July 30, 2017

સ્મૃતી અને સહનશીલતા

By Dinesh Makwana  || 28 July at 08:20

અજય દેવગનનુ એક પિકચર આવ્યુ હતું. DRISHYAM. મુળ સંસ્કૃત શબ્દનો અર્થ એવો થાય છે તમારી નજર સમક્ષ રહેવું. મનોવૈજ્ઞાનિક દષ્ટિએ આ પિકચર ઘણી બાબત શીખવાડી જાય છે. તમારી નજરની આસપાસ સતત જે ફરતું રહે તેને તમે જલદી યાદ રાખો છો, તેની જ ચર્ચા કરતા રહો છો.

દુનિયામાં સૌથી વધુ ભારતના લોકો વાતને ભુલી જાય છે. વિરાટ કોહલી દસ ઇનિંગમાં નિષ્ફળ જાય અને અગિયારમી ઇનિંગમાં સદી મારે એટલે આપણે આગળની તમામ દસ ભુલીને હાલમાં મારેલી સદીને યાદ કરતા રહીયે છે અને તેની જ ચર્ચા કરીયે છે.

આ બાબત કહેવાતા સવર્ણો બહુ પહેલા સમજી ગયા હતા અને તેથી આપણે કેવી રીતે જીવન જીવતા હતા તેને કોઇ યાદ કરતું નથી. ઇતિહાસની વાતો કેમ બાબાના અનુયાયી સતત કરતા રહે છે? વાત પાછી બહુ જુની પણ નથી. જે તકલીફ કે અત્યાચાર ની વાતો કરીયે છે તે માત્ર ૧૦૦ વર્ષ પહેલાની જ છે પણ આપણે ભુલી ગયા છે. તે તકલીફો અને અત્યાચાર માથી બહાર કાઢનારને આપણે ભુલી ગયા છે. બાબાના અનુયાયીઓ ઘાંટા પાડી પાડીને કહે છે કે આ તો યાદ રાખો. પણ આપણે ભુલવાનુ કામ કરી રહ્યા છે. આપણે કોઇના હાથા બનીને કામ કરી રહ્યા છીએ. આપણે કોઇના અજન્ડા પર કામ કરી રહ્યા છે.

બાબાની મુર્તિ કોઇ જગ્યાએ તોડી હોય તો તેના ફોટા અને કડવા શબ્દો જુદા જુદા ગ્રુપ પર ફરતા રહે છે. માત્ર વોટ્સ અપ પર આક્રોશ વ્યક્ત કરાતો રહે છે. પણ આની પાછળના હેતુને આપણે ક્યારેય સમજી શક્યા નહી. આપણે સહનશીલ નથી, નવી પેઢી તો બિલકુલ સહનશીલ નથી, તેથી તે ઘટનાની પ્રતિક્રિયા આપવામાં આપણે પોતાનો સમય બરબાદ કરતા રહીયે છે, પણ મુળ હેતુ આપણને વિચલિત કરીને મુખ્ય મુદ્દામાંથી તમને બધાને બીજે હટાવવાનો છે.

એક ઉદાહરણ આપું: આખા ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે. બનાસકાંઠા અમદાવાદ મહેસાણા જેવા વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના લોકોને અત્યારે સૌથી વધુ રાહત સામગ્રીની જરુર છે. દરેક લોકો આગળ આવી રહ્યા છે, પણ સરકારની નિષ્ફળતા ના દેખાય એટલે ગઇ કાલે ત્રણ કોગ્રેસ ના ધારાસભ્યો ભાજપમાં ગયા તેના વિશે સતત સમાચાર જુદી જુદી ગુજરાતી ચેનલ પર આવતા રહે છે. તમારું ધ્યાન હટાવવામા તેઓ સફળ થાય છે અને દરેક ગ્રુપ પર આ મેસેજ ફરતા થાય છે.

મોદી સાહેબે સંસદમાં સૌ પ્રથમ ભાષણ આપ્યું ત્યારે કહ્યુ હતું પહેલા ત્રણ વર્ષ આપણે બધા વિકાસની વાતો કરીયે. છેલ્લું વર્ષ આપણે રાજનીતિની વાતો કરીશું. આ દર્શાવે છે તમે પહેલા ત્રણ કે ચાર વર્ષની નિષ્ફળતા ભુલી જજો.

હકીકતમા આપણે તેજ યાદ રાખીયે છે જે અત્યારે બન્યું હોય અને સતત તમારી આસપાસ ફરતું રહે. આ કમજોરીનો લાભ રાજકીય ક્ષેત્રે લેવામા આવતો રહ્યો છે અને તમે તેના ભોગ બની રહ્યા છો.

પણ સારુ છે કે સોશિયલ મીડીયા ના કારણે આપણે ઘણું બાદ યાદ કરી શકીયે છે. કારણ કે પ્રિન્ટ મિડીયા અને ચેનલ પર તો સંપુર્ણ નિયંત્રણ છે ત્યારે આ સોશિયલ મીડીયા જ તમને સાચી અને તાજેતરની માહિતી આપી શકે છે.

આખી વાતનો હેતુ છે કે તમે લાગણીના પ્રવાહમાં કે બીજા સમાચાર મા તમારા ઇતિહાસને ભુલો નહી. જિગરે બહુ સરસ વાત મને કહી હતી અત્યારે બાબાના સૌથી વધુ મેસેજ દરેક ગ્રુપ પર ફરે છે તેના કારણે હેમરિંગ જેવું લાગે ખરું પણ તે જરુરી છે. કારણ કે જેઓએ મહાભારત કે રામાયણ વાંચ્યા નથી તેમને તે ગ્રંથોના દરેક પ્રસંગો યાદ છે કારણ કે તે તેમને સતત સંભળાવવામા આવતા. તેનો સતત મારો થતો રહેતો.

આપણે આપણા ઇતિહાસ ને અને બાબાના સંઘર્ષને યાદ કરતા રહીયે.


દિનેશ મકવાણા
૨૮/૭/૨૦૧૭ સવારે ૮.૨૦
અજમેર રાજસ્થાન

No comments:

Post a Comment