May 11, 2017

ધર્મના ગાંડપણ પાછળ ચાલતા ભયંકર શોષણ ને જોવા કે સમજવા માટે ની સક્ષમતા જ નથી દેખાતી : મિલન કુમાર

ક્યાંક ગૌ હત્યા ના વિરોધ સામે દલિત અત્યાચાર પણ નો વિરોધ કરશો તો એ કહેશે, તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક પૂજાપાઠ ની સત્યતા, અને એમાં કરવામાં આવતા વાયદા (ફલાણો યગ્ન કરો તો ફલાણું ફળ મળશે) પર સવાલ કરો તો, એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક મંદિરોમાં પણ ચાલતા આભડછેટ અને જાતિવાદ નો વિરોધ કરશો, તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક ભગવાન ના સ્વરૂપ ની ચર્ચા કરશો કે આટલા હાથ, અને આવું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? ક્યાંક એમના ચમત્કારી જન્મો વિશે પ્રશ્નો કરશો, તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
કેટલાય પંડિતો પોતે ઉચ્ચ જાતિનું અભિમાન રાખી યજમાન ને ત્યાં પાણી સુધ્ધાં પીતા નથી, માણસ ના અસ્તિત્વ ને નકારતો એક મોટો વર્ગ , ઇશ્વર નું અસ્તિત્વ સાબિત કરવા તલવારો ખેંચી કાઢે છે.. એમના આ દંભ નો વિરોધ કરશો તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
વાસ્તવમાં તમારો વિરોધ અન્યાય , અંધશ્રદ્ધા , આભડછેટ બ્રાહ્મણવાદ સામેનો છે, પણ એમણે પોતાની પાપી પરંપરાઓને ધર્માંધ પ્રજા રૂપી રક્ષા કવચ આપી દીધું છે.,તમે કોઈ પણ વાતનો વિરોધ કરશો તો એ ધર્માંધ લોકો તમને પાકિસ્તાન મોકલી દેવાની વાત કરશે. જાણે કે ભારત તો હિન્દુ..( એ પણ બ્રાહ્મણ વાદી) લોકોનો જ દેશ હોય..

આવા અનેક ઉદાહરણ છે, વાસ્તવમાં હિન્દુ લોકોને ધર્મનું એવું તો ઘેલું લગાડી દેવામાં આવ્યું છે કે એ લોકો એની પાછળ ચાલતા ભયંકર શોષણ ને જોવા માટે સક્ષમ નથી રહ્યા. એ જ કારણ થી અનેક લોકો ધર્મથી વિમુખ થઈ રહ્યા છે. કે જ્યાં સત્ય અને શંકા ને કોઈ સ્થાન નથી માત્ર ચૂપ રહીને સ્વીકાર કરો તો તમે સાચા હિન્દુ.....!!! શંકા કરવી હોય તો પાકિસ્તાન જતા રહો...!

મહારાજ...,
સદીઓ જૂની અકડ હવે છોડો, જે ગ્રહોની તમે બીક બતાવો છો ત્યાં તો માણસ જવા આવવા લાગ્યો છે..

અટકો હવે,
નહી તો ભવિષ્યમાં બધું છોડીને ફક્ત ઘરવાપસી ના કાર્યક્રમો કરવા પડશે...

-- ✍મિલન કુમાર

No comments:

Post a Comment