June 20, 2018

હમ આપકે હૈ કૌન

By Raju Solanki  || 04 April 2018


ગઈ કાલે (On 03 April 2018)  ઇટીવીની ડીબેટમાં કોંગ્રેસ અગ્રણી, પૂર્વ આરોગ્યમંત્રી ડો. દિનેશ પરમાર મળ્યા. એમણે મને પૂછ્યું, “તમે કોણ?” મેં કહ્યું, “પચીસ વર્ષ પહેલાં જામનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખસેડવાના મુદ્દે દલિતોએ ઉગ્ર પ્રતિક્રિયા આપેલી, એમનું નૈતિક મનૌબળ તોડવા ભયાનક પોલિસ દમન થયેલું અને તમારી (ડો. દિનેશ પરમારની) સામે પણ પોલિસ ફરીયાદ થવાની સંભાવનાઓ હતી ત્યારે ‘ગુજરાત ટુડે’ દૈનિકના સંવાદદાતાની હેસિયતથી મેં તલસ્પર્શી અભ્યાસના અંતે સઘન કવર સ્ટોરી કરી હતી અને દૈનિકની એ નકલો આપે ગુજરાત વિધાનસભામાં વહેંચી હતી, જબરજસ્ત ઉહાપોહ થયો હતો અને તેને કારણે દલિતો સામેના કેસો પાછા ખેંચાયા હતા. એ નાચીઝ પત્રકાર હું રાજુ સોલંકી.”

મારી વાત સાંભળીને દિનેશભાઈએ મારી સાથે ઉમળકાથી હાથ તો મીલાવ્યા, પરંતુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા. કોંગ્રેસી મહાનુભાવોની યાદદાસ્ત આટલી કમજોર કેમ? શું એમને માત્ર નેહરુ ખાનદાનના ગોરા, ચીકણા યુવરાજો જ યાદ રહેતાં હશે? મારા જેવા ફટીચર, કાળા, કોમનમેન કેમ યાદ નહીં રહેતા હોય? અને શું હવે કોંગ્રેસની જ જેમ ભાજપ પણ સત્તા પર આવ્યા પછી દલિતોને વિસરી ચૂક્યું છે? તમારી પાસે આ પ્રશ્નોના જવાબો હોય તો મને કહેજો.

No comments:

Post a Comment