July 24, 2017

લોકશાહી નો કાળો અધ્યાય : બહેનજી નુ રાજીનામુ

By Mayur Vadher   || 19 July at 01:49



સંસદમા અનેક દલિત સાંસદો છે પણ તેને સત્તા પક્ષે ફેકેલા ટુકડા એટલા ભાવી ગયા છે કે જે સમૂદાયને લીધે તેને સંસદમા પ્રવેશ મળ્યો છે તે સમૂદાયની પીડાના કડવા સ્વાદ જ ભૂલાઈ ગયા છે! જાતિવાદી સવર્ણોના અત્યાચારોની આગમા સળગી રહેલા દલિતોના ઝૂંપડા અને કપાઈ ગયેલા દલિતોના મડદાં ભારતીય સવર્ણ વર્ચસ્વવાદી રાજકારણને ધિક્કારી રહ્યા છે.સહારનપુર હિંસામા સળગેલા દલિતોના ઝૂંપડામા દિવસો સુધી ધૂમાડા નીકળતા રહ્યા પણ તેને વ્યક્ત કરવા માટે રાજ્યસભા ઉપસભાપતિએ બહેન માયાવતીને માત્ર ત્રણ જ મીનીટ આપી. એ બહેન માયાવતી જ હતી જેણે દલિતોની પીઠ પર પડેલા ભયાનક સટાક...સટાક અવાજ સંસદના ગૃહોમા ગુંજાવ્યા હતા. રાજ્યસભા સ્પીકરે સહારનપુર દલિત અત્યાચારની પીડાના અવાજને વ્યક્ત કરવા માટે માત્ર ત્રણ જ મીનીટ આપી ત્યારે બહેન માયાવતીએ રાજ્યસભાની સીટ વલોપાત સાથે ત્યાગી દીધી. બહુજન રાજકારણને પૈદા કરવા માટે માન્યવર કાંશીરામ સાહેબ અને તેના સાથીઓ સાથે બહેન માયાવતીએ પણ અકથ્ય ત્યાગ અને સમર્પણ આપ્યા છે. એ ત્યાગ અને સમર્પણ જ માયાવતીને ધ આયર્ન લેડી માયાવતી બનાવે છે, એ ત્યાગ અને સમર્પણને લીધે જ દેશના કરોડો શોષિતોના દિલમા 'બહેનજી' શબ્દ આદર સાથે ગાજે છે.
-મયુર વાઢેર

No comments:

Post a Comment