July 24, 2017

દલિત ચિંતન માટે ગંભીર પડકાર

By Mayur Vadher || 29 June at 22:15 


આંબેડકરે આપેલા મહાન વૈચારિક વારસાને પરીણામે અવતરીત દલિત ચિંતન પ્રતિરોધની લડાઈનુ નેતૃત્વ કરી રહ્યું છે. તેની સમાંતરે તે જાતિ ઉચ્છેદની ધીમી લડાઈ પણ લડી રહ્યું છે. દલિત ચિંતન હિન્દુ સમાજની જાતિઓ સામે તો તેનો જંગ માંડી રહ્યુ છે પણ હિન્દુ સમાજના હાડ-માસમાં વણાઈ ગયેલુ જાતિશ્રેષ્ઠતાનું ગુમાન જાતિ નિર્મૂલનની લડાઈ માટે પડકાર છે. આંબેડકરી ચિંતનની જાતિ નિર્મૂલનની લડાઈ જેટલી ધીમી છે એટલી સામે પક્ષે જાતિને મજબૂત રાખવાની લડાઈ પણ એટલી જ જડપી અને મજબૂત છે. છતા આવી નિરાશાજનક અવસ્થામા આંબેડકરી ચિંતકો જાતિ સામેના બળવામા હિન્દુ સમાજની જાતિ વ્યવસ્થાની ભોં ભાંગી રહ્યું છે. દલિતોમા માહોમાહ વિસ્તરતો જાતિવાદ પણ દલિત ચિંતન માટે ગંભીર પડકાર છે. આંબેડકરી ચિંતકોએ દલિતો વચ્ચે વિસ્તરી રહેલો વણકર, ચમાર, હાડી,સેનવા, ગરો વગેરે વાદની વરવી હકીકતો સ્વિકારી આત્મચિંતન કરવું પડશે. કારણ કે જ્યાં એકલવ્ય અને શંબુક જ પોતાની વર્ગીય ચેતનાનું ઐક્ય સાધી શકતા નથી તો બીજાની તો કલ્પના જ કરવી રહી. ડૉ. આંબેડકર જેવી બહુમુખી અને વ્યાપક પ્રતિભા બંધારણના પ્રમુખ ઘડવૈયા કરતા મુઠી ઉંચેરી છે. હકીકતે, આંબેડકરને ‘બંધારણના ઘડવૈયા’, ‘નારી અને મજૂર અધિકારોના પ્રણેતા’, ‘દલિત ઉદ્ધારક’ જેવી પ્રચલિત ઓળખની કેદમાથી બહાર કાઢવા પડશે. દલિતો જે આંબેડકરને ભાવુકતાથી જોઈ રહ્યાં છે તેને દલિતોએ બૌદ્ધિકતાની એરણે તપાસવા જોઈશે. આંબેડકર 1936મા જે ‘એન્હીલેશન ઓફ કાસ્ટ’મા કહી ગયા ત્યાં સુધી ન પહોંચી શકીયે તો પણ માનસિક જૂદાપણું તો ડામવુ જ રહ્યું. હા, બન્ને પક્ષે. 
-મયુર વાઢેર

No comments:

Post a Comment