August 21, 2017

આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા નહી

By  || 13 May 2017

દરેક ભારતીય નાગરિક એ બંધારણ વાંચવાની જરૂર છે.. અને આંબેડકર ના પુસ્તકો પણ... તો જ બધા ને ખબર પડશે કે આંબેડકર એ કોઈની સાથે ભેદભાવ નથી કર્યો... ઉપર થી બધા ને કાળી મજૂરી માથી મુક્ત કર્યા છે...  અત્યારે  બંધારણ માં સરકાર દ્વારા ઘણા ફેરફારો કરી કાયદા નવા બનાયા છે... મૂળ કાયદા અને  સુધારેલા કાયદા જો જો તો ખબર પડશે કે દેશ ક્યાં જઈ રહ્યો છે... કોને કેટલી સત્તા છે ને કેટલી સત્તા અપાઈ રહી છે... આખી દુનિયા આંબેડકર ને માને છે... પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે  આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા એવું લોકો ના મન માં ભરાવે છે.. પણ જે શિક્ષિત છે એ સવર્ણ હોય, દલિત, મહિલાઓ કે દરેક ભારતીય ... એને ખબર જ છે કે સ્વમાન થી જીવવું એ અધિકાર આંબેડકર સાહેબ થી મળ્યો છે... 
બુદ્ધિ વગર ના કેટલાય એવા મૂર્ખ છે કે જેને પોતાનો જ ઇતિહાસ ખબર ના હોય એ ભારત નું બંધારણ વાંચવા ક્યાં બેસશે?? 
 અને આવા લોકો જ કટ્ટરવાદી હોય છે.. ને જાતિવાદ નો  ફેલાવો કરે છે... આવા લોકો ને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ મુક્તા પહેલા એકવાર એનો આખો ઇતિહાસ વાંચી લેવો ને સમજવું કે તમને શું ફાયદો થયો અને અને સ્વમાનભેર અને અધિકારપૂર્ણ કોના પ્રતાપે જીવો છો.... 

જય ભારત... જય સંવિધાન... જય ભીમ.
લિ.
વંદના ચાવડા જાદવ

No comments:

Post a Comment