March 28, 2020

વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે???

By Raju Solanki  || 26 March 2020


દિલ્હીમાં દુબઈથી આવેલી મહિલા મહોલ્લાના ક્લિનિકના ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી. એણે ડોક્ટરને, તેમના પત્નીને અને બાળકને ચેપ લગાડ્યો, એટલું જ નહીં બીજા સેંકડો લોકોને પણ ચેપ લગાડ્યો. હવે છસો વ્યક્તિઓને ક્વોરન્ટાઇમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.

આ ભયાનક ઘટના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારે દેશમાં વિદેશથી આવતા લોકોને બેફામપણે દેશમાં ઘૂસવા દીધા છે. આવા લોકોને એરપોર્ટ પર જ અટકાવીને ક્વોરન્ટાઇનમાં રાખવાની જરૂર હતી, પરંતુ સરકારે એ તરફ ધ્યાન જ આપ્યું નથી અને હવે એની સજા દેશના ગરીબોને ભૂખે મારીને આપી રહી છે.

હજુ સમય છે. સરકારે પાસે છેલ્લા બે મહિનામાં કોણ કોણ વિદેશથી આવ્યં એની યાદી છે. આ લોકોને શોધી શોધીને ક્વોરન્ટાઇનમાં મુકી દેવા જોઇએ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જણાવ્યું છે કે એગ્રેસિવ્લી આવા લોકોને શોધી શોધીને એમનો ટેસ્ટ કરીને સંક્રમિત લોકોને અલગ પાડી દેવા જોઇએ.

સરકારે કેમ આવું ના કર્યું એનું એક કારણ એ પણ છે કે વિદેશથી આવતા લોકો પહેલા ખોળાના છે. એમાં કોઈ આદિવાસી, દલિત કે બહુજન સમાજના નથી. સરકારે વિદેશથી આવતા લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને શોધી કાઢવાના હતા, એના બદલે સરકાર હવે બહુજન, ગરીબ લોકોની પાછળ કૂતરાની જેમ પડીને તેમને દંડા મારીને લોકઆઉટનો અમલ કરાવી રહી છે.

અર્ણબ, રાહુલ, રાજદીપ જેવા મીડીયાના પ્રવક્તાઓ આ મુદ્દા પર ભસવા તૈયાર નથી.



No comments:

Post a Comment