July 03, 2017

બંધારણવાળો બાબો ભાગ ૭

By Raju Solanki


30 જુન, 1947ના રોજ બંધારણસભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદે બોમ્બે રાજ્યના તત્કાલીન વડાપ્રધાન બી. જી. ખેરને એક પત્ર પાઠવીને ડો. આંબેડકરને તાત્કાલિક ચૂંટી લાવવાનો અનુરોધ કર્યો હતો. તેઓ લખે છે,
“અન્ય કોઈપણ ગણતરીઓ ઉપરાંત, અમને જણાયું છે કે બંધારણસભામાં તેમ જ અન્ય સમિતિઓ કે જેમાં તેમની નિમણૂંક થઈ હતી તેમાં ડો. આંબેડકરનું કાર્ય એવા દરજ્જાનું છે કે એ જરૂરી છે કે તેમની સેવાઓથી આપણે વંચિત રહેવું જોઇએ નહીં. તમે જાણો છો તેમ, તેઓ બંગાળથી ચૂંટાયા હતા અને પ્રાંતના ભાગલા પછી તેઓ બંધારણસભાના સભ્ય તરીકે મટી ગયા છે. તેઓ આગામી 14મી જુલાઈથી શરૂ થતા બંધારણસભાના સત્રમાં હાજર રહેવા જોઇએ તે બાબતે હું અત્યંત આતુર છું અને તેથી તેઓ તાત્કાલિક ચૂંટાવા જોઇએ તે જરૂરી છે.”
જે માણસનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દેવા કોંગ્રેસીઓએ આકાશ પાતાળ એક કર્યા હતા તે જ માણસને બંધારણસભામાં પાછા બોલાવવા માટે બંધારણસભાના અધ્યક્ષ પોતે બેચેન હતા. બાબાસાહેબ બંધારણના ઘડવૈયા હતા તેનો આનાથી મોટો પુરાવો કયો જોઇએ તમારે? 
(ફોટો - બંધારણસભામાં બાબાસાહેબ સાથે ડો. રાજેન્દ્રપ્રસાદ)




- રાજુ સોલંકી

No comments:

Post a Comment