July 24, 2017

ઇતિહાસનો સબક

By Raju Solanki  || 22 July at 18:52

ઇતિહાસનો સબક
તમને કોઈ તકવાદી કે ચમચા કહે તો ખોટું ના લગાડો. જાહેર જીવન છે. ચાલ્યા કરે.
કહેવાતા તકવાદીઓ અને ચમચાઓએ પણ લાખો લોકોનું ભલુ કર્યું છે. બીલીવ મી.
કાંસીરામે જેમને મહાન ચમચાનું બિરુદ આપેલું એવા બાબુ જગજીવનરામની પ્રચંડ પ્રતિમા અમદાવાદમાં હજુ ઉભી છે તે જોઈ લેજો મારી વાત તમને સમજાઈ જશે. ‘રેલ્વેમાં બાબુજીએ આપણા લોકોને બહુ નોકરીઓ અપાવી,’ આવું કહેનારા બુઢ્ઢાઓ આજે પણ તમને નરોડા રોડની ચાલીઓમાં મળી જશે.
રામવિલાસ પાસવાને એટ્રોસિટી એક્ટના ગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે 125 સાંસદોને એકઠા કરીને રાષ્ટ્રપતિ ભવન સુધી કુચ કરી હતી. પાસવાનની દલિત સેનાની નિશાળમાં સમાજકારણનો એકડો ઘૂંટનારા દલિત કર્મશીલો તમને રાજપુરની ચાલીઓમાં આજે પણ મળી જશે. પાસવાને ઘણાનું ભલુ કર્યું.
ઉદિત રાજે બેંક કર્મચારીઓનું રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવેલું. મારા બેન્ક ઓફ ઇન્ડીયાના મિત્રો ઉદિતરાજના મહાન આશિક હતા. ઉદિતરાજે પણ ઘણાનું ભલુ કર્યું.
તકવાદીઓ ભૂતકાળમાં હતા. આજે પણ છે. જંગે મૈદાનમાં પણ છે. ક્યારેક ઇમિટેશન જ્વેલરી સાચા હિરાના હાર કરતા વધારે ઝગારા મારે છે. પહેરવાનું મન થાય છે. પહેરી લો.
કાલે બજારમાં એની કોઈ કિંમત નહીં હોય.
તકવાદીઓ તમને ક્યારેય શાસક જાતિ નહીં બનાવે.
ઇતિહાસનો સબક છે. શીખવો હોય તો શીખો. નહીંતર ભાડમાં જાવ.
- રાજુ સોલંકી

No comments:

Post a Comment