November 01, 2017

એક બનો એક બનતા અટકાવનારા લોકો ને સાચી સમજ આપો

By Jigar Shyamlan ||  31 Sep 2017 


એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવી છે, કે સમગ્ર અનુસૂચિત જાતીના વણકર, રોહીત, રાવત, ગુરુબ્રાહ્મણ, તુરી, વાલ્મિકી વગેરે અલગ અલગ મણકાઓને એક સૂત્રમાં પરોવવા માટે કોઈ મજબૂત દોરો હોય તો એ છે એકલો "જય ભીમ" નો નારો...

આ નારો એકલો "જય ભીમ" બોલાય ત્યાં સુધી જ ઠીક છે, પરંતુ જયારે પણ આ નારાની પાછળ પાછળ "જય વીરમાયા" "જય રોહીદાસ" "જય વાલ્મિકી" જેવા અન્ય પેટાજાતિ સમૂહ દશઁક નારાઓ સાંભળવા મળે ત્યારે બંધીયાર પાણીને ડહોળતા જેવી ગંધ ઉઠે તેવી જ ગંધ અનુસૂચિત જાતિમાં ખદબદતા જાતિવાદની છે.

માત્ર "જય ભીમ" અને "જય ભીમ નમો બુધ્ધાય" એ નારાઓ આપણી એકતાનો જયઘોષ કરે છે.
એ સિવાય આપણે જયાં સુધી એકલું જય ભીમ બોલીશું ત્યા સુધી જ એકસુત્રમાં બંધાયેલ રહીશું. જય ભીમની પાછળ જોડાતા બીજા નારા આપણી એકતા ખંડીત કરે છે.
તો આપણે આ વાતને સમજીએ અને એક સમાજ તરીકે એક બનીએ બસ એટલી જ લાગણી..
#I_Support_Unity
#જિગર શ્યામલન

No comments:

Post a Comment