July 03, 2017

બંધારણવાળો બાબો ભાગ ૬

By Raju Solanki



બંધારણસભામાં માનવ વેપાર અને બેગારી સહિતની ફરજિયાત મજુરી પર પ્રતિબંધ મુકતા અનુચ્છેદ 11 પર ચર્ચા થઈ હતી. આ અનુચ્છેદની નીચે તેની સમજુતી (explanation)માં રાજ્યને જાહેર હેતુ માટે ફરજિયાત સેવા લાદવાની છૂટ આપવામાં આવી હતી.
કનૈયાલાલ માણેકલાલ મુનશી સહિતના કોંગ્રેસી સભ્યોએ આ સમજુતી ઉડાડી દેવાનું સૂચન કર્યું હતું. તેમના મતે આ સમજુતી પડતી મુકવામાં આવે તો પણ ફરજિયાત લશ્કરી સેવા લાદતા રાજ્યને કોઈ રોકી શકશે નહીં.
ત્યારે બાબાસાહેબે તેમના સૂચનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, “હું જાણું છું ત્યાં સુધી મુંબઈ રાજ્યમાં ચોક્કસ જાહેર હેતુ માટે રાજ્ય દ્વારા બેગારી (વેઠ) કરાવવામાં આવે છે. એટલે જો રાજ્ય દ્વારા કરાવવામાં આવતી બેગારી પ્રથા પર પ્રતિબંધ મુકવામાં આવે તો કોઈપણ વ્યક્તિ એવી દલીલ કરશે કે ફરજિયાત લશ્કરી સેવા પણ બેગારી છે. તેથી આ તબક્કે સમજુતી (explanation) પડતી મુકવા બાબતે હું પર્યાપ્ત સંતુષ્ટ નથી.”
હાલ, ઉપરોક્ત સમજુતી બંધારણના અનુચ્છેદ 23ની પેટા કલમ (2) તરીકે જળવાઈ રહી છે. એ બાબાસાહેબની દેન છે.
આ સમજુતી પર બાબાસાહેબનું સવિસ્તર વક્તવ્ય કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ગ્રંથ ત્રણના પાના 480 પર છે. ફુરસદ મળે તો વાંચી લેજો.

Facebook Post :- 

No comments:

Post a Comment