April 20, 2020

કોરોના-યુગની કઠણાઈ

By Raju Solanki  || 12 April 2020


India ranks below Pakistan, Lanka in Global Hunger Index, report ...
સરસપુર, પોલિસ ચોકીની બાજુમાં આવેલા કડીયાવાડમાં રહેતા રાજુ ભાવસાર રમકડાં, ફુગ્ગા વેચીને ગુજારો કરતા હતા. લોકડાઉનમાં એ પણ બંધ થઈ ગયું. 65 વર્ષના રાજુભાઈ એકલા જ રહે છે. પરીવારમાં બીજું કોઈ નથી. થોડાક દિવસો પહેલાં કડીયાવાડમાં પોલિસ સરવે કરવા આવેલી. રાજુભાઈ છેક અંદરના ભાગમાં કહે છે. કોઇએ એમનું નામ આપેલું નહીં. એટલે ફુડ પેકેટ પણ મળ્યા નહીં. હવે શું કરવું કોર્પોરેશનના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.

એસજી હાઇવે પર ગ્રાન્ડ ભગવતીની સામે આવેલી ધી ગ્રાન્ડ ઇડન હોટલના માલિક જયસુખ ભટ્ટ જણાવે છે કે એમણે છ છોકરાઓને એમની હોટલમાં આશરો આપ્યો છે. છેક કોલકાતા છે. અહીં મજુરી કરતા હતા. લોકડાઉનના કારણે વતનમાં પાછા ફરી શક્યા નથી.

વસ્ત્રાલ-ઓઢવવની વચ્ચે, પાંજરાપોળની પાછળ, તનમન ભાજીપાંઉની સામે ઔડાના ચાર માળીયા નામે સત્યમ આવાસ છે. અહીં અંદાજે 2000ની વસતી છે. છૂટક મજુરી કરતા આ લોકો હાલ ભૂખે મરે છે.

મધુરમ ફ્લોરા, ચાંદખેડાથી રમેશ પરમાર જણાવે છે કે, એમના ત્યાં બાંધકામની વિવિધ સાઇટો પર કામ કરતા 60 મજુરો તકલીફમાં છે. વારાણસી, બલીયા બાજુના આ મજુરો લોકડાઉનના કારણે ચાંદખેડામાં ફસાઈ ગયા છે અને હવે તેમને ખાવાના ફાંફા છે. રમેશભાઈ પોતે સીઝનલ ધંધો કરતા હતા. કાગળની થેલીઓ બનાવીને દુકાને દુકાને ફરીને વેચતા હતા. એમનો ધંધો પણ હવે બંધ થઈ ગયો છે.

ન્યૂ રાણીપ શિવદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રોબર્ટ ક્રિશ્ચિયન સિક્યોરિટીમાં નોકરી કરતા હતા. હાલ બેકાર થઈ ગયા છે. એમને શ્વાસની તકલીફ છે અને ઉપરથી હવે ખાવાના ફાંફા છે.

ઓમનગર, ફાટકની જોડે, ક્વાટર્સની બાજુમાં ખાડાવાળી ચાલીમાંથી વિનોદ પરમાર જણાવે છે કે, અહીં છાપરામાં 75 પરીવારો વસે છે. તેઓ નરોડા ફ્રુટ માર્કેટમાં મજુરી કરતા હતા. હાલ માર્કેટ બંધ છે. તેઓ સૌરાષ્ટ્ર બાજુના છે. વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડીયાને ફોન કરતા તેમણે તેમના વોર્ડ પ્રમુખ ભાવિન જોડે વાત કરવા જણાવેલું. પણ કશું થયું નથી.

શાહપુર, મહેંદીકુવા, કાઝીમિયાંની ચાલીમાં વીસ પરીવારો ભાડાના મકાનોમાં રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હતા. હાલ તકલીફમાં છે, એમ જગદીશભાઈ તુલસીભાઈ બોડાણા જણાવે છે.

- રાજુ સોલંકી

No comments:

Post a Comment