By Vijay Makwana || 16 April 2020


વિજ્ઞાન વિશે એક મઝાની વાત હોય તો એ છે કે, વિજ્ઞાન હંમેશા ટીકાઓ માટે
અને ચર્ચાઓ માટે તૈયાર રહે છે. એના માં ખુલ્લાપણું ખુબ છે. એ બંધિયાર
નથી. દુનિયામાં ઘણી શક્તિઓ એવી છે કે જે વિજ્ઞાન ને પણ ધર્મ બનાવવાની
મથામણ કરે છે. પણ વિજ્ઞાને પોતે પોતાના માટે એક નિયમ બનાવ્યો છે. પોતાના
નિયમો સાર્વજનિક હોવા જોઈએ અને તેની સાર્વજનિક ચર્ચા થવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આઇન્સ્ટાઇન ના નિયમોમાં ત્રુટી છે તે જોઈ શકીએ છીએ. કારણ કે, આઇન્સ્ટાઇન ના નિયમને જૂઠા સાબિત કરતા બીજા સાયન્ટીફીક પેપર્સ આપણી પાસે હાલ મોજુદ છે. દરેક વ્યક્તિ અહીં ગણિત શીખી શકે છે. અને એ પણ બિલકુલ નવીનતમ ગણિત. તે મોનોગ્રાફ વાંચી શકે છે. આર્ટીકલ વાંચી શકે છે. વિજ્ઞાનસભાઓમાં જઈ શકે છે. બીજા વિજ્ઞાનીકો સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરી શકે છે અને પોતાનું સત્ય તારવી શકે છે. આ ખુલ્લાપણું વિજ્ઞાનની અમોઘશક્તિ છે. જેની સામે ધર્મ વિકલાંગ બની જાય છે. ધર્મ હંમેશા બંધિયાર રહ્યો છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. તેના નિયમો કેમ આવ્યા તે કાયમ રહસ્ય રહ્યાં છે. કેમ કે ધર્મના નિયમ વિષે સાર્વજનિક ચર્ચા થવાનો સંભવ શક્ય નથી. નિયમ સામે શંકાઓ નથી થઇ એટલે તે બદલાયા નથી. ધર્મના નિયમો અફર છે કેમ કે તેને એક પ્રકારે આદરથી જોવામાં આવે છે. કેમ કે તેના પર ઈશ્વરનો માર્કો લગાવવામાં આવે છે. જેથી તે નિયમ હંમેશને માટે એક રહસ્ય બની જાય છે. અને એટલે જ ધાર્મિક શિક્ષણ વિકૃત બની ગયું છે. ધર્મના સત્તાધીશો જે અનુયાયીને સમજાવે તે તેમના માટે આખરી શબ્દ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ તે નિયમને પડકારી નથી શકતો કે તેનું સાચું અર્થઘટન નથી કરી શકતો..
~ વિજયમકવાણા
No comments:
Post a Comment