November 01, 2017

જેની જેટલી જનસંખ્યા તેનો તેટલો હિસ્સો

By Jigar Shyamlan ||  30 Oct 2017 


પાટીદાર અનામત આંદોલન સમીતિ (પાસ) અને કોન્ગ્રેસ વચ્ચે બેઠક હતી. આરક્ષણ સિવાયના ચાર મૂદ્દાઓ પર સકારાત્મક વાતાવરણમાં બેઠક પૂણઁ થઈ.
સંવિધાનીક રીતે પાટીદારોને આરક્ષણ કેવી રીતે મળી શકે એ બાબતે કોન્ગ્રેસ હવે નિષ્ણાંતો સાથે ચચાઁ કરશે. સંવિધાનીક રીતે પાટીદારોને આરક્ષણ આપવાની સ્પષ્ટ ફોમ્યુઁલા નક્કી કરશે અને આગામી દિવસોમાં આ મુદ્દે ફરી પાસ સાથે બેઠક કરવામાં આવશે. ત્યારબાદ પાસ ચૂંટણીમાં કોને સમઁથન આપવું એ બાબતે પોતાનો મત જાહેર કરશે.
જો કે એ તો વાતની વાત છે, બેઠક પછી પાસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. હાદિઁક પટેલનું વલણ દયનીય જણાયું,
પોતે હાવભાવથી સ્પષ્ટ ઈનકાર કરતો રહ્યો પરંતુ વાતચીત અને બોડી લેંન્ગવેજથી કોન્ગ્રેસને સમઁથન આપી જ દીધું.
પાસ માટે આ હાલની સ્થિતી એક મજબૂરી બની ચુકી છે, એની પાછળ કેટલાક કારણો છે.
(૧). અનામત આંદોલન પછી પાસ ની સરકાર સાથે એક પછી એક કેટલીક મંત્રણાઓ નિષ્ફળ કરવામાં આવેલી. એમાં સરકારનું ઉદાર વલણ હતુ પણ પાસનું વલણ સહેજ અક્કડ રહેલું એટલે તેમાં કોઈ ભલીવાર રહ્યો ન હતો.
(૨). આ પછી પાસ દ્વારા સરકાર સામે રીતસરની બાંયો ચઢાવી સરકાર સામે આક્રમક કાયઁક્રમો આપેલા જેનાથી સરકારે આ મુદ્દે મૌન રહેવુ પસંદ કયુઁ, સરકારે ફરી મંત્રણા માટે પ્રતીભાવ ન આપ્યા.
(૩). સરકારના વિરોધ પછી પાસે આમ આદમી પાટીઁ તરફ સરકવા પણ પ્રયાસ કયોઁ પણ આમ આદમી પાટીઁ લાચાર હતી કારણ આટલા ટુંકા સમયગાળામાં ચૂંટણી લડવા યોગ્ય તૈયાર ન થઈ શકી. જોઈયે તેટલો જનમત ભેગો કરી શકી નહી, પાસમાં ટીકીટ માંટે ફાંફા જણાતા પાસના આપમાં જોડાયેલ લોકોમાં ધડાધડ રાજીનામાં પડવા લાગ્યા અને જે ને જયાં ગોળ મળ્યો ત્યાં માખીઓ બણબણવા માંડી.
(૪). ગુજરાતમાં એન.સી.પી., જે.ડી.યુ. સમ ખાવા પૂરતા ગણાય એટલે એની સાથે જવાય નહી. જન વિકલ્પ વિકલ્પ બનવાની શક્યતા ગૂમાવી ચુક્યુ છે.
હવે બચ્યુ કોણ..? કોન્ગ્રેસ...

જે મિત્રો એ જોયું હશે તેમને ખબર હશે, કે આજની પ્રેસ કોન્ફરન્સમાં હાદિઁકના મોંઢે વાત વાતમાં માન્યવર કાંશીરામજીએ આપેલ નારો નિકળી આવ્યો "જેની જેટલી જનસંખ્યા તેનો તેટલો હિસ્સો"

Watch Video :-

No comments:

Post a Comment