April 20, 2020

તમને શું લાગે છે? કોરોના રાહત ફંડમાં કૌભાંડ થશે?

By Vijay Makwana  || 30 March 2020

Contributions to PM CARES Fund qualify as CSR expenditure, but not ...
ડિઝાસ્ટર મેનજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ 50, 60, અને કલમ 70 થી 76 વાંચી જાઓ! તે મુજબ કુદરતી આપદા માં સરકાર જે કોઈ પણ કદમ ઉઠાવે તેને કોઈ લોકલ ઓથોરિટીમાં લોકો ચેલેન્જ ન કરી શકે. માત્ર હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ જ તેને વાજબી અથવા ગેરવાજબી કહી શકે. એટલે કોઈ પણ પદાધિકારી સામે તમારે ગેરરીતિની ફરિયાદ કરવી હોય તો દરવાજા તમારે ઉચ્ચ ન્યાયાલય ના ખખડાવવાના ! આપદના સમય વખતે સરકાર દ્વારા જે રાહત ફંડ આપવામાં આવે છે તે ફંડ નું ઓડિટ પણ કોઈ સંસ્થા નથી કરી શકતી. રાજ્ય ઓથોરિટી જે ફંડ વાપરે તેનો રિપોર્ટ વિધાન સભામાં તથા લોકસભા માં વાર્ષિક રિપોર્ટ તરીકે રજૂ કરી શકે છે. અને એ વખતે કેન્દ્ર ની કે રાજ્યની સરકાર ને એમ લાગે કે રાજ્યો એ તે ભંડોળ નો દુરુપયોગ કર્યો છે તો જે તે રાજ્યની ડિઝાસ્ટર ઓથોરિટી નો કેન્દ્ર સરકારના આદેશથી અહેવાલ માંગવામાં આવશે. હવે રાજ્ય ઓથોરિટી ના વડા મુખ્યમંત્રી હોય છે! તેમને પોતાના તાબા માં રહેલ ઓથોરિટી નો અહેવાલ મોકલવાનો છે. કેન્દ્રમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ ઓથોરિટી ના મુખિયા માત્ર વડાપ્રધાન રહેશે! જેમના હાથમાં તમામ સત્તા રહેશે..

કલમ 50 વાંચો તો એમાં સ્પષ્ટ લખ્યું છે. ઓથોરિટી જે રાહત કામ માટે જે ખરીદી કરે તેના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવાની. ઓથોરિટી ને ઉચ્ચક ખર્ચના બિલ કે રજીસ્ટર સાચવવાથી મુક્તિ અપાઈ છે. તે એટલા માટે કે આપદા માં વિના સંકોચ આવશ્યક ચીજ વસ્તુઓ ઓથોરિટી તત્કાળ ખરીદી શકે.

હવે જોઈએ કોરોના રાહત ફંડના 1 લાખ 70 હજાર કરોડ કયા રાજ્યો કેવી રીતે વાપરે છે. અને કયા રાજ્યોના અહેવાલો ની ટીકા થાય છે. હજી સુધી લોકસભામાં આપદા વ્યવસ્થાપન અહેવાલ બાબતે પક્ષ કે વિપક્ષે બહુ વિરોધ કર્યો હોય તેવું બન્યું નથી. આ વખતે મોટી રકમ છે પણ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય કર્તા હર્તા હોય તો મને ક્યાં કોઈ ચિંતા છે..?? પણ તમે જ ફરિયાદ કરશો સરકારે કોરોના કૌભાંડ કર્યું. તમારે ફરિયાદ કરવી છે પણ તમે ઉચ્ચ ન્યાયાલય સિવાય ફરિયાદ નહિ કરી શકો. કેમ કે, તમારે કોર્ટમાં ફરિયાદ કરતા પહેલા રાજ્ય સરકાર ની મંજુરી લેવી પડશે. તે મંજૂરી ન આપે તો તમારે 30 દિવસમાં કાનૂની નોટિસ આપવી પડશે. એ નોટિસ નો જવાબ ના મળે તો 15 દિવસની મુદતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવાની. ઉચ્ચ ન્યાયાલય તમારી ફરિયાદ લેવી કે ના લેવી તેનો નિર્ણય લેવા બે માસ ની હિયરિંગ તારીખ નાખશે. આવું કલમ 60 માં જણાવેલ છે.

કોઈ ઓડિટ નહિ. કોઈ ઓડિટર નહિ. કોઈ ફરિયાદ લેનાર નહિ. સાંભળનાર નહિ.. અને 1 લાખ 70 હજાર કરોડ.. સરકારી બાબુઓ અને નેતાઓ ના હાથમાં! તમને શું લાગે છે? કૌભાંડ થશે?

No comments:

Post a Comment