October 21, 2017

ભારતમાં શિક્ષણ અને શિક્ષકો ની સ્થીતી

By Dinesh Makwana  




એનડી ટીવી ના રવિશકુમારના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી જે જાણીને તમે પણ આઘાતથી આશ્ચર્ય પામશો. 

અમેરિકાની યુનિવર્સિટીઓમાં પચાસ ટકાથી વધુ શિક્ષકો જેને આપણે પ્રોફેસર કે લેકચરર કહીયે છે તેઓ કાયમી નથી, હંગામી ધોરણે કામ કરી રહ્યા છે. ગાર્ડીયન નામના અખબારની માહિતિ પ્રમાણે પ્રોફેસરો પોતાનું ઘર ચલાવવા બીજું વધારાનું કામ કરે છે જેમાં કેટલાક ટેક્ષી ચલાવે છે, કેટલાક ક્લબમાં કામ કરે છે. એક સ્ત્રી પ્રોફેસર પોતાના ઘરને ચલાવવા સેકસ વર્કર બની છે. પણ આ હંગામી પ્રોફેસરોનો પગાર અમેરિકન સરકાર વધારતી નથી. જો આ હાલત અમેરિકા જેવા વિકસિત દેશની હોય તો બીજા દેશની વાત જ શુ કરવી. દર વર્ષે શિક્ષા માટેનુ બજેટ ઘટતું જાય છે. પ્રોફેસરોને પુરા સમય કે અમુક કલાકોથી વધારે કામ આપવામાં આવતુ નથી જેથી તેમને હેલ્થ ઇન્યુરન્સ આપવો ના પડે. ક્યારે નોકરી છુટી જશે તેના માટે કોઇ ગેરંટી નથી. તલવારની ધાર પર કામ કરતા રહે છે. તેઓ પોતાના બાળકોને સારી સ્કુલ કે કોલેજમા ભણાવી શકતા નથી.

ભારતમાં લગભગ દરેક જગ્યાએ આ સ્થિતિ છે. સરકારી કોલેજમા છેલ્લા ૧૦ કે ૧૫ વર્ષથી ભરતી થઇ નથી. હંગામી ધોરણે કે પાર્ટ ટાઇમ ધોરણે તો કોઇ જગ્યાએ ગેસ્ટ ફેકલ્ટીના નામે શિક્ષણ અપાઇ રહ્યુ છે. 

દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે તેમાં આ હંગામી શિક્ષકોનો પગાર ૨૪૫૦૦ થી વધુ નથી. દિલ્હીમાં એક ટેક્ષી ચાલક મહીને ૫૦૦૦૦ થી વધુ કમાઇ શકે છે ત્યારે ભવિષ્યનું ઘડતર કરનારા આ પ્રોફેસરોની હાલત શુ હશે. એનડીટીવી પર તેઓ જે ઘરમા રહે છે, જે વાતાવરણમાં રહે છે તે દ્રશ્યો બતાવવા મા આવ્યા. આપણા ગામડાના ગરીબ માણસો કરતાય બદતર હાલતમાં આ શિક્ષકો રહે છે. આ બધા ની પાસે પુરેપુરી શૈક્ષણિક લાયકાત છે.UGC  ની પરીક્ષા પાસ કરી છે. MPhil કે PhD થયેલા આ શિક્ષકોના ચહેરા પર નિરાશા અને રોષ છે. શિક્ષણનો વ્યવસાય આજેય ઉમદા ગણાય છે જયાં ભ્રષ્ટાચાર લગભગ શુન્ય છે પણ તેમની સ્થિતિ વિશે સરકાર કે બીજાને કોઇ ચિંતા નથી.

મધ્યપ્રદેશ મા આનાથી વધારે ખરાબ હાલત છે. લગભગ દરેક સરકારી કોલેજમા માત્ર દસ ટકા જ કાયમી શિક્ષકો છે બાકીના મહેમાન તરીકે છે. આ બધાની પાસે પુરી શૈક્ષણિક લાયકાત હોવા છતા તે બધાનો પગાર ૮૦૦૦ થી વધુ નથી. 

પંજાબમા ૧૯૯૬ પછી ભરતી થઇ જ નથી.ઉતરાંચલ મા પણ આ જ સ્થિતિ છે. 

અમારું ખાતું એટલે કે શ્રમ મંત્રાલય મોંઘવારી ના આંકડા પ્રમાણે દર છ મહિને ન્યુનતમ મજદુરી ના આંકડા બહાર પાડે છે, એટલે કે તેનાથી ઓછો પગાર આપી શકાય નહી. અત્યારે અમદાવાદ જેવા શહેરમાં ૫૪૦, વડોદરા કે સુરત કે રાજકોટ જેવા શહેરમાં ૪૫૯ અને બાકીના તમામ વિસ્તારોમાં ૩૫૯ જેટલો ઓછામા ઓછું અથવા અભણ મજુરને પગાર તરીકે ચુકવવામા આવે છે. 

સામી બાજુએ જે PhD કે MPhil થયા છે તેમને આ  અભણ મજુરો કરતા ઓછો પગાર ચુકવાય છે. 

બેરોજગારી એટલી બધી છે કે તમને આવા શિક્ષિત મળી રહે છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજોની વાત જ કરવા જેવી નથી. ૧૫૦૦૦ પર સહી કરાવશે અથવા બેન્કમા ટ્રાન્સફર કરશે પરંતુ હકીકતમા ૮૦૦૦ કે ૯૦૦૦ થી વધુ તેમને મળતા નથી. 

બંધારણ પ્રમાણે સમાન કામ સમાન વેતન છે પરંતુ કોઇ કોર્ટ આ બાબતમાં કશુ કરતી નથી. દરેક રાજ્યમાં આ સ્થિતિ છે.  કાયમી પ્રોફેસર ૭૫૦૦૦ થી વધુ પગાર લે છે અને પેલો ૧૦૦૦૦ મા વધારે કામ કરે છે. મોંઘવારી બંને માટે સરખી છે પણ તેમના માટે લડનારુ કોઇ નથી. તેમની પાસે કોઇ નિમણૂક પત્ર નથી, હંગામી ધોરણે કામ કરે છે અને તેથી બીજા સેમેસ્ટરમા તેમને નોકરી મળશે કે નહી તેની ગેરંટી જ નથી. 

આખી દુનિયામાં સૌથી માનપાત્ર શિક્ષકો આપણે ત્યાં સૌથી વધુ દુખી અને મજબુર છે. પણ અખબારો કે ચેનલોને તેમના સમાચાર મા રસ નથી. નેતા હિન્દુ મુસ્લિમ પર ભાષણઆપતા રહે છે. પણ ભવિષ્ય ઘડનારાની સ્થિતિ વિશે વિચારવાનો કોઇને સમય નથી. 

જો આ સ્થિતિ જનરલ કેટેગરીની હોય તો તેનાથી વધુ દયનીય આપણી છે.  કેટલાય ને નોકરી નથી. દરેક નસીબદાર નથી કે લાયકાતમાં મેરીટ નથી. 

અને આપણે જય ભીમ કરતા રહીયે છે. અને આ દેશને મહાન કહેતા રહીયે છે.

દિનેશ મકવાણા
૪/૧૯/૨૦૧૭ અજમેર

No comments:

Post a Comment