June 30, 2017

બંધારણવાળો બાબો ભાગ ૩



By Raju Solanki

ડો. બાબાસાહેબ આંબેડકર મહાન હતા, પરંતુ એ કઈ ઘડી હતી જ્યારે એમની મહાનતાનો સમગ્ર દેશને પરિચય થયો? એ કયો પ્રસંગ હતો, જ્યારે બાબાસાહેબે એમની વિલક્ષણ વિદ્વતા, પારદર્શક પ્રતિબદ્ધતા અને અદમ્ય દેશભક્તિથી તે સમયના દેશનેતાઓના મન હરી લીધાં હતા? એમના દુશ્મન સમા કોંગ્રેસીઓને નતમસ્તક કરી દીધા હતાં?
17 ડિસેમ્બર, 1946નો એ દિવસ હતો. એ દિવસે બાબાસાહેબ સંવિધાનસભામાં ડો. એમ. આર. જયકરે મુકેલા પ્રસ્તાવ અંગે પોતાનો પ્રતિભાવ આપવા ઉભા થયા હતા. જયકરે જવાહરલાલ નેહરુએ રજુ કરેલા ઠરાવમાં સુધારો સૂચવ્યો હતો. મુસ્લિમ લીગ સંવિધાન સભાનો બહિષ્કાર કરી ચૂકી હતી. મુસ્લિમ લીગ બંધારણના ઘડતરની પ્રક્રિયામાં જોડાય નહીં ત્યાં સુધી ઠરાવ પસાર ના થાય તેવું જયકર સૂચવી રહ્યા હતા. 
બાબાસાહેબ જયકરના પ્રસ્તાવ અંગે બોલવા ઉભા થયા ત્યારે સંવિધાનસભામાં ઉપસ્થિત કોંગ્રેસીઓને એવી અપેક્ષા હતી કે ડો. આંબેડકર જયકરને સમર્થન આપવાની મેલી રમત રમશે અને એવું ધારીને ડો. આંબેડકરને ભોંય ભેગા કરવાનો મનસૂબો કોંગ્રેસીઓ હૈયામાં ધરીને બેઠા હતા. પરંતુ, સૌના આશ્ચર્ય વચ્ચે બાબાસાહેબે તેમના સમગ્ર જીવનના અર્ક સમું, તેમની પ્રતિભાને અનુરૂપ એવું ઓજસ્વી વક્તવ્ય આપ્યું કે સમગ્ર સંવિધાન સભાએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં હતાં. 
બાબાસાહેબના એ વક્તવ્ય વિષે હું તમને અહીં વિસ્તારપૂર્વક જણાવીશ, પરંતુ અત્યારે તો એટલું જ કહીશ કે એ ઘડીથી બંધારણના ઘડવૈયા તરીકેની બાબાસાહેબની ભૂમિકાની શરૂઆત થઈ હતી.
- રાજુ સોલંકી

Facebook Post:-

No comments:

Post a Comment