August 06, 2017

બાબાના અનુયાયીઓ શાંતિથી અને ગંભીરતાથી વિચારો

By Dinesh Makwana  || 05 Aug 2017


બાબા ને માનનારી નવી પેઢીએ મંદિરોને લાત મારવાની વાત કહી છે. અંધશ્રદ્ધા માથી બહાર નીકળવા માટે હિમાયત કરી છે. આ વાત સાથે હુ થોડોક સંમત છુ. અંધશ્રદ્ધા ની વાત સાથે પુરેપુરો સંમત છુ.

કેટલીય વાર મે કહ્યું છે તેમ આપણી પાસે એક જગ્યાએ ભેગા થવાનું કોઇ વિશેષ પ્લેટફોર્મ નથી અને નથી જ. દાત

મુસ્લિમ- મસ્જિદ
ખ્રિસ્ત - ચર્ચ
શિખ- ગુરદ્રારા
વૈષ્ણવ- હવેલી
પટેલ- સ્વામીનારાયણ મંદિર

અને ખાસ વાત યાદ રાખવાની છે ઉપરની તમામ જાતિઓમાં વિવિધ પેટાજ્ઞાતિઓ છે જેમાં આજે પણ લગ્નનો વ્યવહાર નથી. ઓદિચ્ય બ્રાહ્મણો પોતાને સૌથી ઉપર માને છે. આના વિશે અલગથી મે લેખ લખ્યો હતો તેથી તેનું પુનરાવર્તન નહી કરુ. કોઇ મિત્ર ને ફરી વાંચવો હોય તો મને કહે.

મુળ આ બધી જાતિના લોકો કોઇ એક જગ્યાએ તો ભેગા થતા. આપણે લડવા માટે ફળિયામાં પણ ભેગા થતા નહી. આજે પણ દરેક ફળિયામાં એક મંદિર તો છે જ પણ તેનો ઉપયોગ જો વિવિધ પ્રવુતિઓ માટે થયો હોત અને દરેક પ્રસંગે આપણા લોકો ત્યાં ભેગા થયા હોત તો આ એકતા વધારે મજબુત થઇ શકી હોત. SC ની તમામ જાતિ છોડો આપણે ફળિયાના તમામ વ્યકિતઓને એક છત નીચે લાવીયે તોય ઘણી સફળતા મળી શકે છે.

પણ આ સમય સંક્રમણ નો છે જેને અંગ્રેજીમાં  transition કહે છે એટલે કે નવી પેઢી અને જુની પેઢી વચ્ચે સૌથી મોટી ખાઇ અત્યારના સમયમાં ચાલી રહી છે. હજુ કેટલાય નવયુવાનો જે ખરેખર આજ્ઞાંકિત દીકરા છે તે તેમના માતા પિતાને અનુસરીને મંદિરના દર્શન કરે જ છે. તેમના માટે તેમના માતા પિતા વધારે મહત્વના છે અને આ પેઢીને તમે ગાળો બોલીને, તેમના માટે નકામા શબ્દો વાપરીને મંદિર કે કહેવાતા ભગવાનથી દુર કરવાની વાતો કરો છો ત્યારે તેઓ દુર નહી જ થાય કારણ કે તેમને લાગશે તેમણે માતા પિતાને દુર કર્યા.

અશોકભાઇ રાઠોડ બહુ સરસ વાત કહે થે. જય ભીમ તે એક વિચારધારા છે. આ વાત સાથે હુ સંમત છુ પણ આ વિચારધારા કોઇના વિરુદ્ધ બોલવા માટે નથી. મને રામાયણ કે ગીતા વાંચ્યા પછી ના ગમતું હોય તે મારો અંગત પ્રશ્ન છે પણ તેજ ગીતા કે રામાયણ વિશે જ્યારે હુ જાહેરમા હુ કોઇ કોમેન્ટ કરુ ત્યારે બંધારણની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. મારી માન્યતા બીજાની ઉપર થોપવા માટે નથી.

બાબાના વિચારો સાથે જોડાયેલા તમામ ગ્રુપમા આ ઘેટાચાલ ચાલી રહી છે. હિન્દુ ધર્મ કે તેને લગતી કોઇ પણ બાબતનો વિરોધ કરો. દુનિયામાં કોઇ ક્રાંતિ નકારાત્મક વિચારોને આધારે સફળ થઇ જ નથી. તેથી આ ગ્રુપો માત્ર વિચારો સુધી સિમિત રહી જમીન પરના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયા છે.

કોઇ એક વ્યકિત નો અંગત અનુભવ વિચારધારા બની શકે જ નહી. હા તે આવા અનુભવો ધરાવતી વ્યકિતઓ સાથે ચાલી શકે પણ વિચારઘારા માટે જે પ્લેટફોરમ જોઇએ તે તેમને મળી શકતું નથી.

કેટલીય વાર કહ્યું કે દુનિયામાં દરેક જગ્યાએ કશુ ને કશુ ખરાબ ચાલી રહ્યું છે પણ તમારે નક્કી કરવાનું છે તમારે તે ખરાબ ચીજોનો સંગ કરવો કે નહી.

ઉમરેઠમાં આપણા ફળિયાની સામે એક ઠાકોર દારુ વેચતો હતો, તેના ત્યાં દારુ વેચનારો આપણો રોહિત ભાઇ હવે ફળિયામાં જ અંગ્રેજી શરાબ વેચે છે. આ ભાઇ બહુ સાત્વિક છે, પોતે દારુ પીતો નથી. નાસિક સાંઇબાબા અને નાથદ્રારામા શ્રીનાથજીના દર્શન કરવા મહિનામાં બે વાર જાય છે. આ દારુની દુકાન વાળાને ગાળો બોલવાથી કઇ નથી થવાનું, તે કહે છે આ મારો ધંધો છે.

ખરાબ તે નથી જે આ ધંધો કરે છે સારા લોકો એ છે જે આટલો નજીકમાં શરાબ મળતો હોવા છતા ત્યાં શરાબ પીવા જતા નથી.

તેજ પ્રમાણે મંદિર છે તેને ખરાબ કહેવાથી કશુ જ થવાનું નથી. તમે નહી જાઓ તો બીજા મુર્ખા તૈયાર છે પણ મારે એ કહેવુ છે કે કોઇ પણ વિચારધારાનો વિરોધ કરવો હોય તો સમાંતર બીજી વિચારધારા બનાવો જે પેલી વિચારધારાનો વિરોધ કર્યા વિના કાર્ય કરે.

પટેલો ખોડલધામ બનાવે છે, વૈષ્ણવો ભવ્ય હવેલીનું નિર્માણ વડોદરામા કરી રહ્યા છે. અમેરિકામાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બની રહ્યું છે. નાથદ્રારામાં ૭૦ ફિટ ઉચા મહાદેવનું લિંગ બની રહ્યું છે. આપણા લોકોએ હમણા જ ભાલેજ પાસેના નાના ગામમાં પ્રાણપ્રતિષ્ઠા નો કાર્યક્રમ રાખ્યો હતો અને ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા. હકીકત એ છે જેનો આપણે સૌથી વધુ વિરોધ કરીયે છે તેના તરફ લોકો જઇ રહ્યા છે.

બાબાના વિચારો ખરેખર વિચારધારા બની જ શકે. માત્ર બાબાના વિચારોને જ ફેલાવાની વાતો કરશો તો લોકો જરુરથી સ્વીકારશે. તેમના સમયમાં જે અસમાનતા હતી તે અત્યારે નથી. આજે પણ ગામડાઓમાં જનરલ લોકો આપણા લોકોને મદદ કરી રહ્યા છે. જે અંતર હતું તે ઘટી રહ્યું છે. બાબા આજે હોત અને આજની પરિસ્થિતિ જોઇ હોત તો કદાચ ઘણું બધુ બીજું કહ્યું હોત. અપવાદો સિવાય તમે આજે કોઇ પણ મંદિરમાં જઇ શકો છો. તમે અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તે પ્રગતિ કોઇ સમાજ કે વ્યકિતની વિરુદ્ધ બોલ્યા વિના કરી છે તો અત્યારે કેમ?

આપણે આપણી વાત કરો, આપણી સમસ્યા પર ધ્યાન આપો, બીજાને ખરાબ કહેવાથી આપણે સારા થઇ જતા નથી. કોઇ એક મેસેજ હિન્દુ કે બ્રાહ્મણની વિરુદ્ધ કોઇ લખે તો ગ્રુપમાંથી અડધા લોકો અંગુઠો બતાવીને તેની વાહવાહી કરશે.

હુ માનું છુ નવી પેઢી ખુબ જ જાગૃત છે. તેમને નકારાત્મક વિચારો કરતા હકારાત્મક વિચારો પર લઇ જઇને કાર્ય કરવાની જરુર છે. આપણે આપણું જ જોઇએ, બીજા શુ કરે છે તેને જવા દો.

કારણ કે ગીતાને વિરોધ બીજા જનરલ ના માણસને નહી ગમે, તેની લાગણીઓ ઘવાશે અને તે બાબા કે તમને ગાળો બોલશે. આ વર્ગ વિગ્રહના એંધાણ છે. હુ તો બહુ નિરાશ છુ આપણે નવી પેઢીને શુ આપી રહ્યા છે.

અને છેલ્લે આ સંવેદનશીલ સમયમાં તમે આ નક્કી નહી કરી શકો શુ ખોટું છે તો તમને આવનારી પેઢી માફ નહી જ કે છે જ્યારે તેમની પાસે કશુ જ નહી હોય.

બાબાના અનુયાયીઓ શાંતિથી અને ગંભીરતાથી વિચારો.

જય ભીમ, જો વિચારધારા થઇ શકતી હોય

દિનેશ મકવાણા.

આપણે કેમ ક્રિષ્ણ ને માનીયે છીયે???

By Dinesh Makwana  || Jan 2017



રક્ષાબંધન આવી રહી છે. જન્માષ્ટમી પણ પાછળ પાછળ ચાલી રહી છે. હિન્દુઓના સૌથી વધુ તહેવાર આ મહિનામાં આવે છે. 

જય શ્રી ક્રિષ્ણ કહીને કૃતાર્થ થઇએ છે કરતા રહીયે છે ત્યારે એક ગ્રુપ પર જાન્યુઆરી મા લખેલો ફરીથી વાંચો.  

સ્વામી સચ્ચિદાનંદ નું પુસ્તક ૧૯૮૮ મા આવ્યું.. "શ્રીક્રિષ્ણ લીલા રહસ્ય"

આ પુસ્તક મા સ્વામી ક્રિષ્ણની દરેક લીલાને રુપક દ્વારા સમજાવે છે અને કહે છે આવી કોઇ લીલા વાસ્તવિક રીતે શક્ય નથી તેથી તેને માત્ર રુપક રુપે સમજવી રહી. આ પુસ્તકના અંતે કદાચ સમાજ અને ખાસ વ્યક્તિઓના ડરને કારણે તે સ્વીકારવા તૈયાર નથી કે ક્ર્ષ્ણ ભગવાન નથી. તેઓ તેમને ભગવાન જ માને છે

નગીનદાસ સંઘવીનું પુસ્તક શ્રીક્રિષ્ણ એક મહામાનવ ૧૯૯૨ મા આવ્યું અને આ લેખકે તમામ રહસ્યો ખુલા કરી દીધા અને સ્પષ્ટ પણે સાબિત કરી દીધું કે આ ભગવાન હોઇ શકે જ નહી. બહુ મોટો વિવાદ થયો, પુસ્તક પાછું ખેંચાવાની વાતો થઇ પણ કશુ થયું નહી કારણ કે પુસ્તક મા માત્ર કલ્પના નથી, સાબિતીઓ છે. 

આશ્લેષ શાહ ૨૦૧૩ મા એક પુસ્તક લઇ આવે છે 'મહારાજ'  પુષ્ટિ માર્ગના વૈષ્ણવોના હવેલીના પુજારી જેને મહારાજ કહેવાય તે મહારાજ કેવા હોય છે તેનું માની ના શકાય તેવું વર્ણન કર્યું છે.હવેલીમાં ક્રિષ્ણની જ પુજા થાય છે અને મહારાજ પોતાને તેનો અવતાર ગણાવીને કેવી સેકસ લીલા કરે છે તેના વિશે ૧૮૮૦ મા મુંબઈ ની હાઇકોર્ટ મા કેસ થાય છે જે બહુ ચર્ચિત મહારાજ લાયેબલ કેસ તરીકે ઓળખાય છે અને તેમાં એક પુષ્ટિ માર્ગનો ભક્ત જ આ મહારાજના કરતૂતો ને ખુલ્લા પાડે છે અને કેસ જીતી જાય છે. 

પણ આપણે કેમ જય શ્રી ક્રિષ્ણ બોલતા થયા કારણ કે ક્રિષ્ણ પર તો મોટા લોકોનો કબજો છે. પણ ઇતિહાસના પુસ્તકો વાંચતા અને આપણી સામાજિક વ્યવસ્થાને જોતા તેમ લાગે છે કે આપણે તેમને ભગવાન તરીકે માનતા નહોતા તેથી હજુ કોઇ દલિતોએ કૃષ્ણ નું મંદિર બનાવ્યું હોય તે ક્યાંય જણાતું નથી. 

કૃષ્ણ ને તેમની ઉંમર પ્રમાણે એકલા કે જોડી મા જુદી જુદી જાતિઓ કે સમુદાય પુજે છે. પણ કોઇ યુવાન કૃષ્ણને માનવા તૈયાર નથી કારણ કે યુવા કૃષ્ણ બહુપત્નીત્વ ધરાવે છે તેમને સેકસ પ્રત્યે કોઇ છોછ નથી અને અસંખ્ય ગોપીઓ સાથે રાસલીલા કરતા વર્ણનો મળે છે. મુળ યુવા કૃષ્ણ વ્યભિચારી છે. તેથી યુવા કૃષ્ણનાં મંદિરો લગભગ મથુરા કે દ્વારકા સિવાય બહુ જ ઓછા જોવા મળે છે. પણ આપણે કૃષ્ણ કરતા તેમના સ્વરૂપોને વધારે માનીયે છે તેથી કેટલીય જગ્યા એ રાધા કૃષ્ણના મંદિર જોવા મળે છે તો રાજસ્થાનના સાવરીયાજી, શ્રીનાથજી કે ગુજરાતમા શામળાજી કે ડાકોર અથવા બીજા જે મંદિરો છે તે મુળ કૃષ્ણનાં જુદા જુદા સ્વરૂપો માત્ર છે. 

પણ મારો મુદો એ છે કે આપણે કેમ ક્રિષ્ણ ને માનીયે છીયે, કે કેમ જય શ્રી ક્રિષ્ણ કહીયે છે?? બહુ તપાસ કરતા જોવા મળે છે વર્ષો પહેલા આપણો રોજગાર બીજાની પર આધારે હતો તે ખાસ કરીને પટેલ પ્રજા ક્રિષ્ણ ને બહુ માનતી હતી પાછળ થી તેમાં ભાગલા પડી ને હવે સ્વામીનારાયણ તરફ વળી ગયા પરંતુ પહેલા આ સ્થિતિ નહોતી. આ પટેલોના ખેતરમાં મજુરી કરવા જઇએ કે તેમના મરેલા જાનવર ને ઉંચકતા આપણે પણ શબ્દો સાંભળ્યા કે જય શ્રી ક્રિષ્ણ. મુળ ગરીબ અભણ એવી આપણી પ્રજાને એવું લાગ્યું કે લગાડવામાં આવ્યું કે આ ભગવાન છે અને તેથી જય શ્રી ક્રિષ્ણ શબ્દનો પ્રવેશ આપણા સમાજમાં થયો હોય તેમ લાગે છે. 

બીજું આપણા ગુરુઓએ આપણી ધારણા વધુ મજબૂત કરી. આપણા તમામ ગુરુઓ કૃષ્ણ ને જ માનતા હતા અને તેમના જ ભજનો ગાતા હતા. તે ભજનો યાદ કરો તો મારી વાત સમજાશે. ભક્તિના રુપે આપણે ગાંમડામાં દર પંદર દિવસે અથવા ચોક્કસ સમયે ભજન કે પાઠ કરતા અને તેમાં પણ કૃષ્ણ મધ્યમાં રહેતા. આના કારણે ક્રષ્ણનુ મંદિર નહી હોવા છતા આપણે માત્ર ફોટાના આધારે તેમને ભગવાન ગણીને અને જય શ્રી ક્રિષ્ણ કહીને કૃતજ્ઞ થતા રહ્યા.

ભારતમાં જેટલા સાધુઓ સેકસ કાંડમાં પકડાયા છે કે જાહેર થયા છે તે તમામ નો ભગવાન કે રોલ મોડેલ આ ક્રિષ્ણ હતો કારણ કે ભોળી પ્રજા ને ફસાવવી હોય તો તમે આવા કામ માટે કૃષ્ણ સિવાયના ઉદાહરણો ના આપી શકો. 

થોડા વર્ષો પછી આપણે રોજગાર અર્થે શહેરમાં આવ્યા ત્યારે બીજી જનરલ કેટેગરી ને શુભેચ્છા આપવા કે ખુશ રાખવા આપણે જય શ્રી ક્રિષ્ણ કહેતા થયા અને આજે પણ દિવાળી પછીના નવા વર્ષે પુરુષો સાલ મુબારક કહે છે પણ સ્ત્રીઓ જય શ્રી ક્રિષ્ણ જ કહે છે. 

જેનું મંદિર આપણા ફળિયામાં નથી, જે વ્યભિચારી છે તેને આપણે ભગવાન માનીને જય શ્રી ક્રિષ્ણ કહીયે છે તે યોગ્ય છે?

તમે જાતે નક્કી કરો

દિનેશ મકવાણા
અજમેર

માત્ર કાર્યકરો જીતાડી નહી શકે, યોગ્ય નેતાગીરી પણ જરુરી છે

By Dinesh Makwana  || 05 Aug 2017



જય મુલનિવાસી નામના એક ગ્રુપ પર જયા મોટા ભાગના મિત્રો ઉતર પ્રદેશ ના છે તેમાના એક મિત્રએ મને કહ્યુ કે દરેક વ્યકિત કોઇ એકાદ પક્ષની વિચાર ધારામાં તો માનતો જ હોય. ૨૧ વર્ષથી વધુ ઉંમરની વ્યકિત જે થોડું રાજકારણ વિશે જાણે છે તેના મનમાં એક પક્ષ પ્રત્યે ચોક્કસ લાગણી કે વફાદારી રહેવાની. આ પક્ષમાં માનવાની ચર્ચા થોડાક સમય પહેલા અને ખાસ કરીને યુપી ના પરિણામો પછી ખાસ થઇ. તેમાં કેટલાય મિત્રોએ મને પુછયુ હતું કે હુ પણ કોઇ પક્ષની વિચાર ધારામાં તો માનતો જ હોઉં.

ગુજરાતમાં આપણે ત્યાં માત્ર બે જ પક્ષ છે. કોગ્રેસ અને ભાજપ. આ બેમાથી કોઇ પક્ષને તમે માનતા હોય તે સ્વાભાવિક છે. પણ જેને પોતાનો કહી શકાય તેવો પક્ષ અહીં નથી. માત્ર યુપી મા જ તે બીએસપી ના નામે છે.

પણ ગઇ કાલે જે ગેંગમેન ની વાત કરી તેને અને બીએસપી ને શુ સંદર્ભ છે તેની વાત મારે કહેવાની છે જેમાં થોડાક હારના કારણો છે. દરેક પણ જીત પછી ખુશી મનાવતો હોય અને હાર પછી મનોમંથન. આ લેખ એક પ્રકારનું મનેમંથન છે. આ એટલા માટે લખવું પડે છે ગુજરાત મા પણ હવે ચુટણી આવી રહી છે તેમાં તમે સારુ પ્રદર્શન કેવી રીતે કરી શકો.

યુપીના પરિણામો પછી મારે ૨૭/૩/૨૦૧૭ થી ૭/૫/૨૦૧૭ સુધી ઉતર પ્રદેશમા રહેવાનું થયેલુ. તે સમય દરમિયાન હુ કેટલાય લોકોને મળ્યો છુ, દરેકને હારના કારણો પુછયા છે. અને એવા કેટલાય મળ્યા હતા તેમણે કહ્યુ કે સાહેબ બીએસપીને એક પણ સીટ નહી મળે તોય અમે ગેંગમેનની જેમ કામ કરીશું. આવુ કદાચ કુન્દને કહ્યુ હતું અને તેમાં આશિષે સમર્થન આપ્યું હતું.

પણ મીતેશભાઇ એ કહ્યુ તેમ રેલવે ગાડી ઓ સારી રીતે ચાલે તે માટે ગેંગમેન ની પ્રમાણિકતા થી કરેલી ફરજ કારણભુત છે. પણ માત્ર આ પુરુ સત્ય નથી.

મારે બીએસપીના સંદર્ભમાં વાત કરવાની છે તેથી કહુ માયાવતી માત્ર શીર્ષ નેતૃત્વ છે તેના પછી પ્રથમ કે બીજી હરોળ દેખાતી નથી. સીધા કાર્યકરો જ છે. આ કાર્યકરો સખત મહેનત કરે છે પણ પ્રથમ કે બીજી હરોળના એવા કોઇ નેતા નથી જેને લીધે આપણા માણસો આપણી તરફ ખેંચાઇ રહે. મોદી દરેક જગ્યાએ ના જાય તોય તે પણ ભાજપ મા એવા કેટલાય નેતાઓ છે જેને લીધે જનતા તેમની તરફ આકર્ષાયેલી રહે. માયાવતી દરેક જગ્યાએ જઇ ના શકે તે હકીકત છે તેથી પ્રથમ અને બીજી હરોળના ના નેતા ઉભા કરવાની જરુર છે જેઓ પ્રજામાં પણ લોકપ્રિય હોય. બાકી નીચેના કાર્યકરો તો ગેંગમેન ની જેમ જ આજેય હાર પામ્યા હોવા છતા કામ કરે છે.
કાદરખાન નો એક ડાયલોગ છે; सिपाही की तलवार पर जंग नही जीती जा सकती. મુળ ભાવાર્થ છે કે માત્ર કાર્યકરો જીતાડી નહી શકે, યોગ્ય નેતાગીરી પણ જરુરી છે.

૨૦૧૯ ની ચુટણી ની હજી બે વર્ષ બાકી છે તે સમય દરમિયાન બીએસપી આ વાતને મહત્વ આપીને આ દિશામાં કામ કરવાની જરુર છે. તેની પહેલા આ ચાર મહિના ગુજરાત મા મહેનત કરીને તમે માત્ર ૧૦ કે ૧૫ સીટ જે માત્ર બીએસપી ની હશે તો મોદી માટે તમાચા રુપ હશે.

કોઇ બીએસપી નો વિરોધ કરે કે માયાવતીનો વિરોધ કરે પણ દરેકે તે સમજવું પડશે કે પોતાનો કહી શકાય તેવો આ એક માત્ર પક્ષ છે. વામન મેશ્રામ જો બહુજનોનુ ભલું ઇચ્છતા હોય તો તેમણે બીએસપી સાથે મળીને કામ કરવું પડશે. માત્ર પ્રવચનોથી ક્રાંતિ ભારતમાં નથી આવતી. ભારતમાં સતા જરુરી છે. જેની પાસે સતા હોય તે બધુ કરી શકે છે. વામન મેશ્રામ અને માયાવતી બંને એકબીજાની વિરુદ્ધ કામ કરશે તો આખરે નુકસાન આપણા લોકોને છે. પેલા લોકોમાં ઘણા બધી પેટા સભા છે, હિન્દુ મહાસભા, ક્ષત્રિય સેના, RSS, બ્રાહમણ સમાજ, પરશુરામ સેના, કે અન્ય પણ આ તમામ નો રાજકીય પક્ષ માત્ર એક જ છે તે ભાજપ. આપણે કેટલાય ટુકડાઓમાં વહેંચાયેલા છીએ. પણ દરેક ની રાજકીય વિચારધારા બીએસપી હશે તે કોઇ તમને હરાવી શકશે નહી. આપણને આપણે જ હરાવ્યા છે. માત્ર ગેંગમેનોથી ચુટણી જીતી શકાતી નથી તેમના સુપરવાઇઝર સિનિયર સેકશન ઇન્જીન્યર નું યોગ્ય માર્ગદર્શન પણ જરુરી છે.

વિચારોનો વિરોધ ક્ષમ્ય છે પણ રાજકીય વિચારસરણી માટે તમારે તમામને બીએસપી ને માનવો પડશે તો અને તો તમે  આવનારી તમામ ચુટણીમા ફતેહ મેળવી શકશો.

દિનેશ મકવાણા
૫/૮/૨૦૧૭
વડોદરા