકોના મગજ બંધિયાર બનાવવામાં વપરાતો હોય દુઃખ તો થાય...

August 27, 2017

पढ़िए, राम रहीम केस की पीड़िता साध्वी की चिट्ठी, जिससे शिकंजे में फंसा बलात्कारी बाबा

By Vishal Sonara || 27 Aug 2017 at 09:13

डेरा सच्चा सौदा के प्रमुख गुरमीत राम रहीम को दो महिलाओं से बलात्कार के आरोप में पंचकूला की विशेष सीबीआई अदालत ने दोषी करार दिया है। 
रेप पीड़िता साध्वी की प्रधानमंत्री को लिखी गुमनाम चिट्ठी को पंचकूला के स्थानीय सांध्य दैनिक अखबार 'पूरा सच' में अक्षरश: प्रकाशित किया गया था। इसके बाद 'पूरा सच' अखबार के संपादक रामचन्द्र छत्रपति के घर में घुसकर उन्हें गोलियों से छलनी कर दिया गया था। उसी चिट्ठी के आधार पर राम रहीम को सीबीआई कोर्ट ने रेपिस्ट करार दिया है। पीडीत साध्वी की उसी गुमनाम चिट्ठी को आप पढ़िए किन शब्दों में पीड़िता ने बयां किया था दर्द-:


सेवा में,
माननीय प्रधानमंत्री महोदय जी
श्री अटल बिहारी वाजपेयी, भारत सरकार
विषय : डेरे के महाराज द्वारा सैकड़ों लड़कियों से बलात्कार की जांच करें।
 श्रीमान जी,
यह है कि मैं पंजाब की रहने वाली हूं और अब पांच साल से डेरा सच्चा सौदा सिरसा, हरियाणा (धन-धन सतगुरु तेरा ही आसरा) में साधु लड़की के रूप में सेवा कर रही हूं। मेरे साथ यहां सैकड़ों लड़कियां भी डेरे में 18-18 घंटे सेवा करती हैं। हमारा यहां शारीरिक शोषण किया जा रहा है। साथ में डेरे के महाराज गुरमीत सिंह द्वारा यौनिक शोषण (बलात्कार) किया जा रहा है। मैं बीए पास लड़की हूं। मेरे परिवार के सदस्य महाराज के अंध श्रद्धालु हैं जिनकी प्रेरणा से मैं डेरे में साधु बनी थी।
साधु बनने के दो साल बाद एक दिन महाराज गुरमीत की परम शिष्या साधु गुरुजोत ने रात के 10 बजे मुझे बताया कि आपको पिता जी ने गुफा (महाराज के रहने का स्थान) में बुलाया है। मैं क्योंकि पहली बार वहां जा रही थी, मैं बहुत खुश थी। यह जानकर कि आज खुद परमात्मा ने मुझे बुलाया है। गुफा में ऊपर जाकर जब मैंने देखा महाराज बेड पर बैठे हैं। हाथ में रिमोट है, सामने टीवी पर ब्लू फिल्म चल रही है। बेड पर सिरहाने की ओर रिवॉल्वर रखा हुआ है। मैं यह सब देखकर हैरान रह गई। मुझे चक्कर आने लगे। मेरे पांव के नीचे की जमीन खिसक गई। यह क्या हो रहा है। महाराज ऐसे होंगे? ऐसा मैंने सपने में भी नहीं सोचा था।
 
महाराज ने टीवी को बंद किया व मुझे साथ बिठाकर पानी पिलाया और कहा कि मैंने तुम्हें अपनी खास प्यारी समझकर बुलाया है। मेरा यह पहला दिन था। महाराज ने मेरे को बांहों में लेते हुए कहा कि हम तुझे दिल से चाहते हैं। तुम्हारे साथ प्यार करना चाहते हैं क्योंकि तुमने हमारे साथ साधु बनते वक्त तन-मन-धन सब सतगुरु के अर्पण करने को कहा था। तो अब ये तन-मन हमारा है। मेरे विरोध करने पर उन्होंने कहा कि इसमें कोई शक नहीं हम ही खुदा हैं। जब मैंने पूछा कि क्या यह खुदा का काम है तो उन्होंने कहा -
1 - श्री कृष्ण भगवान थे, उनके यहां 360 गोपियां थीं जिनसे वह हर रोज प्रेम लीला करते थे। फिर भी लोग उन्हें परमात्मा मानते हैं, यह कोई नई बात नहीं है।
2 - यह है कि हम चाहें तो इस रिवॉल्वर से तुम्हारे प्राण पखेरू उड़ाकर दाह संस्कार कर सकते हैं। तुम्हारे घरवाले इस प्रकार से हमारे पर विश्र्वास करते हैं व हमारे गुलाम हैं। वह हमारे से बाहर जा नहीं सकते। यह तुमको अच्छे से पता है।
3 - यह कि हमारी सरकार में बहुत चलती है। हरियाणा व पंजाब के मुख्यमंत्री, पंजाब के केंद्रीय मंत्री हमारे चरण छूते हैं। राजनीतिज्ञ हमसे समर्थन लेते हैं, पैसा लेते हैं और हमारे खिलाफ कभी नहीं जाएंगे। हम तुम्हारे परिवार के नौकरी लगे सदस्यों को बर्खास्त करवा देंगे। सभी सदस्यों को अपने सेवादारों (गुडों) से मरवा देंगे। सबूत भी नहीं छोड़ेंगे। यह तुम्हें अच्छी तरह पता है कि हमने गुंडों से पहले भी डेरे के प्रबंधक फकीर चंद को खत्म करवा दिया था जिनका अता-पता तक नहीं है। ना ही कोई सबूत बकाया है। जो कि पैसे के बल पर हम राजनीतिक व पुलिस और न्याय को खरीद लेंगे।
इस तरह मेरे साथ मुंह काला किया और पिछले तीन मास में 20-30 दिन बाद किया जा रहा है। आज मुझको पता चला कि मेरे से पहले जो लड़कियां रहती थीं, उन सबके साथ मुंह काला किया गया है। डेरे में मौजूद 35-40 साधु लड़की 35-40 वर्ष की उम्र से अधिक हैं जो शादी की उम्र से निकल चुकी हैं। जिन्होंने परिस्थितियों से समझौता कर लिया है। इनमें ज्यादातर लड़कियां बीए, एमए, बीएड, एमफिल पास हैं मगर घरवालों के अंधविश्र्वासी होने के कारण नरक का जीवन जी रही हैं।
हमें सफेद कपड़े पहनना, सिर पर चुन्नी रखना, किसी आदमी की तरफ आंख न उठाकर देखना, आदमी से 5-10 फुट की दूरी पर रहना महाराज का आदेश है। दिखाने में देवी हैं मगर हमारी हालत वेश्याओं जैसी है। मैंने एक बार अपने परिवारवालों को बताया कि डेरे में सबकुछ ठीक नहीं है तो मेरे घर वाले गुस्से में होते हुए कहने लगे कि अगर भगवान के पास रहते हुए ठीक नहीं है तो ठीक कहां है। तेरे मन में बुरे विचार आने लग गए हैं। सतगुरु का सिमरण किया कर। मैं मजबूर हूं। यहां सतगुरु का आदेश मानना पड़ता है। यहां कोई भी दो लड़कियां आपस में बात नहीं कर सकतीं। घरवालों को टेलीफोन मिलाकर बात नहीं कर सकतीं।
घरवालों का हमारे नाम फोन आए तो हमें बात करने का महाराज के आदेशानुसार हुक्म नहीं है। यदि कोई लड़की डेरे की इस सच्चाई के बारे में बात करती है तो महाराज का हुक्म है कि उसका मुंह बंद कर दो। पिछले दिनों बठिंडा की लड़की साधु ने जब महाराज की काली करतूतों का सभी लड़कियों के सामने पर्दाफाश किया तो कई साधु लड़कियों ने मिलकर उसे पीटा। जो आज भी घर पर इस मार के कारण बिस्तर पर पड़ी है। जिसका पिता ने सेवादारों से नाम कटवाकर चुपचाप घर बैठा दिया है। जो चाहते हुए भी बदनामी और महाराज के डर से किसी को कुछ नहीं बता रही।
एक कुरुक्षेत्र जिले की एक साधु लड़की जो घर आ गई है, उसने अपने घर वालों को सब कुछ सच बता दिया है। उसका भाई बड़ा सेवादार था, जो कि सेवा छोड़कर डेरे से नाता तोड़ चुका है। संगरूर जिले की एक लड़की जिसने घर आकर पड़ोसियों को डेरे की काली करतूतों के बारे में बताया तो डेरे के सेवादार / गुंडे बंदूकों से लैस लड़की के घर आ गए। घर के अंदर से कुंडी लगाकर जान से मारने की धमकी दी व भविष्य में किसी से कुछ भी नहीं बताने को कहा। इसी प्रकार कई लड़कियां जैसे कि जिला मानसा (पंजाब), फिरोजपुर, पटियाला, लुधियाना की हैं। जो घर जाकर भी चुप हैं क्योंकि उन्हें जान का खतरा है। इसी प्रकार जिला सिरसा, हिसार, फतेहबाद, हनुमान गढ़, मेरठ की कई लड़कियां जो कि डेरे की गुंडागर्दी के आगे कुछ नहीं बोल रहीं।
अत: आपसे अनुरोध है कि इन सब लड़कियों के साथ-साथ मुझे भी मेरे परिवार के साथ जान से मार दिया जाएगा अगर मैं इसमें अपना नाम-पता लिखूंगी। क्योंकि मैं चुप नहीं रह सकती और ना ही मरना चाहती हूं। जनता के सामने सच्चाई लाना चाहती हूं। अगर आप प्रेस के माध्यम से किसी भी एजेंसी से जांच करवाएं तो डेरे में मौजूद 40-45 लड़कियां जो कि भय और डर में हैं। पूरा विश्र्वास दिलाने के बाद सच्चाई बताने को तैयार हैं। हमारा डॉक्टरी मुआयना किया जाए ताकि हमारे अभिभावकों व आपको पता चल जाएगा कि हम कुमारी देवी साधु हैं या नहीं। अगर नहीं तो किसी के द्वारा बर्बाद हुई हैं। ये बता देंगे कि महाराज गुरमीत राम रहीम सिंह जी, संत डेरा सच्चा सौदा के द्वारा तबाह की गई हैं।
 प्रार्थी
एक निर्दोष जलालत का जीवन जीने को मजबूर (डेरा सच्चा सौदा सिरसा)


यह है वो चिट्ठी जिसने एक बलात्कारी का अंत किया । जिस ‘महाराज’ की बात ऊपर की गई है, वो रेपिस्ट गुरमीत सिंह है । केस धीमा चलाने की लगातार कोशिश हुई 2013 में इस केस में सबूतों पर बहस पूरी हो गई थी। सुनवाई के दौरान राम रहीम की ओर से कभी सुप्रीम कोर्ट में तो कभी पंजाब और हरियाणा हाई कोर्ट में याचिका लगा दी जाती रही। इससे केस काफी धीमी रफ्तार से चला। मामले की सुनवाई पूरी होने के बाद राम रहीम ने फैसला सुनाने पर रोक चाही । जून 2017 में पंजाब और हरियाणा हाई कोर्ट ने इस अपील को खारिज कर दिया । जुलाई 2017 में हाई कोर्ट ने सीबीआई की ट्रायल कोर्ट से इस मामले में सुनवाई ‘जल्द से जल्द’ पूरी करने को कहा था।
मामले की सुनवाई पूरी हो चुकी है, और नतीजा आज सामने है....!!!

इस पोस्ट को लींक के स्वरुप मे ज्यादा से ज्यादा शेअर करे और आगे हमारे देश की बहन बेटीओ के साथ ऐसे मामले होने से बचाए।

जय भारत
जय संविधान



यही है वह 'गुमनाम' चिट्ठी, जिससे उजागर हुई गुरमीत राम रहीम के अत्याचार की दास्तां




पत्रकार श्री रामचन्द्र छत्रपति का बेटा. 

August 26, 2017

"બંધારણ જ પ્રથમ અને અંતીમ ઉપચાર..."

By Rahul Vaghela || 26 Aug 2017


22 ઓગસ્ટ 2017 - 03 વિ. 02 અને 
24 ઓગસ્ટ 2017 - 09 વિ. 00

બે ઐતિહાસિક દિવસો અને બે ઐતિહાસીક નીર્ણયો લેવાયા લોકશાહીનાં અતીમહત્વનાં અંગ એવી ન્યાયપાલીકા દ્વારા કે જેનાં પર હજું પણ આ સ્વતંત્ર અને ગણતંત્ર ભારત દેશની ગરીબી, અન્યાયોનો ભોગ બનનારી, અસમાનતાનો ભોગ બનનારી અને ભ્રષ્ટાચારનો ભોગ બનનારી પ્રજાનો વિશ્વાસ થોડા અંશે ટકી રહ્યો છે.
સૌ કોઇ આ બંને ચુકાદાઓ એટલા માટે ઐતિહાસીક ગણે છે કારણ કે એક ચુકાદોએ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાની વ્યક્તિગત સરમુખત્યારશાહી (હિટલરશાહી) અને બીજો ચુકાદો મળેલ સત્તાને કારણે સરમુખત્યારશાહી હક્કો ભોગવતા રાજતંત્ર સમુહને ધોબીપછાડ આપનાર છે.
22 ઓગસ્ટે, સર્વોચ્ચ ન્યાયાલયનાં પાંચ જજો દ્વારા એકસાથે ત્રણ તલાકના કહેવાતા ધાર્મિક (કુ)રીવાજને 02ની સામે 03ની બહુમતિથી રદીયો આપ્યો અને ત્રણ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યું. જયારે બીજા ચુકાદો બંધારણીય બેચ દ્વારા પ્રાયવશી(અંગતતા) પર આપ્યો. જેમાં 09 જજોએ એક સહમતિથી ચુકાદો આપીને બંધરણીય ગરીમાને એક નવું આયામ આપ્યું છે અને સ્પષ્ટ કરી આપ્યું કે મુળભૂત અધીકારો પર કોઇ પણ રીતે તરાપ કે કાતર ફેરવી શકાતી નથી. હા એ વાત ખરી કે Fundamental rights is not absolut but there is reasonable restrictions  (only if it has reasonable basis or reasonable materials to support it).
ચુકાદમાં કોઇ પણ વ્યક્તિની પ્રાયવશી એ બંધારણના અનુચ્છેદ 21 મળેલ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણનો જ ભાગ છે.

ઉપરોક્ત બંન્ને ઐતિહાસીક ચુકાદાઓ એ સ્પષ્ટ કરી આપ્યું છે કે કોઇ પણ મુળભૂત અધીકરોનું અવમૂલ્યન થતું હોય અથવા રોકાય જતા હોય તો તેને સામે મક્કમ રીતે ન્યાયની માંગ કરવામાં આવે તો ન્યાય જરૂરથી મળે જ છે. અન્ય એક વાત પણ સ્પષ્ટ થાય છે કે કોઇ પણ સામાજિક વ્યવસ્થા જેમાં મૂળભુત આધીકારોની અનદેખી કરી કોઇ પૂર્વવ્રત પ્રથા પ્રમાણે નહીં ચાલ્યા કરે તથા જ્યારે અરજકર્તા જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી અને અન્યના પ્રાયવશી બાબતના ચુકાદા પરથી કહી શકાય કે કોઇ પણ સરકારએ મેનેજર કે જનતાની સર્વીસ પ્રોવાઇડર છે નહીં કે માલિક એટલે તેણે કોઇ પણ વ્યક્તિની અંગતતામાં તેણી જાણ બહાર કે પુછ્યા વગર કોઇ પણ અડપલા કરવાના નથી.
દોસ્તો આ તકે મને અતીપ્રીય એવી 3 ઇડીયટનો ફીલ્મનો તકીયા કલામ યાદ આવે છે "ऐ मंतर बेटा याद करलो यहा इसकी बहुत जरुरत पडने वाली है ।" તો દોસ્તો  હાલ જે પરીસ્થિતીમાં દેશ ચાલી  અને પસાર થઇ રહ્યો છે એ સ્થીતીએ હું પણ આપને એક મંત્ર આપવા માંગુ છે કારણ આગળ જતાં આ આજ ઉપયોગી થવાનો છે...જો કે આ મંત્ર મારી કોઇ ઘરની ઉપજ નથી આ તો સ્વતંત્રતા સમયનાં ભારતના શ્રેષ્ઠ બુધ્ધિધનની 2 વર્ષ, 11 મહીના અને 17 દિવસની મહેનતનો અર્ક છે. હા, હું વાત કરી રહ્યો છું ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાં લાગે સમય અને તેનો નીચોડ એટલે બંધારણનું આમુખ અને તેમાં જ છે દરેક ભારતીયોએ ગોખી લેવાનો મહામંત્ર એટલે કે 
  • JUSTICE (ન્યાય-સામાજિક, આર્થિક તથા રાજકીય ), 
  • LIBERTY (સ્વાતંત્ર્ય- વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રધ્ધા તથા પૂજા),
  • EQUALITY (દરજ્જાની તથા તક અપાવવા) AND 
  • FRITERNITY (ભાતૃભાવ)


કોઇ પણ જગ્યાએ કે કોઇ પણ સરકારી નીતિ/યોજનામાં જો ઉપરોક્ત 04 શબ્દોમાંથી કઇ પણનો ઉલંઘન કે રોક લાગતી હોય તો સીધો જ બંધારણીય મૂલ્યોનો ભંગ થાય છે અને લોકશાહીના મહત્વનાં આધારસ્તંભ એવા ન્યાયતંત્રનો સહારો લઇને ચોક્કસ વીજયી થવાય છે, જેવી રીતે સાયરા બાનો  તથા અન્યો અને જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી તથા અન્યોનો થયો...
મે તો ગોખી લીધો છે આ મંત્ર અને જયા જયા નોકરી કરી ત્યાં ત્યાં દિવાલે લગાવી, સમજાવવા પ્રયત્નશીલ રહું છુ સૌ સહકર્મીઓ અને મીત્રોને...
"રાષ્ટ્ર કે કોઇ સમાજ વ્યવસ્થા નથી ચાલતી કોઇની મન-મરજીથી,
પણ અંતે તે તો ચાલે છે બાબાસાહેબના બંધારણથી...."

રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન....



સાયરા બાનું...



 91 વર્ષીય નીવૃત જસ્ટિસ પુટ્ટાસ્વામી..

અંગત બાબત કે ખાનગીપણાનો અધિકાર

By Dinesh Makwana  || 25 August 2017

Right to Privacy
निजता का अधिकार
ગઇ કાલે સુપ્રિમ કોર્ટનું એક લેન્ડમાર્ક જજમેન્ટ આવ્યુ તેમાં બંધારણીય બેન્ચ તમામ જજસાહેબે ૯/૦ ના મતોથી રાઇટ ટુ પ્રાઇવેસીના અધિકાર ને બંધારણીય ઘોષિત કર્યો. આ જજોનું કહેવુ છ કે બંધારણમાં આ હકનો સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી માત્રથી તમને આ હક ના મળે ત વાત તદન ખોટી છે કારણ કે બંધારણમાં આપેલા વિભિન્ન હકોમાં આ હકની સુગંધ જોવા મળે છે. જુદા જુદા હકોનું બારીક નિરિક્ષણ કરતા ફલિત થાય છે કે આ હક પણ બંધારણીય હક જ છે. આખું જજમેન્ટ અમારા એક ઓફિસર મિત્રએ મને મોકલ્યું છે. પુરુ વાંચીને ફરીથી જાણ કરીશ. પરંતુ આ હકને કારણે શુ ફેરફાર આવશે તેના વિશે કહુ.

ત્રણ દિવસ પહેલા આઇડીયા કંપની તરફથી મારી પર કોલ આવ્યો. તેમની સ્કીમ વિશે કહે તે પહેલા મે તેમને પુછયુ કે મેડમ મારો મોબાઇલ નંબર ક્યાંથી મળ્યો. સાચો જવાબ આપી ના શક્યા. 

ઉપરના અધિકારથી તમારી કોઇ પણ માહિતિ બીજું કોઇ પણ પછી તે કંપની હોય કે ગમે તે પણ તમારી ઇચ્છા વિના તમારી માહિતિ લઇ ના શકે. સ્કુલમા ભણતા દસમા ધોરણના વિધ્યાર્થીઓના મોબાઇલ નંબર કે ધો ૧૨ મા પાસ થયેલા વિધ્યાર્થીઓના નંબર ટ્યુશન કલાસ વાળા કે કોલેજ વાળા લઇ જાય છે અને પછી તમને કોલ કરે છે. બેન્ક વાળા, ક્લબ વાળા તમને કોલ કરીને હેરાન કરે છે. તમારી ઇચ્છા વિરુદ્ધ તમારા મેલ પર માર્કેટિંગ ના મેસેજ મોકલે છે તેની પર લગામ આવશે. કોઇ પણ કોલ આવે તો તે નંબર વાળાને કહી દો હુ પોલિસ મા ફરિયાદ કરીશ. આ હેરાનગતિમાં થી ઉપરનો અધિકાર તમને સંપુર્ણ મુકિત અપાવે છે. 

બંધારણ ના દરેક હકના વખાણ કરીને જજોએ કહ્યુ છે આનાથી બીજુ શુ હોય જેમાં દરેક હકનો ઉલ્લેખ હોય
ચંદ્રચૂડ નામના જજ સાહેબે તેમના જ પિતાએ આપેલા હુકમને ફેરવી તોળ્યો છે અને સૌથી વધુ છણાવટ આ જજ સાહેબે કરી છે. એનડીટીવી પર આવેલા કાનુન નિષ્ણાત ફેજાન સાહેબે કહ્યુ કે ચંદ્રચૂડ સાહેબને PhD ની ડીગ્રી આ જજમેન્ટ માટે મળવી જોઇએ.

પણ આ બધાના મુળમા બાબાનું બંધારણ છે તે ખાસ કરીને આપણે ભુલી ગયા છે.
દિનેશ મકવાણા 
અજમેર ૨૫/૮/૨૦૧૭

August 21, 2017

આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા નહી

By  || 13 May 2017

દરેક ભારતીય નાગરિક એ બંધારણ વાંચવાની જરૂર છે.. અને આંબેડકર ના પુસ્તકો પણ... તો જ બધા ને ખબર પડશે કે આંબેડકર એ કોઈની સાથે ભેદભાવ નથી કર્યો... ઉપર થી બધા ને કાળી મજૂરી માથી મુક્ત કર્યા છે...  અત્યારે  બંધારણ માં સરકાર દ્વારા ઘણા ફેરફારો કરી કાયદા નવા બનાયા છે... મૂળ કાયદા અને  સુધારેલા કાયદા જો જો તો ખબર પડશે કે દેશ ક્યાં જઈ રહ્યો છે... કોને કેટલી સત્તા છે ને કેટલી સત્તા અપાઈ રહી છે... આખી દુનિયા આંબેડકર ને માને છે... પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે  આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા એવું લોકો ના મન માં ભરાવે છે.. પણ જે શિક્ષિત છે એ સવર્ણ હોય, દલિત, મહિલાઓ કે દરેક ભારતીય ... એને ખબર જ છે કે સ્વમાન થી જીવવું એ અધિકાર આંબેડકર સાહેબ થી મળ્યો છે... 
બુદ્ધિ વગર ના કેટલાય એવા મૂર્ખ છે કે જેને પોતાનો જ ઇતિહાસ ખબર ના હોય એ ભારત નું બંધારણ વાંચવા ક્યાં બેસશે?? 
 અને આવા લોકો જ કટ્ટરવાદી હોય છે.. ને જાતિવાદ નો  ફેલાવો કરે છે... આવા લોકો ને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ મુક્તા પહેલા એકવાર એનો આખો ઇતિહાસ વાંચી લેવો ને સમજવું કે તમને શું ફાયદો થયો અને અને સ્વમાનભેર અને અધિકારપૂર્ણ કોના પ્રતાપે જીવો છો.... 

જય ભારત... જય સંવિધાન... જય ભીમ.
લિ.
વંદના ચાવડા જાદવ

July 22, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૩

By Raju Solanki



#Jaitley_The_Liar

આજે સમગ્ર દેશમાં ગૌ ગુંડાઓએ કાયદો હાથમાં લઇને નિર્દોષ માણસોની હત્યાઓ કરવા માંડી છે ત્યારે ગઈકાલે આ મુદ્દા પર રાજ્યસભામાં ચાલેલી ચર્ચામાં ઝુકાવતા નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે, ”બાબાસાહેબ આઁબેડકરે ગૌવંશના રક્ષણ માટેનો અનુચ્છેદ 48 ઘડ્યો હતો અને આજે તેમણે આ કાયદો ઘડ્યો હોત તો સતીષ મિશ્રાની પાર્ટી (બીએસપી)એ તેમને પણ કોમવાદી કહ્યા હોત.”

બિચારો અભણ સતીષ મિશ્રા. એની પાસે જેટલીના જુઠ્ઠાણાનો જવાબ જ ન હતો. કોંગ્રેસ-ડાબેરી સહિત બીજા પક્ષોને પણ આ મુદ્દે દેશમાં કોમી ધ્રુવીકરણ જ કરવું છે, એટલે કપિલ સીબ્બલે જેટલીને જવાબ આપવાના બદલે મોદી પર એટેક કર્યો અને લાંબી તડાફડીના અંતે બાજપેયી કહે છે તેમ, ”ડીબેટમેં ગર્મી જ્યાદા ઔર રોશની કમ રહી.”

હકીકતમાં, બંધારણસભાની એ સમયની ડીબેટ વાંચીએ તો સ્પષ્ટ જણાય છે કે જ્યારે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ જેવા કેટલાક સભ્યો ગૌવંશની રક્ષાના મુદ્દાને બૂનિયાદી અધિકારોની સૂચિમાં મુકવા માંગતા હતા, ત્યારે એક માત્ર બાબાસાહેબે આ મુદ્દાને માર્ગદર્શક સિદ્ધાંતોની યાદીમાં મુકવાની હિમાયત કરી હતી અને હંમેશ બન્યું હતું તેમ એ વખતે પણ સમગ્ર સભાએ બાબાસાહેબની વાત સ્વીકારી હતી. આને કારણે જ આ મુદ્દો રાજ્યો પર છોડવામાં આવ્યો હતો. આજે પશ્ચિમ બંગાળ કે કેરળમાં બીફ ખાવા પર પ્રતિબંધ નથી અને ચાવાળો કે ચડ્ડીવાળો રાજ્યોને ફરજ પાડી શકતા નથી. એનું કારણ બાબાસાહેબની દૂરંદેશિતા છે.

જેટલીએ અનુચ્છેદ 48 કહેલો, પરંતુ તેમને ભાન નથી કે આ અનુચ્છેદ 38 એ છે. વધુ માહિતિ માટે કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના વોલ્યૂમ સાતમાં 24 નવેમ્બર, 1948ના રોજ થયેલી ચર્ચા વાંચી લેવી.

(ફોટો - ઇન્ડીયન એક્સપ્રેસ, તા. 21 જુલાઈ, 2017,પેઇજ 10)

- રાજુ સોલંકી

July 04, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૧

By Raju Solanki




સંઘ પરિવારને બંધારણ કેમ ગમતું નથી?

બંધારણના મુસદ્દામાં હિન્દુત્વની ઝાંખી થતી નથી અને તે પાશ્ચાત્ય અસર નીચે ઘડાયું છે એવા આક્ષેપનું ખંડન કરતા ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું,

“બંધારણના મુસદ્દા સામે બીજી એક ટીકા એવી છે કે તેનો કોઈપણ ભાગ ભારતની પ્રાચીન સમાજવ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતો નથી. એવું કહેવાય છે કે નવું બંધારણ રાજ્યના પ્રાચીન હિન્દુ મોડલ પર ઘડાવું જોઇતું હતું અને પાશ્ચાત્ય સિદ્ધાંતોને દાખલ કરવાના બદલે નવું બંધારણ ગામ પંચાયતો અને જિલ્લા પંચાયતો ઉપર રચાવું જોઇતું હતું. બીજા કેટલાક લોકોએ તો વધારે અંતિમવાદી વલણ લીધું છે. તેઓ કોઈપણ પ્રકારની કેન્દ્રીય કે પ્રાંતિક સરકારો જ ઇચ્છતા નથી. તેઓ તો ભારતમાં માત્ર ગ્રામ્ય સરકારો જ માંગે છે. ગ્રામીણ સમુદાયો માટે ભારતીય બૌદ્ધિકોનો પ્રેમ અલબત્ત દયાજનક નહીં તો પણ અનંત તો છે જ.” (હાસ્ય)

મેટકાફ નામના અંગ્રેજ વિદ્વાનને ટાંકીને બાબાસાહેબ કહે છે કે રાજા રજવાડા આવ્યા ને ગયા, ક્રાન્તિઓ થઈ, હિન્દુ, પઠાણ, મુઘલ, મરાઠા, શિખ, અંગરેજ એક પછી એક શાસક બન્યા, પણ, ગ્રામીણ સમુદાયોમાં કોઈ જ બદલાવ આવ્યો નહીં. પરતું, બાબાસાહેબ પૂછે છે કે એમાં અભિમાન લેવા જેવું શું છે? આ ગામડાઓ સદીઓ સુધી ટક્યા હશે. પરંતુ, માત્ર ટકી રહેવાનો કોઈ મતલબ નથી. સવાલ એ છે કે તેઓ કેવી રીતે ટક્યા. ચોક્કસપણે તેઓ અત્યંત અધમ અને સ્વાર્થી સ્તરે ટક્યા.
આટલું કહીને બાબાસાહેબ એક એવું વાક્ય ઉચ્ચારે છે, જે એમના સિવાય સમગ્ર બંધારણસભામાં કોઈની બોલવાની મગદૂર નહોતી. એ વાક્ય હતું,
“હું માનું છું કે ગ્રામીણ પ્રજાસત્તાકોએ ભારતની બરબાદી નોતરી છે. મને તેથી નવાઈ લાગે છે કે જે લોકો પ્રાંતિકતા અને કોમવાદનો વિરોધ કરે છે તે લોકો ગામડાના ચેમ્પીયન તરીકે આગળ આવે છે. સ્થાનિકવાદનું વૉશ બેઝિન, અજ્ઞાનતાનો અડ્ડો, સંકુચિતતા અને કોમવાદ સિવાય ગામડું બીજું છે શું? મને આનંદ છે કે બંધારણના મુસદ્દામાં એક એકમ તરીકે ગામડાને ફગાવી દેવામાં આવ્યું છે અને વ્યક્તિને સ્વીકારવામાં આવી છે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44 )

- રાજુ સોલંકી

બંધારણવાળો બાબો ભાગ ૧૦

By Raju Solanki


સંવૈધાનિક નૈતિકતા અને મન કી બાત

ભારતનું બંધારણ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935નો વિચાર વિસ્તાર માત્ર છે. એવા આક્ષેપનો જવાબ આપતા બાબાસાહેબે કહેલું કે,
“ઉધાર લેવામાં કશું જ ખોટું નથી. એ કોઈ તફડંચી નથી. એક બંધારણના બૂનિયાદી વિચારો પર કોઈનો પેટન્ટ અધિકાર હોતો નથી. હું એ વાતે દિલગીર છું કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935માંથી લેવાયેલી જોગવાઈઓ મોટેભાગે વહીવટી વિગતો સંબંધિત છે. હું એ વાતે પણ સંમત છું કે વહીવટી વિગતોને બંધારણમાં કોઈ સ્થાન નથી. હું તીવ્રપણે ઇચ્છું છું કે મુસદ્દા સમિતિને બંધારણમાં તેમનો સમાવેશ નહીં કરવાની પરવાનગી મળી હોત. પરંતુ કહેવાનું એટલું જ છે કે તેમની જરૂરિયાત તેમના સમાવેશને ઉચિત ઠેરવે છે.”
આ તબક્કે બાબાસાહેબ સંવૈધાનિક નૈતિકતાની જીકર કરે છે અને સમજાવે છે કે,
“સંવૈધાનિક નૈતિકતા એટલે સંવિધાનના સ્વરૂપો માટે સર્વોચ્ચ આદર અને આ સ્વરૂપો અંતર્ગત કામ કરતી ઑથોરિટી પરત્વે આજ્ઞાંકિતતા અને તેની સાથે વાણી સ્વાતંત્ર્યની આદત, માત્ર સુનિશ્ચિત કાનૂની અંકુશને અધિન હોય અને દરેક નાગરિકના હ્રદયમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ જગાવતા હોય તેવા ઑથોરિટીના જાહેર કૃત્યો.”
બાબાસાહેબના આ વચનોથી આજના શાસકોના કૃત્યો તોળી જુઓ. તમે જ કહેશો કે સંવૈધાનિક નૈતિકતા એટલે માત્ર મન કી બાત નહીં ..... ઘણું બધું ....
(ફોટો - ગોળમેજી પરિષદોની ભલામણોના આધારે રચાયેલા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા એક્ટ, 1935ને બ્રિટનની સંસદમાં મળેલી બહાલી)

- રાજુ સોલંકી



Facebook Post :-

July 03, 2017

બંધારણવાળો બાબો ભાગ ૯

By Raju Solanki




“દુનિયાના કોઈપણ દેશનું બંધારણ (ભારતના) બંધારણના મુસદ્દા (draft constitution) જેટલું દળદાર નથી એ વાતનો સ્વીકાર કરવો જ જોઇએ અને જે લોકોએ આ મુસદ્દાનો અભ્યાસ ના કર્યો હોય તેમના માટે તેના વિશિષ્ટ અને ખાસ લક્ષણો સમજવા અઘરા હશે.”
ડો. બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણસભામાં દેશના બંધારણનો મુસદ્દો રજુ કર્યો ત્યારે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. આઠ મહિના સુધી મુસદ્દો પબ્લિક ડોમેનમાં મુકાયો હતો અને તેના અંગે થયેલી ટીકાઓથી બાબાસાહેબ સૂપેરે અવગત હતા. આ દેશની રગેરગ જેમની જાણમાં હતી તેવા આ મહામાનવને એ હકીકતની પણ ખબર હતી કે સિત્તરે વર્ષ પછી પણ આ દેશમાં જાતિવાદી ટુણીયાટ કટારલેખકો આ પવિત્ર ગ્રંથ પર કીચડ ઉછાળશે અને ગાયનું મૂતર પીને જેમના મગજમાં ન્યુરોન્સની જગ્યાએ પોદળા જામી ગયા છે તેવા લોકો આ બંધારણને અરબી સમુદ્રમાં ફગાવી દેવાની પણ માગણી કરશે.
અમેરિકા, સ્વિસ અને બ્રિટિશ લોકશાહીઓ સાથે ભારતની લોકશાહીની તુલના કરતા તેમણે જણાવેલું કે,
“અમેરિકા અને સ્વિસ વ્યવસ્થાઓ વધારે સ્થિરતા અને ઓછી જવાબદારી આપે છે. જ્યારે બ્રિટિશ વ્યવસ્થા વધારે જવાબદારી અને ઓછી સ્થિરતા આપે છે. કારણ સ્પષ્ટ છે. અમેરિકી કારોબારી તેના અસ્તિત્વ માટે કોંગ્રેસની બહુમતી પર નિર્ભર નથી. જ્યારે બ્રિટનની વ્યવસ્થામાં સંસદીય કારોબારી છે, જે સંસદમાં બહુમતી પર નિર્ભર છે. અમેરિકાની કોંગ્રેસ કારોબારીને બરખાસ્ત કરી શકતી નથી. જ્યારે સંસદીય સરકાર જે ઘડીએ સંસદની બહુમતીનો વિશ્વાસ ગુમાવે છે તે જ ક્ષણે તેણે રાજીનામુ આપી દેવું પડે છે.” 
અને આ તુલના દ્વારા તેમણે જણાવ્યું કે શા માટે આપણે ભારતમાં બ્રિટન જેવી સંસદીય પ્રણાલી અપનાવી છે.
(ફોટો - બ્રિટનનું હાઉસ ઓફ કોમન્સ)

- રાજુ સોલંકી



Facebook Post :-

બંધારણવાળો બાબો ભાગ ૮

By Raju Solanki




4 નવેમ્બર, 1948ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં બંધારણની મુસદ્દા સમિતિના ચેરમેન તરીકે દેશના બંધારણનો મુસદ્દો રજુ કર્યો ત્યારે એમણે એમના ઐતિહાસિક પ્રવચનમાં ભારતને મહાન બનાવવાનો રોડ મેપ આપ્યો હતો. કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44 પર નોંધાયેલું આ વક્તવ્ય પોતાને બુદ્ધિજીવી માનતા દરેક ભારતીયે વાંચવા જેવું છે. અકાટ્ય તર્ક, પારદર્શક દલીલો અને બુદ્ધિના ચમકારા જેના એક એક શબ્દમાં છે એવા આ પ્રવચનમાં આર્ષદ્રષ્ટા આંબેડકર સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.
ભારતનું બંધારણ દુનિયાના બીજા દેશો અને ખાસ કરીને અમેરિકા અને બ્રિટનના (અલેખિત) બંધારણ કરતા કઈ રીતે જુદું પડે છે એના ખાસ લક્ષણો બાબાસાહેબે તારવી બતાવ્યા હતા. અત્યારે નાગપુરની ગોબરમંડળી જે આક્ષેપ કરી રહી છે એ ગંદો, ગલીચ આક્ષેપ એ વખતે પણ થતો હતો કે ભારતનું બંધારણ તો દુનિયાના બીજા દેશોના બંધારણોની કોપી માત્ર છે. એ અપપ્રચારનો જવાબ આપતાં બાબાસાહેબે કહ્યું હતું કે, “બીજા દેશોના બંધારણોની આંધળી નકલ કરવાનો આરોપ, મને ખાત્રી છે કે (આપણા) બંધારણના અપૂરતા અભ્યાસને આભારી છે. બંધારણના મુસદ્દામાં શું નવીન છે તે મેં દર્શાવ્યું છે અને મને ખાત્રી છે કે જે લોકોએ બીજા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો છે અને જેઓ આ સમગ્ર બાબતને તટસ્થતાપૂર્વક વિચારવા તૈયાર છે તેઓ સંમત થશે કે જે રીતે ચીતરવામાં આવે છે તે રીતે મુસદ્દા સમિતિ પોતાની ફરજ બજાવવામાં આવી કોઈ આંધળી કે ગુલામ નકલની શિકાર બની નથી.”
(તસવીર - અમેરિકી બંધારણસભા)

- રાજુ સોલંકી


Facebook Post :-

બંધારણવાળો બાબો ભાગ ૭

By Raju Solanki


30 જુન, 1947ના રોજ બંધારણસભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદે બોમ્બે રાજ્યના તત્કાલીન વડાપ્રધાન બી. જી. ખેરને એક પત્ર પાઠવીને ડો. આંબેડકરને તાત્કાલિક ચૂંટી લાવવાનો અનુરોધ કર્યો હતો. તેઓ લખે છે,
“અન્ય કોઈપણ ગણતરીઓ ઉપરાંત, અમને જણાયું છે કે બંધારણસભામાં તેમ જ અન્ય સમિતિઓ કે જેમાં તેમની નિમણૂંક થઈ હતી તેમાં ડો. આંબેડકરનું કાર્ય એવા દરજ્જાનું છે કે એ જરૂરી છે કે તેમની સેવાઓથી આપણે વંચિત રહેવું જોઇએ નહીં. તમે જાણો છો તેમ, તેઓ બંગાળથી ચૂંટાયા હતા અને પ્રાંતના ભાગલા પછી તેઓ બંધારણસભાના સભ્ય તરીકે મટી ગયા છે. તેઓ આગામી 14મી જુલાઈથી શરૂ થતા બંધારણસભાના સત્રમાં હાજર રહેવા જોઇએ તે બાબતે હું અત્યંત આતુર છું અને તેથી તેઓ તાત્કાલિક ચૂંટાવા જોઇએ તે જરૂરી છે.”
જે માણસનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દેવા કોંગ્રેસીઓએ આકાશ પાતાળ એક કર્યા હતા તે જ માણસને બંધારણસભામાં પાછા બોલાવવા માટે બંધારણસભાના અધ્યક્ષ પોતે બેચેન હતા. બાબાસાહેબ બંધારણના ઘડવૈયા હતા તેનો આનાથી મોટો પુરાવો કયો જોઇએ તમારે? 
(ફોટો - બંધારણસભામાં બાબાસાહેબ સાથે ડો. રાજેન્દ્રપ્રસાદ)




- રાજુ સોલંકી