November 05, 2020

"મહેશ નરેશ" ની સફળતા અને "જાતિ"

  By Vijay Makwana  || 30 October 2020


સિનેમા એ શેરી નાટકો અને નાટક મંડળીઓ તથા ભવાઈ નું આધુનિક રૂપ છે. ભવાઈ એ એક જમાના નો અસ્પૃશ્ય ધંધો છે. બોલીવુડ ઢોલીવુડ ટોલિવુડ નો ઇતિહાસ તપાસી લો.. ઉચ્ચવર્ણના લોકો આ વ્યવસાયમાં આવતા તો સમાજમાં ખૂબ ખરાબ ચર્ચા થતી. એક અસાઈત બ્રાહ્મણ ને નાટક માં ભાગ લેવા બદલ ન્યાત બહાર મુકાયેલ.. જેણે ઘણા ભવાઈ ના નાટકો લખેલા..  નરેશ અને મહેશ માટે તે વખતે સરળ અને સહેલું હતું સફળતા મેળવી લેવાનું.. અને આમેય નરેશ મહેશ પહેલાં કાનજીભાઈ નામના ગુજરાતી ફિલ્મ નિર્દેશક મૌજુદ હતા.. અનુ. જાતિ માં આવતી નાયક અને બીજી જાતિઓનો આ મૂળ વ્યવસાય હતો.. સવર્ણો એ 50 ના દસક બાદ આ ધંધામાં નાણાં અને કીર્તિ જોઈ એટલે ઘૂસણખોરી કરી..

40 ના દસકામાં તો આખા ભારતમાં કોઈ સ્ત્રી નાટક કે ફિલ્મ ની હિરોઈન થવા તૈયાર નહોતી. ત્યાં સુધી તો પુરુષ જ હીરો અને હિરોઈન બનતો હતો.. આ ચાલીસના દસકામાં જ મહેશ અને નરેશ નો નવજાત બાળકો તરીકે જન્મ થયો હતો.

ગાવું અને વગાડવું, લોકોનું મનોરંજન કરી પેટિયું રળવા નો મૂળથી જ દલિતોના બાપ દાદા નો અસ્પૃશ્ય ધંધો હતો. એટલે એમાં મહેશ નરેશ સફળ થાય જ.. જાતિવાદ દૂર થયો નહિ જાતિ બરકરાર રહી એમ સમજો!

No comments:

Post a Comment